એફલેક સાથે ડાઈવોર્સ માટે લોપેઝની લાલચ જવાબદાર

જેનિફર લોપેઝ અને બેન એફલેક હોલિવૂડના સૌથી વધુ ચર્ચાસ્પદ કપલમાંથી એક છે. આ જાણીતું કપલ છૂટાછેડાના માર્ગે આગળ વધી રહ્યું હોવાનું કહેવાય છે. તેઓ વેકેશનમાં અલગ-અલગ ફરી રહ્યાં છે અને મક્કમ રીતે છૂટા પડવાનો વિચાર હોવાથી બેવરલી હિલ્સ ખાતેનું મેન્શન પણ વેચવા કાઢ્યું છે. આ મેન્શન બંનેએ ભેગા થઈને ખરીદ્યું હતું અને છૂટા થતાં પહેલાં તેને વેચી દેવાની તૈયારી કરી છે. તેમના આ છૂટાછેડાના કારણો અંગે વિવિધ અટકળો ચાલી રહી છે ત્યારે જેનિફરનો લાલચુ સ્વભાવ તેના માટે જવાબદાર હોવાના રિપોટ્‌ર્સ બહાર આવ્યા છે. બેન અથવા લોપેઝમાંથી કોઈએ છૂટા થવા અંગે ફોડ પાડ્યો નથી ત્યારે ખરા કારણ અંગે ખોંખારીને ખુલાસો કરવાનું અઘરું છે. જાે કે તેમને નિકટથી જાણતા સૂત્રોના મતે, લોપેઝે આલ્કોહોલની નવી બ્રાન્ડ લોન્ચ કરી છે. બેન એફલેકને આલ્કોહોલની લત હતી, જેના કારણે ઘણી વાર તે તોફાન કરતો હતો અને ભાન ગુમાવી બેસતો હતો. દારૂની લતના કારણે ઘણા સંબંધો બગડ્યા હતા અને પરિવાર પર પણ માઠી અસર પડી હતી. લાંબા સમયની મથામણ બાદ આલ્કોહોલની લતમાંથી બેનને રાહત મળવા માંડી છે. બેન સામાન્ય જીવનની આશા માંડીને બેઠો હતો ત્યારે લોપેઝે માત્ર નાણાં કમાવા આલ્કોહોલ બ્રાન્ડ શરૂ કરી છે. આ પગલું બેન માટે તમાચા સમાન છે. બેનના માનસ પર આલ્કોહોલની ખરાબ અસર પડી શકે છે, તે જાણવા છતાં લોપેઝે આલ્કોહોલ બ્રાન્ડ શરૂ કરી દીધી હતી. છૂટા થવા માટેના અન્ય કારણોમાં લોપેઝની ડોક્યુમેન્ટ્રી ‘ધી ઈઝ મી...નાઉઃ અ લવ સ્ટોરી’ પણ છે. જેનિફર લોપેઝ આ ડોક્યુમેન્ટ્રી ના બનાવે તેવી બેનની ઈચ્છા હતી. કારણ કે તેમાં આ કપલ વચ્ચે અગાઉ થયેલા ઝઘડા અને છૂટા થવાની ઘટનાનો સમાવેશ થયો હતો. બેનના નિકટના વ્યક્તિએ પ્રોડક્શન અટકાવવા લોપેઝને સમજાવી હતી. આમ છતાં તે સમજવા તૈયાર ન હતી. લોપેઝે તાજેતરમાં બેનની ગેરહાજરીમાં જન્મદિન ઉજવ્યો હતો. બેને લોસ એન્જેલસમાં એક્સ-વાઈફ જેનિફર ગાર્નરની નજીકમાં મેન્શન ખરીદ્યો છે. આમ, ડાઈવોર્સની સત્તાવાર ઘોષણા થાય તે પહેલાં એકબીજાથી અલગ રહેવાની આદત આ કપલ પાડી રહ્યું હોય તેમ જણાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution