નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર મહાદેવનની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે સૂચના જારી કરી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવ્યાના એક અઠવાડિયાથી ઓછા સમયમાં સરકારે તેમના પ્રમોશનને મંજૂરી આપી હતી,. આ સંદર્ભમાં, કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને, ન્યાયમૂર્તિ એન કોટીશ્વર સિંહ અને ન્યાયમૂર્તિ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરે છે. ૧૧ જુલાઈના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની કોલેજિયમ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તરીકે જસ્ટિસ સિંહ અને જસ્ટિસ આર મહાદેવનની નિમણૂકની ભલામણ કરી છે. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં બે નાયાધીશોની જગ્યા ખાલી છે. પહેલી જગ્યા ૧૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ ન્યાયાધીશ અનિરૂદ્ધ બોઝના નિવૃત થવાથી અને બીજી એ.એસ.બોપન્ના ૧૯ મે, ૨૦૨૪ના રોજ ખાલી થવાથી પડી હતી. બન્ને ન્યાયાધીશોએ શપથ લેતા ન્યાયાધીશોની સંખ્યા વધીને ૩૪ થઈ જશે. જસ્ટિસ એન કોટીશ્વર સિંહ મૂળ મણિપુરના છે. તેઓ સુપ્રીમ કોર્ટના જજ બનનાર રાજ્યના પ્રથમ વ્યક્તિ હશે. તેમના વિશે, કોલેજિયમે જણાવ્યું હતું કે ન્યાયિક ક્ષમતાની દ્રષ્ટિએ તેમનો રેકોર્ડ નિષ્કલંક છે અને વહીવટી બાજુએ તેમના દ્વારા કરવામાં આવેલ કામકાજ કોલેજિયમે જણાવ્યું હતું કે જસ્ટિસ આર મહાદેવન હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ છે અને તેઓ નિમણૂક માટે લાયક છે. સુપ્રીમ કોર્ટના જજ એકદમ યોગ્ય છે. નોંધનીય છે કે કોલેજિયમમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને હૃષિકેશ રોય પણ સામેલ છે.
Loading ...