જુનિયર એનટીઆરને ‘કાંતારા’ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા

ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ને મળેલી અભૂતપૂર્વ સફળતાથી સિદ્ધિઓના નવા માપદંડ સ્થાપિત થયા છે. ઋષભ શેટ્ટીની બહુવિધ પ્રતિભાથી તેણે માત્ર દર્શકોના દિલ નથી જીત્યા, પરંતુ બોક્સ ઓફિસ પર પણ સફળતા મેળવી છે, જેનાથી તે દેશભરમાં જાણીતો થઈ ગયો છે. ઋષભે લોકકથાઓને વિશ્વકક્ષાએ લઇ જઈને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. તેના કારણે હવે જાણીતા એક્ટર્સ અને ફિલ્મમેકર્સ ઋષભની ફિલ્મમાં કામ કરવા આતુર છે. તાજેતરમાં જ જુનિયર એનટીઆરે ઋષભ શેટ્ટીની ‘કંતારા-ચૅપ્ટર ૧’માં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તાજેતરમાં જ ઋષભ શેટ્ટી અને જુનિયર એનટીઆરે તેમના પરિવાર સાથે કોલ્લુરમાં આવેલા મુકમ્બિકા અમ્માવરી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. ત્યારે એક પત્રકારે જુનિયર એનટીઆરને તેઓ ‘કાંતારા’ની પ્રિક્વલમાં છે કે નહીં તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો હતો,“જાે ઋષભ શેટ્ટીનું કોઈ આયોજન હોય તો હું તેની સાથે કામ કરવા તૈયાર છું.” ઋષભ શેટ્ટી હાલ જેની આતુરતાપૂર્વક રાહ જાેવાય છે, તેવી ફિલ્મ‘કાંતારા- ચૅપ્ટર ૧’માં અતુલ્ય દૈવી અનુભવ પેદા કરી શકાય તેના પર ધ્યાન આપી રહ્યો છે. આ ફિલ્મ માટે તે બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર આશુતોષ ગોવારિકર સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે પણ ચર્ચા-વિચારણા કરી રહ્યો છે. જુનિયર એનટીઆર હાલ જ્હાન્વી કપૂર સાથેની ફિલ્મ ‘દેવરા’ અને ‘વૉર ૨’માં વ્યસ્ત છે, જેમાં તે રિતિક રોશન સામે વિલનના રોલમાં જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution