મુંબઈ,તા.૧૫
ઈ-કોમર્સ પ્લેફોર્મ પર પ્રોડક્ટ્સ અને સર્વિસની નકલી સમીક્ષાઓ હજુ પણ સામે આવી રહી છે. યુઝર્સ મામલાના મંત્રાલયના સચિવ નિધિ ખરેએ કહ્યું કે યુઝર્સના હિતોની રક્ષા માટે હવે અમે આ માપદંડોને અનિવાર્ય બનાવવા માંગીએ છીએ.
જાે તમે ઓનલાઈન શોપિંગ કર છો તો આ ખબર તમારા માટે છે. એક ઉચ્ચ અધિકારીએ સોમવારે કહ્યું કે નકલી સમીક્ષાઓ પર પ્રભાવી રીતે અંકુશ લગાવવામાં સ્વૈશ્ચિક પ્રયત્ન વિફળ થયા બાદ સરકાર ઈ-કોમર્સ કંપનીઓ માટે યુઝર્સ સમીક્ષાઓ માટે ગુણવત્તા માપદંડોનું પાલન કરવું જરૂરી બનાવવા પર વિચાર કરી રહી છે.
એક રિપોર્ટ અનુસાર સરકારે એક વર્ષ પહેલા ઈ-ટેલર્સ માટે નવા ગુણવત્તા માપદંડ જાહેર કર્યા હતા. જેમાં તેમને પેડ રિવ્યૂ પ્રકાશિત કરવાથી રોકવામાં આવ્યા હતા અને આવી પ્રચાર સામગ્રીનો ખુલાસો કરવાની માંગ કરી હતી.
રિપોર્ટ અનુસાર ઉપભોક્તા મામલાના મંત્રાલયના સચિવ નિધિ ખરે કહે છે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પ્રોડક્ટ્સ અને સર્વિસની નકલી સમીક્ષાઓ અત્યારથી સામે આવી રહી છે. ખરેએ જણાવ્યું કે એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે જ્યારે ઓનલાઈન સમીક્ષાઓ પર સ્વૈચ્છિક માપદંડોને અધિસૂચિત કરવામાં આવ્યા હતા.
અમુક સંસ્થાઓ આ વાતનો પણ દાવો કરી રહી છે કે તે તેનું પાલન કરી રહી છે. પરંતુ એ પણ હકીકત છે કે નકલી રિવ્યૂ હજુ પણ પ્રકાશિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે યુઝર્સના હિતોની રક્ષા માટે અમે આ માપદંડોને અનિવાર્ય બનાવવા માંગે છે.
ખરેએ કહ્યું કે મંત્રાલયે પ્રસ્તાવિત પગલા પર ચર્ચા માટે ૧૫ મેએ ઈ-કોમર્સ ફર્મો અને યુઝર્સ સંગઠનોની સાથે એક બેઠક નિર્ધારિત કરી છે. મંત્રાલયે ભારતીય માપદંડ બ્યૂરોએ નવેમ્બર ૨૦૨૨માં ઓનલાઈન યુઝર્સની સમીક્ષા માટે નવા માપદંડ તૈયાર અને જાહેર કર્યા છે. આપૂર્તિકર્તા કે સંબંધિક ત્રીજા પક્ષ દ્વારા તે હેતુ માટે નિયુક્ત વ્યક્તિઓ દ્વારા ખરીદી અથવા લખેલી સમીક્ષાઓના પ્રકાશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Loading ...