જામનગર: જમાઇએ ઇટનાં ઘા ઝીંકી સસરાની કરી હત્યા, પોલીસે જમાઇની શેધખોળ શરૂ કરી

જામનગર-

તળાવની પાળ પાસે આવેલી દિગ્વિજય પ્લોટ શેરી નં.-12ના છેડે આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં વિજય બી. ભટ્ટ પોતાની પુત્રી ફાલ્ગુનીના ઘરે પોતાના દીકરા સચીનભાઇના નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે આવેલા હતા. તે દરમિયાન જમાઇએ સસરાની હત્યા કરી હતી. મનિષભાઇ સુરેશચંદ્ર જાની અને વિજયબાઇના છેલ્લા આઠેક વર્ષથી પ્રસંગોપાત એક બીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર ન હતો. જેથી મનીષે તેની પત્નિ ફાલ્ગુનીબેનને વાસ્તુના પ્રસંગમાં જવા-દેવા માંગતા ન હતા. જે બાબતે આરોપી મનિષભાઇ જાનીએ વિજય ભાનુશકંરભાઇ ભટ્ટ સાથે બોલાચાલી કરીને માથાના ભાગે ઇંટના ઘા માર્યા હતા. જેથી તેઓને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી. જો કે પરિજનો અને અન્ય સોસાયટીના લોકો એકઠા થઇ ગયા હતા. જોકે, પછીથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ PM માટે જી જી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ફરાર જમાઈની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 8 વર્ષથી જમાઈ અને સસરા વચ્ચે અણબનાવ હતો અને એકાએક સસરા જમાઈ ના ઘરે આવતા જ જમાઈએ મોતને ઘાટ ઉતારી દીધા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution