‘જાંબાઝ’ પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને લાફો માર્યો

શહેરના અટલાદરા પોલીસ મથકના એક પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને નજીવી બાબતે લાફો મારી દેતા ખળભળાટ મચી ગયો હતો. ઉપરાંત, પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને ગંદી ગાળો ભાંડીને અપમાનીત કર્યા હોવાની લેખીત ફરિયાદ અટલાદરા પોલીસ મથકમાં આપવામાં આવી હતી. જાેકે, ટ્રાન્સજેન્ડરની ફરિયાદને હજી એફઆઈઆરમાં કનવર્ટ કરવામાં પોલીસ વિભાગ અખાડા કરી રહ્યુ છે. આ બનાવને પગલે શહેરના ટ્રાન્જેન્ડર કોમ્યુનિટિમાં ભારે રોષ ફેલાયો છે.

મુજમહુડા વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડરે અટલાદરા પોલીસ મથકમાં અરજી કરી હતી કે, આજે બપોરે હું મારા ઘરે હતી. તે સમયે લક્ષ્ય ટ્રસ્ટમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને એણે મને જણાવ્યુ હતુ કે, અમારો બિલ્ડર અમને હેરાન કરે છે એટલે મારી મદદ માટે જલ્દીથી અટલાદરા પોલીસ મથકે પહોંચો. આ વાત સાંભળીને હું અને મારી સાથેના બીજી બે ટ્રાન્સજેન્ડરો એક જ એક્ટિવા પર સવાર થઈને તાબડતોબ અટલાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા.

પોલીસ મથકમાં હાજર પીએસઆઈ બી જી ભરવાડ તેમજ તેમના રાઈટર સંજય ડાંગરે તમે એક્ટિવા પર ત્રણ સવારીમાં આવ્યા છો તો તમારુ ચલણ ફાટશે તેમ જણાવ્યા બાદ અમારી સાથે બોલાચાલી કરી હતી. તેઓએ મને અપશબ્દો બોલી લાંઝો ઝીંક્યો હતો તેમજ મારા સાથીદારને તમે નકલી ટ્રાન્સજેન્ડર છે એવા અપમાનજનક શબ્દો બોલીને ધક્કમુક્કી કરીને બહાર કાઢી મુકી ગેરવર્તણુંક કરી હતી. ટ્રાન્સજેન્ડરે પીએસઆઈ ભરવાડ અને રાઈટર સંજય વિરુધ્ધ અટલાદરા પોલીસ મથકમાં અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. જાેકે મોડી સાંજ સુધી પોલીસે ફરિયાદ દાખલ નહી કરતા ટ્રાન્સજેન્ડરના ટોળાએ પોલીસ મથક માથે લીધું હતું અને આ બનાવની તેઓ શહેર પોલીસ કમિ.ને રજુઆત કરશે તેમ માધ્યમોને જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution