દેશમાં કચરાના ઢગની વિકરાળ સમસ્યા ઉકેલવા લાંબા ગાળાની નીતિ ઘડીને મક્કમ પ્રયાસો કરવા અનિવાર્ય

તંત્રીલેેખ | 

દેશના કોઈ પણ શહેરમાં જાવ તેના એક સિમાડા પર કચરાનો મોટા ડુંગર જેવો ઢગ જાેવા મળશે. આ લેન્ડફિલ સાઈટ પર રોજેરોજ સમગ્ર શહેરનો કચરો ઠલવાતો હોય છે. આની આસપાસના વિસ્તારોમાં રહેતાં નાગરિકો સતત દુર્ગંધ અને ક્યારેક કચરો ઉડવાના કારણે ત્રાસી જતાં હોય છે. ક્યારેક આ લેન્ડફિલ સાઈટ પર સંજાેગોવશાત આગ લાગી ઉઠે તો તેને બુઝાવવી ભારે કઠીન બની જાય છે. આ કચરાનો નિકાલ કરવાની સમસ્યા રાષ્ટ્રવ્યાપી છે અને તેનો ઉકેલ કોઈની પાસે નથી. પણ લાંબા ગાળાની નીતિ બનાવી તબક્કાવાર તેને દુર કરવામાં આવે તેવા પ્રયત્નો અનિવાર્ય છે.

ભારત એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કારણ કે તે કચરાના વ્યવસ્થાપનનો ઉકેલ શોધવામાં ઝઝૂમી રહ્યો છે. દેશની વસતી વાર્ષિક ૬૨ મિલિયન ટન કચરો પેદા કરે છે. માત્ર ૭૦% એકત્રિત કરવામાં આવે છે, અને ૧૨ મિલિયન ટનની ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. કમનસીબે, ૩૧ મિલિયન ટન કચરો હજુ પણ લેન્ડફિલ્સમાં છે. ઘન મ્યુનિસિપલ કચરો ૨૦૩૦ સુધીમાં વધીને ૧૬૫ મિલિયન ટન થવાની ધારણા છે. આ આંકડાઓ ખરેખર સૂચવે છે કે આ એક મોટી સમસ્યા છે જેનો સામનો કરવો અઘરો છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ભારતમાં કચરાના વ્યવસ્થાપનને નિયંત્રિત કરે છે અને સંબંધિત કાયદાઓ ૧૯૮૬ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અનુસાર ઘડવામાં આવે છે.

ઝડપી શહેરીકરણ ઘન કચરાના ઉત્પાદનમાં ઉછાળા માટેનું એક પ્રાથમિક કારણ છે. જેમ જેમ વધુને વધુ લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં જાય છે તેમ તેમ, ભારતના શહેરો ગીચ બની રહ્યાં છે, જેના કારણે વસ્તી અને કચરાના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે .

કચરાનો નિકાલ એ એક સમસ્યા છે, કારણ કે શહેરોમાં કચરો એકત્ર કરવા માટે પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. કેટલાક રાજ્યોમાં કચરાને અલગ પાડવાનું ફરજિયાત હોવા છતાં,માત્ર ૩૦% કચરાને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે પ્લાસ્ટિક રિસાયકલ થવાને બદલે લેન્ડફિલ્સમાં સમાપ્ત થાય છે.

 છતાં કચરાના વ્યવસ્થાપનની સમસ્યાના ઘણા ઉકેલો છે. આ વર્ષની શરૂઆતમાં બે દિવસીય વેસ્ટ મેનેજમેન્ટ વર્કશોપમાં રજૂ કરાયેલ શ્વેતપત્રમાં સૂચવવામાં આવ્યું હતું કે ભારતમાં કચરો વાર્ષિક ૬૫ ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે છે. આ આંકડો ૨૦૩૦ સુધીમાં ૧૬૫ ય્ઉ અને ૨૦૫૦ સુધીમાં ૪૩૬ ય્ઉ થઈ શકે છે.

જ્યારે સ્થાનિક સંસ્થાઓ અને કોર્પોરેશન કચેરીઓ કચરાના સંગ્રહની દેખરેખ રાખે છે, ત્યારે એક વિચારકોનો વર્ગ વિકેન્દ્રિત કચરા વ્યવસ્થાપન મોડલની હિમાયત કરે છે જે કચરાના સંગ્રહનું ખાનગીકરણ કરે છે, અને બીજામાં સ્થાનિક સમુદાયો કચરાની ટ્રીટમેન્ટની જવાબદારી લે છે અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે.

આધુનિક યુગમાં વેસ્ટ મેનેજમેન્ટ માટેની અનેક વૈજ્ઞાનિક પધ્ધતિઓ શોધાઈ છે. અને જાે વહિવટી તંત્ર ગંભીરતાપુર્વક તેના પર વિચારણા કરી તે અમલી બનાવે તો નોંધપાત્ર ફર્ક પડી શકે છે. પરંતુ આપણા દેશમાં મુખ્ય પ્રશ્નો પર ધ્યાન અપાતું નથી, સિવાય કે તે રાજકીય રૂપ ધારણ કરે. વેસ્ટ મેનેજમેન્ટ આવો જ એક સળગતો પ્રશ્ન છે જેની સામે સદંતર દુર્લક્ષ સેવાતું આવ્યું છે અથવા તો ઉપરછલ્લા પ્રયાસો થાય છે.

આ બાબતે ખરેખર તો સરકારે ઝિરો વેસ્ટ પોલિસી બનાવીને તેના ચુસ્ત અમલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. કારણ કે આ પ્રશ્ન નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે સીધો સંકળાયેલો છે. વળી કચરાને રિસાયકલિંગ કરીને તેને જુદી જુદી રીતે ફરીથી ઉપયોગમાં લેવાની અનેક પધ્ધતિઓ વિકસિત થઈ ચુકી છે.

જાેકે બધું જ સરકાર કરી શકે તેવું આ વિશાળ દેશમાં શક્ય નથી. પરંતુ સરકાર નીતિ ઘડી શકે છે અને આ પ્રકારના કામકાજને ખાનગી હાથોમાં સોંપી શકે છે. તેનાથી વેસ્ટ મેનેજમેન્ટ ઉપરાંત રોજગારીનું પણ સર્જન થઈ શકે છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution