ફુગાવાનો વધારો અને ઘટાડો ઉત્પાદનની માગ અને પુરવઠા પર આધારિત


શાકભાજીની કિંમતમાં વધારાને કારણે ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી વધીને ૩.૬૫% થઈ ગઈ છે. જુલાઈ મહિનામાં તે ઘટીને ૩.૫૪% પર આવી ગયો હતો. આ ૫૯ મહિનામાં ફુગાવાનો સૌથી નીચો સ્તર હતો. તે જ સમયે, ખાદ્ય મોંઘવારી દર ૫.૪૨% થી વધીને ૫.૬૬% થયો છે. શહેરી ફુગાવો પણ મહિના દર મહિનાના આધાર પર ૨.૯૮% થી વધીને ૩.૧૪% થયો છે. ગ્રામીણ ફુગાવો ૪.૧૦% થી વધીને ૪.૧૬% પર પહોંચ્યો છે.ફુગાવાની બાસ્કેટમાં ખાદ્ય પદાર્થોનો ફાળો લગભગ ૫૦% છે. મહિના દર મહિનાના આધાર પર તેનો ફુગાવો ૫.૪૨% થી વધીને ૫.૬૬% થયો છે. જ્યારે એક વર્ષ પહેલા ઓગસ્ટ ૨૦૨૩માં ખાદ્ય ફુગાવો ૯.૯૪% હતો. એટલે કે વાર્ષિક ધોરણે તેમાં પણ ઘટાડો થયો છે. ઇમ્ૈંએ આ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ૪.૫ ટકા રાખ્યો હતોતાજેતરની મોનેટરી પોલિસી કમિટીની બેઠક દરમિયાન, ઇમ્ૈંએ આ નાણાકીય વર્ષ માટે તેનો ફુગાવાનો અંદાજ ૪.૫% રાખ્યો હતો. અગાઉ પણ આવું હતું. ઇમ્ૈં ગવર્નરે કહ્યું હતું- મોંઘવારી ઘટી રહી છે, પરંતુ પ્રગતિ ધીમી અને અસમાન છે. ભારતનો ફુગાવો અને વૃદ્ધિનો માર્ગ સંતુલિત રીતે આગળ વધી રહ્યો છે, પરંતુ ફુગાવો લક્ષ્ય પર રહે તેની ખાતરી કરવા માટે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે.ફુગાવાનો સીધો સંબંધ ખરીદ શક્તિ સાથે છે. ઉદાહરણ તરીકે, જાે ફુગાવાનો દર ૬% છે, તો ૧૦૦ રૂપિયાની કમાણી માત્ર ૯૪ રૂપિયાની થશે. તેથી ફુગાવાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જાેઈએ. નહીંતર તમારા પૈસાની કિંમત ઘટી જશે.

ફુગાવાનો વધારો અને ઘટાડો ઉત્પાદનની માગ અને પુરવઠા પર આધારિત છે. જાે લોકો પાસે વધુ પૈસા હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. વધુ વસ્તુઓ ખરીદવાથી વસ્તુઓની માગ વધશે અને જાે માગ પ્રમાણે પુરવઠો નહીં મળે તો આ વસ્તુઓની કિંમતમાં વધારો થશે. આ રીતે બજાર ફુગાવા માટે સંવેદનશીલ બને છે. સરળ શબ્દોમાં કહીએ તો, બજારમાં નાણાંનો વધુ પડતો પ્રવાહ અથવા માલની અછત ફુગાવાનું કારણ બને છે. જ્યારે માગ ઓછી અને પુરવઠો વધુ હોય તો ફુગાવો ઓછો થશે.

ગ્રાહક તરીકે, તમે અને હું છૂટક બજારમાંથી માલ ખરીદીએ છીએ. આને લગતી કિંમતોમાં ફેરફાર દર્શાવવાનું કામ કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ઝ્રઁૈં દ્વારા કરવામાં આવે છે. ઝ્રઁૈં એ સામાન અને સેવાઓ માટે અમે જે સરેરાશ કિંમત ચૂકવીએ છીએ તે માપે છે. ક્રૂડ ઓઈલ, કોમોડિટીના ભાવ, ઉત્પાદિત ખર્ચ ઉપરાંત અન્ય ઘણી બાબતો છે જે છૂટક ફુગાવાના દરને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લગભગ ૩૦૦ વસ્તુઓ એવી છે કે જેના ભાવના આધારે છૂટક ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution