અસ્થિર પરિસ્થિતિઓને કારણે બાંગ્લાદેશમાં ભારતીય વિઝા કેન્દ્રો અનિશ્ચિત સમય માટે બંધ

નવીદિલ્હી: પાડોશી દેશમાં અશાંતિના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો, ત્યારબાદ બાંગ્લાદેશમાં તમામ ભારતીય વિઝા અરજી કેન્દ્રો આગામી સૂચના સુધી બંધ રહેશે. ભારતીય વિઝા માટે અરજી કરવા માટેના ઓનલાઈન પોર્ટલ પર હવે એક સંદેશ છે, “અસ્થિર પરિસ્થિતિને કારણે તમામ આઇવીએસીએસ આગામી સૂચના સુધી બંધ રહેશે. આગામી અરજીની તારીખ દ્વારા જણાવવામાં આવશે અને આગામી કાર્યકારી દિવસે પાસપોર્ટ એકત્રિત કરવા વિનંતી કરવામાં આવે છે. “

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં અસ્થિર પરિસ્થિતિ વચ્ચે નવી દિલ્હીએ પોતાના હાઈ કમિશન અને કોન્સ્યુલેટમાંથી બિનજરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢ્યાના એક દિવસ બાદ આ માહિતી સામે આવી છે. જાે કે, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓ હજુ પણ દેશમાં છે અને મિશન પર કામ કરી રહ્યા છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતનું હાઈ કમિશન છે અને ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હેટમાં કોન્સ્યુલેટ છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ સરકાર સામે ભારે વિરોધને કારણે ૭૬ વર્ષીય નેતાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત આવવું પડ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution