મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. ભારતીય ઓલરાઉન્ડરની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૪ની સીઝન ખૂબ જ ખરાબ રહી હતી. રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળ્યા બાદ તેને સતત ટીકા અને બૂમાબૂમનો સામનો કરવો પડ્યો હતો. મેદાન પર બેટ અને બોલ સાથે હાર્દિકનું પ્રદર્શન પણ અપેક્ષાઓથી ઓછું હતું. હવે પીઢ ક્રિકેટર ્૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ના અભિયાનની તૈયારી કરી રહ્યો છે, તે ખેલાડીઓની પ્રથમ બેચમાં સામેલ થઈ શક્યો નથી. જેઓ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં અભિયાન માટે રવાના થયા હતા. કેપ્ટન રોહિતની આગેવાનીમાં ભારતીય ક્રિકેટરો શોપીસ ઇવેન્ટ માટે યુએસએ અને ઇન્ડિઝ જવા માટે એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. રોહિત શર્મા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને ઋષભ પંત એવા ખેલાડીઓમાં સામેલ હતા જેઓ જાેવા મળ્યા હતા. પરંતુ હાર્દિક જાેવા મળ્યો નહોતો. બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં હાર્દિકના મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સાથી સૂર્યકુમાર યાદવ સાથે અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ પણ જાેઈ શકાય છે, પરંતુ સ્ૈં કેપ્ટન ક્યાંય દેખાતા નહોતા. મ્ઝ્રઝ્રૈંએ પ્રથમ બેચ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે ખેલાડીઓ ૈંઁન્ ૨૦૨૪ પ્લેઓફમાં શનિવારે સવારે જ સામેલ થશે નહીં. જ્યારે બાકીના ખેલાડીઓ ફાઈનલ બાદ રવાના થશે. ટેક્નિકલ રીતે હાર્દિક આ જૂથનો ભાગ હોવો જાેઈતો હતો, પરંતુ તે ત્યાં નહોતો. સોશિયલ મીડિયા પરના ચાહકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું હાર્દિકની વિદાયની પ્રથમ બેચમાંથી ગેરહાજરીનો તેના અંગત જીવન વિશેની અફવાઓ સાથે કોઈ સંબંધ છે.
Loading ...