તુલસીવાડીમાં મહિલાઓએ માટલાં ફોડી સૂત્રોચ્ચાર કર્યાં

શહેરના વિવિધ વિસ્તારોમા પાણીનો કકળાટ યથાવત જાેવા મળી રહ્યો છે. પરંતુ પાલિકા તંત્ર પાણીની સમસ્યા હલ કરવામાં ધરાર નિષ્ફળ રહ્યુ છે. છેલ્લા ચાર વર્ષથી પાણી માટે વલખાં મારતા તુલસીવાડી વિસ્તારના અશોક નગર,ખ્વાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ વિગેરે વિસ્તારોની મહિલાઓએ આજે પાણી પ્રશ્ને પાલિકા સામે દેખાવો યોજી માટલા ફોડી વિરોધ કર્યો હતો. શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે વધી રહી છે. જેને લઈને દરરોજ પાલિકાની વિવિધ કચેરીઓમાં મોરચા કે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે તુલસીવાડી વિસ્તારમાં વધુ એક વિરોધ સામે આવ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા પાણી માટે વિરોધ દર્શાવી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. સ્થનિક રહીશોએ કહ્યુ હતુ કે,શહેરના તુલસીવાડી વિસ્તારમાં ૪ વર્ષ થી પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. આ સમસ્યાનુ નિરાકરણ નહી આવતા રહીશોએ માટલા ફોડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કમલા નગર વિસ્તારમાં પણ પાણીની સમસ્યા સર્જાતા લોકોએ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. તે પહેલા પણ નાગરિકોને પાણીની સમસ્યા તથા તેઓ દ્વારા પાલિકાની વડી કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો.તુલસીવાડી વિસ્તારના રહીશોએ પાણીની સમસ્યાના ત્વરીત નિરાકરણ માટે માગ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution