ભારતમાં કોરોનાથી 77 ટકા મોત 10 રાજયોમાં છે, 82.54 ટકા સાજા થયા

 દિલ્હી-

દેશમાં જેટલા લોકો અત્યાર સુધીમાં સંક્રમીત થયા છે તેમાંથી ૧૬.૪૩ ટકાની સારવાર ચાલી રહી છે. ૮ર.પ૪ ટકા સાજા થઇ ચુકયા છે. પોઝીટીવીટી રેટ, લગભગ ર૧.ર૦ ટકા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, છતીસગઢ, ઉતરપ્રદેશ સહીત ૧૦ રાજયોમાં ૭૭.૩ મોત થયા છે.દરમ્યાન ભારત ખાતેના અમેરીકન દુતાવાસમાં બે વ્યકિતઓના મોત થયા છે. જયારે ૧૦૦ વધારે સંક્રમીત છે. સીએનએનના એક રીપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. દેશમાં અમેરીકાના કુલ ચાર દુતાવાસો છે તેમાંથી એક દિલ્હીમાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution