ભવિષ્યમાં સામાન્ય માણસ માટે પેટ્રોલ પંપનું લાઇસન્સ મેળવવું વધુ સરળ બનશે


નવીદિલ્હી,તા.૫

સરકાર આગામી સમયમાં હાલના પેટ્રોલ પંપ કરતાં વધુ વસ્તીવાળા વિસ્તારોમાં વધુ પંપ ખોલવાની યોજના બનાવી રહી છે. નિયમોમાં ફેરફાર બાદ હવે વસ્તી વચ્ચે ૩૦ થી ૫૦ મીટરના અંતરે પણ પેટ્રોલ પંપ ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ પંપ પર લાઇનનો સમય ઘટાડશે.જાે તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મહિલા ઉદ્યમીઓ માટે લાયસન્સ ફીમાં ૮૦ ટકા અને સ્જીસ્ઈ માટે ફીમાં ૫૦ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભવિષ્યમાં સામાન્ય માણસ માટે પેટ્રોલ પંપનું લાઇસન્સ મેળવવું વધુ સરળ બનશે. કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ પંપ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ પછી, વસ્તીવાળા વિસ્તારોમાં પેટ્રોલ પંપને ૩૦-૫૦ મીટરની ત્રિજ્યામાં ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ઁઈર્જીંને વસ્તીવાળા વિસ્તારોના ૩૦-૫૦ મીટરની અંદર પેટ્રોલ પંપની કામગીરીને મંજૂરી આપવા માટે સુરક્ષા પગલાં માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ઁઈર્જીં એ સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડ્ઢઁૈંૈં્‌) હેઠળ કામ કરતી એક ઓફિસ છે. તે એક્સપ્લોઝિવ એક્ટ, ૧૮૮૪ અને પેટ્રોલિયમ એક્ટ, ૧૯૩૪ હેઠળ સ્થાપિત નિયમનકારી માળખાના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ઁઈર્જીં દ્વારા આપવામાં આવતી લાયસન્સ ફીમાં ૮૦ ટકા અને સ્જીસ્ઈને ૫૦ ટકા રાહત આપવાની પણ જાહેરાત કરી હતી. ગોયલે ઁઈર્જીં ની કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા માટે પેટ્રોલિયમ, વિસ્ફોટકો, ફટાકડા અને અન્ય સંબંધિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે આ જાહેરાતો કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ગોયલે ઁઈર્જીંને સુરક્ષા પગલાંની રૂપરેખા તૈયાર કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યું છે. આ સાથે, વસ્તીવાળા વિસ્તારોમાં ઓછા અંતરે પણ પેટ્રોલ પંપ ચલાવવાની પરવાનગી આપવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution