તાજેતરમાં, ઘણા નિપુણ અધિકારીઓએ બિઝનેસ ઇન્ટરવ્યુ દરમિયાન તેમના નેતૃત્વની ટીપ્સ શેર કરી છે.
માર્વ ગોલ્ડક્લાંગ, એટર્ની અને સેન્ટ પૉલ સેન્ટ્સના ભૂતપૂર્વ માલિકે કહ્યુંઃ “સફળતાનું અંતિમ રહસ્ય એ યોગ્ય લોકોની ભરતી છે, તેઓને સંસ્થા શું બની શકે તે માટે તમારી દ્રષ્ટિની સમજ હોય છે.”
કર્મચારીઓ સાથે નિયમિતપણે વાતચીત કરો અને સાચો મેસેજ પહોંચે તેને ઉચ્ચ પ્રાથમિકતા આપો, તેમ જણાવી પેડિલાના પ્રમુખ મેટ કુચાર્સ્કીએ કહ્યુંઃ “જાે તમે અસરકારક રીતે વાતચીત કરશો નહીં, તો લોકો વર્તન બદલશે નહીં, અને તમે વ્યવસાયિક પરિણામો પ્રાપ્ત કરી શકશો નહીં.”
કંપનીના પડકારો વિશે કર્મચારીઓ સાથે પારદર્શક ચર્ચા કરો. કુચાર્સ્કીએ એમ પણ કહ્યુંઃ “સારા નેતાઓ સ્વીકારે છે તેમની પાસે બધી જ ક્ષમતા ન હોય. નેતા દ્રષ્ટિ ધરાવે છે પણ તેઓ જ્યાં જવા માગે છે તેમને ત્યાં પહોંચવામાં મદદની જરૂર છે. નમ્રતા એ એક મહત્વપૂર્ણ લક્ષણ છે.” મેડટ્રોનિકના સીઇઓ અને ચેરમેન જ્યોફ માર્થાએ જણાવ્યું હતું કેઃ “વિનમ્રતા એ મુખ્ય વસ્તુ છે જે હું લોકોમાં જાેઇને પ્રભાવિત થઉં છું અને અનુકરણ કરવાનો પ્રયાસ કરું છું. નમ્ર લોકો વધુ સાંભળવા અને વધુ શીખવાનું વલણ ધરાવે છે. લોકો ઘમંડી લોકો માટે કામ કરવાનું પસંદ કરતા નથી.”
બેથ વોઝનિયાકે કહ્યુંઃ “અમે જીતવા માંગીએ છીએ, પરંતુ અમે તેને યોગ્ય રીતે, પ્રામાણિકતા, સન્માન અને ટીમવર્ક સાથે તે કરવા માંગીએ છીએ. જ્યારે તમારી પાસે વિવિધ નેતાઓ હોય ત્યારે તમે વધુ વૈવિધ્યસભર સંગઠન વિકસાવી શકો છો.”
કિમ નેલ્સન, જનરલ મિલ્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ, જણાવે છે કેઃ “મને લાગ્યું કે જનરલ મિલ્સે મારામાં રોકાણ કર્યુ અને વિશ્વાસ મુક્યો. હું નેતૃત્વ વિશે, નવીનતા વિશે, પ્રેરક અને પ્રેરણાદાયી ટીમો વિશે બધું શીખ્યો, તેઓએ મને શીખવ્યું. આ રીતે સંસ્થાકીય સંસ્કૃતિને સંવર્ધનની જરૂર છે.”
મિનેસોટા વાઇલ્ડના જનરલ મેનેજર બિલ ગ્યુરિને કહ્યુંઃ “અમારી પાસે ઘણા બધા ખેલાડીઓ, કોચ અને હોકી ઓપરેશન સ્ટાફ છે જેઓ બધા એક સાથે છે. કોઈ અંગત એજન્ડા નથી. તે બધું જીતવા વિશે છે. સંસ્કૃતિ એ જીવંત અને શ્વાસ લેવાની વસ્તુ છે.”
Loading ...