લોકસભામાં આપેલા ભાષણના શબ્દ હટાવ્યા તો રાહુલ આકરા પાણીએ


નવી દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણના કેટલાક ભાગને કાર્યવાહીમાંથી હટાવવાની વિરુદ્ધ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે મારા વિચારોને કાર્યવાહીમાંથી હટાવવા તે લોકશાહીની ભાવનાની વિરુદ્ધ છે. એવામાં મારા ભાષણના હટાવવામાં આવેલા ભાગને ફરીથી મુકવામાં આવે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું- બીજેપીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના ભાષણમાં પણ આરોપોની ભરમાર હતી. જાેકે તેમની સ્પીચમાંથી માત્ર એક જ શબ્દ હટાવવામાં આવ્યો. તેને લઈને કરવામાં આવેલો ભેદભાવ સમજની પાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં સંસદમાં સત્ય રજૂ કર્યું છે. દરેક સાંસદનો અધિકાર છે કે તે સંસદમાં લોકો સાથે જાેડાયેલા મુદ્દા ઉઠાવે. આને ધ્યાનમાં રાખીને મેં પોતાનું ભાષણ આપ્યું હતું. તેમણે આજે સવારે પણ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની દુનિયામાં સત્યને મટાડી શકાય છે. વાસ્તવિક રીતે નહીં. બીજેપીએ રાહુલ ગાંધીના પત્ર લખવા પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં આપવામાં આવેલા રાહુલ ગાંધીના ભાષણના કેટલાક અંશ સોમવારે હટાવવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution