આધારથી પાન કાર્ડ લિંક નહીં હોય તો આ યોજનાઓનો લાભ નહીં મળે


નવીદિલ્હી,તા.૨

ભારત સરકારે ઘણી યોજનાઓનો લાભ આપવા માટે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જાે આમ ન કરવામાં આવે તો લોકોને ઘણી યોજનાઓનો લાભ મળતો બંધ થઈ શકે છે.ભારત સરકારે ઘણી યોજનાઓનો લાભ આપવા માટે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જાે આમ ન કરવામાં આવે તો લોકોને ઘણી યોજનાઓનો લાભ મળતો બંધ થઈ શકે છે. આવી જ યોજનાઓ પોસ્ટલ વિભાગ સાથે સંબંધિત છે.

પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવા માટે વિભાગે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આધાર અને ઁછદ્ગ લિંક છે કે નહીં તે જાણવા માટે ટપાલ વિભાગે પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે રોકાણકારની માહિતીને આવકવેરા વિભાગના ડેટા સાથે મેચ કરવામાં આવશે. જેથી રોકાણકાર દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાય.

તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા દરમિયાન, જાે આધાર અને પાન કાર્ડ લિંક ન મળે અને માહિતી પણ ખોટી નીકળે તો રોકાણકારો પોસ્ટ વિભાગની યોજનાઓમાં રોકાણ કરી શકશે નહીં.

માહિતી અનુસાર, આધાર કાર્ડ સાથે ઁછદ્ગ લિંક ન થવાને કારણે વર્ષ ૨૦૨૩માં લગભગ ૧૨ કરોડ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. આવી સ્થિતિમાં, જાે તમારું ઁછદ્ગ આધાર સાથે લિંક નથી, તો તમારે જલ્દીથી ઁછદ્ગને આધાર સાથે લિંક કરાવવું જાેઈએ.

તમને જણાવી દઈએ કે બેંક સંબંધિત ઘણા કામ છે જેમાં ઁછદ્ગ ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, આવી સ્થિતિમાં, જાે તમારું ઁછદ્ગ આધાર સાથે લિંક નથી, તો તમારે બેંકના કામોમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution