સુશાંતના ડિપ્રેશનનું કારણ મને પણ ખબર નથી ઃ પિતા કે.કે.સિંહનું નિવેદન

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ હવે પોલીસે સમજવાની કોશિશ કરી રહી છે એવું કયું કારણ હતું કે અભિનેતાએ પોતાનો જીવ આપી દેવાનો નિર્ણય લીધો હતો. પોલીસ પોતાની તપાસમાં એ તમામ વ્યક્તિઓના નિવેદનો નોંધી રહી છે કે જે તેમની નજીકના સંબંધીઓ કે મિત્ર વર્તુળમાં આવતા હોય.. અત્યાર સુધીમાં પોલીસે કુલ ૯ લોકોના નિવેદનો નોંધ્યા છે. આ નવ લોકોમાં શાંતિ રાજપૂતના પિતા કે.કે.સિંહનું પણ નિવેદન લેવામાં આવ્યું છે જેમાં તેઓએ એવું જણાવ્યું છે કે સુશાંતના ડિપ્રેશનનું કારણ કે તેઓ પોતાને પણ ખબર નથી, હા, સુશાંતસિંહ રાજપૂતના પિતાએ પોલીસને એવુ જણાવ્યું છે કે સુશાંતના ડિપ્રેશનનું કારણ તેઓને ખબર નથી, એટલું જ નહીં કે.કે સિહે એવું પણ જણાવ્યું છે કે તેઓના પરિવારમાં કોઈને પણ આ અંગે જાણકારી નથી. જોકે સુશાંત સિંહ રાજપૂત ની બહેન આ અગાઉ જણાવી ચૂકી છે કે સુશાંતને કોઈ આર્થિક તકલીફ ન હતી પરંતુ તેના ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી, પોલીસે તેની બહેનને પણ આ અંગે વધારે પૂછપરછ કરી હતી.પોલીસની તપાસ કાર્યવાહીમાં હજુ સુધી ડાયરેક્ટર મુકેશ છાબડા, સુશાંતના કુક અને મેનેજરના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા છે, પરંતુ પોલીસે એક જાણી શકી નથી કે સુશાંતના ડિપ્રેશન પાછળનું સત્ય કારણ શું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution