નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કર્યા પછી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને કહ્યું કે તે નિર્દોષ છે. ઈડ્ઢએ ચાર કલાકની લાંબી પૂછપરછ બાદ આજે તેની ધરપકડ કરી હતી. જ્યારે ઈડ્ઢની ટીમ તેની ધરપકડ કરી રહી હતી અને તેને લઈ જઈ રહી હતી ત્યારે તેણે બહાર રાહ જાેઈ રહેલા મીડિયાને માત્ર એટલું જ કહ્યું હતું કે, “હું નિર્દોષ છું....” છછઁ ધારાસભ્ય પર ભ્રષ્ટાચારનો આરોપ છે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે છછઁ ધારાસભ્ય પર નાણાકીય અનિયમિતતા અને ગેરકાયદેસર ભરતી જેવા ગંભીર આરોપો છે, પરંતુ તેઓ શરૂઆતથી જ આ આરોપોને નકારી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમના પર રાજકીય ષડયંત્રના ભાગરૂપે આવા આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં બિલકુલ સત્ય નથી. મારી માતાને કંઈ થાય તો... સોમવારની સવારે ઇડીની ટીમ પોતાના અધિકારીઓ સાથે અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી કે તરત જ છછઁ ધારાસભ્યએ ભવાં ચડાવી દીધા. પોતાની નિર્દોષતાની વિનંતી કરતી વખતે તેણે કહેવાનું શરૂ કર્યું, “તમને મારાથી કંઈપણ મળશે નહીં”. તે જ સમયે, છછઁ ધારાસભ્યના પરિવારમાં સામેલ એક વ્યક્તિએ તેની માતાની બીમારીને ટાંકીને કહ્યું કે જાે તેની માતાને કંઈ થશે તો તે ઈડ્ઢ વિરુદ્ધ કોર્ટનો સંપર્ક કરશે.
Loading ...