અયોધ્યા:અયોધ્યાનું રામ મંદિર વર્ષની શરૂઆતથી જ ચર્ચામાં છે. રામ લલ્લાના અભિષેક સમારોહથી લઈને લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો સુધી રામ મંદિર અને અયોધ્યા ચર્ચાના કેન્દ્રમાં છે. નવનિર્મિત રામ મંદિરની છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. આ સમાચારે દેશમાં હલચલ મચાવી દીધી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે હું અયોધ્યામાં છું. મેં પહેલા માળેથી વરસાદનું પાણી પડતું જાેયું છે. આ સ્વાભાવિક છે કારણ કે ગુરુ મંડપ બીજા માળે આકાશમાં છે.મંદિરની ટોચ પરનું કામ પૂર્ણ થયા પછી તેને બંધ કરવામાં આવશે. મેં ગટરમાંથી થોડું લીકેજ પણ જાેયું છે કારણ કે આ કામ પહેલા માળે ચાલુ છે, એકવાર પૂર્ણ થયા પછી ડ્રેઇન બંધ કરવામાં આવશે.અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામમંદિરના કાર્યમાં બેદરકારી કરાતી હોવાનું ધાર્મિક સ્થળના મુખ્ય પૂજારીનું નિવેદન સામે આવ્યું હતું. આચાર્ય સતન્યેન્દ્ર દાસે દાવો કર્યો હતો કે રામમંદિર ખુલ્લુ મૂકાયાના પ્રથમ વર્ષમાં જ મંદિરની છત પરથી પાણી ટપકવા લાગ્યું. આ બહુ આશ્ચર્યજનક બાબત કહેવાય. કારણ કે મંદિરનું નિર્માણકાર્ય દેશના પ્રખ્યાત એન્જિનિયરો દ્વારા કરવામાં આવ્યું હતું છતાં મંદિરની છત પરથી વરસાદનું પાણી ટપકવું એ બાંધકામમાં બેદરકારી અને વધુ પડતી ઉતાવળ બતાવે છે.
Loading ...