નવી દિલ્હી:ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ થોડા સમય પહેલા તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા હતા. હાર્દિકે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હવે એ છૂટાછેડાનું કારણ ખુલીને સામે આવ્યું છે. નતાશાના એક નજીકના સૂત્રએ તેમના અલગ થવાના કારણ વિશે માહિતી આપી કહ્યું કે હાર્દિક પંડ્યા તેના માટે ખૂબ જ શેખીખોર અને ઘમંડી હતો. જે નતાશા સહન કરી શકી નહીં. નતાશાએ હાર્દિકને બદલવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હોવા છતાં, તેમની વચ્ચેના મતભેદો રહ્યા અને સમય જતાં તે વધતો ગયો. જે બાદ તેણે પંડ્યાને રિપ્લેસ કરવાનો પ્રયાસ કર્યો હતો. નતાશાએ બંને માટે અલગ થવાને શ્રેષ્ઠ ઉપાય માનતા કહ્યું કે આ ર્નિણય નતાશા માટે મુશ્કેલ હતો, પરંતુ તે તેના અને તેના પુત્ર અગસ્ત્યના સ્વાસ્થ્ય માટે જરૂરી હતું તેના પુત્ર સાથે સર્બિયા પાછી જતી રહી છે.
Loading ...