નવી દિલ્હી:ભારતમાં મંકી પોક્સના કોઈ નવા કેસ નોંધાયા નથી. પરંતું આ મહામારી હવે ધીરે ધીરે અનેક દેશોમાં ફેલાઈ રહી છે. ચિંતાની બાબત એ છે કે, તે કોરોના કરતા પણ વધારે ઘાતક છે. ત્યારે મંકીપોક્સને લઈને ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. સરકાર વૈશ્વિક એમપોક્સની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે, એમ આરોગ્ય મંત્રાલયે શનિવારે ઉમેર્યું હતું કે આ રોગના ફેલાવાને રોકવા અને નિયંત્રિત કરવા માટે તૈયારી અને સાવચેતીનાં પગલાં મૂકવામાં આવી રહ્યાં છે. આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જ્યાં તેમને જાણ કરવામાં આવી હતી કે વિપુલ પ્રમાણમાં સાવધાની રાખવાની બાબત તરીકે, અમુક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા તકેદારી રાખવા માટે કેટલાક ર્નિણયો લેવામા આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ એમપોક્સને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી (ઁૐઈૈંઝ્ર) જાહેર કરવાની બાબતને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નોંધાયું કે, હાલ દેશમાં મંકીપોક્સનો કોઈ કેસ નથી. પરંતું આગામી સસમયમાં કેસ ન આવે તેવી શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાતી નથી. સતત ટ્રાન્સમિશન સાથે મોટા ફાટી નીકળવાનું જાેખમ હાલમાં ભારત માટે ઓછું છે.િ કોવિડ-૧૯ રોગચાળાના શરૂઆતના દિવસોથી વિપરીત દ્બॅર્ટ માટે રસી અને સારવાર ઉપલબ્ધ છે. એડવાઈઝરી જારી કરવાની તૈયારી કરી રહ્યું છે, જે તેમને એલર્ટ રહેવા અને શંકાસ્પદ કેસોને અસરકારક રીતે મેનેજ કરવા માટે નિર્દેશિત કરે છે.
ાॅ
Loading ...