માંડવી સ્થિત કલ્યાણરાયજી હવેલીથી વન વિભાગે ૬ પહાડી પોપટ કબજે કર્યા

વડોદરા

શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી હવેલીમાં પહાડી પોપટ તેમજ કાચબા રાખવામાં આવ્યા હોવાની મળેલી માહિતીના આધારે વનવિભાગની ટીમે તપાસ કરતા ૬ પહાડી પોપટ મળી આવ્યા હતા. જ્યારે કાચબા મળી આવ્યા ન હતા. જેથી વન વિભાગે પાંજરામાં મૂકેલા ૬ પહાડી પોપટ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને માહિતી મળી હતી કે, માંડવી ખાતે આવેલી કલ્યાણરાયજી હવેલીમાં કાચબા તેમજ પહાડી પોપટ રાખવામાં આવ્યા છે.જેથી સંસ્થાના કાર્યકરોએ આ અંગેની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમે હવેલીમાં જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં હવેલીમાં પાંજરામાં મૂકેલા ૬ પહાડી પોપટ મળી આવ્યા હતા. જ્યારે કાચબા મળી આવ્યા ન હતા. પહાડી પોપટ પાંજરામાં મૂકી ધરમાં રાખવા પ્રતિબંધ હોવાથી વન વિભાગે પાંજરામાં મૂકેલા ૬ પહાડી પોપટ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે કાચબાની તપાસ કરી હતી.પરંતુ મળી આવ્યા ન હતા. શિડ્યુલ-૧ માં આવતા તેમજ કેટલાક પશુ પક્ષીઓને ધરમાં રાખવા પર પ્રતિબંધ છે. ત્યારે કાબચા કે પોપટ ધરમાં રાખી શકાતા નથી.જેથી વન વિભાગને મળેલી માહીતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.વન વિભાગ દ્વારા પાંજરામાં રાખવાામં આવેલા પોપટ કબ્જે કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution