મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ભારત સરકારે લાંબા સમયથી બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ વર્ષે સારા વરસાદને જાેતા સરકાર આ પ્રતિબંધ હટાવે તેવી આશા રાખી શકાય. આ સાથે ડાંગરના ખેડૂતોને પણ સારા ભાવ મળવાની આશા છે.
દેશમાં ડાંગરના નીચા ઉત્પાદન અને અનાજના ભાવને અંકુશમાં લેવા માટે ભારત સરકારે ગયા વર્ષે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધની અસર દુબઈ, કુવૈત અને અન્ય ખાડી દેશો તેમજ અમેરિકામાં જાેવા મળી હતી. પરંતુ હવે સરકાર ટૂંક સમયમાં આ પ્રતિબંધ હટાવી શકે છે, જેનાથી આગામી દિવસોમાં ખેડૂતોને તેમના પાક માટે સારા ભાવ પણ મળી શકે છે.
ભારતમાં આ વર્ષે પૂરતો વરસાદ થયો છે. જેના કારણે ડાંગરની સારી ઉપજની અપેક્ષા છે. બીજી તરફ સરકાર પાસે પણ ચોખાનો પૂરતો બફર સ્ટોક છે. તેનાથી દેશમાં ચોખાની અછત સંબંધિત ચિંતાઓ દૂર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સરકાર પ્રતિબંધ હટાવે તે જરૂરી છે.
નીતિ આયોગના સભ્ય રમેશ ચંદનું કહેવું છે કે બફર સ્ટોકની સ્થિતિ સારી છે. પૂરતા વરસાદને કારણે ડાંગરનો પાક સારો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં સરકાર આ વર્ષે બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી શકે છે, “હું માનું છું કે ચોખાના પુરવઠા અંગે ચિંતા કરવાની જરૂર નથી. જાે સરકાર આ સમયે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે તો પણ ચોખાનો મોટો જથ્થો દેશની બહાર નહીં જાય. આનાથી ચોખાના ભાવને માત્ર સ્થાનિક જ નહીં, વિદેશમાં પણ નરમ રાખવામાં મદદ મળશે.
હાલમાં દેશમાં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ છે. સરકારે ઉસના (પારબોઈલ્ડ રાઈસ)ની નિકાસ પર ૨૦ ટકા ડ્યુટી લાદી છે. આ વર્ષે ખરીફ વાવણીમાં ૧૪ ટકાનો વધારો થયો છે. આ વર્ષે દેશભરમાં ૨૭.૭ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. જેના કારણે પાકની ઉપજ સારી રહેવાની આશા છે. જાે સરકાર ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે છે, તો નિકાસકારોની માંગમાં વધારો થવાને કારણે ખેડૂતોને પાકના સારા ભાવ મળવાની અપેક્ષા છે.
Loading ...