લેખકઃ દીપક આશર |
આજે કોઈને પૂછો કે જાે તેમને ભણવાની તક મળે તો તેઓ વિશ્વની કઈ યુનિવર્સિટીમાં ભણશે? જવાબ આવશે, ઓક્સફર્ડ, હાર્વર્ડ, કેમ્બ્રિજ. ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જાય છે. જાે કે, ૮૦૦ વર્ષ પહેલા એક સમય હતો, જ્યારે ભારતની યુનિવર્સિટીમાં દુનિયાભરના લોકો ભણવા આવતા હતા. નિયમિતપણે સંસ્કૃત શીખવા માટે દરવાજે ઊભા રહેતા હતા. વિશ્વના સૌથી હોનહાર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઇન્ટરવ્યૂ આપવો પડતો હતો! અને ઈન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, આ યુનિવર્સિટીનો ગેટ કીપર હતો! આ પછી પણ બે વધુ સ્તરો હતા. જાે તમે આ બધામાં પાસ થઈ શકો તો જ તમને વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરીમાં પ્રવેશની તક મળતી હતી. એવું માનવામાં આવે છે કે આ લાઇબ્રેરીમાં પહેલા લાખો પુસ્તકો હતા. અમે વાત કરી રહ્યા છીએ નાલંદાની. ભારતની પ્રાચીન યુનિવર્સિટી, જેના નવા કેમ્પસનું ઉદ્ઘાટન ૧૯ જૂન, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. નાલંદાનો ઇતિહાસ શું છે? કોણે બનવી? નાલંદામાં શું શીખવવામાં આવતું હતું?
૧૭૯૯ની વાત છે. મૈસુરમાં ટીપુ સુલતાનની હાર બાદ કંપની બહાદુર ખૂબ શક્તિશાળી બની ગયો હતો. જાે કે, સમગ્ર ભારત પર વિજય મેળવવાનો બાકી હતો. અને આવું કરવા માટે અંગ્રેજાેને નકશાની જરૂર હતી. ટીપુની હાર બાદ કંપનીએ દક્ષિણ ભારતમાં સર્વેનું કામ શરૂ કર્યું હતું. આ પ્રયાસ પાછળથી ભારતના નકશામાં પરિણમ્યો હતો. હવે એક નામ સાથે વાતચીત શરૂ કરીએ. ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટન. આ કોણ હતા?
મૈસુરમાં સર્વેક્ષણની જવાબદારી જે વ્યક્તિને મળી હતી તે ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટન હતા. હેમિલ્ટને સૌપ્રથમ મૈસુરનું સર્વેક્ષણ કર્યું હતું. આ પછી, ૧૮૦૭ માં તેમને બંગાળની જવાબદારી મળી હતી. બંગાળમાં સર્વેક્ષણ દરમિયાન હેમિલ્ટનનું ધ્યાન રાજગૃહથી થોડે દૂર બડગાંવ નામની જગ્યાએ કેટલીક બૌદ્ધ મૂર્તિઓ તરફ દોરવામાં આવ્યું હતું. જ્યાં મૂર્તિઓ મળી હતી ત્યાં એક મોટો ટેકરો હતો. હેમિલ્ટનને સમજાયું હતું કે આ સ્થળ ભારતના ઇતિહાસ સાથે મજબૂત જાેડાણ ધરાવતું હશે. પરંતુ તે હજુ પણ તેને ઓળખી શક્યો ન હતો. જાે કે, તેણે જે કંઈ જાેયું તે હેમિલ્ટને તેની ડાયરીમાં નોંધ્યું હતું.
પાછળથી હેમિલ્ટનની ડાયરી એક બ્રિટિશ લશ્કરી અધિકારીના હાથમાં આવી હતી. આ ડાયરીની નોંધ હ્યુએન ત્સાંગના પ્રવાસવર્ણનો સાથે મેળ ખાતી હતી. હ્યુએન ત્સાંગ એક બૌદ્ધ સાધુનું નામ હતું. જેઓ સાતમી સદીમાં ચીનથી ભારત આવ્યા હતા. હ્યુએન ત્સાંગના પ્રવાસવર્ણનો વાંચ્યા પછી, બ્રિટિશ અધિકારીને સમજાયું કે હેમિલ્ટને જે સ્થળ શોધી કાઢ્યું હતું તે ખરેખર નાલંદા હતું. જ્યાં ભારતની પ્રાચીન શાળા અસ્તિત્વમાં હતી, જે તેના સમયે વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી ગણાતી હતી.
નાલંદાનું ખોદકામ વર્ષ ૧૯૧૫માં શરૂ થયું હતું. અને ૧૯૩૭ સુધી ચાલુ રહ્યું હતું. આઝાદી પછી, ૧૯૭૪ અને ૧૯૮૨ ની વચ્ચે ખોદકામ અને પુનઃસ્થાપન કાર્યના ઘણા રાઉન્ડ થયા હતા. આ ખોદકામમાં શું મળ્યું? આ જાણતા પહેલા, ચાલો થોડા આગળ જઈએ. અને જાણીએ નાલંદાના નિર્માણની કહાની.
નાલંદાનું પૂરું નામ નાલંદા મહાવિહાર છે. તેની કહાની ખ્રિસ્તીના ૧૨૦૦ વર્ષ પહેલા શરૂ થાય છે. ખોદકામમાં મળેલા અવશેષો દર્શાવે છે કે બુદ્ધ અને મહાવીરના સમય પહેલા પણ નાલંદામાં માનવ વસવાટ હતો. બૌદ્ધ ધર્મના ગ્રંથો જણાવે છે કે મહાત્મા બુદ્ધે નાલંદામાં ઉપદેશ આપ્યો હતો. નાલંદામાં તેમના એક શિષ્ય શરિપુત્રના નામે એક સ્તૂપ પણ છે. નાલંદાનું જૈન ધર્મ સાથે પણ જાેડાણ છે. જૈન સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન મહાવીરે પણ કેટલાક વર્ષો નાલંદામાં વિતાવ્યા હતા. નાલંદામાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી?
આ પ્રશ્નનો જવાબ આપણને ગુપ્તકાળમાં મળે છે. જેને ભારતનો સુવર્ણકાળ પણ કહેવામાં આવે છે. નાલંદાના ખોદકામમાં મળેલી સીલ દર્શાવે છે કે શકરાદિત્યએ નાલંદામાં બૌદ્ધ મઠ બનાવ્યો હતો. શકરાદિત્યને આપણે ગુપ્ત વંશના શાસક કુમાર ગુપ્તાના નામથી જાણીએ છીએ. ગુપ્ત કાળના અન્ય શાસકો, ઉદાહરણ તરીકે, બાલાદિત્ય, તથાગત ગુપ્ત વગેરેએ પણ નાલંદામાં બાંધકામ કર્યું હતું. અને છઠ્ઠી સદી સુધીમાં, તે શિક્ષણના વિશાળ કેન્દ્ર તરીકે વિકસિત થયું હતું. ગુપ્તકાળના અવશેષો દર્શાવે છે કે નાલંદા ત્રણ ધર્મોના પ્રભાવ હેઠળ હતુંઃ હિન્દુ, જૈન, બુદ્ધ. જે અહીંની બાંધકામ શૈલી, સ્થાપત્ય અને શિલ્પોમાં જાેવા મળે છે.
ગુપ્તકાળ પછી કન્નૌજના રાજા હર્ષવર્ધને નાલંદાને અનુદાન આપ્યું હતું. તેમણે અહીં ત્રણ મંદિરો બનાવ્યા હતા. આઠમી સદી પછી, બંગાળના પાલ વંશે નાલંદાની સંભાળ લીધી હતી. પાલ વંશના રાજાઓએ વિક્રમશિલા અને ઓદંતપુરીમાં મઠો પણ બનાવ્યા હતા. જે પોતાની રીતે મોટી યુનિવર્સિટીઓ હતી. જાે કે, નાલંદાનો દરજ્જાે સર્વોચ્ચ હતો. કોરિયા, જપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, પર્શિયા અને તુર્કિયેથી લોકો અહીં ભણવા આવતા હતા. હવે આ એક યુનિવર્સિટી હતી તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અહીં અભ્યાસ કેવી રીતે કરાવતો હતો?
નાલંદામાં શિક્ષણ કેવી રીતે ચલાવવામાં આવતું હતું? જાે તમે બ્રાડ પિટની ફિલ્મ ‘ફાઈટ ક્લબ’ જાેઈ હશે તો તમને એક સીન યાદ હશે. તેની ક્લબમાં જાેડાવા માટે બ્રાડ પિટના ઘરની બહાર લોકોની લાઈન લાગી છે. તેમનું અપમાન કરીને તે કહે છે, પાછા જાઓ. તમે ક્લબમાં જાેડાવાને લાયક નથી. નાલંદામાં આવા અપમાન ભાગ્યે જ થાય છે, પરંતુ તે તેની મુશ્કેલ પ્રવેશ પરીક્ષા માટે જાણીતું હતું.
ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ લખે છે - નાલંદામાં પ્રવેશ લેવા માગતાં વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨૦ ટકાને જ પ્રવેશ મળતો હતો. પ્રવેશ માટે દ્વારપાલ પ્રથમ પરીક્ષા લેતો હતો. દ્વારપાલ પણ વિદ્વાન હતા. જેઓ ધર્મ અને તત્વજ્ઞાન સાથે જાેડાયેલા મુશ્કેલ પ્રશ્નો પૂછતાં હતા. જાે તમે અહીંથી પાસ થાઓ, તો તમારે વધુ બે લેવલ પર ટેસ્ટ આપવાના હતા. અને આ બે લેવલ પાર કર્યા પછી જ એડમિશન મળતું હતું. નાલંદામાં ભણતી વખતે ત્યાં જ રહેવું પડતું હતું.
હ્યુએન ત્સાંગે નાલંદા વિશે લખ્યું છે - સમગ્ર મઠ ઇંટોની દીવાલથી ઘેરાયેલું છે. જેમાંથી એક દરવાજાે સીધો જ શિક્ષણ કેન્દ્રમાં ખુલે છે. શિક્ષણ કેન્દ્રમાં આઠ મોટા હોલ છે, જેમાં અભ્યાસ થાય છે.
અન્ય અહેવાલો અનુસાર, નાલંદામાં મઠોની એક હરોળ હતી. તેમજ ભવ્ય સ્તૂપ અને મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નાલંદાના ખોદકામ દરમિયાન મળેલા ઓરડાઓની રચનાને જાેતા સ્પષ્ટ થાય છે કે દરેક ઓરડામાં સૂવા માટે પથ્થરની સ્ટૂલ હતી. અને દીવા રાખવા માટે વિશિષ્ટ સ્થાનો હતા.
આ સિવાય યુનિવર્સિટી કેમ્પસમાં બગીચા, પ્રાર્થના ખંડ અને મંદિરોનો પણ ઉલ્લેખ છે. નાલંદા તેની વિશાળ પુસ્તકાલય માટે પણ પ્રખ્યાત હતું. જેનું નામ ધરમગંજ હતું. આ પુસ્તકાલયમાં ત્રણ વિશાળ રૂમ હતા. જેમના નામ રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક હતા. દરેક વર્ગખંડમાં નવ માળ હતા. અને તેમાં લાખો પુસ્તકો અને ગ્રંથો રાખવામાં આવ્યા હતા.
હવે એ સમજીએ કે, નાલંદામાં વિદ્યાર્થીઓ શું ભણતા હતા? ભારતીય શતદર્શન, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર, ગણિત જેવા અનેક વિષયો અહીં ભણાવવામાં આવતા હતા. અભ્યાસની પદ્ધતિ પણ અનોખી હતી. વિદ્યાર્થીઓ મોટા હોલમાં સામસામે બેસીને ચર્ચા કરતા હતા. જે બાદ શિક્ષક તેમની ભૂલો સુધારતા હતા.
Loading ...