પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના ચાર જિલ્લામાં વીજળી પડવાની ઘટનામાં ૮ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાઓનું પાલન કરીને સાવચેત રહેવા અને વીજળીથી પોતાને બચાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.સોશિયલ મીડિયા ‘એકસ’ પર એક પોસ્ટમાં બિહારના સીએમએ કહ્યું, ‘દુઃખની વાત છે કે પટનામાં ૩, ઔરંગાબાદમાં ૩, નવાદામાં ૧ અને સારણમાં ૧ વ્યક્તિનું વીજળી પડવાથી મોત થયું છે. મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ કોઈપણ વિલંબ વિના આપવા સૂચના આપવામાં આવી છે.નીતિશ કુમારે પોસ્ટમાં લખ્યું છે કે, ‘ખરાબ હવામાનમાં લોકોને સંપૂર્ણ સાવધાની રાખવાની અપીલ છે. વીજળી પડવાથી બચવા માટે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનું પાલન કરો. ઘરની અંદર રહો અને ખરાબ હવામાનમાં સુરક્ષિત રહો.’ અગાઉ, બિહારના સીએમ નીતિશ કુમારે ગયા અને નાલંદામાં વીજળી પડવાથી ૭ લોકોના મૃત્યુ અને અન્ય ઘાયલ થવા પર શોક વ્યક્ત કર્યો હતો
Loading ...