નવી દિલ્હી :કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને પરિણામોના દિવસે શેરબજારમાં મોટી ઉથલપાથલ મામલે તપાસની માંગ કરી છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં તપાસની માગ કરી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શેરમાર્કેટમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું. એક્ઝિટ પોલના પગલે ૩ જૂને શેરબજારમાં મોટો ઉછાળો જાેવા મળ્યો હતો, બાદમાં ૪ જૂને મોટો કડાકો નોંધાતાં લોકોના ૩૦ લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા હતા. આ મામલે રાહુલ ગાંધીએ જાેઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા તપાસ હાથ ધરવા માંગ કરી છે.
વધુમાં રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલ એજન્સીઓની એનડીએ સરકાર સાથે મિલીભગત હોવાનો દાવો પણ કર્યો હતો. ભાજપ અને એક્ઝિટ પોલ એજન્સી વચ્ચે કનેક્શન હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, સરકારે શેરમાર્કેટ અંગે લોકોમાં ભ્રમ ફેલાવ્યો છે. ભાજપના બે દિગ્ગજાે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન લોકોને શેરબજારમાં રોકાણ કરવા સલાહ આપી હતી. જેમાં મોદીએ કહ્યું હતું કે, સૌ કોઈ શેરબજારમાં રોકાણ કરી લે, ૪ જૂન બાદ શેરબજાર તેજીથી દોડશે, જેને ઓપરેટર્સ પણ હેન્ડલ કરી શકશે નહીં.
૩ જૂને શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાવી ૪ જૂને કડડભૂસ થયુ હતું. જેમાં રોકાણકારોએ ૩૧ લાખ કરોડથી વધુ મૂડી ગુમાવી હતી. શેરબજારના કડાકામાં સૌથી વધુ નુકસાન રિટેલ રોકાણકારોને થયુ છે. જેની તપાસ થવી જરૂરી છે. જાેઈન્ટ પાર્લામેન્ટરી કમિટી આ મામલે તપાસ કરી લોકો સમક્ષ તથ્ય રજૂ કરે તેવી માંગ કરી છે.
ઉલ્લેખનીય છે, એક્ઝિટ પોલમાં એનડીએ સરકારને ૩૫૦થી ૪૦૦ બેઠકો મળવાનો અનુમાન જાહેર થતાં સોમવારે બજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ ૨૫૦૭ પોઈન્ટ ઉછળ્યો હતો. સાથે રોકાણકારોની મૂડી પણ રૂ. ૧૩.૭૩ લાખ કરોડ વધી હતી.
જાે કે, બીજા દિવસે ૪ જૂને લોકસભા ચૂંટણી પરિણામોમાં એક્ઝિટ પોલ ખોટો ઠરતાં તેમજ એનડીએને ૩૦૦ બેઠકો આવવાનું પણ મુશ્કેલ થતાં શેરબજારમાં ઈન્ટ્રા ડે ૬૩૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોના ૩૧ લાખ કરોડ ધોવાયા હતાં. “બજાર ભૂતકાળમાં પણ ગબડ્યો છે, તો પણ, કેટલીક અફવાઓએ તેને વેગ આપ્યો હશે બજાર વધવા જઈ રહ્યું છે,” મંત્રીએ દ્ગડ્ઢ્ફ ને કહ્યું હતું.રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન જેમની પાસે વાસ્તવિક ચૂંટણી પરિણામોનો ડેટા હતો, તેમણે રિટેલ રોકાણકારોને સ્ટોક ખરીદવાની સલાહ આપી હતી.“આ માત્ર અદાણીના મુદ્દા કરતાં વ્યાપક મુદ્દો છે. તે અદાણી મુદ્દા સાથે જાેડાયેલ છે, પરંતુ આ વધુ વ્યાપક મુદ્દો છે. આ સીધા વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન છે, જેઓ વાસ્તવિક ચૂંટણી પરિણામોના ડેટાની જાણકાર છે, જેમની પાસે ૈંમ્ રિપોર્ટ્સ છે, જેમની પાસે પોતાનો ડેટા છે, જેઓ છૂટક રોકાણકારોને સ્ટોક ખરીદવાની સલાહ આપે છે,” તેમણે કહ્યું.“આ પહેલા ક્યારેય બન્યું નથી. વડાપ્રધાને અગાઉ ક્યારેય શેરબજાર પર ટિપ્પણી કરી નથી. આ પહેલીવાર છે જ્યારે વડા પ્રધાને એક પછી એક ખૂબ જ રસપ્રદ અને ઘણી વખત ટિપ્પણી કરી છે, અને કહ્યું છે કે શેરબજારમાં તેજી આવી રહી છે,” તેમણે ઉમેર્યું.”તે જ સમયે, તેની પાસે માહિતી છે કે એક્ઝિટ પોલ ખોટા છે. તેમની પાસે માહિતી છે કે તેઓ જાણે છે કે શું થવાનું છે કારણ કે તેમની પાસે આઈબી ડેટા છે અને તેમની પાસે તેમની પોતાની પાર્ટીનો ડેટા પણ છે,” રાહુલ ગાંધીએ વધુમાં આક્ષેપ કર્યો હતો.
Loading ...