અમદાવાદ-
કોરોના વાયરસ મહામારીએ રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે, અનેક અધિકારીઓ અને હોદ્દેદારો પણ તેના શિકાર બની રહ્યા છે. આવા સમયે વધુ એક સિનિયર અધિકારીનો આ મહામારીએ ભોગ લીધો છે.
વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું પણ કોરોનાથી નિધન થયું હોવાના સમાચાર સાંપડ્યા છે. નાયક સાહેબની અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Loading ...