નવીદિલ્હી :તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે મોટો ર્નિણય લીધો છે અને ૧૫મી ઓગસ્ટની સમયમર્યાદા પહેલા ખેડૂતોની લોન માફ કરવાનો ર્નિણય લીધો છે. કેબિનેટે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી, જે પછી મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ૧૫ ઓગસ્ટ પહેલા ખેડૂતોની લોન માફ કરશે. દરમિયાન શનિવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણાના ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેલંગાણાના ખેડૂત પરિવારોને અભિનંદન. કોંગ્રેસ સરકારે તમારી ૨ લાખ રૂપિયા સુધીની તમામ લોન માફ કરીને ખેડૂત ન્યાયના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે, જેનાથી ૪૦ લાખથી વધુ ખેડૂત પરિવારો દેવામુક્ત થશે. તેણે જે કહ્યું તે કર્યું, આ મારો હેતુ છે અને મારી આદત પણ છે.તેમણે કહ્યું, ‘કોંગ્રેસ સરકાર એટલે ગેરંટી કે રાજ્યની તિજાેરી ખેડૂતો અને મજૂરો સહિત વંચિત સમાજને મજબૂત કરવા માટે ખર્ચવામાં આવશે, જેનું ઉદાહરણ તેલંગાણા સરકારનો આ ર્નિણય છે. અમારું વચન છે કે કોંગ્રેસ જ્યાં પણ સરકારમાં હશે, તે ભારતના પૈસા ભારતીયો પર ખર્ચ કરશે, મૂડીવાદીઓ પર નહીં.તેલંગાણાના ૪૭ લાખ ખેડૂતોને લોન માફીના ર્નિણયથી ફાયદો થવાની સંભાવના છે.
Loading ...