ચંદ્રબાબુએ પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીના ૪૦૦ કરોડના ‘મહેલ’ને જનતા માટે ખોલાવ્યો


અમરાવતી:વિશાખાપટ્ટનમ (વિઝાગ)માં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના વૈભવી મહેલ (રુશીકોંડા હિલ પેલેસ)ના દરવાજા રવિવારે સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા. જગન મોહન રેડ્ડીના શાસન દરમિયાન કુલ ૪૫૨ કરોડ રૂપિયામાં ૭ લક્ઝરી રેસિડેન્શિયલ અને ઓફિસ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચંદ્રાબાબુ નાયડુ સરકારનો આરોપ છે કે રૂષિકોંડા હિલ્સ પર બનેલ આલીશાન મહેલ તમામ પર્યાવરણીય ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યો હતો. જગન સરકાર પાસે અમરાવતીથી રાજધાની સ્થળાંતર કરવાની પરવાનગી ન હોવાથી. આથી તેમણે આ આલીશાન ઈમારત પ્રવાસન વિભાગના નામે કરાવી.

અંદરની સુંદરતા અને લક્ઝરી વસ્તુઓ જાેઈને લોકો દંગ રહી ગયા. રૂષિકોંડા પેલેસ સમુદ્રની સામે ૯.૮૮ એકરમાં ફેલાયેલો છે. જગન મોહન સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલી ૭ લક્ઝરી ઇમારતોમાંથી, ૩ મુખ્યત્વે રહેણાંક ઇમારતો છે. આમાં ૧૨ બેડરૂમ છે. દરેક બેડરૂમમાં લક્ઝરી વોશરૂમ જાેડાયેલ છે. જેમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ, ઉચ્ચ ગુણવત્તાની ફર્નિશિંગ, રાચરચીલું, ચમકતા ઝુમ્મર, બાથટબ અને ફ્લોર વર્ક પર જનતાના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક બાથરૂમ મહત્તમ ૪૩૦ ચોરસ ફૂટમાં બનેલ છે. સૌથી મોટો ખર્ચ બાથટબ પાછળ થયો હતો. બિલ્ડિંગની આંતરિક સજાવટ માટે સામગ્રી અને ફર્નિચર પાછળ લગભગ ૩૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, રસ્તાઓ, નહેરો અને ઉદ્યાનોના વિકાસ પર ૫૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. બિલ્ડિંગની બહાર પણ અદ્ભુત લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. પાર્કમાં ૨ થી ૩ પ્રકારના વોક-વે બનાવવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, આંધ્ર પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ દ્વારા રૂષિકોંડા હિલ્સ પર વિકસાવવામાં આવનાર પ્રવાસન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા મે ૨૦૨૧માં ઝ્રઇઢ એટલે કે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution