કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જર માટે મૌન પાળવામાં આવ્યું

નવી દિલ્હી: ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના અપુલિયામાં ય્૭ સમિટમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્‌્રુડોને મળ્યા હતા. હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ તમામની નજર બંને નેતાઓની મુલાકાત પર ટકેલી છે. પીએમ મોદીને મળ્યા બાદ ટ્‌્રુડોએ સંબંધો સુધારવાની વાત કરી હતી પરંતુ કેનેડાની સંસદમાંથી અલગ જ તસવીર સામે આવી છે.ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સંગઠન સાથે જાેડાયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર માટે કેનેડાની સંસદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. હાઉસ ઓફ કોમન્સમાં, પ્રથમ સ્પીકર, ગ્રેગ ફર્ગ્યુસે નિજ્જર માટે શોક સંદેશ વાંચ્યો અને પછી તમામ સાંસદોને નિજ્જર માટે મૌન પાળવા કહ્યું.અગાઉ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્‌્રુડોએ કહ્યું હતું કે ભારતની નવી સરકાર સાથે આર્થિક સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની આ એક તક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution