ભાજપના ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભામાં રાતવાસો કર્યોઃ હનુમાન ચાલીસા અને ગીત ગાયા

બેંગલોર:  મૈસૂર ડેવલપમેન્ટ ઓથોરિટી અને વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડની નિંદા કરવા માટે ભાજપ અને જેડીએસના ધારાસભ્યએ સંયુક્ત રીતે વિધાનસભાની અંદર રાતભર ધરણા કર્યા હતા. કથિત કૌભાંડો પર ચર્ચાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં વિપક્ષી ધારાસભ્યો વિધાનસભાની અંદર સૂઈ ગયા હતા.ભાજપના સભ્યોએ બુધવારે વિધાનસભા ગૃહમાં એમયુડીએ કૌભાંડ પર ચર્ચા કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, સ્પીકરે તેને ફગાવી દીધી હતી. આનાથી નારાજ વિપક્ષના સભ્યો વિધાનસભા ગૃહના વેલમાં ઘૂસી ગયા હતા તથા રાજ્ય સરકાર અને સ્પીકરના વિરોધમાં નારાજગી શરૂ કરી હતી. ત્યારબાદ સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. તેથી, તેઓએ વિધાનસભા ગૃહમાં બેસીને સરકાર વિરુદ્ધ રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વિધાનસભાના વિપક્ષના નેતા આર. અશોક, વિધાન પરિષદના વિપક્ષના નેતા ચલવાદી નારાયણસ્વામી, ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર સહિત ભાજપ અને જેડીએસના ધારાસભ્યોએ ધરણામાં ભાગ લીધો હતો. વિધાનસભા સચિવ એમ. કે. વિસાલાક્ષીએ વિરોધ કરી રહેલા સભ્યો માટે રાત્રિભોજનની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી. ત્યારે આર. અશોકે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, એમયુડીએ અને વાલ્મિકી વિકાસ નિગમના કૌભાંડના પૈસાથી અમે નહીં જમીએ. ત્યારબાદ તમામ ધારાસભ્યોએ આખી રાત વિધાનસભા ગૃહમાં વિતાવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution