બીજેપી જે કહે છે તે કરે છેઃઅમે અમારી તમામ જાહેરાતોને પૂરી તાકાતથી લાગુ કરીશુંઃવડાપ્રધાન
ભુવનેશ્વર
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રીજા તબક્કા માટે ૭ મેના રોજ મતદાન થશે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા પહોંચ્યા હતાં.અહીં ગંજમમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “ગઈ કાલે હું ભગવાન રામની નગરી અયોધ્યામાં હતો, ત્યાં મેં અયોધ્યાની મુલાકાત લીધી. આજે હું ભગવાન જગન્નાથની ભૂમિ પર છું અને આશીર્વાદ લેવા આવ્યો છું.” પીએમ મોદીએ કહ્યું કે બીજેપી જે કહે છે તે કરે છે, અમે અમારી તમામ જાહેરાતોને પૂરી તાકાતથી લાગુ કરીશું, વડાપ્રધાને કહ્યું કે, ઓડિશામાં એક સાથે બે યજ્ઞ થઈ રહ્યા છે બીજું રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની મજબૂત સરકાર રચવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ૪ જૂન બીજેડી સરકારની એક્સપાયરી ડેટ છે. આજે ૬ મે છે અને ૬ જૂને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવારનો ર્નિણય થશે, ૧૦ જૂને ભુવનેશ્વરમાં ભાજપ પાર્ટીના મુખ્યમંત્રી પદનો શપથ સમારોહ યોજાશે. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હું ઓડિશા ભાજપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓડિશાની આકાંક્ષાઓ, તેના યુવાનોના સપનાઓ અને તેની બહેનો અને પુત્રીઓની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને, ઓડિશા ભાજપે ખૂબ જ દૂરંદેશી મેનિફેસ્ટો બહાર પાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભાજપ જે કહે છે તેને પૂર્ણ કરવામાં માને છે. સરકાર બન્યા બાદ અમે ચૂંટણી ઢંઢેરામાં સમાવિષ્ટ વચનોને અમલમાં મૂકવા માટે પૂરી તાકાતથી કામ કરીશું.
Loading ...