નવી દિલ્હી:અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે માંગતી અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલ જેલમાં રહેવું પડશે. હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. ઇડી એ ટ્રાયલ કોર્ટના આદેશને ખામીયુક્ત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલને રાહત ન મળવી જાેઈએ. કેજરીવાલને ૨૦ જૂને નીચલી અદાલતે જામીન આપ્યા હતા. ૨૧ જૂને ઇડીએ મુખ્યમંત્રીને આપવામાં આવેલા જામીનને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન, કેન્દ્રીય તપાસ એજન્સીએ નીચલી અદાલતના ર્નિણય પર સ્ટે મૂકવા માટે તાકીદની અરજી દાખલ કરી, સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કહ્યું કે હાઈકોર્ટને પોતાનો આદેશ આપવા દો. અમે તમને ૨૬ જૂને સાંભળીશું. અગાઉ, એડવોકેટ અભિષેક સિંઘવી, સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલ તરફથી હાજર થઈને, કથિત એક્સાઈઝ કૌભાંડ સંબંધિત ઇડી કેસમાં જામીનના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે હટાવવાની વિનંતી કરી હતી. ઇડી માટે હાજર રહેલા છજીય્ જીફ રાજુએ કેજરીવાલની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે હાઈકોર્ટ તેમની સ્ટે પિટિશન પર ચુકાદો આપવા જઈ રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટે ૨૦ જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે ગયા શુક્રવારે તેના પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૧ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટની વેકેશન બેન્ચે કહ્યું હતું કે જે ર્નિણયને પડકારવામાં આવ્યો છે તેને આગામી આદેશો સુધી લાગુ કરી શકાય નહીં.
Loading ...