કોલકતા:બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીમાં બોલતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેની પાસે ૩૮ ટકા મહિલા સાંસદ છે. ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમ કરી શક્યું ન હતું. ધર્મતલામાં ચાલી રહેલી રેલીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે એનડીએ સરકાર ટૂંક સમયમાં પડી જશે.મમતા બેનર્જીએ કહ્યું કે અખિલેશ યાદવ મારા આમંત્રણ પર કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા, હું તેમનો આભાર માનું છું. હું ઈચ્છું છું કે સમગ્ર દેશ સાથે બંગાળના સંબંધો સુધરે. યુપીમાં અખિલેશ યાદવે બતાવેલી રમત બાદ ભાજપે રાજીનામું આપી દેવું જાેઈતું હતું.આ દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, સાંપ્રદાયિક ધોરણે ભારતને વિભાજિત કરવાનું કાવતરું કરી રહેલી શક્તિઓને અસ્થાયી સફળતા મળી શકે છે, પરંતુ આખરે તેઓ હારશે. કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર લાંબો સમય નહીં ચાલે, તે ટૂંક સમયમાં પડી જશે.
Loading ...