હિટવેવના કારણે બર્ફાની બાબા વિલીન થઈ ગયા

જમ્મુ:અમરનાથ યાત્રા શરૂ થયાને માત્ર ૧૦ દિવસ થયા છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ હિટવેવના કારણે બાબા બર્ફાની વિલીન થઈ ગયા છે. આ વર્ષે યાત્રા ૨૯ જૂને શરૂ થઈ હતી, જાેકે છ જુલાઈએ વિગતો સાંપડી છે કે, અમરનાથ ગુફામાં હિમલિંગ (બરફથી બનેલું શિવલિંગ) પિગળી ગયું છે. ઓછા સમયમાં બાબા બર્ફાની અદૃશ્ય થવા પાછળ ગરમી જવાબદાર છે. તો જાણીએ આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જરૂરી છે.

અમરનાથની ગુફામાં કુદરતી રીતે બરફના શિવલિંગનું નિર્માણ થાય છે. ઉનાળામાં આ ગુફાની અંદરનું પાણી થીજી જાય છે, જેના કારણે શિવલિંગનો આકાર વધે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે ઓછો વરસાદ પડે છે, ત્યારે કોઈપણ વિસ્તારમાં ગરમી વધે છે. આ ઉપરાંત આ વખતે ભીષણ ગરમી પણ પડી છે. ઉત્તર અને મધ્ય ભારત મે મહિનાથી જ ભીષણ ગરમનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ કાશ્મીર ખીણમાં મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્યથી ૭.૯ ડિગ્રી સેલ્સિયસ વધું હતું. અમરનાથ ગુફાના પુજારીઓએ પણ દાવો કર્યો છે કે, આ વખતે ગરમીના કારણે બાબા બર્ફાની પીગળી ગયા છે.

હવામાન વિભાગના જમાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિગંના કારણે વિશ્વભરમાં જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે. આ કારણે ખીણના લોકો પણ ભીષણ ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે, જેની સીધી અસર બાબા બર્ફાની પર પડી છે. જાેકે માત્ર ગ્લોબલ વોર્મિંગ જ નહીં, ગુફાની આસપાસ માનવીય અને યાંત્રિક પ્રવૃત્તિઓ વધવાના કારણે પણ અસર પડી હોય તેવું કહેવાય છે.

આ પરિવર્તન માટે વાસ્તવિક જવાબદાર ગ્લોબલ વોર્મિંગ છે, જેની સાથે સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારોમાં પણ આ વખતે ગરમી વધી છે. . હાલમાં સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution