નવીદિલ્હી:દેશની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે કહ્યું છે કે તે આર્થરાઇટિસની સમસ્યાથી પીડિત છે. સાઇનાનું કહેવું છે કે આના કારણે તેની રમત પર અસર પડી શકે છે અને તેની કારકિર્દી મુશ્કેલીમાં આવી શકે છે. તેના ઘૂંટણમાં સમસ્યા વિશે વાત કરતા સાઇનાએ કહ્યું કે તેનાથી મારી તાલીમ ક્ષમતા પર અસર પડી છે. આવી સ્થિતિમાં, તે ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, એવું માનવામાં આવે છે કે ઘૂંટણની સમસ્યાને ધ્યાનમાં રાખીને, દેશમાં બેડમિંટનની લોકપ્રિયતાને એક અલગ સ્તર પર લઈ જનાર આ સ્ટાર શટલર આ વર્ષના અંત સુધીમાં નિવૃત્તિ લઈ શકે છે. વર્ષ ૨૦૧૨માં સાઈનાએ લંડન ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય છે, પોડકાસ્ટ દરમિયાન સાઈનાએ કહ્યું કે મારા ઘૂંટણની હાલત સારી નથી. મને આર્થરાઈટિસ છે હવે ૮-૯ કલાક સુધી ટ્રેનિંગ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, તો સાઈનાએ કહ્યું કે, ક્યાંક મારે આ વાત સ્વીકારવી પડશે. ૨ કલાકની તાલીમ પૂરતી નથી. સાયનાએ ગયા વર્ષે સિંગાપોર ઓપન બાદથી કોઈ સ્પર્ધામાં ભાગ લીધો નથી. તે સંધિવાથી પીડિત છે. તેથી તે આ વર્ષના અંત સુધીમાં નિવૃત્તિ લઈ શકે છે. જાે કે, તેણે આ સ્પષ્ટ રીતે કહ્યું ન હતું, પરંતુ ટૂંકી કારકિર્દીની વાત ચોક્કસપણે સ્વીકારી હતી.
Loading ...