આર્મીના જવાનોએ પોલીસ ઘૂસીને ચાર પોલીસ અધિકારીઓને માર માર્યોઃહોસ્પિટલમાં દાખલ કરાયા

કુપવાડા :જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી સમાચાર આવ્યા છે કે સેનાના કેટલાક જવાનોએ કથિત રીતે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કેટલાક પોલીસકર્મીઓને માર માર્યો છે. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આવું કેમ થયું તે જાણી શકાયું નથી પરંતુ આ ઘટનાને પોલીસના દરોડા સાથે જાેડવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ચાર પોલીસ અધિકારીઓને મંગળવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેનાના જવાનોએ તેને કથિત રીતે માર માર્યો હતો. ઘાયલ પોલીસ અધિકારીઓની ઓળખ સ્પેશિયલ પોલીસ ઓફિસર રઈસ ખાન અને ઈમ્તિયાઝ મલિક અને કોન્સ્ટેબલ સલીમ મુશ્તાક અને ઝહૂર અહેમદ તરીકે થઈ છે. સોરા સ્થિત જીદ્ભૈંસ્જી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર છે.અહેવાલો અનુસાર, સેનાના જવાનોનું એક જૂથ કુપવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. અહીં તેણે પોલીસ અધિકારીઓને માર માર્યો હતો. આ ઘટનાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જાે કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ પોલીસે બાટપોરામાં સ્થાનિક આર્મી કર્મચારીના ઘરે દરોડો પાડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડાને કારણે સ્થાનિક આર્મી યુનિટમાં ગુસ્સો હતો અને તેઓએ પોલીસકર્મીઓ પર હુમલો કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ઘટનામાં કુલ પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution