બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા પાછળ વિદેશી હાથની આશંકા ભારત માટે ચિંતાજનક

પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિતિ વધુ વણસી છે. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. એવા અહેવાલો છે કે તે તેની બહેન સાથે ભારતમાં આવ્યા છે. બાંગ્લાદેશમાં સોમવારે ભયાનક હિંસા થઈ હતી. અનામત વિરોધી પ્રદર્શનકારીઓએ ઢાકામાં વડાપ્રધાનના મહેલમાં ઘૂસી જઈ તેના પર કબ્જાે જમાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં શેખ હસીનાએ સ્થળ છોડી દીધું હતું. પ્રદર્શનકારીઓએ સોમવારે ઢાકામાં લોંગ માર્ચનું આયોજન કર્યું હતું. સેનાએ કહ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં વચગાળાની સરકારની રચના થઈ રહી છે. રાષ્ટ્રને એક ટેલિવિઝન સંબોધનમાં, બાંગ્લાદેશના આર્મી ચીફ વકર-ઉઝ-ઝમાને વિદ્યાર્થીઓને “શાંત રહેવા અને ઘરે જવા” વિનંતી કરી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી, વિદ્યાર્થીઓ દેશમાં જાેબ ક્વોટામાં સુધારાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બાંગ્લાદેશના પીએમના નિવાસસ્થાનને ગોનો ભવન કહેવામાં આવે છે. વિરોધીઓએ ગોનો ભવન પર સંપૂર્ણ કબજાે જમાવી લીધો હતો અને ભારે તોડફોડ કરી હતી. પરંતુ વિરોધીઓ ગોનો ભવનમાં પ્રવેશ કરે તે પહેલા શેખ હસીના ત્યાંથી અજ્ઞાત સ્થળે રવાના થઈ ગયા હતા. ત્યારપછી અજ્ઞાત સ્થળેથી તે આર્મી પ્લેનમાં ભારત આવવા રવાના થયા હતા. ભારતે શેખ હસીનાને સુરક્ષિત રીતે અગરતલામાં ઉતાર્યા.

વડા પ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા જે યુએસનો ઉલ્લેખ કર્યા વિના સંકેત આપતા હતા કે બાંગ્લાદેશની અશાંતિ પાછળ વિદેશી હાથ છે. બીજી તરફ છેલ્લાં ઘણાં સમયથી જેમ જેમ ઢાકા બેઇજિંગની નજીક આવી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમને લક્ષમાં લેતા ભારતે તેની નીતિ માટે વ્યૂહરચના બનાવવાની જરૂર પડશે.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના તાજેતરના નિવેદનો કેટલાક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મુદ્દાઓ પ્રકાશિત કર્યા. તેણીએ બાંગ્લાદેશ અને મ્યાનમારના ભાગોમાંથી ‘પૂર્વ તિમોર જેવું ખ્રિસ્તી રાજ્ય’ બનાવવાના કાવતરાનો ઉલ્લેખ કર્યો, વિદેશી દેશ દ્વારા બાંગ્લાદેશી ક્ષેત્રમાં એરબેઝ બનાવવાની માંગ અને ભારતમાં કુદરતી ગેસની નિકાસ કરવા માટે બાંગ્લાદેશ પર દબાણનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદનો તેમણે સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત વિજય મેળવ્યા પછી તરત જ કર્યા હતા. હસીના કયા દેશનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જાેકે, તેમણેે ઉલ્લેખ કર્યો હતો કે ઓફર એક ‘વ્હાઇટ મેન’ તરફથી આવી હતી. શું તે યુ.એસ.નો ઉલ્લેખ કરી રહ્યા હતા?

 ૨૦૨૪ની ચૂંટણીમાં અમેરિકાએ બાંગ્લાદેશની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પર ટિપ્પણી કરી હતી. તેણે વિઝા નિયંત્રણો લાદ્યા અને માનવ અધિકારોના ઉલ્લંઘન માટે રેપિડ એક્શન બટાલિયન (ઇછમ્) ના અધિકારીઓને પણ મંજૂરી આપી હતી. યુએસએ અગાઉ નેશનલ યુનિટી ગવર્નમેન્ટ(એનયુજી) અને પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ(પીડીએફ) જેવા હસીના વિરોધી દળોને સમર્થન આપીને પ્રદેશમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. બીજું ઉદાહરણ એ છે કે અમેરિકાએ પાકિસ્તાનને લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ(૨૦૨૧) માટે આમંત્રણ આપ્યું હતું, બાંગ્લાદેશને નહીં. હસીનાએ અગાઉ ટિપ્પણી કરી હતી કે તેમની સરકાર યુ.એસ. તરફથી આવી ટીકાઓનો સામનો કરી રહી છે કારણ કે તેણે બંગાળની ખાડીમાં સેન્ટ માર્ટિન આઇલેન્ડ પર નૌકાદળ બનાવવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. યુએસએ તેના વ્યૂહાત્મક હિતોનો ઉપયોગ બાંગ્લાદેશની વિરુદ્ધ તેની નીતિઓને સંરેખિત કરવા માટે કર્યો છે.

પાડોશી દેશમાં અશાંતિ પાછળ જાે વિદેશી પરિબળો સક્રિય હોય તો ભારત માટે પણ તે ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશના ઉદ્‌ભવથી માંડીને તેના વિકાસમાં ભારતે ઘણું યોગદાન આપ્યું છે. અને તાજેતરમાં ચીનની દખલઅંદાજી વધી તે પહેલા બાંગ્લાદેશ સાથે ભારતનાં હંમેશા મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. આ સંજાગોમાં વર્તમાનના નવા ઘટનાક્રમમાં ભારતે ઘણાં સાવચેત રહેવાની જરૂર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution