ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે. ફિલ્મ તેની જાહેર થયેલી તારીખે રિલીઝ થશે કે પછી તેની રિલીઝ પાછી ઠેલાશે તે બાબતે અલ્લુ અર્જુનના ફૅન્સ થોડા ચિંતામાં હતા. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અલ્લુ અર્જુન અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર વચ્ચે મતભેદ થવાથી ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. ત્યારે હવે અલ્લુ અર્જૂનના મેનેજર સરથ ચંદ્ર નાયડૂએ એક્સ પર ખુલાસો કર્યાે છે. પુષ્પાની ઈનસાઈડ્સ જાણવા હજારો લોકો આતુર છે. આવા જ એક ફેને સરથ ચંદ્રને ટૅગ કરીને ફિલ્મ રિલીઝ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે સરથ ચંદ્રએ જવાબ આપતાં લખ્યું હતું,“સુકુમાર ગરુએ ફિલ્મના પહેલા ભાગના એડિટિંગનું કામ શરૂ કરી દીધું છે. એડિટીંગ વચ્ચે બ્રેક લેવો એ સામાન્ય બાબત છે.” ‘પુષ્પા ધ રાઇઝ’ પહેલો ભાગ ૨૦૨૧માં રિલીઝ થયેલો, ત્યારે કોઈ ખાસ પ્રમોશન વિના શાંતિથી ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી પરંતુ ટૂંક સમયમાં તે વખતની સૌથી મોટી સફળ ફિલ્મ બની ગઈ હતી.
Loading ...