રાખી સાવંત અને મુનવર ફારૂકી પછી વધુ એક ટીવી એકટ્રેસ પૂજા બેનર્જીની તબિયત લથડી

રાખી સાવંત અને મુનવર ફારૂકી બાદ વધુ એક ટીવી એક્ટ્રેસની તબિયતને લગતા સમાચાર આવી રહ્યા છે, જેણે ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ ‘કબૂલ હૈ’, ‘તુજ સંગ પ્રીત લગાઈ’ અને ‘દેવોં કે દેવ મહાદેવ’ જેવા શોથી લોકપ્રિયતા મેળવનાર પૂજા બેનર્જી છે, જે હાલમાં પોતાની તબિયતને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, પૂજા બેનર્જીએ તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે.પૂજા બેનર્જી હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. દરમિયાન, તેણીના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા, તેણીએ કહ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. લાંબા સમય સુધી તબિયત સારી ન હોવાથી તેણે મેડિકલ હેલ્પ લીધી, ત્યારબાદ ડોક્ટરોએ તેને એડમિટ કરવાની સલાહ આપી. પૂજાએ કહ્યું, ‘પહેલાં મને લાગ્યું કે થાકને કારણે આવું થઈ રહ્યું છે, પરંતુ બાદમાં મારી હાલત ખરાબ થવા લાગી. મને તપાસ્યા પછી, ડૉક્ટરે મને હોસ્પિટલમાં દાખલ કર્યાે.અભિનેત્રીએ આગળ કહ્યું, ‘મને ખૂબ તાવ અને નબળાઈનો અનુભવ થઈ રહ્યો છે. જાેકે ડૉક્ટરે મને ડ્રિપ પર મૂક્યું છે, આશા છે કે હું જલ્દી ઠીક થઈશ. પૂજાએ વધુમાં કહ્યું કે, ‘નબળાઈ અને તાવ ઉપરાંત, મને મારા ગળામાં ઈન્ફેક્શન પણ થયું છે, જેના કારણે મને ખાવા-પીવામાં તકલીફ થઈ રહી છે. જાે કે, મારા પતિ કુણાલ વર્મા મારી સાથે છે, જે મારી સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે.પૂજા બેનર્જીની જેમ તેના પતિ કુણાલ વર્મા પણ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા છે. લોકડાઉન સમયે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં બંનેએ ગોવામાં ફરી લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે પૂજા બેનર્જી લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં તેણે કોર્ટ મેરેજ કરવાનું શ્રેષ્ઠ માન્યું. કુણાલ સિવાય પૂજા બેનર્જી પણ બીજા કોઈના પ્રેમમાં પડી ગઈ છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, પૂજા માત્ર ૧૫ વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી. આનું કારણ તેનો પ્રેમ હતો, જેની સાથે તે ભાગી ગઈ હતી. જાેકે, બાદમાં તેને સમજાયું કે આ તેની ભૂલ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution