કરીના સાથે ફિલ્મની ઓફર સ્વીકાર્યા બાદ આયુષ્માન ખુરાનાએ પલટી મારી

કરીના કપૂર ખાનનો સિતારો બુલંદી પર હતો ત્યારે તે નવોદિત એક્ટર્સ સાથે કામ કરવાની ના પાડી દેતી હતી. શાહરૂખ-અક્ષય જેવાં મોટાં સ્ટાર હોય તો જ ફિલ્મમાં કામ કરવાનો આગ્રહ કરીના રાખતી હતી. કો-સ્ટાર્સની પસંદગીમાં નિશ્ચિત ગમા-અણગમા સાથે કામ કરનારી કરીના કપૂર ખાનના દિવસો સાચા અર્થમાં બદલાયા હોય તેમ લાગે છે. આયુષ્માન ખુરાનાને હજુ એ-ગ્રેડ સ્ટાર્સની કેટેગરીમાં સ્થાન મળ્યું નથી. એક્ટર તરીકે આયુષ્માનની પ્રશંસા થાય છે, પરંતુ કરીનાએ અગાઉ નક્કી કરેલા માપદંડો મુજબ તે મોટો સ્ટાર નથી. આયુષ્માન અને કરીનાને લીડ રોલમાં રાખી ડાયરેક્ટર મેઘના ગુલઝારે એક ફિલ્મ ફાઈનલ કરી હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલાં જ આયુષ્માન ખુરાનાએ શૂટિંગ માટે સમય ન હોવાનું કારણ દર્શાવી ના પાડી દીધી છે. જેના કારણે ડાયરેક્ટરે રીપ્લેસમેન્ટ શોધવા તજવીજ હાથ ધરી છે. મેઘના ગુલઝારે કરીના કપૂર ખાનને લીડ રોલમાં રાખીને ‘દાયરા’ પ્લાન કરી હતી. આયુષ્માન ખુરાનાએ કરીના સાથે કામ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના કારણે ફિલ્મને ફ્લોર પર લઈ જવાની તૈયારીઓ શરૂ થઈ હતી. જાે કે આયુષ્માન ખુરાના અત્યારે અમેરિકામાં મ્યૂઝિક ટૂર અને બોર્ડર ૨ના શૂટિંગમાં રોકાયેલો છે. જેના કારણે હાલ કરીના કપૂર ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ કરવા માટે સમય નહીં હોવાની તેની દલીલ છે. રિપોટ્‌ર્સ મુજબ, આયુષ્માન ખુરાના તરફથી ફિલ્મની ટીમને તારીખો નહીં હોવા બાબતે જાણ કરી દેવાઈ છે. જેના કારણે મેઘના ગુલઝારે રીપ્લેસમેન્ટ શોધવા મથામણ શરૂ કરી છે. મેઘના ગુલઝારની આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે. કરીના અને આયુષ્માનને આ સ્ક્રિપ્ટ ખૂબ ગમી હતી. આરુષિ તલવાર હત્યાકાંડ જેવા જ ચકચારી કેસના આધારે આ ફિલ્મ બનવાની હતી. કરીના અને આયુષ્માને મૌખિક સંમતિ આપી હતી, પરંતુ પેપર વર્ક થાય તે પહેલાં જ આયુષ્માન ખુરાનાએ આ પ્રોજેક્ટમાંથી ખસી જવાનો ર્નિણય લીધો હતો. આયુષ્માન ખુરાના માટે આવનારું વર્ષ ખૂબ વ્યસ્ત રહેવાનું છે. બોર્ડર ૨ અને અમેરિકા ટૂર ઉપરાંત તેની પાસે બે ફિલ્મ છે. સારા અલી ખાન સાથે સ્પાય કોમેડી અને રશ્મિકા મંદાના સાથે હોરર કોમેડીમાં આયુષ્માન જાેવા મળે છે. કરીના કપૂર પાસે હાથ પર ખાસ ફિલ્મો નથી. તાજેતરમાં રિલીઝ થયેલી ‘ક્રૂ’ સારી ચાલી હતી, પરંતુ તે સિવાય કરીના પાસે ખાસ ફિલ્મો નથી. કરીનાએ પણ વાસ્તવિકતા સ્વીકારી લીધી હોય તેમ સ્ટારડમની દૃષ્ટિએ ઘણાં પાછળ કહી શકાય તેવા જયદીપ અહલાવત સાથે વેબ સિરીઝમાં કામ કર્યું હતું. આયુષ્માન પાસે હકીકતમાં તારીખો નહીં હોય અને તેણે ના પાડી હશે તેવું માની લઈએ તો પણ, કરીના પોતે અગાઉ ઘણાં નવોદિતો સાથે કરી ચૂકી છે, તેવું વર્તન તેની સાથે થયું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution