આંગડિયા કર્મચારી પર ફાયરિંગ કરી ૬૫ લાખની લૂંટ

અમદાવાદ શહેરમાં વધુ એક વખત આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ લેવાની ઘટના સામે આવી છે. શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે બનેલી ઘટનામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ છે. લૂંટારાઓએ કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટને અંજામ આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉપરાંત આ ઘટનામાં એરગનથી ફાયરિંગ કરાતાં ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા ૬૫ લાખની લૂંટ થઈ છે. લૂંટારુઓએ ઓટો રીક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાની ભૂકી છાંટીને આંગડિયા પેઢીના કર્મચારીને ધોળે દિવસે લૂંટી લીધો છે. આર.કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક અશોક પટેલે જણાવ્યું કે,આર.કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસો બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસી થી ૬૫ લાખ રૂપિયા રીક્ષામાં લઈને અમારી ઓફિસ આર.કાંતિલાલ આંગડિયા ખાતે જઈ રહ્યા હતા. જ્યાં અચાનક જલારામ મંદિરથી આગળ જીમખાનાની સામે બાઈક ઉપર બે શખ્સ છરી અને એરગન લઈને આવી ગયા હતા. ત્યાર બાદ રીક્ષા ઉભી રાખીને આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બન્ને માણસોની આંખમાં મરચાની ભૂકી નાંખીને રીક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા. અમારા બન્ને કર્મચારી બપોરના ૩.૫ વાગ્યા આસપાસ એપીએમસી થી નીકળ્યા હતા ઇસ્કોન આકેટ સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જતી વખતે ૩.૨૦ વાગ્યે એલિસબ્રિજ જીમખાના સામે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ ૬૫ લાખની લૂંટ કરી હતી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution