૫૫.૬ ટકા ભારતીયોનેે સ્વસ્થ આહાર આર્થિક રીતે પરવડી શકતો નહીં હોવાનો અહેવાલ

એક વૈશ્વિક અહેવાલમાં ભારતમાં આહારની આદતો અંગે ચિંતા વ્યક્ત કરી જણાવાયુ હતુ કે ભારતની કુલ વસતીના અડધાથી વધુ લોકો(૫૫.૬ ટકા) તંદુરસ્ત આહાર પરવડી શકે તેમ નથી.

 યુનાઈટેડ નેશન્સ સ્ટેટ ઑફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ રિપોર્ટમાં આ હકીકત જણાવવામાં આવી છે. જાે કે, અહેવાલ મુજબ,૨૦૨૦ સિવાય, જે વર્ષે કોવિડ-૧૯ રોગચાળો ફેલાયો હતો- આ ગુણોત્તરમાં સતત ઘટાડો જાેવા મળ્યો છે. આ સ્થિતિ હજી પણ તમામ દક્ષિણ એશિયાઈ દેશોની સરેરાશ(૫૩.૧ ટકા) કરતાં વધુ છે અને ૨૦૨૨ માં પાકિસ્તાન(૫૮.૭ ટકા) પછી આ ક્ષેત્રમાં વસતીની બીજી સૌથી વધુ ટકાવારી છે. આ રિપોર્ટમાં અફઘાનિસ્તાનનો ડેટા ઉપલબ્ધ નથી. અહેવાલ મુજબ ૨૦૧૭માં ભારતમાં તંદુરસ્ત આહાર ન લઈ શકતી વસતીનું પ્રમાણ ૬૯.૫ ટકા હતું.

સંયુક્ત રાષ્ટ્રની પાંચ એજન્સીઓ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટમાં ચાર મુખ્ય પાસાઓના આધારે 'હેલ્ધી ડાયટ'નું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં શામેલ છેઃ વિવિધતા(ખાદ્ય જૂથોની અંદર અને સમગ્ર), પર્યાપ્તતા (જરૂરિયાતોની તુલનામાં તમામ આવશ્યક પોષક તત્વોની પર્યાપ્તતા), મધ્યસ્થતા(ખોરાક અને પોષક તત્ત્વો જે નબળા સ્વાસ્થ્ય પરિણામો સાથે સંકળાયેલા છે) અને સંતુલન(ઊર્જા અને મેક્રોન્યુટ્રિઅન્ટ્‌સનું સેવન).

ભારતના ઉપલબ્ધ આંકડાઓ ખાદ્ય સુરક્ષા અને પોષણ પરના જાહેર ખર્ચ સાથે મેળ ખાય છે - આ ખર્ચના ૮૩ ટકા ખાદ્ય વપરાશ પર છે(જેમાં ખોરાકની ઉપલબ્ધતા અને વપરાશનો સમાવેશ થાય છે) જ્યારે માત્ર ૧૫ ટકા જ ખોરાકની અસુરક્ષા અને કુપોષણના મુખ્ય કારણો પર ફાળવવામાં આવે છે.આ વર્ષે મે મહિનામાં અન્ય એક વૈશ્વિક અહેવાલમાં ભારતમાં આહારની આદતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પૌષ્ટિક વિકલ્પોની સરખામણીમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ ૨૦૨૪ઃ ફૂડ સિસ્ટમ્સ ફોર હેલ્ધી ડાયેટ એન્ડ ન્યુટ્રિશન રિપોર્ટ મુજબ, લગભગ ૩૮ ટકા ભારતીય વસતી અસ્વસ્થ ખોરાક ખાય છે, જ્યારે માત્ર ૨૮ ટકા જ ઉલ્લેખિત તમામ પાંચ ખાદ્ય જૂથોનો ઉપયોગ કરે છે, જેમાં મુખ્ય ભોજનમાં એક શાકભાજી, એક ફળ, એક કઠોળ, અખરોટ અથવા બીજ અને એક પ્રાણી-સ્રોત ખોરાકનો સમાવેશ થાય છે.વૈશ્વિક સ્તરે ૩૫.૪ ટકા લોકાનેે તંદુરસ્ત આહાર પરવડી શકતો નથી; તેમાંથી ૬૪.૮ ટકા આફ્રિકામાં અને ૩૫.૧ ટકા એશિયામાં છે.ભારતમાં ૨૦૨૧થી ૨૦૨૩ વચ્ચે ૧૯.૪૬ કરોડ કુપોષિત લોકો હતા. આ કુલ વસતીના ૧૩.૭ ટકા હતી.

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અથવા હ્લર્છંની વ્યાખ્યા અનુસાર, 'કુપોષણ’નો અર્થ એ છે કે વ્યક્તિ એક વર્ષના સમયગાળા દરમિયાન દૈનિક લઘુત્તમ આહાર ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો ખોરાક મેળવી શકતી નથી.ખોરાકથી આરોગ્યને નુકશાનથી પ્રભાવિત બાળકોની સંખ્યા(પાંચ વર્ષથી ઓછી)૨.૧૯ કરોડ(૧૮.૭ ટકા) હતી.

ભારત દેશ હજી પણ કુપોષણ અને સ્વસ્થ આહારના અભાવની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. દેશમાં ભારે મોંઘવારી છે અને રોજનું બે ટંકનું ભોજન મળી રહે તેટલી પણ કમાણી કરવા માટે સેંકડો લોકોને આકરી મહેનત કરવી પડે છે. ગરીબ વર્ગ તો ભોજન મળી રહે તેને જ સારુ નસીબ માને છે તેથી તેના માટે ભોજનની ગુણવત્તા વિશે વિચાર કરવાનો કોઈ અવકાશ હોતો નથી. જ્યારે જીવનજરૂરિયાતમાં વધારો અને ટૂંકી આવકના કારણે મધ્યમ વર્ગને પણ ગુણવત્તાસભર ખોરાક માટે વધારે નાણાં ખર્ચ કરવા પોસાતા નથી. ભારતમાં એવો ઘણો મોટો વર્ગ છે જે માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં જ મોટાભાગનું જીવન વિતાવી દેતો હોય છે. આવા સંજાેગોમાં તે ગુણવત્તા પર ધ્યાન આપી શકે નહીં તે સ્વાભાવિક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution