બાલાસિનોર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં

બાલાસિનોર-

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે APMC ખાતે બે દિવસ પહેલાં ફોર્મ ભરાયા હતા. ઉમેદવારોનો વહેલી સવારથી જ ફોર્મ લેવા અને જમા કરવા માટે ઘસારો જોવા મળ્યો હતો. ચુંટણી ને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 8 સપ્ટેમ્બર બુધવારના રોજ તેનું મતદાન યોજાશે. જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ મતગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની 16 બેઠકો માટે ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત શુક્રવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 27 ફોર્મ, વેપારી વર્ગની 4 બેઠકો માટે 5 અને ખરીદ વેચાણની 2 બેઠકો માટે 8 ફોર્મ આવ્યા હતા. બાલાસિનોર ખરીદ વેચાણ સંઘની કુલ 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા હતા. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું મતદાન 8મી સપ્ટેમ્બરના રોજ યોજાશે અને 9મી સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution