નવીદિલ્હી,તા.૩૦
દ્ગઁજીમાં બે પ્રકારની જાેગવાઈ છે. પહેલુ એકાઉન્ટ ટિયર-૧ અને બીજુ ટિયર-૨ એકાઉન્ટ છે. ટિયર-૧ને મુખ્ય રિટાયરમેન્ટ એકઉન્ટ કહેવામાં આવે છે. જેનાથી રિટાયરમેન્ટના પહેલા પણ અમુક શરતોની સાથે પોતાના જમા પૈસા ઉપાડી શકાય છે.
દ્ગઁજી લોકો માટે ખુશખબરી લઈને આવ્યું છે. રિટાયરમેન્ટ બાદ કોઈ આર્થિક અસુરક્ષા ન હોય અને જીવનને સુખદ અને સુલભ રીતે પસાર કરી શકાય તેના માટે લોકો રિટાયરમેન્ટ ફંડમાં પોતાના પૈસા રોકી શકે છે. પરંતુ જીવનમાં ક્યારેક ક્યારેક સ્થિતિ એવી થઈ જાય છે કે લોકોને પૈસાની જરૂર પડે છે અને રિટાયરમેન્ટ સેવિંગથી પૈસા ઉપાડવા જરૂરી થઈ જાય છે.
આવી સ્થિતિથી છુટકારો મેળવવા માટે નેશનલ પેન્શન સિસ્ટમ કંઈક નવી જાેગવાઈ લઈને આવ્યું છે જેના હેઠળ અમુક સરતોની સાથે પોતાના પૈસા ઉપાડી શકાય છે.દ્ગઁજીમાં બે પ્રકારની જાેગવાઈ છે. પહેલુ એકાઉન્ટ ટિયર-૧ અને બીજુ ટિયર-૨ એકાઉન્ટ છે. ટિયર-૧ને મુખ્ય રિટાયરમેન્ટ એકઉન્ટ કહેવામાં આવે છે. જેનાથી રિટાયરમેન્ટના પહેલા પણ અમુક શરતોની સાથે પોતાના જમા પૈસા ઉપાડી શકાય છે. તે પણ એકાઉન્ટથી ૨૫ ટકા સુધી જ ઉપાડી શકો છો. જાેકે યોગદાન પર મળેલુ વ્યાજ પણ ઉપાડી શકાતુ નથી.
તેના ઉપરાંત પણ અમુક એવી સ્થિતિ છે જ્યારે લોકો આ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. જેમ કે જાે કોઈ બીમારીની સારવાર કરવાની હોય. બાળકની શિક્ષા માટે પૈસાની જરૂર હોય લગ્ન માટે નવું વેન્ચર શરૂ કરવાનું હોય ત્યારે પણ પૈસાનો ઉપાડ કરી શકાય છે. જે ટાઈપ-૨ એકાઉન્ટ છે તેને વિડ્રોલના નિયંત્રણોથી દૂર રાખવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે બચત ખાતુ છે.
દ્ગઁજીથી જાે કોઈ ઈચ્છે તો ૬૦ વર્ષ પહેલા પણ સંપૂર્ણ રીતે બહાર થવાનો વિકલ્પ પસંદ કર શકે છે. પરંતુ તેના માટે ૫ વર્ષની રાહ જાેવી પડે છે. તેના પહેલા દ્ગઁજીથી બહાર નથી નિકળી શકાતુ. સાથે જ એક વખતમાં કુલ જમા રકમ ૨૦ ટકા જ ઉપાડી શકાય છે. પરંતુ બાકીના ૮૦ ટકા પૈસાનું રોકાણ ફરજીયાતથી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી એનુઅલ પ્લાન ખરીદવા માટે કરવો પડશે. જાેકે કુલ જમા રકમ જાે ૨.૫ લાખથી ઓછુ હશે તો આ પૈસા એક સાથે ઉપાડી શકાય છે.ઉંમર જ્યારે ૬૦ વર્ષ થઈ જાય ત્યારે દ્ગઁજીમાંથી એક વખતમાં ૬૦ ટકા પૈસા ઉપાડી શકાય છે. જેના પર કોઈ પણ ટેક્સ નથી આપવો પડતો. બાકીના ૪૦ ટકા જરૂરી રીતે એન્યુટીઝમાં ફેરવવાના રહેશે અને આ કુલ આવક પર લાગુ સ્લેબ રેટ પર ટેક્સ યોગ્ય હશે.
Loading ...