શ્રીલંકામાં  ગમખ્વાર અકસ્માત બસ ખાઈમાં પડતાં 14નાં મોત

  •  
  • કોલંબો

મધ્ય શ્રીલંકામાં એક ખાનગી બસને ગોઝારો અકસ્માત નડતાં તેમાં સવાર 14 લોકોનાં મોત થયા હતા જ્યારે અન્ય 30ને ઈજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ શનિવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી 240 કિ.મી.ના અંતરે આવેલા પર્વતીય વિસ્તાર એવા બાદુલ્લા જિલ્લામાં એક ખાનગી બસ ખાઈમાં ખાબકી હતી. બસ લુનુગાલાથી કોલંબો તરફ જઈ રહી હતી ત્યારે પાસરા શહેર નજીક અકસ્માત સર્જાયો હતો.

બસમાં 70થી વધુ મુસાફરો સવાર હોવાનું અનુમાન છે. પોલીસ પ્રવક્તાના મતે સીસીટીવી ફૂટેજની પ્રારંભિક તપાસ કરતા સાંકડા માર્ગ પર સામેથી આવી રહેલા એક ટ્રક સાથે ટક્કરને ખાળવા બસ ડ્રાઈવરે બસને સાઈડ પર કરતા તે નીચે ખાડામાં ખાબકી હતી જેને પગલે 14 લોકોનાં મોત થયા છે તેમજ 30 જેટલા લોક ઘાયલ થયા છે. અન્ય એક નિવેદન મુજબ બસ ચાલકની બેદરકારીને પગલે અકસ્માત થયો હોવાનું જણાયું છે. દુર્ઘટનામાં બસ ચાલકનું મોત થયું છે કે કેમ તે હજી સુધી જાણી શકાયું નથી. 2005 પછી શ્રીલંકામાં આ સૌથી ગોઝારો માર્ગ અકસ્માત રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution