; ટીમ ઈન્ડિયા આગામી ૨૬ જુલાઈથી શ્રીલંકામાં૩મેચની ટી ૨૦ સિરીઝ રમશે

નવીદિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા ૨૬ જુલાઈથી શ્રીલંકામાં ત્રણ મેચની ટી ૨૦ સિરીઝ રમશે. આ પછી, ૧ ઓગસ્ટથી બંને ટીમો વચ્ચે ૩ વનડે મેચોની શ્રેણી રમાશે. જાે કે, બંને બોર્ડે હજુ સુધી આ શ્રેણી માટે તેમની ટીમની જાહેરાત કરી નથી. આ પ્રવાસથી ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનું પદ સંભાળશે.

સનથ જયસૂર્યાને શ્રીલંકાના મુખ્ય કોચની જવાબદારી મળી છે. જ્યારે ભારત સામેની શ્રેણી પહેલા જ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડી દીધી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ૩ મેચની ટી ૨૦ સીરીઝની પ્રથમ મેચ ૨૬મી જુલાઈના રોજ પલ્લેકેલેમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે શરૂ થશે. આ પછી, બીજી ટી-૨૦ મેચ બીજા જ દિવસે એટલે કે ૨૭ જુલાઈએ પલ્લેકલેમાં રમાશે. ટી ૨૦ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ ૨૯ જુલાઈએ રમાશે. આ મેચ પણ પલ્લેકેલેમાં જ યોજાશે.

ટી-૨૦ શ્રેણી બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે ૧ ઓગસ્ટથી ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ ૧ ઓગસ્ટ, બીજી મેચ ૪ ઓગસ્ટ અને ત્રીજી અને છેલ્લી મેચ ૭ ઓગસ્ટના રોજ રમાશે. વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution