નવી દિલ્હી, સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે, લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધો પર ભારે હોબાળો થયો. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. વિદેશ મંત્રીએ પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ગલ્ફ દેશોમાંથી ભારતીયોના પાછા લાવવા અને તે બાબતની તૈયારીઓ વિશે વાત કરી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર ભાષણ આપ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, ૨૮ ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. ઘણા ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ છે. વાતચીત થવી જાેઈએ અને તણાવ ઓછો થવો જાેઈએ. અમે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ પ્રધાન એસ.જયશંકરના નિવેદનો સાંભળીને વિપક્ષના સાંસદો હોબાળો મચાવી રહ્યા હતા. જયશંકરે કહ્યું- મિડલ ઈસ્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે ગલ્ફ દેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઘણી એડવાઈઝરી જારી કરી છે. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે. અમે આ વિસ્તારોમાં રહેતા ભારતીય સમુદાયના તમામ સભ્યોને મદદ કરવા તૈયાર છીએ. ગલ્ફ દેશોમાં તમામ દૂતાવાસ એક્ટિવ છે. જયશંકરે કહ્યું- અમારા રાજદ્વારીઓ તેહરાન, યુએઈ, દુબઈ અને બહેરીનથી ભારતીયોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. અમે ભારતીયોને પાછા લાવવા માટે ઘણી કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવી છે. ૬૭,૦૦૦ ભારતીયો પહેલાથી જ પાછા ફર્યા છે. ગલ્ફ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જયશંકરે કહ્યું- પીએમ મોદીએ યુએઈ, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, જાેર્ડન, ઓમાન અને ઇઝરાયલના પીએમ સાથે વાત કરી છે. હું આ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ નિયમિત સંપર્કમાં છું. અમે અમારા રાજદ્વારી માધ્યમો દ્વારા પણ વાતચીત કરી રહ્યા છીએ. મેં ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. અમે ક્રૂડ ઓઈલ-ગેસના ભાવ પર નજર રાખી રહ્યા છીએ. વિદેશ મંત્રીના બોલતા જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો. વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે તેના ટ્રૂ પ્રોમિસ ૪ ઓપરેશનના પહેલા બે દિવસમાં ૬૫૦ થી વધુ અમેરિકી સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું હતું કે, ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ ગલ્ફ ક્ષેત્રમાં યુએસ બેઝ અને નૌકાદળની સંપત્તિઓને નિશાન બનાવી હતી. નૈનીના જણાવ્યા અનુસાર, બહેરીનમાં યુએસ નૌકાદળના પાંચમા ફ્લીટના મુખ્યાલય પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે એક હુમલામાં ૧૬૦ અમેરિકી જાનહાનિ થઈ હતી અને યુએસ નૌકાદળના લડાયક સહાયક જહાજને પણ ભારે નુકસાન થયું હતું. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ એમ પણ કહ્યું હતું કે ઈરાની નૌકાદળે ચાબહાર કિનારે ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર દૂર સ્થિત અબ્રાહમ લિંકન પર ચાર ક્રુઝ મિસાઈલો છોડી હતી, જેના કારણે વિમાનવાહક જહાજને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ દાવાઓની યુએસ દ્વારા સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે, પણ મોડું થઈ ગયું: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
મેરિકા-ઇઝરાયલ અને ઈરાન જંગનો આજે ચોથો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ હવે તેના માટે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા દાવો કર્યો કે ઈરાનની ડિફેન્સ સિસ્ટમ અને લીડરશિપ લગભગ ખતમ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનનું એર ડિફેન્સ, એર ફોર્સ અને નેવી તબાહ થઈ ચૂક્યા છે. જાેકે, આ પહેલા રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાની નેતાઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઈરાન સાથે વાત કરશે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાન સાથે વાતચીત કરશે. ક્રેમલિને મંગળવારે જણાવ્યું કે પુતિન ખાડી દેશોના નેતાઓની વધતી જતી ચિંતાઓને સીધી તેહરાન સુધી પહોંચાડશે. પુતિને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં પ્રાદેશિક સંઘર્ષના વિસ્તાર અને સંભવિત ગંભીર પરિણામો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પુતિન તણાવ ઓછો કરવા માટે તમામ શક્ય રાજદ્વારી પ્રયાસો કરશે. તાજેતરના હુમલાઓમાં સાઉદી રિફાઇનરી, ેંછઈનું ફુજૈરાહ એનર્જી સેન્ટર અને કતારની રસ લાફાન ન્દ્ગય્ સુવિધા પ્રભાવિત થઈ છે, જેના કારણે ગ્લોબલ એનર્જી માર્કેટ પર પણ અસર પડી છે.
કાશ્મીરમાં સૌથી વધુ પ્રદર્શનો, પોલીસે ટીયર ગેસ છોડ્યા
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ પર જમ્મુ-કાશ્મીરમાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. શ્રીનગરના બેમિના વિસ્તારમાં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યો હતો. કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શોપિયાં, બારામુલા, બાંદીપોરા જેવા વિસ્તારોમાં લોકોએ બજાર બંધ રાખ્યા હતા.
ઈરાન-અમેરિકા યુદ્ધમાં દીવના યુવકનું મોત
ઓમાનના દરિયાઈ વિસ્તારમાં એક ઓઇલ ટેન્કર પર થયેલા ભીષણ મિસાઇલ હુમલામાં દીવના ૨૫ વર્ષીય યુવાન દીક્ષિત અમરીક સોલંકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિસાઈલ એટેક થયો તે સમયે દીક્ષિત સોલંકી જહાજના એન્જિન રૂમમાં રીડિંગ લઈ રહ્યો હતો. ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં એમટી સ્કાય લાઈટ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ ૨૧ ક્રૂ મેમ્બરો સવાર હતા, જેમાં ૧૬ ભારતીય, ૪ બાંગ્લાદેશી અને ૧ યુક્રેની નાગરિકનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી, ઇઝરાયલ-ઈરાન જંગનો આજે ચોથો દિવસ છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ બાદ ભારતીયો પરત ફરી રહ્યા છે. દુબઈ અને અબુધાબીથી મંગળવાર સાંજ સુધીમાં સાત ફ્લાઇટથી ૨૧૦૦થી વધુ ભારતીયો પરત ફર્યા છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ બે દિવસમાં ભારતીયોની સુરક્ષાને લઈને ૮ ખાડી દેશોના નેતાઓ સાથે વાત કરી છે. પીએમે આજે ઓમાનના સુલતાન, કતારના અમીર અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાત કરી ત્યાં થયેલા હુમલાની નિંદા કરી હતી.એરસ્પેસ બંધ થવાને કારણે મંગળવારે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર ૨૫૦ થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં દિલ્હીથી ૮૦, મુંબઈથી ૧૦૭, બેંગલુરુથી ૪૨ અને ચેન્નઈથી ૩૦ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
ઇન્ડિગો આજે જેદ્દાહથી હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને અમદાવાદ માટે ૧૦ સ્પેશિયલ ફ્લાઇટ્સ પણ ચલાવી રહ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મસ્કત માટે ફ્લાઇટ્સ શરૂ કરી છે. વધુમાં, સોમવારે મોડી રાત્રે યુએઈથી ચાર ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ આવી. અબુ ધાબીમાં ફસાયેલા ભારતીયોએ ઘરે પરત ફરતા રાહતનો શ્વાસ લીધો. એક મુસાફરે જણાવ્યું કે અબુ ધાબીમાં તેમની હોટલ નજીક વિસ્ફોટ થયા હતા.દરમિયાન, એર ઇન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ આર્થિક વિકાસને ટકાઉ અને મજબૂત બનાવવો વિષય પર વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું. આ દરમિયાન, તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં, ભારતનું મજબૂત અર્થતંત્ર વિશ્વ માટે આશાનું કિરણ છે. વડાપ્રધાનએ કહ્યું કે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઇનનું પુનર્ગઠન થઈ રહ્યું છે, ત્યારે ભારતની ઝડપી આર્થિક પ્રગતિ વિકસિત ભારતના લક્ષ્ય માટે મજબૂત પાયો છે. તેમણે સ્પષ્ટતા કરી કે દેશની દિશા અને સંકલ્પ બંને સ્પષ્ટ છે. સંબોધનમાં, મોદીએ વધુ ઉત્પાદન, વધુ ઉત્પાદન, વધુ કનેક્ટિવિટી અને વધુ નિકાસની વ્યૂહરચના અપનાવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે દેશના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને એમએસએમઇ , એકબીજા સાથે ઊંડાણપૂર્વક જાેડાયેલા છે. મજબૂત ઉત્પાદન માળખાગત સુવિધા આ તમામ ક્ષેત્રોમાં નવી તકો ઉભી કરે છે. વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર બોલતા, પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસમાં મોટા રોકાણો અને વૈશ્વિક ધોરણો અનુસાર ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતે ઘણા દેશો સાથે મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી તકોની વિશાળ શ્રેણી ખુલી છે. , ઉત્પાદનની ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જાેઈએ. પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે જાે મહત્તમ ઊર્જા, બુદ્ધિમત્તા અને સંસાધનો એક ક્ષેત્ર પર કેન્દ્રિત કરવા હોય, તો તે ગુણવત્તા હોવી જાેઈએ.
Loading ...
