દિલ્હી હાઈકોર્ટે ભાડુઆતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા મકાન માલિકોની મનમાની પર મોટી રોક લગાવી છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, મકાન ખાલી કરતી વખતે ભાડુઆત દ્વારા જમા કરાવવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝિટમાંથી દીવાલોના કલરકામ, વ્હાઈટવોશ કે સામાન્ય તૂટ-ફૂટના નામે મકાન માલિક બેફામ પૈસા કાપી શકશે નહીં. કોર્ટે નોંધ્યું છે કે, ડિપોઝિટમાંથી કપાત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે મકાનને થયેલું નુકસાન ગંભીર પ્રકૃતિનું હોય અથવા તે જાણીજાેઈને કરવામાં આવ્યું હોય.
કોર્ટે કાયદાકીય જાેગવાઈઓને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ભાડુઆત પાસેથી માત્ર એવા જ નુકસાનનું વળતર વસૂલ કરી શકાય છે, જે મકાનના સામાન્ય વપરાશ કરતાં વધુ હોય. મકાન માલિકે કોર્ટમાં એ સાબિત કરવું પડશે કે નુકસાન ખરેખર ભાડુઆતની બેદરકારીના કારણે જ થયું છે. આ ઉપરાંત, રિપેરિંગ પાછળ થયેલો ખર્ચ વાજબી અને જરૂરી હતો તે પણ રસીદો અને બિલો દ્વારા દર્શાવવું પડશે. કોઈપણ પ્રકારના નક્કર પુરાવા વિના સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનસ્વી રીતે કપાત કરી શકાશે નહીં.
આ ઐતિહાસિક ચુકાદો તાજેતરમાં મેસર્સ રિટસ હેરિટેજ અને અન્ય વિરુદ્ધ સંગીતા ગુપ્તા ના કેસમાં આપવામાં આવ્યો છે. આ કેસમાં મકાન માલિકે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ભાડુઆત મકાન ખાલી કરીને ગયા બાદ, મકાનને થયેલા ગંભીર નુકસાનના રિપેરિંગ પાછળ ૭ લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરવો પડ્યો હતો. માલિકના દાવા મુજબ, આ રકમમાંથી ૪.૫ લાખ રૂપિયા માત્ર ભાડે આપવામાં આવેલા બીજા અને ત્રીજા માળના રિનોવેશન માટે વપરાયા હતા. પોતાના દાવાને સમર્થન આપવા માટે માલિકે બિલ, ઇન્વોઇસ અને મકાન ખાલી થયા પછીના ફોટોગ્રાફ્સ અદાલતમાં રજૂ કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે રજૂ કરવામાં આવેલા તમામ પુરાવાઓ અને ફોટોગ્રાફ્સની બારીકાઈથી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોર્ટે નોંધ્યું કે મકાનમાંથી વીજળીના કેટલાક ફિટિંગ્સ હટાવી લેવામાં આવ્યા હતા અને મિલકતને એવું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેને સામાન્ય વપરાશનો ભાગ માની શકાય નહીં. આ આધારે કોર્ટે સ્વીકાર્યું કે જાે ભાડુઆતની બેદરકારીથી મકાનને આંતરિક કે બાહ્ય રીતે સામાન્ય કરતાં વધુ નુકસાન થાય, તો માલિક તેની પાસેથી વળતર વસૂલવા હકદાર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૫ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૩ નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો ૧ જુલાઈ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે. કંપનીનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ ઓછો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવી છે. મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરી ખુલવાના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજી નો વૈશ્વિક પુરવઠો સામાન્ય બન્યો છે, જેના લીધે તેલના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. નાયરા એનર્જીએ આ ભાવઘટાડો દેશભરમાં આવેલા તેના ૭૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ પર લાગુ કરી દીધો છે.
હોર્મુઝ શાંત થતાં વાણિજ્યિક સિલિન્ડરના ભાવમાં સીધો રૂપિયા ૧૮૩નો ઘટાડો
મહિનાના પહેલા જ દિવસે દેશવાસીઓને મોટી ખુશખબર આવી છે. સરકારે ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૮૩.૫૦ રૂપિયા ઘટાડ્યો છે. આ ઘટાડા પછી હવે તેનો ભાવ રૂ.૨૯૩૦ થઈ ગયો છે જે પહેલા રૂ.૩,૧૧૩.૫૦ હતો. ૧૪.૨ કિલોવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આ વર્ષે પહેલીવાર કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જાન્યુઆરી ૨૦૨૬માં દિલ્હીમાં તેનો ભાવ ૧૬૯૧.૫૦ રૂપિયા હતો, જે જૂનમાં વધીને લગભગ બમણો થઈ ગયો. માર્ચ ૨૦૨૬માં બે વાર તેના ભાવ વધ્યા. ૧ માર્ચે કોમર્શિયલ સિલિન્ડર ૨૮ રૂપિયા તો ૭ માર્ચે ૧૧૪.૫૦ રૂપિયા મોંઘો થઈ ગયો. મે મહિનામાં તેના ભાવમાં ૯૯૩ રૂપિયાનો મોટો વધારો થયો અને દિલ્હીમાં કિમત સીધી ૩૦૭૧.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ. ૧ જૂને તે ૪૨ રૂપિયા મોંઘો થઈ ગયો. ૧ જુલાઈના રોજ મોટી રાહત મળી, લાંબી રાહ જાેયા પછી, સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. ૧ જુલાઈની વહેલી સવારે, તેલ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં રૂ.૧૮૩.૫૦નો ઘટાડો કરીને જનતાને રાહત આપી.
૫ કિલોગ્રામના LPG સિલિન્ડર પણ સસ્તા થયા
પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. તેની અસર હવે ભારતમાં પણ જાેવા મળી રહી છે. જુલાઈના પહેલા દિવસે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારી માલિકીની તેલ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ૫ કિલોગ્રામના નાના સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે.
ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગાહીમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ ૯૨ ટકા વરસાદની આગાહી હતી, જે હવે ઘટાડીને લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૯૦ ટકા કરવામાં આવતા દેશમાં ચિતા ફેલાઈ છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા દેશના લાખો ખેડૂતો અને અર્થતંત્ર માટે અત્યંત ચિતાજનક સમાચાર આપવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ - એટલે કે નૈઋત્યના ચોમાસા માટે અગાઉ કરવામાં આવેલી ૯૨ ટકાની આગાહીને ઘટાડીને હવે લોંગ પિરિયડ એવરેજ (એલપીએ) ના ૯૦ ટકા કરી દેવામાં આવી છે. આ બે ટકાનો ઘટાડો સીધી રીતે સૂચવે છે કે આ વર્ષે ચોમાસું દેશમાં સામાન્ય કરતાં વધુ નબળું રહેશે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ હવામાન એજન્સીઓના આંકડાઓ અને વૈશ્વિક અહેવાલો પણ આ જ ખતરા તરફ ઈશારો કરી રહ્યા છે. ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી અલ નીનોની પ્રતિકૂળ અસર અને તાપમાનમાં થઈ રહેલા સતત ફેરફારોને કારણે વરસાદની સાયકલ ખોરવાઈ છે. ભારતની અડધાથી વધુ ખેતી સંપૂર્ણપણે વરસાદ પર ર્નિભર હોવાથી, આ આગાહી ગ્રામીણ અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. ૯૦ ટકા વરસાદનો સીધો અર્થ એ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત સહિતના અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી ભયાવહ સ્થિતિ નિર્માણ પામી શકે છે.
નદીઓ અને ડેમોમાં પાણીની આવક ઘટવાથી પીવાના પાણીની પારાવાર અછત ઊભી થવાની ભીતિ છે. વરસાદ ખેંચાવાને કારણે ખરીફ પાકોના વાવેતર અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે. તેની સીધી અને ગંભીર અસર બજારમાં અનાજ, કઠોળ, તેલીબિયાં અને રોજિદા શાકભાજીના ભાવો પર પડશે, જેનાથી મોંઘવારીનો ગ્રાફ નવી ટોચ પર પહોંચી શકે છે.
આર્થિક વિકાસ દર જાળવી રાખવા માટે સરકાર અને રિઝર્વ બેંક માટે આ એક મોટો પડકાર બની રહેશે. હાલમાં હવામાન વિભાગ સક્રિય રીતે પવનની દિશા અને અન્ય પરિબળો પર નજર રાખી રહ્યું છે અને આગામી દિવસોમાં કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે ખાસ
માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
મુંબઈના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે અંધેરી સબવે સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. પરિસ્થિતિને કારણે અધિકારીઓને અનેક સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અંધેરી સબવે અને શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવ્યો હતો.
વરસાદ છતાં,બેસ્ટ બસ સેવાઓ સામાન્ય રીતે કાર્યરત હતી. જાેકે, મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વે પર ઉપનગરીય લોકલ ટ્રેન સેવાઓ થોડી મોડી ચાલી હતી, જેના કારણે મુસાફરોને અગવડતા પડી હતી.
નવી મુંબઈને મુંબઈ સાથે જાેડતી હાર્બર લાઇન પર સ્થાનિક ટ્રેન સેવાઓ સવારે ૪:૫૨ થી ૫:૪૫ વાગ્યા સુધી તૂટેલા ઓવરહેડ વાયરને કારણે પ્રભાવિત થઈ હતી. આના કારણે ઘણી સેવાઓમાં વિલંબ થયો હતો. પૂર્વીય ઉપનગરોમાં સરેરાશ ૧૦૯ મીમી, પશ્ચિમી ઉપનગરોમાં ૮૭ મીમી અને ટાપુ શહેર વિસ્તારમાં ૮૬ મીમી વરસાદ નોંધાયો હતો.
કર્ણાટકના બેંગલુરુ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને માણસાઈને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. અહીં એક જાણીતી કંપનીના કેમ્પસમાં આવેલા શિશુ ગૃહ એટલે કે ડે-કેર સેન્ટરમાં માસૂમ બાળકો પર ક્રૂર અત્યાચાર ગુજારાતો હોવાનો ખુલાસો થયો છે. અહીં બાળકોને સજાના ભાગરૂપે વૉશિંગ મશીનમાં પૂરીને ચાલુ કરવાની તેમજ બાથરૂમમાં બંધ કરી દેવા જેવી અમાનવીય હરકતો કરાતી હતી. આ મામલે પોલીસે ડે-કેરના ૫ આયાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
આ ઘટના બેંગલુરુના એક અગ્રણીઆ પાર્ક સ્થિત ડે-કેર સેન્ટરમાં બની છે, જ્યાં નોકરી કરતા દંપતીઓ પોતાના નાના બાળકોને મૂકીને જતા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શિશુ ગૃહનો સ્ટાફ રડતા કે તોફાન કરતા માસૂમ બાળકોને ચૂપ રાખવા માટે અત્યંત ભયાનક રીત અપનાવતો હતો. બાળકોને ડરાવવા માટે તેમને બંધ વૉશિંગ મશીનની અંદર મૂકીને ચાલુ કરાતું હતું. એટલું જ નહીં, ઘણીવાર તેમને અંધારા બાથરૂમમાં કલાકો સુધી પૂરી રખાતા હતા.કેટલાક બાળકોના વર્તનમાં અચાનક આવેલા ફેરફાર અને તેમના શરીર પરના ઈજાના નિશાનો જાેઈને વાલીઓને શંકા ગઈ હતી. જ્યારે વાલીઓએ ડે-કેર મેનેજમેન્ટ પાસે સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી.
Loading ...
