આઈપીએલ ૨૦૨૬માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો રમાયો હતો, જેમાં અભિષેક શર્માએ માત્ર ૪૭ બોલમાં સદી ફટકારી દીધી. તેના બેટથી ૧૦ છગ્ગા અને ૧૦ ચોગ્ગા નીકળ્યા. અભિષેકે દિલ્હીના દરેક બોલરની જબરદસ્ત ધોલાઈ કરી. આ સાથે જ અભિષેકે ટી૨૦ સદીઓના મામલે કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ૨૫ બોલમાં ફિફ્ટી અને ૪૭ બોલમાં સદી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ માટે ઇનિંગની શરૂઆત ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ કરી હતી. બંનેએ તોફાની અંદાજમાં ઇનિંગની શરૂઆત કરી. પાવરપ્લે એટલે કે ૬ ઓવર પછી હૈદરાબાદનો સ્કોર ૬૭-૦ હતો. ૯મી ઓવરમાં અભિષેક શર્માએ માત્ર ૨૫ બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી. પરંતુ આ જ ઓવરમાં હૈદરાબાદને પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે હેડ ૩૭ રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો. પરંતુ ત્યારબાદ અભિષેક શર્મા રોકાયો નહીં. તેણે માત્ર ૪૭ બોલમાં જ સદી ફટકારી દીધી. પોતાની સદીની ઇનિંગ દરમિયાન અભિષેકે ૧૦ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતાં.
સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી અને ધાર્મિક ભેદભાવ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. કોર્ટે પૂછ્યું, ‘મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે હોઈ શકે?’ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, શું બંધારણ તે ભક્તની મદદ માટે આગળ નહીં આવે, જેને ફક્ત તેના વંશ અને જન્મના કારણે દેવતાને સ્પર્શ કરવાથી રોકવામાં આવે છે? આ બાબતે સબરીમાલાના વકીલ એડવોકેટ વી. ગિરીએ કહ્યું કે કોઈપણ મંદિરમાં થતા રીતિ-રિવાજાે તે ધર્મનો અભિન્ન અંગ હોય છે. પૂજા દેવતાની લાક્ષણિકતાઓની વિરુદ્ધ ન હોઈ શકે. ભગવાન અયપ્પા ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ છે, તેથી ત્યાંની પરંપરાઓ તે મુજબ નક્કી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં ૯ જજાેની બંધારણીય બેન્ચ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી સાથે જાેડાયેલા મામલા પર સુનાવણી કરી રહી છે. આની સાથે ધાર્મિક આસ્થાના ૬૬ મામલા પણ જાેડાયેલા છે. ર્નિણય આવતીકાલે આવવાની સંભાવના છે. કેરળ હાઈકોર્ટે ૧૯૯૧માં સબરીમાલામાં માસિક ધર્મવાળી મહિલાઓ (૧૦-૫૦ વર્ષ)ની એન્ટ્રી પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં પ્રતિબંધ હટાવી દીધો. ર્નિણય વિરુદ્ધ ઘણી પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર હવે સુનાવણી થઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે રાજ્યમાં સુરક્ષાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલર (બાઈક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર, પ્રથમ તબક્કાની તમામ ૧૫૨ વિધાનસભા બેઠકો પર રાત્રે ૬થી સવારના ૬ વાગ્યા સુધી બાઈક કે સ્કૂટર ચલાવવા પર મનાઈ ફરમાવાઇ છે. આ નિયમ મંગળવારથી જ અમલી બની ગયો છે અને ૨૩ એપ્રિલ (મતદાનના દિવસ) સુધી ચાલુ રહેશે.
ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અથવા મતદારોને ડરાવવા બાઈકનો ઉપયોગ ન થાય તે હેતુથી બાઈક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, ભાજપ - ટીએમસી વચ્ચે ખરાખરીનો જંગ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેના જાેરશોરથી ચાલી રહેલા પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થયા છે. પ્રથમ તબક્કામાં રાજ્યની મહત્વની બેઠકો પર મતદાન થવાનું છે, જેના માટે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપાએ એડીચોટીનું જાેર લગાવ્યું છે. મતદાનના ૪૮ કલાક પૂર્વે નિયમ મુજબ જાહેર પ્રચાર અટકાવી દેવાયો છે. હવે ઉમેદવારો માત્ર ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે) પ્રચાર કરી શકશે. પ્રથમ તબક્કામાં જંગલમહાલ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન યોજાવાનું છે.
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી લગભગ ૯૫ કિમી દૂર પહેલગામથી આગળ ૬ કિમી ચઢાણ પછી આવેલી છે બૈસરન ઘાટી, જ્યાં ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ ૨૬ લોકોને આતંકવાદી ઓએ ગોળીઓથી મારી નાખ્યાં હતા. આવતીકાલે તે આતંકવાદી હુમલાની પ્રથમ વરસી છે. આ પહેલા કાશ્મીરભરના ટુરિસ્ટ સ્પોટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સુરક્ષા એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પહેલગામ હુમલાની વરસી પર ટુરિસ્ટ સ્પોટ્સની આસપાસ, કોઈપણ સંભવિત આતંકવાદી હુમલાને લઈને સતર્ક રહે.
અહીં ભારતીય સેનાએ પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરી છે, જેમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકોને ચેતવણી આપી છે. પોસ્ટ સાથે જારી કરાયેલી તસવીરમાં સિંદૂર અને ભારતનો નકશો બતાવવામાં આવ્યો છે, જેની થીમ ઓપરેશન સિંદૂર સાથે જાેડાયેલી છે.ભારત કંઈ ભૂલ્યું નથી. જ્યારે માણસાઈની હદો પાર કરવામાં આવે છે, ત્યારે જડબાતોડ જવાબ આપવામાં આવે છે. ન્યાય થઈ ચૂક્યો છે. ભારત એકજૂટ છે. કેટલીક હદો ક્યારેય ઓળંગવી ન જાેઈએ.
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ ૬-૭ મે, ૨૦૨૫ના રોજ મોડી રાત્રે ૧:૦૫ વાગ્યે પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કર્યા. માત્ર ૨૫ મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં સાત શહેરોમાં નવ આતંકવાદી ઠેકાણાઓને ઉડાવી દેવામાં આવ્યા હતા. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. પ્રવાસીઓ પહેલા કરતા ૩૦-૪૦% સુધી ઘટી ગયા છે. સ્થાનિક લોકોમાં આ વાત પર ગુસ્સો છે કે ઘાટીને કેમ ખોલવામાં આવી રહી નથી. આખરે તેમનો શું વાંક છે, જે આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે તેની અસર દુનિયાના ખિસ્સા પર પડી રહી છે. ઇસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં અને હોર્મુઝની ખાડીમાં તણાવ વધતા ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આ સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે એશિયાના આર્થિક એન્જિન ગણાતા ચીન અને ભારત માટે ચિંતાજનક અનુમાન જાહેર કર્યા છે.
ચીન જે વિશ્વનું સૌથી મોટું તેલ આયાતકાર છે, તેના માટે UNનો રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે. વર્ષ ૨૦૨૫ માં ચીનનો ગ્રોથ રેટ ૫% રહ્યો હતો, જે આ વર્ષે ઘટીને ૪.૩% થી ૪.૬% ની વચ્ચે રહેવાની શક્યતા છે. આ ઉપરાંત સપ્લાય ચેઈન ખોરવાઈ છે. વેનેઝુએલા પર ટ્રમ્પના અંકુશ બાદ હવે ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠામાં જે અવરોધ આવ્યો છે, તેની સૌથી સીધી અને નકારાત્મક અસર ચીન પર પડી છે.UNએ માત્ર ચીન જ નહીં, પણ ભારતની વિકાસની રફ્તાર પર પણ બ્રેક વાગવાની આશંકા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ૭% થી વધુની ઝડપે દોડતું ભારતનું અર્થતંત્ર આ વર્ષે ૬% ની આસપાસ સીમિત રહે તેવી શક્યતા છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ, ગેસોલિન અને ફર્ટિલાઈઝરના ભાવમાં થયેલો વધારો ભારત જેવા કૃષિપ્રધાન અને ઉર્જા ર્નિભર દેશ માટે મોટો પડકાર છે. એશિયા-પેસિફિક વિસ્તાર વૈશ્વિક વિકાસનું એન્જિન છે. જાે આ એન્જિનની ગતિ ધીમી પડશે, તો તેની અસર આખી દુનિયા પર જાેવા મળશે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ પણ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૬ માં આ પ્રદેશનો ગ્રોથ રેટ ૫.૧% રહેશે, જે અગાઉના ૫.૪% કરતા ઓછો છે.
હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારત અને રશિયાનો મોટો ખેલ
ભારત સરકારે રશિયાથી ઓઇલ લાવતા જહાજાે માટે વીમો આપતી રશિયન કંપનીઓની સંખ્યા વધારવાનો ર્નિણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અગાઉ ૮ કંપનીઓને મંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને ૧૧ કરી દેવાઈ છે. ભારતનો આ ર્નિણય દેશની ઊર્જા સુરક્ષા માટે એક મજબૂત ‘સુરક્ષા કવચ‘ સમાન માનવામાં આવે છે. કંપનીઓ જહાજાેને ખાસ પ્રકારનો વીમો પૂરો પાડે છે, જેને P&I કવરકહેવામાં આવે છે. આ વીમા વગર કોઈપણ જહાજ આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં કાર્ય કરી શકતું નથી
અમેરિકા-ઈરાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળથી દુનિયામાં ફફડાટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘દબાણની કૂટનીતિ’ અને ઈરાનની લાંબુ ખેંચવાની ‘લોન્ગ ગેમ‘ વ્યૂહનીતિ સામસામે આવી ગઈ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન તરત જ શરણાગતિ સ્વીકારે અને મોટા ર્નિણયો લે, જ્યારે ઈરાની નેતૃત્વ આ પ્રક્રિયાને સમય આપીને ધીમી પાડવા માંગે છે. આ ખેંચતાણ વચ્ચે બંને દેશોમાં અવિશ્વાસ એટલો ઊંડો છે કે ઈરાન હવે અમેરિકા સાથેના કોઈપણ કરારને વ્યર્થ માની રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપી છે કે જાે ઈરાન સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા તેના દરેક પાવર પ્લાન્ટ અને પુલને નષ્ટ કરી દેશે.
Loading ...
