પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે અમેરિકાની જાણીતી લો-કોસ્ટ એરલાઈન ‘સ્પિરિટ એરલાઈન્સ’ આર્થિક રીતે ભાંગી પડી છે. બે દાયકામાં આર્થિક તંગીને કારણે કામગીરી સમેટી લેનારી આ અમેરિકાની પ્રથમ મોટી વિમાન કંપની બની છે.યુદ્ધની શરૂઆત પહેલા જેટ ફ્યુઅલના ભાવ પ્રતિ ગેલન ૨.૨૪ ડોલર હતા, જે યુદ્ધના કારણે સર્જાયેલી સપ્લાય ચેઈન વિક્ષેપને પગલે વધીને ૪.૫૧ ડોલર સુધી પહોંચી ગયા છે.
અન્ય ઍરલાઈન્સ પણ લાઇનમાં
આર્થિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જાે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો નહીં થાય તો આવનારા સમયમાં અન્ય એરલાઈન્સ પણ આ પ્રકારની નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના સશસ્ત્ર દળોએ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે છે. ઈરાનનો આરોપ છે કે, વોશિંગ્ટન કોઈપણ કરાર કે સંધિઓનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ઈરાનના સૈન્ય મુખ્યાલયના ડેપ્યુટી મોહમ્મદ જાફર અસદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકી અધિકારીઓના હાલના ર્નિણયો પરથી સાબિત થાય છે કે, તેઓ રાજદ્વારી સમજૂતીઓ પ્રત્યે ગંભીર નથી. અસદીએ અમેરિકા પર આક્ષેપ કરતા કહ્યું કે, “અમેરિકાના નિવેદનો માત્ર મીડિયા દ્વારા સંચાલિત છે. તેમનો હેતુ તેલના ભાવ ઘટતા અટકાવવાનો અને પોતે ઉભી કરેલી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો છે. અમારી સેના કોઈપણ નવી મૂર્ખામીનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા વાટાઘાટો માટે મોકલવામાં આવેલ નવો પ્રસ્તાવ ફગાવી દીધો છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓ કરાર કરવા માંગે છે, પરંતુ તેઓ એવી છૂટછાટો માંગી રહ્યા છે જે મને મંજૂર નથી. હું આ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી.” ટ્રમ્પે ઈરાની નેતૃત્વ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, ત્યાંનું નેતૃત્વ વિખેરાયેલું છે અને બે-ત્રણ જૂથોમાં વહેંચાયેલું છે.
એક જાહેર કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષનું કારણ સ્પષ્ટ કરતા કહ્યું કે, “આપણે પાગલ લોકોના હાથમાં પરમાણુ હથિયારો ન જવા દઈ શકીએ. આપણે આ યુદ્ધમાં એટલા માટે છીએ કારણ કે પરમાણુ સુરક્ષા સર્વોપરી છે.”
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ એક તરફ યુદ્ધ સમાપ્ત થયાનો દાવો કરે છે, તો બીજી તરફ ક્રૂડ અને પરમાણુ સુરક્ષાના નામે સૈન્ય ગતિવિધિઓ ચાલુ રાખવાની વાત કરે છે. ‘વોર પાવર્સ રિઝોલ્યુશન’ (જે મુજબ ૬૦ દિવસમાં સંસદની મંજૂરી લેવી પડે છે) ને ટ્રમ્પે ગેરબંધારણીય ગણાવ્યું છે. આ દરમિયાન અમેરિકી સેનેટમાં યુદ્ધ રોકવાના ડેમોક્રેટ્સના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.
અમેરિકાએ જર્મનીમાંથી લગભગ ૫,૦૦૦ સૈનિકો હટાવવાનો ર્નિણય કર્યો છે. અમેરિકી રક્ષા મંત્રાલય મુજબ, આ પ્રક્રિયા આગામી ૬ થી ૧૨ મહિનામાં પૂરી થશે. આ પગલું સીધા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચેની શાબ્દિક ટપાટપી પછી સામે આવ્યું છે. મર્ઝે ગયા મહિને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમેરિકા પાસે કોઈ સારું પ્લાનિંગ નથી. તેને ખબર જ નથી કે તે આ યુદ્ધમાંથી કેવી રીતે બહાર નીકળશે. તેમણે કહ્યું કે ઈરાન વાતચીતને ટાળવામાં માહેર છે અને અમેરિકાને કોઈ પરિણામ વિના ઈસ્લામાબાદ સુધી આવ-જા કરવી પડી. આનાથી અમેરિકાને ઈરાન સામે અપમાનિત થવું પડ્યું. આનાથી ટ્રમ્પ નારાજ થઈ ગયા હતા. તેમણે મર્ઝ વિશે કહ્યું કે તેઓ ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે. તેમને લાગે છે કે ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવા એ સારી વાત છે. તેમને વાસ્તવિકતાની સમજ નથી.
આમ આદમી પાર્ટી ના પૂર્વ નેતા અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓ વધતી જાેવા મળી રહી છે. તેમની સામે પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં FIR નોંધાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, બંને FIR બિનજામીનપાત્ર કલમો હેઠળ નોંધાઈ છે, જેથી કાયદાકીય પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને FIR અલગ-અલગ ઘટનાઓ સાથે જાેડાયેલી છે. જાેકે, આરોપોની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પંજાબ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જાે જરૂરી લાગે તો ધરપકડ પણ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ પોલીસની એક ટીમ દિલ્હી ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને પહોંચી હતી, પરંતુ આ સમયે સંદીપ પાઠક ઘરે હાજર નહોતા. એવામાં તેમની શોધખોળ ચાલી રહી છે અને કોઈપણ સમયે તેમની ધરપકડ પણ થઈ શકે છે. આ ઘટનાથી રાજકીય માહોલ ગરમાયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, સંદીપ પાઠક સહિત ૬ સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણનામાં કેન્દ્રીય અને પીએસયુ કર્મચારીઓને સુપરવાઇઝર બનાવવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાલ કોઈ અલગ આદેશ દેવાનો ઇનકાર કરી દીધો છે અને ચૂંટણી પંચના આશ્વાસનને રેકોર્ડમાં લેતા આ મામલાનું નિરાકરણ કર્યું છે.
આ અરજી કલકત્તા હાઈકોર્ટના તે આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી, જેમાં AITC ની અપીલ નકારી દેવામાં આવી હતી. પાર્ટીએ મતગણતરીમાં માત્ર કેન્દ્રીય અને પીએસયુ કર્મચારીઓને સુપરવાઇઝર બનાવવાના ર્નિણયને પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચમાં જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જાેયમાલ્સ બાગચીએ મામલાની સુનાવણી કરી હતી. AITC તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પોતાનો પક્ષ રાખ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું- ૧૩ એપ્રિલનો સર્કુલર છે, પરંતુ અમને ૨૯એ તેની જાણકારી મળી. ચોંકાવનારી વાત છે કે ચૂંટણી પંચને દરેક સીટ પર ગડબડીની આશંકા છે. પંચ આ રીતે મનમાની ન કરી શકે. સિબ્બલે કોર્ટમાં સર્કુલર પણ વાંચીને સંભળાવ્યો હતો. જસ્ટિસ પી.એસ. નરસિમ્હાએ કહ્યુ કે ચૂંટણી પંચનું ડ્યુટી પર લાગેલા દરેક કર્મચારી પર નિયંત્રણ હોય છે, તેવામાં તે ફર્ક પડતો નથી કે તે કેન્દ્રના છે કે રાજ્યના. જસ્ટિસ જાેયમાલ્ય બાગચીએ કહ્યુ કે દરેક કાઉન્ટિંગ સેન્ટરમાં પાર્ટીના એજન્ટ પણ હાજર રહેશે. જસ્ટિસ બાગચીએ કહ્યુ કે ચૂંટણી પંચને તે અધિકાર છે કે તે કેન્દ્ર કે રાજ્યના અધિકારીઓમાંથી કાઉન્ટિંગ સુપરવાઇઝ અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટ પસંદ કર્યાં, તે માટે પંચને ખોટું ઠેરવી શકાય નહીં. તેમણે તે પણ કહ્યું કે સર્કુલરમાં તે નથી લખ્યું કે માત્ર કેન્દ્રના કર્મચારી હશે, પરંતુ જાે તેવું લખેલું હોય તો તેને ખોટું ન કહી શકાય.
જસ્ટિસ જાેયમાલ્ય બાગચીએ કહ્યું કે કોઈ કાઉન્ટિંગ અધિકારીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ગણાવતા વધુ ફર્ક પડતો નથી, કારણ કે આ ર્નિણય ચૂંટણી પંચની સંતુષ્ટિ પર આધારિત હોય છે. તેમણે તે પણ કહ્યું કે મતગણના દરમિયાન પાર્ટી દ્વારા નિમણૂંક એજન્ટ પણ હાજર રહે છે. કોર્ટે કહ્યું કે વર્તમાન વ્યવસ્થામાં એક માઇક્રો-ઓબ્ઝર્વર હોય છે, જે કેન્દ્ર સરકારનો અધિકારી હોય છે, આ સિવાય કાઉન્ટિંગ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ પણ રહે છે.
Loading ...
