વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસ, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને લઈને અનેક મહત્વના ર્નિણયો લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે કુલ રૂ. ૧ લાખ ૭૪ હજાર ૨૦૭ કરોડના ૫ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. સરકારે આગામી ખરીફ પાક માટે ડ્ઢછઁ અને દ્ગદ્ભઁજી જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો ર્નિણય લીધો છે. આ માટે રૂ.૪૧,૫૩૪ કરોડ ખર્ચાશે. ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે દુનિયામાં ભલે કિંમતોમાં વધઘટ થાય, પરંતુ ભારતમાં ખેડૂતોને ડ્ઢછઁની બોરી પહેલાની જેમ જ માત્ર રૂ.૧૩૫૦માં મળતી રહેશે. ખર્ચનો વધારાનો બોજ સરકાર પોતે ઉઠાવશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સરકારે ૐઁઝ્રન્ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ૭૯,૪૫૯ કરોડ રૂપિયાનું મોટું ભંડોળ મંજૂર કર્યું છે.
ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી(એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ ન્યટ્રલ રાખવાનો મહત્ત્વનો ર્નિણય લીધો છે. આનો અર્થ એ છે કે તમારી હોમ લોન અથવા કાર લોન ઇએમઆઇ યથાવત રહેશે, ન તો વધશે કે ન તો ઘટશે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા ર્નિણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ વેઇટ ઍન્ડ વોચ(થોભો અને રાહ જુઓ)ની નીતિ અપનાવી છે.
વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજનૈતિક તણાવ અને ઊર્જા પુરવઠા શૃંખલામાં આવી રહેલા અવરોધો વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે. આંતર-મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ઊર્જા સંસાધનોની કોઈ અછત નથી. એક તરફ જ્યાં કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો સુચારુ રીતે ચાલી રહ્યો છે, તો બીજી તરફ વિદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે. સરકારનું આ સત્તાવાર નિવેદન અર્થતંત્ર અને બજાર માટે સકારાત્મક સંકેત છે. કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ સંજીવ કુમાર કસ્સીએ દેશમાં વીજ ઉત્પાદનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે દેશની ખાણો અને વીજ પ્લાન્ટોમાં કોલસાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જેના કારણે ગ્રાહકોને ખૂબ જ ટૂંકા નોટિસ પર કોલસાનો પુરવઠો પૂરો પાડી શકાય તેમ છે. દેશની કુલ ઊર્જા જરૂરિયાતોનો લગભગ ૭૦ ટકા હિસ્સો આજે પણ કોલસા આધારિત વીજળીથી પૂરો થાય છે.
કસ્સીએ જણાવ્યું કે વીજ ઉત્પાદન ક્ષમતામાં કોઈ ઘટાડો નથી કારણ કે કોલસાનું ઉત્પાદન તેના વપરાશના સ્તર સાથે સંપૂર્ણ તાલમેલ જાળવીને ચાલી રહ્યું છે. ભારતે ઊર્જાનો સસ્તો અને પર્યાપ્ત પુરવઠો જાળવી રાખ્યો છે. સતત બીજા વર્ષે ૧ અબજ ટન કોલસા ઉત્પાદનનો ઐતિહાસિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
ઈન્ડસ્ટ્રીમાં પણ ન્ઁય્ સપ્લાયની છૂટ અપાઈ છે
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. ૧૪ દિવસ માટે યુદ્ધ રોકાયું છે, તેવા સમયે ગુજરાતમાં લાખો લોકો માટે એલપીજીને લઈ રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકારે હાલ એક મોટો ર્નિણય લીધો છે. ઈન્ડસ્ટ્રીમાં પણ એલપીજી સપ્લાયની છૂટ અપાઈ છે. આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારે દિવસની ૦.૨ ટીએમટી એલપીજી ગેસ આપવા છૂટ આપવામાં આવી છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ((CBSE) નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવાતી ભાષાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને માત્ર બે ભાષાઓ ભણાવાતી હતી, જાેકે સીબીએસએ ‘૩ લેગ્વેજ’ના નવા ફોર્મ્યુલા મુજબ હવે શાળાઓમાં ત્રણ ભાષા ભણવી ફરજીયાત કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજીને ‘વિદેશી ભાષા’ ગણવામાં આવી છે.શિક્ષણ બોર્ડે R1, R2, R3 ત્રણ લેગ્વેજ ફોર્મ્યુલા બનાવી છે.
R1 (Language 1) : : આમાં તે ભાષાનો સમાવેશ કરાયો, જે બાળક વધુ જાણે છે (જેમ કે ગુજરાતી) આ ભાષાને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે.
R2 (Language 2) : : આમાં સ્ટાન્ડર્ડ લેવલની બીજી ભાષાનો સમાવેશ કરાયો છે અને આ ભાષા મધ્ય સ્તરે ભણાવવામાં આવશે.
R3 (Language 3) : આમાં નવી ફરજિયાત ભાષા સામેલ છે, જેની ધોરણ-૬થી શરૂઆત થશે.
સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે, નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જાે તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો તો તેણે બે ભારતીય ભાષા (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) ફરજિયાત પસંદ કરવી પડશે. હવે તમે માત્ર ‘હિન્દી અને અંગ્રેજી’ વાંચીને માત્ર ધોરણ-૧૦ પાસ નહીં કરી શકો.
સૌથી મોટો પડકાર એ છે કે, ઉત્તર ભારતની શાળાઓમાં દક્ષિણ અથવા પૂર્વની ભારતીય ભાષાઓ ભણાવવા માટે શિક્ષકોની ભારે અછત છે. જાે વિદ્યાર્થી ઓડિયા અથવા તમિલ ભણવા ઈચ્છે તો શાળાઓ પાસે શિક્ષક નથી.
વાલીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે, ગણિત અને વિજ્ઞાનમાં એડવાન્સ વિકલ્પનો ઉમેરો કરાયો છે. એટલે કે ધોરણ-૯થી ‘મૈથ્સ’ અને ‘સાયન્સ’ની સાથે ‘એડવાન્સ્ડ’ લેવલ પણ સામેલ કરાયું છે. જાે તમારા બાળકને એન્જિનિયરિંગમાં રસ છે તો તે ‘એડવાન્સ્ડ’ પેપર (૨૫ નંબરની જુદી ટેસ્ટ) પરીક્ષા આપી શકશે. ખાસ વાત એ છે કે, એડવાન્સ્ડ પેપરના માર્ક કુલ ટકાવારીમાં ઉમેરાશે નહીં, પરંતુ માર્કશીટ પર ‘એડવાન્સ્ડ લેવલ પાસ’નો ઉલ્લેખ હશે.
અમેરિકાના ઉપ રાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સંઘર્ષો પર ટ્રમ્પ વહીવટીતંત્રના કડક વલણને સ્પષ્ટ કર્યું છે. વેન્સે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે જાે ઈરાની નેતૃત્વએ સાચી દાનત સાથે વાતચીતમાં ભાગ ન લીધો, તો તેમણે સમજી લેવું જાેઈએ કે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રમત રમવી ભારે પડી શકે છે. વેન્સનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામ વચ્ચે ખાડી દેશોમાં હુમલા ચાલુ છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં એક મહત્વપૂર્ણ સંબોધન દરમિયાન વેન્સે કહ્યું કે કરારના આધારે અમેરિકા અને તેના સહયોગીઓ ઈરાન પર હુમલા રોકવા માટે સંમત થયા છે. ઈરાન વૈશ્વિક વ્યાપાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ખોલવા માટે સંમત થયું છે. ટ્રમ્પ ઈરાન મામલે પ્રગતિને લઈને ઝડપીથી પરિણામ ઈચ્છે છે. જાે ઈરાન ઈમાનદારીથી અમારી સાથે કામ કરવા તૈયાર છે, તો મને લાગે છે કે આપણે કોઈ સમજૂતી પર પહોંચી શકીએ છીએ. પરંતુ જાે તેઓ જૂઠું બોલશે, છેતરપિંડી કરશે અથવા અમે જે યુદ્ધવિરામ લાગુ કર્યો છે તેને રોકવાનો પ્રયાસ કરશે, તો તેમને તેના પરિણામો સારા નહીં લાગે.
લેબેનોન પર હુમલા બંધ કરો, નહીં તો તેલ અવીવ સુરક્ષિત નહીં રહે : ઈરાનની ઈઝરાયલને સીધી ધમકી
અમેરિકા અને ઈરાને ૧૪ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ વિશ્વભરે હાશકારો લીધો છે. જાેકે બીજીતરફ લેબેનોનમાં હુમલા બદલ ઈરાને ઈઝરાયલને ધમકી આપી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, જાે ઈઝરાયલ થોડાં જ કલાકોમાં દક્ષિણ લેબેનોનમાં હુમલા બંધ નહીં કરે તો ઈરાની વાયુસેના અને મિસાઈલ યુનિટ્સ રાજધાની તેલ અવીવમાં બોંબમારો શરૂ કરશે. યુદ્ધવિરામ અંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું છે, પરંતુ તે લેબેનોન પર લાગુ થતું નથી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધના હુમલા બે સપ્તાહ સુધી અટકાવવાનો ર્નિણય લીધો છે, જેનું ઈઝરાયલ સમર્થન કરે છે. યુદ્ધવિરામમાં શરત મૂકાઈ છે કે, ઈરાન તાત્કાલીક હોર્મુઝ જળમાર્ગ ખોલે અને અમેરિકા, ઈઝરાયલ સહિત પરના હુમલા પણ અટકાવી દે.
ભારતીય નાગરિકો માટે તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત વચ્ચે ભારત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે. ઈરાનની રાજધાની તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકોને ઝડપથી સ્વદેશ પાછા જતા રહેવા નવી એડવાઇઝરી જાહેર કરી છે. ભારત સરકારે ભારતીયોને સલાહ આપી છે કે, તમે શક્ય એટલું ઝડપથી ઈરાન છોડીને સુરક્ષિત રીતે બહાર નીકળી જાઓ. ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર આ એડવાઇઝરી પોસ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે, ભારતીયો તેમને સૂચવવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને જ ઈરાનની બહાર નીકળે. દૂતાવાસે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે દૂતાવાસ સાથે પરામર્શ કે સંકલન કર્યા વગર કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ઓળંગવાનો પ્રયાસ ન કરવો. ભારતીય દૂતાવાસે મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકોની મદદ માટે ઈમરજન્સી ફોન નંબર +૯૮૯૧૨૮૧૦૯૧૧૫, +૯૮૯૧૨૮૧૦૯૧૦૯, +૯૮૯૧૨૮૧૦૯૧૦૨, +૯૮૯૯૩૨૧૭૯૩૫૯ તેમજ ઈ-મેઇલ આઇડી ર્ષ્ઠહજ.ંીરટ્ઠિહજ્રદ્બીટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પણ જાહેર કર્યા છે.
ઈરાન યુદ્ધમાં સીઝફાયર છતાં ટ્રમ્પની મુશ્કેલી વધી, ૮૫ સાંસદોએ રાજીનામું માગ્યું
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે ઈરાન યુદ્ધ વિરામ રાહતને બદલે નવી આફત લઈને આવ્યું છે. ૨૮ ફેબ્રુઆરીએ જ્યારે ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા, ત્યારે તેમને લાગતું હતું કે વેનેઝુએલાની જેમ અહીં પણ જીત સરળ હશે. છ અઠવાડિયા ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાની ઇકોનોમી અને ટ્રમ્પની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. આખરે બંને પક્ષો વાતચીત માટે તૈયાર તો થયા, પરંતુ હવે અમેરિકાની અંદર જ ટ્રમ્પ વિરુદ્ધ મોટો બળવો ફાટી નીકળ્યો છે. એક્સિઓસના રિપોર્ટ મુજબ, ૮૫થી વધુ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પને પદ પરથી હટાવવાની માંગ કરી છે. અમેરિકામાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ‘ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે આ યુદ્ધ છેડ્યું હતું. ટ્રમ્પને પદ પરથી હટાવવા પાછળનું મુખ્ય કારણ તેમનું અસ્થિર વર્તન અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈસ્ટરના અવસરે લખેલી વાંધાજનક પોસ્ટ માનવામાં આવે છે. અમેરિકાના ઘણા નેતાઓનું કહેવું છે કે ઈરાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની વારંવાર બદલાતી વ્યૂહરચના અને તેમની ભાષા તેમના માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઊભા કરે છે. આથી, હવે અમેરિકન કોંગ્રેસમાં બંધારણના ૨૫માં સુધારાની કલમ ૪ લાગુ કરવાની માંગ તેજ થઈ છે. આ કલમ હેઠળ જાે પ્રમુખ પોતાની ફરજાે નિભાવવામાં અસમર્થ હોય, તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે.
Loading ...
