જ્યારે પણ આપણે કોઈ ખાલી રૂમમાં પગ મૂકીએ છીએ, ત્યારે ત્યાં આપણો અવાજ સામાન્ય અવાજની જેમ ગૂંજવા લાગે છે. સહેજ ખાંસવા કે પછી પગ પછાડવા પર પણ એવું લાગે છે કે, રૂમની દિવાલો સૂર પુરાવી રહી હોય. ઘણા લોકો આ અનુભવને થોડો ડરામણો કે રહસ્યમય માની લે છે, પરંતુ અસલમાં આ કોઈ જાદુઈ કે ભૂતિયા વાત નથી, પણ તેની પાછળ વિજ્ઞાનનો અનોખો નિયમ કામ કરે છે, ચાલો જાણીએ..
જ્યારે પણ આપણે કોઈ બંધ ખાલી જગ્યા પર ઊભા રહીને કંઈક બોલીએ છીએ, ત્યારે આપણા મોંમાંથી નીકળતો ધ્વનિ હવામાં તરંગોના સ્વરૂપે આગળ વધે છે. આ બિલકુલ ખાલી રૂમમાં આ ધ્વનિ તરંગોના રસ્તાને રોકનાર કે ટોકનાર કોઈ હોતું નથી. રૂમની એકદમ સપાટ અને નક્કર દિવાલો, ભોંયતળિયું અને છત આ તરંગો માટે કોઈ અરીસાની જેમ કામ કરે છે. જેવો અવાજ આની સાથે અથડાય છે, તે તરત જ પલટાઈને પાછો આપણા કાન તરફ દોડી આવે છે. રસ્તામાં કોઈ અવરોધ ન હોવાને કારણે આ અવાજ વારંવાર અથડાય છે અને ગૂંજવા લાગેસોફા, પડદા અને કાર્પેટ કેવી રીતે કરે છે સાઉન્ડ એબ્સોર્પ્શન? હવે માની લઈએ કે, તમે તે જ ખાલી રૂમમાં રહેવાની તૈયારી કરી લીધી અને ત્યાં સોફા, બેડ, કબાટ, બારીઓ પર જાડા પડદા અને જમીન પર જાડી કાર્પેટ પાથરી દીધી. હવે જ્યારે તમે ત્યાં જશો અને બોલશો તો તમારો અવાજ પહેલાની જેમ બિલકુલ ગૂંજશે નહીં. આનું કારણ એ છે કે, રૂમ ભરાઈ ગયા પછી ત્યાં હાજર કપડાં, લાકડું અને ગાદલાંવાળો સામાન ધ્વનિ તરંગો માટે એબ્સોર્બરનું કામ કરે છે. જેના કારણે આ નરમ વસ્તુઓ પોતાના અંદર અવાજને સોષી લે છે અને તેને પાછો પલટાઈને દિવાલો સુધી જવા દેતી નથી, જેથી રૂમમાં તરત જ શાંતિ છવાઈ જાય છે. વિજ્ઞાનના નિયમોનું માનીએ તો, એકદમ સ્પષ્ટ પડઘો સાંભળવા માટે આપણી અને આપણી સામે હાજર દિવાલ વચ્ચે ઓછામાં ઓછું ૧૭.૨ મીટરનું અંતર હોવું જરૂરી છે. આવું એટલા માટે થાય છે, કારણ કે માનવ મગજને અલગ-અલગ અવાજાે વચ્ચેનો તફાવત સમજવા માટે ઓછામાં ઓછી ૦.૧ સેકન્ડ જાેઈએ છે. હવામાં ધ્વનિની ઝડપ લગભગ ૩૪૪ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. આ ઝડપથી અવાજને જઈને અને અથડાઈને પાછા આવવામાં ૦.૧ સેકન્ડનો સમય લાગે, તે માટે ઓછામાં ઓછું ૧૭.૨ મીટરનું અંતર હોવું ખૂબ જ જરૂરી છે. નાના રૂમમાં ઇકો અને રેવરબરેશનનો તફાવત: હવે તમારા મનમાં સવાલ આવી શકે છે કે, આપણા ઘરના રૂમ તો ૧૭.૨ મીટર જેટલા મોટા નથી હોતા, છતાં પણ ત્યાં અવાજ કેમ અને કેવી રીતે ગૂંજે છે? ખરેખર નાના રૂમોમાં આપણને જે અવાજ વારંવાર સંભળાય છે, વિજ્ઞાનની ભાષામાં તેને પડઘો નહીં પરંતુ રેવરબરેશન કહેવામાં આનાના રૂમોનું અંતર ઓછું હોવાને કારણે અવાજ ૦.૧ સેકન્ડ કરતાં પણ પહેલાં અથડાઈને પાછો આવી જાય છે. આ સ્થિતિમાં આપણું મગજ બંને અવાજાેને અલગ કરી શકતું નથી, પરંતુ આપણને આપણો જ મૂળ અવાજ થોડો લાંબો, ભારે અને ખેંચાયેલો અનુભવાય છે. જ્યારે કોઈ ખાલી હોલ કે મોટા રૂમમાં કોઈ ફર્નિચર નથી હોતું, ત્યારે આપણા અવાજાેની તાકાત ઘણી વાર સુધી ખતમ થતી નથી.વે છે. તે વારંવાર દરેક ખૂણેથી અથડાઈને આપણું કાન સુધી પહોંચે છે, જેના કારણે આપણને આપણો અવાજ થોડો બદલાયેલો, વધુ તીવ્ર અને ભારે સંભળાય છે.
ભારતીય મહિલા હોકી ટીમે ન્યુઝીલેન્ડને ૨-૦ થી હરાવીને હ્લૈંૐ મહિલા નેશન્સ કપ ૨૦૨૫-૨૬ જીત્યો. ભારતે આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીત્યું. આ ભારતનું બીજું ટાઇટલ છે અને તે મહિલા પ્રો લીગની આગામી સીઝન માટે પણ ક્વોલિફાય થયું છે. આ ઐતિહાસિક જીત માટે, હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડી માટે ૩ લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફ માટે ૧.૫ લાખ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી છે. ભારતે હ્લૈંૐ હોકી મહિલા નેશન્સ કપ ૨૦૨૫-૨૬ જીત્યો છે. ભારતીય ટીમે ટાઇટલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ૨-૦ થી ટાઇટલ જીત્યું હતું. હોકી ઇન્ડિયાએ આ સિદ્ધિ માટે ઇનામ રકમની જાહેરાત કરી છે. ભારત માટે નવનીત કૌરે મેચની ચોથી મિનિટે પહેલો ગોલ કર્યો હતો, ત્યારબાદ સુનીલિતા ટોપોએ (૧૫મી મિનિટ) ગોલ કર્યો હતો. ટીમે વિજય મેળવવા માટે ઉત્તમ રક્ષણાત્મક રમત દર્શાવી હતી. આ સાથે, તેઓએ આગામી સીઝનની હ્લૈંૐ હોકી મહિલા પ્રો લીગમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.લાલરેમસિયામીને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે દીપિકા છ ગોલ સાથે ટુર્નામેન્ટની ટોપ સ્કોરર રહી હતી; તેણીએ યુએસએની એશ્લે સેસા સાથે આ સન્માન શેર કર્યું હતું. આ ભારતનો બીજાે નેશન્સ કપ વિજય હતો, જેણે અગાઉ ૨૦૨૨ માં ઉદ્ઘાટન ટુર્નામેન્ટ જીતી હતી. ભારત આ ઇવેન્ટમાં અજેય રહ્યું, પૂલ છ માં યુએસએ (૩-૨), જાપાન (૨-૧) અને ઉરુગ્વે (૩-૨) ને હરાવ્યું. ત્યારબાદ તેઓએ સેમિફાઇનલમાં ચિલીને ૬-૦ થી હરાવ્યું. ફાઇનલમાં, તેઓએ શાનદાર પ્રદર્શન કરીને ન્યુઝીલેન્ડને ૨-૦ થી હરાવીને ટાઇટલ જીત્યું..ફાઇનલ મેચની શરૂઆતમાં યજમાન ટીમે બોલ પર વધુ સારી પકડ બનાવી હતી અને લીડ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. જાેકે, નવનીતને પેનલ્ટી કોર્નર મળતાં મુલાકાતી ટીમે પોતાની પહેલી મોટી તક બનાવી. ચોથી મિનિટમાં તેણે આ સેટ-પીસમાંથી શક્તિશાળી સ્ટ્રાઇક કરીને ગોલ કરીને ભારતને લીડ અપાવી. ભારતે ટ્રાન્ઝિશનમાં શાનદાર રમત રમી અને તેમની ઉર્જાએ ન્યૂઝીલેન્ડના ડિફેન્સ માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી. પહેલા ક્વાર્ટરમાં પાંચમા પેનલ્ટી કોર્નરથી તેમણે પોતાની લીડ વધારી. ૧૫મી મિનિટમાં, સુનિલિતા ટોપોએ દીપિકાના શક્તિશાળી શોટને ડિફ્લેક્ટ કરીને ટીમને ૨-૦ કરી દીધી.ભારતે બીજા ક્વાર્ટરમાં પણ શિસ્તબદ્ધ રમત ચાલુ રાખી હતી, જ્યારે ન્યુઝીલેન્ડે પોતાની લય શોધી કાઢી હતી અને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. મુલાકાતી ટીમ પાસે અંતર ઘટાડવાની કેટલીક તકો પણ હતી, પરંતુ કોઈ પણ ટીમ ફરીથી ગોલ કરી શકી ન હતી, જેના કારણે હાફ ટાઇમ સુધી ભારત બે ગોલની લીડ સાથે રહી ગયું હતું.
શિવસેના માં એકાએક સર્જાયેલા રાજકીય ભૂકંપમાં ઉદ્ધવ ઠાકરેના છ લોકસભા સાંસદો પક્ષથી અલગ થવાની અણી પર છે. આ બળવા પાછળનું મુખ્ય કારણ ૨૦ વર્ષ જૂના હાઈ-પ્રોફાઈલ પવનરાજે નિમ્બાલકર હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીથી દૂર રહેલા આ છ સાંસદોએ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે શિંદે જૂથમાં જાેડાવાના સંકેત આપતા ઠાકરેની મુશ્કેલીઓ વધી ગઈ છે.વર્ષ ૨૦૦૬માં કોંગ્રેસ નેતા પવનરાજે નિમ્બાલકરની હત્યાના કેસમાં ભૂતપૂર્વ ગૃહમંત્રી પદ્મસિંહ પાટીલ મુખ્ય આરોપી હતા. આ કેસ માત્ર રાજકીય નહીં પણ સહકારી ક્ષેત્રની વ્યવસાયિક હરીફાઈ સાથે જાેડાયેલો હતો. હવે, કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને મુક્ત કરતા, સાંસદ ઓમરાજે નિમ્બાલકરે આ ર્નિણયને આઘાતજનક ગણાવ્યો છે. નિમ્બાલકરનું માનવું છે કે, તેમની રાજકીય લડાઈ અને પિતાના હત્યારાઓ સામેના ન્યાય માટે તેમને સરકારી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમને મજબૂરીમાં પક્ષ બદલવાનો ર્નિણય લેવો પડી રહ્યો છે.બળવાના આ વહેણ વચ્ચે શિવસેના એ આક્રમક વલણ અપનાવ્યું છે.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર સોમવારે રાજીનામાની જાહેરાત કરી શકે છે અને પોતાનું પદ છોડવાનો રોડમેપ પણ જણાવી શકે છે. આ દાવો બ્રિટનના અખબાર ‘ધ ઓબ્ઝર્વર’ના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, સ્ટાર્મરે કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને ટ્રેડ યુનિયન નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે તેમનું પદ પર ટકી રહેવું હવે મુશ્કેલ બની ગયું છે. જાેકે, રોયટર્સ મુજબ, સરકારી સૂત્રોએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે સ્ટાર્મર હજુ પણ વડાપ્રધાન તરીકે પોતાનું કામ કરવા પર ધ્યાન આપી રહ્યા છે.
રોયટર્સ મુજબ, સ્ટાર્મરની લેબર પાર્ટીના ૧૦૦થી વધુ સાંસદો જાહેરમાં કહી ચૂક્યા છે કે તેમણે રાજીનામું આપવું જાેઈએ અથવા પોતાનું પદ છોડવાની સમયમર્યાદા જાહેર કરવી જાેઈએ. આ બળવાખોર સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં પાર્ટીના કુલ સાંસદોના લગભગ એક ચતુર્થાંશ છે.
જાે સ્ટાર્મર રાજીનામું આપે તો પણ, બ્રિટનના ૧૦ વર્ષના ઇતિહાસમાં તેઓ છઠ્ઠા એવા વડાપ્રધાન હશે જેમણે આ પદ છોડવું પડ્યું હોય.
યુરોપના અનેક દેશો હાલમાં ભીષણ ગરમી અને હીટવેવની ઝપેટમાં આવી ગયા છે, જેમાં ફ્રાન્સના ૩૫ વિસ્તારોમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકાએ સરકારે ‘રેડ હીટવેવ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ગંભીર પરિસ્થિતિને જાેતા ફ્રાન્સ સરકારે રવિવારે યોજાનારા ‘ફેતે ડે લા મ્યુઝિક ફેસ્ટિવલ’ દરમિયાન જાહેર સ્થળો પર દારૂના સેવન પર કડક પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી હીટસ્ટ્રોક જેવી સ્થિતિને ટાળી શકાય. હીટવેવની અસરો માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર યુરોપને તેની અસર થઈ રહી છે. જર્મનીમાં તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ પહોંચતા હીટ એલર્ટ અપાયું છે, જ્યારે સ્પેનમાં ફેન ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે. ઈટાલીના રોમમાં પણ પ્રવાસીઓ માટે સ્થિતિ મુશ્કેલ બની છે, જ્યાં લોકો પ્રાચીન ઈમારતોના ભોંયરામાં આશરો લેવા મજબૂર બન્યા છે. પેરિસમાં પ્રશાસને લોકોને ગરમીથી બચાવવા માટે તમામ જાહેર બગીચાઓ ૨૪ કલાક ખુલ્લા રાખવાનો મહત્વનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ ઈમરજન્સી બેઠક બોલાવીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાં ભેજનું પ્રમાણ અને અસહ્ય ગરમીને લીધે આગામી સમયમાં કેટલાક ભાગોમાં ભારે તોફાન આવવાની શક્યતા પણ છે. સરકારી તંત્ર દ્વારા વૃદ્ધો અને બીમાર લોકોને વિશેષ કાળજી રાખવા અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.
Loading ...
