નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (ઇજીઁ) ના યુવા નેતા અને કાઠમાંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન શાહને નેપાળના ૪૭માં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ ૭૬(૧) હેઠળ તેમની નિમણૂક કરી છે.
બાલેન શાહના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલી પાછળ ભારતનો મોટો પ્રભાવ છે. તેમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યું છે. કાઠમાંડુમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ, બાલેન શાહ ભારત આવ્યા હતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતની પ્રતિષ્ઠિત વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી (કર્ણાટક) માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતમાં મેળવેલી આ એન્જિનિયરિંગની ડિગ્રી અને ટેકનિકલ સમજને કારણે જ તેમણે કાઠમાંડુના મેયર તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. જેણે તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવામાં મદદ કરી છે.શુક્રવારે બપોરે ૧૨:૩૪ કલાકે બાલેન શાહે હિન્દુ રીતિ-રિવાજ મુજબ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે સાત શંખનાદકોએ શંખ ફૂંકીને માંગલિક શરૂઆત કરી હતી. જેને નેપાળી પરંપરામાં સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તાજેતરની ચૂંટણીમાં બાલેન શાહની પાર્ટીએ બે-તૃત્યાંશ બહુમતી સાથે જીત મેળવી છે.
સંસદીય સમિતિએ કોમર્શિયલ ફ્લાઇટ્સને લઈને ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે ૫૦ ટકા કોમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેકનિકલ સમસ્યાઓ છે. પાછલા વર્ષે કરવામાં આવેલા ઓડિટમાં પેનલને જાણવા મળ્યું છે કે ૭૫૪ કોમર્શિયલ ફ્લાઇટ્સમાંથી ૩૭૭ વિમાનોમાં વારંવાર ટેક્નિકલ ખામી જાેવા મળી છે.
પેનલેજણાવ્યું કે સૌથી વધુ ઓડિટ ઈન્ડિગો એરલાઇનની ફ્લાઇટ્સનું કરવામાં આવ્યું છે અને ટેક્નિકલ ખામી હોય તેવા વિમાનોના લિટ્સમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સૌથી ઉપર છે. ૩ ફેબ્રુઆરી સુધી ઈન્ડિગોની ૪૦૫ ફ્લાઇટ્સનું ઓડિટ થયું, જેમાંથી ૧૪૮મા તકનીકી ખરાબી જાેવા મળી છે.
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાયન્સ પણ આ મામલામાં આગળ છે. એર ઈન્ડિયાની ૧૬૬ ઉડાનોનું ઓડિટ થયું, જેમાંથી ૧૩૭મા વારંવાર-ટેક્નિકલ ખામીની સમસ્યા જાેવા મળી છે. તો એર ઈન્ડિયા એક્સપ્રેસના ૧૦૧માથી ૫૪ વિમાનોમાં ટેક્નિકલ ખામી હતી.પાછલા વર્ષે ૧૨ જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ૧-૪ જુલાઈ, ૨૦૨૫ વચ્ચે જે ફ્લાઇટ્નું ઓડિટ કર્યું હતું, તેનો ઉલ્લેખ આ રિપોર્ટમાં છે. રિપોર્ટમાં બોઇંગ ૭૮૭ અને ૭૭૭ ફ્લાઇટ્સના પાયલટોની ટ્રેનિંગમાં વારંવાર થતી સમસ્યાનો પણ ઉલ્લેખ છે. આ સિવાય ઓછામાં ઓછી ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં પર્યાપ્ત કેબીન-ક્રૂ નહોતા. સાથે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેડના ઉલ્લંઘનને લઈને રિપોર્ટ્સમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પેનલે એરલાયન્સ વિરુદ્ધ કરવામાં આવેલી નિયામક કાર્યવાહીઓ પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં એર ઈન્ડિયાને સુરક્ષા નિયમો માટે ડીજીસીએ તરફથી મોકલવામાં આવેલી નવ કારણ દર્શાવો નોટિસ સામેલ છે. આ સિવાય ૨૦૨૫ના અંત સુધી એરલાયન્સને ૧૯ નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં ફ્લાઇટ ડ્યુટીના નિયમોનું ઉલ્લંઘન, કોકપિટમાં ગેરકાયદેસર પ્રવેશ, એક્સપાયર્ડ ઇમરજન્સી સાધનોની સાથે વિમાનનો ઉપયોગ સામેલ છે.
રિપોર્ટ્સમાં ડીજીસીએમાં ખાલી પડેલી ૪૮.૩ ટકા જગ્યા તરફ ઈશારો કરતા એવિએશન સેક્ટરની કેપિસિટીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર સ્ટાફની છતને કારણે ઝડપથી વધતા એવિએશન સેક્ટરનું સર્વેલાન્સ કરવાની રેગુલેટરની ક્ષમતા પર સવાલ ઉભા થાય છે.િ પેનલે વ્યવસ્થાગત ખામીઓ દૂર કરવા, યાત્રીકોની સુરક્ષાની ખાતરી કરવા માટે તેણે કડક અમલીકરણ, સુધારેલ દેખરેખ પદ્ધતિઓ અને સંસ્થાકીય ક્ષમતામાં સુધારો કરવાની હાકલ કરી છે.
પશ્ચિમ એશિયા કટોકટીમાં પોતાને મધ્યસ્થી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ ઠુકરાવી દીધું છે. યુએસ ભૂ-રાજકીય જાેખમ સલાહકાર અને ભૂતપૂર્વ યુએસ આર્મી અધિકારી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ડગ્લાસે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતે જ એક સમસ્યા છે અને ઇઝરાયલ પણ તેના પર વિશ્વાસ કરતું નથી. ડગ્લાસ ઉપરાંત, ભારતની અંદર અને બહાર ઘણા રાજદ્વારીઓ છે જે માને છે કે પીએમ મોદી યુદ્ધના સંકટને ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
અમેરિકન યુદ્ધ નિષ્ણાત ડગ્લાસે કહ્યું કે પાકિસ્તાન પોતે આર્થિક સહિત અનેક આંતરિક પડકારોનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન પાસેથી મદદ માંગવી એ સળગતા ઘરમાં રહેતા કોઈને ખાલી ઓરડો માંગવા જેવું હશે. ઇઝરાયલ પણ ઇસ્લામાબાદની મધ્યસ્થીનો ઉપહાસ કરશે. તેને પાકિસ્તાન પર તટસ્થ રહેવાનો કોઈ વિશ્વાસ નહીં હોય. હવે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આડકતરી રીતે પાકિસ્તાનની ટીકા કરી છે, અને કહ્યું છે કે પીએમ મોદી અને હું જ કામ પૂર્ણ કરીએ છીએ. મોટાભાગના લોકો આમ કરવામાં નિષ્ફળ જાય છે. ટ્રમ્પે અગાઉ મંગળવારે પીએમ મોદીને ફોન કર્યો હતો.
કર્નલ ડગ્લાસે કહ્યું, “ભારત વિશ્વસનીય ભૂમિકા ભજવી શકે છે.” ડગ્લાસે સૂચવ્યું હતું કે ભારત વિવિધ ભૂ-રાજકીય બ્લોક્સ સાથેના તેના વૈવિધ્યસભર સંબંધોને ધ્યાનમાં રાખીને સંવાદને પ્રોત્સાહન આપીને વિશ્વસનીય ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા પાકિસ્તાનને પોતાનામાં એક સમસ્યા તરીકે જુએ છે. ડગ્લાસે કહ્યું, “ભારત ખૂબ સારી સ્થિતિમાં છે.”પાકિસ્તાનમાં પોતાનામાં એક સમસ્યા છે.
ઈરાને મિસાઈલો પર ‘થેન્ક્યૂ ઈન્ડિયા’ લખી ઈઝરાયલ પર હુમલો કર્યો!
ઈરાને ઈઝરાયલ પર ૮૩મી વખત મિસાઈલ હુમલો કર્યો. આ વખતે મિસાઈલો પર ‘થેન્ક્યુ ઈન્ડિયા’ લખવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જાેવા મળ્યું કે ઈરાની સૈનિકો મિસાઈલો પર થેંક્યુ ઇન્ડિયા “લખી રહ્યા છે. આ જ રીતે સ્પેન, પાકિસ્તાન અને જર્મની માટે પણ સંદેશા લખવામાં આવ્યા હતા. ઈરાને કહ્યું કે આ પગલું એવા દેશો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે છે જેમણે તેને સમર્થન આપ્યું છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ ના જણાવ્યા અનુસાર, આ ૮૩મી સ્ટ્રાઈક હતી, જેમાં લાંબા અને મધ્યમ અંતરની મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાઓમાં ઈઝરાયલના મથકોની સાથે ખાડી ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. બહેરીનમાં પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ સાથે જાેડાયેલા એક મથક પર હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા ૧૦ દિવસ અટકાવ્યા અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જાેવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો પર થનારા હુમલાઓને આગામી ૧૦ દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ ર્નિણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે.ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ઈરાની સરકારની વિનંતી પર હું ઉર્જા મથકોને તબાહ કરવાની કાર્યવાહીને ૧૦ દિવસ માટે રોકી રહ્યો છું. આ વિરામ સોમવાર, ૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૮ વાગ્યા સુધી જારી રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મીડિયાના અહેવાલોથી વિપરીત, બંને દેશો વચ્ચેની વાતચીત ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહ્યા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો.
અમારા સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે : ટ્રમ્પ
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની ખુબ જ પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી એવા નેતા છે, જે કોઈપણ કામને પરિણામ સુધી પહોંચાડે છે. ટ્રમ્પે સીધી રીતે આ વાત નથી કહી, પરંતુ ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસે ટ્રમ્પના નિવેદનને શેર કર્યું છે. અમેરિકી દૂતાવાસે પીએમ મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પના નિવેદનને ઠ પર પોસ્ટ કર્યું છે. તેમાં પીએમ મોદીને કામ કરીને બતાવે એવા નેતા તરીકે વર્ણવ્યા છે. હકીકતમાં, ભારતમાં અમેરિકી દૂતાવાસે શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનોને હાઇલાઇટ કર્યા હતા, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. અમેરિકી દૂતાવાસ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને એવા નેતા તરીકે વર્ણવ્યા છે, જે કામ કરીને બતાવે છે. એટલું જ નહીં, દૂતાવાસે આ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આવનારા વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી દૂતાવાસની સોશિયલ મીડિયા પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, “ભારત સાથે અમારા શાનદાર સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદી અને હું, અમે બંને એવા લોકો છીએ જે કામ કરીને બતાવીએ છીએ, આવી વાત મોટાભાગના લોકો વિશે કહી શકાય તેમ નથી.
બેંગલુરુ: આઇપીએલ ૨૦૨૬ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરશે. બંને ટીમોની મજબૂત બેટિંગ લાઇન-અપને જાેતાં, આ મેચ ઉચ્ચ સ્કોરિંગ અને રોમાંચક બનવાની અપેક્ષા છે. આઇપીએલ ૨૦૨૬ શનિવારથી શરૂ થશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. વર્ષોની રાહ જાેયા પછી, આરસીબી એ તેમનું પહેલું આઇપીએલ ટાઇટલ જીત્યું, અને ટીમ નવી સીઝનની શરૂઆત એ જ આત્મવિશ્વાસ સાથે કરવા માંગશે. આરસીબીની બેટિંગ આ સિઝનમાં ઘણી મજબૂત દેખાય છે. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ ઇનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. કેપ્ટન રજત પાટીદાર અને દેવદત્ત પડિકલ મિડલ ઓર્ડરમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ ફિનિશિંગની જવાબદારી સંભાળશે.જાેશ હેઝલવુડની ગેરહાજરીમાં, ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યા બોલિંગ વિભાગમાં મુખ્ય જવાબદારી સંભાળશે. હેઝલવુડ ઓસ્ટ્રેલિયામાં પોતાની ઈજામાંથી સ્વસ્થ થવા માટે કામ કરી રહ્યો છે અને પછીથી ટીમમાં જાેડાઈ શકે છે. જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા દયાલ આખી સિઝન માટે બહાર રહેશે. આરસીબીને અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, સ્પિનર કૃણાલ પંડ્યા, સુયશ શર્મા અને ડાબા હાથના ફાસ્ટ બોલર મંગેશ યાદવ પર ખૂબ આધાર રાખવો પડશે. ગયા સિઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી નહોતી રહી, જે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. આ વખતે, ટીમ વધુ સારા પ્રદર્શનની આશા રાખશે. સનરાઇઝર્સ કેપ્ટન પેટ કમિન્સ પણ શરૂઆતના તબક્કામાં ટીમમાંથી ગેરહાજર રહેશે. ઇશાન કિશનને કાર્યકારી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ઝડપી શરૂઆત આપવાનો પ્રયાસ કરશે. ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન મધ્યમ ક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે, લિયામ લિવિંગસ્ટોન નીચલા ક્રમને મજબૂત બનાવશે.એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ ટી૨૦ મેચો માટે બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. ટૂંકી બાઉન્ડ્રી અને ફ્લેટ વિકેટ બેટ્સમેનોને મુક્તપણે રમવાની મંજૂરી આપે છે. ઝડપી બોલરોએ બુદ્ધિપૂર્વક બોલિંગ કરવાની જરૂર પડશે, જ્યારે સ્પિનરોએ બોલને રોકીને અને ટર્ન જનરેટ કરીને પ્રભાવ પાડવાની જરૂર પડશે. ગયા વર્ષે ૪ જૂને, આરસીબીના ટાઇટલ વિજેતા ઉજવણી દરમિયાન સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મોત થયા હતા. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન અને આરસીબી મેનેજમેન્ટે આ ઘટનામાં જીવ ગુમાવનારાઓની યાદને જાળવી રાખવા માટે પગલાં લીધા છે.કેએસસીએએ જાહેરાત કરી છે કે સ્ટેડિયમમાં ૧૧ બેઠકો કાયમી ધોરણે ખાલી રહેશે. આરસીબી ખેલાડીઓ પ્રથમ મેચના દિવસે પ્રેક્ટિસ સત્રો દરમિયાન ૧૧ નંબરની જર્સી પહેરશે.
મુંબઇ: ૨૦૨૬ ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા, હાર્દિક પંડ્યાએ એવું કંઈક કર્યું છે જેણે દરેક ક્રિકેટ ચાહકોના હૃદયને સ્પર્શી લીધું છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને તેમની મહેનત બદલ રૂ.૧૦ લાખનું ઇનામ આપ્યું છે. પંડ્યા ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે મેદાન પર જાેરશોરથી તાલીમ લઈ રહ્યો છે.ઘણીવાર મોડી રાત સુધી લાંબા પ્રેક્ટિસ સત્રો યોજે છે. આટલા વ્યસ્ત સમયપત્રક છતાં, મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત ગ્રાઉન્ડ્સમેનોએ ખાતરી કરી કે સુવિધાઓ ઉત્તમ સ્થિતિમાં હોય, જેનાથી પંડ્યા કોઈપણ વિક્ષેપ વિના તાલીમ લઈ શકે. તેમના સમર્પણ અને મહેનતથી પ્રભાવિત થઈને, પંડ્યાએ તાલીમ પૂર્ણ થયા પછી સ્ટાફને પુરસ્કાર આપવાનું વચન આપ્યું. પોતાના વચન પર ખરા ઉતરતા, તેમણે ટુર્નામેન્ટ પછી પોતાનું વચન પૂર્ણ કર્યું, તેમને ભેટો અને નાણાકીય પુરસ્કારો આપ્યા. ગ્રાઉન્ડ સ્ટાફે આ પગલાની ખૂબ પ્રશંસા કરી. તેમાંથી ઘણાએ ક્રિકેટરના મુશ્કેલ સમયપત્રકને અનુરૂપ બનવા માટે વધારાની મહેનત કરી હતી. પંડ્યાએ તેમની સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી અને રમતમાં તેમના વારંવાર કરવામાં આવતા યોગદાનની પ્રશંસા કરી. ટી૨૦ વર્લ્ડ કપ પછી, ૩૦ વર્ષીય પંડ્યા હવે ૨૦૨૬ ની આઇપીએલ સીઝન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.આ દરમિયાન, મુંબઈ કેમ્પમાંથી એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણી એમઆઈ કેમ્પમાં બધા ખેલાડીઓને મળતા જાેવા મળ્યા હતા. નોંધનીય છે કે નીતા અંબાણી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને જાેઈને દંગ રહી ગયા હતા.
Loading ...
