વડોદરા કોર્પોરેશની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મૂરતિયાંઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરુ કરી દીધો છે. ૧ એપ્રિલ અને ૨ એપ્રિલના રોજ તમામ વોર્ડના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવશે. જેને માટે શહેરના જુદાજુદા વિસ્તારોના ચાર-ચાર પાર્ટી પ્લોટ બે દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. નિરીક્ષકોની એક ટીમ છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા ટીપી-૧૩ના રિધ્ધી-સિધ્ધી પાર્ટી પ્લોટમાં વોર્ડ-૧, ૨,૩, ૭,૧૪ના દાવેદારોના ઈન્ટરવ્યૂ લેશે. જ્યારે નિરીક્ષકોની બીજી ટીમ ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસેના સત્યમ પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૪, ૫, ૬, ૧૩, ૧૫ના દાવેદારોને સાંભળશે. નિરીક્ષકોની ત્રીજી ટીમ તરસાલી વિસ્તારના જે કે પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૧૬,૧૭,૧૮,૧૯ના દાવેદારોના સેન્સ લેશે. અને નિરીક્ષકોની ચોથી ટીમ વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૮, ૯,૧૦,૧૧,૧૨ના દાવેદારોના સેન્સ લેવાના છે. આ વખતે સેન્સની આખી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવશે.
નિરીક્ષકોને મળ્યા પછી સંકલનની બેઠક ક્યારે મળશે?
વડોદરામાં ભાજપના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયાને સિક્રેટ મિશન તરીકે જાેવાઈ રહી છે. આખીય પ્રક્રિયામાં ગુપ્તતા જળવાઈ રહે અને છેલ્લે સુધી ઉમેદવારોના ફાઈનલ લિસ્ટનું પેપરલીક ના થઈ જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, ૧ એપ્રિલ અને ૨ એપ્રિલે વડોદરાના તમામ વોર્ડના બધા જ દાવેદારોના સેન્સ લીધા પછી સંકલનની બેઠક ક્યારે મળશે ? સામાન્ય રીતે દાવેદારોની સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો અને ધારાસભ્યો-સાંસદની સંકલનની બેઠક મળતી હોય છે. પણ આ વખતે સંકલનની બેઠક મળશે કે કેમ ? તેવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
ચૂંટણી લડવી હોય તો જ આવજાે, બીજાની ભલામણ માટે નહીં!!
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ વખતે નિરીક્ષકોનો રોલ મહત્વનો રહેશે. એટલે વડોદરાના ટિકીટવાંચ્છુઓએ ખાસ ધ્યાન રાખવુ પડશે કે, તેમના વાણીવિલાસ કે, વર્તનથી નિરીક્ષકો નારાજ ના થઈ જાય..!! આ વખતે એટલુ તો સ્પષ્ટ છે કે, જેને ચૂંટણી લડવી હશે તેને જ સેન્સ પ્રક્રિયામાં એન્ટ્રી અપાશે. બીજાની ભલામણ કે, ચાપલૂસી કરનારાઓને સેન્સ પ્રક્રિયામાંથી આઉટ કરી દેવામાં આવશે.
ભાજપનું જૂનું સંગઠન સુનિલ સોલંકીના ખભે બંદૂક ફોડે તેવી શક્યતા
શહેરના જૂના અને જાણીતા નેતાઓમાં ચૂંટણીને લઈને સળવળાટ શરુ થયો છે. તેમને તથા તેમના અંગત કાર્યકરોને ટિકીટ મળી રહે તે માટે પાર્ટીની અંદર એક નવું જૂથ ઉભુ થયુ છે. આ વખતે શહેર ભાજપનું જૂનું સંગઠન સુનિલ સોલંકીના ખભે બંદૂક ફોડે તેવી શક્યતા ઉભી થઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક વૈભવી ફાર્મહાઉસમાં ભાજપના સિનિયર નેતાઓની એક ગુપ્ત મિટીંગ યોજાઈ હતી. જેનો એજન્ડા મહત્તમ ટિકીટ મેળવવાનો હતો. કહેવાય છે કે, મિટીંગમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે, આ વખતે સુનિલ સોલંકી સહિત ૧૦ ટિકીટો જૂના કાર્યકર-નેતાઓને આપવામાં આવે. સુનિલ સોલંકીને વોર્ડ - ૮માં ટિકીટ આપવામાં આવે અને ચૂંટણી જીત્યા પછી એમને મેયર પણ બનાવવામાં આવે. વડોદરાના સિનીયર નેતાઓની આ રજૂઆત મોવડી મંડળ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે.
લોકહિત કે પાર્ટીહિતને બદલે સ્વહિતને પ્રાધાન્ય આપનારાને વડોદરાના માથે ફરી થોપી દેવાશે?
વડોદરા કોર્પોરેશનના ગત બોર્ડમાં મોટાભાગના એવા કાઉન્સિલરો હતા જે લોકહિત કે, પાર્ટીના હિતને બદલે સ્વહિતને પ્રાધાન્ય આપતા હતા. આ વખતે આવા સ્વાર્થી કાઉન્સિલરોની ટિકીટ કપાશે ? કે પછી એમને વડોદરાના માથે ફરી એકવાર થોપી દેવાશે ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે. ભાજપે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં વડોદરાના હિતને કેન્દ્ર સ્થાને રાખવુ જાેઈએ. અને કાઉન્સિલરની ખુરશીને પૈસા કમાવવાનું માધ્યમ ગણતા પૂર્વ કોર્પોરેટરોને ઘર ભેંગા કરી દેવા જાેઈએ.
ગોડફાધરોની પગચંપી કરનારાને મલાઈ આરોગવાની ફરી તક મળશે?
ગયા વખતે ભાજપના ૬૦ કાઉન્સિલરો ચૂંટણી જીત્યા હતા. પણ મોટાભાગના કાઉન્સિલરોની સ્થિતિ એવી છે કે, એમને એમના મતદારો પણ ઓળખતા નથી. અલબત્ત, એમના જ વોર્ડના લોકો એમના નામ સુધ્ધા જાણતા નથી. સ્વાભાવિક છે કે, મોટાભાગના કાઉન્સિલરો પ્રજાની વચ્ચે રહેવાને બદલે ગોડફાધરોની પગચંપીમાં વ્યસ્ત રહે છે અને તેને લીધે જ તેમની મતદારો વચ્ચે મૌજુદગી નામશેષ રહી છે. હવે, સવાલ એ ઉભો થાય છે કે, શું આ વખતે આવા પૂર્વ કાઉન્સિલરોની ટિકીટ કપાશે કે, પછી ગોડફાધરોની પગચંપી કરનારાઓને ફરીથી મલાઈ આરોગવાની તક મળશે?
અમે કોર્પોરેટરની નહીં, ચેરમેનની ટિકિટ માગવાના છીએ!
આવતીકાલે ભાજપના કેટલાય કાર્યકરો-નેતાઓ આગામી ચૂંટણીમાં કોર્પોરેટરની ટિકિટ મેળવવા માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવાના છે. પણ મનોજ પટેલ, અજીત દધીચ, નીતિન દોંગા, હિતેન્દ્ર પટેલ અને ડો. શીતલ મિસ્ત્રી જેવા પૂર્વ કાઉન્સિલરો સ્થાયી સમિતીના ચેરમેનની ટિકીટ માંગવા જતા હોય તેવુ લાગી રહ્યુ છે. આ તમામ નેતાઓના ટેકેદારો તેમને અત્યારથી જ ચેરમેન સાહેબ તરીકે સંબોધી રહ્યા છે. તેમના ગોડફાધરોનો આત્મવિશ્વાસ પણ બુલંદી પર છે. એમને એવુ જ છે કે, આ બધાને ટિકિટ તો મળવાની જ છે પણ ચૂંટણી જીત્યા પછી સ્થાયી સમિતીના ચેરમેનનું પદ પણ મળી જ જવાનુ છે.
ભાજપની ચૂંટાયેલી પાંખ અને સંગઠન સામસામે આવે તેવી શક્યતા
વડોદરા ભાજપમાં ઉમેદવારો નક્કી કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલુ કઠીન છે. આવા કઠિન કામને આંતરિક હૂંસાતૂંસી વધારે અઘરું બનાવે છે. આ વખતે પણ ટિકીટના વિતરણમાં ચૂંટાયેલી પાંખ અને સંગઠન સામસામે આવે તેવી શક્યતા છે. સ્વાભાવિક છે કે, ટિકીટ બાબતે અંદરોઅંદરની ખેંચતાણ શરુ થશે અને અસંતોષ પણ ઉભો થશે. આવામાં વચગાળાનો રસ્તો કેવી રીતે કાઢવો ? તેનો ર્નિણય મોવડી મંડળ નક્કી કરશે.
આફ્રિકન દેશ દક્ષિણ સુદાન ફરી એકવાર હિંસાની આગમાં સપડાયું છે. રાજધાનીની બહાર આવેલા સેન્ટ્રલ ઇક્વેટોરિયા રાજ્યના જેબેલ ઇરાક વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ભારે વિનાશ મચાવ્યો છે. સોમવારે પોલીસ પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે સોનાની ખાણ પર થયેલા એક ભયાનક હુમલામાં ૭૦ થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ હુમલો જેબેલ ઇરાક સોનાની ખાણના વિસ્તારમાં થયો હતો, જ્યાં લાંબા સમયથી ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ અને સત્તાવાર ખાણકામ કંપનીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા હૃદયદ્રાવક વીડિયોમાં ખુલ્લા મેદાનમાં ડઝનબંધ મૃતદેહો પડેલા જાેઈ શકાય છે. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, હુમલા સમયે જીવ બચાવવા માટે ઘણા લોકો નજીકની ઝાડીઓમાં ભાગી ગયા હતા, જેમાંથી અનેક હજુ પણ લાપતા હોવાનું મનાય છે.પોલીસ પ્રવક્તા ક્વાસિવોક ડોમિનિક એમોન્ડોકે આ હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બીજી તરફ, વિપક્ષી જૂથ SPLM/A-IO આ હત્યાકાંડની સખત નિંદા કરી છે અને તેનો સીધો દોષ સરકારી દળો પર ઢોળ્યો છે. વિપક્ષનો દાવો છે કે જેબેલ ઇરાક વિસ્તાર સંપૂર્ણપણે સરકારી દળોના નિયંત્રણ હેઠળ છે, તેથી આટલી મોટી સંખ્યામાં થયેલી હત્યાઓ માટે SSPDF જ જવાબદાર છે.
બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે ૯ લોકોના મોત થયા છે. ભીડમાં કચડાઈ જવાથી ૮ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં મોત થયું હતું. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે, શીતળા અષ્ટમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ત્યાં મેળો પણ ભરાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દર્શન કરવાની ઉતાવળમાં લોકોની ધક્કામુક્કી થઈ ગઈ. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. અકસ્માત બાદ મંદિર અને મેળો બંધ કરી દેવામાં આવ્યો હતો. ૮ મૃતકોમાંથી ૨ની ઓળખ થઈ શકી છે. તેમાં નાલંદા નિવાસી રીટા દેવી અને રેખા દેવીનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવાયા છે. દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહારશરીફ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. દીપનગર પોલીસ સ્ટેશનના એસએચઓ રાજમણિને સસ્પેન્ડ કરાયા છે.સરકારે મૃતકોના પરિવારને ૬ લાખ રૂપિયાનું અને કેન્દ્ર સરકારે ૨ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને પીએમ રાહત ભંડોળમાંથી ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. ઘાયલોને પણ ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
ગ્રાહક લોકરમાં કઇ કિંમતી વસ્તુઓ રાખે છે તે બેંક જાેઇ શક્તી નથી અને રેકોર્ડ પણ રાખી શકતી નથી કારણકે આમ કરવું બેકિંગ નિયમોનું ભંગ ગણાશે તેમ નાણા પ્રધાન ર્નિમલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું હતું.નાણા પ્રધાને લોકરમાં રાખેલ વસ્તુઓને આધારે અલગ અલગ વીમા કવરેજ આપવાની સંભાવનાઓને પણ નકારી કાઢી હતી.સિતારમને કોંગ્રેસ નેતા અને ગઢચિરોલી-ચિમૂર સંસદીય ક્ષેત્રનાં સાંસદ નામદેવ દાસરામ કિરસન દ્વારા પૂછવામાં આવેલા એક પૂરક પ્રશ્રનાં જવાબમાં આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકે લોકરમાં શું રાખ્યું છે તે જાણવું બેકિંગ નિયમોનો ભંગ છે. તેથી મારા માટે એ નક્કી કરવાનો કોઇ આધાર નથી કે વીમા કવરેજ અલગ અલગ હોવો જાેઇએ કે નહીં.નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે લોકર ધારકો માટે માનક કવરેજ કોઇ પણ નુકસાનની સ્થિતિમાં વાર્ષિક લોકર ભાડાનું ૧૦૦ ગણું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આવું એટલા માટે છે કારણકે બેંક લોકરમાં રાખેલ વસ્તુઓનૂું નિરીક્ષણ અથવા મૂલ્યાંકન કરી શકાતું નથી જેના કારણે વાસ્તવિક મૂલ્યને આધારે વીમો પ્રદાન કરવો અવ્યવહારિક થઇ જાય છે.
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતની ઊર્જા સપ્લાય પર પણ જાેવા મળી રહી છે. દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ અને ગેસ સપ્લાયના માર્ગ તરીકે ઓળખાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારત માટે જરૂરી ઈંધણ લઈને આવતા ૧૯ જહાજાે ફસાઈ ગયા છે. આ જહાજાેમાં એલપીજી ક્રૂડ ઓઈલ અને એલએનજી જેવા મહત્વપૂર્ણ સંસાધનો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પરિસ્થિતિ પર કડક નજર રાખી છે અને સૌથી પહેલા ભારતીય જહાજાે અને નાવિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ૧૯ જહાજાેમાં જરૂરી ઈંધણ, સપ્લાય પર અસરની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફસાયેલા ૧૯ જહાજાેમાંથી ૧૦ વિદેશી ધ્વજવાળા જહાજાે છે. જેમાં ૩ એલપીજી, ૪ ક્રૂડ અને ૩ એલએનજીના જહાજાે છે. ઉપરાંત, ભારતીય ધ્વજવાળા જહાજાે પણ આ સંકટમાં ફસાયા છે, જેમાં એલપીજી, એલએનજીઅને ક્રૂડ ઓઈલના ટેન્કરો સામેલ છે. આ સ્થિતિને કારણે ભારતમાં ઈંધણની સપ્લાય પર અસર થવાની આશંકા વધી ગઈ છે, કારણ કે આ બધા જહાજાે જરૂરી ઊર્જા સંસાધનો લઈને આવી રહ્યા છે. ૫૦૦ જહાજાેની ભીડમાં ફસાયો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ-સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂબ જ સાંકડી દરિયાઈ લાઈન છે, જ્યાં હાલમાં લગભગ ૫૦૦ જેટલા જહાજાે ફસાયા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે અહીં જહાજાેની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે.
ઈરાનની સંસદમાં હોર્મુઝ અંગે નવો કાયદો
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજાે પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે. ઈરાની સરકારી મીડિયા ૈંઇૈંમ્ના અહેવાલ મુજબ, આ નવી યોજના હેઠળ હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતા તમામ વ્યાપારી જહાજાેએ ટેક્સ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે.
અમેરિકા દર સેકન્ડે રૂ. ૯.૮ લાખ ખર્ચે છે રોજનો રૂ. ૮,૪૫૫ કરોડનો ધુમાડો!
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે. અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડે ૧૦,૩૦૦ ડૉલર(આશરે ૯.૮ લાખ રૂપિયા) ખર્ચ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના ૩૧મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં ૨૭.૬૮ અબજ ડૉલર(આશરે ૨.૬૩ લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા દરરોજ સરેરાશ ૮૯૦ મિલિયન ડૉલર(આશરે ૮,૪૫૫ કરોડ રૂપિયા) આ જંગ પાછળ ખર્ચી રહ્યું છે.
Loading ...
