ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આવતીકાલ ૧૪ જુલાઈથી શરૂ થશે. પહેલી મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ટી૨૦ શ્રેણીમાં હાર બાદ, ભારતીય ટીમ વનડેમાં પાછા ફરવાનો લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.ભારતે અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં ૪૪ વન ડે રમી છે. જેમાંથી ટીમે ૧૮ જીતી છે અને૨૩ હારી ગઇ છે. એક મેચ ટાઈ રહી હતી. બે મેચ ડ્રો રહી હતી.ટી૨૦ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન અપેક્ષાઓ કરતાં ઓછું હતું. તેથી, ટીમ વન ડે માં તેમની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી બેટિંગ ક્રમને મજબૂત બનાવશે. શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઇશાન કિશન અને અક્ષર પટેલ મધ્યમ ક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે. વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને નીતિશ કુમાર રેડ્ડી ઓલરાઉન્ડ ફરજાે ભજવશે. બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને ગુર્નુર બ્રાર છે. કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ સ્પિન વિભાગનો ભાગ છે,ભારતીય ટીમ: શુભમન (કેપ્ટન), રોહિત શર્મા, કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ગુર્નુર બ્રાર, પ્રિન્સ યાદવન્ સામેલ છે.
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયામાં આખા મામલાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે હાલ તપાસ ચાલી રહી છે. આ સાથે જ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી એસઆઇટીનો સ્ટેટસ
રિપોર્ટ પણ મંગાવ્યો છે. હાલ સુરક્ષા અને ગુપ્તતાના કારણોસર આ રિપોર્ટની નકલ અરજીકર્તાઓને આપવામાં નહીં આવે અને તેને સીલબંધ પરબિડીયામાં જ કોર્ટ સમક્ષ રજૂ કરાશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચ દ્વારા આ મામલે દાખલ ચાર અરજીઓ પર સુનાવણી શરૂ કરાઈ છે, જેની આગામી સુનાવણી ૨૦મીએ હાથ ધરાશે. રામ મંદિરમાં દાન તરીકે આવેલા દાનની ચોરીના આ ગંભીર મામલામાં હવે હિન્દુ ધર્મ પરિષદ પણ સુપ્રીમ કોર્ટના શરણે ગઈ છે. સંસ્થાએ માંગ કરી છે કે આ કથિત દાન ચોરીની તપાસ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ થવી જાેઈએ, જેથી કરીને આખી પ્રક્રિયા પારદર્શક રહે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ ચાર અરજીઓ દાખલ થયેલી છે, જેમાં વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, અજય કુમાર રાય અને આરજેડી સાંસદ સુધાકર સિંહની અરજીઓ સામેલ છે. બે અરજીમાં મામલાની સીબીઆઇ તપાસ કરાવવાની માગ કરાઈ છે, જ્યારે અન્ય એક અરજીમાં પુરાવાઓ સુરક્ષિત રાખવા અને મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની અપીલ કરાઈ છે.
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનર વિવાદમાં ફસાઈ ગઈ છે. તેની ભાગીદાર મોનિકા રાઈટએ જાહેરમાં આરોપ લગાવ્યો છે કે ગાર્ડનરનું ઓસ્ટ્રેલિયન ખેલાડી જ્યોર્જિયા વોલ સાથે અફેર હતું. ગાર્ડનરના વૈવાહિક તૂટવાનું કારણ અન્ય ખેલાડી સાથેના અફેર હતા. જાેકે, અહેવાલમાં ખેલાડીનું નામ આપવામાં આવ્યું નથી.
મોનિકા રાઈટએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જ્યોર્જિયા વોલનો ફોટો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ડેઈલી મેઈલનો અહેવાલ ખૂબ જ અસ્પષ્ટ હતો. ત્યારબાદ તેણે સીધું જ્યોર્જિયા વોલનું નામ લીધું હતું, અને દાવો કર્યો હતો કે તે આ સમગ્ર અફેરમાં સામેલ હતી. આ મામલો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો.
ગાર્ડનર અને રાઈટ વચ્ચે અણબનાવ આ વર્ષે ભારતમાં રમાયેલા મહિલા વન ડે વર્લ્ડ કપ દરમિયાન શરૂ થયો હતો. ટીમની નજીકના એક અનામી સ્ત્રોતને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે રાઈટ ટુર્નામેન્ટ દરમિયાન ભારતની મુલાકાતે આવી હતી, અને ટીમના ખેલાડીઓએ જાેયું કે ગાર્ડનર તેના સામાન્ય દેખાવમાં દેખાતી નથી. અહેવાલ મુજબ, વર્લ્ડ કપમાંથી સિડની પરત ફર્યા પછી, ગાર્ડનરે રાઈટને કહ્યું કે તેમના સંબંધોમાં કંઈક બદલાવ આવ્યો છે, અને આ વાતચીતથી તેમના સંબંધોનો અંત આવ્યો.તેમના અલગ થયા પહેલા, બંને પરિવાર શરૂ કરવાની યોજનાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાર્ડનરે નવેમ્બરમાં તેનું સિડની ઘર છોડી દીધું હતું અને તેના લગ્નની વીંટીઓ પાછળ છોડી દીધી હતી.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. બોર્ડના વરિષ્ઠ સંચાર અધિકારી, રિચાર્ડ હિન્ડ્સે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ડેઇલી મેઇલે એશ્લે ગાર્ડનરનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ લખાય ત્યાં સુધી, તેણીએ રિપોર્ટ અથવા મોનિકા રાઈટના આરોપોનો જાહેરમાં જવાબ આપ્યો ન હતો. જ્યોર્જિયા વોલે પણ આ બાબતે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. એશ્લે ગાર્ડનર અને મોનિકા રાઈટ ૨૦૨૫ મહિલા ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ દરમિયાન જાહેરમાં સાથે જાેવા મળ્યા હતા. તે સમયે, રાઈટ ગાર્ડનરને ટેકો આપવા માટે ભારત આવી હતી. આ જ ટુર્નામેન્ટ દરમિયાન, ઇન્દોરમાં બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે કથિત છેડતીની ઘટના બાદ ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બે ખેલાડીઓનો પીછો કરવામાં આવ્યો હતો, અને એકની બાઇક પર સવાર એક વ્યક્તિ દ્વારા છેડતી કરવામાં આવી હતી. બાદમાં મધ્યપ્રદેશ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
દેશમાં ટૂંક સમયમાં જ નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળા, વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો માટે રસોઈ ગેસનો ઉપયોગ ઘણો સરળ બની જશે. ઇન્ડિયન ઓઇલ , ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી ઓઇલ કંપનીઓ હવે ૧૦ કિલોનું હલકું કોમ્પોઝિટ LPG સિલિન્ડર કોમર્શિયલ ઉપયોગ માટે પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી નાના વેપારીઓએ ૧૯ કિલોનું ભારે કોમર્શિયલ સિલિન્ડર વાપરવું પડતું હતું, જેને લાવવા-લઈ જવામાં અને રાખવામાં ઘણી મુશ્કેલી થતી હતી. જાે આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો આ નવું અને હલકું સિલિન્ડર લાખો લોકો માટે ખૂબ જ રાહતરૂપસાબિત થશે.
હાલમાં બજારમાં ૧૯ કિલો, ૫ કિલો અને ૨ કિલોના કોમર્શિયલLPG સિલિન્ડર ઉપલબ્ધ છે. પરંતુ ૧૯ કિલોનું સિલિન્ડર વજનમાં ઘણું ભારે હોય છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ નથી હોતું. આ જ કારણે નાના કેફે, ચાની દુકાનો, ફૂડ સ્ટોલ, લારીવાળા અને ભાડાના મકાનોમાં રહેતા લોકો લાંબા સમયથી હલકા અને સુવિધાજનક સિલિન્ડરની માંગ કરી રહ્યા હતા. હવે ઓઇલ કંપનીઓ આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ૧૦ કિલોના કોમ્પોઝિટ સિલિન્ડરને કોમર્શિયલ ઉપયોગ માટે લોન્ચ કરવા પર વિચાર કરી રહી છે. આ નવું સિલિન્ડર હાઈ ડેન્સિટી પોલીએથિલિન આધારિત ટૅક્નોલૉજીથી તૈયાર કરાયું છે. આ સિલિન્ડરપરંપરાગત સ્ટીલ સિલિન્ડરની તુલનામાં આશરે ૫૦% હલકું હોય છે.
આજકાલ દેશમાં ઈ૨૦ પેટ્રોલ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. સરકારનો દાવો છે કે ઈ૨૦ પેટ્રોલ પર્યાવરણ માટે સારો વિકલ્પછે અને તેનાથી વાહનના પરફોર્મ પર કોઈ મોટી નકારાત્મક અસર નહીં પડે. જાેકે, કેટલાક કિસ્સાઓમાં માઇલેજમાં થોડો ઘટાડો જાેવા મળી શકે છે. સરકારના મતે, ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ કરવાથી એન્જિનની લાઈફ પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. આ પેટ્રોલ સંપૂર્ણપણે સલામત છે, ખાસ કરીને ઈ૨૦ ઇંધણ માટે રચાયેલ વાહનોમાં. કંપનીઓ હવે નવી કાર અને બાઇક લોન્ચ કરી રહી છે જે ઈ૨૦ સુસંગત છે, જે એન્જિન અને ઇંધણ સિસ્ટમ લાંબા સમય સુધી શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે તેની ખાતરી કરે છે.ઈ૨૦ પેટ્રોલમાં પેટ્રોલની સરખામણીએ ઉર્જાની માત્રા થોડી ઓછી છે. પરિણામે કેટલાક વાહનોના માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે. ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ કરવાથી માઇલેજ લગભગ ૧ થી ૫ ટકા ઘટી શકે છે.
આનો અર્થ એ છે કે જાે તમારું વાહન અગાઉ ૨૦ કિલોમીટર પ્રતિ લિટર ઇંધણ પહોંચાડતું હોય તો ઈ૨૦ નો ઉપયોગ કર્યા પછી તેમાં થોડો ઘટાડો જાેવા મળી શકે છે.
માઈલેજ ઓછી થવા છતાં સરકારનો દાવો છે કે વાહનની પિકઅપઅને ડ્રાઇવિંગ પરફોર્મ મજબૂત રહેશે. આધુનિક એન્જિનો ઈ૨૦ પેટ્રોલ માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે, જે ખાતરી કરશે કે પાવર ડિલિવરી અથવા એન્જિન ક્ષમતામાં કોઈ મોટી સમસ્યા નહીં હોય. ઘણા કિસ્સાઓમાં સુધારેલ કમ્બશન પણ સરળ એન્જિન અનુભવમાં પરિણમી શકે છે.
જૂના વાહનો વિશે પણ ચિંતાઓ છે. ઈ૨૦ માટે ડિઝાઇન ન કરાયેલા વાહનોમાં લાંબા સમય સુધી ઉપયોગથી ઇંધણ પાઇપ, રબર સીલ અને અન્ય પાર્ટ્સને અસર થવાની આશંકા છે. નવા વાહનોને ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને વધુ સરળતાથી હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
Loading ...
