નવી દિલ્હી:કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના ર્નિણયો લીધા. સરકારે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય (ભારત ઔદ્યોગિક વિકાસ યોજના)ને મંજૂરી આપી છે. ૩૩,૬૬૦ કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના હેઠળ દેશભરમાં ૧૦૦ ઔદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યોજના હેઠળ બનનારા ઔદ્યોગિક પાર્કમાં ઉદ્યોગો માટે જમીન, વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ યોજનાથી દેશમાં રોકાણ વધશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશના બારાબંકીથી બહરાઇચ વચ્ચે ૪-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે-૯૨૭ના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર લગભગ ૬,૯૬૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.આ ઉપરાંત, સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૩૦-૩૧ના સમયગાળા માટે સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. કેબિનેટે કપાસ સીઝન ૨૦૨૩-૨૪ માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને રૂા.૧,૭૧૮.૫૬ કરોડના ફંડિંગને મંજૂરી આપી છે, જેથી કપાસના ખેડૂતોને સીધો ટેકો આપી શકાય. સાથે વિદેશી ફંડિંગ સાથે જાેડાયેલા હ્લઝ્રઇછ સંશોધન બિલને પણ કેબિનેટમાં લીલી ઝંડી મળી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં બિન-સરકારી સંગઠનોને મળતા વિદેશી ફંડમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે.
નવી દિલ્હી :રાજ્યસભામાં બુધવારે એપ્રિલથી જુલાઈ વચ્ચે નિવૃત્ત થઈ રહેલા ૫૯ સાંસદોને વિદાય આપવામાં આવી. આ સભ્યોમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, શરદ પવાર, ઉપસભાપતિ હરિવંશ અને આરપીઆઇ નેતા રામદાસ આઠવલે સામેલ છે. જાેકે, શરદ પવાર અને રામદાસ આઠવલે ફરીથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા વિશે કહ્યું, ‘હું સૌથી પહેલા દેવગૌડાજીનો ઉલ્લેખ કરવા માંગીશ. મને ખબર નથી કે તેમને શું થયું, પ્રેમ અમારી સાથે કર્યો, પણ લગ્ન મોદીજી સાથે કર્યા.’ તેના પર પીએમને હસવું આવી ગયું. આ પ્રસંગે પીએમ મોદીએ સંસદને એક ‘ઓપન યુનિવર્સિટી’ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. ભવિષ્ય તમારી રાહ જાેઈ રહ્યું છે અને તમારો અનુભવ આપણા રાષ્ટ્રીય જીવનનો કાયમી હિસ્સો બની રહેશે.ઉપસભાપતિ હરિવંશે જણાવ્યું કે, “સભાપતિજી, આપે મને બોલવાની તક આપી તે બદલ આભાર. વડાપ્રધાન મોદી અને સભાપતિજી, આપે મારા માટે જે શબ્દો કહ્યા છે, તે મારા જીવનની ક્યારેય ન ભૂલાય તેવી અમૂલ્ય સ્મૃતિ બની રહેશે. હું અહીં બોલાયેલા દરેક સભ્યોના શબ્દો સાથે મારી જાતને જાેડી રહ્યો છું.”તેમણે કહ્યું કે, “આપના આવ્યા પછી સંસદની કાર્યવાહી કેવી રીતે સુચારૂ રીતે ચાલે તે માટે સતત પ્રયાસો થતા રહ્યા છે. આ સદનના સભ્ય જે.પી. નડ્ડાજીનું મર્યાદિત અને શિસ્તબદ્ધ આચરણ હંમેશા યાદ રહેશે. ખડગેજીની સાથે બેસવાની તક મળી અને દરેક ક્ષણે સતર્ક રહેવાની તેમની શૈલી તેમજ તેમના બહોળા અનુભવમાંથી ઘણું શીખવા મળ્યું છે.
દેશમાં એલપીજી પુરવઠાની અછત વચ્ચે અન્ય એક ભારતીય ધ્વજવાળું તેલ ટેન્કર, ‘જગ લડકી’, જે આશરે ૮૦,૮૦૦ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને બુધવારે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું. ટેન્કર રવિવારે સવારે ફુજૈરા બંદરથી રવાના થયું હતું. બંદરના તેલ ટર્મિનલ પર હુમલાના એક દિવસ પછી જ આ ઘટના બની હતી, જેના કારણે કામગીરી અસ્થાયી રૂપે ખોરવાઈ ગઈ હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૪ માર્ચના રોજ, જ્યારે ભારતીય ધ્વજવંદન જહાજ ‘જગ લડકી’ ફુજૈરાહમાં ‘સિંગલ પોઈન્ટ મૂરિંગ‘ પર ક્રૂડ ઓઈલ લોડ કરી રહ્યું હતું, ત્યારે ફુજૈરાહ તેલ ટર્મિનલ પર હુમલો થયો હતો. ‘જગ લડકી’ ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ પછી ત્રીજું ભારતીય ધ્વજવંદન જહાજ છે જે સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પહોંચ્યું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે આ તેલ ટાંકીઓ ભારતમાં આવી છે.
તેહરાન:મિડિલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા-ઇઝરાયલે હવે ઈરાનના ઉર્જા ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર અને અસલુયેહ શહેરના તેલ અને ગેસ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. દક્ષિણ પાર્સ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ગેસ ફિલ્ડ માનવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ, હુમલામાં ગેસની સાથે-સાથે પેટ્રોકેમિકલ અને તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ઇઝરાયલી મીડિયાએ પણ ગેસ સુવિધાઓ પર હુમલાની જાણકારી આપી છે.
અમેરિકા અને ઇઝરાયલ તરફથી અત્યાર સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલા ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું હતું કે આજે ઈરાન અને લેબનનમાં ‘મોટું સરપ્રાઈઝ’ જાેવા મળશે, જેને આ હુમલાઓ સાથે જાેડીને જાેવામાં આવી રહ્યા છે. તેના જવાબમાં ઈરાને ખાડી દેશોમાં મોટા હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડએ લોકોને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતારના મુખ્ય ઓઈલ અને ગેસના ઠેકાણાઓથી દૂર રહેવા માટે કહ્યું છે.
જવાબમાં ઈરાનનો ઇઝરાયલ પર મિસાઈલ હુમલો
ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલોને રોકવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે. સેનાએ જણાવ્યું કે સંભવિત લક્ષ્યવાળા વિસ્તારોમાં લોકોને મોબાઈલ એલર્ટ મોકલીને તરત જ સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હુમલામાં જાનહાનિની માહિતી હાલમાં સામે આવી નથી.
ઈઝરાયલના હુમલામાં ઈરાનના મંત્રી ઈસ્માઈલ ખતીબનું મોત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનને વધુ એક મોટો સુરક્ષા ફટકો પડ્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ બુધવારે જાહેરાત કરી હતી કે ઈઝરાયેલી સૈન્યએ ઈરાનના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખતીબને ઠાર કર્યા છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કેટ્ઝે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલી દળોએ ઈરાનના ગુપ્તચર વડાને નિશાન બનાવીને સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે. આ ઘટના બાદ ઈરાનના સરકારી ટેલિવિઝને પણ બુધવારે ઓન-એર સમાચાર પ્રસારિત કરીને મંત્રી ઈસ્માઈલ ખતીબના મોતના સમાચારને સમર્થન આપ્યું છે. ઈસ્માઈલ ખતીબની હત્યા એ ઈઝરાયેલ દ્વારા ઈરાનના ટોચના સૈન્ય અને સુરક્ષા અધિકારીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશનો એક ભાગ છે. આ અગાઉ ઈઝરાયેલે ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડના ‘બાસીજ’ દળના વડાની પણ હત્યા કરી હતી.
યુદ્ધમાં માર્યા ગયેલા ઈરાનના મુખ્ય નેતાઓ અને અધિકારીઓ
• અયાતુલ્લા અલી ખામેની ઈરાનના સુપ્રીમ લીડર
• અલી લારીજાની ઈરાન સિક્યુ.કાઉન્સિલ ચીફ
• અલી શામખાની ખામેનીના નજીકના સલાહકાર
• મોહમ્મદ પાકપૂર આઇઆરજીસી ચીફ
• અઝીઝ નસીરઝાદેહ રક્ષામંત્રી
• અબ્દોલરહીમ મૌસવી આર્મી ચીફ
• ગુલામરેઝા સુલેમાની બસીજ ફોર્સ કમાન્ડર
તેમના પરમાણુ હથિયારો અમેરિકા માટે ગંભીર જાેખમ : તુલસી ગાબાર્ડનો પાક.- ચીન પર પ્રહાર
અમેરિકાના ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ડીએનઆઈ) તુલસી ગાબાર્ડે પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ આકરા તેવર અપનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાન અને ચીન પાસે રહેલા પરમાણુ હથિયારો સીધી રીતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે. તુલસી ગાબાર્ડે પાકિસ્તાનની આંતરિક રાજકીય અને આર્થિક અસ્થિરતા તરફ ઈશારો કરતા કહ્યું કે, જાે પાકિસ્તાનના પરમાણુ હથિયારો કોઈ આતંકવાદી સંગઠન કે કટ્ટરપંથીઓના હાથમાં જશે તો તે વિશ્વ માટે વિનાશક સાબિત થઈ શકે છે. ચીન અંગે જણાવ્યું કે, બેઇજિંગ જે રીતે ઝડપથી પોતાના પરમાણુ શસ્ત્રાગારનો વિસ્તાર કરી રહ્યું છે, તે અમેરિકાના વ્યૂહાત્મક હિતોને સીધો પડકાર ફેંકી રહ્યું છે.
૧૦ લાખ ભારતીયોની સુરક્ષા જરૂરી : હુમલા બાદ ઁસ્ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સને ફોન કર્યો ઈરાન સાઉદી અરેબિયાથી લઈને કુવૈત સુધીના દેશો પર હુમલાઓ કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-સબાહ સાથે ફોન પર વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે ટેલિફોનિક વાતચીત કરીને કુવૈતના સાર્વભૌમત્વનું સંપૂર્ણ સમર્થન કર્યું છે અને વર્તમાન સ્થિતિમાં કુવૈતના લોકો સાથે ઊભા રહેવાની વાત કહી છે. બંને નેતાઓ વચ્ચે કુવૈતમાં કામ કરતાં ૧૦ લાખથી વધુ ભારતીયોની સુરક્ષા મામલે પણ વાતચીત કરવામાં આવી છે. એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફોન કૉલ મહત્ત્વનો મનાય છે. મોદીએ સરહદોના ઉલ્લંઘનની કડક શબ્દોમાં ટીકા કરી છે.
ઇન્દોર :ઇન્દોરમાં ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી, જેના કારણે ત્રણ માળની રહેણાંક ઇમારત લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં રબરના ઉદ્યોગપતિ મનોજ પુગલિયા અને તેમની ગર્ભવતી પુત્રવધૂ સિમરન સહિત આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાંથી છ મનોજના સંબંધીઓ હતા, જેઓ મંગળવારે બિહારના કિશનગંજથી આવ્યા હતા. આ ઘટના બુધવારે વહેલી સવારે ૩:૩૦થી ૪:૦૦ વાગ્યાની વચ્ચે બંગાળી સ્ક્વેર નજીક ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આગ ઘરની અંદર રાખેલા ગેસ સિલિન્ડરોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે તે એક પછી એક વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો. દરવાજા પર લગાવેલા ડિજિટલ લોક ખુલી શક્યા નહીં, જેના કારણે અંદર સૂતા લોકોને બચવાની કોઈ તક મળી નહીં.
રહેવાસીઓએ અહેવાલ આપ્યો કે ફાયર બ્રિગેડની ગાડીઓ ચેતવણી આપ્યાના લગભગ એક કલાક પછી ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવારે તિલક નગર મુક્તિધામ ખાતે મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા. એક સાથે સાત ચિતાઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ખૂબ જ પ્રયાસો પછી અંદર ફસાયેલા લોકો સુધી પહોંચ્યાં પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. આ દુ:ખદ અકસ્માતે ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરતી વખતે લેવાતી સાવચેતીઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ઇન્દોરના કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું હતું કે, મનોજ નામના એક ઉદ્યોગપતિના ઘરમાં આગ લાગી હતી. તેમના ઘરની બહાર ઇલેક્ટ્રોનિક્સ વાહન ચાર્જ થઇ રહ્યું છે. તેના કારણે શોર્ટ સર્કિટ થયું અને ત્રણ માળનું ઘર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગયું હતું. ઘટનાસ્થળે ૧૦ થી વધુ લોકો હાજર હતા, જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ૮ અન્ય લોકોના મોત થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારને ૨ લાખ અને ઘાયલોને ૫૦,૦૦૦ની સહાયની જાહેરાત કરી હતી.
ઈન્દોર બાદ દિલ્હીમાં ૪ માળની ઈમારતમાં આગથી ૯નાં મોત
દિલ્હીના પાલમ વિસ્તારના સાધ નગરમાં બુધવારે વહેલી સવારે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાલમના સાધ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં સવારે ૭ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જાેતજાેતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું, જેમાં એક જ પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસને સવારે ૭ વાગ્યે આગની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ૩૦ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ઈમરજન્સી સેવાઓની મદદથી ઈમારતમાં ફસાયેલા ૯ જેટલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને બિલ્ડિંગમાંથી આવતા ચીખ-પુકારને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા એટલા પ્રચંડ હતા કે બચાવ માટે અંદર જવું અશક્ય બની ગયું હતું.દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, આગ રહેણાંક મકાનમાં લાગી હતી અને તેમાં ફસાયેલા લોકો પૈકી ૯ લોકોના મોત થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Loading ...
