લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શિવસેના (UBT)ના ૬ સાંસદોના શિંદે જૂથમાં વિલયને મંજૂરી આપી છે. સાથે જ, TMCથી અલગ થઈને NCPIમાં જાેડાયેલા ૨૦ સાંસદોને પણ લોકસભામાં અલગ બેસવાની માન્યતા મળી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શિવસેના (UBTના ૬ સાંસદોના શિવસેના (શિંદે) જૂથમાં વિલયને મંજૂરી આપી દીધી છે. આ સાથે જTMCથી અલગ થઈને NCPIમાં સામેલ થયેલા ૨૦ સાંસદોને પણ લોકસભામાં અલગ બેસવાની માન્યતા મળી ગઈ છે. બીજી તરફ, સંસદના ચોમાસુ સત્ર પહેલા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતા અને સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને અન્ય ૧૯ લોકસભા સાંસદોને રવિવારના રોજ યોજાનારી સર્વદળીય બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની હાર બાદ,TMCના બળવાખોર ૨૦ સાંસદો નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં સામેલ થઈ ગયા છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને આ વિલયને સત્તાવાર માન્યતા આપવાની માંગ કરી હતી.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં જ તમે અન્ય ૧૯ સાંસદો સાથે NCPIમાં જાેડાયા છો, અને લોકસભા સ્પીકર પાસે અલગ ઓળખ માટે વિનંતી કરી છે, જે હાલ વિચારાધીન છે.
આગામી ચોમાસુ સત્રમાં ગૃહ સમક્ષ આવનારા મહત્વના મુદ્દાઓ અને કાયદાકીય કામો પર ચર્ચા કરવા માટે લોકસભા અને રાજ્યસભાના રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સની બેઠકમાં તમને આમંત્રિત કરતા મને આનંદ થાય છે. સંસદના બંને ગૃહોની કામગીરી સુચારૂ રૂપે ચાલે તે માટે હું તમારા સહકારની અપેક્ષા રાખું છું.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગાળાગાળી કે અપશબ્દોનો ઉપયોગ કરવો હંમેશા અશ્લીલતાના દાયરામાં આવતો નથી. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું કે કોઈ શબ્દ ત્યારે જ અશ્લીલ ગણાશે, જ્યારે તે કામુકતાને પ્રોત્સાહન આપનારો હોય અથવા લોકોને ભ્રષ્ટ કરવાની વૃત્તિ ધરાવતો હોય. કોર્ટે આ ટિપ્પણી તમિલનાડુના એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. આરોપી મણિને જમીન વિવાદ દરમિયાન મા વિશેની ગાળ આપવા બદલ અશ્લીલતાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.ઓગસ્ટ ૨૦૧૭માં જમીન વિવાદને લઈને આરોપીએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી. પીડિતનો આરોપ હતો કે આરોપીએ જાતિસૂચક શબ્દો પણ કહ્યા હતા. બાદમાં ઘરેથી હથિયાર લાવીને હુમલો કર્યો હતો, જેના કારણે તેની નાકનું હાડકું તૂટી ગયું હતું. સુપ્રીમ કોર્ટે અશ્લીલતા અને ગુનાહિત ધમકીના આરોપોમાંથી આરોપીને નિર્દોષ છોડી મૂક્યો. કોર્ટે કહ્યું કે ગાળો આપવાથી કોઈને પરેશાની થઈ, તે સાબિત થયું નથી. જાેકે, ફરિયાદીને ગંભીર ઈજા પહોંચાડવના કેસમાં તેની સજા યથાવત રાખવામાં આવી છે. આરોપીની ઉંમર આશરે ૭૦ વર્ષ હોવા અને સ્વાસ્થ્યની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની સજા ઘટાડી તેને ૨ મહિનાની અંદર રૂા.૫૦,૦૦૦નો દંડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ૧૦ જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક વકીલે હંગામો કર્યો. સીજેઆઇ સૂર્યકાંતને અપશબ્દો કહ્યા અને ફાઇલ પણ ફેંકી હતી.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ તૂટતાં સંઘર્ષ વકર્યો છે. અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકન સહયોગી દેશો પર મિસાઇલ-ડ્રોન હુમલા કર્યા. કુવૈત ઍરપૉર્ટ ઠપ થવા સાથે પાણી પુરવઠો ખોરવાયો છે. ઈરાને અમેરિકન સૈન્ય મથકો અને ફાઇટર જેટ્સ તબાહ કર્યાનો દાવો કર્યો છે. આને કારણે ક્રૂડના ભાવ ૪% વધ્યા છે.અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ એક જ સપ્તાહમાં તૂટી જતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હવે ખૂબ જ ગંભીર તબક્કે પહોંચી ગયો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ અને સૈન્ય પુરવઠાના કેન્દ્રો પર જાેરદાર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાના જવાબમાં, શનિવારે ઇરાને વળતો પ્રહાર કરીને ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકાના સહયોગી દેશો પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. આ ભીષણ સ્થિતિને કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળવાનો ગંભીર ખતરો ઊભો થયો છે.
ઈરાનના સખત હુમલાને કારણે કુવૈત ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. વારંવાર થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના જાેખમને પગલે કુવૈત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઈરાની હુમલામાં કુવૈતના એક પાવર જનરેશન અને દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ (ડીસેલિનેશન પ્લાન્ટ) પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. નવી દિલ્હી,તા.૧૮
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ તૂટતાં સંઘર્ષ વકર્યો છે. અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકન સહયોગી દેશો પર મિસાઇલ-ડ્રોન હુમલા કર્યા. કુવૈત ઍરપૉર્ટ ઠપ થવા સાથે પાણી પુરવઠો ખોરવાયો છે. ઈરાને અમેરિકન સૈન્ય મથકો અને ફાઇટર જેટ્સ તબાહ કર્યાનો દાવો કર્યો છે. આને કારણે ક્રૂડના ભાવ ૪% વધ્યા છે.અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ એક જ સપ્તાહમાં તૂટી જતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હવે ખૂબ જ ગંભીર તબક્કે પહોંચી ગયો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ અને સૈન્ય પુરવઠાના કેન્દ્રો પર જાેરદાર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાના જવાબમાં, શનિવારે ઇરાને વળતો પ્રહાર કરીને ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકાના સહયોગી દેશો પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. આ ભીષણ સ્થિતિને કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળવાનો ગંભીર ખતરો ઊભો થયો છે.
ઈરાનના સખત હુમલાને કારણે કુવૈત ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. વારંવાર થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના જાેખમને પગલે કુવૈત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઈરાની હુમલામાં કુવૈતના એક પાવર જનરેશન અને દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ (ડીસેલિનેશન પ્લાન્ટ) પર બોમ્બમારો કરવામાં આવ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ ઈરાનની લશ્કરી તાકાતને નબળી પાડવાનો હતો. આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવી રહી હતી. ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જાે જરૂર પડે તો મુખ્ય ઈરાની સ્થાપનો પર હુમલાઓ વધુ તીવ્ર બનાવવામાં આવશે. જાે જરૂર પડે તો જમીની લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો છે. સૈન્ય કાર્યવાહી વચ્ચે ઈરાને અનેક મોટા દાવા કર્યા છે.
ઈરાની મીડિયા અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જણાવ્યા મુજબ, બુશેહર ઉપર ઉડી રહેલા અમેરિકાના MQ-9રીપર ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ઈરાનનો દાવો છે કે, અંદાજે ૩.૪ કરોડ ડોલરની કિંમત ધરાવતું આ ડ્રોન થોડા જ ક્ષણોમાં નષ્ટ થઈ ગયું. જાેકે, અમેરિકા તરફથી આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસિન રઝાઈએ જણાવ્યું કે જાે અમેરિકાના હુમલા હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો ઈરાન પોતાની સંપૂર્ણ તાકાત સાથે જવાબી સૈન્ય કાર્યવાહી શરૂ કરશે. અમેરિકા જે દેશોની જમીન અથવા સૈન્ય મથકોનો ઉપયોગ કરશે, ત્યાં આવેલી અમેરિકન કંપનીઓને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. ઈરાનના સરકારી ટીવી અને તસ્નીમ સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે, હોર્મુઝ જળમાર્ગના દક્ષિણ ભાગમાં બે તેલના ટેન્કરો વિસ્ફોટ બાદ આગની ઝપેટમાં આવી ગયા. ઈરાનનું કહેવું છે કે તેણે અગાઉથી જ જહાજાેને આ માર્ગનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી.
અમેરિકી સૈન્ય કાર્યવાહીને કારણે હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયો છે. ઉપરાંત, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે કુવૈત અને જાેર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા અને જાેર્ડનના મુવાફ્ફક સાલ્ટી એર બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.
જાેર્ડન પર ઈરાનનો હુમલો :USના ૪ હજાર સૈનિકો તહેનાત, અનેક ઘાયલ
ઈરાને જાેર્ડનમાં અમેરિકી સૈન્ય મથકો પર વળતો હુમલો કરતાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. કુલ મળીને જાેર્ડનમાં અમેરિકાના લગભગ ત્રણથી ચાર હજાર સૈનિકો તૈનાત છે. શનિવારે અને આ પહેલા ઈરાને જાેર્ડનમાં અમેરિકા સાથે જાેડાયેલા બે મથકો પર હુમલા કર્યા. જેમાં મુવફ્ફાક સાલ્તી એર બેઝ અને પ્રિન્સ હસન એર બેઝ સામેલ છે.
દિલ્હીના જંતર-મંતર પર દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને દ્ગઈઈ્ પેપર લીક વિવાદ મુદ્દે છેલ્લા ૨૦ દિવસથી આમરણ અનશન પર બેઠેલા પ્રખ્યાત ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સવારે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘટના બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ હોસ્પિટલ બહાર પત્રકારો સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું છે કે, વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવા છતાં તેમનું અનશન ચાલુ જ છે અને આગામી ૨૦ જુલાઈએ યોજાનારી સંસદ માર્ચ પોતાના નિર્ધારિત સમય મુજબ જ આગળ વધશે. ગીતાંજલિ જે. આંગમોએ જણાવ્યું કે, ૨૦ જુલાઈએ સંસદ તરફ યોજાનારી માર્ચ સંપૂર્ણપણે યથાવત છે. શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવો એ વહીવટીતંત્ર અને નીતિ ઘડવૈયાઓની જવાબદારી છે. આપણું કામ માત્ર તેમને એ જણાવવાનું છે કે વર્તમાન સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી છે.આ આંદોલન હવે માત્ર દ્ગઈઈ્ પેપર લીક પૂરતું મર્યાદિત નથી રહ્યું. આ આખી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટેની વ્યાપક ઝુંબેશ બની ચૂકી છે. આ મુવમેન્ટ સમગ્ર દેશના અંતરાત્માને જગાડવા માટે છે, અને તે ઘણી હદ સુધી જાગી પણ ચૂક્યો છે. હોસ્પિટલ દ્વારા સોનમ વાંગચુકને ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ વાંગચુક પોતાના ર્નિણય પર અડગ રહ્યા છે અને તેમણે કોઈપણ પ્રકારની શુગર કે પાવડર લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેઓ છેલ્લા ૨૦ દિવસથી માત્ર મીઠાવાળું પાણી પીને જ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે.
ગ્રીન કોરિડોર-પોલીસનું સિક્રેટ ઓપરેશન
દિલ્હી પોલીસે કાર્યવાહી માટે એવો સમય પસંદ કર્યો જ્યારે વાંગચુકના નજીકના સહયોગી અભિજીત દિપકે થોડા સમય માટે પ્રદર્શન સ્થળથી બહાર ગયા હતા. આ જ સમયગાળા દરમિયાન નવી દિલ્હી જિલ્લાના સ્પેશિયલ સ્ટાફ અને સ્થાનિક પોલીસના આશરે ૩૦ થી ૩૫ જવાનો સાદા કપડામાં બેરિકેડિંગની અંદર પહોંચ્યા હતા. પોલીસે આ સમગ્ર ઓપરેશનને ત્રણ તબક્કામાં અંજામ આપ્યો હતો. પહેલા તબક્કામાં સાદા કપડામાં આવેલા પોલીસ જવાનોએ મંચને પોતાના નિયંત્રણમાં લીધો હતો. ત્યારબાદ સોનમ વાંગચુકના પથારીને ચારેય બાજુથી મોટી સફેદ ચાદરો વડે ઢાંકી દેવામાં આવી, જેથી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી ન મચે. ત્યારબાદ તેમને સાવચેતીપૂર્વક ઉઠાવીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા હતા. સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ બેરિકેડિંગની બહાર મોરચો સંભાળ્યો હતો. તેમનું કામ પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં રાખવા અને કોઈપણ સંભવિત ઘર્ષણને રોકવાનો હતો દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કંટ્રોલ પોઈન્ટ પરથી આ સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનોની અવરજવર પર પણ સતત નજર રાખવામાં આવી રહી હતી. સોનમ વાંગચુકને જ્યારે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા ત્યારે જ ટ્રાફિક પોલીસે અગાઉથી તૈયાર કરાયેલા ગ્રીન કોરિડોર દ્વારા સફદરજંગ હોસ્પિટલ સુધીનો રસ્તો સંપૂર્ણપણે ખાલી કરાવી દીધો. આના લીધે એમ્બ્યુલન્સ કોઈપણ પ્રકારના અવરોધ વિના સીધી હોસ્પિટલ પહોંચી ગઈ હતી.
આંદોલન દબાવવાથી ઉકેલ નહીં આવે : અણ્ણા હજારે
દિલ્હી પોલીસ તરફથી સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ લઈ જવાયા બાદ અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વાંગચુક ૨૦ દિવસ સુધી અનશન પર રહ્યા છે, તેથી સરકારે તેમના ધીરજની પરીક્ષા લેવી જાેઈએ નહીં. અન્ના હજારેનું કહેવું છે કે, સરકારે આ મામલે મૌન તોડવું જાેઈએ. માગણીઓ પર હા કહેવામાં આવે કે ના, પરંતુ વાતચીત થવી ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ મુદ્દાનો ઉકેલ માત્ર સંવાદથી જ નીકળે છે. ૨૦ દિવસ સુધી અનશન કરનાર વ્યક્તિની ધીરજની પરીક્ષા લેવી બિલકુલ યોગ્ય નથી. સરકારે પોતાનો પક્ષ પણ રાખવો જાેઈએ, અને સામે પક્ષની વાત પણ સાંભળવી જાેઈએ, તો જ ઉકેલનો રસ્તો સાફ થઈ શકે છે.
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસનો આક્ષેપ
જંતર-મંતરથી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે આપણા બંધારણે દરેક નાગરિકને પોતાની વાત રાખવાનો અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ એવું લાગે છે કે ગૃહ મંત્રાલય આ અધિકારને ખતમ કરવા માંગે છે. દિલ્હી પોલીસ સીધી ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ગૃહ મંત્રાલયે જ એક દિવસ પહેલા જૂના કમિશનરને હટાવીને દિલ્હીના નવા પોલીસ કમિશનરની નિમણૂક કરી હતી. જાે તેમની પહેલી મોટી કાર્યવાહી શાંતિપૂર્ણ પ્રદર્શન પર કડકાઈ કરવાની હોય, તો આ ચિંતાની વાત છે. આનાથી લાગે છે કે સરકાર બંધારણ કરતાં રાજકીય આદેશોને વધુ મહત્વ આપી રહી છે. તેમણે આગળ કહ્યું, પહેલા મહિલા કુસ્તીબાજાેના પ્રદર્શનમાં કાર્યવાહી થઈ, પછી પૂર્વ સૈનિકો સાથે પણ કડકાઈ કરવામાં આવી. હવે સોનમ વાંગચુક અને પ્રદર્શનકારીઓ સામે થયેલી કાર્યવાહીથી પણ એ જ સંદેશ મળે છે કે સરકાર શાંતિપૂર્ણ વિરોધને લોકતાંત્રિક અધિકાર નહીં, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા માની રહી છે. આ દુ:ખની વાત છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં લોકતાંત્રિક અધિકારોને આ રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમિયાન, જંતર-મંતર પર અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ કરી રહેલા સોનમ વાંગચુકને અનશનના ૨૧મે દિવસે બગડતી તબિયત બાદ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
Loading ...
