વોશિંગ્ટન, અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથેના યુદ્ધે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. યુદ્ધના ત્રીજા સપ્તાહમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મુખ્ય ઓઈલ એક્સપોર્ટ હબ ખાર્ગ આઇલેન્ડ પર વધુ હુમલા કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકન હુમલાઓએ આ ટાપુનો મોટો હિસ્સો પહેલેથી જ તબાહ કરી દીધો છે અને હજી વધુ હુમલા થઈ શકે છે.વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ ઊભું થયું છે અને તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “જે દેશો આ માર્ગે તેલ મેળવે છે, તેમણે તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી પડશે, અમેરિકા તેમને ઘણી મદદ કરી છે.” ટ્રમ્પે ચીન, ફ્રાંસ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને પોતાના યુદ્ધ જહાજાે આ વિસ્તારમાં તૈનાત કરવા વિનંતી કરી છે. હજી સુધી કોઈ દેશે આ અંગે સ્પષ્ટ સંમતિ આપી નથી.
નવીદિલ્હી,ભારતીય યાત્રાળુઓને લઈ જતી એક પેસેન્જર બસ મધ્ય નેપાળમાં ખીણમાં પલટી ગઈ છે. અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે.સાત અન્ય ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે નેપાળના ગંડકી પ્રાંતમાં બની હતી.
યાત્રાળુઓને લઈ જતી બસ મનકામના મંદિરથી પરત ફરી રહી હતી ત્યારે અચાનક ડ્રાયવર સ્ટિયરિંગ પરનોકાબુ ગુમાવ્યો અને ગોરખા જિલ્લામાં રસ્તા પરથી ખીણમાં પડી ગઈ. મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે બધા મૃતકો ભારતીય નાગરિકો હતા.જિલ્લા પોલીસ કાર્યાલયના વડા ભરત બહાદુર બીકે કેએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ મુથુ કુમાર (૫૮), અનામાલિક (૫૮), મીનાક્ષી (૫૯), શિવગામી (૫૩), વિજયલ (૫૭), મીના (૫૮) અને તમિલરાસી (૬૦) તરીકે થઈ છે.
તહેરાન,ઈરાને રવિવારે ઈઝરાયલ અને અમેરિકા સામેના યુદ્ધમાં પહેલીવાર તેલ અવીવને નિશાન બનાવીને સેજિલ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી. આ પહેલીવાર છે, જ્યારે ઈરાને ઈઝરાયલ સામે આ મિસાઈલનો ઉપયોગ કર્યો છે. ઈરાને ઈઝરાયલ અને અમેરિકા સાથેના યુદ્ધ દરમિયાન વિવિધ ખતરનાક મિસાઈલોથી દુશ્મનના લક્ષ્યો પર વિનાશ વેર્યો છે, ત્યારે સેજિલ બેલિસ્ટિક મિસાઈલનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી તેલ અવીવમાં ગભરાટ ફેલાયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો હતો કે સેજિલ બેલિસ્ટિક મિસાઈલ ઉપરાંત, તેણે ઈઝરાયલ પરના હુમલામાં ૨-ટન વોરહેડ ધરાવતી સુપર-હેવી મિસાઈલ ખોરમશહર પણ છોડી હતી. વધુમાં ખૈબર શેકાન, કાદર અને ઈમાદ મિસાઈલ પણ છોડવામાં આવી હતી. આ હુમલાઓમાં ઈઝરાયલી લશ્કરી સ્થાપનો, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓ બાદ, તેલ અવીવ, બીરશેબા અને અન્ય વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા. ઈરાને આ હુમલાઓને ઓપરેશન “ટ્રૂ પ્રોમિસ“ ના વિવિધ તરંગોના ભાગરૂપે વર્ણવ્યા હતા, જેમાં ક્લસ્ટર વોરહેડ્સ, મલ્ટી-વોરહેડ્સ અને હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનના જણાવ્યા મુજબ, ઇઝરાયલે આ મિસાઇલોને અટકાવવા માટે આયર્ન ડોમ, ડેવિડ્સ સ્લિંગ, એરો ૨/૩ અને અમેરિકન થાડ અને પેટ્રિઓટ મિસાઇલો જેવા બહુ-સ્તરીય સંરક્ષણનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ઘણી મિસાઇલો ઘૂસી ગઈ અને ઇઝરાયલી ઊંચી ઇમારતો, નાગરિક વિસ્તારો અને લશ્કરી સ્થળો સહિત લક્ષ્યોને ભારે નુકસાન પહોંચાડ્યું. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓએ ઇઝરાયલી હવાઈ સંરક્ષણને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
તહેરાન,ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ બેન્જામિન નેતન્યાહૂના મૃત્યુની અફવાઓ અંગે સોશિયલ મીડિયા પર એક મોટું નિવેદન જારી કરીને આગમાં ઘી હોમ્યું છે. રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ કહ્યું, જાે ગુનેગાર વડા પ્રધાન હજુ પણ જીવંત છે, તો અમે અમારી બધી શક્તિથી તેનો પીછો કરીશું અને તેને મારી નાખીશું.” તેઓએ નેતન્યાહૂને “બાળ હત્યારો” ગણાવ્યો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અનુસાર, નેતન્યાહૂ માર્યા ગયા હતા કે તેમના પરિવાર સાથે ભાગી ગયા હતા તે અંગેની અનિશ્ચિતતા ઇઝરાયલી સમાજમાં ઊંડી અશાંતિ ફેલાવી રહી છે. ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ દાવો કરી રહ્યા છે કે નેતન્યાહૂ ઈરાની હુમલામાં માર્યા ગયા હતા, જ્યારે અન્ય લોકો કહે છે કે તેઓ ઘણા દિવસોથી જાહેરમાં જાેવા મળ્યા નથી અને કોઈ મહત્વપૂર્ણ સુરક્ષા બેઠકોમાં હાજરી આપી નથી. શુક્રવારે, નેતન્યાહૂએ તેમના ભૂતપૂર્વ ટ્વિટર એકાઉન્ટ પર યુએસ-ઇઝરાયલ-ઈરાન યુદ્ધ સંબંધિત એક પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કર્યો. વીડિયોમાં, કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે નેતન્યાહૂના જમણા હાથ પર છ આંગળીઓ દેખાય છે, જેને તેઓએ “ક્લાસિક એઆઇ ફિંગર ગ્લિચ“ તરીકે વર્ણવ્યું હતું. વીડિયોમાં ૦:૩૫ સેકન્ડે, જ્યારે તે પોતાનો હાથ ઊંચો કરે છે, ત્યારે નાની આંગળી પાસે માંસનો એક વધારાનો ટુકડો દેખાય છે, જેને ઘણા લોકોએ છઠ્ઠી આંગળી તરીકે અર્થઘટન કર્યું છે. આના કારણે અફવાઓ ફેલાઈ હતી કે વીડિયો એઆઇ દ્વારા જનરેટ થયેલો છે. નેતન્યાહૂના કાર્યાલયે જવાબ આપ્યો, આ નકલી સમાચાર છે.
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીની તારીખો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય ચૂંટણી કમિશનરોની સાથે મળીને પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ૪ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ મે ૨૦૨૬માં પૂરો થઈ રહ્યો છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ જૂન મહિનામાં પૂરો થઈ રહ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા કહ્યું કે, આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે, જેના પરિણામો ૪ મેના રોજ આવશે. આસામ, કેરળ, પુડુચેરીમાં ૯ એપ્રિલે એક તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી ૪ મેના રોજ હાથ ધરાશે.
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદાન થશે. જ્યારે ૪ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તમિલનાડુમાં એક જ તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે, જ્યારે ૪ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨ મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૧૩ બેઠકો જીતીને સત્તામાં પાછી આવી હતી. જે ૨૦૧૬ની ચૂંટણીઓ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ૭૭ બેઠકો જીતીને ભાજપ પ્રથમ વખત રાજ્યમાં મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો. ડાબેરી અને કોંગ્રેસ પક્ષનું ગઠબંધન - જે લાંબા સમય સુધી પશ્ચિમ બંગાળમાં સત્તા પર હતું, જે શૂન્ય બેઠકો પર સમેટાયું. ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા અને સ્વતંત્ર ઉમેદવારોએ એક-એક બેઠક મેળવી હતી.૨૦૨૧માં આ પાંચેય રાજ્યોની ચૂંટણીઓ ૨૬ ફેબ્રુઆરીએ યોજાઈ હતી. અગાઉના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાઈ હતી. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળ વિધાનસભાઓની મુદત અનુક્રમે ૭ મે, ૧૦ મે, ૨૦ મે અને ૨૩ મેના રોજ સમાપ્ત થઈ રહી છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે ૧૫ જૂને સમાપ્ત થઈ રહ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “અંતિમ યાદી મુજબ, આસામમાં આશરે ૨.૫૦ કરોડ, કેરળમાં ૨.૭૦ કરોડ, પુડુચેરીમાં ૯.૪૪ લાખ, તમિલનાડુમાં ૫.૬૭ કરોડ અને ૨૮ ફેબ્રુઆરીએ જાહેર કરાયેલ અંતિમ યાદી મુજબ પશ્ચિમ બંગાળમાં ૬.૪૪ કરોડ મતદારો છે.”
ચૂંટણી પંચે બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ, સુરક્ષિત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વિશાળ ચૂંટણી પ્રક્રિયાની સફળતા સુનિશ્ચિત કરવા માટે કુલ આશરે ૨૫ લાખ ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
આજે બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે મતદાન : પરિણામો સાંજ સુધીમાં આવી જશે
બિહારમાં પાંચ રાજ્યસભા બેઠકો માટે આવતીકાલ ૧૬ માર્ચે ચૂંટણી યોજાવાની છે.બંને ગઠબંધન ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. તેજસ્વી યાદવે રાજ્યસભા માટે સમર્થન મેળવવા માટે એઆઇએમઆઇએમના પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઇમાનની ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.એનડીએ ડિનર ડિપ્લોમસી દ્વારા પોતાની લીડ જાળવી રાખી રહ્યું છે. ધારાસભ્યો માટે પહેલા સમ્રાટ ચૌધરી, પછી ઉપેન્દ્ર કુશવાહ અને ચિરાગ પાસવાનના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરાયું હતું. અંતિમ તબક્કામાં, સંસદીય બાબતોના મંત્રી વિજય ચૌધરીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરાયું હતું, ડિનર ડિપ્લોમસી દ્વારા, એનડીએએ તેની તાકાતનું મૂલ્યાંકન કર્યું છે અને એક સંપૂર્ણ યોજના બનાવી છે. મતદાન ફાળવણી આજે મોડી રાત્રે સંસદીય બાબતોના મંત્રી વિજય ચૌધરીના નિવાસસ્થાને કરવામાં આવશે. બિહારમાં પાંચમી રાજ્યસભા બેઠક જીતવી એનડીએ માટે એક મોટો પડકાર છે. આ ચૂંટણી એનડીએ માટે પણ ખૂબ જ હાઇ-પ્રોફાઇલ છે, કારણ કે આ પાંચ બેઠકોમાંથી ત્રણ ત્રણ રાષ્ટ્રીય અધ્યક્ષોને રાજ્યસભામાં મોકલશે. એનડીએએ પાંચ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં વિવિધ પક્ષોના ત્રણ રાષ્ટ્રીય અધ્યક્ષોનો સમાવેશ થાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ચૂંટણી મેદાનમાં છે. જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ રાજ્યસભામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ રાજ્યસભા બેઠક મેળવવાનો ર્નિણય લીધો છે.
છ રાજ્યની આઠ બેઠક માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત
રવિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે છ રાજ્યો ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત કરી છે. ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં વિધાનસભા બેઠકો માટે મતદાન ૯ એપ્રિલે થશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિધાનસભા બેઠકો માટે મતદાન ૨૩ એપ્રિલે થશે. આ બધી બેઠકો માટે મત ગણતરી ૪ મેના રોજ થશે.
Loading ...
