ઈરાન યુદ્ધ વચ્ચે દેશભરમાં ‘નાયરા એનર્જી’એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલ ૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૩ રૂપિયા મોંઘું થયું છે. આ વધારા બાદ ગુજરાતમાં નાયરા પેટ્રોલપંપ પર એક લિટર પેટ્રોલની કિંમત ૯૯.૩૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૨.૯૦ રૂપિયા પર પહોંચી ગઈ છે.
નાયરા એનર્જી દ્વારા કરવામાં આવેલો આ વધારો અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક ટેક્સ અને વેટના હિસાબે અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં ૫.૩૦ પ્રતિ લિટર સુધીનો વધારો જાેવા મળ્યો છે. નાયરાના દેશભરમાં લગભગ ૭ હજાર પેટ્રોલ પંપ છે. જાેકે, ૈર્ંંઝ્રન્, ૐઁ અને મ્ઁ જેવી સરકારી તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી. કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત નથી.
તેથી કિંમતોમાં વધારો થશે નહીં. ભલે સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી કંપનીઓએ ન વધાર્યા હોય, પરંતુ ગયા અઠવાડિયે પ્રીમિયમ પેટ્રોલના ભાવ ૨ રૂપિયા પ્રતિ લિટર વધ્યા હતા. આ ઉપરાંત, ફેક્ટરીઓ અને મોટા વપરાશકર્તાઓને વેચવામાં આવતા ‘બલ્ક ડીઝલ’ના ભાવ ૨૨ રૂપિયા પ્રતિ લિટર વધાર્યા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર સૈન્ય હુમલાઓ બાદથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો લગભગ ૫૦% સુધી વધી ગઈ છે.
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતાં તણાવને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. આ સંકટ વચ્ચે ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ પણ એક પછી એક બે મોટા ઝટકા આપ્યા છે. રશિયાએ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ ભારતને ક્રૂડ ઓઇલ પર મળતી રાહત પણ નાબૂદ કરી દીધી છે.ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કરીને સમગ્ર વિશ્વને સંકટમાં નાખી દીધું છે. આ રસ્તો બંધ થવાથી એલપીજી અને ક્રૂડ ઓઇલના જહાજાેની અવરજવર અટકી ગઈ છે.
ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% ક્રૂડ ઓઇલ અને ૬૦% એલપીજી આયાત કરે છે. જાેકે, ભારતની કુનેહપૂર્વકની રણનીતિને કારણે ઈરાન સાથે વાતચીત કરીને પોતાના કેટલાક જહાજાે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યું છે.રશિયાએ પોતાની ઘરેલુ માંગને પહોંચી વળવા એમોનિયમ નાઇટ્રેટની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
આ ર્નિણય ૨૧ માર્ચથી ૨૧ એપ્રિલ સુધી અમલમાં રહેશે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ખાતર આયાત કરે છે. રશિયા વિશ્વના અમોનિયમ નાઇટ્રેટના વેપાર પર ૪૦% નિયંત્રણ ધરાવે છે. વસંત ઋતુમાં વાવણીના સમયે જ આ ર્નિણય લેવાતા ખેતી ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ શકે છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના ‘એક્રોન’ પ્લાન્ટને થયેલા નુકસાનને કારણે ઉત્પાદન ઘટ્યું છે.
નવી દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એ ૩૫૦ -૯૦૦ (વીટી-જેઆરએફ) વિમાન ગુરુવારે ટેકનિકલ ખામીને કારણે દિલ્હી પરત ફર્યું હતું. તે લગભગ સાત કલાક હવામાં રહ્યું. વિમાને સવારે લગભગ ૬ વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. ચાર કલાક પછી સાઉદી અરેબિયાના એરસ્પેસમાં વિમાનને પાછું વાળવાનો ર્નિણય લેવાયો. વિમાન સાત કલાક હવામાં રહ્યા પછી બપોરે ૧૨:૩૦ વાગ્યે દિલ્હી પાછું પહોંચ્યું હતું., ઉડાન દરમિયાન વિમાનમાં વિચિત્ર અવાજાે સંભળાયા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે વિમાનને પાછું વાળવામાં આવ્યું. દિલ્હીમાં તેની તપાસ કરાઇ રહી છે. યાત્રીઓને જલ્દી લંડન પહોંચાડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. આ જ વિમાનમાં ૧૧ દિવસ પહેલા ૧૫ માર્ચે પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે ન્યૂયોર્કથી દિલ્હી આવતી વખતે ફ્લાઇટને આયર્લેન્ડના શેનન શહેર તરફ વાળવી પડી હતી. ઉડાન દરમિયાન ૩૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ યાત્રીઓને ફ્લોર પર કંપન અનુભવાયું હતું.૧૫ માર્ચે ન્યૂયોર્કથી દિલ્હી આવતી વખતે વિમાનમાં સીટ નં. ૩૨ અને ૩૩ પર બેઠેલા મુસાફરોને ફ્લોરની નીચેથી અવાજ અનુભવાયો. જેના કારણે તેમની ઊંઘ અચાનક ઊડી ગઈ હતી.
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજાેને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી છે. અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મન દેશોના જહાજાેને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ જે દેશોને અમે મિત્ર માનીએ છીએ, તેમની વિનંતી પર અમારી સેનાએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ભારતના બે જહાજાે થોડા દિવસો પહેલા જ આ માર્ગ પરથી સુરક્ષિત પસાર થયા હતા. ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ ઈરાન સાથે સંપર્ક સાધીને આર્થિક પરિવહન ચાલુ રાખવા માટે તાલમેલ સાધ્યો છે.
હોર્મુઝ બંધ કરનાર નૌસેના કમાન્ડરને મોતને ઘાટ ઉતારાયો : ઈઝરાયલ
એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ ઈરાનમાં થયેલા હુમલામાં ઈરાનના વિશિષ્ટ નૌસૈનિક દળના કમાન્ડર અલીરેઝા તંગસિરીનું એક હુમલામાં મોત થયું છે. ઈરાનના શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નૌસૈનિક વિંગના પ્રમુખ તંગસિરીનું મોત પોર્ટ શહેર બંદર અબ્બાસમાં થયેલા હુમલામાં થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કમોડોર તંગસિરી હોર્મુઝ સ્ટ્રેટના બંધ થવાની દેખરેખ માટે જવાબદાર હતા. આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર ઈરાનના નિયંત્રણથી મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જાે આ હુમલાની પુષ્ટિ થાય છે તો તેને ઈરાનના લશ્કરી નેતૃત્વ માટે ખાસ કરીને તેની નૌકાદળ માટે મોટો ઝટકો માનવામાં આવશે.
બેંગલુરુ: આઇપીએલના પહેલા ચેરમેન લલિત મોદી અને લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર વાક્યુદ્ધ છેડાયું છે. આરસીબી અને રાજસ્થાન રોયલ્સનું તાજેતરનું વેચાણ ઇતિહાસ રચી ગયું. આરઆર ફ્રેન્ચાઇઝ રૂ.૧૫,૦૦૦+ કરોડમાં અને આરસીબી ફ્રેન્ચાઇઝ રૂ.૧૬,૦૦૦+ કરોડમાં વેચાઈ. આરસીબીનું મૂલ્યાંકન રૂ.૪૫૦ કરોડથી વધીને રૂ.૧૬,૦૦૦+ કરોડ થયું, જેનાથી આઇપીએલનું બિઝનેસ મોડેલ ફરી ચર્ચામાં આવ્યું. આ બે સોદાઓ પછી, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કાએ સફળતાનો શ્રેય જય શાહને આપ્યો. એક શાસન પ્રણાલી સ્થાપિત કરાઇ હતી જેણે મુખ્ય બ્રાન્ડ્સને પ્રીમિયમ સ્તરે રોકાણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. આનો મોટો શ્રેય જય શાહના વિઝનને જાય છે.” ગોએન્કાના નિવેદનથી ગુસ્સે થયેલા લલિત મોદીએ તીવ્ર પ્રતિક્રિયા આપી. તેમણે સૌપ્રથમ સંજીવ ગોએન્કાના ટ્વિટનો જવાબ આપ્યો, શું તમે ગંભીર છો? તમે મજાક કરનાર છો.” ત્યારબાદ તેમણે સંજીવ ગોયેન્કાને ટેગ કરીને લખ્યું, ગંભીરતાથી, આ વ્યક્તિને કદાચ યાદ પણ નથી કે આ મોડેલ કોણે બનાવ્યું હતું. સારું, કોઈ વાંધો નહીં, તે પોતાની દુનિયામાં રહે છે. આપણે બધા જાણીએ છીએ કે સંજીવ ગોયેન્કા શું છે.” ત્યારબાદ લલિત મોદીએ હસતો ઇમોજી ઉમેર્યો.લલિત મોદીએ આગળ લખ્યું, હું ઈચ્છું છું કે તેનો ભાઈ હર્ષ ગોયેન્કા ફ્રેન્ચાઇઝીનો માલિક હોત. તે એક સાચો ક્રિકેટ ચાહક છે, તેના જેવો જાેકર નહીં. તે (સંજીવ) વિચારે છે કે એક ટ્વીટ ઇતિહાસ બદલી નાખશે.
Loading ...
