અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ સાણંદમાં ભવ્ય રોડ શોમાં હજારો લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ ૨૨ હજાર ૫૧૬ કરોડના ખર્ચે નિર્મિત માઈક્રોન સેમિકન્ડક્ટર છ્સ્ઁ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીનો આ ગુજરાત પ્રવાસ સેમિકન્ડક્ટર ઉદ્યોગ ક્ષેત્રે હજારો લોકોને રોજગારી આપશે તથા વિશ્વ સ્તરે પણ આ પહેલ ગેમ ચેન્જર સાબિત થશે તેવું નિષ્ણાતોનું માનવું છે. સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેની અતૂટ ભાગીદારીનું જીવંત પ્રમાણ છે. વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર દેશો જ્યારે સાથે મળીને કામ કરે છે, ત્યારે તે વૈશ્વિક પરિવર્તનનું કારણ બને છે. ખાસ કરીને છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને સેમિકન્ડક્ટર ચિપ નિર્માણના ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની ભાગીદારી આગામી સમયમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. છૈં સમિટમાં પણ આ બંને દેશોના સહિયારા પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત સૂચવે છે. સાણંદ પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક થઈને કહ્યું કે, સાણંદ એ એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારનો વિકાસ એ ગુજરાતની પ્રગતિનું પ્રતીક છે. સાણંદના ઓટોમોબાઈલ હબ બનવા પાછળની રોચક વાત વહેંચતા વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્રગતિની શરૂઆત માત્ર એક રૂપિયાના મેસેજથી થઈ હતી. તેમણે રતન તાતાને સ્વાગતમ્નો મેસેજ મોકલીને ગુજરાતમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. એક ગુજ્જૂ શું કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ એક રૂપિયાના રોકાણે સાણંદનું ચિત્ર બદલી નાખ્યું અને ટૂંક સમયમાં જ મોટી ઓટોમોબાઈલ કંપનીઓ અહીં આવતા સાણંદ દેશનું મોટું ઓટોમોબાઈલ હબ બની ગયું.
વડાપ્રધાને જણાવ્યું કે, સાણંદમાં મોટી કંપનીઓ આવવાને કારણે માત્ર સ્થાનિક ઉદ્યોગો મજબૂત નથી બન્યા, પરંતુ લાખો યુવાનોને રોજગારી પણ મળી છે. આજે સાણંદે વિશ્વના નકશા પર પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, જે રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સાણંદે કાઠું કાઢ્યું છે, તેવી જ રીતે આગામી સમયમાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં પણ સાણંદ સફળતાનો નવો અધ્યાય લખશે અને દેશના આધુનિકીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
નવી દિલ્હી/તેલ અવીવ,આજે સવારે ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર મોટો હુમલો કર્યો હતો. સૂત્રોના હવાલાથી રોઇટર્સે દાવો કર્યો છે કે ઇઝરાયલી હુમલામાં ઇરાની રક્ષા મંત્રી અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીસી) કમાન્ડર મોહમ્મદ પાકપોરનું મોત થયું છે. અગાઉ ઇરાની સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ ઇરાનમાં એક શાળામાં મિસાઇલ પડવાથી ૮૫ વિદ્યાર્થિનીઓના મોત થયા હતા અને ૪૫ ઘાયલ થયા હતા. ઇઝરાયલે અમેરિકા સાથે મળીને ૧૦ ઇરાની શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા. હુમલા બાદ ટ્રમ્પે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે ઇરાન પર હુમલો અમેરિકન નાગરિકોને બચાવવા માટે કરવામાં આવ્યો હતો. જવાબમાં ઇરાને ઇઝરાયલ પર આશરે ૪૦૦ મિસાઇલો છોડ્યા અને કતાર, કુવૈત, જાેર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા અને યુએઈમાં યુએસ બેઝને નિશાન બનાવ્યા. વધુમાં, ઇરાને યુએઈના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર દુબઇ પર પણ હુમલો કર્યો હતો.
આજે ૨૮ ફેબ્રુઆરીની સવારથી જ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સીધા હુમલાઓએ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈઝરાયેલી સંરક્ષણ દળોએ ઈરાનના મુખ્ય સૈન્ય મથકો અને મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ તેજ કરી છે, જેના જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલના મુખ્ય શહેરોને નિશાન બનાવીને સેંકડો ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાના અહેવાલ છે. આ સંઘર્ષ હવે ‘પ્રોક્સી વોર’માંથી નીકળીને ખુલ્લા સંગ્રામમાં ફેરવાઈ ગયો છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ઈરાનની પરમાણુ ક્ષમતા અને લશ્કરી માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ, ઈરાને આ હુમલાને તેની સંપ્રભુતા પરનું આક્રમણ ગણાવીને ‘ભયાનક વળતો પ્રહાર’ કરવાની ચીમકી આપી છે.
અમેરિકાએ ઈઝરાયેલના સ્વરચાવના અધિકારને ટેકો આપતા ભૂમધ્ય સમુદ્રમાં વધારાની નૌકાદળની ટુકડીઓ મોકલી છે. જ્યારે રશિયા અને ચીને સંયમ જાળવવાની અપીલ કરી છે, પરંતુ પડદા પાછળની ગતિવિધિઓ કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. યુદ્ધની આ જ્વાળાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૦% થી વધુનો ઉછાળો આવ્યો છે. જાે હોર્મુઝની સામુદ્રધુની બંધ થાય, તો વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ છે. ભારત સરકારે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને વડાપ્રધાન કાર્યાલય આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ઈરાને શરણે થવું જ પડશે : ઈઝરાયલ
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. તેમણે રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છેકે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન દ્વારા પેદા થયેલા અસ્તિત્વના જાેખમને દૂર કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશનની શરૂઆત કરી છે.
યુદ્ધ શરૂ તમે કર્યું, ખતમ અમે કરીશું : ઈરાન
ઈઝરાયલ સેનાએ ઈરાન પર એક બાદ એક રોકેટ વરસાવ્યા છે. આગામી ૪ દિવસ સુધી હુમલા થશે તેવું જાણવા મળી રહ્યું છે. બગડતી પરિસ્થિતિ જાેઇને ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ સિવાય અમેરિકા અને ઈઝરાયલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છેકે, હુમલો તમે શરુ કર્યો છે, પરંતુ આ યુદ્ધને ખતમ અમે કરીશું. બીજી તરફ ઈરાન હુમલા બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે.
જાે ઈરાન સરેન્ડર નહીં કરે તો મોત નક્કી છે : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાન પર હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ત્રમ્પે આકરા તેવર સાથે જણાવ્યું હતું કે, અમેરિકાએ તાજેતરમાં ઈરાનમાં એક મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો હેતુ અમેરિકન લોકોનું રક્ષણ કરવાનો અને ઈરાની શાસન દ્વારા ઉભા થયેલા ખતરાને દૂર કરવાનો છે. જાે ઈરાન સરેન્ડર નહીં કરે તો મોત નક્કી છે. અમેરિકા ઈરાનની મિસાઈલ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરશે અને મિસાઈલ ઉદ્યોગ, નૌકાદળનો નાશ કરશે અને તેના મિસાઈલ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરશે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જાે તેઓ આમ કરશે તો તેમને સુરક્ષિત રાખવામાં આવશે, નહીંતર ચોક્કસ મૃત્યુનો સામનો કરવો પડશે. ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેની પ્રવૃત્તિઓ અમેરિકા, તેના સૈનિકો અને તેના સાથીઓ માટે સીધો ખતરો છે.
ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(ન્ઝ્રૐ) ‘પ્રચંડ’માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ’માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે આવી ક્ષમતા ધરાવનાર દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે. સવારે લગભગ ૯:૧૫ વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે માહિતી આપી હતી. સવારે ૧૦:૧૫ વાગ્યે ગ્રૂપ કૅપ્ટન એન. એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ ‘વાયુ શક્તિ-૨૦૨૬’ના સાક્ષી બન્યા હતા. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કર્યું હતું.
નવી દિલ્હી, દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જાેડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ક્લિનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.
કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. ૫ મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા. અમારા ડેપ્યુટી ઝ્રસ્ને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.જાે કે, સીબીઆઇએ જણાવ્યું છે કે, તેઓ આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઇકોર્ટમાં પડકારશે. સીબીઆઇના વકીલોએ સંકેત આપ્યો છે કે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરાશે. કોર્ટની ટિપ્પણીથી તે સ્પષ્ટ થયું કે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઘણી ખામીઓ હતી. કોર્ટે કહ્યું કે ઘણા એવા બિંદુ છે જેના પર સંતોષજનક જવાબ આપવામાં આવ્યો નહીં. આ આધારે રાહત આપવામાં આવી છે.પરંતુ તપાસ એજન્સીનું કહેવું છે કે તે આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઈકોર્ટમાં પડકારશે. સીબીઆઈના વકીલો તરફથી સંકેત આપવામાં આવ્યો કે આદેશનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ ઉપરી અદાલતમાં અરજી કરવામાં આવશે. આ મામલો ૨૦૨૨-૨૦૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જાેડાયેલો છે. તે આધાર પર સીબીઆઈએ કેસ દાખલ કર્યો અને બાદમાં ઈડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઘણા નેતા આ કેસમાં જેલમાં ગયા હતા. ઘણીવાર જામીન અરજીઓ નકારવામાં આવી અને બાદમાં જામીન મળ્યા હતા. શુક્રવારે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ સીબીઆઈની ચાર્જશીટના આધાર પર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ મામલો બનતો નથી. કોર્ટે ચાર્જશીટને નબળી ગણાવતા રાહત આપી છે. આ મામલો ૨૦૨૨-૨૩ની દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) સાથે જાેડાયેલો છે. આ મામલે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો અને બાદમાં ઈડીએ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ શરૂ કરી હતી.
દેશ ન્યાયિક અને સુરક્ષા વ્યવસ્થાની તાકાત પર ચાલે છે : અણ્ણા હજારે
દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર થતાં એક સમયે કેજરીવાલના રાજકીય ગુરુ રહેલા અન્ના હજારેએ કોર્ટના ર્નિણયનું સ્વાગત કરતાં કહ્યું કે, આપણો દેશ તેની ન્યાયિક અને સુરક્ષા વ્યવસ્થાની તાકાત પર ચાલે છે. આટલી બધી વિવિધ પાર્ટીઓ, જ્ઞાતિઓ, ધર્મો અને સમુદાયો ધરાવતો આટલો મોટો દેશ ન્યાયતંત્રને કારણે જ સુચારૂ રીતે ચાલી રહ્યો છે. જાે ન્યાયતંત્ર ન હોય તો દેશમાં ભારે અરાજકતા અને અશાંતિ ફેલાઈ જાય. અદાલતેના ર્નિણયનો સંપૂર્ણપણે સ્વીકાર થવો જાેઈએ.
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી : દિલ્હી ભાજપની પોસ્ટરવૉર
કોર્ટના આ ર્નિણય બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ચુકાદાના થોડા કલાકોમાં દિલ્હી ભાજપે આક્રમક પોસ્ટર શેર કરી પ્રહારો કર્યા છે. દિલ્હી ભાજપે શેર કરેલા પોસ્ટરમાં કેજરીવાલની મોટી તસવીર જાેવા મળી છે અને તેમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના પાપ હજુ ધોવાયા નથી. તેમાં એવું પણ લખાયું છે કે, ‘આ નીચલી કોર્ટે ર્નિણય સંભળાવ્યો છે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો ર્નિણય બાકી છે. મની લોન્ડ્રિંગ કેસ પેન્ડિંગ છે અને તમે અનેક કૌભાંડોમાં પણ આરોપી છો.
હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરી બતાવો
કથિત દારૂ કૌભાંડ મામલે અદાલત તરફથી મોટી રાહત મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. પોતાની ઈમાનદારી પર ભાર મૂકતા કેજરીવાલે કહ્યું, મેં જીવનમાં માત્ર ઈજ્જત અને ઈમાનદારી કમાઈ છે, એક નવો પૈસો નથી કમાયો. આજે કોર્ટના આદેશથી સાબિત થઈ ગયું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ કટ્ટર ઈમાનદાર છે. જે રીતે ટોચના પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાની ભૂખ માટે આ બધું કરવામાં આવ્યું હતું. જાે મોદીજીમાં હિંમત હોય તો દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવી જુએ, ભાજપ ૧૦ બેઠકો પણ નહીં જીતી શકે.
ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી ભયાનક ઘર્ષણ શરૂ થયું છે. પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલા કર્યા બાદ વળતો જવાબ આપી અફઘાન સુરક્ષા દળોએ પૂર્વ દિશામાં આવેલા રાજ્યોમાં હુમલા શરૂ કર્યા હતા. અફઘાનિસ્તાનની સેનાના ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. અફઘાન સરકારે દાવો કર્યો છેકે, તેણે પાકિસ્તાનની ૧૯ સરહદી પોસ્ટો પર કબજાે કરી લીધો છે, જેમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને કેટલાકની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં અફઘાનિસ્તાન દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાને પાકિસ્તાની સરહદ પાસે મોટાપાયે સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. પાકિસ્તાની સેનાએ વારંવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી શાંતિ કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેના જવાબમાં વિવાદાસ્પદ ડુરંડ લાઈનની આસપાસ મોટાપાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરાઈ છે.
અફઘાનિસ્તાની સેનાએ એક સાથે કાર્યવાહી કરીને પાકિસ્તાની સરહદી ચોકીઓને નિશાન બનાવી છે. સમગ્ર બાબતે અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ખોસ્ત, પકતિયા અને નૂરિસ્તાન રાજ્ય સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાન સેના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. હાલ બંને દેશો વચ્ચે સ્થિતિ તંગ બની છે. બીજીતરફ ઘર્ષણમાં મૃત્યુઆંકનો કે લડાઈ મામલે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ નિવેદનથી સંકેત મળ્યા છેકે, આ કોઈ નાનું ઘર્ષણ નથી, પરંતુ મોટી સૈન્ય કાર્યવાહી છે.
ઉલ્લેખનીય છેકે, આ પહેલા ૨૪ ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, જેમાં પાકિસ્તાની તોપોએ અફઘાન પર અનેક હુમલા કર્યા હતા. સરહદ પર પાંચ જગ્યાઓએ ભારે ગોળીબાર કરાયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. સેનાએ ઉરઘા બોર્ડર પાસે અફઘાનિસ્તી પોસ્ટ પર આર્ટિલરીનો ઉપયોગ કરીને તોપમારો કર્યો હતો. ત્યારબાદ ઉરાઘા બોર્ડર, જકા ખેલ, વરઘા, શાહકોટ અને લંદી કોટલ વિસ્તારોમાં ઘર્ષણ શરૂ થયું હતું. ત્યારે પાકિસ્તાને આતંકી હુમલાઓનો બદલો લેવા અફઘાનિસ્તાનમાં આતંકીઓના સાત સ્થળો પર હવાઈ હુમલો કરી ૭૦ આતંકીઓનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર રવિવારે ફરી એક વખત એરસ્ટ્રાઈક કરી હતી.
ઘમાસાણમાં ૧૩૩ તાલિબાની લડાકુનાં મોત, ૨૦૦થી વધુ ઘાયલ : પાકિસ્તાનનો દાવો પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન ગઝબ લિલ હક દરમિયાન ૭૨થી ૧૩૩ જેટલા તાલિબાની લડાકુઓ માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. એટલું જ નહીં ૮૦થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો તબાહ થયા છે. તાલિબાનની ૨૭ ચેકપોસ્ટ નષ્ટ કરવામાં આવી છે, જેમાંથી ૯ પર પાકિસ્તાની દળોએ કબજાે કર્યો હોવાનો દાવો છે.
પાકિસ્તાનનો હુમલો કાયરતાપૂર્ણ : અફઘાનિસ્તાન
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે અને કાબુલ-કંદહારમાં હુમલાની પુષ્ટિ કરી છે. જાેકે, તેમણે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ તાલિબાને દાવો કર્યો હતો કે, તેમણે સીમા પરના ઓપરેશન દરમિયાન ૫૫ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજાે જમાવી લીધો છે.
પાકિસ્તાનના હુમલામાં મહિલા, બાળકો સહિત સામાન્ય નાગરિકનાં મોત થયા : યુએન
સંયુક્ત રાષ્ટ્ર અને અફઘાન સૂત્રોએ અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. યુએનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના હવાઈ હુમલામાં આશરે ૧૩ સામાન્ય નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. કાબુલ વહીવટીતંત્રે આ હુમલાઓને પોતાની સાર્વભૌમત્વનંે ઉલ્લંઘન ગણાવીને યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે.
પાક. અને અફઘાન જાની દુશ્મન કેમ બન્યા?
૨૦૨૧માં કાબુલ પર તાલિબાનના કબજા બાદથી જ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં ભારે વધારો થયો છે. પાકિસ્તાનનો આરોપ છેકે, ટીટીપીના લડાયકો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મેળવી રહ્યા છે. જાેકે, કાબુલ હંમેશા આ આરોપોને નકારતું આવ્યું છે. તાજેતરના હુમલા પહેલા બાજાેર જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૧૧ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. જેનો આરોપ પાકિસ્તાને અફઘાન મૂળના હુમલાખોર પર લગાવ્યો હતો.
પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની ઍન્ટ્રી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હવે પાકિસ્તાને પોતાના રક્ષા સહયોગી સાઉદી અરબનો સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહમાન સાથે ફોન પર વાતચીત કરી છે. જેડ્ડામાં આયોજિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક દરમિયાન થયેલી વાતચીતમાં પાકિસ્તાને વિસ્તારમાં વધી રહેલા તણાવને ઓછો કરવા માટે સાઉદીની મદદ માંગી છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા સંરક્ષણ કરાર મુજબ, એક દેશ પર હુમલો એ બીજા પર હુમલો માનવામાં આવે છે, જે પાકિસ્તાન માટે આ યુદ્ધમાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની ઍન્ટ્રી
અફઘાનિસ્તાને દિન-દહાડે કરેલી એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે આવેલા એક મિલિટરી કેમ્પ પર હુમલો કરાયો હતો. સાથે જ ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં એક સૈન્ય બેરેક અને જમરુદમાં એક લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં ઇસ્લામાબાદ, નૌશેરા, જમરૂદ અને એબટાબાદનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન-તાલિબાન વિવાદનું કારણ
પાકિસ્તાન લાંબા સમયથી ટીટીપીના આતંકીઓ સરહદ પાર કરી હુમલા કરી રહ્યા હોવાના આક્ષેપો કરતું રહ્યું છે. જાેકે, તાલિબાન સરકાર અને ટીટીપીએ આક્ષેપોને સતત નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું માનવું છેકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેમની જમીનનો પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે ઉપયોગ નહીં કરવા દેવા વારંવાર વિનંતી કરાઈ હતી. પરંતુ તેઓ આતંકીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
અફઘાનિસ્તાનની સેનાના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી ઍરસ્ટ્રાઇક
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ખુબ જ વધી ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર એરસ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનને પાકિસ્તાને ગઝબ લિલ હક નામ આપ્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબરૂપે સરહદે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું હતું.
અફઘાનિસ્તાનના હુમલા સામે પાકિસ્તાનની સેનાનું ઓપરેશન ગઝબ લિલ હક
પાકિસ્તાની વાયુસેનાએ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ની વહેલી સવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ગઝબ લિલ હક શરૂ કર્યું હતું. જેમાં તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની દાવા મુજબ, એરસ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.
Loading ...
