પશ્ચિમ બંગાળની બંપર જીતે ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએ શાસિત રાજ્યોની સંખ્યામાં ફરી વધારો કર્યો છે. રાજકીય વલણોમાં મળતી દેખાતી જીત બાદ હવે ૨૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભગવા સરકાર સત્તા પર સ્થાપિત થઈ ગઈ છે. આવો જાેઈએ કે બંગાળની જીત બાદ ભારતના નકશા પર ભગવાનો ગ્રાફ કેવી રીતે બદલાઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હી, સૌથી વધારે લોકસભા સીટવાળા ઉત્તર પ્રદેશ, યુપીથી અડીને આવેલા બિહાર ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા, ગુજરાત, આસામ, ગોવા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, મેઘાલય અને મિઝોરમમાં પણ દ્ગડ્ઢછ અથવા ભાજપની સરકાર છે. બંગાળ ફતેહ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ભગવા મેપ જાહેર કર્યો છે. ભાજપે
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે દેશના દિલથી લઈ બંગાળ સુધી, આ ન ફક્ત એક વધતો નકશો છે, પણ આ એક એવા રાષ્ટ્રનો વિશ્વાસ છે, જાે પ્રગતિ માટે દૃઢ સંકલ્પિત છે. ઉત્તરથી લઈ પૂર્વોત્તર સુધી, રંગોમાં આવેલો બદલાવ હવે જરાં પણ હળવો નથી. બંગાળ તો બસ એ કહાનીનો સૌથી નવો અધ્યાય છે, જે પહેલાથી જાેર શોરથી આગળ વધી રહી છે. ૨૦૪૭ સુધી મળી એક વિકસિત ભારતના નિર્માણ સુધી. પશ્ચિમ બંગાળની કુલ ૨૯૪ સીટો પર બે તબક્કામાં મતદાન થયા હતા. જાે કે તેમાંથી ફાલ્ટા સીટ પર ફરી મતદાનની ઘોષણા કરી છે.
સોમવારના રોજ સુપ્રીમ કોર્ટમાં એક અભૂતપૂર્વ દ્રશ્ય જાેવા મળ્યું જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત કોર્ટની રજિસ્ટ્રીની કામગીરી પર અત્યંત નારાજ થઈ ગયા. આયુષી મિત્તલ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસની સુનાવણી દરમિયાન સીજેઆઇએ રજિસ્ટ્રીની ઝાટકણી કાઢતા આકરી ટિપ્પણી કરી હતી.
સુનાવણી દરમિયાન સીજેઆઇ સૂર્યકાંતે કોર્ટ રૂમમાં કડક શબ્દોમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી ખૂબ જ ખરાબ રીતે કામ કરી રહી છે. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પોતાને ભારતના સુપર ચીફ જસ્ટિસ‘ સમજે છે. તેમની આ ટિપ્પણીએ કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
સીજેઆઇની નારાજગીનું મુખ્ય કારણ કોર્ટના અગાઉના આદેશનું પાલન ન થવું તે હતું. તેમણે રજિસ્ટ્રીને પ્રશ્ન કર્યો કે, ઇડી ડાયરેક્ટરને નોટિસ કેમ જારી કરવામાં આવી નથી? તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, રજિસ્ટ્રીના અધિકારીઓએ એવો અર્થ કેવી રીતે કાઢ્યો કે બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અન્ય પક્ષકારોને નોટિસ જારી કરી નથી. તેમણે રજિસ્ટ્રાર જ્યુડિશિયલને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યો છે કે માર્ચ ૨૦૨૬ના આદેશનું પાલન કેમ ન થયું. ઝ્રત્નૈં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જાેયમાલ્ય બાગચીની બેન્ચ આયુષી મિત્તલ ઉર્ફે આયુષી અગ્રવાલની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. આયુષી પર ૩૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કથિત રોકાણ કૌભાંડમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. આયુષી મિત્તલ, તેના પતિ અને તેમની કંપની પર મોટા પાયે રોકાણ કૌભાંડ આચરવાનો આરોપ છે. બચાવ પક્ષે દાવો કર્યો છે કે, ફંડનો મોટો હિસ્સો રોકાણકારોને પરત કરી દેવાયો છે, જાેકે કરોડો રૂપિયા હજુ બેંક ખાતામાં છે જે ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ભારતના રાજકીય પ્રવેશ દ્વાર સમાન કેરલમમાં મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઈટેડ ડેમોક્રિટિક ફન્ટે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. જ્યારે સત્તારૂઢ લેફ્ટ ડેમોક્રિટિક ફન્ટ એટલે કે ન્હ્લડ્ઢને આંચકો લાગ્યો છે. કેરલમાં સત્તા જતા જ દેશમાં ડાબેરીઓનો પણ સફાયો થઈ ગયો છે. કેરળના ચોકાવનારા પરિણામો સામે આવ્યા છે. કેમ કે ડાબેરીઓ પાસેથી કોંગ્રેસ ગઠબંધને સત્તા છીનવી લીધી છે. કોંગ્રેસ ગઠબંધન ેંડ્ઢહ્લએ સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. સત્તા વિરોધી લહેરના કારણે પિનરાઈ વિજયનને સત્તા ખોવાનો વારો આવ્યો છે. કેરળમાં ભવ્ય જીત મળતા કોંગ્રેસના નેતાઓએ વધાવી છે. કેરળ વિધાનસભાની ચૂટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસ ૬૩ બેઠકો જીતી છે, તો ઝ્રઁૈંએ ૨૬ બેઠકો જીતી છે. આ ઉપરાંત ઈન્ડિયન મુસ્લિમ લીગે ૨૨ બેઠકો પર જીત મેળવી છે. ઝ્રઁૈંએ ૮ બેઠક તેમજ કેરલા કોંગ્રેસે સાત બેઠકો પર જીત મેળવી છે. આ ઉપરાંત રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીએ ત્રણ અને ભાજપે ત્રણ બેઠકો પર જીત મેળવી છે.
જર્મનીમાં સંશોધકોએ ૧૮ કરોડ વર્ષ જૂનું, સારી રીતે સચવાયેલ ઇચથિઓસોર અવશેષ શોધી કાઢ્યું, જેનાથી જાણવા મળ્યું કે તે ગંભીર જડબાની ઇજાઓમાંથી બચી ગયો હતો. પરંતુ આટલી અસરકારક રીતે ઘાયલ થયા પછી પણ તે કેવી રીતે બચી ગયો? વૈજ્ઞાનિકોએ જે શોધી કાઢ્યું તે અહીં છે.
કોઈ વિજ્ઞાન-કથા ફિલ્મના દ્રશ્ય જેવા લાગે છે, જેમાં સંશોધકોને એક વિશાળ પ્રાગૈતિહાસિક દરિયાઈ સરિસૃપનું અશ્મિભૂત હાડપિંજર મળ્યું છે. તે લગભગ ૧૮ કરોડ વર્ષ પહેલાંનું છે. આ અશ્મિભૂત ભૂતકાળના ઝડપી, ચપળ અને ઘાતક સમુદ્રી શિકારી ઇચથિઓસોરનું છે. પહેલી નજરે, તે ડોલ્ફિન જેવું લાગે છે. પરંતુ ભૂલશો નહીં કે આ એક ઉચ્ચ-સ્તરીય શિકારી હતો, જે વધુ ખતરનાક દુનિયામાં ગતિ, ચોકસાઈ અને અસ્તિત્વ માટે બનાવવામાં આવ્યો હતો.ઉત્તરી જર્મનીમાં મિસ્ટેલગાઉ માટીના ખાડામાં વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત રીતે સચવાયેલ અવશેષ શોધી કાઢ્યું. લગભગ ૧૮૦ મિલિયન વર્ષ જૂના, આ અવશેષો ઇચથિઓસોરના છે. આ જુરાસિક સમયગાળા દરમિયાન રહેતા શક્તિશાળી સમુદ્રી શિકારીઓમાંનો એક હતો. આ અશ્મિ માટીમાં દફનાવવામાં આવ્યો હતો અને ખોદકામ અને સંશોધન દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. બાવેરિયન સ્ટેટ કલેક્શન ઓફ નેચરલ હિસ્ટ્રી જેવી સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ હાડકાંની તપાસ કરી હતી જેથી માત્ર તેનો આકાર જ નહીં પરંતુ તેનો ઇતિહાસ પણ નક્કી કરી શકાય.
ઘણા ખંડિત શોધોથી વિપરીત, આ નમૂનો અપવાદરૂપે સારી રીતે સચવાયેલો હતો, જેનાથી વૈજ્ઞાનિકો ઇજાઓ, દાંતના ઘસારો અને પેટની સામગ્રીની પણ તપાસ કરી શક્યા. જ્યારે ટેમ્નોડોન્ટોસોરસ મોટા ઇચથિઓસોરસમાંનો એક હતો, ત્યારે આ ખાસ અશ્મિ અત્યાર સુધીનો સૌથી મોટો અશ્મિ નથી. જાેકે, તેને અસાધારણ બનાવે છે તેનું કદ નહીં પણ તેનું અસ્તિત્વ.હાડપિંજર પર ગંભીર ઇજાઓ જાેવા મળી, ખાસ કરીને જડબાના સાંધાની આસપાસ, જેના કારણે શિકાર કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હોત. છતાં, પ્રાણી જીવતું રહ્યું.ઉલ્રિક આલ્બર્ટના મતે, આ તેના પ્રકારના સૌથી નાના જાણીતા અવશેષોમાંનું એક છે, જે સૂચવે છે કે આ દરિયાઈ સરિસૃપ આ પ્રદેશમાં અગાઉ માનવામાં આવતા હતા તેના કરતાં વધુ સમય સુધી જીવિત રહ્યા.આ કદાચ બધા વિજ્ઞાનને ફરીથી લખી શકશે નહીં, પરંતુ તે સમયરેખાને સુધારે છે અને ચોક્કસ પ્રજાતિઓ ક્યારે અદૃશ્ય થઈ તે અંગેની ધારણાઓને પડકારે છે. અહીં તે અસામાન્ય બની જાય છે. વૈજ્ઞાનિકોને અશ્મિની અંદર ભારે ઘસાઈ ગયેલા દાંત અને ગેસ્ટ્રોલિથ્સ પણ મળી આવ્યા, જે પાચનમાં મદદ કરવા માટે ગળી ગયેલા નાના પથ્થરો હતા. ઇચથિઓસોરમાં ગેસ્ટ્રોલિથ્સ દુર્લભ છે. તેમની હાજરી સૂચવે છે કે આ ઘાયલ શિકારીએ તેની ખોરાકની વ્યૂહરચના બદલી નાખી હશે, કદાચ નરમ અથવા સરળતાથી પચાય તેવા ખોરાક પર આધાર રાખ્યો હશે.સંશોધક સ્ટેફન એગ્મેયરે નોંધ્યું તેમ, ઇજાઓએ શિકારને મુશ્કેલ બનાવ્યું હશે
પશ્ચિમ બંગાળમાં ભાજપે ધમાકેદાર પ્રદર્શન કરતાં ભવ્ય વિજય નોંધાવ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, અને આ સાથે જ દેશની આઝાદી બાદ રાજ્યમાં પ્રથમ વખત કમળ ખીલ્યું છે. જ્યારે મમતા બેનર્જી અને તેમની તૃણમુલ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ્સ્ઝ્ર ત્રણ આંકડામાં પણ બેઠકો મળવી શકી નથી. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકોમાંથી ભાજપ ૨૦૦ની નજીક પહોંચી ગયું હતું, જ્યારે રાજ્યમાં બહુમતી બનાવીને સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો જરૂરી હોય છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પરાજય માટે વિશ્લેષકો એન્ટી-ઈકમ્બન્સી જણાવી રહ્યા છે. ભાજપ પણ જાણી ગયો હતો કે મમતા બેનર્જીને હરાવવા માટે ચૂંટણીને ફક્ત શાસન પર જ નહીં પરંતુ લોકોના થાક અને કંટાળા પર આધારિત લોકોમતમાં ફેરવવી જરૂરી હતી. પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીનો ગઢ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સામેનો આક્રોશ વધી રહ્યો હતો. સમગ્ર બંગાળમાં ભાજપને જેટલી સીટો મળી તે સૂચવે છે કે ઘણા મતદારો જે કદાચ ભાજપ સાથે ભાવનાત્મક રીતે જાેડાયેલા ન હતા પરંતુ તૃણમુલ કોંગ્રેસને પડકારવા માટે તેમણે ભાજપને સક્ષમ પક્ષ તરીકે જાેયો હતો.
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવામાં સુવેન્દુ અધિકારીની ભૂમિકા પણ ઘણી જ મહત્વની છે. અધિકારી એક સમયે મમતા બેનર્જીના સૌથી નજીકના અને વિશ્વાસુ હતા. જાેકે, હવે તે જ મમતાના રાજકીય વારસા સામે ખતરા તરીકે ઊભરી આવ્યા છે. ભાજપ સુવેન્દુ અધિકારીને મુખ્ય મંત્રી બનાવે તેની શક્યતા વધારે છે. સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ ટીએમસીના કાર્યકરો અને સ્થાનિક ગુંડાઓએ ઘણો આંતક મચાવ્યો હતો. ભાજપના કાર્યકરો અને ઘણા હિંદુ રહેવાસીઓએ હિંસાનો સામનો કરવો પડ્યો હરતો. આજે પશ્ચિમ બંગાળના હિંદુઓ અને ભાજપના કાર્યકરો ખુશ હશે, અને તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાય છે.
વિજયના ઘરમાં વિજયોત્સવ
અભિનેતા વિજયના માતા-પિતા, બાળકો અને પરિવારના અન્ય સભ્યો ડ્રોઇંગ રૂમમાં સાથે બેઠા હતા, સીટી વગાડતા અને પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શનની ઉજવણી કરતા જાેવા મળ્યા હતા. અગાઉ, બીજાે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પરિવાર ખુશીથી કૂદતો જાેવા મળ્યો હતો. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે વિજયની પાર્ટી ટીવીકે ૧૦૦ થી વધુ બેઠકો પર આગળ છે. સ્પષ્ટ અર્થ એ છે કે ટીવીકે તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરિણામે તેના કાર્યકરો પણ ખૂબ ઉત્સાહી છે. તેઓ વિજયના ચિત્રો હાથમાં લઈને ઉજવણી કરી રહ્યા છે.તમિલનાડુમાં વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે ૧૦૨ બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકેના ઉમેદવારો ૭૩ બેઠકો પર અને ડીએમકેના ઉમેદવારો ૪૮ બેઠકો પર આગળ છે. તમિલનાડુના પ્રારંભિક વલણોને પગલે વિજયની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા શક્ય પ્રયાસ કરાશે: પીએમ
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ગયું છે. ૨૦૨૬ની ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. જનતાની શક્તિની જીત થઈ છે. હું પશ્ચિમ બંગાળની દરેક વ્યક્તિ સામે નતમસ્તક છું.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જનતાએ મ્ત્નઁને એક શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને વિશ્વાસ અપાવું છું કે, અમારી પાર્ટી પશ્ચિમ બંગાળની જનતાના સપનાઓ અને આકાંક્ષાઓને
પૂરી કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે.
સ્ટાલિન-ઉદયનિધિનો ધી એન્ડ, વિજય થલાપતિ સુપરહીટ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોના વલણોમાં દ્રવિડિયન રાજનીતિના ગઢમાં મોટો ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીના આંકડા મુજબ, દાયકાઓથી ચાલી આવતા ડ્ઢસ્દ્ભ અને છૈંછડ્ઢસ્દ્ભના દબદબાને તોડીને સિને સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ(્ફદ્ભ) એ શાનદાર એન્ટ્રી કરી છે. ૨૩૪ બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ બેઠકો જરૂરી છે, જેની સામે વિજયની પાર્ટી ૧૦૮ બેઠકો પર આગળ ચાલી રહી છે.
ભવાનીપુર બેઠક પર શુભેન્દુ અધિકારી આગળ,મમતા દીદી હારે તેવા એંધાણ
ભવાનીપુરમાં મમતા બેનરજીને મોટો ઝટકો લાગી શકે છે. આ બેઠક પર ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી મમતા બેનરજીથી ૫૫૪ મતો આગળ ચાલી રહ્યા છે. શુભેન્દુ અધિકારી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, જેમાંથી તેમણે નંદીગ્રામ બેઠક પરથી જીત મેળવી લીધી છે. આ પહેલા ભવાનીપુર બેઠક પર ભારો હોબાળો થતાં ૧૩માં રાઉન્ડથી કાઉન્ટિંગ અટકાવી દેવાયું હતું. આ દરમિયાન મમતા બેનરજી ૨૯૨૯ મતોથી આગળ હતા, ત્યારપછી ફરી કાઉન્ટિંગ શરૂ થતા શુભેન્દુ અધિકારી આગળ નીકળી ગયા છે. ભવાનીપુરમાં કાઉન્ટિંગ સેન્ટર પર મમતા બેનરજી અને શુભેન્દુ બંને હાજર છે.
આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગૌરવ ગોગોઈની હાર
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થવાની સાથે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ગઢ જાેરાહાટ બેઠક પરથી દિગ્ગજ ઉમેદવારની મોટા માર્જીનથી હાર થઈ છે. આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની જાેરહાટ બેઠક પરથી હાર થઈ છે, તેમની સામે ભાજપના ઉમેદવાર હિતેન્દ્ર નાથ ગોસ્વામીએ ૨૦,૦૦૦થી પણ વધુ મતોથી જીત મેળવી છે.જાેરહાટા વિધાનસા ક્ષેત્રના પરિણામમાં ગૌરવ ગોગોઈને ૪૬,૨૫૭ મત મળ્યા છે, જ્યારે હિતેન્દ્ર ગોસ્વામીને ૬૯,૪૩૯ મત છે.
પશ્ચિમ બંગાળના વિજયોત્સવમાં ગુજરાત ભાજપનું ભવ્ય યોગદાન
પશ્ચિમ બંગાળની ૨૯૩ બેઠકો પૈકી ૨૦૦ જેટલી બેઠકો પર ભાજપાએ સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. ત્યારે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલેી આ ચૂંટણીમાં ગુજરાત ભાજપાના અનેક અગ્રણીઓ ચૂંટણી પ્રચાર તેમજ રણનિતીમાં સક્રિય રહ્યા હતા. વડોદરાના સાંસદ અને પ્રદેશ ભાજપા યુવા મોરયાના અદ્યક્ષ ડો. હેમાંગ જાેષી અને યુવા ભાજપાના અગ્રણીઓ પણ ચૂંટણી પ્રચારમાં પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવા હતી. અને ગુજરાત ભાજપાના અગ્રણીઓ જે વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર અભિયાન અને રણનિતીની ધુરા સંભાળી હતી. તેમાં મોટાભાગની બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો વિજય થયો હોવાનું જાણવા મળે છે.
પેટાચૂંટણીમાં ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરામાં ભાજપ અને કર્ણાટકમાં કોંગ્રેસની જીત: બારામતીમાં દ્ગઝ્રઁનો વિજય
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની સાથે કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સાત બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઉમરેઠ, નાગાલેન્ડના કોરીડાંગ અને ત્રિપુરાના ધર્મનગરમાં બેઠકો જીતી છે. દરમિયાન, કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ મેતીએ કર્ણાટકની બાગલકોટ બેઠક જીતી લીધી છે. દરમિયાન, એનસીપી ઉમેદવાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રની બારામતી બેઠક પર લગભગ બે લાખ મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે.
અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું: મોદી
પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ ૧૯૮ સીટ અને ટીએમસી આશરે ૯૦ સીટો પર આગળ ચાલી રહી છે. આ વચ્ચે ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીની નજીકની સહયોગી સાયોની ઘોષના નિવેદને સ્પષ્ટ કરી દીધું કે તેમણે હાર સ્વીકાર કરી લીધી છે. એક્સ પોસ્ટમાં તેમણે કહ્યું કે અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું. ટીએમસી સાંસદે લખ્યું- ‘ઈઝ્રૈંના અંતિમ અપલોડની પ્રતીક્ષા છે. જાેય બાંગ્લા. આ ચૂંટણી પ્રચારમાં સાયોની ઘોષ મમતા બેનર્જી બાદ મોટો ચહેરો હતો. તે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલા કરી રહી હતી અને બંને નેતાઓને બાહરી નેતા ગણાવી રહી હતી. કોલકત્તામાં મતદાન કર્યા બાદ તેમણે કહ્યું હતું કે સફેદ સાડી અને ચપ્પલમાં મમતા બેનર્જી બંગાળની જનતા સાથે છે અને જનતા પણ મમતા દીદીની સાથે ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભાજપના હાથમાંથી જમીન ખસકી ગઈ છે, મમતા બેનર્જી લડશે અને જીતશે.
Loading ...
