ખાન સરના તરીકે દેશભરમાં જાણીતા બિહારના ફૈઝલ ખાન સરના કોચિંગ સેન્ટરમાં તોડફોડ કરીને ગાર્ડ પર હુમલો કરાતા હોબાળો મચી ગયો છે. આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે. પટણા પોલીસે જણાવ્યું છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ૨ જૂનની રાત્રે લગભગ ૧૦:૧૦ વાગ્યે પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું છે કે અન્ય એક કોચિંગ સંસ્થા, જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા આશરે ૧૫ થી ૨૦ લોકો આ હુમલામાં સામેલ હતા.
અહેવાલો અનુસાર, આ ઘટનામાં એક જૂથે ખાન સરના કોચિંગ સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલા દરમિયાન સંસ્થાની મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના વખતે કોઈ ગોળીબાર થયો હોવાના પુરાવા મળ્યા નથી. સીસીટીવી ફૂટેજમાં ગોળીબારની કોઈ પુષ્ટિ થઈ નથી.
અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ છે અને બાબા બરફાનીના દર્શન કરવા આતુર છે. અમરનાથ યાત્રા ૨૦૨૬ ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી રક્ષાબંધન સુધી ચાલશે.જેને લઈ લુધિયાણાથી હજારો શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
અમરનાથ યાત્રા માટે શિવ ભક્તોને ૧૪ કિલોમીટર સુધી પગપાળા જવાનું હોય છે. અમરનાથ યાત્રા માટે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૦ વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓને આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નથી.
આ વર્ષે, વહીવટીતંત્રે અમરનાથ યાત્રા અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. દર વર્ષે યાત્રા માટે યાત્રાળુઓ અમરનાથ યાત્રા માટે નીલગ્રંથથી પંચતરણી અને પહેલગાંવથી પંચતરણી સુધી પગપાળા, ઘોડા પર અને હવાઈ માર્ગે મુસાફરી કરતા હતા. પરંતુ આ વખતે અમરનાથ યાત્રા પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સુરક્ષાના કારણથી યાત્રા માર્ગને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે.
વૈજ્ઞાનિકોએ ૫,૩૦૦ વર્ષ જૂની પ્રખ્યાત મમી, ઓત્ઝી ધ આઈસમેન” ના શરીરમાં હાજર માઇક્રોબાયોમનો અભ્યાસ કર્યો છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આમાંના ઘણા સુક્ષ્મસજીવો હજુ પણ જીવંત છે અને સમય જતાં વિકસિત થઈ રહ્યા છે. ૧૯૯૧માં, યુરોપિયન આલ્પ્સમાં એક માનવ મમી મળી આવી હતી, જેને પાછળથી “ઓત્ઝી ધ આઈસમેન” નામ આપવામાં આવ્યું. વૈજ્ઞાનિકોના મતે, આ વ્યક્તિ લગભગ ૫,૩૦૦ વર્ષ પહેલાં જીવતો હતો. બરફમાં સાચવેલું તેનું શરીર અપવાદરૂપે સારી રીતે સચવાયું હતું, જે પ્રાચીન માનવ જીવનના ઘણા રહસ્યો જાહેર કરે છે. માઇક્રોબાયોમ એ શરીરમાં હાજર બેક્ટેરિયા, ફૂગ અને અન્ય સુક્ષ્મસજીવોનો સંગ્રહ છે. આ સજીવો પાચન, રોગ પ્રતિકાર અને અન્ય ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં ભૂમિકા ભજવે છે. આધુનિક દવામાં, માઇક્રોબાયોમને સ્વાસ્થ્યનું મુખ્ય સૂચક માનવામાં આવે છે. નવા સંશોધનમાં, વૈજ્ઞાનિકોએ ઓત્ઝીના શરીર અને પાચનતંત્રમાંથી લેવામાં આવેલા નમૂનાઓની તપાસ કરી. સંશોધકોએ એવા સુક્ષ્મસજીવો શોધી કાઢ્યા જે હજારો વર્ષ પછી પણ ઓળખી શકાયા. કેટલાક સજીવોમાં સમય જતાં જૈવિક ફેરફારોના સંકેતો પણ જાેવા મળ્યા.સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આટલા લાંબા સમય પછી સુક્ષ્મસજીવો સંપૂર્ણપણે નાશ પામે છે.
હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા વસૂલવામાં આવી રહેલા એન્ટ્રી ટેક્સનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. નિહંગ શિખ સંગઠન ‘તરના દલ’ની આગેવાનીમાં બુધવારથી કુલ્લુ-મનાલી હાઈવે પર કીરતપુર સાહિબમાં મોડા ટોલ પ્લાઝા નજીક એક અનોખો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. નિહંગોએ હિમાચલ પ્રદેશ તરફથી આવતા વાહનો પાસેથી ‘ખાલસા રાજ ટેક્સ’ના નામે સ્વૈચ્છિક ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે.
તરના દલના નિહંગ અચ્છર સિંહે જણાવ્યું કે, તેઓ કાર જેવી નાની ગાડીઓ પાસેથી ૧૦૦ રૂપિયા, નાના કોમર્શિયલ વાહનો પાસેથી ૨૦૦ રૂપિયા અને મોટા વાહનો પાસેથી ૩૦૦થી ૫૦૦ રૂપિયાની વસૂલાત કરી રહ્યા છે. જાેકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે, આમાં કોઈ વાહનચાલક સાથે જબરદસ્તી કરાતી નથી. જે ચાલક પોતાની ઈચ્છા અને શ્રદ્ધાથી દાન આપવા માંગે તે આપી શકે છે, બાકીના વાહનોને કોઈ પણ રોકટોક વગર જવા દેવામાં આવે છે. નિહંગોનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા જે ટેક્સ લે છે તેના બદલામાં રોડ બનાવી આપે છે, તેથી તેની સામે કોઈ વાંધો નથી. પરંતુ હિમાચલ સરકાર જે ટેક્સ વસૂલે છે તે ‘ગુન્ડા ટેક્સ‘ સમાન છે, જેનાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ પર આર્થિક બોજ વધે છે.
વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો વચ્ચે હવે ભારતીય ચોમાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનએ ચેતવણી જાહેર કરી છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ‘અલ નીનો’ નો એક અત્યંત ખતરનાક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન એજન્સીઓના મતે આ વખતે આવી રહેલો અલ નીનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી હોઈ શકે છે, જેને નિષ્ણાતો ‘સુપર અલ નીનો’ તરીકે ઓળખાવી રહ્યા છે. આ અસાધારણ ભૌગોલિક ઘટનાના કારણે વર્ષ ૨૦૨૬ ના બાકીના મહિનાઓમાં વિશ્વભરમાં ભારે ઉથલપાથલ જાેવા મળશે અને ભારત સહિત અનેક દેશોમાં ભયંકર દુષ્કાળ અને અસહ્ય ગરમીનો ખતરો વધી ગયો છે.અલ નીનો એ સમુદ્રની સપાટી પર થતી એક કુદરતી હલચલ છે, જેમાં પ્રશાંત મહાસાગર નું પાણી અસાધારણ રીતે ગરમ થઈ જાય છે. તેના કારણે વૈશ્વિક પવનો નબળા પડે છે અને આખી દુનિયાની મોસમી સિસ્ટમ બગડી જાય છે. જાે પ્રશાંત મહાસાગરના આ ચોક્કસ વિસ્તારનું તાપમાન લાંબા સમય સુધી સામાન્ય કરતાં ૨ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ વધી જાય, તો તેને ‘સુપર અલ નીનો’ કહેવામાં આવે છે. સેટેલાઇટ અને દરિયાઈ ઉપકરણોના ડેટા દર્શાવે છે કે સમુદ્રની સપાટીથી સેંકડો મીટર નીચે ગરમ પાણીની એક વિશાળ લહેર પૂર્વ તરફ આગળ વધી રહી છે, જે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં આશરે ૦.૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો કરી શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ સ્થિતિને કારણે વર્ષ ૨૦૨૭ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.અલ નીનોના કારણે ભારતીય ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે અથવા તે અવરોધાઈ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ છે.ભારત ઉપરાંત આળિકાના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ જ ગરમ અને સૂકું થઈ જશે.
Loading ...
