‘કોકરોચ જનતા પાર્ટી’ બન્યાના ૫ દિવસની અંદર ઇન્સ્ટાગ્રામ પર તેના ૫૬ લાખથી વધુ અને એક્સ પર લગભગ ૧ લાખ ૨૧ હજાર ફોલોઅર્સ થઈ ગયા છે. તેમાંથી ૩૦ લાખ લોકો એક જ દિવસમાં જાેડાઈ ચૂક્યા છે. તેનો નારો છે- ‘સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક, લેઝી.’
૧૫ મેના રોજ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીજેઆઇ સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન કેટલાક બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી હતી. આ પછી મહારાષ્ટ્રના અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર આ એકાઉન્ટ બનાવવાનો ર્નિણય લીધો. લોકોનું આની સાથે જાેડાણ ચાલુ છે.જાે સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી સરકારમાં આવે તો નિવૃત્તિ પછી કોઈપણ સીજેઆઇને રાજ્યસભામાં જવાનો પુરસ્કાર મળશે નહીં.જાે કોઈ માન્ય મત કાઢી નાખવામાં આવશે, ભલે તે રાજ્યમાં સીજેપી ની સરકાર હોય કે વિપક્ષની, ચૂંટણી પંચને યુએપીએ હેઠળ ધરપકડ કરાશે કારણ કે કોઈના મતદાનનો અધિકાર છીનવી લેવો એ આતંકવાદથી ઓછું નથી.મહિલાઓ માટે ૫૦% અનામત હશે, આ માટે સાંસદોની સંખ્યા પણ વધારશે નહીં.
દેશે હવે એક એવી સ્વદેશી લાંબા અંતરની રોકેટ સિસ્ટમ તૈયાર કરી છે, જે ૩૦૦ કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને માત્ર બે મીટરની સચોટતાથી નિશાન બનાવી શકે છે. ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ રેન્જમાં ખાનગી ભારતીય કંપની નિબે લિમિટેડએ ‘સૂર્યાસ્ત્ર’ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આનાથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. સંરક્ષણ નિષ્ણાતોના મતેજાે આ સિસ્ટમ મોટા પાયે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે, તો સરહદ પાર બેઠેલા દુશ્મનના કમાન્ડ સેન્ટર, રડાર સ્ટેશન અને સૈન્ય ઠેકાણાઓને પહેલા કરતાં વધુ સચોટતાથી નિશાન બનાવી શકાશે.ભારતે સૂર્યાસ્ત્રના બે વેરિઅન્ટ- ૧૫૦ કિલોમીટર અને ૩૦૦ કિલોમીટર રેન્જ ધરાવતી ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. બંને રોકેટોએ પોતાના લક્ષ્ય પર અત્યંત સચોટ હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૫૦ કિલોમીટરવાળા વેરિઅન્ટનો સર્ક્યુલર એરર પ્રોબેબલ માત્ર ૧.૫ મીટર રહ્યો, જ્યારે ૩૦૦ કિલોમીટર રેન્જવાળા વેરિઅન્ટે માત્ર બે મીટરની ત્રુટિ સાથે લક્ષ્યને ભેદ્યું હતું. સૈન્ય જગતમાં આટલી સચોટતા અત્યંત ખતરનાક માનવામાં આવે છે.સૂર્યાસ્ત્ર એક લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે, જેને દુશ્મનના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર ઝડપી અને સચોટ હુમલો કરવા માટે વિકસાવવામાં આવી છે.
દેશમાં ગરમી પીક પર છે. આ દરમિયાન હવામાન એજન્સી સ્કાયમેટે અરબી સમુદ્ર ઉપર નવી સિસ્ટમ બનવાની માહિતી આપી છે, જે ચોમાસાના પવનોને નબળા પાડી શકે છે. આનાથી કેરળ સહિત દક્ષિણ ભારતમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે. એજન્સીએ એમ પણ કહ્યું છે કે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના ૧૦ રાજ્યોમાં આગામી એક અઠવાડિયા સુધી સૂકી-ગરમ હવાઓ ચાલશે.
એજન્સી અનુસાર, આ સમયગાળા દરમિયાન આ રાજ્યોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવા અને કોઈ સક્રિય હવામાન સિસ્ટમ ન હોવાને કારણે વરસાદની કોઈ શક્યતા નથી. મંગળવારે એમપી, યુપી, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રના ૨૨ શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ રહ્યું હતું. રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં હીટવેવ ચાલશે. અહીં રાત્રે પણ હીટવેવ જેવી સ્થિતિ રહેશે.આસામ, મેઘાલય, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદનું અનુમાન છે. છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં હીટવેવનું એલર્ટ છે. ઓડિશામાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. અંદમાન-નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરામાં વરસાદનું એલર્ટ છે .બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વીજળીના કડાકા અને ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.
વાસ્તવિક તાપમાન અને ફીલ ટેમ્પરેચરમાં દરેક શહેરમાં સરેરાશ ૨ ડિગ્રીથી ૪ ડિગ્રી સુધીનો તફાવત છે. ક્લાઇમેટ એક્સપર્ટ્સ અનુસાર, હવામાન વિભાગ જે તાપમાન જણાવે છે, લોકોને તેના કરતાં ઘણી વધારે ગરમી અનુભવાઈ રહી છે. તેનું સૌથી મોટું કારણ ઝડપથી થતું શહેરીકરણ છે. તેનાથી તાપમાનમાં ઉછાળો આવી રહ્યો છે. ફીલ ફેક્ટર ઝડપથી વધી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવેલી સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળની નવી ભાજપ સરકારે પૂર્વવર્તી મમતા બેનર્જી સરકારના મોટા ર્નિણયોને પલટી નાખ્યા છે. સરકારે ૨૦૧૦ પહેલાં રાજ્યની ઓબીસી યાદીમાં સામેલ ૬૬ જૂથોને ફરીથી અધિસૂચિત કર્યા છે અને તે સમયની પેટા-શ્રેણીઓ ‘એ’ (વધુ પછાત) અને ‘બી’ (પછાત)ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ પગલાં સાથે જ મમતા સરકાર દ્વારા ઓબીસી યાદીમાં સામેલ કરાયેલા અસંખ્ય મુસ્લિમ સમુદાયો અનામતના દાયરામાંથી બહાર થઈ ગયા છે, જેને ભાજપે અગાઉ મુસ્લિમ તુષ્ટિકરણ ગણાવ્યું હતું. નવી નીતિ મુજબ, આ ૬૬ જૂથો માટે હવે માત્ર ૭% ઓબીસી ક્વોટા લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી પશ્ચિમ બંગાળ ૨૦૧૦ પહેલાના જૂના અનામત માળખા પર પરત ફર્યું છે. અગાઉ ૨૦૧૨માં મમતા સરકારે કાયદો પસાર કરીને કુલ ૧૭% ઓબીસી અનામતની જાેગવાઈ કરી હતી, જેમાં કેટેગરી-એ હેઠળ ૧૦% અને કેટેગરી-બી હેઠળ ૭% અનામત રાખવામાં આવી હતી.
આ અનામત માળખાને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મે ૨૦૨૪માં કલકત્તા હાઈકોર્ટે ૨૦૧૦ થી ૨૦૧૨ વચ્ચે પસાર કરાયેલા આદેશોને રદ કર્યા હતા, જેના દ્વારા મુખ્યત્વે મુસ્લિમ જૂથો સહિત ૭૭ સમુદાયોને અનામત આપવામાં આવી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આ અનામતનો એકમાત્ર આધાર ધર્મ હતો, જે બંધારણીય જાેગવાઈઓની વિરુદ્ધ છે. ત્યારબાદ, ડિસેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી હતી કે અનામતનો આધાર માત્ર ધર્મ ન હોઈ શકે. જૂન ૨૦૨૫માં તત્કાલીન વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકારની સુધારેલી યાદી પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે કેટેગરી-એમાં ૫૧માંથી ૪૬ અને કેટેગરી-બીમાં ૨૫ માંથી ૨૧ જ્ઞાતિઓ મુસ્લિમ સમુદાયની હતી, જે અનુક્રમે ૯૦% અને ૮૪% જેટલી થતી હતી.
અમેરિકી સંસદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. વોટિંગમાં ૪ રિપબ્લિકન સાંસદોએ પણ વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનો સાથ આપ્યો. જાેકે, ૩ રિપબ્લિકન સાંસદો વોટિંગમાં સામેલ થયા નહોતા. આ પ્રસ્તાવ ૫૦-૪૭થી પસાર થયો, જાેકે તેને કાયદો બનવા માટે હજુ કેટલાક વધુ તબક્કાઓમાંથી પસાર થવું પડશે. જાે આ પ્રસ્તાવ કાયદો બને છે, તો ટ્રમ્પ સરકારે ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. હજુ સેનેટમાં તેના પર અંતિમ વોટિંગ થવાનું બાકી છે. આ પછી તેને રિપબ્લિકન બહુમતીવાળી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પાસેથી મંજૂરી લેવી પડશે. જાેકે, તે પછી પણ ટ્રમ્પ તેની વિરુદ્ધ વીટો કરી શકે છે. પછી તે વીટોને રદ કરવા માટે સેનેટ અને હાઉસ બંનેમાં બે-તૃતીયાંશ બહુમતી જાેઈશે, જે હાલમાં મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. અમેરિકી સંસદના સેનેટમાં ઈરાન યુદ્ધ રોકવા અંગે બેઠક થઈ હતી. આ વોટ વિપક્ષ માટે મોટી જીત માનવામાં આવી રહી છે જે કહી રહ્યા હતા કે અમેરિકામાં યુદ્ધ શરૂ કરવાનો કે સેના મોકલવાનો અધિકાર રાષ્ટ્રપતિ નહીં પણ સંસદ પાસે હોવો જાેઈએ. અમેરિકી બંધારણમાં પણ આ જ વ્યવસ્થા આપવામાં આવી છે.
આ પ્રસ્તાવને વર્જિનિયાના ડેમોક્રેટ સેનેટર ટિમ કેન લઈને આવ્યા છે. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે અત્યારે જ્યારે યુદ્ધવિરામની વાત થઈ રહી છે, ત્યારે ટ્રમ્પને સંસદ સામે આવીને પોતાની રણનીતિ જણાવવી જાેઈએ. ડેમોક્રેટ સેનેટર ટિમ કેને કહ્યું કે યુદ્ધ શરૂ કરવાનો અધિકાર સંસદ પાસે છે, માત્ર રાષ્ટ્રપતિ પાસે નહીં. જ્યારે વ્હાઇટ હાઉસે કહ્યું કે ટ્રમ્પે અમેરિકી સુરક્ષા માટે પોતાના અધિકારો હેઠળ કાર્યવાહી કરી છે.
અમેરિકી કાયદા મુજબ કોઈ પણ રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના માત્ર ૬૦ દિવસ સુધી સૈન્ય કાર્યવાહી ચલાવી શકે છે. આ પછી યુદ્ધ સમાપ્ત કરવું પડે છે અથવા કોંગ્રેસ પાસેથી પરવાનગી લેવી પડે છે, કે પછી સેનાની સુરક્ષિત વાપસી માટે ૩૦ દિવસની વધારાની મુદત માંગવી પડે છે.
Loading ...
