નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ સોમવારે દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં લાંબા ગાળા માટે યુરેનિયમ સપ્લાયનો એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને દેશો સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટરો પર સાથે મળીને કામ કરશે. હવે બંને દેશો વેપાર, ઊર્જા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીને સંબંધો સુધારવા માટે મક્કમ દેખાય છે. આ બેઠક દરમિયાન ભારત અને કેનેડાએ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦ બિલિયન ડૉલર સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અહીં માથાદીઠ આવકનો વિકાસ એવો રહ્યો છે જે ઇતિહાસમાં બહુ ઓછો જાેવા મળ્યો છે. કેનેડા તમારા આ જ ઉત્સાહ અને હેતુની ભાવનાને શેર કરે છે. મને લાગે છે કે આ નવા યુગમાં સફળતાનો માર્ગ ૨૦૨૩માં તમારા ય્૨૦ અધ્યક્ષપદના વિષય ‘ર્ંહી ઈટ્ઠિંર, ર્ંહી હ્લટ્ઠદ્બૈઙ્મઅ, ર્ંહી હ્લેંેિી’ માં સારી રીતે દર્શાવવામાં આવ્યો છે, કારણ કે આપણા સમયના પડકારોને કોઈ પણ દેશ એકલો ઉકેલી શકતો નથી.કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા એક વર્ષમાં કેનેડા અને ભારતની સરકારો વચ્ચે જે સંવાદ થયો છે, તે છેલ્લા બે દાયકામાં થયેલા તમામ સંવાદો કરતા વધુ છે. આ માત્ર સંબંધોનું નવીકરણ નથી, પરંતુ નવા ઉત્સાહ, ધ્યાન અને દૂરદર્શિતા સાથે એક મૂલ્યવાન ભાગીદારીનો વિસ્તાર છે. આ બે આત્મવિશ્વાસુ દેશો વચ્ચેની ભાગીદારી છે, જેઓ પોતાના ભવિષ્યની દિશા પોતે નક્કી કરી રહ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલા અનેક તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની વાત કરતા રહ્યા છીએ, અને જ્યારે બે લોકશાહી દેશો સાથે ઉભા રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ મજબૂત બને છે. પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ આપણા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત તમામ વિવાદોને સંવાદ અને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાનું સમર્થન કરે છે અને ક્ષેત્રમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દેશો સાથે ગાઢ સહયોગ ચાલુ રાખશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેનેડા ભારત માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.
તેલ અવીવ ,ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાએ સમગ્ર મધ્ય પૂર્વમાં અગ્નિનું તોફાન મચાવ્યું છે. ઈરાને છેલ્લા ૨૪ કલાકમાં ૧૫થી વધુ દેશોમાં યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ ઈચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે, પરંતુ ઈરાનનો બદલો હજુ બાકી છે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે આ મુદ્દા પર અમેરિકા સાથે વાટાઘાટો કરશે નહીં. પરિણામે, ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે.
યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના લાંબા સમયના સાથી બ્રિટન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે હિંદ મહાસાગરમાં સ્થિત યુએસ લશ્કરી મથક, ડિએગો ગાર્સિયાને સોંપવામાં વિલંબ કર્યો હતો. યુદ્ધના પહેલા દિવસે અમેરિકા આ મથકથી ઈરાન પર હુમલો કરવા માગતું હતું. જાેકે, બ્રિટને ૪૮ કલાક પછી પરવાનગી આપી હતી, અને કહ્યું હતું કે અમેરિકાને ત્યાંથી ફક્ત ઈરાની મિસાઈલ મથકોને નિશાન બનાવવાની મંજૂરી આપવામાં આવશે. આ અંગે, ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન પ્રત્યે પોતાની ઊંડી નિરાશા વ્યક્ત કરી છે. ઈરાને સોમવારે મિડલ-ઈસ્ટના ૪ દેશોમાં ૬ અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે.
દરમિયાન, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે કુવૈતમાં યુએસ લશ્કરી એફ-૧૫ઇ ફાઇટર જેટ ક્રેશ થયું છે. ક્રેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાન આગમાં ભડકતું જાેઈ શકાય છે. જાેકે, વિમાનમાં આગ લાગ્યા બાદ પાયલોટ પેરાશૂટથી બચી ગયો હતો. ઈરાન સાથે જાેડાયેલા ઘણા હેન્ડલ્સે દાવો કર્યો છે કે કુવૈતમાં ક્રેશ થયેલા યુએસ એફ-૧૫ઇ ફાઇટર જેટને ગોળી મારીને તોડી પાડવામાં આવ્યું હતું. વીડિયોમાં વિમાનમાં હવામાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ વિમાન ક્રેશ થતાં પહેલાં લાંબા સમય સુધી ફરતું રહે છે. દરમિયાન યુએસ ઈરાનમાં લશ્કરી થાણાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. યુએસ સૈન્ય હુમલાઓના વીડિયો જાહેર કરી રહ્યું છે, જેમાં મિસાઇલો અને બોમ્બ દ્વારા ઈરાની લશ્કરી થાણાઓનો નાશ થતો બતાવવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે છેલ્લા બે દિવસમાં ઈરાનની અંદર ૨,૦૦૦થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ખામેનીના કમ્પાઉન્ડ, મિસાઇલ સ્ટોર્સ, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, નૌકાદળની મિલકતો અને મહત્વપૂર્ણ લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યા છે, અને આ હુમલાઓ બંધ થયા નથી. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી હુમલાઓ ચાલુ છે, અને તે ક્યારે સમાપ્ત થશે તે આગાહી કરવી મુશ્કેલ છે.
ઈરાને જેરુસલેમ, તેલ અવીવ અને કિર્યાત ઓનોમાં હુમલાઓ શરૂ કર્યા હતા, ત્યારે ઈઝરાયલે ગઈકાલે રાત્રે તેહરાનમાં પણ મોટા પાયે બોમ્બમારો કર્યો હતો. તેહરાનમાં ઈરાનના રાજ્ય ટીવી કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને ઈઝરાયલની બહાર પણ અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈરાને બહેરીન અને ઈરાકમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું. એક નિવેદનમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લશ્કરી અધિકારીઓને શસ્ત્રો મૂકવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ઈરાન સામે લશ્કરી અભિયાન તેના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ બદલામાં સંપૂર્ણ સુરક્ષા ગેરંટી આપશે. તેમના તાજેતરના વિડિઓ સંબોધનમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ખૂબ જ ગંભીર લક્ષ્યો ધરાવે છે. તેમણે ઈરાની લશ્કરી કર્મચારીઓને શસ્ત્રો મૂકવા વિનંતી કરી અથવા ચોક્કસ મૃત્યુનો સામનો કરવો પડશે.
સાઉદીમાં દુનિયાની મોટી ઓઈલ કંપની અરામકો ઉપર ડ્રોન એટેક
મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધની ભયાનક અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જાેવા મળી રહી છે, જ્યાં ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોની રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે સાવચેતીના ભાગરૂપે રિફાઈનરી બંધ કરી દેવાતા દુનિયાભરમાં ઊર્જા સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ૯.૩૨%નો તોતિંગ વધારો થયો છે. વિશ્વના ૨૦% ઓઈલ સપ્લાયના માર્ગ સમાન હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ સેવાઓ ખોરવાઈ જતાં ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે બેરલ દીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગયા છે. આ સ્થિતિ જાે લાંબો સમય ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારીમાં ઉછાળો આવે તેવી ભીતિ છે. શનિવારે જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
શેરબજાર ક્રેશ, સેન્સેક્સ ૧૦૪૦ પોઈન્ટ તૂટ્યો
મુંબઈ, તા.૨
મધ્ય પૂર્વમાં સર્જાયેલી ઈરાન કટોકટીને પગલે ભારતીય શેરબજારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો, જેના કારણે મુંબઈ શેરબજારના મુખ્ય આંક સેન્સેક્સમાં ૧,૦૪૮ પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતાના અવસાન બાદ ખાડી દેશોમાં વધતા લશ્કરી તણાવ અને તેલના પુરવઠા પર ઊભા થયેલા જાેખમને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં અંદાજે ૬.૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે. વેપારની શરૂઆતથી જ દલાલ સ્ટ્રીટમાં વેચવાલીનું પ્રચંડ દબાણ જાેવા મળ્યું હતું, જેના પરિણામે ભારતીય અર્થતંત્રના મહત્વના સૂચકાંકો ધરાશાયી થયા હતા. આજના વ્યવહાર દરમિયાન ભારતીય બજારે રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. સેન્સેક્સ ૨,૭૪૩ પોઈન્ટના પ્રચંડ ઘટાડા સાથે ૭૮,૫૪૩.૭૩ ના સ્તરે ખુલ્યો હતો, જેણે શરૂઆતમાં જ મોટા નુકસાનના સંકેત આપ્યા હતા. જાેકે, દિવસના અંતે બજારે થોડો રિકવરીનો પ્રયાસ કર્યો હતો અને આખરે સેન્સેક્સ ૧,૦૪૮.૩૪ પોઈન્ટ અથવા ૧.૨૯% ના ઘટાડા સાથે ૮૦,૨૩૮.૮૫ પર સ્થિર થયો હતો.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડની કિંમતોમાં ભડકો
નવી દિલ્હી, તા.૨
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે, જેની સીધી અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજાર પર જાેવા મળી રહી છે. માત્ર એક ઝાટકે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ૧૨ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે.આ સંઘર્ષની સૌથી મોટી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડ, જે શુક્રવારે પ્રતિ બેરલ ૭૨ ડોલરના સાત મહિનાના ઉચ્ચતમ સ્તરે બંધ થયું હતું અને ૨૦૨૬ના પહેલા બે મહિનામાં લગભગ ૧૯ ટકા વધ્યું હતું, તે હવે ૧૨ ટકા વધીને ૮૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે.યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ પણ ૮ ટકા વધ્યો, જે પ્રતિ બેરલ ૭૦ ડોલરના સ્તરને વટાવી ગયો. ઈરાન પર ઈઝરાયલી હુમલાના પહેલા ૧૨ દિવસ પછી, ગયા વર્ષના જૂન પછી પહેલી વાર બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડોલરની ઉપર પહોંચી ગયું.ઈરાનની તેલ ક્ષમતા વૈશ્વિક પુરવઠાને અસર કરે છેજાેકે આ ક્ષેત્રમાં ઈરાનનું વર્ચસ્વ ઘટ્યું છે, તે ર્ંઁઈઝ્ર ગઠબંધનમાં ચોથું સૌથી મોટું ઉત્પાદક રહ્યું છે.
ભારતમાં હિંસા ફાટી નીકળવાની આશંકા
નવી દિલ્હી, તા.૨
ઈરાનના સર્વોચ્ચ નેતાના મૃત્યુ બાદ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી સુરક્ષા ચેતવણી જારી કરી છે, જેમાં રાજ્યોને દૂતાવાસો પર સુરક્ષા વધારવા અને સંભવિત આતંકવાદી ધમકીઓ અને વિરોધ પ્રદર્શનો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાને પગલે ભારતમાં સંભવિત હિંસા અંગે ચેતવણી આપી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ પ્રસારિત થયેલા આ પત્રમાં રાજ્યોને ઈરાન તરફી કટ્ટરપંથી ઉપદેશકોને ઓળખવા કહેવામાં આવ્યું છે જે ભડકાઉ ઉપદેશ આપી રહ્યા છે. ગૃહ મંત્રાલયે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ સંભવિત હિંસા અને છૂટાછવાયા વિરોધ પ્રદર્શનો અંગે દેશભરના વિવિધ રાજ્યોને ચેતવણી જારી કરી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાની નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા બાદ દેશભરમાં ફાટી નીકળેલા શિયા સમુદાયના વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ ભારતની આંતરિક સુરક્ષાને અસર કરી શકે છે અને સુરક્ષા એજન્સીઓએ ઉચ્ચ ચેતવણી પર રહેવું જાેઈએ.
ઈઝરાયલ-ેંજીના ઠેકાણાં પર હુમલા ચાલુ રાખીશું : ઈરાન
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ઈરાન ઈઝરાયેલ અને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ‘આકરા હુમલા ચાલુ રાખશે’. તેમણે ઈરાનની સરકારી ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં ભારપૂર્વક કહ્યું કે દેશ સુપ્રીમ લીડરના પગલે ચાલવા કટિબદ્ધ છે અને ઈરાની સેના દુશ્મનોના મિલિટરી બેઝને તબાહ કરવાનું ચાલુ રાખશે.
એક મહિનાથી પણ વધુ સમય યુદ્ધ ચાલશે : ડૉનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત કરવાની સાથે ભવિષ્યની રણનીતિ અંગે મહત્વના સંકેતો આપ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય અભિયાન અત્યારે પૂરી તાકાત સાથે ચાલુ છે અને આ યુદ્ધની સ્થિતિ એક મહિનાથી પણ વધુ સમય સુધી લંબાઈ શકે છે.
વર્તમાન પરિસ્થિતિ ઊંડી ચિંતાનો વિષય છે : પીએમ મોદી
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વમાં ચાલી રહેલા અનેક તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ જાળવવાની હિમાયત કરી છે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અમારા માટે ઊંડી ચિંતાનો વિષય છે. આ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જાેઈએ. અમે આ ક્ષેત્રમાં તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દેશો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.
ટ્રમ્પનો વાટાઘાટોનો દાવો અને ઈરાનનો સ્પષ્ટ ઈન્કાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનનું નવું નેતૃત્વ તેમની સાથે વાતચીત કરવા ઈચ્છે છે અને તેઓ પણ આ માટે સહમત થયા છે. જાેકે, ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરીશું નહીં.
ઇઝરાયલે હવે લેબનોન પર હુમલો શરૂ કર્યો
ઇઝરાયલે લેબનોન પર તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. હિઝબુલ્લાહ હવે ખુલ્લેઆમ ઈરાન પરના હુમલાનો વિરોધ કરવા માટે આગળ આવ્યું છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ જ કારણ છે કે ઇઝરાયલે લેબનોન પર હુમલા શરૂ કર્યા છે.ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેલ અવીવ નજીક એક મિસાઇલ લેન્ડિંગ કરવામાં આવી હતી. જેરુસલેમ પર પણ મિસાઇલોનો હુમલો કરવામાં આવ્યો હતો, અને પશ્ચિમ કાંઠા પર ઈરાની ડ્રોન જાેવા મળ્યા હતા.
મિસાઈલ બાદ ઈરાન ઉપર સાયબર હુમલો
ઇરાન પર અમેરિકાએ મિસાઈલ બાદ હવે સાયબર હુમલો શરૂ કર્યો છે. ઇરાનને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકા કોઈ કસર નથી છોડી રહ્યું. મિસાઈલ દ્વારા એટેક કરવા માટે પણ એઆઇનો ઉપયોગ કર્યો હતો. હવે તેમના પર સાયબર હુમલો કરી રહ્યું છે. ઇરાનના અલગ-અલગ જગ્યાએ અમેરિકાએ અને ઇઝરાયલ દ્વારા એટેક કર્યા બાદ હવે તેમના ડિજિટલ વર્લ્ડને હેક કરવાની કોશિશ કરાઇ રહી છે. કેટલાક સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલમાં ઇરાનમાં વિપુલ પ્રમાણમાં સાયબર એટેક જાેવા મળી રહ્યા છે.
યુદ્ધ અમે શરૂ નથી કર્યું, પણ પૂરું અમે કરીશું : પેન્ટાગોન
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગોન’ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. પેન્ટાગોને ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, અમે ઈરાન સામે યુદ્ધની શરૂઆત કરી નથી, પરંતુ જાે જરૂર પડી તો અમે જ તેનો અંત લાવીશું.પેન્ટાગોનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને તેના સહયોગી જૂથો સતત ઈઝરાયેલ અને આ વિસ્તારમાં રહેલા અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના સાથી દેશોની રક્ષા કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
અમેરિકાનોે પાક.એરસ્પેસ પરથી હુમલો આજે ઇઝરાયલ-અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો ત્રીજાે દિવસ છે. આ દરમિયાન પાકિસ્તાન પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના એક વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે જાે પાકિસ્તાન આવું કર્યું હશે તો તે હવે સુરક્ષિત રહેશે નહીં અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનનું આ યુદ્ધમાં અમેરિકી તરફી વલણ સ્પષ્ટ થઇ ગયું છે.
ઈરાનમાં ૫૫૫નાં મોત, ૭૪૦ ઘાયલ
અલ-જઝીરાના રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઇઝરાયલે મળીને અત્યાર સુધી ઈરાનના ૧૦૦૦ થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ દરમિયાન શરૂઆતની ૩૦ કલાકમાં ૨૦૦૦ થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા. આમાં અત્યાર સુધી ૫૫૫ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. એક સ્કૂલ પર મિસાઈલ પડવાથી ૧૮૦ વિદ્યાર્થિનીઓના મોત થયા છે અને ૪૫ ઘાયલ છે.
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ સાણંદમાં ભવ્ય રોડ શોમાં હજારો લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ ૨૨ હજાર ૫૧૬ કરોડના ખર્ચે નિર્મિત માઈક્રોન સેમિકન્ડક્ટર છ્સ્ઁ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીનો આ ગુજરાત પ્રવાસ સેમિકન્ડક્ટર ઉદ્યોગ ક્ષેત્રે હજારો લોકોને રોજગારી આપશે તથા વિશ્વ સ્તરે પણ આ પહેલ ગેમ ચેન્જર સાબિત થશે તેવું નિષ્ણાતોનું માનવું છે. સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેની અતૂટ ભાગીદારીનું જીવંત પ્રમાણ છે. વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર દેશો જ્યારે સાથે મળીને કામ કરે છે, ત્યારે તે વૈશ્વિક પરિવર્તનનું કારણ બને છે. ખાસ કરીને છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને સેમિકન્ડક્ટર ચિપ નિર્માણના ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની ભાગીદારી આગામી સમયમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. છૈં સમિટમાં પણ આ બંને દેશોના સહિયારા પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત સૂચવે છે. સાણંદ પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક થઈને કહ્યું કે, સાણંદ એ એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારનો વિકાસ એ ગુજરાતની પ્રગતિનું પ્રતીક છે. સાણંદના ઓટોમોબાઈલ હબ બનવા પાછળની રોચક વાત વહેંચતા વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્રગતિની શરૂઆત માત્ર એક રૂપિયાના મેસેજથી થઈ હતી. તેમણે રતન તાતાને સ્વાગતમ્નો મેસેજ મોકલીને ગુજરાતમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. એક ગુજ્જૂ શું કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ એક રૂપિયાના રોકાણે સાણંદનું ચિત્ર બદલી નાખ્યું અને ટૂંક સમયમાં જ મોટી ઓટોમોબાઈલ કંપનીઓ અહીં આવતા સાણંદ દેશનું મોટું ઓટોમોબાઈલ હબ બની ગયું.
વડાપ્રધાને જણાવ્યું કે, સાણંદમાં મોટી કંપનીઓ આવવાને કારણે માત્ર સ્થાનિક ઉદ્યોગો મજબૂત નથી બન્યા, પરંતુ લાખો યુવાનોને રોજગારી પણ મળી છે. આજે સાણંદે વિશ્વના નકશા પર પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, જે રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સાણંદે કાઠું કાઢ્યું છે, તેવી જ રીતે આગામી સમયમાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં પણ સાણંદ સફળતાનો નવો અધ્યાય લખશે અને દેશના આધુનિકીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
નવી દિલ્હી/તેલ અવીવ,આજે સવારે ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર મોટો હુમલો કર્યો હતો. સૂત્રોના હવાલાથી રોઇટર્સે દાવો કર્યો છે કે ઇઝરાયલી હુમલામાં ઇરાની રક્ષા મંત્રી અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીસી) કમાન્ડર મોહમ્મદ પાકપોરનું મોત થયું છે. અગાઉ ઇરાની સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ ઇરાનમાં એક શાળામાં મિસાઇલ પડવાથી ૮૫ વિદ્યાર્થિનીઓના મોત થયા હતા અને ૪૫ ઘાયલ થયા હતા. ઇઝરાયલે અમેરિકા સાથે મળીને ૧૦ ઇરાની શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા. હુમલા બાદ ટ્રમ્પે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે ઇરાન પર હુમલો અમેરિકન નાગરિકોને બચાવવા માટે કરવામાં આવ્યો હતો. જવાબમાં ઇરાને ઇઝરાયલ પર આશરે ૪૦૦ મિસાઇલો છોડ્યા અને કતાર, કુવૈત, જાેર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા અને યુએઈમાં યુએસ બેઝને નિશાન બનાવ્યા. વધુમાં, ઇરાને યુએઈના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર દુબઇ પર પણ હુમલો કર્યો હતો.
આજે ૨૮ ફેબ્રુઆરીની સવારથી જ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સીધા હુમલાઓએ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈઝરાયેલી સંરક્ષણ દળોએ ઈરાનના મુખ્ય સૈન્ય મથકો અને મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ તેજ કરી છે, જેના જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલના મુખ્ય શહેરોને નિશાન બનાવીને સેંકડો ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાના અહેવાલ છે. આ સંઘર્ષ હવે ‘પ્રોક્સી વોર’માંથી નીકળીને ખુલ્લા સંગ્રામમાં ફેરવાઈ ગયો છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ઈરાનની પરમાણુ ક્ષમતા અને લશ્કરી માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ, ઈરાને આ હુમલાને તેની સંપ્રભુતા પરનું આક્રમણ ગણાવીને ‘ભયાનક વળતો પ્રહાર’ કરવાની ચીમકી આપી છે.
અમેરિકાએ ઈઝરાયેલના સ્વરચાવના અધિકારને ટેકો આપતા ભૂમધ્ય સમુદ્રમાં વધારાની નૌકાદળની ટુકડીઓ મોકલી છે. જ્યારે રશિયા અને ચીને સંયમ જાળવવાની અપીલ કરી છે, પરંતુ પડદા પાછળની ગતિવિધિઓ કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. યુદ્ધની આ જ્વાળાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૦% થી વધુનો ઉછાળો આવ્યો છે. જાે હોર્મુઝની સામુદ્રધુની બંધ થાય, તો વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ છે. ભારત સરકારે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને વડાપ્રધાન કાર્યાલય આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ઈરાને શરણે થવું જ પડશે : ઈઝરાયલ
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. તેમણે રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છેકે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન દ્વારા પેદા થયેલા અસ્તિત્વના જાેખમને દૂર કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશનની શરૂઆત કરી છે.
યુદ્ધ શરૂ તમે કર્યું, ખતમ અમે કરીશું : ઈરાન
ઈઝરાયલ સેનાએ ઈરાન પર એક બાદ એક રોકેટ વરસાવ્યા છે. આગામી ૪ દિવસ સુધી હુમલા થશે તેવું જાણવા મળી રહ્યું છે. બગડતી પરિસ્થિતિ જાેઇને ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ સિવાય અમેરિકા અને ઈઝરાયલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છેકે, હુમલો તમે શરુ કર્યો છે, પરંતુ આ યુદ્ધને ખતમ અમે કરીશું. બીજી તરફ ઈરાન હુમલા બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે.
જાે ઈરાન સરેન્ડર નહીં કરે તો મોત નક્કી છે : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાન પર હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ત્રમ્પે આકરા તેવર સાથે જણાવ્યું હતું કે, અમેરિકાએ તાજેતરમાં ઈરાનમાં એક મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો હેતુ અમેરિકન લોકોનું રક્ષણ કરવાનો અને ઈરાની શાસન દ્વારા ઉભા થયેલા ખતરાને દૂર કરવાનો છે. જાે ઈરાન સરેન્ડર નહીં કરે તો મોત નક્કી છે. અમેરિકા ઈરાનની મિસાઈલ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરશે અને મિસાઈલ ઉદ્યોગ, નૌકાદળનો નાશ કરશે અને તેના મિસાઈલ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરશે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જાે તેઓ આમ કરશે તો તેમને સુરક્ષિત રાખવામાં આવશે, નહીંતર ચોક્કસ મૃત્યુનો સામનો કરવો પડશે. ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેની પ્રવૃત્તિઓ અમેરિકા, તેના સૈનિકો અને તેના સાથીઓ માટે સીધો ખતરો છે.
ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(ન્ઝ્રૐ) ‘પ્રચંડ’માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ’માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે આવી ક્ષમતા ધરાવનાર દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે. સવારે લગભગ ૯:૧૫ વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે માહિતી આપી હતી. સવારે ૧૦:૧૫ વાગ્યે ગ્રૂપ કૅપ્ટન એન. એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ ‘વાયુ શક્તિ-૨૦૨૬’ના સાક્ષી બન્યા હતા. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કર્યું હતું.
Loading ...
