અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ ત્યાં મળતા દાનના નાણાકીય વ્યવહારોમાં કથિત ગેરરીતિ અને ઉચાપતનો એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ચકચારી દાન ચોરી કૌભાંડની તપાસ દરમિયાન શુક્રવારે રામ જન્મભૂમિ આલમ સહિત સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અયોધ્યા રામ મંદિરના નાણાકીય દાનમાં થયેલી કથિત ઉચાપતના કેસમાં ચાલી રહેલી તપાસ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પોતાના પદ પરથી નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું છે. તેમની સાથે જ ટ્રસ્ટના અન્ય એક પ્રભાવશાળી સભ્ય અનિલ મિશ્રાએ પણ પોતાનું રાજીનામું સુપરત કરી દેતા ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં મોટો ખળભળાટ જાેવા મળ્યો છે. આ સમગ્ર મામલાની વિગત એવી છે કે અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનના નાણાંની હેરાફેરી અને ઉચાપત થઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા. આરોપોની તટસ્થ અને ઊંડી તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાત્કાલિક એકએસઆઇટીની રચના કરાઈ હતી. આ એસઆઈટીએ આખા કૌભાંડની ઝીણવટભરી તપાસ કરીને પોતાનો પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો હતો. આ પ્રાથમિક અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોના આધારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની એફઆઈઆર દાખલ કરી હતી.
વિવાદ શું હતો?
વર્તમાન વિવાદમાં ત્રણ મુખ્ય પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પ્રથમ, ટ્રસ્ટના સંચાલનમાં પારદર્શિતાનો અભાવ. બીજું, દાન અને ભેટો સંબંધિત રેકોર્ડ અને પ્રાપ્તિ પ્રણાલી અંગે પ્રશ્નો. ત્રીજું, ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ સામે આરોપો છતાં સમયસર કાર્યવાહીનો અભાવ. અગાઉ, ૨૦૨૦-૨૧માં ટ્રસ્ટની અંદર જમીન ખરીદી સંબંધિત વિવાદો સપાટી પર આવ્યા હતા. જાેકે, તે સમયે ટ્રસ્ટે આરોપોને નકારી કાઢ્યા હતા.
મંદિર ટ્રસ્ટમાં ચંપત રાયની ભૂમિકા શું હતી?
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં મોટા વહીવટી ફેરબદલ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટની રચનાના લગભગ ૭૫ મહિના પછી, મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દાન અને પ્રસાદ સંબંધિત અનિયમિતતાના આરોપો વચ્ચે આ ર્નિણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ૨૦૧૯ના ર્નિણય બાદ, કેન્દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી. આ સ્વતંત્ર ટ્રસ્ટને મંદિરના નિર્માણ, દાન એકત્રિત કરવા, તેનું સંચાલન અને સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શરૂઆતમાં, ટ્રસ્ટમાં સંત સમુદાય, વહીવટી અધિકારીઓ અને સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સહિત ૧૫ સભ્યોનો સમાવેશ થતો હતો. મહાસચિવ તરીકે, ચંપત રાયને ટ્રસ્ટના મોટાભાગના વહીવટી અને સંચાલનના ર્નિણયોમાં મુખ્ય ખેલાડી માનવામાં આવતા હતા.
૮૦ લાખ રિકવર, આરોપીઓને ૩ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
રામ મંદિર દાન વિવાદ મામલે ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ તપાસ દરમિયાન પોલીસે દરોડા પાડીને આશરે ૮૦ લાખની શંકાસ્પદ રોકડ રકમ રિકવર કરી લીધી છે. આ સાથે જ, આ કેસમાં સંડોવાયેલા તમામ ૮ મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી અદાલતે તેમને ૩ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવાનો કડક આદેશ કર્યો છે.
ગોલ્ડમેન સૅક્સે કેલેન્ડર વર્ષ ૨૦૨૬ માટે ભારતના મેક્રોઇકોનોમિક આઉટલુકમાં સુધારો કર્યો છે. આ સુધારો તાજેતરના યુએસ-ઈરાન શાંતિ કરારને અનુસરે છે. વૈશ્વિક રોકાણ બેંકે ભારતના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ આગાહીમાં વધારો કરવા માટે કાચા તેલના નીચા ભાવ અને સ્થાનિક આર્થિક સ્થિતિમાં સુધારો થવાને કારણો ગણાવ્યા છે.
ગોલ્ડમેન સૅક્સે ૨૦૨૬ માટે ભારતના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ આગાહીમાં ૦.૩ ટકાનો વધારો કરીને ૬.૮ ટકા કર્યો છે. મુખ્ય ફુગાવાનો અંદાજ ૦.૨ ટકા ઘટાડીને ૪.૪ ટકા કરવામાં આવ્યો છે. ચાલુ ખાતાની ખાધ આગાહી પણ ૦.૨ ટકા ઘટાડીને જીડીપીના ૧.૧ ટકા કરવામાં આવી છે. બેંકની કોમોડિટી ટીમે તેના કાચા તેલના ભાવ આગાહીમાં ઘટાડો કર્યો છે. ૨૦૨૬ના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં તે સરેરાશ ૮૨ પ્રતિ બેરલ અને ૨૦૨૭ માં ૭૫ ડોલર પ્રતિ બેરલ રહેવાનો અંદાજ છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે બીજા અને ત્રીજા ક્વાર્ટર દરમિયાન વપરાશ વૃદ્ધિ ધીમી પડી શકે છે. આ ઇંધણના ભાવમાં અગાઉ થયેલા વધારાને કારણે થશે. જાે કે, કાચા તેલના ભાવમાં ઘટાડાથી રિટેલ ઇંધણના ભાવમાં વધારાની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઓછી થઈ છે. આ ત્રીજા ક્વાર્ટર પછી ઘરગથ્થુ ખર્ચ પર વધારાના દબાણને મર્યાદિત કરશે. વર્ષના અંતમાં અર્થતંત્ર વધુ ગતિ પકડશે.નીચા તેલના ભાવ અને મજબૂત રેમિટન્સ પ્રવાહને કારણે ભારતના બાહ્ય ક્ષેત્રના ભવિષ્યમાં સુધારો થયો છે.
વૈશ્વિક મંચ પર ભારતની આર્થિક તાકાતનો સ્વીકાર કરતાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ એક મોટું અને પ્રશંસનીય નિવેદન આપ્યું છે. આઈએમએફના જણાવ્યા અનુસાર, મધ્ય-પૂર્વ (ખાસ કરીને ઈરાન)માં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા (ક્રૂડ ઓઈલ) ના ઊંચા ભાવોના આંચકા છતાં, ભારત સમગ્ર વિશ્વના આર્થિક વિકાસના મુખ્ય ચાલક બળ (ગ્રોથ એન્જિન) તરીકે ઉભરી આવ્યું છે. દુનિયાના અન્ય વિકસિત દેશો જ્યારે મંદીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતની આ સ્પીડ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાનું કિરણ બની છે. વોશિંગ્ટન ખાતે આયોજિત નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાનIMF ના સંચાર વિભાગના ડાયરેક્ટર જુલી કોઝેકે ભારતીય અર્થતંત્રની પીઠ થાબડી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ પ્રકારના બાહ્ય અવરોધો અને ભૌગોલિક-રાજકીય તણાવ છતાં, ભારતની મજબૂત સ્થાનિક માગના કારણે દેશનું અર્થતંત્ર અસાધારણ રીતે સ્થિતિસ્થાપક અને સુરક્ષિત રહ્યું છે. આઈએમએફએ અગાઉ એપ્રિલ મહિનામાં કરેલા સુધારાને જાળવી રાખીને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો વિકાસ દર ૬.૫ ટકા રહેવાનો અંદાજ અકબંધ રાખ્યો છે.
વિદેશી મુદ્રા ભંડાર ૬૭૨ અબજ ડોલરને પાર થયો એક જ સપ્તાહમાં તિજાેરીમાં ૯૬૩ મિલિયન ડોલરનો જંગી ઉમેરો: આરબીઆઈના નવા ડેટા અનુસાર સોનાના મૂલ્યમાં ૪.૧ અબજ ડોલરના વધારાથી ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે વધુ એક ખૂબ જ રાહત આપનારા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. દેશની કેન્દ્રીય બેંક ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા’દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, ૧૯ જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ૯૬૩ મિલિયન યુએસ ડોલર વધીને ૬૭૨ અબજ યુએસ ડોલરથી વધુની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. દેશની આર્થિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સ્થિરતા માટે આ વધારો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સોનાના ચમકારાએ ભારતની આર્થિક તાકાત વધારી
આરબીઆઈના અહેવાલ મુજબ, આ વખતે વિદેશી મુદ્રા ભંડારમાં થયેલા આ નોંધપાત્ર ઉછાળા પાછળનું મુખ્ય કારણ ભારતના સોનાના ભંડારના મૂલ્યમાં થયેલો તીવ્ર વધારો છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધવાને કારણે ભારતનો ગોલ્ડ રિઝર્વ એક જ સપ્તાહમાં ૪.૧ અબજ યુએસ ડોલરની પ્રચંડ સ્પીડ સાથે વધીને ૧૦૭ અબજ યુએસ ડોલરને પાર થઈ ગયો છે. સોનાના આ મજબૂત સપોર્ટને કારણે જ વિદેશી સંપત્તિમાં થયેલા ઘટાડા છતાં ભારત એકંદરે નફામાં રહ્યું છે.
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં ૫૮૯ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ૨,૯૮૦ લોકો ઘાયલ થયા છે. વેનેઝુએલામાં બુધવારે એટલે કે ૨૫ જૂને વર્ષ ૧૮૨૧ના કારાબોબો યુદ્ધની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. તેથી મોટાભાગના લોકો ઘરોમાં હતા અને ફીફા વર્લ્ડ કપ મેચ જાેઈ રહ્યા હતા. આનાથી કાટમાળ નીચે દટાયેલા લોકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે.સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, કાટમાળની અંદરથી અવાજાે આવી રહ્યા છે. સરકારે મોડી રાત્રે જણાવ્યું કે ૩૯ હજારથી વધુ લોકો ગુમ છે. ભૂકંપની ભયાવહતાનું અસલી ચિત્ર હજુ આવવાનું બાકી છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપથી ૧૦ હજારથી વધુ લોકોના મોત થવાની ૪૪% આશંકા છે. જ્યારે, એક લાખ લોકોના જીવ ગુમાવવાની ૩૦% આશંકા છે.
આ આફતથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને ૯.૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટી જાહેર કરી છે. નરેન્દ્ર મોદીએ રોડ્રિગ્ઝ સાથે વાત કરીને મદદની ઓફર કરી છે.
પુણેમાં કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે કેતન અગ્રવાલ હેર વિગ લગાવતો હતો. સિયા ગોયલને આ પસંદ નહોતું. કેતનના પિતા વિશાલ અગ્રવાલે કહ્યું, ‘સિયા અને તેના પરિવારને ખબર હતી કે કેતન વિગનો એક પેચ લગાવતો હતો. તેને પસંદ નહોતું તો તે ના પાડી શકતી હતી, શું આ કોઈને મારવાનું કારણ હોઈ શકે છે?
‘પોલીસ સૂત્રો અનુસાર, ‘સિયા આ લગ્નથી ખુશ નહોતી. કેતનના વિગ લગાવવા અને હકલાવાને (તોતડાવાની) કારણે સિયાના મનમાં તેના પ્રત્યે નફરત બેસી ગઈ હતી.’ સિયાએ જણાવ્યું કે તેણે કેતનને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી, પરંતુ તે સગાઈ તોડવા તૈયાર નહોતો. કેતનનું કહેવું હતું કે હવે બહુ મોડું થઈ ગયું છે.
સિયા અને કેતન ૧૮ જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન કેતનનું ખીણમાં પડી જવાથી મોત થયું. સિયા પર તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને મંગેતરની હત્યા કરવાનો આરોપ છે. બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.
પરિવારને સિયા અને કેતનના લગ્નથી ઘણી અપેક્ષાઓ હતી. કેતનનો પરિવાર પણ સિયાને ખૂબ પ્રેમ અને સ્નેહ આપતો હતો. બધા કાર્યક્રમો સારી રીતે ચાલી રહ્યા હતા.
Loading ...
