ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે તેના ટ્રૂ પ્રોમિસ ૪ ઓપરેશનના પહેલા બે દિવસમાં ૬૫૦ થી વધુ અમેરિકી સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું હતું કે, ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ ગલ્ફ ક્ષેત્રમાં યુએસ બેઝ અને નૌકાદળની સંપત્તિઓને નિશાન બનાવી હતી. નૈનીના જણાવ્યા અનુસાર, બહેરીનમાં યુએસ નૌકાદળના પાંચમા ફ્લીટના મુખ્યાલય પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે એક હુમલામાં ૧૬૦ અમેરિકી જાનહાનિ થઈ હતી અને યુએસ નૌકાદળના લડાયક સહાયક જહાજને પણ ભારે નુકસાન થયું હતું. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ એમ પણ કહ્યું હતું કે ઈરાની નૌકાદળે ચાબહાર કિનારે ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર દૂર સ્થિત અબ્રાહમ લિંકન પર ચાર ક્રુઝ મિસાઈલો છોડી હતી, જેના કારણે વિમાનવાહક જહાજને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ દાવાઓની યુએસ દ્વારા સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે, પણ મોડું થઈ ગયું: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
મેરિકા-ઇઝરાયલ અને ઈરાન જંગનો આજે ચોથો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ હવે તેના માટે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા દાવો કર્યો કે ઈરાનની ડિફેન્સ સિસ્ટમ અને લીડરશિપ લગભગ ખતમ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનનું એર ડિફેન્સ, એર ફોર્સ અને નેવી તબાહ થઈ ચૂક્યા છે. જાેકે, આ પહેલા રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાની નેતાઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઈરાન સાથે વાત કરશે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાન સાથે વાતચીત કરશે. ક્રેમલિને મંગળવારે જણાવ્યું કે પુતિન ખાડી દેશોના નેતાઓની વધતી જતી ચિંતાઓને સીધી તેહરાન સુધી પહોંચાડશે. પુતિને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં પ્રાદેશિક સંઘર્ષના વિસ્તાર અને સંભવિત ગંભીર પરિણામો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પુતિન તણાવ ઓછો કરવા માટે તમામ શક્ય રાજદ્વારી પ્રયાસો કરશે. તાજેતરના હુમલાઓમાં સાઉદી રિફાઇનરી, ેંછઈનું ફુજૈરાહ એનર્જી સેન્ટર અને કતારની રસ લાફાન ન્દ્ગય્ સુવિધા પ્રભાવિત થઈ છે, જેના કારણે ગ્લોબલ એનર્જી માર્કેટ પર પણ અસર પડી છે.
કાશ્મીરમાં સૌથી વધુ પ્રદર્શનો, પોલીસે ટીયર ગેસ છોડ્યા
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ પર જમ્મુ-કાશ્મીરમાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. શ્રીનગરના બેમિના વિસ્તારમાં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યો હતો. કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શોપિયાં, બારામુલા, બાંદીપોરા જેવા વિસ્તારોમાં લોકોએ બજાર બંધ રાખ્યા હતા.
ઈરાન-અમેરિકા યુદ્ધમાં દીવના યુવકનું મોત
ઓમાનના દરિયાઈ વિસ્તારમાં એક ઓઇલ ટેન્કર પર થયેલા ભીષણ મિસાઇલ હુમલામાં દીવના ૨૫ વર્ષીય યુવાન દીક્ષિત અમરીક સોલંકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિસાઈલ એટેક થયો તે સમયે દીક્ષિત સોલંકી જહાજના એન્જિન રૂમમાં રીડિંગ લઈ રહ્યો હતો. ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં એમટી સ્કાય લાઈટ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ ૨૧ ક્રૂ મેમ્બરો સવાર હતા, જેમાં ૧૬ ભારતીય, ૪ બાંગ્લાદેશી અને ૧ યુક્રેની નાગરિકનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી, ઇઝરાયલ-ઈરાન જંગનો આજે ચોથો દિવસ છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ બાદ ભારતીયો પરત ફરી રહ્યા છે. દુબઈ અને અબુધાબીથી મંગળવાર સાંજ સુધીમાં સાત ફ્લાઇટથી ૨૧૦૦થી વધુ ભારતીયો પરત ફર્યા છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ બે દિવસમાં ભારતીયોની સુરક્ષાને લઈને ૮ ખાડી દેશોના નેતાઓ સાથે વાત કરી છે. પીએમે આજે ઓમાનના સુલતાન, કતારના અમીર અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાત કરી ત્યાં થયેલા હુમલાની નિંદા કરી હતી.એરસ્પેસ બંધ થવાને કારણે મંગળવારે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર ૨૫૦ થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં દિલ્હીથી ૮૦, મુંબઈથી ૧૦૭, બેંગલુરુથી ૪૨ અને ચેન્નઈથી ૩૦ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
ઇન્ડિગો આજે જેદ્દાહથી હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને અમદાવાદ માટે ૧૦ સ્પેશિયલ ફ્લાઇટ્સ પણ ચલાવી રહ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મસ્કત માટે ફ્લાઇટ્સ શરૂ કરી છે. વધુમાં, સોમવારે મોડી રાત્રે યુએઈથી ચાર ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ આવી. અબુ ધાબીમાં ફસાયેલા ભારતીયોએ ઘરે પરત ફરતા રાહતનો શ્વાસ લીધો. એક મુસાફરે જણાવ્યું કે અબુ ધાબીમાં તેમની હોટલ નજીક વિસ્ફોટ થયા હતા.દરમિયાન, એર ઇન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ આર્થિક વિકાસને ટકાઉ અને મજબૂત બનાવવો વિષય પર વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું. આ દરમિયાન, તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં, ભારતનું મજબૂત અર્થતંત્ર વિશ્વ માટે આશાનું કિરણ છે. વડાપ્રધાનએ કહ્યું કે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઇનનું પુનર્ગઠન થઈ રહ્યું છે, ત્યારે ભારતની ઝડપી આર્થિક પ્રગતિ વિકસિત ભારતના લક્ષ્ય માટે મજબૂત પાયો છે. તેમણે સ્પષ્ટતા કરી કે દેશની દિશા અને સંકલ્પ બંને સ્પષ્ટ છે. સંબોધનમાં, મોદીએ વધુ ઉત્પાદન, વધુ ઉત્પાદન, વધુ કનેક્ટિવિટી અને વધુ નિકાસની વ્યૂહરચના અપનાવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે દેશના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને એમએસએમઇ , એકબીજા સાથે ઊંડાણપૂર્વક જાેડાયેલા છે. મજબૂત ઉત્પાદન માળખાગત સુવિધા આ તમામ ક્ષેત્રોમાં નવી તકો ઉભી કરે છે. વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર બોલતા, પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસમાં મોટા રોકાણો અને વૈશ્વિક ધોરણો અનુસાર ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતે ઘણા દેશો સાથે મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી તકોની વિશાળ શ્રેણી ખુલી છે. , ઉત્પાદનની ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જાેઈએ. પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે જાે મહત્તમ ઊર્જા, બુદ્ધિમત્તા અને સંસાધનો એક ક્ષેત્ર પર કેન્દ્રિત કરવા હોય, તો તે ગુણવત્તા હોવી જાેઈએ.
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભયાનક દોરમાંથી પ્રવેશી ચૂક્યું છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા-ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં દક્ષિણ ઈરાનના હોર્મોઝગાન પ્રાંતની એક ગર્લ્સ સ્કૂલ પણ નિશાન બની હતી, જેમાં ૧૬૦ વિદ્યાર્થિનીના મોત થયા છે. આ હુમલા બાદ સ્થાનિક તંત્રે હેવી મશીનોથી એકસાથે ૧૬૦ કબર ખોદી હતી. ઈરાની મીડિયાએ સેટેલાઈટ તસવીરો રજૂ કરીને આ દાવો કર્યો છે. તસવીરમાં જાેઈ શકાય છે કે આટલી મોટી સંખ્યામાં માસૂમ બાળકીઓને દફનાવવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરીને કબરો ખોદવી પડી હતી. ઈરાને શેર કરેલી આ તસવીરોમાં આકાશમાંથી લેવાયેલા દ્રશ્યોમાં લાઈનબદ્ધ ખોદાયેલી કબરો જાેઈને કોઈ પણનું હૃદય દ્રવી ઉઠે. શરૂઆતમાં આ હુમલામાં ૩૦ જેટલી બાળકીઓના મોત થયા હોવાનું મનાતું હતું, પરંતુ કાટમાળ હટાવતા
મૃત્યુઆંક વધીને ૧૬૦થી વધુ પહોંચી ગયો છે.
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ સોમવારે દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં લાંબા ગાળા માટે યુરેનિયમ સપ્લાયનો એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને દેશો સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટરો પર સાથે મળીને કામ કરશે. હવે બંને દેશો વેપાર, ઊર્જા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીને સંબંધો સુધારવા માટે મક્કમ દેખાય છે. આ બેઠક દરમિયાન ભારત અને કેનેડાએ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦ બિલિયન ડૉલર સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અહીં માથાદીઠ આવકનો વિકાસ એવો રહ્યો છે જે ઇતિહાસમાં બહુ ઓછો જાેવા મળ્યો છે. કેનેડા તમારા આ જ ઉત્સાહ અને હેતુની ભાવનાને શેર કરે છે. મને લાગે છે કે આ નવા યુગમાં સફળતાનો માર્ગ ૨૦૨૩માં તમારા ય્૨૦ અધ્યક્ષપદના વિષય ‘ર્ંહી ઈટ્ઠિંર, ર્ંહી હ્લટ્ઠદ્બૈઙ્મઅ, ર્ંહી હ્લેંેિી’ માં સારી રીતે દર્શાવવામાં આવ્યો છે, કારણ કે આપણા સમયના પડકારોને કોઈ પણ દેશ એકલો ઉકેલી શકતો નથી.કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા એક વર્ષમાં કેનેડા અને ભારતની સરકારો વચ્ચે જે સંવાદ થયો છે, તે છેલ્લા બે દાયકામાં થયેલા તમામ સંવાદો કરતા વધુ છે. આ માત્ર સંબંધોનું નવીકરણ નથી, પરંતુ નવા ઉત્સાહ, ધ્યાન અને દૂરદર્શિતા સાથે એક મૂલ્યવાન ભાગીદારીનો વિસ્તાર છે. આ બે આત્મવિશ્વાસુ દેશો વચ્ચેની ભાગીદારી છે, જેઓ પોતાના ભવિષ્યની દિશા પોતે નક્કી કરી રહ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલા અનેક તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની વાત કરતા રહ્યા છીએ, અને જ્યારે બે લોકશાહી દેશો સાથે ઉભા રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ મજબૂત બને છે. પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ આપણા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત તમામ વિવાદોને સંવાદ અને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાનું સમર્થન કરે છે અને ક્ષેત્રમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દેશો સાથે ગાઢ સહયોગ ચાલુ રાખશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેનેડા ભારત માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.
Loading ...
