પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (એસઆઇઆર) પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે મંગળવાર સુધીમાં ૬ મિલિયન વાંધાઓમાંથી ૪.૭ મિલિયન વાંધાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશે કોર્ટને માહિતી આપી હતી કે દરરોજ આશરે ૧૭૫,૦૦૦થી ૨૦૦,૦૦૦ વાંધાઓ પર પ્રક્રિયા કરાઇ રહી છે.૭ એપ્રિલ સુધીમાં બધા વાંધાઓનો ઉકેલવામાં આવશે.મમતા બેનર્જીનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાનો દર ઊંચો છે. ૪૫ ટકા સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રિબ્યુનલ્સને તેમનું કામ કરવાની મંજૂરી આપવી જાેઈએ જેથી તેઓ મતદાર યાદીમાંથી નામો સામેલ કરવા અથવા કાઢી નાખવા સંબંધિત બાબતોનો ઉકેલ લાવી શકે. કોર્ટે એ પણ ટિપ્પણી કરી હતી કે વિવિધ રાજકીય પક્ષો તેમના સંબંધિત હિતો અનુસાર ૧૦૦ ટકા નામો સામેલ કરવા અથવા કાઢી નાખવાની માંગ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે આ અંગે આગામી સુનાવણી ૭ એપ્રિલે થઈ શકે છે.પાછલી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે રાજ્યમાં એસઆઇઆર પ્રક્રિયા સંબંધિત વાંધાઓને દૂર કરવા માટે ન્યાયિક અધિકારીઓની નિમણૂકનો નિર્દેશ આપ્યો હતો. બંગાળના પોલીસ મહાનિર્દેશકને પણ જીૈંઇ અધિકારીઓ દ્વારા મળેલી ધમકીઓ અંગે લેવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતું પૂરક સોગંદનામું દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સંયુક્ત આરબ અમીરાત ઈરાન યુદ્ધમાં સીધા સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, યુએઇ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલવા માટે તમામ રીતોનો ઉપયોગ કરવાની પરવાનગી માગવામાં આવી રહી છે. આ અંતર્ગત હોર્મુઝ સિક્યુરિટી ફોર્સ બનાવવામાં આવશે, જે જહાજાેની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
હોર્મુઝ એક ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જેના દ્વારા વિશ્વનું લગભગ ૨૦% તેલ પસાર થાય છે. ઈરાને આ માર્ગ બંધ કરી દીધો છે, જેનાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. યુએઇ પ્રથમ ખાડી દેશ બની શકે છે જે આ યુદ્ધમાં સીધો ભાગ લેશે. તાજેતરના દિવસોમાં ઈરાને યુએઇ પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ હુમલા થઈ ચૂક્યા છે, જેમાં એરપોર્ટ, રહેણાંક ઇમારતો અને ઓઇલ ફેસિલિટી જેવી નાગરિક સુવિધાઓને નુકસાન થયું છે. યુએઇ અન્ય દેશો સાથે ગઠબંધન બનાવવાની માગ કરી રહ્યું છે. યુએઇ અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોને અપીલ કરી રહ્યું છે કે તેઓ એકસાથે ગઠબંધન બનાવે અને સ્ટ્રેટને સુરક્ષિત કરે. યુએઇ અધિકારીએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે ઈરાન પોતાનો જીવ બચાવવા માટે લડી રહ્યું છે, તેથી તે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને પણ બરબાદ કરવા તૈયાર છે. યુએઇનું માનવું છે કે જાેUNSC પ્રસ્તાવને મંજૂરી મળી જાય તો હાલમાં ખચકાઈ રહેલા એશિયન અને યુરોપિયન દેશો પણ હોર્મુઝને ખોલાવવામાં મદદ કરવા માટે આગળ આવી શકે છે. રશિયા-ચીન યુએઇના પ્રસ્તાવ પર વીટો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, રશિયા અને ચીન આ પ્રસ્તાવને વીટો કરી શકે છે. રિપોર્ટમાં ખાડી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભલે પ્રસ્તાવ પસાર ન થાય, યુએઇ તેમ છતાં સૈન્ય પ્રયાસોમાં સમર્થન આપવા તૈયાર છે.
ઈરાને દરિયાઈ માર્ગ બંધ કરતાં અમેરિકા અને નાટો સામસામે
વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન નાટો ના ભવિષ્ય પર જાેખમ તોળાઈ રહ્યું છે. ઈરાન સામેના યુદ્ધમાં યુરોપીય દેશોએ સહયોગ આપવાની મનાઈ કરી દેતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ઈરાન સાથેનો સંઘર્ષ પૂરો થયા બાદ અમેરિકા નાટો સાથેના સંબંધો પર પુનર્વિચાર કરશે. રુબિયોએ સવાલ ઉઠાવ્યો છે કે જાે અમેરિકા પોતાના હિતો માટે સાથી દેશોના સૈન્ય મથકોનો ઉપયોગ જ ન કરી શકે, તો આવા એકતરફી ગઠબંધનનો શો અર્થ? આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધી અને ટ્રમ્પે નાટો સહયોગીઓને પોતાના યુદ્ધજહાજાે મોકલી આ દરિયાઈ માર્ગ ખોલવા અપીલ કરી. ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોએ આ અભિયાનમાં જાેડાવાની ના પાડી દેતા ટ્રમ્પ અત્યંત નારાજ થયા છે.
વૈશ્વિક ઉર્જા સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ૫૦% જેટલો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હેઠળ ભારતમાં સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યાે છે. આઇઓસી,, બીપીસીએલ અને એચપીસીએલ જેવી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને એક્સચેન્જ રેટના આધારે આ નવા ભાવો લાગુ કર્યા છે.સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હવે ૧૯ કિ.ગ્રા.વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત રૂા.૧૯૫.૫ રૂપિયા વધીને ૨,૦૭૮.૫૦ થઈ ગઈ છે. અગાઉ ૧ માર્ચના રોજ આ સિલિન્ડરમાં ૧૧૪.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.જાેકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું કુકિંગ ગેસના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર કરાયો નથી. દિલ્હીમાં ૧૪.૨ કિ.ગ્રા.ના ઘરેલું સિલિન્ડરની કિંમત રૂા.૯૧૩ રૂપિયા યથાવત છે. મિડલ ઈસ્ટ યુદ્ધથી સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર ૨૦% કેપ (મર્યાદા) પણ લાદવામાં આવી છે.
ડીઝલ રૂ.૨૫ મોંઘું,પેટ્રોલના ભાવમાં પણ ભડકો
મિડલ ઇસ્ટમાંસંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારતમાં ખાનગી ફ્યુઅલ રિટેલર કંપનીઓએ ૧ એપ્રિલથી ભાવમાં મોટો વધારો કર્યો છે. શેલ ઈન્ડિયા અને નાયરા એનર્જી જેવી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો કર્યાની જાહેરાત કરી છે. બેંગલુરુ સહિતના શહેરોમાં શેલ ઈન્ડિયાએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૭.૪૧નો વધારો કર્યો છે. વધારા બાદ સામાન્ય પેટ્રોલની કિંમત રૂ.૧૧૯.૮૫ અને પ્રીમિયમ પેટ્રોલની કિંમત રૂ.૧૨૯.૮૫ પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. કંપનીઓએ ડીઝલના ભાવમાં એકસાથે ૨૫.૦૧ રૂપિયાનો વધારો કર્યો છે.
૧ લિટર પર ઑઇલ કંપનીઓને રૂા.૧૦૫નું નુકસાન
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ ૯૪.૭૭ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં જે લિટર દીઠ ૨ રૂપિયાનો વધારો થયો છે, તે માત્ર પ્રીમિયમ પેટ્રોલ વેરિઅન્ટ્સ(જેમ કે ઠઁ૯૫, રુીિ૯૫ અને જીॅીીઙ્ઘ) પર જ લાગુ છે. આ હાઈ-ઓક્ટન ફ્યુઅલનો ઉપયોગ કુલ વેચાણના માત્ર ૨થી ૫ ટકા જેટલો જ છે અને તે વાહનચાલકો પોતાની પસંદગીથી ખરીદે છે.
ATFનો ભાવ ડબલ, સરકારે હાથ ઊંચા કર્યા
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ૧ એપ્રિલથી એર ટર્બાઇન ફ્યુલ(છ્હ્લ) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં ૧૦૦ ટકાનો જંગી વધારો ઝીંકાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ATFની કિંમત પ્રતિ કિલોલીટર રૂ.૨ લાખ ના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે ૧ માર્ચે રૂ.૯૬,૬૩૮ હતો, તે હવે વધીને રૅકોર્ડબ્રેક રૂ.૨.૦૭ લાખ પ્રતિ કિલોલીટર થઈ ગયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે આ વધારો અનિવાર્ય બન્યો છે.
દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દેશનું કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ જીએસટી કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.
તેમજ જાે ગ્રોસ જીએસટી કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે ૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૮.૮% વધુ છે. સતત વધી રહેલી જીએસટી વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે. એકંદરે, આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.
રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે ૧૩.૮% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જાેડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે. રેવેન્યૂના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી, જેમાં ૫.૯% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ ૦.૫૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં ૧૭.૮% નો મોટો વધારો જાેવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.
વડોદરા કોર્પોરેશની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મૂરતિયાંઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરુ કરી દીધો છે. ૧ એપ્રિલ અને ૨ એપ્રિલના રોજ તમામ વોર્ડના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવશે. જેને માટે શહેરના જુદાજુદા વિસ્તારોના ચાર-ચાર પાર્ટી પ્લોટ બે દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. નિરીક્ષકોની એક ટીમ છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા ટીપી-૧૩ના રિધ્ધી-સિધ્ધી પાર્ટી પ્લોટમાં વોર્ડ-૧, ૨,૩, ૭,૧૪ના દાવેદારોના ઈન્ટરવ્યૂ લેશે. જ્યારે નિરીક્ષકોની બીજી ટીમ ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસેના સત્યમ પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૪, ૫, ૬, ૧૩, ૧૫ના દાવેદારોને સાંભળશે. નિરીક્ષકોની ત્રીજી ટીમ તરસાલી વિસ્તારના જે કે પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૧૬,૧૭,૧૮,૧૯ના દાવેદારોના સેન્સ લેશે. અને નિરીક્ષકોની ચોથી ટીમ વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૮, ૯,૧૦,૧૧,૧૨ના દાવેદારોના સેન્સ લેવાના છે. આ વખતે સેન્સની આખી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવશે.
નિરીક્ષકોને મળ્યા પછી સંકલનની બેઠક ક્યારે મળશે?
વડોદરામાં ભાજપના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયાને સિક્રેટ મિશન તરીકે જાેવાઈ રહી છે. આખીય પ્રક્રિયામાં ગુપ્તતા જળવાઈ રહે અને છેલ્લે સુધી ઉમેદવારોના ફાઈનલ લિસ્ટનું પેપરલીક ના થઈ જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, ૧ એપ્રિલ અને ૨ એપ્રિલે વડોદરાના તમામ વોર્ડના બધા જ દાવેદારોના સેન્સ લીધા પછી સંકલનની બેઠક ક્યારે મળશે ? સામાન્ય રીતે દાવેદારોની સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો અને ધારાસભ્યો-સાંસદની સંકલનની બેઠક મળતી હોય છે. પણ આ વખતે સંકલનની બેઠક મળશે કે કેમ ? તેવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
ચૂંટણી લડવી હોય તો જ આવજાે, બીજાની ભલામણ માટે નહીં!!
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ વખતે નિરીક્ષકોનો રોલ મહત્વનો રહેશે. એટલે વડોદરાના ટિકીટવાંચ્છુઓએ ખાસ ધ્યાન રાખવુ પડશે કે, તેમના વાણીવિલાસ કે, વર્તનથી નિરીક્ષકો નારાજ ના થઈ જાય..!! આ વખતે એટલુ તો સ્પષ્ટ છે કે, જેને ચૂંટણી લડવી હશે તેને જ સેન્સ પ્રક્રિયામાં એન્ટ્રી અપાશે. બીજાની ભલામણ કે, ચાપલૂસી કરનારાઓને સેન્સ પ્રક્રિયામાંથી આઉટ કરી દેવામાં આવશે.
ભાજપનું જૂનું સંગઠન સુનિલ સોલંકીના ખભે બંદૂક ફોડે તેવી શક્યતા
શહેરના જૂના અને જાણીતા નેતાઓમાં ચૂંટણીને લઈને સળવળાટ શરુ થયો છે. તેમને તથા તેમના અંગત કાર્યકરોને ટિકીટ મળી રહે તે માટે પાર્ટીની અંદર એક નવું જૂથ ઉભુ થયુ છે. આ વખતે શહેર ભાજપનું જૂનું સંગઠન સુનિલ સોલંકીના ખભે બંદૂક ફોડે તેવી શક્યતા ઉભી થઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક વૈભવી ફાર્મહાઉસમાં ભાજપના સિનિયર નેતાઓની એક ગુપ્ત મિટીંગ યોજાઈ હતી. જેનો એજન્ડા મહત્તમ ટિકીટ મેળવવાનો હતો. કહેવાય છે કે, મિટીંગમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે, આ વખતે સુનિલ સોલંકી સહિત ૧૦ ટિકીટો જૂના કાર્યકર-નેતાઓને આપવામાં આવે. સુનિલ સોલંકીને વોર્ડ - ૮માં ટિકીટ આપવામાં આવે અને ચૂંટણી જીત્યા પછી એમને મેયર પણ બનાવવામાં આવે. વડોદરાના સિનીયર નેતાઓની આ રજૂઆત મોવડી મંડળ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે.
લોકહિત કે પાર્ટીહિતને બદલે સ્વહિતને પ્રાધાન્ય આપનારાને વડોદરાના માથે ફરી થોપી દેવાશે?
વડોદરા કોર્પોરેશનના ગત બોર્ડમાં મોટાભાગના એવા કાઉન્સિલરો હતા જે લોકહિત કે, પાર્ટીના હિતને બદલે સ્વહિતને પ્રાધાન્ય આપતા હતા. આ વખતે આવા સ્વાર્થી કાઉન્સિલરોની ટિકીટ કપાશે ? કે પછી એમને વડોદરાના માથે ફરી એકવાર થોપી દેવાશે ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે. ભાજપે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં વડોદરાના હિતને કેન્દ્ર સ્થાને રાખવુ જાેઈએ. અને કાઉન્સિલરની ખુરશીને પૈસા કમાવવાનું માધ્યમ ગણતા પૂર્વ કોર્પોરેટરોને ઘર ભેંગા કરી દેવા જાેઈએ.
ગોડફાધરોની પગચંપી કરનારાને મલાઈ આરોગવાની ફરી તક મળશે?
ગયા વખતે ભાજપના ૬૦ કાઉન્સિલરો ચૂંટણી જીત્યા હતા. પણ મોટાભાગના કાઉન્સિલરોની સ્થિતિ એવી છે કે, એમને એમના મતદારો પણ ઓળખતા નથી. અલબત્ત, એમના જ વોર્ડના લોકો એમના નામ સુધ્ધા જાણતા નથી. સ્વાભાવિક છે કે, મોટાભાગના કાઉન્સિલરો પ્રજાની વચ્ચે રહેવાને બદલે ગોડફાધરોની પગચંપીમાં વ્યસ્ત રહે છે અને તેને લીધે જ તેમની મતદારો વચ્ચે મૌજુદગી નામશેષ રહી છે. હવે, સવાલ એ ઉભો થાય છે કે, શું આ વખતે આવા પૂર્વ કાઉન્સિલરોની ટિકીટ કપાશે કે, પછી ગોડફાધરોની પગચંપી કરનારાઓને ફરીથી મલાઈ આરોગવાની તક મળશે?
અમે કોર્પોરેટરની નહીં, ચેરમેનની ટિકિટ માગવાના છીએ!
આવતીકાલે ભાજપના કેટલાય કાર્યકરો-નેતાઓ આગામી ચૂંટણીમાં કોર્પોરેટરની ટિકિટ મેળવવા માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવાના છે. પણ મનોજ પટેલ, અજીત દધીચ, નીતિન દોંગા, હિતેન્દ્ર પટેલ અને ડો. શીતલ મિસ્ત્રી જેવા પૂર્વ કાઉન્સિલરો સ્થાયી સમિતીના ચેરમેનની ટિકીટ માંગવા જતા હોય તેવુ લાગી રહ્યુ છે. આ તમામ નેતાઓના ટેકેદારો તેમને અત્યારથી જ ચેરમેન સાહેબ તરીકે સંબોધી રહ્યા છે. તેમના ગોડફાધરોનો આત્મવિશ્વાસ પણ બુલંદી પર છે. એમને એવુ જ છે કે, આ બધાને ટિકિટ તો મળવાની જ છે પણ ચૂંટણી જીત્યા પછી સ્થાયી સમિતીના ચેરમેનનું પદ પણ મળી જ જવાનુ છે.
ભાજપની ચૂંટાયેલી પાંખ અને સંગઠન સામસામે આવે તેવી શક્યતા
વડોદરા ભાજપમાં ઉમેદવારો નક્કી કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલુ કઠીન છે. આવા કઠિન કામને આંતરિક હૂંસાતૂંસી વધારે અઘરું બનાવે છે. આ વખતે પણ ટિકીટના વિતરણમાં ચૂંટાયેલી પાંખ અને સંગઠન સામસામે આવે તેવી શક્યતા છે. સ્વાભાવિક છે કે, ટિકીટ બાબતે અંદરોઅંદરની ખેંચતાણ શરુ થશે અને અસંતોષ પણ ઉભો થશે. આવામાં વચગાળાનો રસ્તો કેવી રીતે કાઢવો ? તેનો ર્નિણય મોવડી મંડળ નક્કી કરશે.
Loading ...
