ઢાકા, બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં ૨૦ વર્ષના લાંબા વિરામ બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ ભવ્ય જીત મેળવી છે. ૨૯૯ બેઠકોમાંથી બીએનપી અત્યાર સુધીમાં ૧૬૫ બેઠકો પર વિજયી બની છે, જેનાથી પક્ષના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું હવે નિશ્ચિત મનાય છે. તારિક રહેમાને પોતે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંનેમાં વિજય મેળવ્યો છે.
આ વખતે ૫૯.૪૪ ટકા મતદાન નોંધાયું છે, જે ૨૦૨૪ની ચૂંટણીના ૪૧.૮ ટકા કરતા અંદાજે ૧૭ ટકા વધારે હતું. જેમાં તારેઈખ રહેમાનની પાર્ટી બીએનપીને ફાળે અત્યાર સુધી ૧૬૫ બેઠક આવી છે. જ્યારે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ૧૧ પક્ષોના ગઠબંધનને ૪૫ બેઠકો મળી છે, જેમાં જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-૧૫ બેઠક પર જીત મેળવી છે. ચૂંટણીમાં કુલ ૧૯૮૧ ઉમેદવારમાંથી માત્ર ૭૮ મહિલા મેદાનમાં હતી, જેમાંથી ૭ મહિલાને જીત મળી છે. પૂર્વ પીએમ હસીનાના ગઢ ગણાતા ગોપાલગંજ જિલ્લાની ત્રણેય બેઠકો પર બીએનપીના ઉમેદવારો વિજેતા બન્યા છે. ગોપાલગંજ-૧ બેઠક પર સલીમ જમાન મોલ્લા, ગોપાલગંજ-૨ બેઠક પર ડો. કેએમ બાબર અને ગોપાલગંજ-૩ બેઠક પર એસએમ જિલાનીએ જીત મેળવી. આ ત્રણેય બીએનપીના ઉમેદવારો છે. ગોપાલગંજ એ જ જિલ્લો છે જ્યાં શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક નેતા શેખ મુજીબનું ઘર હતું. શેખ મુજીબનું પૈતૃક ગામ ટુંગીપાડા પણ આ જ જિલ્લામાં છે. આ જ કારણોસર આ વિસ્તાર અવામી લીગનો મજબૂત ગઢ માનવામાં આવે છે.તે ઉપરાંત ૩ બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અત્યાર સુધી ૨૦૬ બેઠકોના પરિણામો સામે આવ્યા છે. સામાન્ય ચૂંટણી માટે બપોરે ૨ વાગ્યા સુધી ૪૮ ટકા મતદાન થયું હતું. મતદાન સાંજે ૪:૩૦ સુધી ચાલ્યું હતું. હજુ કુલ મતદાનના આંકડા આવવાના બાકી છે. હાલમાં ઢાકા શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે. તારિક રહેમાને વિજયની કોઈ પણ જાતની રેલી કે જુલૂસ ન કાઢવા અને કાર્યકર્તાઓને સંયમ જાળવવા અપીલ કરી છે.
બંધારણીય સુધારાને જનતાની મહોર
સંસદીય ચૂંટણીની સાથે જ દેશમાં બંધારણીય સુધારા માટે જનમત સંગ્રહ પણ યોજાયો હતો, જેમાં ૬૮.૦૬ ટકા લોકોએ હાની તરફેણમાં મતદાન કર્યું છે. આ સુધારા હેઠળ વડાપ્રધાનની સત્તામાં કાપ મૂકાશે અને રાષ્ટ્રપતિના અધિકારો વધશે. હવે કોઈ પણ વ્યક્તિ જીવનમાં મહત્તમ ૧૦ વર્ષ સુધી જ વડાપ્રધાન રહી શકશે. બાંગ્લાદેશમાં હવે બે ગૃહોવાળી સંસદની વ્યવસ્થા અમલમાં આવશે. કુલ ૪૮,૦૭૪,૪૨૯ મતો હાની તરફેણમાં પડ્યા, જ્યારે ૨૨,૫૬૫,૬૨૭ મતો નાની તરફેણમાં પડ્યા.
અભિનંદન પાઠવવામાં પાકિસ્તાન પણ જાેડાયું
.ના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે, પાકિસ્તાન બાંગ્લાદેશની લોકતાંત્રિક આકાંક્ષાઓને સમર્થન આપે છે. અમે નવી સરકાર સાથે વેપાર, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા કામ કરવા તૈયાર છે.
પીએમ અને મમતાના અભિનંદન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને જીત બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું છેકે, આ જીત જનતાના તેમના નેતૃત્વ પરના ભરોસાને દર્શાવે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ તારિક રહેમાનને ‘ભાઈ’ કહીને શુભકામનાઓ પાઠવી છે. અમેરિકા અને પાકિસ્તાને પણ નવી સરકાર સાથે વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
નવી દિલ્હી, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતને એક પછી એક રાહતો મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા બદલાવ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શરતોમાં છૂટ આપવામાં આવી અને હવે એક દિવસ પછી વધુ છૂટછાટો મળવાની અપેક્ષા જાેવા મળી રહી છે. આ સંબંધમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે, જે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંકેત આપ્યો કે, બાંગ્લાદેશની જેમ ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા બાદ શૂન્ય ટેરિફની સુવિધા મળવાની અપેક્ષા છે. તેમના આ નિવેદનથી ભારતીય કાપડ નિકાસકારોને મોટી રાહત મળશે, કારણ કે અમેરિકા-બાંગ્લાદેશ ટ્રેડ ડીલે આ બિઝનેસ સામે મોટા પડકારો ઉભા કર્યા છે.
પિયુષ ગોયલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલને લઈ રાજકીય વર્તુળોમાં પણ શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલ આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ છે. હવે પિયુષ ગોયલે તેમના નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે, તેમણે સંસદમાં વધુ એક જુઠ્ઠાણું ફેલાવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની તુલનામાં બાંગ્લાદેશને ટ્રેડ ડીલથી વધુ ફાયદો થયો છે. આ સંબંધમાં વિગતવાર માહિતી આપતા પિયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, આ ભાગ ગયા અઠવાડિયે બંને દેશો દ્વારા જાહેર કરાયેલા વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્કમાં કદાચ સામેલ ન હોઈ શકે, પરંતુ તે અંતિમ કરારમાં ચોક્કસપણે સામેલ હશે. નોંધનીય છે કે, અમેરિકા ભારતના કાપડની નિકાસ માટે સૌથી મોટું બજાર છે. દેશમાંથી નિકાસ થતા કુલ કાપડ અને વસ્ત્રોના શિપમેન્ટનો ૩૦% ભાગ અમેરિકા પહોંચે છે. ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચેની ડીલ બાદ કાપડ નિકાસકારોમાં ખુશી લહેર જાેવા મળી, કારણ કે ટ્રમ્પે ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરી દીધો હતો. જાે કે, આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે અમેરિકન કપાસમાંથી બનેલા બાંગ્લાદેશી વસ્ત્રો પર ઝીરો ડ્યુટી લાગશે. આનાથી એવી ચિંતા વધી હતી કે, જાે બાંગ્લાદેશી કપડાં પર કોઈ ટેક્સ નહીં લાગે, તો ભારતીય કપડાં પર ૧૮% ટેક્સ હોવાને કારણે આપણે સ્પર્ધામાં ટકી શકીશું નહીં.
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ર્નિણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસે) એ ફ્રાન્સ પાસેથી ૧૧૪ રાફેલ ફાઇટર જેટ ખરીદવાના રૂ. ૩.૨૫ લાખ કરોડના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદો ભારતની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી ખરીદી છે, જેનો મુખ્ય હેતુ ભારતની સંરક્ષણ ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોપરી બનાવવાનો છે.
આ સોદો માત્ર ખરીદી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતને ફાઇટર જેટ ઉત્પાદનનું હબ બનાવવાની દિશામાં એક મોટું ડગલું છે. આ ડીલ હેઠળ શરૂઆતના ૧૮ રાફેલ વિમાનો ફ્રાન્સની દસોલ્ટ એવિએશન પાસેથી સીધા તૈયાર સ્થિતિમાં ખરીદવામાં આવશે. જ્યારે બાકીના ૯૬ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની ટેકનોલોજીની મદદથી ભારતની ધરતી પર કરવામાં આવશે. જે માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ હૈદરાબાદમાં એક અત્યાધુનિક ફેસિલિટી સ્થાપશે. જ્યાં રાફેલના મુખ્ય ભાગો જેવા કે સેન્ટ્રલ ફ્યુઝલેજ અને ફ્રન્ટ સેક્શનનું ઉત્પાદન કરવામાં આવશે. તેમજ સોદામાં અત્યાધુનિક ફાઇટર જેટ ટેકનોલોજીના ટ્રાન્સફરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં ભારતના સ્વદેશી ફાઇટર જેટ પ્રોજેક્ટ્સ માટે પણ ઉપયોગી સાબિત થશે. આ ડીલથી ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ વેગ મળશે.
રાફેલ વિમાનો અગાઉ પણ ભારત માટે ગેમ ચેન્જર પૂરવાર થયા છે. મે ૨૦૨૫માં થયેલા પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર કરેલી કાર્યવાહી એટલે કે ઓપરેશન સિંદૂરમાં રાફેલનો સફળતાપૂર્વક ઉપયોગ થયો હતો. આ જેટ્સ એસસીએએલપી ક્રુઝ મિસાઇલ, મીટિઅર લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલ અને હેમર જેવા અત્યંત સચોટ પ્રહાર કરતા શસ્ત્રો વહન કરી શકે છે. તે ૨૫૦ કિમીથી વધુ દૂર રહેલા લક્ષ્યોને પણ સેકન્ડોમાં વીંધી શકે છે. વાયુસેના ઉપરાંત નૌસેના માટે પણ ૨૬ રાફેલ એમ (નેવલ વેરિઅન્ટ)નો ઓર્ડર પણ અપાયો છે, જે આઈએનએસ વિક્રાંત પરથી ઉડાન ભરી શકશે. તે ઉપરાંત એએસ-એચએપીએસ પ્લેટફોર્મ લશ્કરી એપ્લિકેશનો માટે સતત ગુપ્ત માહિતી, દેખરેખ અને શોધ, ઇલેક્ટ્રોનિક ગુપ્ત માહિતી, ટેલિકોમ્યુનિકેશન અને રિમોટ સેન્સિંગ માટે તૈનાત કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયે માત્ર રાફેલ જ નહીં, પણ સેનાના ત્રણેય પાંખ માટે કુલ રૂ. ૩.૬૦ લાખ કરોડના વિવિધ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. જેમાં એન્ટિ-ટેન્ક માઇન્સ વિભાવ, પી-૮આઈ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ અને અદ્યતન રડાર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. હવે આ તમામ પ્રસ્તાવોને અંતિમ મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.
હાલ ભારતમાં રાફેલ ફ્લીટ અને નેવલ વેરિઅન્ટ કયા છે?
હવાઈ દળ હાલમાં બે સ્ક્વોડ્રનમાં ૩૬ રાફેલ એરક્રાફ્ટનું સંચાલન કરે છે. સી વેરિઅન્ટની છેલ્લી ડિલિવરી ડિસેમ્બર ૨૦૨૪માં થઈ હતી. ભારતે રૂ. ૬૩,૦૦૦ કરોડના સોદામાં ભારતીય નૌકાદળ માટે ૨૬ રાફેલ એમ વેરિઅન્ટ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ નૌકાદળના વિમાનો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય વિમાનવાહક જહાજાે પરથી સંચાલિત થશે. તે કરારમાં જાળવણી, સમારકામ અને ઓવરહોલ વ્યવસ્થા હેઠળ કાફલાના જાળવણી, લોજિસ્ટિક્સ સપોર્ટ અને કર્મચારીઓની તાલીમ માટેની જાેગવાઈઓનો સમાવેશ થાય છે.
ડીલ અંતર્ગત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ શું કામગીરી કરશે?
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફ્રેન્ચ ફાઇટરના મુખ્ય માળખાકીય વિભાગોના ઉત્પાદન માટે હૈદરાબાદમાં એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરે તેવી અપેક્ષા છે, જેમાં પાછળના ફ્યુઝલેજના લેટરલ શેલ, સંપૂર્ણ રીઅર સેક્શન, સેન્ટ્રલ ફ્યુઝલેજ અને ફ્રન્ટ સેક્શનનો સમાવેશ થાય છે. પ્રથમ ફ્યુઝલેજ સેગમેન્ટ્સ ૨૦૨૮માં ઉત્પાદન લાઇનથી શરૂ થશે.
મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કોમાં પુતિનના ટોચના જનરલ વ્લાદિમીર અલેકસેયેવ પર. હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રશિયન તપાસ સમિતિના પ્રવક્તા સ્વેત્લાના પેટ્રેન્કોએ આ માહિતી આપી હતી. આ હુમલો ઉત્તરપશ્ચિમ મોસ્કોના એક રહેણાંક વિસ્તારમાં થયો હતો. ૬ ફેબ્રુઆરીના રોજ જનરલ અલેકસેયેવ વોલોકોલામ્સ્કોય હાઇવે નજીક એક ઇમારતમાં હતા ત્યારે એક અજાણ્યા હુમલાખોરે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે હત્યાના પ્રયાસ અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પુરાવા એકઠા કરી રહ્યા છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી સાક્ષીઓની પૂછપરછ કરાઇ રહી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાખોરોને ઓળખવા અને પકડવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ હુમલા પાછળ કોણ હોઈ શકે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. જનરલ અલેકસેયેવ ૨૦૧૧થી રશિયાના લશ્કરી ગુપ્તચર વિભાગમાં ઉચ્ચ પદ પર છે. યુક્રેનિયન યુદ્ધની શરૂઆતથી, ઘણા વરિષ્ઠ રશિયન લશ્કરી અધિકારીઓ પર હુમલા કરવામાં આવ્યા છે.૨૦૨૫માં લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવ કાર બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.
વોશિંગ્ટનડીસી, તા.૬
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ ઈરાનમાં તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની ચેતવણી આપી છે.
ઈરાનમાં “વર્ચ્યુઅલ યુએસ એમ્બેસી” દ્વારા જારી કરાયેલી સલાહમાં, સમગ્ર દેશમાં અશાંતિને ધ્યાનમાં રાખીને, અમેરિકન નાગરિકોને સ્થળાંતર માટે એક એવી યોજના વિકસાવવા વિનંતી કરવામાં આવી છે જે અમેરિકન સરકારની સહાય પર આધાર રાખતી નથી. સલાહમાં સૂચવવામાં આવ્યું છે કે જાે ફ્લાઇટ્સ રદ કરવામાં આવે તો, નાગરિકોએ સરહદ પાર કરીને આર્મેનિયા અથવા તુર્કી જવું જાેઈએ અને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચવું જાેઈએ. નાગરિકોને પૂરતો ખોરાક, પાણી અને દવાનો સંગ્રહ કરવાની અને સુરક્ષિત ઇમારતની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકા અને ઈરાની નાગરિકતા ધરાવતા લોકોએ ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર છે. ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો શબ્દયુદ્ધ હવે હુમલાની ધમકીઓ સુધી વધી ગયો છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન મધ્ય પૂર્વમાં નવા યુદ્ધને રોકવા માટે તેમના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
Loading ...
