જમ્મુ, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ડૉ. ફારુક અબ્દુલ્લા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જાે કે તેનો બચાવ થયો હતો. બુધવારે અબ્દુલ્લા જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક વકીલના લગ્નમાં હાજરી આપી રહ્યા હતા. ગોળીબાર કરનાર, જેની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે, તેને સુરક્ષા કર્મચારીઓએ પકડી પાડી પોલીસે તપાસ શરૂ કરી છે.જમ્મુ અને કાશ્મીરના સીએમ અને ફારુક અબ્દુલ્લાના પુત્ર, ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ભગવાન દયાળુ છે. મારા પિતા માંડ માંડ બચી ગયા. લોડેડ પિસ્તોલ સાથે એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવ્યો અને ગોળીબાર કર્યો.
સુરક્ષા ટીમે અટકાવી અને હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. જવાબો કરતાં વધુ પ્રશ્નો છે, જેમાંથી એક એ છે કે કોઈ ભૂતપૂર્વ મુખ્યમંત્રીની આટલી નજીક કેવી રીતે પહોંચી શક્યું, જેમને સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે.” આરોપી કમલ સિંહ જામવાલ જમ્મુનો રહેવાસી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરોપી ફારુક અબ્દુલ્લા પાસે જઈને ગોળીબાર કરતો જાેઈ શકાય છે.
વિવિધ રાજ્યોમાંથી આવતા અહેવાલો મુજબ, અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધી રહી છે. ગેસ સિલિન્ડર એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. બિહારમાં ઘરેલુ ગેસ સિલિન્ડર ૧૮૦૦ રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં કમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં ૪૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધને કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડક્શન પર રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. ૧,૯૧૮ રૂપિયાનો કોમર્શિયલ સિલિન્ડર ભોપાલમાં બ્લેકમાં ૪૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અહેવાલો સામે આવ્યા છે કે, સરકારે કાળાબજાર રોકવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ લાગુ કર્યો છે, પરંતુ કાળાબજાર કરનારાઓ પર તેની કોઈ અસર થઈ નથી. આ કૌભાંડમાં એક ખાનગી ગેસ એજન્સી સંચાલક, કર્મચારીઓ અને દલાલો પણ સામેલ છે. આ ઉપરાંત ગેસની ગેરકાયદેસર રિફિલિંગ કરનારાઓ પણ તકનો લાભ લઈ રહ્યા છે. આ બાજુ ગુજરાતમાં પણ ગેસના બાટલાની બૂમરાણ મચી છે. ગુજરાતમાં કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. લખનઉમાં દિવસભર લાઇનમાં ઊભા રહેવા છતાં લોકોને સિલિન્ડર મળી રહ્યું નથી. લોકોનો દાવો છે કે આ બધા છતાં ૯૫૦ રૂપિયાવાળો સિલિન્ડર ૧૬૦૦ રૂપિયા આપવા પર તરત મળી રહ્યું છે.
નવી દિલ્હી,
ભારત સરકારના વિદેશ, શિપિંગ, પેટ્રોલિયમ, સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે દેશમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત અંગે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. સરકારે જણાવ્યું કે ભારત તેની જરૂરિયાતનો લગભગ ૬૦% એલપીજી આયાત કરે છે, જેમાંથી લગભગ ૯૦% સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. સરકારે કહ્યું કે દેશમાં સ્થિતિ પડકારજનક છે, પરંતુ સરકાર ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દેશમાં દરરોજ લગભગ ૫૦ લાખ એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવે છે. તાજેતરમાં ગભરાટને કારણે સિલિન્ડર બુકિંગમાં અનેકગણો વધારો જાેવા મળ્યો છે. કેન્દ્રએ જણાવ્યું કે લોકોને ગભરાટભરી બુકિંગ ટાળવા અપીલ કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારોને જરૂરિયાતમંદ લાભાર્થીઓની યાદી તૈયાર કરવા જણાવાયું છે, જેથી ઘરેલું અને કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય પ્રાથમિકતાના આધારે સુનિશ્ચિત કરી શકાય.
પેટ્રોલિયમ મંત્રાલયના જાેઈન્ટ સેક્રેટરી (માર્કેટિંગ અને ઓઈલ રિફાઈનરી) સુજાતા શર્માએ કહ્યું હતું કે, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતાને લઈને સ્થિતિ ઘણી સરળ અને સંતોષજનક છે. ભારત દરરોજ લગભગ ૫૫ લાખ બેરલ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરે છે અને વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર હોવાને કારણે પેટ્રોલ-ડીઝલ જેવા ઉત્પાદનોની ઉપલબ્ધતા અંગે વિશ્વાસ જળવાઈ રહ્યો છે.
૯ માર્ચે પેટ્રોલિયમ મંત્રાલયે એસ્મા હેઠળ તમામ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન મહત્તમ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઘરેલું ઉત્પાદનમાં વધારો થયો છે અને હવે તે ૨૫%થી વધીને ૨૮% થઈ ગયું છે. દેશભરમાં લગભગ ૧ લાખ રિટેલ આઉટલેટ એટલે કે પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાંથી મોટાભાગના જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના છે. આ આઉટલેટ્સ પર ક્યાંય પણ ઇંધણની અછત કે ડ્રાય-આઉટની સ્થિતિ સામે આવી નથી. ભારત સરકાર દર ક્વાર્ટરમાં રાજ્યોને કેરોસીન ફાળવે છે. દર ત્રણ મહિને આશરે ૧ લાખ કિલોલિટર કેરોસીન રાજ્યોને આપવામાં આવે છે. આજે જારી કરાયેલા નવા આદેશ હેઠળ રાજ્ય સરકારોને વધારાનું ૪૮ હજાર કિલોલિટર કેરોસીન પણ જારી કરવામાં આવશે.
ઘરેલું બજારમાં એલપીજીનો પુરવઠો માગ અને પુરવઠા બંનેના વ્યવસ્થાપન પર આધાર રાખે છે. સરકાર તમામ મોરચે કાર્યવાહી કરી રહી છે. જ્યાં સુધી પુરવઠાનો સવાલ છે, અમે ઘરેલું એલપીજી ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દિલ્હી સરકારના મુખ્ય સચિવ સાથે ચર્ચા થઈ છે અને તે નક્કી કરવામાં આવ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કેટલાક કમર્શિયલ સિલિન્ડર એટલે કે ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડર પણ જારી કરશે, પરંતુ આ સાથે રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી વિતરણ પારદર્શક અને પ્રાથમિકતાના આધારે સુનિશ્ચિત કરી શકાય.
આ બાજુ શિપિંગ મંત્રાલયના અધિકારી રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં ભારતીય જહાજાેની સંખ્યા હાલમાં ૨૮ છે અને આ સંખ્યા પહેલા જેવી જ જળવાઈ રહી છે. આ જહાજાેમાં કુલ ૭૭૮ ભારતીય નાવિકો સવાર છે. આ ૨૮ જહાજાેમાંથી ૨૪ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમી ભાગમાં છે, જેના પર ૬૭૭ ભારતીય નાવિકો હાજર છે. જ્યારે ચાર જહાજ હોર્મુઝના પૂર્વીય ભાગમાં છે, જેના પર ૧૦૧ ભારતીય નાવિકો સવાર છે. સરકાર આ તમામ જહાજાે અને તેમના ક્રૂની સુરક્ષા પર સતત નજર રાખી રહી છે.
અફવા ફેલાવનારા પર નજર રાખો, મોદીની મંત્રીઓને ટકોર
વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપની અસરો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને મહત્ત્વની સૂચના આપી છે. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ન્ઁય્ના પુરવઠા અંગે જનતામાં ભય કે ગભરાટ પેદા કરનારા તત્ત્વો પર કડક નજર રાખવામાં આવે. વડાપ્રધાન મોદીએ મંત્રીઓને સલાહ આપી કે, સોશિયલ મીડિયા પર વિપક્ષ દ્વારા કરવામાં આવતા કથિત પ્રોપેગેન્ડાનો પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો જાેઈએ. કેટલાક તત્ત્વો વર્તમાન પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સામાન્ય જનતામાં ડર પેદા કરવા માગે છે. આવી કોઈપણ ગતિવિધિ જે પરિસ્થિતિને ગંભીર બનાવવાનો પ્રયાસ કરતી હોય તેની પર બારીકાઈથી નજર રાખવી જરૂરી છે. વડાપ્રધાનના અનુસાર ઈંધણની સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય સ્થિતિને કારણે આખી દુનિયા અત્યારે આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પીએમ મોદીએ ખાતરી આપી છે કે, ભારતની તૈયારીઓ અત્યંત મજબૂત છે. સરકાર પાસે પુરવઠાની સાંકળ જાળવી રાખવા માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે.
અમિત શાહના અધ્યક્ષપદે સમિતિની રચના દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસની અછત ન રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે દેશના સૌથી શક્તિશાળી મંત્રીઓને સોંપેલી એક ખાસ સમિતિની રચના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સમિતિની રચના પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર દેખરેખ રાખવા માટે કરવામાં આવી છે. ત્રણ મંત્રીઓની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં વિદેશ મંત્રી જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં અમિત શાહ (ગૃહમંત્રી), એસ. જયશંકર (વિદેશ મંત્રી), હરદીપ સિંહ પુરી (પેટ્રોલિયમ મંત્રી) ચાંપતી નજર રાખશે.
બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
ભારતમાં એલપીજી સિલિન્ડરના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડ્ઢય્ઁજ સાથે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આશરે ૨ કલાક ચાલેલી આ બેઠકમાં દેશભરમાં એલપીજી ની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી અને ઘરેલું ગેસનો પુરવઠો કોઈપણ અડચણ વગર ચાલુ રહે તે માટે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.કેન્દ્ર સરકારે રાજ્યોને ન્ઁય્ બોટલિંગ પ્લાન્ટ્સ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પરિવહન વાહનોની સુરક્ષા સઘન બનાવવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ગેસના પુરવઠાનું રોજબરોજ મોનિટરિંગ કરવા અને કાળાબજારી કરનારાઓ સામે કડક હાથે કામ લેવા જણાવાયું છે. લોકોમાં ફેલાતી અફવાઓને ડામવા માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને જનજાગૃતિ અભિયાન શરૂ કરવા તેમજ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ કે જૂના વીડિયો દ્વારા ગભરાટ ફેલાવતા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને ૧૩ વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણા (ઉં. ૩૧)ને પેસિવ યુથેનેશિયા(ઇચ્છા મૃત્યુ)ની મંજૂરી આપી છે. હરીશ રાણા ૧૩ વર્ષ પહેલા ચંદીગઢની એક હોસ્ટેલમાં ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટમાં જતો રહ્યો હતો. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જાેઈને તેના ઇચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. અરજી અંગે જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની છૈંૈંસ્જી હૉસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મગાવ્યો હતો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી દીધી. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઇફ સપોર્ટ હટાવી લેવાય છે, જેથી તેનું કુદરતી રીતે
મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, ‘આવા ર્નિણય મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુ:ખદ છે.’ પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ મગજની એવી ગંભીર સ્થિતિ છે, જેમાં વ્યક્તિ જાગૃત હોવા છતાં તેને આસપાસના વાતાવરણનું ભાન હોતું નથી. આ સ્થિતિમાં દર્દીની આંખો ખુલ્લી હોય છે અને તે ક્યારેક ઊંઘે કે જાગે તેવું પણ લાગે છે, પરંતુ તેમનું મગજ કોઈ વિચાર કરી શકતું નથી કે કોઈ સૂચનાનું પાલન કરી શકતું નથી. તે હલનચલન કરી શકતા નથી કે બોલી શકતા નથી.
વોશિંગ્ટન ડીસી,પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઉર્જા બજારમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે, વર્તમાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટા ઉર્જા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ૫૦ વર્ષમાં અમેરિકામાં પહેલી નવી ઓઇલ રિફાઇનરી હશે. આ રિફાઇનરી ટેક્સાસના બ્રાઉન્સવિલે બંદર પર બનાવવામાં આવશે અને તેમાં ભારતના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી મોટું રોકાણ કરવામાં આવશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આ ૩૦૦ અબજ ડોલરનો ઐતિહાસિક સોદો છે, જેને યુએસ ઇતિહાસના સૌથી મોટા ઉર્જા પ્રોજેક્ટ્સમાંનો એક ગણવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ રિફાઇનરી યુએસ બજારને ઇંધણ પૂરું પાડશે, ઉર્જા ઉત્પાદન વધારશે અને દેશની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે. વધુમાં, આ પ્રોજેક્ટ દક્ષિણ ટેક્સાસ ક્ષેત્રમાં હજારો નવી નોકરીઓનું સર્જન કરશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ પરમિટ પ્રક્રિયાને સરળ બનાવવા અને કર ઘટાડવાથી નોંધપાત્ર રોકાણ આકર્ષાયું છે. તેમણે જણાવ્યું હતું કે નવી રિફાઇનરી વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરીઓમાંની એક હશે અને વૈશ્વિક ઉર્જા નિકાસને પણ વેગ આપશે. તેમણે પ્રોજેક્ટમાં રોકાણ કરવા બદલ ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આભાર માન્યો હતો. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાને અનેક ખાડી દેશોમાં યુએસ બેઝ અને ઉર્જા માળખાને નિશાન બનાવીને બદલો લીધો છે, જેનાથી વૈશ્વિક ઉર્જા પુરવઠા અને તેલ બજાર પર દબાણ આવ્યું છે.
રશિયા પાસેથી ભારત ૩ કરોડ બેરલ ક્રૂડ ઑઇલ ખરીદશે : રિલાયન્સ-ૈર્ંંઝ્રનું બુકિંગ
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂટ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ક્રૂડ ઓઈલનો પુરવઠો બંધ થયા પછી, ભારત લગભગ ૩ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદશે. આ દાવો બ્લૂમબર્ગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (ૈર્ંંઝ્ર) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓએ રશિયા સાથે તેલના કરાર કર્યા છે. ઇન્ડિયન ઓઇલે લગભગ ૧ કરોડ બેરલ અને રિલાયન્સે પણ ઓછામાં ઓછું ૧ કરોડ બેરલ તેલ ખરીદ્યું છે. બાકીનું તેલ અન્ય ભારતીય રિફાઇનિંગ કંપનીઓએ લીધું છે. શિપિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે રશિયન જહાજાે ‘માયલો’ અને ‘સારા’ જેવા ઘણા મોટા તેલ ટેન્કરો, જેઓ અગાઉ સિંગાપોર તરફ જઈ રહ્યા હતા, તેમણે હવે ભારતના બંદરો તરફ પોતાનો રસ્તો વાળ્યો છે.
Loading ...
