અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે માત્ર સરહદો કે લશ્કરી મથકો સુધી મર્યાદિત ન રહેતા ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ બહેરીનમાં સ્થિત વૈશ્વિક ટેક જાયન્ટ એમેઝોનના મુખ્ય ડેટા સેન્ટર પર ક્રુઝ મિસાઇલોથી સફળ હુમલો કરવાનો સનસનાટીભર્યો દાવો કર્યો છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકાએ તેના ડાર્કોવ ક્ષેત્રમાં આવેલા પરમાણુ પ્લાન્ટ સંબંધિત સુવિધાઓ પર હુમલો કર્યો હતો, જેના બદલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ દાવાથી વૈશ્વિક ટેક જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે એમેઝોન વેબ સર્વિસિસ પર વિશ્વભરની હજારો કંપનીઓની ઓનલાઈન સેવાઓ ર્નિભર છે.
આઈઆરજીસીની એરોસ્પેસ ફોર્સના જણાવ્યા અનુસાર, બહેરીનના મુહરક અને રિફાહ વિસ્તારોમાં તૈનાત યુએસ એર ડિફેન્સ સિસ્ટમ્સ અને રડારને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. મધ્ય પૂર્વમાં બહેરીન એ એમેઝોનનું મુખ્ય હબ ગણાય છે, જ્યાંથી સમગ્ર પ્રદેશ માટે ક્લાઉડ અને ડેટા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ટેક નિષ્ણાતોના મતે, આવા સંવેદનશીલ ડેટા સેન્ટરો પર મિસાઇલ હુમલા થવાથી માત્ર ભૌતિક નુકસાન જ નથી થતું, પરંતુ વૈશ્વિક સ્તરે એપ્લિકેશન્સ, વેબસાઇટ્સ અને ઓનલાઇન સેવાઓમાં મોટો વિક્ષેપ પડી શકે છે. જાેકે, આ હુમલાથી ઓનલાઈન સેવાઓ પર કેટલી અસર પડી છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
બીજી તરફ, આ દાવાની હજુ સુધી કોઈ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. બહેરીન સરકાર, અમેરિકી સંરક્ષણ મંત્રાલય કે એમેઝોન કંપની દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
ભારતના કાચા તેલના આયાત બિલમાં મોટો વધારો નોંધાયો છે. એપ્રિલથી જૂન ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું ક્રૂડ ઓઈલ આયાત બિલ ૬૧ ટકા વધીને ૪૯.૮ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. જાેકે, આ સમયગાળા દરમિયાન ભારતે ગયા વર્ષની સરખામણીએ કાચા તેલની ઓછી આયાત કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધેલા ભાવને કારણે આયાત ખર્ચમાં ભારે વધારો થયો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC))ના આંકડા મુજબ, એપ્રિલ-જૂન દરમિયાન ભારતે કુલ ૫૯.૮ મિલિયન ટન કાચું તેલ આયાત કર્યું હતું.
ગયા વર્ષે આ જ સમયગાળામાં ૬૨.૬ મિલિયન ટન આયાત કરવામાં આવ્યું હતું. એટલે કે આયાતના જથ્થામાં લગભગ ૪ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, ઊંચી કિંમતોને કારણે કુલ આયાત બિલમાં મોટો ઉછાળો આવ્યો છે. જૂન મહિનામાં ભારતે ૧૮.૯ મિલિયન ટન કાચું તેલ આયાત કર્યું હતું, જે ગયા વર્ષના જૂન કરતાં લગભગ ૭ ટકા ઓછું હતું. તેમ છતાં, જૂન મહિનાનું આયાત બિલ ૪૮ ટકા વધીને ૧૪.૭ અબજ ડોલર થયું છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં વધેલા ક્રૂડ ઓઈલના ભાવની સીધી અસર ભારતના ખર્ચ પર પડી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચેના વધેલા તણાવ તથા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જાેવા મળી હતી.
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલના મિશ્રણ પછી હવે એલપીજીના વિકલ્પ તરીકે ઇથેનોલ લાવવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય એવી નીતિ તૈયાર કરી રહ્યુ છે જેના દ્વારા ઇથેનોલે ડોમેસ્ટિક કૂકિંગ ફ્યુઅલ તરીકે અપનાવવાનો રસ્તો બનાવવામાં આવશે. આ અંગે ઔદ્યોગિક સંગઠનો અને ઇંધણ પુરવઠા સાથે જાેડાયેલી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
હવે જાે આ યોજના અમલી બને છે તો આગામી સમયમાં રસોઈ ગેસની સાથે ઇથેનોલ પણ એક મહત્ત્વના ઇંધણ તરીકે ઉપયોગમાં લઇ શકાશે. સરકારી સૂત્રો મુજબ મંત્રાલય એવી નીતિ પર કામ કરી રહ્યું છે જેથી ઇથેનોલના ઉત્પાદનથી લઈને ઘરો સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી શકાય. આ નીતિમાં સપ્લાય ચેઇન વિકસાવવી, ઇથેનોલ સ્ટવને પ્રોત્સાહન આપવું અને જરૂર પડતાં સબસિડીની પણ જાેગવાઈ છે. સપ્ટેમ્બર સુધીમાં ઇથેનોલની આ નવી નીતિનું માળખું તૈયાર કરી શકાય છે.ઇથેનોલ એક ગ્રીન ફ્યુઅલ છે. તે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ આધારિત ફીડ સ્ટોકમાંથી તૈયાર કરવામાં આવે છે. તેને અપેક્ષાકૃત સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ગેસની ઉપલબ્ધતા પરનું અવલંબન ઘટાડવા માટે કરી શકાય છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષાેમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.હાલમાં દેશમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ધોરણે ૨૦ અબજ લિટરનો આંકડો વટાવી ચૂકી છે. આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષમાં તેમા બીજા ચાર અબજ લિટરનો ઉમેરો થઈ શકે છે. તેમા ઈ-૨૦માં ૧૧ અબજ લિટર ઉપયોગમાં લેવાયા પછી લિકર, ફાર્મા અને કેમિકલ સેક્ટરમાં ત્રણથી સાડા ત્રણ અબજ લિટર ઉપયોગમાં લેવાયા બાદ સાત અબજ લિટરનો પુરવઠો અનામત પડયો રહે છે.
સરકારી કંપનીઓએ ઇથેનોલ મિશન પર ૧.૭૨ લાખ કરોડ ખર્ચ્યા છે:કેન્દ્ર
રાજ્ય માલિકીની પેટ્રોલિયમ કંપનીઓએ અત્યાર સુધીમાં દેશના ઇથેનોલ મિશન પર ૧.૭૨ લાખ કરોડ ખર્ચ્યા છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે રાજ્ય માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇથેનોલ સપ્લાય વર્ષ ૨૦૨૩-૨૪ માં ઇથેનોલ ખરીદી પર ૪૮,૭૫૭ કરોડ, ઈએસવાય ૨૦૨૪-૨૫ માં ૭૩,૯૯૬ કરોડ અને ઇએસવાય ૨૦૨૫-૨૬ માં જૂન સુધીમાં? ૪૯,૫૭૭ કરોડ ખર્ચ્યા હતા. મંત્રી સુરેશ ગોપીએ માહિતી આપી હતી કે ૧૬ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં રાજ્ય માલિકીની ઓઇલ કંપનીઓએ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ વિકૃત ર્નિજળ ઇથેનોલના પુરવઠા માટે ૫૦૧ ઇથેનોલ ઉત્પાદન એકમો નોંધાવ્યા હતા.
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો જાેવા મળ્યો હતો. વિપક્ષે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયેલી પોલીસ કાર્યવાહી, NEET પરીક્ષા વિવાદ સહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે જાેરદાર વિરોધ નોંધાવ્યો હતો. સતત હંગામાને કારણે બંને ગૃહોમાં કોઈ મહત્વપૂર્ણ ધારાસભાકીય કામકાજ થઈ શક્યું નહીં અને અંતે લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહી બુધવાર, ૨૨ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. ભારે હોબાળાને કારણે અધ્યક્ષે પ્રથમ કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી અને ત્યારબાદ ૨ વાગ્યા સુધી મુલતવી રાખી હતી. બપોરે ફરી બેઠક શરૂ થયા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખા દિવસ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. રાજ્યસભામાં પણ સમાન સ્થિતિ જાેવા મળી હતી. કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવી સરકાર પાસેથી સ્પષ્ટતા માંગવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, હોબાળાને કારણે રાજ્યસભામાં પણ કોઈ નિયમિત કાર્યવાહી થઈ શકી નહોતી.
NEET પરીક્ષામાં કથિત ગેરરીતિ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદ્યાર્થીઓ સાથે સીધી મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની ચિંતાઓને બળપ્રયોગથી નહીં પરંતુ સંવાદ દ્વારા ઉકેલવી જાેઈએ.પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવી રહેલા વિદ્યાર્થીઓ સાથે થયેલું વર્તન નિરાશાજનક છે. તેમના મત મુજબ, સરકારનો પ્રથમ પ્રયાસ વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવાનો અને તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવાનો હોવો જાેઈએ. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ભારે આર્થિક તથા માનસિક દબાણમાંથી પસાર થાય છે. ઘણા પરિવારો બાળકોના શિક્ષણ અને કોચિંગ માટે મોટી રકમ ખર્ચે છે, જ્યારે પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ જેવી ઘટનાઓ તેમના વર્ષોની મહેનતને અસર કરે છે.
Loading ...
