ચીને પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન તેણે પાકિસ્તાની વાયુસેનાને ઓન-સાઇટ ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. ચીની સરકારી બ્રોડકાસ્ટર ઝ્રઝ્ર્ફ પર પ્રસારિત એક ઇન્ટરવ્યુમાં, એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના (છફૈંઝ્ર) ના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા. અહેવાલ મુજબ, આ સંઘર્ષ દરમિયાન ચીની બનાવટના ત્ન-૧૦ઝ્રઈ ફાઈટર જેટે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે ચીની બનાવટના આ વિમાને કોઈ દુશ્મન વિમાનને તોડી પાડ્યું હોય અને રાફેલ જેટ પટકાયું હોય. ચીની એન્જિનિયર ઝાંગ હેંગે જણાવ્યું કે, અમે સપોર્ટ બેઝ પર સતત એર-રેડ સાયરન અને જેટના અવાજાે સાંભળતા હતા. મે મહિનામાં ૫૦ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી હોવા છતાં અમારી ટીમ પાકિસ્તાની સેનાને યુદ્ધના મેદાનમાં મદદ કરી રહી હતી.
પાકિસ્તાન હાલમાં ચીન સિવાય ત્ન-૧૦ઝ્ર જેટનું સંચાલન કરતો એકમાત્ર દેશ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે પાકિસ્તાનની ૮૦% શસ્ત્રોની આયાત ચીનમાંથી થઈ છે. ત્ન-૧૦ઝ્રઈ એ અત્યાધુનિક રડાર સિસ્ટમ અને એર-ટુ-એર મિસાઈલથી સજ્જ છે, જેનો ઉપયોગ ગયા વર્ષના સંઘર્ષમાં ભારત સામે કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ હવે ચીને પોતે કરી છે.
ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર સિસ્ટમ બંધ કરવાનો અને પહેલાથી ઇન્સ્ટોલ કરેલા ઉપકરણોને તાત્કાલિક અસરથી પોસ્ટપેઇડમાં રૂપાંતરિત કરવાનો ર્નિણય લીધો છે, એમ ઉર્જા મંત્રી એકે શર્માએ શુક્રવારે જણાવ્યું હતું.
રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ સ્થાપિત સ્માર્ટ પ્રીપેડ મીટર સાથે જાેડાયેલા કથિત વધારાના બિલિંગ અને અનિયમિતતાઓને લઈને ઘણા જિલ્લાઓમાં વધી રહેલા વિરોધ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.એક સત્તાવાર નિવેદન અનુસાર, ગ્રાહકોની સુવિધા અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.નવી વ્યવસ્થા હેઠળ, ગ્રાહકોને વપરાશ પછી વીજળીના બિલ પ્રાપ્ત થશે, જેમાં મે ૨૦૨૬ માં વપરાયેલી વીજળીના બિલ પોસ્ટપેઇડ સિસ્ટમ હેઠળ જૂનમાં જારી કરવામાં આવશે.
શર્માએ જણાવ્યું હતું કે પૂર્વાંચલ, મધ્યાંચલ, દક્ષિણાંચલ અને પશ્ચિમાંચલ વીજ વિતરણ નિગમો તેમજ કાનપુરમાં માં નવી સિસ્ટમના અમલીકરણ માટે ઔપચારિક આદેશો જારી કરવામાં આવ્યા છે.“વીજ ગ્રાહકોની સુવિધાને પ્રાથમિકતા આપતા, ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કાર્યરત સ્માર્ટ પ્રીપેડ મીટર સિસ્ટમ બંધ કરવાનો અને તમામ સ્માર્ટ મીટરને પોસ્ટપેઇડ મોડમાં ખસેડવાનો ર્નિણય લીધો છે,” મંત્રીએ જણાવ્યું હતું.
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય એવિયેશન મંત્રી રામ મોહન નાયડુએ પ્લેન ક્રેશ રિપોર્ટ અંગે માહિતી આપતા કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. આગામી ૧ મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવી શકે છે.
ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લર્નિંગ એન્ડ ફાઈનાન્સ સમિટ ૨.૦નું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી કે રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના મંત્રી રામ મોહન નાયડુએ અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ વિશે માહિતી આપી હતી. તેઓએ વધુમાં કહ્યું કે, ઘણી બધી એજન્સીઓ અને હાલ તપાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારથી પણ તમામ સહાય અત્યાર સુધી પૂરી પાડવામાં આવી છે. તપાસ હવે અંતિમ તબક્કામાં છે, તો એરોપ્લેન ક્રેશ થવાના કિસ્સામાં ભોગ બનનારા લોકો સાથે સંપર્ક ન થતો હોવા અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જે સ્થિતિ છે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે. વળતર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. યોગ્ય રીતે તેમાં તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા સિવિલ એવિયેશન મનિસ્ટર રામમોહન નાયડુએ માર્ચ મહિનામાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ ૧૭૧ ક્રેશની તપાસ તેજ ગતિથી આગળ વધી રહી છે. તપાસ રિપોર્ટ એક વર્ષની અંદર આવી જશે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મંત્રીએ આ જવાબ આપ્યો હતો.
વૈશ્વિક દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતા હોર્મુઝની ખાડી પર હવે ઈરાને પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ઈરાને આ માર્ગ પરથી પસાર થતા જહાજાે પાસેથી ટેક્સ વસૂલવા માટે એક વિશેષ સત્તામંડળની રચના કરી છે, જેની અસર ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે. શિપિંગ અને દરિયાઈ વેપાર પર નજર રાખતી ઉદ્યોગ પત્રિકા લોયડ્સ લિસ્ટના અહેવાલ મુજબ, ઈરાને પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (ઁય્જીછ)ની રચના કરી છે. આ સત્તામંડળ હેઠળ હવે કોઈપણ જહાજ પૂર્વ મંજૂરી વગર અહીંથી પસાર થઈ શકશે નહીં. જહાજાેએ રવાના થતા પહેલા ટ્રાન્ઝિટ ઓથોરાઈઝેશન મેળવવું અને ટોલ ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે. ઈરાની મીડિયા મુજબ, જહાજ માલિકોએ માલિકી, વીમો અને ક્રૂ મેમ્બર્સની વિગતો સહિતનો સંપૂર્ણ રેકોર્ડ ઈમેલ દ્વારા ઓથોરિટીને આપવો પડશે. ઈરાનનો આ ર્નિણય અમેરિકા માટે મોટો આર્થિક અને રાજકીય પડકાર સાબિત થઈ શકે છે. ઈરાન આ ટોલ ટેક્સ અમેરિકન ડોલરને બદલે ચીની કરન્સી યુઆનમાં વસૂલશે.આ ટેરિફ લાગુ થવાથી ઈરાનને વાર્ષિક ૪૦ થી ૫૦ અબજ ડોલરની આવક થઈ શકે છે, જે તેના પર લાગેલા અમેરિકન આર્થિક પ્રતિબંધોની અસરને ઘણી ઓછી કરી દેશે. ઈરાને આ પેમેન્ટ સ્વીકારવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. ઈરાન આ વસૂલાતનો હિસ્સો ઓમાન સાથે વહેંચવા માટે પણ વિચારી રહ્યું છે.
ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. અમેરિકન ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા તાજેતરના ૧૦% ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ૧૯૭૦ના દાયકાના વેપાર કાયદાનો ઉપયોગ કરીને આટલા વ્યાપક ટેક્સ લાદવા ઉચિત નથી. ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે ‘ટ્રેડ એક્ટ ૧૯૭૪’ની કલમ ૧૨૨ નો સહારો લઈને આ ટેરિફ લાગુ કર્યા હતા. આ કલમ હેઠળ માત્ર ‘પેમેન્ટ ડેફિસિટ’ (ચુકવણી સંતુલન ખાધ) અથવા ડોલરની કિંમતમાં ભારે ઘટાડા જેવી કટોકટીમાં જ ૧૫૦ દિવસ માટે શુલ્ક લાદવાની મંજૂરી મળે છે. અમેરિકા હાલમાં કોઈ પેમેન્ટ સંકટનો સામનો કરી રહ્યું નથી, તેથી આ પગલું ગેરકાનૂની છે. કોર્ટે આ મામલે મહત્વનો આદેશ આપતા જણાવ્યું છે કે જે પક્ષકારોએ આ ટેરિફને પડકાર્યાે હતો, તેમને આગામી ૫ દિવસની અંદર વસૂલવામાં આવેલા ટેક્સના નાણાં પરત કરવામાં આવે.
Loading ...
