દેશની અગ્રણી જ્વેલરી અને ગોલ્ડ એક્સપોર્ટ કંપનીઓમાં સ્થાન ધરાવતી ‘રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ’ પર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી તવાઈ બોલાવી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ૧૯૯૯ની જાેગવાઈઓના કથિત અને શંકાસ્પદ ઉલ્લંઘન મામલે એક્શનમાં આવેલી ઇડીની ટીમોએ મંગળવારથી જ બેંગલુરુ અને મુંબઈમાં કંપની તેમજ તેની સાથે જાેડાયેલી વ્યક્તિઓના ૯ મહત્વના પરિસરો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ હાઈ-પ્રોફાઈલ દરોડાના પગલે આજે કૉર્પોરેટ ગલીઓમાં સનસનાટી મચી ગઈ છે.
કંપની સામે લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન વિદેશી વ્યવહારો અને નાણાકીય લેણદેણમાં ભારે વિસંગતતાઓ સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિદેશી વ્યવહારોના અનેક મહત્વના રેકોર્ડ ગાયબ છે. આશરે રૂ.૩,૦૦૦ કરોડના શંકાસ્પદ અને અપારદર્શક ટ્રેડ સેટ-ઓફ, કંપનીના વાસ્તવિક સ્ટોકમાં મોટી અસમનતા અને ઑફશોર બેનામીદારો (વિદેશી નકલી રોકાણકારો) દ્વારા શેરબજારમાં કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ હેરાફેરી કરવા જેવા ગંભીર આક્ષેપો અને પુરાવાઓ બહાર આવ્યા છે.
ભારતમાંથી હજારો કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. નીરવ મોદીને મોટો ઝટકો આપતા, યુકેની એક કોર્ટે તેમને બેંક ઓફ ઈન્ડિયાને $10.7 મિલિયન (આશરે રૂ.૧૦૦ કરોડ) ની મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ સિમોન ટિંકલરે બેંકનો દાવો સંપૂર્ણપણે માન્ય અને ન્યાયી ગણાવ્યો છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં કેદ છે.આ વિવાદ ૨૦૧૨નો છે, જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની, ડાયમંડ FZE ને મોટી લોન આપી હતી. ઓગસ્ટ ૨૦૧૩ માં, નીરવ મોદીએ પોતે આ લોન માટે વ્યક્તિગત ગેરંટર તરીકે સહી કરી હતી, કોર્ટમાં, નીરવ મોદીએ વિચિત્ર દલીલ રજૂ કરી. તેમણે દાવો કર્યો કે આ બેંક નિયમ તેમને લાગુ પડતો નથી બેંકે ક્યારેય યોગ્ય રીતે પૈસાની માંગણી કરી નથી. ન્યાયાધીશ સિમોન ટિંકલરે નીરવના બધા બહાનાઓને ફગાવી દઇ કહ્યું કે મોદી બેંકને ૧ મિલિયન (આશરે રૂ.૩૮.૯ કરોડ) ની મૂળ રકમ અને વ્યક્તિગત ગેરંટી પર વસૂલવામાં આવેલ નોંધપાત્ર વ્યાજ ચૂકવવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે.
એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ. તેને પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપીને પાછી મોકલી. વિમાને દિલ્હીથી ઉડાન ભરી હતી અને તેને અમૃતસરમાં લેન્ડ થવાનું હતું. પાકિસ્તાનના એરસ્પેસમાંથી જ્યારે ફ્લાઇટ પાછી ફરી, ત્યાં સુધીમાં અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી ગયો હતો, આથી તેને પાછી દિલ્હી મોકલી દેવામાં આવી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે આ ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.આ પહેલા ૧૨ જૂને પાકિસ્તાનની પેસેન્જર ફ્લાઇટ ફ્લાય જિન્ના-9P514 પણ ખરાબ હવામાનને કારણે ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગઈ હતી. લાહોર એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. જાેકે, ટેકનિકલ ખામીનો અંદાજ આવતા જ ફ્લાઇટને પાછી પાકિસ્તાની એરસ્પેસમાં લાવવામાં આવી.
એરબસ AI-321 વિમાને સોમવારે રાત્રે ૯ વાગીને ૧૮ મિનિટે દિલ્હીથી ઉડાન ભરી હતી. આ વિમાન તેના નિર્ધારિત સમય કરતાં ૩ મિનિટ મોડું ઉડ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
ખાનગી મેડિકલ કોલેજાેમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારી કોલેજાે જેવી જ રાહતદરે ફી નક્કી કરવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ જાેયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સેલ્ફ-ફાઇનાન્સ ધોરણે ચાલતી ખાનગી સંસ્થાઓને સરકારી સંસ્થાઓ સમકક્ષ ફી રાખવા માટે કાયદાકીય રીતે મજબૂર કરી શકાય નહીં. જાે આવી સંસ્થાઓ પર સરકારી ફીનું ભારણ લાદવામાં આવશે, તો તબીબી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારોને મદદરૂપ થતી ખાનગી કોલેજાે બંધ થઈ જશે, જેનાથી દેશમાં ડોક્ટરો તૈયાર કરવાની પ્રક્રિયા અટકી જશે અને ચિકિત્સકોની મોટી અછત ઊભી થશે. સુપ્રીમ કોર્ટો રાજસ્થાન હાઈકોર્ટના અગાઉના આદેશને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે બંધારણીય જાેગવાઈઓ મુજબ EWS અનામતનો લાભ માત્ર પ્રવેશ પ્રક્રિયાના સ્તર સુધી જ મર્યાદિત છે. આ કેટેગરી હેઠળ પ્રવેશ મેળવવાનો અર્થ એવો બિલકુલ નથી થતો કે વિદ્યાર્થી ખાનગી સંસ્થામાં સબસિડીવાળી કે સરકારી દરની ફી મેળવવાનો કાનૂની અધિકાર ધરાવે છે. ખાનગી સંસ્થાઓને પોતાની નિયત ફી માળખું અમલમાં મૂકવાની છૂટ છે, જ્યાં સુધી તેઓ કેપિટેશન ફી નથી લેતા.આ વિવાદ રાજસ્થાનના એક વિદ્યાર્થી હર્ષવર્ધન સિંહ દ્વારા દાખલ કરાયેલી અરજીથી શરૂ થયો હતો. અરજીકર્તાએ દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ EWS કેટેગરીનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.૮ લાખ નક્કી કરાઇ છે, જ્યારે બીજી તરફ રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજાેમાં વાર્ષિક ટ્યુશન ફી રૂ.૧૮.૯ લાખથી લઈને રૂ.૨૫ લાખ સુધીની છે. અરજીકર્તાના મતે, જે પરિવારની કુલ આવક જ વર્ષે ૮ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય, તે પરિવાર માટે ૨૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક ફી ચૂકવવી વ્યવહારિક રીતે અશક્ય છે.
અયોધ્યા રામ મંદિર ચોરી કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઇટીએ તપાસ રિપોર્ટમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવ સહિત ૧૭ લોકોને આરોપી માન્યા છે. તેમની વિરુદ્ધ એફઆઇઆર થવી લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
એસઆઇટી વધુ તપાસ માટે અયોધ્યા પહોંચી શકે છે. સૂત્રો અનુસાર, તપાસ દરમિયાન એસઆઇટી ટીમને દાનપેટીઓની ચાવીઓ રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ પાસેથી મળી હતી. એસઆઇટીએ લગભગ ૧૫૦ એવા સેવાભાવીઓ અને કર્મચારીઓને ઓળખ્યા છે, જેમની આર્થિક સ્થિતિમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી બદલાવ આવ્યો. તેમાં ચંપત રાયના નજીકના મનાતા ફૂલકાંત મિશ્રા પણ સામેલ છે. તેમની પાસે ૩ લક્ઝરી કાર છે, જેમની કુલ કિંમત ૨૫ લાખ રૂપિયા છે. એસઆઇટીએ મંગળવારે પોતાનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. સૂત્રો અનુસાર, તેમાં એફઆઇઆર દાખલ કરવા અને ટ્રસ્ટનું પુનર્ગઠન કરવાની ભલામણ કરવામાં આવી છે. કોઈ વરિષ્ઠ અધિકારીને મંદિરના સીઇઓ તરીકે નિયુક્ત કરવાની પણ ભલામણ છે.
ટીમે જણાવ્યું કે આ ૨૦ પાનાનો પ્રારંભિક રિપોર્ટ છે. તેમાં ૧૫૦ લોકોની પૂછપરછની વિગતો છે. સૂત્રો અનુસાર, એસઆઇટીએ છેલ્લા ૫ વર્ષના ચઢાવાનો ઓડિટ કરાવવાની પણ ભલામણ કરી છે. ચઢાવામાં અનિયમિતતા રોકવા માટે સુઝાવો આપવામાં આવ્યા છે. ટ્રસ્ટના પદાધિકારીઓની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર તરફથી રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને મળી ગયો છે. પીએમઓ નક્કી કરશે કે ટ્રસ્ટના કયા સભ્યોને રાખવા કે હટાવવા. આ તરફ, મંગળવારે મોડી સાંજે રામ મંદિર પરિસરમાં શેષાવતાર મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ૧૧ સંતોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજ પૂજન કરાવ્યું. ડૉ. અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવે સાધુ-સંતોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ચંપત રાયે કર્યું હતું. કાર્યક્રમમાં ૪ હજાર લોકો સામેલ થયા હતાં. તેમાં બંને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને કેશવ મૌર્ય પણ પહોંચવાના હતા, પરંતુ લખનઉ અગ્નિકાંડમાં ૧૫ બાળકોના મોત બાદ બંનેએ પ્રવાસ રદ કર્યો હતો.
Loading ...
