દેશભરમાં E20 પેટ્રોલ (૨૦% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જાેવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે E20 ઇંધણના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટી ગયું છે અને એન્જિનના પાર્ટ્સને પણ નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સરકાર સતત આ ઇંધણના ફાયદા ગણાવી રહી છે. જાેકે, આ વિવાદ વચ્ચે એક નવો રસ્તો નીકળતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, સરકાર અને ઓઇલ ઇન્ડસ્ટ્રી વચ્ચે E20ની સાથે ફરીથી ઈ૧૦ પેટ્રોલ પણ બજારમાં ઉપલબ્ધ કરાવવા અંગે પ્રાથમિક સ્તરે વિચારણા શરૂ થઈ છે. ભારતે ગયા વર્ષે જ પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનો ટાર્ગેટ નક્કી કરેલા સમય કરતાં લગભગ ૫ વર્ષ પહેલાં જ પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ દેશભરમાં E20પેટ્રોલને મુખ્ય ઇંધણ તરીકે લાગુ કરવામાં આવ્યું. પરંતુ આ ર્નિણય બાદ ખાસ કરીને જૂના વાહનચાલકોની ચિંતા વધી ગઈ હતી. જે વાહનોના એન્જિન વધુ ઇથેનોલવાળા ઇંધણ માટે ડિઝાઇન કરવામાં નથી આવ્યા, તેમાં માઇલેજ ઘટી ગયું છે અને કેટલાક સ્પેરપાર્ટ્સ પર પણ માઠી અસર પડી હોવાની ફરિયાદો સામે આવી હતી. સરકારે આશંકાઓ દૂર કરવાના પ્રયાસો વચ્ચે સંસદમાં સ્વીકાર્યું હતું કે, જૂના વાહનોમાં E20ના ઉપયોગથી માઇલેજમાં ૩થી ૬% સુધીનો ઘટાડો થઈ શકે છે.
પાટનગર કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે ૨ વાગ્યે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં ૯ બાંગ્લાદેશી નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ભોગ બનનાર તમામ લોકો મેડિકલ સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા.હોટલમાં આ આગ મંગળવારે મોડી રાત્રે ૨ વાગ્યાની આસપાસ લાગી હતી. આગ લાગતાં જ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.રાત્રે બે ૨:૦૦ વાગ્યે જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જાેતજાેતામાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતાં અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ૪ ફાયર ટેન્ડર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.
કેન્દ્રીય મંત્રીમંડળના આગામી વિસ્તરણ અને ફેરબદલને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ટીમનું પુન:ગઠન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં નવા ચહેરાઓને તક આપવા અને મંત્રીઓને નવી જવાબદારીઓ સોંપવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. આ શક્ય ફેરબદલમાં અનુરાગ ઠાકુર, કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ. અલકા ગુર્જર અને રાઘવ ચઢ્ઢા જેવા નેતાઓના નામો નવા મંત્રી તરીકે ચર્ચામાં મોખરે છે. મંત્રીમંડળ પુન:ગઠનમાં નાણાં, પેટ્રોલિયમ, આરોગ્ય, શહેરી વિકાસ, ઊર્જા, શિક્ષણ, રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે, રમતગમત, ટેલિકોમ તેમજ પર્યાવરણ જેવા અગત્યના મંત્રાલયોને નવા મંત્રીઓ મળે તેવી સંભાવના છે. શિક્ષણ મંત્રી તરીકે બે નામો ઉભરી રહ્યા છે, જેમાં એક યુવા ચહેરાનો સમાવેશ થાય છે. બીજી તરફ, પિયુષ ગોયલને ભાજપના રાષ્ટ્રીય ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવા છતાં તેઓ વાણિજ્ય મંત્રી તરીકે પોતાની સેવાઓ ચાલુ રાખશે અને પક્ષ તથા સરકાર બંનેમાં ભૂમિકા ભજવશે. જાેકે, વિદેશ, રેલવે, વાણિજ્ય, સંરક્ષણ અને કૃષિ જેવા કેટલાક મંત્રાલયોમાં કોઈ ફેરફાર વગર અકબંધ રાખવામાં આવે તેવી શક્યતા છે.
સાથી-બળવાખોર જૂથોની મંત્રીપદની માગણીઓ
મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં સહયોગી પક્ષો દ્વારા પણ માંગણીઓ તીવ્ર બની છે. ચિરાગ પાસવાન પોતાના માટે મહત્વનું મંત્રાલય ઈચ્છી રહ્યા છે, જ્યારે એકનાથ શિંદે જૂથ દ્વારા ૧ કેબિનેટ અને ૧ રાજ્ય મંત્રી (MoS) પદની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત,TMC ના બળવાખોર ( (NCPI)) જૂથને ૧ કેબિનેટ અને ૨ રાજ્ય મંત્રી અથવા ત્રણેય રાજ્ય મંત્રીપદ મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ અને પહેલગામ હુમલા પછી કોઈ અમેરિકન રાજદૂતે પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ બેઠક કરી હતી. શ્રીનગર પહોંચીને ગોરે કહ્યું કે, ‘અહીં આવીને મને ખૂબ આનંદ થયો. આ ભારતનો એક અત્યંત મહત્ત્વનો ભાગ છે અને હું પહેલીવાર અહીં આવ્યો છું. આ ખૂબ જ સુંદર જગ્યા છે.’ પાકિસ્તાન તરફથી સતત થતી ઘૂસણખોરી અને નાપાક હિલચાલ વચ્ચે અમેરિકી એમ્બેસેડરનું આ નિવેદન ભારત માટે એક મોટો નૈતિક વિજય માનવામાં આવે છે. અમેરિકન રાજદૂતનો એમ્બેસેડરનો આ પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા વ્યૂહાત્મક સંબંધોનો પુરાવો છે. તાજેતરમાં જ ગોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) મુદ્દા પર ચર્ચા કરી હતી. આ મુલાકાત કેટલાક કારણોસર ઐતિહાસિક છે, જેમ કેપ
વિતેલા ૧૫ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ હોદ્દા પર રહેલા અમેરિકી એમ્બેસેડરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હોય. આ પહેલાં ૨૦૧૧ માં તત્કાલીન એમ્બેસેડર ટિમોથી રોમરે ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મુલાકાતને લઈને બહુ હાઇપ(હવા) ઊભી કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ‘અમે અમેરિકન રાજદૂત સમક્ષ કાશ્મીરના મુદ્દા અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ નથી કરવાના. અમારી સમસ્યાઓનો ઉકેલ અમેરિકા નહીં, પરંતુ કેન્દ્ર સરકાર જ લાવશે. તેમને ફરિયાદો કરવાને બદલે હું તેમની વાતો સાંભળવાનું વધુ પસંદ કરીશ.’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા સર્જિયો ગોરે કહ્યું હતું કે, ‘અમેરિકા જમ્મુ-કાશ્મીર માટે તેમના નાગરિકોને આપેલી ‘ર્ડ્ઢ ર્દ્ગં ્ટ્ઠિદૃીઙ્મ’ (પ્રવાસ ન કરવાની) ચેતવણી પાછી ખેંચવા અથવા હળવી કરવા વિચારશે. અહીંની પરિસ્થિતિને વધુ સુરક્ષિત બનાવવા માટે સ્થાનિક સ્તરે ખૂબ જ સારા પગલાં લેવાયા છે.’
નીટ પેપર લીક, વિદ્યાર્થીઓના આંદોલન પછી ચર્ચામાં આવેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં પેપરમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે વ્યાપક સ્તરે ફેરફાર શરૂ કરાયા છે. એનટીએની વિવિધ પરીક્ષાઓમાં પેપર સેટ કરનારી જૂની ટીમને બદલી દેવાઈ છે અને નવી ટીમ બનાવાઈ છે. પેપર બનાવવામાં ગેરરીતિ અને બેદરકારીના આક્ષેપો વચ્ચે અંદાજે ૬૦૦ પ્રોફેસર, શિક્ષકો, નિષ્ણાતોની હકાલપટ્ટી કરાઈ છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રઈાદ જાેશીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત, પારદર્શી અને વિશ્વસનીય બનાવવા માટે જરૂરી સુરક્ષા અને માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા ર્નિદેશ અપાયા છે. એનટીએના આંતરિક માળખાની સમીક્ષા પછી મોટા ફેરફારોની સંપૂર્ણ યાદી તૈયાર કરી લેવાઈ છે.એનટીએના મર્હાનિદેશકે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની માહિતી આપતા કહ્યું કે, પરીક્ષા ટીમની પુનર્રચના કરાઈ છે, જેના હેઠળ અંદાજે ૬૦૦ પરીક્ષા નિષ્ણાતોને હટાવાયા છે. તેમના સ્થાને નવા નિષ્ણાતોનો સમાવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, નવી પરીક્ષાઓની વિશ્વસનીયતા વધારવા માટે પ્રશ્નપત્રોની તપાસ અને સમીક્ષા માટે ચાર સ્તરીય વ્યવસ્થા લાગુ કરવાનો પણ ર્નિણય લેવાયો છે. સાથે જ આગામી બેથી ત્રણ સપ્તાહમાં ૨૦થી ૨૫ નવા અધિકારીઓના સમાવેશ પર કામ ચાલી રહ્યું છે.
Loading ...
