દુનિયાના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપની ૧૩મી ટેસ્ટ ઉડાન સફળ રહી. આ મિશનમાં સ્ટારશિપના અપર સ્ટેજે હિંદ મહાસાગરમાં લેન્ડ કર્યું, જ્યારે તેના બૂસ્ટરે મેક્સિકોની ખાડીમાં લેન્ડિંગ કરી. ગયા અઠવાડિયે એન્જિન ઇગ્નિશનમાં ખામીને કારણે તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.
દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સે આ રોકેટ બનાવ્યું છે. સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ (ઉપલો ભાગ) અને સુપર હેવી બૂસ્ટર (નીચલો ભાગ) ને સામૂહિક રીતે ‘સ્ટારશિપ‘ કહેવામાં આવે છે. આ વાહનની ઊંચાઈ ૪૦૩ ફૂટ છે. આ સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવું છે.
સ્ટારશિપે ટેક્સાસના દક્ષિણ છેડે આવેલા ‘સ્ટારબેઝ’ પરથી ભારતીય સમય અનુસાર સવારે લગભગ ૪ વાગ્યે ઉડાન ભરી હતી. આ ટેસ્ટ ૧ કલાક ૩ મિનિટનો હતો. આ ટેસ્ટની સફળતા સ્પેસએક્સ અને નાસા બંને માટે અત્યંત જરૂરી હતી. આગળના વર્ષે નાસાનું મૂન લેન્ડિંગ આના પર ર્નિભર છે.
સ્પેસએક્સના પ્રવક્તા ડેન હુઓટે લાઇવ સ્ટ્રીમ દરમિયાન જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે અમે આખી સ્ટારશિપને સુરક્ષિત રીતે પાણીમાં ઉતારી છે. લેન્ડિંગ દરમિયાન સ્ટારશિપ તેની ‘બેલી-ફ્લોપ‘ સ્થિતિમાંથી સીધી થઈ અને પાણી પર લંબરૂપ ઉતરી. ત્યારબાદ તે ધીમે ધીમે એક તરફ ઝૂકીને સમુદ્રમાં તરવા લાગી.આ મિશનમાં સ્ટારશિપે પહેલીવાર નવા વર્ઝનના ૨૦ સ્ટારલિંક ફ૩ સેટેલાઇટ્સને અવકાશમાં તૈનાત કર્યા. સ્પેસએક્સે પુષ્ટિ કરી કે તેણે તમામ ૨૦ ટેસ્ટ સેટેલાઇટ્સ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે.આ સેટેલાઇટ્સ સબઓર્બિટલ ટ્રેજેક્ટરી પર હતા અને તેમને કાયમી ધોરણે અવકાશમાં રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા ન હતા.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. બહરીન અને કુવૈતે ઈરાનની અંદર ઘૂસીને સૈન્ય ઠેકાણાઓ પર પહેલીવાર સીક્રેટ એરસ્ટ્રાઈક કરી છે. આ ગુપ્ત ઓપરેશનમાં સંયુક્ત આરબ અમીરાતે ગુપ્ત જાણકારી અને એર કવર આપીને મદદ કરી. બીજી બાજુ અમેરિકાએ ઈરાનની નાકાબંધી તોડી રહેલા જહાજાે પર કાર્યવાહી તેજ કરી છે. ઈરાને પણ બહરીન, કુવૈત અને ઈરાકમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ભારે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. જેના કારણે વસ્તારમાં તબાહી જ તબાહી જાેવા મળી છે.
બહરીન અને કુવૈતે પહેલીવાર સીધું ઈરાનમાં અંદર બનેલા મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સેન્ટરોને ટાર્ગેટ કર્યા છે. આ સમગ્ર સીક્રેટ ઓપરેશનમાં યુએઈએ પડદા પાછળની ભૂમિકા ભજવીને ગુપ્ત જાણકારી આપી અને બહરીન-કુવૈતના ફાઈટર વિમાનોને હવાઈ સુરક્ષા પૂરી પાડી. બહરીન અને કુવૈતની વાયુસેના ખુબ નાની છે પરંતુ સતત થઈ રહેલા ઈરાની હુમલાઓના જવાબમાં તેમણે આ મોટું પગલું ભરવું પડ્યું.
ઈરાને પણ આ હુમલાઓ બાદ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેમણે બહરીન, કુવૈત અને જાેર્ડનમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર તાબડતોબ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. કુવૈતમાં કેમ્પ ઉદૈરી અને અલી અમ સાલેમ એરબેસને ટાર્ગેટ કરવાનો દાવો કર્યો છે. અમેઝોનના એક ડેટા સેન્ટર ઉપર પણ હુમલાના સમાચાર છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા જેનો પણ ઉપયોગ તેમના વિરુદ્ધ કરશે તે તેમનો કાયદેસર ટાર્ગેટ બનશે. ફારસની ખાડીમાં તણાવ ચરમસીમાએ છે. અમેરિકી સેનાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે ઈરાનના બંદરોની નાકાબંધી કોઈ પણ ભોગે તૂટવા નહીં દે. અમેરિકાએ ઓમાનની ખાડીમાં નાકાબંધી તોડવાની કોશિશ કરી રહેલા એમ/ટી લેવાઈન નામના એક વેપારી જહાજના એન્જિન પર ફાયરિંગ કરીને તેને બેકાર કરી દીધુ.
અરામકો યમનના મિસાઈલ હુમલાથી ધણધણી ઊઠી
યમનના હુથી વિદ્રોહી જૂથ દ્વારા સાઉદી અરેબિયાના વિવિધ મહત્ત્વપૂર્ણ વિસ્તારોને લક્ષ્ય બનાવીને એક મોટો મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં દુનિયાની સૌથી મોટી ઓઈલ પ્રોડ્યુસિંગ કંપની ‘સાઉદી અરામકો’ના મુખ્ય ઓઇલ પ્લાન્ટ અને રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર સાઉદી અરેબિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.યમન સરહદ નજીક આવેલા જીઝાન અને રેડ સીના કિનારે આવેલા ઔદ્યોગિક શહેર યાનબુમાં આવેલા અરામકોના ઠેકાણાઓ પર એકસાથે અનેક બેલિસ્ટિક મિસાઈલો અને વિસ્ફોટક ડ્રોન દ્વારા પ્રહાર કરાયા હતા. હુમલા બાદ સંબંધિત વિસ્તારોમાં મોટા વિસ્ફોટોના અવાજાે સંભળાયા હતા.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, જંતર-મંતર પર ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. આંદોલનના અગ્રણી અભિજીત દિપકેએ મંચ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. ઉજવણી વચ્ચે ભીડને સંબોધતા, દીપકે કહ્યું કે, અમે તે કર્યું. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતાં, પણ અમે તે કરી બતાવ્યું. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આપણે તે કર્યું. તેમણે શું કહ્યું, કે આ સરકારમાં રાજીનામા નથી થતા? અમે કહેવા માગીએ છીએ કે ઝૂકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહિયે. પોતાની વાત ચાલુ રાખતા, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકે કહ્યું કે આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે જાે જનતા ડરતી નથી અને સરકાર સામે નમી નથી, તો આપણે કોઈના રાજીનામા માટે દબાણ કરી શકીએ છીએ. "આપણે ડરવાની જરૂર નથી. આ લોકશાહી છે. તેમણે રાજીનામું આપી દીધું છે. પરંતુ હવે અમારી બે માગણીઓ છે. દ્ગઈઈ્ પેપર લીક પછી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ૧ કરોડ રૂપિયાનું વળતર આપવું જાેઈએ. અને બીજી માંગણી એ છે કે ૨૦ જુલાઈના રોજ ગુંડાઓની જેમ વર્તન કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવી જાેઈએ. જેથી તેઓ કોકરોચ સાથે ચેડા ન કરવાનું સમજી શકે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોકરોચ જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
એક બાજુ જ્યાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં અને બિહારમાં ચાલતા આંદોલનમાં હિંસાના સમાચાર આવી રહ્યા હતા તે વખતે બીજી તરફથી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હોવાના ન્યૂઝ આવ્યાં હતા. નીટ યુજી પરીક્ષામાં થયેલી ગડબડીને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને આંદોલનને પગલે તેમણે આ ર્નિણય આખરે લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયામાં રાજીનામાનું કારણ પણ પોસ્ટ કર્યું હતુંં.
પત્રમાં લખ્યું હતું કે હું છેલ્લા ૪ દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યો છું. મારો હંમેશા એવો વિશ્વાસ રહ્યો છે કે એક સશક્ત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા જ સશક્ત રાષ્ટ્રની આધારશિલા હોય છે. હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને તેમની ન્યાયી અપેક્ષાઓનું ઊંડું સન્માન કરુંછું. ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા બધાના રાજકીય અને સામાજિક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે. આદરણીય વડાપ્રધાનજીના દૂરંદેશી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાનો જે અવસર મને મળ્યો તે માટે હું વડાપ્રધાનજીનો આભાર વ્યક્ત કરું છું. પરંતુ ગત ૩ મે ૨૦૨૬ના રોજ યોજાયેલી દ્ગઈઈ્-ેંય્ની પરીક્ષામાં સામે આવેલી અનિયમિતતાની પહેલા જ દિવસથી જવાબદારી લીધી હતી અને આ પરિસ્થિતિથી ક્યારેય મોંઢું નથી ફેરવ્યું. મારો એ સંકલ્પ હતો કે આપણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીની સંભાવનાઓને પરીક્ષા માફિયાઓના કારણે ખરાબ નહીં થવા દઈએ, કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં થવા દઈએ. ૧૬ જુલાઈના રોજ જાહેર થયેલા નીટ-યુજીના પરિણામો સંતોષકારક રહ્યા હતા, જેમાં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સફળતા મળ હતી, પરંતુ આ દરમિયાન પણ ઘણા વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા વ્યક્તિઓએ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મન અત્યંત વ્યથિત થયું છે.
છેલ્લા ૧૦ દિવસના ઘટનાક્રમ જાેઈને મારું મન દુ:ખી છે. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. ભારતની યુવાશક્તિ જ આ દેશની સાચી તાકાત છે. દેશની યુવાશક્તિને ભ્રમના ચક્રવ્યૂહમાં ફસાવા નહીં દઈએ, એ જ મારો સંકલ્પ છે. જંતર-મંતર પર અને દેશમાં જે પરિસ્થિતિ બની છે, આ પરિસ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, આપણા બાળકો પોતાનો સમય અભ્યાસમાં લગાવે, કરિયર બનાવવા પર ફોકસ કરે, આ જ વાત પર વિચાર કરીને મેં મારું રાજીનામું આદરણીય વડાપ્રધાનજીને મોકલી આપ્યું છે. હું આદરણીય વડાપ્રધાનજીના માર્ગદર્શન, વિશ્વાસ અને સતત સહયોગ માટે હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
કોંકરોચ જનતા પાર્ટીની તાત્કાલિક ધોરણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત
નીટ પેપર લીક મામલે દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટી નું આંદોલન સમાપ્ત થયું હતું. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથેની બેઠક બાદCJPના પ્રવક્તા સૌરવ દાસે આ જાહેરાત કરી. સરકારે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, આંદોલનકારીઓ પરના FIRરદ કરવા અને NEETપીડિતોને વળતર સહિત ૩ મુખ્ય માંગણીઓ સ્વીકારી છે. આશરે એક મહિનાથી નીટ પેપર લીક મામલે જંતર મંતર આંદોલન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ આજે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સરકારના પ્રતિનિધિ મંત્રીઓ સાથે બેઠક બાદ પત્રકાર પરિષદમાં CJPના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહની હાજરીમાં આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકારે અમારી ત્રણેય માગો સ્વીકારી છે. દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલું ૪૯ દિવસીય (અને ૩૭ દિવસનું સક્રિય પ્રદર્શન) વિદ્યાર્થી આંદોલન આખરે સમેટી લેવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા FIRરદ કરવા તેમજ અન્ય માગણીઓ પર સરકાર તરફથી લેખિત અને મૌખિક આશ્વાસન મળ્યા પછી કોકરોચ જનતા પાર્ટીએ પોતાનો વિરોધ પ્રદર્શન પાછો ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ, આ ર્નિણય પૂર્ણવિરામ નથી, સીજેપીએ સ્પષ્ટ કર્યું છે કે આ ર્નિણય એક શરત પર આધારિત છે સરકારે સમયમર્યાદામાં પોતાના વચનો પૂરા કરવા પડશે. મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કોન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડો. જીતેન્દ્ર સિંહ સાથે ત્રીજા રાઉન્ડની વાટાઘાટો પૂરી કર્યા બાદ આ જાહેરાત કરી હતી.
પ્રધાનના રાજીનામા બાદ નવા શિક્ષણ મંત્રી કોણ? ફડણવીસને દિલ્હીનું તેડું!
કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારોની અટકળો વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચ્યા છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સંગઠનાત્મક ભૂમિકા બદલવાની ચર્ચા છે. મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો અને શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આગામી ચૂંટણીઓ અને સંગઠનાત્મક સંતુલન જાળવવા આ ફેરફારો મહત્વના મનાય છે. કેન્દ્રીય મંત્રીમંડળ (મોદી કેબિનેટ)માં મોટા ફેરફાર અને વિસ્તરણની અટકળો વચ્ચે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સંગઠનાત્મક ભૂમિકામાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે હવે સવાલ ઊભો થયો છે કે દેશના નવા શિક્ષણ મંત્રી કોણ બનશે? બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અચાનક દિલ્હીનું તેડું આવતા અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકને પગલે કેબિનેટ રીશફલની શક્યતાઓને વધુ બળ મળ્યું છે. શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ચર્ચાઓ પાછળ ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમને સંગઠનમાં કોઈ મોટી અને મહત્ત્વની રાષ્ટ્રીય જવાબદારી સોંપવાની વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (દ્ગઈઁ)ના અમલીકરણ બાદ હવે આ મહત્ત્વના મંત્રાલયનો પ્રભાર કોને સોંપવો, તે અંગે ભાજપના શીર્ષ નેતૃત્વ વચ્ચે ગંભીર મંથન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા રાજકીય સંકેતો વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ અચાનક નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે હાઈ-લેવલ બેઠક કરવાના છે. આ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટમાં મહારાષ્ટ્રના ભાજપ અને સાથી પક્ષોના પ્રતિનિધિત્વ અંગે ચર્ચા થશે.
તેમને જવાનું જ હતું,આ ભારતના ભવિષ્યની જીત છ ે: રાહુલ ગાંધી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમને તો પદ પરથી જવું જ પડતું, આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી પરંતુ ભારતના ભવિષ્ય અને દેશના વિદ્યાર્થીઓની જીત છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે દેશના લાખો યુવાનોના ભવિષ્ય સાથે જે રીતે રમત રમાઈ રહી હતી, તે સાંખી લેવાય તેમ નહોતું. વિદ્યાર્થીઓએ જે સતત સંઘર્ષ કર્યો અને અવાજ ઉઠાવ્યો, આખરે સરકારે તેમની સામે ઝૂકવું પડ્યું છે અને આ ર્નિણય લેવો પડ્યો છે. આખો વિપક્ષ યુવાનો સાથે ઊભો છે.
લોકશાહી અને શાંતિપૂર્ણ જન આંદોલનની જીત : વાંગચુક
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોતાના વિચારો રજૂ કરતા સોનમ વાંગચુક જણાવ્યુ હતું કે, આ જીત સીધી રીતે શેરીઓમાંથી ઊભી થયેલી પ્રત્યક્ષ લોકશાહીની તાકાત દર્શાવે છે. આ દેશના યુવાનો અને નાગરિકોના અવિરત સંઘર્ષ, અહિંસક વિરોધ અને અનંત ધીરજનું પરિણામ છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં જનતાનો અવાજ સર્વોપરી છે અને જ્યારે લોકો એકજૂથ થઈને શાંતિપૂર્ણ માર્ગે પોતાની ન્યાયી માગણીઓ રજૂ કરે છે, ત્યારે સરકારે પણ ઝુકવું પડે છે. આ યુવાનોએ કોઈ પણ ડર વગર શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને પોતાના અધિકારો માટે સતત અવાજ ઉઠાવ્યો છે.
આખરે રાજીનામું આપવું પડ્યું, લોકશાહીની મોટી જીત : કેજરીવાલ અ રવિંદ કેજરીવાલે એક વિડીયો જાહેર કરીને કહ્યું, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. યુવાનો અને જેન-ઝીને ખૂબ ખૂબ વધાઈ. આપ સૌનો સંઘર્ષ રંગ લાવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપવું પડ્યું. આ લોકશાહીની બહુ મોટી જીત છે. દેશમાં લોકોનો લોકશાહી પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. લોકોને લાગવા માંડ્યું હતું કે સરકારો સાંભળતી જ નથી. જનતા સરકારો સામે બૂમો પાડતી રહેતી હતી, કરગરતી રહેતી હતી, હાથ જાેડતી હતી, પણ સરકારો સાંભળતી નહોતી. આટલો મોટો સંઘર્ષ થયો અને આખરે સરકારના અહંકારને ઝૂકવું પડ્યું. આ બહુ મોટી જીત છે, લોકશાહીની જીત છે. સરકારે પણ હવે સમજી લેવું જાેઈએ કે તમારે જનતાનું સાંભળવું જ પડશે.
આંદોલન પાછળ ફોરેન ફન્ડિંગ અંગે માહિતી નથી : MEA
દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં વિદેશી ફંડિંગ કે વિદેશી ભાગીદારી અંગે વિદેશ મંત્રાલયએ સ્પષ્ટતા કરી છે. શુક્રવારે યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે વિદેશી ફંડિંગ અને સંડોવણી અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ મામલે તેમની પાસે શેર કરવા માટે કોઈ માહિતી નથી.રાજકીય કટાક્ષ જૂથ કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ૬ જૂનથી આ પ્રદર્શન શરૂ થયું હતું, જ્યારે તેના સ્થાપક અભિજિત દીપકે અમેરિકાથી ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ ૨૮ જૂને પ્રખ્યાત શિક્ષણવાદી અને આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુક અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર ઉતરતા આ આંદોલનને મોટો વેગ મળ્યો હતો. વાંગચુકે ૨૩ જુલાઈએ તેમના ઉપવાસ પૂરા કર્યા હતા. આ આંદોલનની મુખ્ય માગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું.
PM સેલ્ફી વીડિયોએIShowSpeedનો રેકોર્ડ તોડ્યો! સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને તૂટે છે, પરંતુ આ વખતે, ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ એક એવી ધમાલ મચાવી છે, જેણે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. પીએમ મોદી દર્શાવતી રીલે માત્ર ૨૪ કલાકમાં ૩૦૩ મિલિયન વ્યૂઝ મેળવીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ, આ રેકોર્ડ વૈશ્વિક ઇન્ટરનેટ વ્યક્તિત્વIShowSpeedના નામે હતો, જેને લગભગ ૩૦૦ મિલિયન વ્યૂઝ મળ્યા હતા. પરંતુ ભારતનો પ્રભાવ ફક્તPM મોદી પૂરતો મર્યાદિત નથી, વિશ્વની સૌથી વધુ જાેવાયેલી રીલ્સમાં મોટાભાગની ભારતીય સેલિબ્રિટીઓનું પ્રભુત્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતાનો વધુ એક પુરાવો આપ્યો છે. તેમની તાજેતરની રીલ્સમાંથી એક માત્ર ૨૪ કલાકમાં ૩૦૩ મિલિયન વ્યૂઝનો આંકડો વટાવી ગઈ છે. અગાઉ, FIFA વર્લ્ડ કપ દરમિયાન BTS મીટિંગ દર્શાવતીIShowSpeedની રીલે ટોચનું સ્થાન મેળવ્યું હતું. પીએમ મોદીએ આ વૈશ્વિક રેકોર્ડ સરળતાથી તોડી નાખ્યો છે. વધુમાં, વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરની તેમની મુલાકાતને પણ ૧ અબજથી વધુ વખત જાેવામાં આવ્યો છે. બોલીવુડ ક્વીન દીપિકા પાદુકોણ વિશ્વભરમાં સૌથી વધુ જાેવાયેલી રીલ્સની યાદીમાં ટોચ પર છે. હિલ્ટન હોટેલ્સના વૈશ્વિક અભિયાન માટે તેમની રીલને લગભગ ૧.૯ અબજ વ્યૂઝ મળ્યા છે. તેમના સ્ટાર પાવર અને વ્યાપક બ્રાન્ડ પ્રમોશનને કારણે આ વિડિઓ ઇતિહાસમાં સૌથી વધુ જાેવાયેલી રીલ બની છે.
દિલ્હીમા જંતર-મંતર પર ઝેન-જીએ જાેરદાર વિજયોત્સવ મનાવ્યો
Loading ...
