મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી -૨૦૨૬ માં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક અંગે સીબીઆઇએ હવે સકંજાે કસ્યો છે. આ કેસમાં સીબીઆઇએ અત્યાર સુધીમાં ૫ આરોપીની ધરપકડ કરી છે.દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડીને તપા સતેજ કરી છે.
આ ધરપકડો અલગ-અલગ રાજ્યોમાંથી કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનના જયપુરથી ૩, હરિયાણાના ગુરુગ્રામથી ૧ અને મહારાષ્ટ્રના નાસિકથી ૧ આરોપીનો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રાલયની ફરિયાદના આધારે સીબીઆઇએ ૧૨ મેના રોજ એફઆઇઆર દાખલ કરી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને નવા કાયદા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સીબીઆઇએ હાલમાં એ શોધી રહી છે કે આ પેપર લીકનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં કોઈ કોચિંગ સેન્ટર કે મોટા દલાલોની સંડોવણી છે કે કેમ?
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ ૧૨નું પરિણામો જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે, કુલ ૯૫.૨૦% વિદ્યાર્થીઓએ સીબીએસઇ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષે, ૨૦૨૫ માં પાસ થવાની ટકાવારી ૮૮.૩૯% હતી. સીબીએસઇ ધો.૧૨મા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતાં સારો દેખાવ કર્યો છે. છોકરીઓનો કુલ પાસ ટકાવારી ૮૮.૮૬ ટકા છે, જ્યારે છોકરાઓનો પાસ ટકાવારી ૮૨.૧૩ ટકા છે.આ વર્ષે ઝ્રમ્જીઈ ૧૨માના પરિણામમાં કુલ ૯૪,૦૨૮ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા અને તેથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે ૧૭,૧૧૩ વિદ્યાર્થીઓ એવા છે જેમણે ૯૫ ટકાથી વધુ ગુણ મેળવ્યા છે. ૯% થી વધુ વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે,આ વર્ષે સીબીએસઇ ૧૨માના પરિણામોમાં, કુલ ૧૬૩,૮૦૦ વિદ્યાર્થીઓ, એટલે કે, ૯.૨૬%, કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સીબીએસઇ એ ઉમંગ એપ પર પણ પરિણામોની ઍક્સેસ આપી છે. વિદ્યાર્થીઓ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકે છે. લોગ ઇન કર્યા પછી, ઝ્રમ્જીઈ વિભાગમાં જાઓ અને તમારી વિગતો દાખલ કરો. સબમિટ કર્યા પછી, પરિણામો સ્ક્રીન પર દેખાશે.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દેશમાં ઊર્જા સંકટના ભય વચ્ચે ભારતના પરમ મિત્ર રશિયા તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે દિલ્હી પ્રવાસ પૂર્વે આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતને ખાતરી આપી છે કે, ગમે તેટલું બાહ્ય દબાણ હોવા છતાં, ઊર્જા પુરવઠા અંગેના તમામ કરારો રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો પુરવઠો સતત ચાલુ રાખશે. લાવરોવે જણાવ્યું હતું કે, હું ગેરંટી આપી શકું છું કે રશિયાથી થતાં પુરવઠાના મામલે ભારતના હિતોને કોઈ નુકસાન નહીં પહોંચે. ભલે બજારમાં અનુચિત અને અપ્રમાણિક સ્પર્ધા હોય, અમે અમારી જવાબદારી નિભાવવામાં પાછીપાની નહીં કરીએ. તમિલનાડુમાં રશિયાની ટેકનિકલ સહાયથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ઉલ્લેખ કરતા લાવરોવે તેને બંને દેશોના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્લાન્ટ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે અને ૨૦૨૭ સુધીમાં તે તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા રશિયન વિદેશ મંત્રીએ તેમને દુનિયાના સૌથી ઊર્જાવાન નેતાઓ પૈકીના એક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, મોદીમાં અદભૂત ઉર્જા છે અને તેઓ તેનો ઉપયોગ અર્થતંત્ર, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા મહત્વના લક્ષ્યો હાંસલ કરવા માટે કરે છે. ભારત અને રશિયાના સંબંધો પર લાવરોવે કહ્યું કે ‘હિન્દી-રૂસી ભાઈ-ભાઈ’ હવે રાજકીય નારો મટીને બંને દેશોની સંસ્કૃતિનો ભાગ બની ગયો છે.
કેરલમ્માં હવે ૫૦૦૦થી વધારેનું પેટ્રોલ નહીં મળે
કેરળમાં પેટ્રોલ પંપ પર ફ્યૂલના વેચાણને લઈ નવી લિમિટ નક્કી કરી દીધી છે. હવે પેટ્રોલ ૫૦૦૦ રૂપિયા અને ડીઝલ ૨૦૦ લિટરથી વધારે મળશે નહીં. આ પગલું તેલની સપ્લાય મેનેજ કરવા અને અચાનક સ્ટોક ખતમ થતા રોકવા માટે ઉઠાવવામાં આવ્યું છે. કંપનીઓએ ક્રેડિટ સિસ્ટમ બંધ કરી એડવાન્સ પેમેન્ટ શરૂ કરી દીધું છે, જેનાથી પંપ માલિકો પર પ્રેશર વધી ગયું છે. કેરળના પેટ્રોલ પંપ પર ઓઇલના વેચાણને લઈ અચાનક લાગુ થયેલા નવા પ્રતિબંધોએ સામાન્ય જનતા અને વેપારીઓને હેરાન કરી નાખ્યાં છે.
પીએમ મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના ર્નિણયો લીધા છે. ઈંધણ બચાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલામાં વપરાતી ગાડીઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ મુસાફરી ઘટાડવા માટે સરકારી બેઠકો ઓનલાઇન યોજવા અને અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ‘ કરવા જેવી સલાહ આપી છે. બીજી તરફ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતાના કાફલામાંથી વધારાના વાહનો હટાવી દીધા છે અને અધિકારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સૂચના આપી છે.મધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી મોહન યાદવે રાષ્ટ્રહિતમાં ઈંધણ બચાવવા માટે પોતાના કાફલાની ગાડીઓની સંખ્યા ૧૩થી ઘટાડીને ૮ કરી દીધી છે. તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને સાદગીથી કામ કરવા અને જનતાને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા વિનંતી કરી છે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સરકારી કામકાજ માટે વાહનોની સંખ્યા સીમિત કરી છે અને મંત્રીઓ તથા ધારાસભ્યોને કારપૂલિંગ તેમજ મેટ્રો-બસ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાના સ્પષ્ટ ર્નિદેશ આપ્યા છે.ગુજરાતમાં પણ પીએમની આ મુહિમની ગંભીર અસર જાેવા મળી છે. ઈંધણ અને સરકારી ખર્ચમાં બચત કરવાના હેતુથી ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો નિર્ધારિત અમેરિકા પ્રવાસ રદ કરીને એક નવી મિસાલ રજૂ કરી છે.
ઍર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કાપ મૂક્યો
હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો અને જેટ ઇંધણના વધતા ભાવોને કારણે એર ઇન્ડિયાએ તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડશે. વધુમાં, કેટલાક આંતરરાષ્ટ્રીય રૂટ પર સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. આ પગલું જૂનથી ઓગસ્ટ મહિના માટે લેવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ ફેરફાર આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે કરવામાં આવી રહ્યો છે. એરસ્પેસ પડકારો ફ્લાઇટ્સ ચલાવવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે. વધુમાં, જેટ ઇંધણના ઊંચા ભાવ ઓપરેટિંગ ખર્ચમાં વધારો કરી રહ્યા છે. દિલ્હી-શિકાગો, મુંબઈ-ન્યૂ યોર્ક, દિલ્હી-શાંઘાઈ અને ચેન્નાઈ-સિંગાપોર જેવા મુખ્ય રૂટ પર સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. વધુમાં, બે અન્ય આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ પણ સ્થગિત કરવામાં આવશે. આ ર્નિણય મુસાફરો અને મુસાફરી યોજનાઓ પર સીધી અસર કરશે. એર ઇન્ડિયાએ તેના ર્નિણય માટે બે મુખ્ય કારણો આપ્યા.
વધતી જતી વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાફલા અંગે એક મોટો ર્નિણય લીધો છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ઘટાડો કર્યા વિના, પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક વીડિયોમાં પીએમ મોદીના કાફલામાં ફક્ત બે વાહનો જ જાેવા મળ્યા છે. આ સરકારી પગલું ઇંધણ બચત અને ખર્ચ નિયંત્રણ તરફ એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્યું છે. આ ર્નિણય સુરક્ષા એજન્સીઓ અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ધોરણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ, ફક્ત આવશ્યક સુરક્ષા અને કાર્યરત વાહનો જ પ્રધાનમંત્રીના કાફલાનો ભાગ રહેશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થા પહેલાની જેમ જ મજબૂત રહેશે. એસપીજી પ્રોટોકોલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી, અને તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. જાેકે, બિનજરૂરી વાહનોને દૂર કરીને કાફલાને વધુ વ્યવસ્થિત અને ઊર્જા-કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શક્ય હોય ત્યાં કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવાનું પણ સૂચન કર્યું છે. જાેકે, નવા વાહનો ખરીદવા કરતાં હાલના સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવા ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારના આ પગલાને પર્યાવરણ સંરક્ષણ અને બળતણ કાર્યક્ષમતાના સંદેશ તરીકે પણ જાેવામાં આવી રહ્યો છે.
Loading ...
