વશ્વિક ઓઇલ બજારમાં વધતા ભાવ અને ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ એક મોટો અને આશ્ચર્યજનક ર્નિણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલની ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ફરી એકવાર કામચલાઉ છૂટ આપી દીધી છે. નોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ અમેરિકાના ટ્રેઝરી વિભાગે આ છૂટ લંબાવવાની ના પાડી દીધી હતી, પરંતુ બદલાતા સંજાેગોમાં અમેરિકાએ પોતાનો ર્નિણય બદલવો પડ્યો છે.અમેરિકાના ટ્રેઝરી વિભાગના નવા નોટિફિકેશન મુજબ, હવે દેશો ૧૬ મે, સુધી રશિયન ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી કરી શકશે. અગાઉ આ છૂટ ૧૧ એપ્રિલે પૂરી થઈ ગઈ હતી. આ નવા ર્નિણયથી સમુદ્રમાં લોડ થયેલા રશિયન ઓઇલના જથ્થા પર એક મહિના સુધી કોઈ અમેરિકાના પ્રતિબંધ લાગુ થશે નહીં.આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલો તણાવ છે. દુનિયાના ૨૦% ઓઇલ અને ગેસનો પુરવઠો આ રૂટ પરથી પસાર થાય છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે આ સપ્લાય લાઈન પર જાેખમ ઉભું થતા ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમેરિકામાં મોંઘવારી ન વધે અને બજારમાં ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી ટ્રમ્પ પ્રશાસને રશિયા પ્રત્યે નરમાઈ બતાવી છે. રશિયાના મતે, આ છૂટથી દરરોજ ૧૦૦ મિલિયન બેરલ ઓઇલ બજારમાં આવશે,
ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટમાં વધતા છેતરપિંડીના કેસોને નિયંત્રિત કરવા સુરક્ષાના નવા પગલાં લેવાના ઉદ્દેશથી નવા નિયમોના મુસદ્દા જાહેર કરેલા છે.
૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ફ્રોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે.૨૦૨૧ માં સાયબર ફ્રોડના ૨.૬ લાખ કેસ હતા (અંદાજે રૂ. ૫૫૧ કરોડ), જે ૨૦૨૫ માં વધીને ૨૮ લાખ કેસ અને રૂ. ૨૨,૯૩૧ કરોડ સુધી પહોંચી ગયા છે. નવા સૂચિત નિયમો અનુસાર રૂ. ૧૦,૦૦૦ થી વધુ રકમના પેમેન્ટ કરવામાં વિલંબ કરવામાં આવશે. ૭૦ વર્ષથી મોટી વયના સિનિયર સિટીઝનના ખાતામાંથી રૂ. ૫૦,૦૦૦ થી વધુનું પેમેન્ટ થાય તો ટ્રસ્ટેડ વ્યક્તિની મંજૂરીની વ્યવસ્થા દાખલ કરવામાં આવશે.
સમાચારમાં એવો મત રજૂ કરાયો છે કે, માત્ર નિયમો બનાવવા પૂરતા નથી, પરંતુ ઓનલાઇન ફ્રોડ થાય તો તેના માટે બેન્કોને જવાબદાર ગણીને વળતર ચૂકવવાની જવાબદારી તેમના માથે નાખવી જાેઈએ.
સાયબર ફ્રોડના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરવા છતાં ઘણા કિસ્સામાં નાણાં પરત મેળવવામાં નિષ્ફળતા મળે છે. ઘણીવાર ફરિયાદ નોંધવામાં થતો વિલંબ (૪૮ કલાક સુધી અધિકારીઓ ન મળવા) ગુનેગારોને ભાગી છૂટવામાં મદદરૂપ થાય છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે કહ્યું કે ન્યાયપાલિકામાં AIનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ટેકનોલોજી માત્ર મદદરૂપ થઈ શકે છે, જજની જગ્યા લઈ શકતી નથી. આ વાત તેમણે શનિવારે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં કહી.
તેમણે કહ્યું કે AI નો ઉપયોગ કરતી વખતે સંતુલન જરૂરી છે. તેનાથી કામ ઝડપી અને સરળ બની શકે છે, પરંતુ ર્નિણય હંમેશા માનવીય વિચાર, અનુભવ અને બંધારણીય સમજથી જ થવો જાેઈએ. તેમણે ન્યાયિક અધિકારીઓને કહ્યું કે તેઓ AI થી પ્રભાવિત ન થાય અને પોતાની સ્વતંત્ર વિચારસરણી જાળવી રાખે.
આ નિવેદન તેમણે ‘રીઇમેજિનિંગ ધ જ્યુડિશિયરી ઇન ધ એરા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ વિષય પર કર્ણાટક સ્ટેટ જ્યુડિશિયલ ઓફિસર્સ એસોસિએશનના સંમેલનમાં આપ્યું. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને સુપ્રીમ કોર્ટના અન્ય જજ પણ હાજર હતા. CJI એ કહ્યું કે જેમ ન્યાયાધીશો જટિલ કેસોમાં વધુ સમય, વિચાર અને ધૈર્ય લગાવે છે, તેવી જ રીતે છૈં ટૂલ્સનો ઉપયોગ પણ સમજદારીપૂર્વક કરવો જાેઈએ. તેમણે કહ્યું કે યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આ ટૂલ્સ મદદ કરશે, પરંતુ ન્યાયાધીશનો સ્વતંત્ર ર્નિણય સૌથી મહત્વપૂર્ણ રહેશે. તેમણે તેના જાેખમો વિશે પણ ચેતવણી આપી.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજાે પર શનિવારે બપોરે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ભારતીય ધ્વજ ધરાવતું એક ઓઈલ ટેન્કર પણ સામેલ હતું. અનેક દરિયાઈ અને સુરક્ષા સૂત્રોએ આ માહિતી આપી છે, જેને શિપિંગ મોનિટર ‘ટેન્કર ટ્રેકર્સ’ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, ભારતીય જહાજ અંદાજે ૨૦ લાખ બેરલ ઈરાકી ઓઈલ લઈને જઈ રહ્યું હતું. બ્રિટનના દરિયાઈ દેખરેખ કેન્દ્ર ‘મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટર’ અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની બે ગનબોટ્સ ટેન્કરોની નજીક આવી હતી અને કોઈપણ ચેતવણી આપ્યા વિના સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા બાદ બંને જહાજાે સ્ટ્રેટ પાર કર્યા વિના જ પરત ફરી ગયા હતા. જાેકે, જહાજ અને તેના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના વિદેશ મંત્રાલયે શનિવારે ભારતમાં ઈરાનના રાજદૂતને તેડું મોકલ્યું હતું અને આ ઘટના અંગે સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની જાહેરાત કરી હતી. ઈરાનનો આરોપ હતો કે અમેરિકા સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેના કારણે તેણે ૨૪ કલાકની અંદર જ આ માર્ગ બંધ કરવાનો ર્નિણય લીધો હતો. ઓમાન પાસે હોર્મુઝ સ્ટ્રેટની નજીક એક ભારતીય ઓઈલ ટેન્કર પર ઈરાની નૌસેના દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી છે. ‘જગ અર્ણવ’ નામનું આ જહાજ અંદાજે ૨૦ લાખ બેરલ ઈરાકી ઓઈલ લઈને જઈ રહ્યું હતું. આ મામલામાં બે ભારતીય જહાજાે ‘જગ અર્ણવ’ અને ‘સન્માર હેરાલ્ડ’ સામેલ હતા. શરૂઆતી અહેવાલો મુજબ, ‘જગ અર્ણવ’ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું જહાજ સુરક્ષિત રહ્યું હતું. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બે ભારતીય જહાજાેને હોર્મુઝ સ્ટ્રેટથી પરત ફરવું પડ્યું હતું. તે દરમિયાન જ આ ઘટના બની હતી.
USની નાકાબંધી, ૨૩ જહાજાે પાછા મોકલ્યા
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડએ જણાવ્યું છે કે તે ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારો પર પોતાનું દરિયાઈ બ્લોકેડ લાગુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૩ જહાજાેને પાછા મોકલી દેવામાં આવ્યા છે, જેમણે અમેરિકી નિર્દેશોનું પાલન કર્યું હતું. આ બ્લોકેડને કડક રીતે લાગુ કરવા માટે અમેરિકી યુદ્ધ જહાજ ેંજીજી ઝ્રટ્ઠહહ્વીિટ્ઠિ અરબ સાગરમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. બીજી તરફ, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડએ આ પગલાને સીઝફાયર કરારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ક્રૂડ ઑઈલને લઈને ફરીથી ટેન્શન વધ્યું
હોર્મુઝની ખાડીથી વિશ્વનો ૨૦ ટકા તેલ પુરવઠો પસાર થાય છે. જાે ૨૨ એપ્રિલ સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ડીલ નહીં થાય, તો ૨૨ એપ્રિલ બાદ યુદ્ધવિરામ ખતમ થતાની સાથે જ તેલના ભાવમાં ફરીથી વધારો થઈ શકે છે.
વૈશ્વિક ઑઇલ પુરવઠા પર અસર
ઈરાને અહીં સૈન્ય નિયંત્રણ વધારતા હવે અહીંથી પસાર થતાં વેપારી જહાજાે અને ઓઇલ ટેન્કરો પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની બાજ નજર રહેશે. જાે તણાવ વધશે તો ઓઇલની કિંમતોમાં વૈશ્વિક સ્તરે ઉછાળો જાેવા મળી શકે છે.
ટ્રમ્પના ૭ દાવા અને તમામ જુઠ્ઠા... : ઈરાને કહ્યું- હોર્મુઝમાં તો અમારો જ કાયદો ચાલશે
૧. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે વાતચીત સારી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ કોઈ સમજૂતી થઈ શકે છે.
૨. ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને આપી દેશે અને બંને દેશો સાથે મળીને તેને બહાર કાઢશે.
૩. ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં.
૪. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી છે અથવા ટૂંક સમયમાં ખુલી જશે, જેથી જહાજાેની અવરજવર ફરીથી સામાન્ય થઈ જશે.
૫. આ સમજૂતી અંતર્ગત કોઈ પણ પ્રકારના પૈસા આપવામાં આવશે નહીં.
૬. ઈરાને દરિયામાં બિછાવેલી માઈન્સ હટાવી દીધી છે અથવા હટાવી રહ્યું છે.
૭. પરિસ્થિતિ હવે શાંત થઈ રહી છે અને અમેરિકાની સ્થિતિ ઘણી મજબૂત હોવાનું મનાય છે.
ઈરાને ફરી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
મધ્ય-પૂર્વના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી છે. ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, આ જળમાર્ગ પર હવે ફરીથી જૂની સ્થિતિ મુજબ ‘કડક સૈન્ય નિયંત્રણ’ લાગુ કરી દેવામાં આવ્યું છે. ઈરાને આ માટે અમેરિકાના ઉલ્લંઘનોને જવાબદાર ઠેરવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મહિલા અનામત પસાર કરાવી શક્યા નથી, તે માટે હું તમામ મહિલાઓની માફી માગું છું. પીએમએ કહ્યું, મારા માટે દેશહિત સર્વોપરી છે. કોંગ્રેસ, ડીએમકે, સપા જેવા પક્ષોની સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની નારીને ભોગવવું પડ્યું છે. લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સંબંધિત બંધારણ (૧૩૧મો સુધારો) બિલ પસાર થઈ શક્યું ન હતું. આ બિલમાં લોકસભાની બેઠકો ૫૪૩થી વધારીને ૮૧૬ કરવાની અને મહિલાઓને ૩૩% અનામત આપવાનો પ્રસ્તાવ હતો. વધુમાં વડાપ્રધાને કહ્યું, જે પક્ષોએ બિલનો વિરોધ કર્યો, તેમને હું સ્પષ્ટપણે કહીશ કે આ લોકો મહિલા શક્તિને હળવાશથી લઈ રહ્યા છે. તેઓ ભૂલી રહ્યા છે કે ૨૧મી સદીની મહિલા બધા પર નજર રાખી રહી છે.
તે તેમની મંશા જાેઈ રહી છે. મહિલા અનામતને રોકીને વિપક્ષે જે પાપ કર્યું છે, તેની તેમને સજા ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાઓનું અપમાન કર્યું છે. જનતાની સજાથી તેઓ બચી શકશે નહીં. ગૃહમાં આ કાયદો કોઈ પાસેથી કંઈ છીનવી રહ્યો ન હતો. કંઈક ને કંઈક આપવાનો હતો.
વિપક્ષ મહિલાઓ પાસેથી તેમનો અધિકાર છીનવીને ટેબલ થપથપાવી રહ્યો હતો
વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ મહિલાઓ પાસેથી તેમનો અધિકાર છીનવીને ટેબલ થપથપાવી રહ્યો હતો. તેમણે જે કર્યું તે ટેબલ પર માત્ર થાપ નહોતી, તે મહિલાના સ્વાભિમાન પર ઈજા હતી. મહિલા બધું ભૂલી જાય છે પણ અપમાન નથી ભૂલતી. દેશની મહિલા જ્યારે પણ પોતાના ક્ષેત્રમાં આ નેતાઓને જાેશે ત્યારે યાદ કરશે કે આ લોકોએ જ મહિલા અનામત રોકવાનો જશ્ન મનાવ્યો હતો.
સંઘિય માળખાને નબળું પાડવાના પ્રયાસને વિપક્ષે રોકી દીધો : પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકારના સંઘીય માળખાને નબળું પાડવાના પ્રયાસને વિપક્ષે એક થઈને રોકી દીધો છે. આ લોકશાહીની મોટી જીત છે. ભારત હવે બદલાઈ ચૂક્યું છે. જનતા બધું સમજે છે. માત્ર કેમ્પેઈન ચલાવવાથી હકીકત બદલાતી નથી, લોકોનો ભરોસો સરકાર પરથી ઘટી રહ્યો છે. સરકાર ૨૦૨૩માં પસાર થયેલું મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ કરે જેથી મહિલાઓને સાચું પ્રતિનિધિત્વ મળી શકે.
મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો પડકાર સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું
મહિલા અનામત બિલને લઈને સર્જાયેલા રાજકીય ગતિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લોકસભાના વિશેષ સત્રમાં બંધારણ(૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬ પસાર ન થઈ શકતા દેશભરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ સ્થિતિમાં દિલ્હીમાં એક વિશેષ બ્રીફિંગ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા માગ કરી છે કે, સરકાર સોમવારે જ એ જૂનું મહિલા અનામત બિલ ફરીથી સંસદમાં રજૂ કરે જેને અગાઉ તમામ પક્ષોએ વ્યાપક સમર્થન આપ્યું હતું. હાલમાં સત્તાપક્ષ અને વિપક્ષ આ મુદ્દે સામસામે આવી ગયા છે, જેના કારણે દેશમાં મહિલા અનામતને લઈને એક નવું રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ પડકાર ફેંક્યો કે, સોમવારે જ સંસદ બોલાવો અને જૂનું બિલ રજૂ કરો, પછી જુઓ કે કોણ મહિલા વિરોધી છે. અમે સૌ તમને વોટ આપીશું અને સમર્થન કરીશું. વિપક્ષી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ હવે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખવાનો ર્નિણય કર્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી થયું છે કે વિપક્ષ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને જણાવશે કે તેઓ અનામતના પક્ષમાં જ છે, પરંતુ સરકાર આ બિલની આડમાં દેશનો રાજકીય નકશો બદલવા માંગતી હતી. પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અનામત એ મહિલાઓનો અધિકાર છે અને વડાપ્રધાને તેને વસ્તી ગણતરી તથા સીમાંકન સાથે જાેડીને પોતાને મહિલાઓના મસીહા તરીકે રજૂ કરવાનો જે ખોખલો પ્રયાસ કર્યો હતો, તે આજે નિષ્ફળ રહ્યો છે. આજે વિપક્ષે એકતા બતાવીને લોકશાહીનું રક્ષણ કર્યું છે. જાે આ બિલ પસાર થઈ ગયા હોત, તો દેશમાં લોકશાહીના અસ્તિત્વ પર જાેખમ આવી શકે તેમ છે.
Loading ...
