ભારતના વિદેશ મંત્રાલયે હવે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ નાગરિક્તા સાબિત કરતો દસ્તાવેજ નથી. પાસપોર્ટ સેવા દિવસની ૧૪મી વર્ષગાંઠના અવસરે મંત્રાલયે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જાેકે આ નિવેદન પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે કે આખરે નાગરિકતાનો નિર્ણાયક પુરાવો કયો દસ્તાવેજ ગણાય. આ એક એવો મુદ્દો છે, કે જેના અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી સ્પષ્ટ અને સર્વસ્વીકાર્ય જવાબ આપ્યો નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે, જેસરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવા માટે જારી કરવામાં આવે છે. એટલે કે માત્ર પાસપોર્ટ ધરાવવાથી નાગરિક્તા સાબિત થતી નથી. આ બાબત થોડી વિસંગતતા પણ દર્શાવે છે, કારણ કે પાસપોર્ટ તો માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને દેશના નાગરિક ન હોય તેવા લોકોને દેશને પાસપોર્ટ મળતો નથી. હકીકતમાં પાસપોર્ટ મળવાનો અર્થ એ પણ નથી કે તે તમારી માલિકીની સંપત્તિ છે. પાસપોર્ટના પાછળના કવરમાં સ્પષ્ટ લખેલું હોય છે. કે તે ભારત સરકારની મિલક્ત છે અને સરકાર આદેશ આપે ત્યારે તેને પરત સોંપવો પડશે.
પાસપોર્ટ સંબંધિત સેવાઓ મોંઘી થઈ
પાસપોર્ટ સંબંધિત સેવાઓ મોંઘી થઈ
કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને સંબંધિત સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ (સુધારા) નિયમો, ૨૦૨૬ જાહેર કરીને આ ર્નિણય લીધો છે. ૧ જુલાઈથી નવા દરો અમલમાં આવશે, જેનાથી સામાન્ય નાગરિકો માટે પાસપોર્ટ ₹૨,૦૦૦ સુધી મોંઘો થશે. સરકારે ૧૯૮૦ની જૂની ફી યાદી નાબૂદ કરી નવી ચાર્જ યાદી લાગુ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટની સાથે જાેડાયેલી સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે.
પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર ((POJK))માં પાક. સરકારની નીતિઓના વિરોધમાં સતત ૧૭માં દિવસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હજારો લોકો રસ્તા પર આવીને દેખાવો કરી રહ્યા છે. હવે સ્થિતિ એવી છે કે, દેખાવકારોમાં મહિલાઓ સૌથી અગ્રેસરની ભૂમિકા નિભાવી રહી છે. રાવલકોટના ઈદગાહ મેદાનમાં હજારોની સંખ્યામાં દેખાવકારો એકઠા થયા છે. રિપોર્ટ મુજબ, અહીં લગભગ ૫૦,૦૦૦થી વધુ લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે.
પાકિસ્તાન સરકાર દ્વારા પ્રતિબંધો અને કડક સુરક્ષા વ્યવસ્થા છતાં અવામી એક્શન કમિટીના નેતૃત્વમાં ભારે વિરોધનું વંટોળ ઉભું થયું છે. દેખાવકારો આર્થિક તંગી, સત્તા સંબંધી પડકારો, મોંઘવારી અને ઘણા સમયથી રાજકીય ઉપેક્ષા જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરી રહ્યા છે. આંદોલનમાં મહિલાઓ અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવનારાઓ પણ સામેલ થયા છે.
પ્રદર્શનમાં મહિલા એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મુખ્ય અવાજ બનીને ઉભરી આવ્યા છે. ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહેલા એક વીડિયોમાં લોકલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રાનીમા શજમાએ પ્રદર્શન થઈ રહેલા વિસ્તારમાં પાકિસ્તાની અધિકારીઓ અને સુરક્ષા દળોની કરતુતોની ટીકા કરી છે. શજમાએ કહ્યું કે, ‘પાકિસ્તાની સેના સામાન્ય લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને પરેશાન પણ કરી રહી છે. પાકિસ્તાન સરકાર આ વિસ્તારની સમસ્યાઓ નિવારવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે.’ તેમણે (POJK)ના રાજકીય ભવિષ્ય પર ફરી વિચાર કરવાની માંગ કરી છે.
રાવલકોટમાં દેખાવકારોને સંબોધિત કરતી વખતે અવામી એક્શન કમિટીના નેતા સરદાર અમન ખાને(POJK)માં સરકારની નીતિઓની ટીકા કરી છે અને વધુમાં વધુ જાતે ર્નિણય લેવાની સત્તા આપવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ કાશ્મીર સંબંધીત ર્નિણયો કાશ્મીરના લોકો પર જ છોડી દેવા જાેઈએ.
વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકોએ અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે તેઓ આ વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેર પર રોક લગાવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને ર્ઁંત્નદ્ભને જાેડતા એન્ટ્રી પોઇન્ટ્સ પર ખાવા-પીવાની અને અન્ય જરૂરી સામગ્રી ભરેલી ટ્રકો પાછલા કેટલાક દિવસોથી રોકી રાખવામાં આવી છે. કાર્યકરોનું કહેવું છે કે આ નિયંત્રણોના કારણે સામગ્રીની અછત સર્જાઈ રહી છે અને સ્થાનિક લોકો પર દબાણ વધી રહ્યું છે, જેઓ પહેલાથી જ લાંબા સમયથી ચાલી રહેલા બંધ (શટડાઉન)ના લીધે પરેશાન છે.
વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપે દુનિયાનું ધ્યાન ખેંચ્યું. એક ચોંકાવનારો ખુલાસો થયો. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે તેમને ભૂકંપ અનુભવાય તેની થોડી સેકન્ડ પહેલા જ તેમના એન્ડ્રોઇડ ફોન પર ગુગલ એલર્ટ મળ્યું હતું. એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ગુગલને ભૂકંપ વિશે અગાઉથી માહિતી કેવી રીતે મળી. શું કંપની ખરેખર ભૂકંપની આગાહી કરી શકે છે? બુધવારે, વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપ આવ્યા, જેની તીવ્રતા ૭.૧ અને ૭.૫ હતી. અહેવાલો સૂચવે છે કે આ લગભગ ૧૦૦ વર્ષમાં દેશમાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપોમાંના એક છે. ભૂકંપે અસંખ્ય ઇમારતોને નુકસાન પહોંચાડ્યું અને ઘણા વિસ્તારોમાં ગભરાટ ફેલાવ્યો. ભૂકંપ પછી, ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર સ્ક્રીનશોટ શેર કર્યા, જેમાં ગૂગલ દ્વારા મોકલવામાં આવેલ ભૂકંપ ચેતવણી દર્શાવવામાં આવી. એક વપરાશકર્તાને એક સૂચના મળી જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે લગભગ ૩૪૧ કિલોમીટર દૂર ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. આ ચેતવણી ભૂકંપ અનુભવાય તે પહેલાં લોકો સુધી પહોંચી હતી. ગુગલની ભૂકંપ ચેતવણી સિસ્ટમ જાદુ કે આગાહી પર આધાર રાખતી નથી. તે તમારા સ્માર્ટફોનમાં એક્સીલેરોમીટર નામના ખાસ સેન્સર દ્વારા સંચાલિત છે. આ સેન્સર ફોન ખસેડતી વખતે સ્ક્રીનને આપમેળે ફરવામાં મદદ કરે છે, પરંતુ તે જમીનમાં કંપનો પણ અનુભવી શકે છે. જ્યારે એન્ડ્રોઇડ ફોનનું એક્સીલેરોમીટર અસામાન્ય કંપનો શોધે છે, ત્યારે તે ગૂગલના સર્વર્સને સિગ્નલ મોકલે છે, જે ફોનનું અંદાજિત સ્થાન શેર કરે છે. ત્યારબાદ ગૂગલ નજીકના અન્ય એન્ડ્રોઇડ ફોનમાંથી ડેટાની તપાસ કરે છે. જાે મોટી સંખ્યામાં ફોન સમાન વિસ્તારમાં સમાન કંપનો રેકોર્ડ કરે છે, તો સિસ્ટમ સમજે છે કે ભૂકંપ આવી રહ્યો છે.
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગાઉના અહેવાલો બાદ હવે યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે દ્વારા એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી જારી કરવામાં આવી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મૃતકોનોે આંકડો ૧૦,૦૦૦ને પાર થઈ શકે છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ ના જણાવ્યા અનુસાર, વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં માત્ર ૪૦ સેકન્ડના અંતરાલમાં બે પ્રચંડ આંચકા અનુભવાયા હતા. પ્રથમ ૭.૧ની તીવ્રતાનો આંચકો એક ‘ફોરશૉક’ (મુખ્ય ભૂકંપ પહેલાનો ઝટકો) હતો, જેના બરાબર ૪૦ સેકન્ડ બાદ ૭.૫ ની તીવ્રતાનો મુખ્ય પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ મૌન્ટાલ્બાનથી ઉત્તર-પશ્ચિમમાં ૨૮ કિલોમીટર દૂર નોંધાયું છે, જે વિસ્તાર દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓ માટે જાણીતો છે. આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ઘટનાસ્થળથી આશરે ૧,૭૦૦ કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા, જ્યાં પણ સુરક્ષાના ભાગરૂપે અનેક ઇમારતો ખાલી કરાવવી પડી હતી.ભૂકંપ બાદના દ્રશ્યો હૃદયકંપાવી દે તેવા છે.
વેનેઝુએલા પછી જપાનમાં ૬.૯નો શક્તિશાળી ભૂકંપ
વેનેઝુએલામાં ભારે વિનાશ સર્જ્યા પછી, હવે ઉત્તર જપાનમાં ૬.૯ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ ભૂકંપ સેંકડો કિલોમીટર દૂર, રાજધાની ટોક્યોમાં પણ અનુભવાયો હતો. સદનસીબે, અધિકારીઓએ કોઈ જાનહાનિની જાણ કરી નથી. વહીવટીતંત્રે સુનામીની ચેતવણી જારી કરી નથી. હવામાન એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હોન્શુ ટાપુ પર ઇવાટે પ્રીફેક્ચર નજીક ૫૦ કિલોમીટર જમીન નીચે હતું. હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ સલામતીના કારણોસર ઇવાટે પ્રીફેક્ચરમાં શિંકનસેન બુલેટ ટ્રેન સ્થગિત કરાઈ હતી.
ભારત શક્ય તમામ સહાય કરશે: પીએમ મોદી
વેનેઝુએલા ભૂકંપથી થયેલા ભારે વિનાશથી સમગ્ર વિશ્વમાં ચિંતા અને સહાનુભૂતિનો માહોલ છવાઈ ગયો છે. ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે અને વેનેઝુએલા સરકારને શક્ય તમામ સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ વેનેઝુએલામા માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
વેનેઝુએલામાં ભૂકંપથી ઓઇલ રિફાઇનરીમાં લીકેજ:ઓઇલ વિતરણ કેન્દ્રોમાં કામકાજ અટક્યું
વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા ભૂકંપથી માત્ર જાનમાલને જ નુકસાન નથી થયું, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો છે. પ્રારંભિક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ૧૦૦થી લોકોના મોત થયા છે, જ્યારે ૭૦૦થી વધુ ઘાયલ થયા છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપથી ૧૦ હજારથી વધુ લોકોના મોત થવાની આશંકા છે. ભૂકંપના તરત જ બાદ દેશની રિફાઇનરી અને તેની આસપાસના તેલ વિતરણ કેન્દ્રોમાં કામકાજ રોકી દેવામાં આવ્યું છે, જેથી માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાનનું આકલન કરી શકાય. સાથે જ, દેશભરના એરપોર્ટ, મેટ્રો સેવા અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઘણી જગ્યાએ પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. બંને ભૂકંપનું કેન્દ્ર રાજધાની કારાકાસથી લગભગ ૨૯૦ાદ્બ દૂર પશ્ચિમમાં મોરોન શહેર નજીક હતું, જે વેનેઝુએલાના મુખ્ય તેલ અને ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે. અહીં રિફાઇનરીમાં એક ટાંકીમાંથી લીકેજના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ વીડિયો પ્યુઅર્ટો કેબેલો રાજ્યમાં આવેલી અલ પાલિટો રિફાઇનરીના એક ટાંકીનો છે, જેમાં ટાંકી લીકેજ થઈ રહી છે.
ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા!
વેનેઝુએલા અને જાપાનની સાથે-સાથે ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી હચમચી ગઈ હતી. કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ૨ વાગ્યાને ૩૬ મિનિટે ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર, આ ભૂકંપ જમીનથી ૧૫ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. સ્થાનિક સ્તરે લોકોમાં સામાન્ય ફફડાટ ફેલાયો હતો, પરંતુ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલ મળ્યા નથી. ભારતના પાડોશી પર્વતીય દેશ નેપાળમાં પણ ગુરુવારે વહેલી સવારે ભારતીય સમયાનુસાર ૫ વાગ્યાને ૨૧ મિનિટે ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
દરિયાકિનારો હોય કે પહાડો, સાવધાની અને સતર્કતા ખૂબ જ જરૂરી છે. ગોવામાં એક દરિયાઈ ખડક પર બેસીને દારૂ પીવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઊંચા પહાડો, ઊંડી નદીઓ, ગાઢ જંગલો કે ઉછળતો દરિયો. આમાંથી કોઈપણ જગ્યા જાેવા-ફરવામાં ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ જગ્યાઓ પર જતા સમયે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. સહેજ પણ પગ લપસ્યો કે એક ખોટું પગલું પડ્યું, તો જીવ પણ જઈ શકે છે. આ જ કારણે પર્યટન વિભાગ આવી તમામ જગ્યાઓ પર ચેતવણી આપતા સાઈનબોર્ડ પણ લગાવે છે. છતાં પણ કેટલાક લોકો આ ચેતવણીને ગંભીરતાથી લેતા નથી, અને તેના લીધે પોતાનો જીવ ગુમાવે છે. આવો જ એક કિસ્સો ગોવામાંથી સામે આવ્યો છે. અહીંના પ્રખ્યાત બાગા બીચ પર એક પ્રવાસી દરિયામાં તણાઈ ગયો. તે કિનારા પાસે આવેલા એક ખડક પર બેઠો હતો. મિત્રો તેને ત્યાંથી હટી જવા માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ તેણે વાત ના સાંભળી અને અંતે દરિયાના મોજાં તેને વહાવી ગયા. મૃતકની ઓળખ વિજાપુર, કર્ણાટકના રહેવાસી સહસ અશપક મસાલી તરીકે થઈ છે.
Loading ...
