ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી મુખ્ય નોડલ એજન્સીએ અનંત નાગની એક તસવીર પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી અને માહિતી આપતા લખ્યું, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ૨૦૨૪ અનંત નાગને આપવામાં આવશે.
ભારત સરકાર દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સિલેક્શન કમિટીની ભલામણ પર આ જાહેરાત કરતા ખુશી અનુભવી રહી છે કે અનંત નાગને ઈન્ડિયન સિનેમામાં તેમના શાનદાર સફર અને યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ૨૦૨૪થી સન્માનિત કરવામાં આવશે. તેમણે અનેક પેઢીઓને મોટિવેટ કરી છે.
આ એવોર્ડ કેવડિયામાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. અનંત નાગ દિગ્ગજ એક્ટર અને પોલિટિશિયન છે. અનંત નાગને કન્નડ સિનેમામાં તેમના શાનદાર યોગદાન માટે ઓળખવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ અભિનેતા અનંત નાગને પણ આ સિદ્ધિ બદલ પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ વરિષ્ઠ કલાકાર અનંત નાગજીને અભિનંદન.
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ( (FDA) ) કમિશનર તુકારામ મુંઢેએ હોસ્પિટલોમાં મેડિકલ સામાનની કિંમતો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ખરીદ કિંમત અને MRP વચ્ચે મોટા તફાવતની વાત કરી. મુંઢેના મતે, એક ખાનગી હોસ્પિટલેIV ઇન્ફ્યુઝન સેટ ૧૧.૦૫ માં ખરીદ્યો, જ્યારે તેની MRP ૩૨૫ હતી. એટલે કે બંને કિંમતોમાં લગભગ ૨,૮૪૧% નો તફાવત હતો. આ જ રીતે ૬.૭૫ ની સિરીંજની સ્ઇઁ ૫૭.૨૦ અને ૨૯.૪૧ ના કેથેટરની MRP ૩૧૦ મળી. તેમણે દર્દીઓ માટે કિંમતોમાં પારદર્શિતાની જરૂરિયાત જણાવી. મુંઢેના મતે, આવી સ્થિતિમાં, દર્દીને હોસ્પિટલના બિલમાં દર્શાવેલ કિંમત સ્વીકારવી પડે છે. સમસ્યા માત્ર કિંમતની નથી, પરંતુ દર્દીઓને સાચી માહિતી અને પારદર્શિતા ન મળવાની પણ છે. તેમણે કહ્યું કે ઘણા મેડિકલ ઉત્પાદનોની MRP હોસ્પિટલની ખરીદ કિંમત કરતાં ઘણી વધારે હોઈ શકે છે. આ તફાવત અંગે મહારાષ્ટ્ર FDAના સર્વેના આધારે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને NPPAને સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, NPPA તપાસ કરી રહ્યું છે કે મેડિકલ ઉત્પાદનોના ઉત્પાદકો અને વચેટિયાઓ કેટલું માર્જિન ઉમેરી રહ્યા છે.
કેન્દ્રીય કેબિનેટે EPFOમાં અનિવાર્ય સભ્યપદ માટે પગારની મર્યાદા ૧૫ હજારથી વધારીને ૨૫ હજાર પ્રતિ માસ કરવાની મંજૂરી આપી છે. આ ર્નિણય બાદ આશરે ૫૧ લાખ વધારાના કર્મચારીઓ EPFOના દાયરામાં આવી શકે છે. એટલે કે જે કર્મચારીઓનો માસિક પગાર અત્યારે ૧૫ હજારથી વધુ હોવાના કારણે અનિવાર્ય EPFOકવરેજમાં નહોતો આવતો, તેમાંથી ૨૫ હજાર સુધી પગાર મેળવતા કર્મચારીઓ હવે આ દાયરામાં આવશે. સરકારનું કહેવું છે કે આનાથી વધુ કર્મચારીઓને નિવૃત્તિ માટે બચત અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે અને દેશમાં ઔપચારિક રોજગારને પ્રોત્સાહન મળશે.
નોકરી કરતા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડની વેજ સીલિંગ મર્યાદા રૂ.૧૫,૦૦૦થી વધારીને રૂ.૨૫,૦૦૦ પ્રતિ મહિનો કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું કે આ નિયમ આવતીકાલે એટલે કે ૧૭ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. સરકારના આ ર્નિણયથી લગભગ ૫૧ લાખ કર્મચારીઓને સીધો લાભ મળશે.
ત્રણ મેચોની ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શ્રીલંકાને ૧૧૯ રને હરાવ્યું હતું. સાઉથમ્પટનમાં મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પૂર્વ કેપ્ટન જાેસ બટલરના ૪૪ બોલમાં ૮૦ રન અને વર્તમાન કેપ્ટન હેરી બ્રુકના ૪૯ બોલમાં અણનમ ૧૧૪ રનની મદદથી ૪ વિકેટે ૨૫૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડના બોલરોએ મુલાકાતી ટીમને માત્ર ૧૯ ઓવરમાં ૧૩૫ રનમાં આઉટ કરી દીધી. સોની બેકર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ૪ ઓવરમાં ૧૨ રન આપીને ૩ વિકેટ ખેરવી હતી. લિયામ ડોસન અને જેમી ઓવરટનને ૨-૨ વિકેટ મળી હતી. મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા હેરી બ્રુકે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે તેની બીજી ટી૨૦ સદી માત્ર ૪૨ બોલમાં પૂરી કરી. તેની ૧૧૪ રનની અણનમ ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી બ્રુક અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેની છેલ્લી ૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં તેણે બે સદી અને બે અર્ધસદી ફટકારી છે. હેરી બ્રુક માત્ર ટી૨૦માં જ નહીં પરંતુ વનડે અને ટેસ્ટમાં પણ આશાસ્પદ ખેલાડી છે.
લિયોનેલ મેસ્સીના ચાહકો ફરી એકવાર તેમના સ્ટાર ખેલાડીને આજેર્ન્ટિના જર્સીમાં જાેઈ શકે છે. આજેર્ન્ટિના ફૂટબોલ એસોસિએશન એ આ દિગ્ગજ ખેલાડીને વિદાય મેચમાં આમંત્રણ આપ્યું છે જેથી તેને તે લાયક વિદાય આપી શકાય. જાેકે મેસ્સીએ હજુ સુધી તેની ભાગીદારીની પુષ્ટિ કરી નથી, આજેર્ન્ટિના ફૂટબોલના વડાએ કહ્યું કે તેણે ૬ ઓક્ટોબરે બેનિન સામેની મૈત્રીપૂર્ણ મેચ માટે આમંત્રણ સ્વીકાર્યું છે. આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કરવા છતાં, ૩૯ વર્ષીય મેસ્સીને મંગળવારે ત્રણ સ્થાનિક મૈત્રીપૂર્ણ મેચ માટે આજેર્ન્ટિનાની ૨૮ સભ્યોની ટીમમાં સામેલ કરાયો હતો. છહ્લછ પ્રમુખ ક્લાઉડિયો તાપિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, અમે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી, અમારી રાષ્ટ્રીય ટીમના આઇકોન અને અમારા કેપ્ટન, લિયોનેલ એન્ડ્રેસ મેસ્સીને ભવ્ય વિદાય સમારંભ માટે આજેર્ન્ટિના આમંત્રણ આપ્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું, લિયોનેલ મેસ્સી, રોડ્રિગો ડી પોલ અને જીઓવાન્ની લો સેલ્સો ૬ ઓક્ટોબરે અંતિમ ફ્રેન્ડલી મેચ માટે ટીમનો ભાગ હશે. ખેલાડીઓની અંતિમ યાદી શુક્રવારે જાહેર કરાશે.” આજેર્ન્ટિનાના મહાન ખેલાડીએ ગયા મહિને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેમાં આજેર્ન્ટિના સાથે ૨૦ વર્ષની કારકિર્દીનો અંત આવ્યો. આ કારકિર્દીમાં વર્લ્ડ કપ વિજય, બે કોપા અમેરિકા ટાઇટલ અને દેશ માટે રેકોર્ડ ૨૦૭ દેખાવનો સમાવેશ થાય છે. આજેર્ન્ટિનાની રાષ્ટ્રીય ટીમ ૨૧ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર વચ્ચે ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચ રમશે. પ્રથમ મેચ ૩૦ સપ્ટેમ્બર, બુધવારના રોજ કોર્ડોબા પ્રાંતના મારિયો આલ્બર્ટો કેમ્પોસ સ્ટેડિયમ ખાતે બોલિવિયા સામે રમાશે.
Loading ...
