બ્રિટિશ સંસદમાં આંતરરાષ્ટ્રીય સન્માન સ્વીકારવા માટે લંડન જઈ રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના કાફલાની ફ્લાઈટને લંડનના હિથ્રો એરપોર્ટ પર સાયબર હુમલાની આશંકા અને ટેકનિકલ એલર્ટના કારણે તાત્કાલિક સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિક ખાતે ડાયવર્ટ કરવી પડી હતી. નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પોતે અલગ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં હોવાથી તેઓ નિર્ધારિત સમયે લંડન પહોંચી ગયા હતા. જાેકે, તેમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને ફોટોગ્રાફર સહિત છ અધિકારીઓની ટીમ જે ફ્લાઈટમાં હતી, તેને ઝ્યુરિખ ડાયવર્ટ કરાતાં તેઓ ત્યાં અટવાઈ પડ્યા હતા. હિથ્રો એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા સાયબર એટેકની શંકાને પગલે તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જારી કરીને અંદાજે ૧૨૦૦ જેટલી ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરાઈ હતી. સ્થિતિ સામાન્ય થતાં શિંદેની ટીમને ઝ્યુરિખથી ફરી લંડન રવાના કરાયાં હતા.
રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ કોઈ સામાન્ય આતંકી હુમલો નહીં પરંતુ એક સુઆયોજિત આત્મઘાતી (સુસાઇડ) બોમ્બ વિસ્ફોટ હતો. આ ઘાતકી ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર અને ઓપરેશનલ ઇન્ચાર્જ ડૉ. ઓમર ઉન નબી હતો, જેણે કારની અંદરથી જ કમાન્ડ મિકેનિઝમથીIED એક્ટિવેટ કરીને પોતાને ઉડાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલામાં ૧૫ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.NIAની તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બર ૨૦૨૫ માં લાલ કિલ્લા પાસે ફમ્ VBIED (વાહન-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) કાર ધડાકામાં માર્યો ગયેલો ડૉ. ઓમર વર્ષ ૨૦૨૨ થી જ આતંકવાદી સંગઠન ‘અંસાર ગઝવત-ઉલ-હિંદ’ ના મોડ્યુલને સક્રિય કરવામાં લાગી ગયો હતો. તે દેશ સામે હિંસા અને જેહાદ ફેલાવવા માટે કટ્ટરપંથી યુવાનોનું એક મોટું નેટવર્ક તૈયાર કરી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર તેમજ દિલ્હી-NCR ના ગુપ્ત સ્થળોએ સતત બેઠકો યોજીને નવા ભરતી થયેલા યુવાનોને જેહાદી સાહિત્ય દ્વારા ભડકાવવામાં આવતા હતા અને ખતરનાક વિસ્ફોટકો બનાવવાની તાલીમ આપવામાં આવતી હતી.ડૉ. ઓમર નબી ‘સિગ્નલ’ જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતો હતો. તેણે આતંકી પ્રવૃત્તિઓ ચલાવવા, ગેરકાયદેસર શસ્ત્રો ખરીદવા અને વિસ્ફોટકોનું લોજિસ્ટિક્સ પૂરું પાડવા ટેરર ફંડિંગ એકત્ર કર્યું હતું.
ડૉ. ઓમરે જૂની કારને ‘ચાલતી-ફરતી બોંબ’ બનાવી દીધી હતી
આત્મઘાતી હુમલાના ષડયંત્ર માટે ડૉ. ઓમર અને તેના સાથીઓએ એક જૂની કાર ખરીદી હતી, જેને વિસ્ફોટકો ભરીને કાર-બોમ્બ ((VBIED) ) માં ફેરવી દેવામાં આવી હતી. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ડૉ. ઓમર જાતે આ કાર લઈને લાલ કિલ્લા પાસે પહોંચ્યો હતો અને અંદર બેઠા બેઠા જ સ્વિચ દબાવીને વિસ્ફોટ કર્યો હતો. ફોરેન્સિક પુરાવાઓએ પણ પુષ્ટિ કરી છે કે બોમ્બ કારની અંદરથી જ ધમાકો કરીને ફોડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ એક ચોક્કસ આત્મઘાતી આતંકી હુમલો જ હતો.
બેંગલુરુના બસવનગુડીમાં જન્મેલા અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન‘થી સન્માનિત ૯૨ વર્ષીય મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર સી.એન.આર. રાવને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મતદારયાદીની સમીક્ષા (એસઆઇઆર) દરમિયાન તેમના નામના સ્પેલિંગમાં ભૂલ સામે આવતા તેમને પોતાની ઓળખ સાબિત કરવા માટે સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાનો આદેશ અપાયો છે. ભારત રત્ન મેળવનારા દેશના ત્રીજા વૈજ્ઞાનિક એવા પ્રોફેસર રાવે વિજ્ઞાન ક્ષેત્રે દેશ અને બેંગલુરુ શહેર માટે અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે. પ્રોફેસર રાવને ચૂંટણી તંત્ર દ્વારા ‘સેલ્ફ-નેમ મિસમેચ‘(નામમાં તફાવત)નું કારણ દર્શાવીને નોટિસ આપવામાં આવી છે. જૂની મતદારયાદીમાં તેમનું નામ 'Prof. C.N.R. Rao' લખાયેલું હતું, જ્યારે વર્તમાન મતદારયાદીમાં'Prof. C.N.R. Rao'માં ભૂલથી એક વધારાનો અક્ષર ઉમેરાઈને 'Proff. C.N.R. Rao' થઈ ગયું છે. નિયમ મુજબ જ્યારે ૨૦૦૨ની મતદારયાદી અને વર્તમાન મતદારયાદીમાં નામ કે વિગતો મેચ થતી ન હોય ત્યારે આ પ્રકારની નોટિસ પાઠવવામાં આવે છે.
નોટિસના નિયમો અનુસાર સંબંધિત વ્યક્તિએ પોતે જ રૂબરૂ હાજર રહેવું પડતું હોવાથી, પ્રોફેસર રાવને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ નજીક આવેલ મલ્લેશ્વરમ ખાતે સુનાવણી માટે બોલાવાયા છે.
જાેકે, જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ ((JNCASR)) ખાતેના તેમના સહયોગીઓ અને નિકટના લોકો જણાવે છે કે તેમની તબિયત હાલ નાજુક છે. તેઓ ફોન કે કમ્પ્યુટર જેવા ઉપકરણોથી દૂર રહે છે અને ઈમેલ પણ પોતે ચેક કરતા નથી.
સોલિડ-સ્ટેટ અને સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી ક્ષેત્રે અદભૂત યોગદાન આપનાર પ્રોફેસર રાવે નોબેલ પુરસ્કાર સિવાય વિજ્ઞાન જગતના તમામ મુખ્ય ઍવૉર્ડ જીત્યા છે. તેઓ ભારતની વિજ્ઞાન નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ દેશના પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય હતા. આ ઉપરાંત તેમણે રાજીવ ગાંધી, એચ.ડી. દેવેગૌડા, આઇ.કે. ગુજરાલ અને ડૉ. મનમોહન સિંહ એમ ચાર વડાપ્રધાનની સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે.
પ્રોફેસર રાવે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને બેંગલુરુને વિજ્ઞાન ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIScનું નેતૃત્વ કરવા ઉપરાંત જેક્કુર ખાતે વિશ્વવિખ્યાત JNCASRની સ્થાપના કરી હતી અને તેના સ્થાપક પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમને
ભારત રત્ન ઉપરાંત પદ્મવિભૂષણ, પદ્મશ્રી અને કર્ણાટક રત્ન જેવા અનેક ઉચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
દુલીપ ટ્રોફી ફાઇનલમાં પૂર્વ ઝોને દક્ષિણ ઝોન સામે ૫૮૪ રનની લીડ મેળવી લીધી છે. આનાથી તેઓ ટાઇટલ જીતવાની નજીક પહોંચી ગયા છે. ક્રિકેટના નિયમ મુજબ જાે મેચ ડ્રોમાં સમાપ્ત થાય તો પણ, પૂર્વ ઝોનને તેની પ્રથમ ઇનિંગની લીડના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.
મેચના ચોથા દિવસે, પૂર્વ ઝોને દક્ષિણ ઝોનને ૩૩૬ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પ્રથમ ઇનિંગમાં ૭૦૮ રન બનાવનાર પૂર્વ ઝોનની ટીમે ૩૭૨ રનની લીડ મેળવી લીધી છે.દિવસની રમતના અંતે, ટીમે બીજા ઇનિંગમાં પાંચ વિકેટે ૨૧૨ રન બનાવી લીધા હતા. મેચનો પાંચમો અને અંતિમ દિવસ ગુરુવારે સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે. પ્રથમ ઇનિંગમાં ૨૭૦ રન બનાવનાર પૂર્વ ઝોનના કેપ્ટન ઇશાન કિશનએ બીજી ઇનિંગમાં પણ કેપ્ટન ઇન્ગિ રમી ૮૦ રન બનાવ્યા હતા. એમડી નિધિશના બોલ પર આઉટ થતાં પહેલાં તેણે નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
પ્રથમ ઇનિંગમાં ૪૪ રન બનાવનાર વૈભવ સૂર્યવંશી બીજી ઇનિંગમાં ફક્ત આઠ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તે દક્ષિણ ઝોનના બોલર ત્રિપુરન વિજયના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે ૧૬ બોલની ઇનિંગમાં માત્ર એક ચોગ્ગો ફટકાર્યો હતો.અગાઉ, દક્ષિણ ઝોન ૩૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ પ્રથમ ઇનિંગના આધારે પૂર્વ ઝોનથી ૩૭૨ રન પાછળ છે.દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્મા ફક્ત એક રનથી પોતાની સદી ચૂકી ગયા. તિલક ૯૯ રનમાં પૂર્વ ઝોનના એમડી કૌનૈન કુરેશીના હાથે કેચ થઈ ગયો હતો. પૂર્વ ઝોન માટે મુકેશ કુમારે ત્રણ વિકેટ લીધી હતી.જ્યારે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા મહેનત કરી રહેલો મોહમ્મદ શમી સહિત ત્રણ બોલરોએ પણ બે-બે વિકેટ ખેરવી હતી.
મેચના ત્રીજા દિવસે બેટિંગ કરી રહેલા દક્ષિણ ઝોનની શરૂઆત ખરાબ રહી હતી.ટીમે ૧૦ રનના સ્કોર પર રિકી ભુઇની માત્ર એક રન પર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ નારાયણ જગદીસન અને દેવદત્ત પડિકલે બીજી વિકેટ માટે ૬૦ રન ઉમેર્યા હતા. જગદીસન ૩૨ રન બનાવી આઉટ થઇ ગયો હતો. દેવદત પડિકલ અને શેખ રશીદે ત્રીજી વિકેટ માટે ૫૬ રન બનાવ્યા હતા. રશીદ ૨૭ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ દેવદત્ત પડિકલ ૬૨ રન બનાવી આઉટ થઇ ગયો. કેપ્ટન તિલક વર્માએ રવિચંદ્રન સ્મૃતિ (૨૩) સાથે પાંચમી વિકેટ માટે ૪૫ રન બનાવ્યા હતા.
તિલક અને શ્રેયસ ગોપાલ (૨૬) એ છઠ્ઠી વિકેટ માટે ૬૬ રન બનાવ્યા હતા. રમતના અંતે, તિલક વર્મા ૫૬ રન બનાવીને અણનમ રહ્યા અને ચામા મિલિંદ ૨ રન બનાવીને રમી રહ્યા હતા. પૂર્વ ઝોન માટે મોહમ્મદ શમી અને મુકેશ કુમારે બે-બે વિકેટ લીધી. શિખર મોહને એક વિકેટ લીધી.
બુધવારે ૨૦૨૬ યુએસ ઓપનમાં બેન શેલ્ટને મોટો અપસેટ સર્જ્યો હતો. એક રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચમાં, શેલ્ટને ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝને ૬-૭(૫), ૬-૧, ૬-૩, ૧-૬, ૭-૬(૧૦/૭) થી હરાવીને તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો.
ચાર કલાક અને ૨૮ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં, શેલ્ટને માત્ર પોતાના કરિયરની સૌથી મોટી જીત જ નહીં, પણ મુખ્ય ટુર્નામેન્ટમાં સ્પેનિશ ખેલાડીનો સતત ૧૮ જીતનો સિલસિલો પણ તોડ્યો.
આ મેચ યુએસ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી મેચ હતી. મેચના અંતે, બેન શેલ્ટને ૧૪૬ માઇલ પ્રતિ કલાકની ઝડપે એસ સર્વિસ ફટકારીને પોતાની જીત પર મહોર લગાવી. અગાઉ, સૌથી લાંબી મેચનો રેકોર્ડ કાર્લોસ અલ્કારાઝના નામે હતો. બે વર્ષ પહેલાં, તેણે ક્વાર્ટર ફાઇનલમાં પાંચ સેટની રોમાંચક મેચમાં યાનિક સિનરને હરાવ્યો હતો. કાર્લોસ અલકારાઝ ઈજાને કારણે લગભગ ચાર મહિના પછી કોઈ મેજર ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો.ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતી વખતે ફક્ત એક જ સેટ ગુમાવ્યો. જાેકે, બેન શેલ્ટને ટાઇટલ બચાવવા માટે પોતાનું અભિયાન રોકી દીધું.અલ્કારાઝ પોતાનું આઠમું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ અને સતત બીજું યુએસ ઓપન ટાઇટલ મેળવવા માંગતો હતો. જાે તેણે આ સિદ્ધિ હાંસલ કરી હોત, તો તે રોજર ફેડરર પછી યુએસ ઓપન ટ્રોફીનો સફળતાપૂર્વક બચાવ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યો હોત.
સ્પેનિયાર્ડ પોતાનું આઠમું મુખ્ય ટાઇટલ અને રોજર ફેડરર પછી યુએસ ઓપન ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બનવા માંગતો હતો. મોન્ટ્રીયલમાં પોતાનું બીજું છ્ઁ માસ્ટર્સ ૧૦૦૦ ટાઇટલ જીતનાર બેન શેલ્ટને અલકારાઝને હરાવીને પહેલીવાર હાર્ડ કોર્ટ મેજર ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
Loading ...
