જાે તમારા નામે ૯ સિમ કાર્ડ એક્ટિવ હોય તો તમને નવું સિમ કાર્ડ નહીં મળે. સરકારે ગુરુવારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે જે ગ્રાહકોના નામે પહેલેથી નિર્ધારિત મર્યાદા એટલે કે ૯ મોબાઇલ કનેક્શન છે, તેમને કોઈ પણ નવું સિમ કાર્ડ જારી કરવામાં ન આવે. આ નિયમ આ મહિનાની ૨૪ તારીખથી દેશભરમાં લાગુ પડશે. દૂરસંચાર વિભાગ મુજબ, જાે તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સિમ લેવા દુકાને જશો, તો કંપનીઓ તમને નવું કનેક્શન આપવાની ના પાડી દેશે. આ સાથે તમને એ પણ જણાવવામાં આવશે કે તમારા નામે પહેલાથી જ મહત્તમ સિમ કાર્ડ ચાલુ છે, તેથી નવું સિમ આપી શકાશે નહીં. ડિજિટલ સિસ્ટમથી ખબર પડશે કેટલી સિમ એક્ટિવ છે
જાે તમે વિચારી રહ્યા છો કે અલગ-અલગ કંપનીઓ પાસેથી સિમ લઈને તમે બચી જશો, તો એવું નહીં થાય. સરકારે ટેલિકોમ કંપનીઓને ‘ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ નો ઉપયોગ કરવા જણાવ્યું છે.આ પોર્ટલ પર દેશના તમામ મોબાઇલ યુઝરનો ડેટા ઉપલબ્ધ છે.નવું સિમ એક્ટિવેટ કરતા પહેલા કંપનીઓ આ પોર્ટલ પર તપાસ કરશે કે તમારા નામે કુલ કેટલા સિમ ચાલી રહ્યા છે.૨૩ ઓગસ્ટથી ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેરી રહી છે.
બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર, હુમાયુ કબીરે ગુરુવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ “તેના હિતોને અને વૈશ્વિક અર્થતંત્ર અને વેપારમાં થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને મક્કા કરારમાં જાેડાવાનું વિચારી શકે છે.” આ નિવેદનથી ઢાકા અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલા તણાવમાં બીજાે પરિમાણ ઉમેરાયો છે.
સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને મક્કામાં સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ત્રણેય દેશોમાંથી કોઈપણ પર કોઈપણ સશસ્ત્ર હુમલોને બધા પર હુમલો ગણવા માટે ઔપચારિક રીતે સંમતિ આપી હતી. હુમાયુ કબીરે તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે એમ પણ કહ્યું હતું કે, હવે મુસાફરી કરવાનો યોગ્ય સમય નથી. ઢાકા ઇસ્લામાબાદ સાથે પણ સંબંધો મજબૂત કરી રહ્યું છે, ખાસ કરીને વેપાર અને લોકો વચ્ચેના સંપર્કમાં. કબીરે આને સામાન્ય રાજદ્વારી જાેડાણ ગણાવ્યું. કબીરે કહ્યું કે ચીન સાથેના સંબંધો “નવી ઊંચાઈએ” પહોંચ્યા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભૂ-રાજકીય દબાણને ટાળીને બેઇજિંગ સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સશસ્ત્ર સીમા દળના જવાનોને સંબોધ્યા હતા. પોતાના સંબોધનમાં અમિત શાહે પશ્ચિમ બંગાળની સરહદ સુરક્ષા, ઘૂસણખોરી અને સિલિગુડી કોરિડોર જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના માત્ર ૪૫ દિવસની અંદર મ્જીહ્લ અને જીજીમ્ માટે ૧,૧૨૯ એકર જમીન ફાળવવામાં આવી છે. તેમણે આ ર્નિણયને સરહદની સુરક્ષા વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના માત્ર ૪૫ દિવસમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સશસ્ત્ર સીમા દળ માટે ૧,૧૨૯ એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. અમિત શાહે કહ્યું કે, સરહદ પર સુરક્ષા દળોની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે જમીન અને જરૂરી માળખું ઉપલબ્ધ કરાવવું ખૂબ જ જરૂરી છે.આ કામમાં જે ઝડપ દેખાઈ રહી છે તેનું કારણ માત્ર એટલું નથી કે રાજ્યમાં સરકાર છે.
કોકરોચ જનતા પાર્ટી હાલ સ્કૂલ ઠીક કરો અભિયાન ચલાવી રહી છે અને તે અંતર્ગત રાજસ્થાનના પાટનગર જયપુરના બગરુ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી સ્કૂલની સ્થિતિ ચેક કરવા માટે તેણે કેટલાક કાર્યકરોને મોકલ્યા હતા પરંતુ ભારે હંગામો મચી ગયો. વાત જાણે એમ છે કે સીજેપીના કાર્યકરોને ગ્રામીણોએ ખદેડી મૂક્યા. આ મામલે સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો કે તેમની ટીમના લોકો સાથે ભાજપના કાર્યકરોએ મારપીટ કરી અને ગાડીઓના કાચ ફોડી નાખ્યા.
સીજેપીના કાર્યકરો સવાર સવારમાં રામપુરા કંવરપુરા ગામની રાજકીય પ્રાથમિક શાળાએ પહોંચ્યા તો ભારે હોબાળો મચ્યો. સીજેપીના કાર્યકરો ત્યાં શાળાની સ્થિતિ ચેક કરવા માટે પહોંચ્યા હતા. ગામવાળાઓએ તેમનો વિરોધ કર્યો અને તેમને ભગાડી મૂક્યા. થોડીવારમાં આશુતોષ રાંકા પોતે ત્યાં પહોંચ્યા તો ગ્રામીણોએ તેમના વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દીધી.
માહોલ તણાવવાળો થઈ ગયો અને જાેતજાેતામાં તો ધક્કા મુક્કી પણ શરૂ થઈ ગઈ. ગ્રામીણોએ સીજેપીના કાર્યકરોની પીટાઈ કરી અને તેમને ગામમાં દોડાવ્યા. ગાડીઓના કાચ પણ ફોડી નાખ્યા. ગ્રામીણોએ કાર્યકરો પર રેતી પણ ઉછાળી અને પથ્થરબાજી કરી હોવાના પણ આરોપ છે.
સોશિયલ મીડિયા પર હાલમાં ધોરણ ૬ ના જનરલ નોલેજના એક પુસ્તકનો વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ પુસ્તકના પાના ફેરવતી વખતે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની પર આપેલા એક વિશેષ પ્રકરણ તરફ ધ્યાન દોરે છે અને મજાકના અંદાજમાં કહે છે, “ભાઈ સાહેબ! પ્રકરણ હૈ ઇન્કા જીકે કા.”
પેજ પર જ્યોર્જિયા મેલોનીની રાજકીય સફર, સંઘર્ષ અને તેમની સિદ્ધિઓ પર વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓ ૨૨ ઓક્ટોબર, ૨૦૨૨ થી ઇટાલીના વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે અને આ પદ સંભાળનાર તેઓ ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન છે.
પુસ્તકમાં લખેલી વિગતો અનુસાર, મેલોનીનો જન્મ ૧૫ જાન્યુઆરી, ૧૯૭૭ ના રોજ રોમમાં થયો હતો અને તેઓ માત્ર ૧૫ વર્ષની નાની વયે રાજકારણમાં સક્રિય થયા હતા. તેમણે રોમ પ્રાંતમાં કાઉન્સિલર તરીકે સેવા આપીને યુવા કલ્યાણ સંબંધિત પહેલો પર કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૮ માં તેઓ ઇટાલીના યુવા મંત્રી બન્યા હતા, જેનાથી તેઓ દેશના સૌથી નાની વયના મંત્રી બનવાનું બહુમાન ધરાવે છે. ૨૦૧૨ માં તેમણે ‘બ્રધર્સ ઓફ ઇટાલી’ પક્ષની સહ-સ્થાપના કરી અને ૨૦૧૪ માં તેના પ્રમુખ બન્યા હતા.
Loading ...
