સુપ્રીમ કોર્ટે બુધવારે કોલસા બ્લોક ફાળવણી કેસમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો, જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને સમન્સ પાઠવવાના ૨૦૧૫ના સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના આદેશને રદ કરવામાં આવ્યો. કોર્ટે ચુકાદો આપ્યો કે ટ્રાયલ કોર્ટ પાસે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને નકારી કાઢવા અને તેમની સામે સંજ્ઞાન લેવાનો કોઈ આધાર નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જાેયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચે ભૂતપૂર્વ વડા પ્રધાનની અપીલ મંજૂર કરી, સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને સ્વીકારીને તેમને ક્લીનચીટ આપી અને કેસમાં કાર્યવાહી બંધ કરી દીધી. ડિસેમ્બર ૨૦૨૪માં ડૉ. મનમોહન સિંહનું અવસાન થયું હોવા છતાં, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશની માન્યતા તપાસવાનો ર્નિણય લીધો કારણ કે તેમાં તેમની વિરુદ્ધ ઘણી પ્રતિકૂળ ટિપ્પણીઓ હતી. સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાનનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે મનમોહન સિંહના મૃત્યુ પછી અપીલ તકનીકી રીતે બિનઅસરકારક બની ગઈ હતી, પરંતુ ટ્રાયલ કોર્ટના અવલોકનો ધ્યાનમાં લેવા મહત્વપૂર્ણ હતા. સિબ્બલે બેન્ચને કહ્યું, “એક કેસ ડૉ. મનમોહન સિંહનો છે.” તેમણે કોર્ટને ભૂતપૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાની પણ વિનંતી કરી. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે કેસનો ઉકેલ લાવી શકાય છે, જેના જવાબમાં સિબ્બલે જવાબ આપ્યો કે ટ્રાયલ કોર્ટે કેસની નોંધ લીધી છે અને પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી છે જેને દૂર કરવી જાેઈએ. સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ આર.એસ. ચીમાએ જણાવ્યું હતું કે સંબંધિત કેસોમાં અમુક જાેગવાઈઓની માન્યતા અંગેના મુદ્દાઓ હજુ પણ છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ઓછામાં ઓછા ડૉ. મનમોહન સિંહના કેસમાં, અવલોકનો દૂર કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે અપીલકર્તાના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુને કારણે, અપીલને નિરર્થક ગણાવીને ફગાવી શકાય તેમ હતું. જાેકે, સ્પેશિયલ જજ દ્વારા કેસની નોંધ લેવા અને અપીલકર્તાને સમન્સ પાઠવવાના મુદ્દાને ધ્યાનમાં લેવા માટે, અમે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા બંને ક્લોઝર રિપોર્ટની સમીક્ષા કરી છે.
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ થઈ ગયું છે. લાંબી ચર્ચા બાદ આ બિલને ધ્વનિમતથી મંજૂરી મળી છે. જાેકે, બિલ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જાેરદાર નોકઝોક જાેવા મળી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને બંને પક્ષો વચ્ચે ભારે તણાવ જાેવા મળ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એન્ટી પેપર લીક બિલ પસાર થયાની જાહેરાત કરી અને આવતીકાલ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી.
લોકસભામાં બિલ રજૂ કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, જ્યારે આટલા મહત્વના બિલ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે સૂચનો આપવાના બદલે તેના પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષના નેતાએ જે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો તે આશ્ચર્યજનક છે. મને નવાઈ લાગે છે કે શું તેમને સંસદીય કાર્યવાહીના મૂળભૂત નિયમોની પણ જાણકારી છે? દેશના યુવાનો, જે દેશનું ભવિષ્ય છે, તેમને ‘મૂર્ખ’ કહેવા કરતાં વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે?
જિતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ‘૨૧ જુલાઈએ વિપક્ષના નેતા કદાચ કોઈ ખાસ વિચારસરણીને કારણે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જઈને બેસી ગયા હતા.
‘ઇડિયટ’ શબ્દ બોલતાં સ્પીકરે ૧૧ વાર, રિજિજુએ ૭ વાર ટોક્યા, કહ્યું- માફી માગો
નવી દિલ્હી : વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ પર ૫૦ મિનિટ ભાષણ આપ્યું હતું. તેમણે ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલ્યા હતાં. પછી કહ્યું કે ગૃહમંત્રીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો હતો. આને લઈને સત્તાપક્ષે જાેરદાર હોબાળો કર્યો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ૭ વખત ઊભા થઈને રાહુલને ટોક્યા અને સંસદીય નિયમનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાએ માફી માંગવી જાેઈએ. આના પર રાહુલે કહ્યું, ‘જાે તમે ઈચ્છો છો કે દેશમાં ફક્ત ભાજપ બોલે તો હું ચૂપચાપ બેસી જાઉં છું.’ સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલને ૧૧થી વધુ વખત ટોક્યા. કહ્યું કે તેઓ આવા અસંસદીય શબ્દો બોલી શકતા નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પીકરને કહ્યું- આ શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે.
યુએસ કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલા બે નવા ર્નિણયો ભારત માટે બેવડી મુશ્કેલી ઊભી કરી શકે છે. સેનેટમાં રજૂ કરાયેલા એક નવા બિલમાં H-1B વિઝા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે, જ્યાલરે રશિયા પ્રતિબંધ બિલ પસાર થવાથી ભારતીય નિકાસ પર ૧૦૦% ટેરિફ લાદવાની ધમકી આપવામાં આવી છે. આ બે કડક પગલાં, જે આઇટી ક્ષેત્ર, ભારતીય વિદ્યાર્થીઓ અને દેશની ઉર્જા સુરક્ષાને અસર કરે છે, તે ભારત-અમેરિકા સંબંધોને ખૂબ જ સંવેદનશીલ તબક્કે લાવી શકે છે. જાે આ બે દરખાસ્તો સંપૂર્ણ કાયદામાં ફેરવાઈ જાય, તો તે ભારતીય આઇટી વ્યાવસાયિકો અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ભારતની સમગ્ર અર્થવ્યવસ્થા અને ઊર્જા સુરક્ષાને અસર કરી શકે છે. બંને બિલ ભારત-અમેરિકા વ્યૂ હાત્મરક અને વેપાર સંબંધોમાં તણાવ પણ વધારી શકે છે.
અત્યારે સ્થિતિ શું છે? હાલમાં, H-1B વિઝા બિલ ફક્તત સેનેટમાં રજૂ કરવામાં આવ્યું છે, જ્યાવરે રશિયા પ્રતિબંધ બિલ સેનેટમાં પસાર થયું છે અને કાયદાકીય પ્રક્રિયામાં છે. બંને દરખાસ્તોૂને અંતિમ કાયદો બનવા માટે પ્રતિનિધિ ગૃહ દ્વારા મંજૂરી અને યુએસ રાષ્ટ્રપતિની સહીની જરૂર પડશે. તેથી, H-1B વિઝા પ્રક્રિયા અને ભારતનો તેલ વેપાર હાલમાં જૂના નિયમો હેઠળ ચાલુ છે. યુએસ સેનેટે રશિયા પર નવા અને કડક પ્રતિબંધો લાદતો બિલ પસાર કર્યો છે. આ બિલ હેઠળ, ભારત સહિત પાંચ દેશો (ભારત, ચીન, સ્લોાવાકિયા, હંગેરી અને અઝરબૈજાન) ૧૦૦% ટેરિફનો સામનો કરી શકે છે. સ્વતર્ગસ્થલ સેનેટર લિન્ડતસે ગ્રેહામ દ્વારા લખાયેલ આ બિલ મંગળવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી કેપિટોલ હિલ પર હતા ત્યારે પસાર થયું હતું.
કર્ણાટક સરકારે રાજ્યની તમામ કૉલેજાેમાં એચઆઇવી તપાસ અને કાઉન્સેલિંગને લઈને મોટું પગલું ભર્યું છે. રાજ્ય એઇડ્સ નિવારણ સોસાયટીના વિશેષ નિર્દેશ બાદ સરકારે ર્નિણય લીધો છે કે હવે સરકારી, સહાયતા પ્રાપ્ત અને ખાનગી કૉલેજાેમાં નિયમિતપણે એચઆઇવી ટેસ્ટિંગ અને જાગરૂકતા શિબિરો આયોજિત કરવામાં આવશે. આ કેમ્પોનો ઉદ્દેશ્ય યુવાનોમાં સંક્રમણની સમયસર ઓળખ કરવી અને તેમને આવશ્યક પરામર્શ ઉપલબ્ધ કરાવવાનો છે.
એચઆઇવીથી પ્રભાવિત લોકોની સંખ્યાના મામલે કર્ણાટક દેશમાં ત્રીજા સ્થાને છે. રાજ્યમાં હાલમાં આશરે ૨.૬૦ લાખ લોકો એચઆઇવી સાથે જીવન જીવી રહ્યા છે. આમાંથી લગભગ ૨.૦૫ લાખ દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે, જ્યારે આશરે ૫૪ હજાર લોકોને અત્યાર સુધી એ પણ ખબર નથી કે તેઓ સંક્રમિત છે. આરોગ્ય વિભાગ માટે આ જ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે.
એચઆઇવી સંક્રમણ સૌથી ઝડપથી ૧૮ થી ૩૫ વર્ષની વય જૂથમાં ફેલાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં આ વય જૂથમાં એચઆઇવી સંક્રમિત લોકોની સંખ્યા આશરે ૪૪,૫૦૦ હતી, જે ૨૦૨૫-૨૬ માં વધીને લગભગ ૬૬,૬૦૦ થઈ ગઈ છે.
થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓનું અપહરણ કરીને તેમના પરિવારો પાસેથી ૧.૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે આ મામલે પાંચ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે.
પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેમને એક પાકિસ્તાની નાગરિકે આ અપહરણને અંજામ આપવાના નિર્દેશ આપ્યા હતા. પીડિતોની ઓળખ મોહિત (૨૩), આશિષ (૨૪) અને હિમાંશુ (૨૦) તરીકે થઈ છે. આરોપીઓએ તેમને સસ્તા ૭ દિવસના ટૂર પેકેજની લાલચ આપીને થાઈલેન્ડના પતાયા શહેરમાં બોલાવ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી તેમને એક ઘરમાં બંધક બનાવી લેવામાં આવ્યા અને તેમના પરિવારો પાસેથી ત્રણેયના બદલામાં ૪૦-૪૦ લાખ રૂપિયા, એટલે કે કુલ ૧.૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી.પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અવતાર સિંહ (૩૮), જગજીત સિંહ (૩૮), રંભાલક કુમાર (૨૪), સુખબીર સિંહ (૩૭) અને કુલરા સિંહ (૨૭) તરીકે થઈ છે.
Loading ...
