બૅંકના ધક્કા વગર, કોઈ ગીરવી કે આર્થિક સ્થિતિની આકરી ચકાસણી વિના મળતી લોને દેશના Gen-Z યુવાનોમાં ‘'EMI કરો અને એશ કરો‘ ની એક જાેખમી સંસ્કૃતિ ઊભી કરી છે. હાથમાં Appleનો નવોPhone કે મોંઘો પ્રીમિયમ સ્માર્ટફોન રાખવાની આંધળી ઘેલછા ભારતના યુવાધનને બરબાદી તરફ ધકેલી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે માત્ર એક સ્ટેટસ સિમ્બોલ સમાન ફોન મેળવવાની ઘેલછામાં યુવાનો ચોરી, હત્યા અને આત્મહત્યા જેવા ખૌફનાક પગલાં ભરવા મજબૂર બન્યા છે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫થી ઑગસ્ટ ૨૦૨૫ વચ્ચે દર ૪માંથી iPhone ખરીદનારે NBFCલોન અથવા ક્રેડિટ કાર્ડ EMIનો વિકલ્પ પસંદ કર્યો છે. Cyber Media Researchના Q2 ૨૦૨૬ રિપોર્ટ મુજબ, દેશમાં સસ્તા સ્માર્ટફોનનું વેચાણ ૮૮ ટકા ઘટ્યું છે, જ્યારે ૫૦ હજારથી ૧ લાખ રૂપિયાના સુપર-પ્રીમિયમ ફોનનું વેચાણ ૭૨ ટકા વધ્યું છે. આ ઉછાળા પાછળ ‘'Zero Cost EMI'નો મુખ્ય હાથ છે. Counterpoint Researchના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં દેશમાં વેચાતા કુલ સ્માર્ટફોનમાંથી ૪૨ ટકા ફોન ફાઇનાન્સ પર વેચાશે. જેમાં ૬૭ ટકા લોન એવી NBFCઆપી રહી છે જે પ્રથમ વખત ક્રેડિટ લેનારા યુવાનોને નાણાં પૂરા પાડે છે. દર મહિને ૧૫થી ૨૦ હજાર કમાતો યુવક ૩ હજારના હપ્તે ૮૦ હજાર રૂપિયાનો ફોન લઈ આવે છે, ત્યારે અચાનક ખર્ચ આવતાં EMI બાઉન્સ થવા લાગે છે.
માનવ ઇતિહાસમાં જે સ્પીડને અશક્ય માનવામાં આવતી હતી, તે સીમાચિહ્નને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સે પાર કરી લીધું છે. સ્માર્ટફોન નિર્માતા કંપની ૐર્ર્હિ દ્વારા વિકસાવવામાં આવેલા હ્યુમનોઇડ રોબોટ ‘લાઇટનિંગ’એ ૧૦૦ મીટરની દોડ માત્ર ૯.૩૨ સેકન્ડમાં પૂરી કરીને માનવ વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. શનિવારથી શરૂ થઈ રહેલી બીજી વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ માટેના ઈવેન્ટ દરમિયાન આ રોબોટે દોડ લગાવી હતી. આ ટ્રાયલ દરમિયાન લાઇટનિંગ રોબોટે ૧૪.૫ મીટર પ્રતિ સેકન્ડની પીક સ્પીડ હાંસલ કરી હતી. આ અસાધારણ પ્રદર્શને જમૈકાના મહાન દોડવીર ઉસેન બોલ્ટ દ્વારા ૧૭ વર્ષ પહેલાં બર્લિન ખાતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્થાપિત ૯.૫૮ સેકન્ડના ૧૦૦ મીટર મેન્સ વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ પહેલી વાર નથી જ્યારે આ રોબોટે પોતાની સ્પીડથી સૌને આશ્ચર્યમાં મૂક્યા હોય. અગાઉ એપ્રિલ મહિનામાં યોજાયેલી ૨૧ કિમીની બેઇજિંગ હાફ મેરેથોનમાં પણ લાઇટનિંગ વિજેતા બન્યો હતો. તેણે આ અંતર માત્ર ૫૦ મિનિટ અને ૨૬ સેકન્ડમાં પૂરું કર્યું હતું, જે એલિટ પુરુષ માનવ વર્લ્ડ રેકોર્ડની ગતિ કરતાં પણ વધુ ઝડપી હતું. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ અનુસાર, જ્યારે રોબોટે હાફ મેરેથોન દોડી હતી ત્યારે તેની કુલ ઊંચાઈ ૧૬૯cm અને તેના પગની લંબાઈ ૯૫cm હતી. આગામી રોબોટ ગેમ્સ માટે સંશોધકોએ તેના પગની લંબાઈમાં વધુ ૧૦cm નો વધારો કર્યો છે.
ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પરથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સિક્કો મરાવવાની જરૂર રહેશે નહીં. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇમિગ્રેશને ર્નિણય લીધો છે કે આગામી પહેલી સપ્ટેમ્બર ૨૦૨૬થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર બોર્ડિંગ પાસની ફિઝિકલ સ્ટેમ્પિંગ પ્રક્રિયા કાયમ માટે બંધ કરવામાં આવશે. હવે મુસાફરો પોતાના સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે. ઇમિગ્રેશન બ્યુરોને મુસાફરો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે સ્ટેમ્પિંગ પ્રક્રિયાના કારણે સિસ્ટમમાં વિલંબ થાય છે. દરેક બોર્ડિંગ પાસ પર મહોર લગાવવાને કારણે કાઉન્ટર પર મુસાફરોનો લાંબો સમય વેડફાતો હતો.
ઘણી વખત સિક્કો બરાબર ન લાગવો અથવા ખોટી જગ્યાએ લાગવાને કારણે આગળ જતાં બોર્ડિંગ ગેટ પર સુરક્ષા તપાસ દરમિયાન તેને વાંચવામાં ભારે મુશ્કેલી ઊભી થતી હતી.
નવી દિલ્હીમાં ૧૧મા બ્રિકસ+ કાનૂની મંચને સંબોધતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે એક મહત્વપૂર્ણ વિચાર રજૂ કર્યો. તેમણે કહ્યું કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ફક્ત ભૌગોલિક નસીબ અથવા કુદરતી સંસાધનો પર આધાર રાખી શકતો નથી. મજબૂત અને ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે, આપણને “ન્યાયશાસ્ત્ર” અથવા ન્યાયના અર્થશાસ્ત્રની જરૂર છે. સીજેઆઇ સૂર્ય કાંતે કહ્યું કે કાનૂની સંસ્થાઓ વિકાસની આસપાસ બનેલ માળખું નથી, પરંતુ વિકાસનો જ પાયો અને સ્થાપત્ય છે. જાે આ પાયો દૂર કરવામાં આવે તો, ઉભરતી અર્થવ્યવસ્થાને માત્ર સારા નસીબના ઢગલા તરીકે જાેવામાં આવશે, જે કોઈપણ મોટા સંકટમાં તૂટી શકે છે. મુખ્ય ન્યાયાધીશે સમજાવ્યું કે જ્યારે અદાલતો ન્યાયી અને સુસંગત ચુકાદા આપે છે, ત્યારે લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ વધે છે. આ દરેક વ્યવસાયિક વ્યવહારની કિંમત ઘટાડે છે. તે બજારમાં બધા માટે સમાન તકો બનાવે છે, જે સીધા વેપાર અને અર્થતંત્રને વેગ આપે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સહિત કોઈપણ બ્રિકસ+ દેશે ફક્ત તેના સંસાધનોના બળ પર પ્રગતિ કરી નથી. આ દેશોનો વિકાસ તેમના વચનો અને કરારોને કાયદેસર રીતે કેટલી મજબૂતીથી લાગુ કરવામાં આવે છે તેના પર ર્નિભર છે.
તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે જ સામાન્ય માણસ માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. પહેલાં ખાંડના ભાવે ચિંતા વધારી હતી અને હવે રસોડાની શાન ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર એક જ અઠવાડિયાના ગાળામાં ડુંગળીના ભાવમાં ૪૦% જેટલો મજબૂત ઉછાળો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તાજેતરના દિવસોમાં દેશના લગભગ તમામ વિસ્તારોમાં ડુંગળીના ભાવ તીવ્ર ગતિએ વધ્યા છે. હાલમાં દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.૪૦.૭૨ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જાેકે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકાતા જેવા દેશના મોટા મહાનગરોમાં ગ્રાહકોને ૧ કિલો ડુંગળી માટે રૂ.૫૦ થી રૂ.૬૦ સુધીનો ભાવ ચૂકવવો પડી રહ્યો છે. અહેવાલ મુજબ, ભુવનેશ્વરમાં તો સ્થિતિ વધુ વણસી છે. ત્યાં પહેલાં જે ડુંગળી રૂ.૨૫ થી રૂ.૩૦ પ્રતિ કિલો મળતી હતી, તેના ભાવ વધીને અત્યારે રૂ.૫૫ થી રૂ.૬૦ પ્રતિ કિલો થઈ ગયા છે. સ્થાનિક છૂટક વેપારીઓનું માનવું છે કે માત્ર બે જ દિવસની અંદર ભાવ લગભગ બમણા થઈ ગયા છે. એશિયાની સૌથી મોટી ડુંગળી મંડી ગણાતા મહારાષ્ટ્રના લાસલગાંવમાં જથ્થાબંધ ભાવમાં એક અઠવાડિયામાં જ ૩૦% થી ૪૨% નો વધારો જાેવા મળ્યો છે. એક મહિનાની સરખામણી: શુક્રવાર, ૨૧ ઓગસ્ટના રોજ દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.૪૦.૭૯ પ્રતિ કિલો રહ્યો હતો, જે બરાબર એક મહિના પહેલાં એટલે કે ૨૧ જુલાઈના રોજ રૂ.૩૪.૮૭ પ્રતિ કિલો હતો. આમ, છેલ્લા એક મહિનામાં ભાવમાં આશરે ૧૭% નો વધારો થયો છે. વાર્ષિક સરખામણી: જાે ગયા વર્ષ સાથે તુલના કરીએ તો આ વધારો વધુ ચોંકાવનારો છે.
Loading ...
