કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. નાગપુરના કટોલમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે હવે તેઓ વધારે કામ કરી શકતા નથી અને નવી પેઢીને કામ કરવાની તક આપવી જાેઈએ. તેમના આ નિવેદન બાદ સવાલ ઊઠવા લાગ્યો કે શું ગડકરી સક્રિય રાજકારણથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે? જાેકે ગડકરીએ પોતાના નિવેદનમાં રાજકારણમાંથી નિવૃત્તિ કે મંત્રી પદ છોડવાની કોઈ સીધી જાહેરાત કરી નથી. તેમના નિવેદનનો સંદર્ભ સ્વાસ્થ્ય, ઉંમર અને નવી પેઢીને આગળ વધારવા સાથે જાેડાયેલો જાેવા મળે છે. નાગપુરના કટોલમાં ‘એકલવ્ય એકલ વિદ્યાલય શિક્ષક-પર્યવેક્ષક તાલીમ વર્ગ’ કાર્યક્રમમાં સંબોધન કરતાં ગડકરીએ પોતાના લગભગ ૩૦ વર્ષના જાહેર જીવનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમણે જાહેર જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જાેયા છે અને ઘણા પુરસ્કારો પણ મેળવ્યા છે. ત્યારબાદ તેમણે કહ્યું કે હવે તેમણે વધારે કામ ન કરવું જાેઈએ અને નવી પેઢીને આગળ આવવાની તક આપવી જાેઈએ. તેમના આ નિવેદનને લઈને હવે રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ગડકરીના નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેને તેમના ભવિષ્ય સાથે જાેડીને જાેવામાં આવી રહ્યું છે. જાેકે, તેમણે એવો કોઈ ખુલાસો કર્યો નથી કે તેઓ રાજકારણ છોડવા જઈ રહ્યા છે અથવા મંત્રી પદ પરથી હટવાના છે. તેમની વાતોમાં સ્વાસ્થ્યને લઈને પણ મહત્વનો મુદ્દો હતો. ગડકરીએ જણાવ્યું કે કોરોના મહામારી બાદ તેમણે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કર્યો અને હવે નિયમિત રીતે યોગ કરે છે.
કામની સાથે સાથે પ્રવાસ કરવાનો ક્રેઝ વધતાં વૈશ્વિક સ્તરે બહાર પડેલા ‘વર્ક ફ્રોમ એનીવ્હેર ઇન્ડેક્સ ૨૦૨૬’માં ભારતની આર્થિક રાજધાની મુંબઈએ ભવ્ય ડેબ્યૂ કર્યું છે. IWG દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના શ્રેષ્ઠ વર્કકેશન સ્થળોના ચોથા વાર્ષિક રેન્કિંગમાં સ્થાન મેળવનાર મુંબઈ સમગ્ર ભારતનું એકમાત્ર શહેર બન્યું છે. આ વૈશ્વિક સર્વેક્ષણમાં શહેરોના હવામાન, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, રહેઠાણ, ટ્રાન્સપોર્ટ, સ્થાનિક સંસ્કૃતિ, ફૂડ અને ‘ફ્લેક્સિબલ વર્કસ્પેસ’ની ઉપલબ્ધતા જેવા મહત્વના પરિબળોને આધારે સ્કોર આપવામાં આવે છે. મુંબઈએ ૭૭ પોઈન્ટ્સનો સ્કોર મેળવીને લંડન અને મિયામી જેવા વિશ્વવિખ્યાત શહેરોને પણ પાછળ છોડી દીધા છે.
રિપોર્ટ અનુસાર, મુંબઈએ ઉત્કૃષ્ટ સાર્વજનિક પરિવહન, પરવડે તેવા રહેઠાણ અને ઝડપથી વિસ્તરી રહેલી કો-વર્કિંગ ઓપન સ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રે જબરદસ્ત દેખાવ કર્યો છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત સૌથી મોટા ફ્લેક્સિબલ ઓફિસ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. જાેકે, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ અને ગ્લોબલ હેપ્પીનેસ ઈન્ડેક્સ જેવા ક્ષેત્રોમાં મુંબઈનો સ્કોર સરખામણીએ થોડો નીચો રહ્યો હતો.
વૈશ્વિક રેન્કિંગની વાત કરીએ તો ૧૦૬.૫ ના વિશાળ સ્કોર સાથે થાઈલેન્ડનું બેંગકોક પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ૯૬.૫ સ્કોર સાથે ટોક્યો બીજા અને ૯૫.૫ સ્કોર સાથે બાર્સેલોના ત્રીજા સ્થાને રહ્યું છે.
IWGસંશોધન મુજબ, વિશ્વભરમાં ૫૧% નોકરીદાતાઓ હવે ‘વર્ક ફ્રોમ એનીવ્હેર’ ની નીતિ અપનાવી રહ્યા છે. સર્વેમાં ભાગ લેનારા ૯૦% થી વધુ કર્મચારીઓએ સ્વીકાર્યું હતું કે, રજાઓ દરમિયાન દૂરથી કામ કરવાથી તેમનું વર્ક-લાઈફ બેલેન્સ સચવાય છે અને બર્નઆઉટ (માનસિક થાક) થી રાહત મળે છે. વર્ક અને લેઝર (મનોરંજન) ના આ અદ્ભુત મિશ્રણને કારણે ભવિષ્યમાં મુંબઈ ડિજિટલ નોમાડ્સ અને નોકરીયાતો માટે વધુ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે.
મહારાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે કથળતી જતી પરિસ્થિતિ અને સતત બંધ થઈ રહેલી મરાઠી માધ્યમની પ્રાથમિક શાળાઓ અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ અત્યંત ગંભીર અને આંખ ઉઘાડનારી ચિંતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં આયોજિત એક હાઇસ્કૂલના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે સરકારના આયોજનો અને બજેટ ફાળવણીની પ્રાથમિકતાઓ પર સોય ઝાટકીને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે જાે સરકારે ધાર્મિક ઉત્સવો કે મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચાતા જંગી ભંડોળમાંથી નાનો અમથો હિસ્સો પણ શિક્ષણ પાછળ વાપર્યો હોત, તો સેંકડો ગરીબ બાળકોનું ભવિષ્ય રોળાવું બચી ગયું હોત. સરકારના અબજાે રૂપિયાના ખર્ચનો ચીઠ્ઠો ખોલતા જસ્ટિસ વરાલેએ જણાવ્યું હતું કે, એક તરફ નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળા માટે ૩૨,૦૦૦ થી ૩૪,૦૦૦ કરોડ અને વિવિધ કોરિડોર પ્રોજેક્ટ્સ માટે ૧૧,૦૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવે છે. જાે આ જંગી બજેટના માત્ર ૦.૦૧% હિસ્સો પણ (આશરે ૩૨ કરોડ) શિક્ષણ ક્ષેત્રને આપ્યો હોત, તો મહારાષ્ટ્રમાં ભંડોળના અભાવે તાળાં લાગી ગયેલી ૧૦૦ થી ૧૨૫ શાળાઓને નવજીવન આપી શકાયું હોત.
ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજાે પાસેથી ટોલ એટલે કે ફી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, જે દેશોના જહાજાેને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી હશે, તેમની પાસેથી દરિયાઈ સેવાઓના બદલામાં શુલ્ક લેવામાં આવશે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કાશકવી અનુસાર, ફીના બદલામાં દરિયાઈ સેવાઓ, સુરક્ષા અને વીમા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, પર્યાવરણ સંબંધિત સેવાઓ અને ખાસ પરિસ્થિતિઓમાં ઇંધણ પણ આપવામાં આવશે. ચુકવણી ઈરાની રિયાલ અથવા ઈરાનની પસંદગીની અન્ય કોઈ કરન્સીમાં કરી શકાશે.
અમેરિકી નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર હવે ઈરાન સામે આર્થિક યુદ્ધના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બેસેન્ટના મતે, અમેરિકાનો હેતુ ઈરાનની કમાણીના મોટા માર્ગો બંધ કરવાનો છે. બેસેન્ટે કહ્યું કે અમેરિકા ઈરાન પર દબાણ વધારવા માટે તેની તમામ સરકારી એજન્સીઓ અને અધિકારોનો ઉપયોગ કરશે. તેમણે આ અભિયાનને ‘ઇકોનોમિક ડી-ડે’ ગણાવ્યું. આ પહેલા ટ્રમ્પે તેને કોઈ વિરોધી દેશ સામેની સૌથી મોટી આર્થિક કાર્યવાહી ગણાવી હતી અને અન્ય દેશોને ઈરાનને અલગ પાડવામાં સાથ આપવા અપીલ કરી હતી.
ઈરાને અમેરિકાની આર્થિક કાર્યવાહીમાં સાથ આપનારા ખાડી દેશોને ચેતવણી આપી છે. ઈરાનના નવા રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ મોહસેન રેઝાઈએ કહ્યું કે જે દેશ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં અમેરિકાનો સાથ આપશે, તેને દુશ્મન ગણવામાં આવશે.
ઈરાની રિયાલનું ઐતિહાસિક પતન : ઇં૧ના ૨૦ લાખ રિયાલ!
અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા અત્યંત કડક નવા આર્થિક પ્રતિબંધો વચ્ચે ઈરાની ચલણ રિયાલની કિંમતમાં ઐતિહાસિક તારાજી સર્જાઈ છે. ઓપન માર્કેટમાં વેપાર શરૂ થતાં જ એક યુએસ ડોલર સામે ઈરાની રિયાલનો ભાવ તૂટીને ૨.૦૨ મિલિયન (લગભગ ૨૦ લાખ ૨૦ હજાર) રિયાલની રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકી ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન સામે નવા ઇકોનોમિક ડી-ડે પ્રતિબંધો લાવવાની ઘોષણા કરી છે, જેના કારણે યુદ્ધ, બે આંકડાના ફુગાવા અને આર્થિક મંદીનો સામનો કરી રહેલા ઈરાની નાગરિકોની દૈનિક જરૂરિયાતોની ખરીદી પણ પહોંચ બહાર થઈ ગઈ છે.
છેલ્લા કેટલાક સમયથી ખાંડના વધતા જતા ભાવથી પરેશાન દેશના સામાન્ય ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાંડ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ‘ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન’ ISMA) એ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની કે ઊંચા ભાવે ખરીદી કરવાની કોઈ જરૂર નથી. ISMAના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ બજારમાં ખાંડના છૂટક ભાવમાં ઘટાડો જાેવા મળી શકે છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ISMAના પ્રમુખ નીરજ શિરગાંવકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ખાંડના ભાવમાં થયેલો વધારો મિલો દ્વારા કૃત્રિમ અછત ઉભી કરવાને કારણે નથી થયો, પરંતુ ખરાબ હવામાનને લીધે ઉત્પાદનમાં થયેલો ઘટાડો અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલી સટ્ટાકીય ખરીદી તેનું મુખ્ય કારણ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ૧૦ લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-મુક્ત આયાતને મંજૂરી આપી છે, જેના કારણે હવે બજારમાં કિંમતોનું દબાણ ઓછું થઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં દેશમાં આશરે ૩.૫ મિલિયન (૩૫ લાખ) ટન ખાંડનો બંધ સ્ટોક રહેવાનો અંદાજ છે, જે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો છે. ૧૫ ઓક્ટોબરથી શરૂ થશે પિલાણની નવી સીઝન
ISMAના અંદાજ મુજબ, ૧૫ ઓક્ટોબરની આસપાસ દેશની ખાંડ મિલોમાં પિલાણની નવી સીઝન શરૂ થઈ જશે. ઓક્ટોબર મહિના દરમિયાન મિલો દ્વારા ૧૦ થી ૧૨ લાખ ટન નવી ખાંડનું ઉત્પાદન થવાની શક્યતા છે. જાેકે ઓક્ટોબરમાં તહેવારોને કારણે માંગ ૨૪ થી ૨૫ લાખ ટન રહેવાનો અંદાજ છે, પરંતુ વર્તમાન સ્ટોક અને આયાતી ખાંડના કારણે પુરવઠો સરળતાથી જળવાઈ રહેશે.
Loading ...
