દુનિયાનો સૌથી ઊંચો અને ભારતનો સૌથી પડકારજનક રેલ્વે ટ્રેક, ચેનાબ બ્રિજ પર વંદેભારત પહેલી વખત ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડી છે, આ વીડિયો જાેયા બાદ દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગઈ. ઉત્તર રેલવેએ તેના સોશિયલ મીડિયા પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું. આ રેલવે ટ્રેક ૧૮૦-ડિગ્રી ચઢાણ સાથે પડકારોથી ભરેલો છે.
‘વંદે માતરમ’ વિવાદ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આજે શાહે એવી ટિપ્પણી કરી કે, કોંગ્રેસે ગઈકાલે રાષ્ટ્રવિરોધી ર્નિણય લીધો હતો. ‘વંદે માતરમ’ ના ફક્ત બે છંદ ગાવાનું પગલું રાષ્ટ્રવિરોધી છે. શાહે કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે ૧૯૩૭ માં દેશના ભાગલાનો પાયો નાખ્યો હતો, જેના કારણે ‘દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત’ મજબૂત બન્યો, જેના કારણે દેશનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું. શાહે ભારપૂર્વક જણાવ્યું કે, મોદી સરકારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી તે ઐતિહાસિક ભૂલને સુધારી છે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે ભૂતકાળની ભૂલ સુધારીને અને આખું ગીત ગવાય તેની ખાતરી કરીને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવી છે. અમે તમામ સરકારી કાર્યક્રમોમાં આખું ગીત ગાવાના ર્નિણયને કાનૂની સમર્થન પણ આપ્યું છે. કોંગ્રેસે આની અવગણના કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય સ્પષ્ટપણે તેમની તુષ્ટિકરણની નીતિને પ્રતિબિંબિત કરે છે. વોટ-બેંકની રાજનીતિ ખાતર, તેઓએ ‘બંકિમ બાબુ’ની અમર રચના તેમજ સ્વતંત્રતાનો નારા લગાવતી વખતે ફાંસી પર ચઢેલા તેમજ વર્ષો જેલમાં વિતાવેલા લાખો શહીદોનું ઘોર અપમાન કર્યું છે.
દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપને લઇને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કહ્યું કે, સંમતિથી સાથે રહેતા પુખ્ત વયના લોકોના સંબંધમાં માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો હસ્તક્ષેપ કરી શકે નહીં. પરિવારની ધમકીઓથી પરેશાન કપલને પોલીસ સુરક્ષા આપતા કોર્ટે તેને લગ્ન સમાન ગણાવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહેલા પુખ્ત વયના લોકોનો સંબંધ લગ્ન સમાન છે. માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો તેમની પસંદગીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, અને ન તો તેમના જીવન કે સ્વતંત્રતાને જાેખમ પહોંચાડી શકે છે. અદાલતે પરિવાર તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા એક લિવ-ઇન કપલને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડી છે. ન્યાયમૂર્તિ સૌરભ બેનરજીએ ૧૩ ઓગસ્ટે દંપતિની અરજી પર આ આદેશ પસાર કર્યો. અરજદાર દંપતિની ઉંમર ૩૦ વર્ષથી વધુ છે. તેમણે અદાલતને જણાવ્યું કે, તેઓ કેટલાક સમયથી સાથે રહી રહ્યા છે અને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ ઈરાદો ધરાવે છે. અદાલતને જણાવવામાં આવ્યું કે, છોકરીના પિતા અને ભાઈ આ સંબંધથી ખુશ નહોતા, અને તેઓ સતત બંનેને હિંસાની ધમકી આપી રહ્યા હતા.
ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે દેશમાં ખાંડની માંગમાં મોટો ઉછાળો આવે છે. તહેવારોની સિઝનમાં વધતી માંગ અને મોંઘવારીને પહોંચી વળવા માટે સરકારે ખાંડના સ્ટોક સંબંધિત નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે એક મહિનામાં ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કે વેપાર કરતા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં. આ નવો નિયમ ૧ સપ્ટેમ્બરથી લાગુ થશે અને ૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારના આ ર્નિણયનો મુખ્ય હેતુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે. તહેવારોના દિવસોમાં ઘરો ઉપરાંત બિસ્કિટ, મીઠાઈ અને અન્ય ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ મોટા પાયે ખાંડની ખરીદી કરે છે. વેપારીઓ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક ભેગો ન કરે અને જમાખોરીના કારણે ભાવ ન વધે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા ૩૦ દિવસ કરી હતી, પરંતુ તેમ છતાં ભાવમાં વધારો ચાલુ રહેતાં હવે આ સમયગાળો ઘટાડીને માત્ર ૧૫ દિવસ કરી દેવાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક મહિનામાં ખાંડની કિંમતોમાં આશરે ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ઉદ્યોગ સંગઠનના આંકડા મુજબ, મંગળવારે દેશમાં ખાંડની સરેરાશ એક્સ-મિલ કિંમત ?૫૪૦૦ થી ?૫૫૦૦ પ્રતિ ક્વિન્ટલ રહી હતી, જે એક વર્ષ પહેલાં ?૩૯૦૦ પ્રતિ ક્વિન્ટલ હતી. બીજી તરફ રિટેલ બજારમાં પણ ૧૮ ઓગસ્ટે ખાંડની સરેરાશ કિંમત ?૫૨.૩૦ પ્રતિ કિલો પહોંચી ગઈ છે,
જે ગત વર્ષે આ સમયે ?૪૬.૩૪ પ્રતિ કિલો હતી. આમ, વાર્ષિક ધોરણે રિટેલ ભાવમાં ૧૩ ટકાનો વધારો થયો છે. ખાંડની નવી સિઝન ૧ ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ આ વખતે શરૂઆતી સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, નવી સિઝનની શરૂઆતમાં ૪૦થી ૪૨ લાખ ટન ખાંડ ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે દેશની સ્થાનિક જરૂરિયાત આશરે ૫૦ લાખ ટન છે.
૧૦ વર્ષ પછી ભારત ૧૦ લાખ ટન વિદેશી ખાંડ આયાત કરશે
આશરે ૧૦ વર્ષ પછી ભારતને ફરીથી ખાંડની આયાત કરવી પડી શકે છે. સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં સતત વધારા વચ્ચે, સરકાર આયાત ડ્યુટી વિના આશરે ૧૦ લાખ ટન કાચી ખાંડની આયાત કરવાની તૈયારી કરી રહી છે. તેનો હેતુ દેશમાં ખાંડનો પુરવઠો વધારવાનો અને અમુક અંશે વધતા ભાવોને કાબુમાં લેવાનો છે. મહારાષ્ટ્રમાં ખાંડનો એક્સ-મિલ ભાવ, એટલે કે મિલ છોડતી વખતેનો ભાવ, પ્રતિ ક્વિન્ટલ ૫,૪૦૦-૫,૫૬૦ જેટલો વધી ગયો છે. માર્ચ ૨૦૨૬ થી ખાંડના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ખાંડના ભાવમાં આ વધારો તહેવારોની મોસમ પહેલા થયો છે, જે દરમિયાન દેશમાં ખાંડનો વપરાશ નોંધપાત્ર રીતે વધે છે. નિષ્ણાતોના મતે, ખાંડના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ મિલોમાં સ્ટોકનો અભાવ છે. ઓક્ટોબર ૨૦૨૫ માં શરૂ થયેલી ૨૦૨૫-૨૬ સીઝનમાં, દેશમાં ખાંડનો વપરાશ ઉત્પાદન કરતાં વધી ગયો.
ઝારખંડમાં JPSCની ૧૧મીથી ૧૩મી પરીક્ષા અને ફૂડ સેફ્ટી ઓફિસર પરીક્ષાને લઈ ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકાર તરફથી જાહેર આદેશ પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવી દીધી છે. કોર્ટના આ ચુકાદાથી પરીક્ષા સાથે જાેડાયેલા અભ્યાર્થીઓને મોટી રાહત મળશે. મામલાની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારના એ આદેશ પર સ્ટે લગાવી દીધો, જે અંતર્ગત બંને પરીક્ષાઓને લઈ કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને ૧૫ દિવસની અંદર જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજ્ય સરકારને ૧૫ દિવસની અંદર કાઉન્ટર એફિડેવિટ સાથે જવાબ દાખલ કરવાના નિર્દેશ આપી દીધા છે. આ ર્નિણય બાદ બંને પરીક્ષા મામલાના અરજીકર્તાઓને તાત્કાલિક પ્રભાવથી કામ પર પરત ફરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગરબડને લઈ ૨૬ દિવસથી ચાલી રહેલા આંદોલન બુધવાર સ્થગિત થઈ ગયું હતું. સરકારે પ્રદર્શનકારીઓ સાથે કેટલીય વખત વાત કર્યા બાદ ૨૦૧૪થી અત્યાર સુધી ઝારખંડ લોક સેવા આયોગ, ઝારખંડ કર્મચારી ચયન આયોગ અને એક આઉટસોર્સ એજન્સી દ્વારા આયોજિત ૨૨ ભરતી પરીક્ષાઓને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ ઉપરાંત ૨૩ અન્ય પરીક્ષાઓની વચ્ચે તપાસ કરવાના આદેશ આપ્યા છે. પણ સરકારના આ ર્નિણયથી એક નવો વિવાદ ઊભો થઈ ગયો હતો. લગભગ ૨૦૦૦ સફળ અભ્યર્થી, ખાસ કરીને JSSC સંયુક્ત સ્નાતક સ્તરીય પરીક્ષા દ્વારા સરકારી નોકરી મેળવનારા ઉમેદવાર, પરીક્ષા રદ કરવાનો વિરોધ કરી રહ્યા છે. આ અભ્યર્થીઓનું કહેવું છે કે તેમણે પરીક્ષા મહેનત અને યોગ્યતાના આધાર પર પાસ કરી છે. જાે પરીક્ષામાં કોઈ પણ સ્તરની ગરબડ થઈ છે તો દોષિત અભ્યર્થીઓ અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જાેઈએ, પણ તમામ સફળ ઉમેદવારોને તેનું પરિણામ કેમ ભોગવવાનું? કેટલાય સફળ અભ્યર્થીઓએ રાજ્ય સરકારના ર્નિણય વિરુદ્ધ પડકાર આપતા ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું છે કે પરીક્ષા પાસ કર્યા બાદ તેમની નિયુક્તિ પણ થઈ અને કેટલાય અભ્યર્થી અલગ અલગ સરકારી વિભાગમાં કામ પણ કરી રહ્યા છે.
Loading ...
