બૅંકોનું અબજાે રૂપિયાનું દેવું કરીને બેઠેલા અબજાેપતિઓ માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ ((NCLT) જાણે સુપર સેલ કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. દેશના મીડિયા મોગલ તરીકે જાણીતા બિઝનેસમેન સુભાષ ચંદ્રાને રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના દેવા સામે માત્ર રૂ. ૬.૫ કરોડ ચૂકવવાની (NCLTન્એ મંજૂરી આપી દીધી છે. એટલે હવે બૅંકો અને લેણદારોને પૂરેપૂરા ૯૯.૯૭%નો હેર કટ સહન કરવો પડશે. આ ર્નિણય બાદ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બીજી તરફ, એક સમયે કંઈક આવી જ મુશ્કેલીમાં ફસાયેલા વિજય માલ્યાએ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા છે. જાે સામાન્ય માણસ હોમ લોનનો એક હપ્તો ચૂકી જાય, તો બૅંકના માણસો કાર કે ઘર જપ્ત કરવા પહોંચી જાય છે, ત્યાં રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુનું દેવું ધરાવતા અબજાેપતિ માત્ર રૂ. ૬.૫ કરોડ આપીને મુક્ત થઈ ગયા, જે ભારતની સિસ્ટમ પર મોટો સવાલ ઊભો કરે છે.
સુભાષ ચંદ્રા સામેની આ પર્સનલ ઇન્સોલ્વન્સી(અંગત નાદારી) પ્રોસીડિંગ્સ મુખ્યત્વે તેમણે આપેલી પર્સનલ ગેરંટીમાંથી ઊભી થઈ હતી. એસલ( ગ્રૂપની વિવિધ કંપનીઓ દ્વારા લેવાયેલી કરોડો રૂપિયાની લોન ડિફોલ્ટ થતાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (હવે સાધના/સન્માન કેપિટલ) અને અન્ય બૅંકોએ સુભાષ ચંદ્રા સામે કાર્યવાહી કરી હતી. લેણદારો સામે રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના દાવા દાખલ થયા હતા. આ દરમિયાન સુભાષ ચંદ્રાએ પોતાની અંગત સંપત્તિ મર્યાદિત દર્શાવીને માત્ર રૂ. ૬.૫ કરોડના ચુકવણાનો પ્લાન આપ્યો હતો. ૨૦૧૭-૧૮માં તેમની સંપત્તિ રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુ દર્શાવાઈ હોવા છતાં આ નજીવી રકમનો પ્લાન મંજૂર થતાં મોટો વિવાદ સર્જાયો છે. આ અહેવાલો બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશેXપર કટાક્ષ કરતાં લખ્યું હતું કે, ‘ફાઇનાન્સની ભાષામાં જ્યારે દેવાદાર મૂળ રકમમાંથી થોડી જ રકમ પાછી આપે તો તેને હેર કટ કહેવાય, પરંતુ રૂ. ૨૨,૦૦૬ કરોડની સામે માત્ર રૂ. ૬.૫ કરોડ આપવા, તે હેર કટ નથી. આ તો પૂરેપૂરું મુંડન કરી નાખ્યું કહેવાય! આવા ર્નિણયો ઇન્સોલ્વન્સી એન્ડ બૅંક્રપ્સી કોડ (IBC), ૨૦૧૬ની ખુલ્લેઆમ મજાક ઉડાવવા બરાબર છે.’
નેપાળમાં બુધવારના ભયાનક પૂર પછી ચીને ભોટેકોશી નદીમાં ફરી મોટા પૂરની ચેતવણી આપી છે. ચીનથી મળેલી માહિતી મુજબ, રસવાગઢી બોર્ડરથી લગભગ ૧૮ કિમી ઉપર લ્હેંદે નદીમાં પાણી રોકાવાથી તળાવ બની ગયું છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારેથી દૂર સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપી છે. લગભગ ૦.૧૧ ચોરસ કિમીમાં બનેલું આ તળાવ તૂટશે તો ભોટેકોશીમાં ફરીથી તેજ પૂર આવી શકે છે. નેપાળ પોલીસના ગુરુવાર સાંજે ૫ વાગ્યા સુધીના અહેવાલ મુજબ, પૂરમાં ૩૫૯ લોકોના મોત થયા છે. ૮ જિલ્લામાંથી મૃતદેહો મળ્યા છે, જેમાં સૌથી વધુ ચિતવનમાં ૧૩૨ છે. પૂર પછી લગભગ ૧,૫૦૦ લોકો ગુમ છે. આમાં ૨૮૮ ભારતીયો પણ સામેલ છે. જ્યારે, ૨૧ ભારતીયોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી ૧૧ની ઓળખ થઈ ચૂકી છે.ન્યૂયોર્કના મેયર જાેહરાન ક્વામે મમદાનીએ નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ભયાનક પૂરથી થયેલી જાનહાનિ પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે પૂરમાં સેંકડો લોકોના જીવ ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, નેપાળ દુર્ઘટનામાં ૨૮૮ ભારતીય નાગરિકો ગુમ થયા છે. આમાંથી ૭૩ લોકો ત્રિશુલી પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, તમિલનાડુના ૩૭ અને ૩૯ લોકોના બે જૂથો કૈલાશ માનસરોવર યાત્રા પર છે. પશ્ચિમ બંગાળના ૩૨ લોકોનું ત્રીજું જૂથ પણ કૈલાશ માનસરોવર યાત્રા પર છે. નેપાળમાં વિવિધ રાજ્યોના વધુ ૬૧ લોકો ગુમ છે. વધુમાં, કેરળના ૩૩ લોકોનું એક જૂથ નેપાળમાં ગુમ છે. આમ, કૈલાશ માનસરોવર યાત્રા પર કુલ પાંચ જૂથો ગુમ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તમિલનાડુના ૨૧ ગુમ થયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમને ટૂંક સમયમાં કાઠમંડુથી નવી દિલ્હી લાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ઘણા કૈલાશ માનસરોવર યાત્રાળુઓ પણ ચીનમાં ફસાયેલા છે, જેમની સંખ્યા લગભગ ૨૦૦ છે, અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા લાવવામાં આવશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતે આ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે નેપાળને બે વિમાન મોકલ્યા છે. આમાંથી એક, સી-૧૩૦ જે વિમાન, બુધવારે ૧૦ ટન રાહત સામગ્રી લઈને નેપાળ પહોંચ્યું, જેમાં કામચલાઉ આશ્રયસ્થાનો અને દવાઓનો સમાવેશ થાય છે. આજે, બીજું સી -૧૭ વિમાન ૩૭ ટન રાહત સામગ્રી લઈને નેપાળ જવા રવાના થયું. આમાં આઠ ટન દવાઓ અને એક ટન ખોરાકનો સમાવેશ થાય છે. આમ, બે દિવસમાં ૪૭ ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે.
ઉત્તર નેપાળ અને તિબેટ સરહદે હિમાલયની પહાડીઓમાં ગ્લોબલ વોર્મિંગના લીધે ગ્લેશિયર (હિમનદી) ઓગળવા અને ફાટવાને કારણે સર્જાયેલી કુદરતી હોનારતે બંને દેશોની સરહદી સીમાઓમાં ભારે તારાજી સર્જી છે. ગઈકાલે ભોટે કોશી નદીમાં આવેલા ભયાનક પૂર અને કાદવના પ્રવાહમાં સેંકડો લોકો તણાઈ ગયા બાદ, હવે આગામી ૩ દિવસ (૭૨ કલાક)માં વધુ એક વિનાશક પૂર આવવાનું ભયાનક જાેખમ ઊભું થયું છે.
ચીનના જળ સંસાધન મંત્રાલયે સરકારી સ્તરે નેપાળ સરકારને તાત્કાલિક અસરથી ‘હાઈ રિસ્ક વોર્નિંગ’ આપતાં જણાવ્યું છે કે, તિબેટ સરહદ નજીક નદીના ઊપરી પ્રવાહમાં એક વિશાળ ‘બેરિયર લેક’ (પહાડો તૂટી પડવાથી બનેલું કુદરતી સરોવર) રચાણું છે. આ લેકમાંથી પાણી બહાર વહેવાનું શરૂ થઈ ગયું છે અને જાે તે આગામી ૭૨ કલાકમાં ફાટશે, તો હેઠવાસના તમામ વિસ્તારો ત્રાહિમામ પોકારી જશે.
૭૨ કલાક કેમ અત્યંત ક્રિટિકલ છે?
ચીની જળ સંસાધન મંત્રાલયના સેટેલાઇટ ડેટા અનુસાર, ભોટે કોશી નદીના ઊપરી વિસ્તારમાં ચોછેન ખોલા અને પુરેપુ ત્સંગપો નદીઓના સંગમ સ્થાન નજીક આ બેરિયર લેક બન્યું છે.
- હાલની સ્થિતિ: ગુરુવાર સવાર સુધીમાં આ કુદરતી તળાવમાં આશરે ૨૦ લાખ ક્યુબિક મીટર પાણી અને કાદવનો જથ્થો એકઠો થઈ ચૂક્યો છે.
- આગામી ૩ દિવસનું જાેખમ: સતત વહી રહેલા પ્રવાહને કારણે આગામી ૭૨ કલાકમાં તેમાં વધુ ૩૦ લાખ ક્યુબિક મીટર પાણીનો ઉમેરો થવાની ધારણા છે.
- ડેમ બર્સ્ટનું જાેખમ: જાે આ કુલ ૫૦ લાખ ક્યુબિક મીટર નો જળજથ્થો ધરાવતું બેરિયર લેક ફાટશે, તો કરોડો લીટર પાણી, કાંકરા અને કાદવ એકસાથે નીચે ધસી આવશે. આ પ્રવાહ રસ્તામાં આવતા ગામડાઓ, ડેમ અને પુલોને ક્ષણવારમાં રોળી નાખશે.
પૂરમાં કઈ ૯ બેંકો તણાઈ?
• માછપુચ્છ્રે બેંક
• નાબિલ બેંક
• સાનિમા બેંક
• લક્ષ્મી સનરાઇઝ બેંક
• હિમાલય બેંક
• પ્રભુ બેંક
• ગ્લોબલIME બેંક
• નેપાળ ઇન્વેસ્ટમેન્ટ મેગા બેંક
• NMB બેંક
૯ બેંકો તણાઈ ગઈ! ૨૬ કર્મચારીઓ ગુમ
નેપાળના રાસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા ભારે પૂરને કારણે ભારે વિનાશ થયો છે. નેપાળ બેંકર્સ એસોસિએશન અનુસાર, ૯ વાણિજ્યિક બેંકોની સ્થાનિક શાખાઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે, અને પ્રાથમિક માહિતી મળી ત્યાં સુધી આશરે ૨૬ બેંક કર્મચારીઓ પહોંચી શકયા નહોતા.
હિમનદી સરોવરોની સંખ્યા ૨,૬૦૦થી વધુ
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હિમાલય ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગના લીધે ૨૦૦૫થી અત્યાર સુધીમાં હિમનદી આધારિત સરોવરોની સંખ્યા ૧,૯૦૦થી વધીને ૨,૬૦૦થી વધુ થઈ ગઈ છે, જેના કારણે ભારત, નેપાળ અને ચીન સરહદી પહાડી વિસ્તારોમાં ફ્લેશ ફ્લડનું જાેખમ સતત વધી રહ્યું છે.
હોનારતના અત્યાર સુધીના ભયાનક આંકડા
નેપાળ ગૃહ મંત્રાલયના આંકડા મુજબ ૮ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં ૩૫૯ મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે.
• વિદેશી નાગરિકો સહિત ગુમ: નેપાળમાં અત્યારે ૮૨૬ લોકો ગુમ છે, જેમાં ૫૧૭ વિદેશી પ્રવાસીઓ નો સમાવેશ થાય છે.
• ચીન સરહદે નુકસાન: તિબેટના ગીરંગ પોર્ટ નજીક ૫ ફૂટ ઊંડા કાદવના ભૂસ્ખલનને કારણે ૩ લોકોના મોત થયા છે અને ૫૫૮ લોકો ગુમ છે, જેમના માટે ચીની પ્રમુખ શી જિનપિંગે સર્ચ ઓપરેશનના આદેશ આપ્યા છે.
• પૂરની ઝડપ: ૫,૨૦૦ મીટરની ઊંચાઈએથી ગ્લેશિયર તૂટીને લેંદે નદીમાં પડ્યો ત્યારે દેવઘાટ ખાતે નદીનો પ્રવાહ પ્રતિ સેકન્ડે ૫,૮૫૦ ક્યુબિક મીટર નોંધાયો હતો, જે ૧૯૮૫ના ડીગ ત્શો પૂર કરતાં ભયાનક હતો.
Loading ...
