નેપાળમાં ચીન સરહદ નજીક આવેલા ઉત્તરીય વિસ્તારોમાં અચાનક આવેલા ભીષણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પાણીનું સ્તર ભયાનક રીતે વધતા ગામો, બજારો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નેપાળ સાથે સંકલન સાધીને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂર દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત સંકટના આ સમયમાં નેપાળની પડખે ઊભું છે અને તમામ પ્રકારની માનવીય સહાય તથા રાહત સામગ્રી પૂરી પાડવા સંપૂર્ણપણે તૈયાર છે.નેપાળના પીએમઓએ આપેલી માહિતી અનુસાર, વડાપ્રધાને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મેનેજમેન્ટની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ અસરગ્રસ્ત જિલ્લાના સાંસદો સાથે ચર્ચા કરી હતી. સેના અને પોલીસ દળોને કામે લગાવીને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
વાયુસેનાના ખાસ વિમાનો તૈયાર
રસુવાગઢીમાં ફસાયેલા ભારતીય યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોના લોકેશન પર પળેપળની નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્તો સુધી રાહત પહોંચાડવા ભારતીય વાયુસેનાના ખાસ વિમાનો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કટોકટીની દવાઓ, ફર્સ્ટ એઇડ કિટ્સ, રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ, બાળકો માટે દૂધ પાવડર, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ, કામચલાઉ તંબુ અને ધાબળા જેવી જીવનજરૂરી સામગ્રી મોકલવામાં આવી રહી છે.
પીએમ મોદીએ મોકલી તાત્કાલિક રાહત સામગ્રી
આ ભયાનક આપત્તિ વચ્ચે કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રાએ ગયેલા ૧૦૦થી વધુ ભારતીય નાગરિકો સહિત સેંકડો લોકો ત્યાં ફસાયા છે. મુશ્કેલીની આ ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળને તમામ શક્ય સહાય મોકલવાની ખાતરી આપીને ‘મોટા ભાઈ’ અને સચ્ચા પાડોશી તરીકેની પોતાની ફરજ પુન: નિભાવી છે. સાથે-સાથે તાત્કાલિક રાહત સામગ્રી મોકલાવી છે.
નેપાળના નુવાકોટમાં ત્રશુલી નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી બિદુરમાં ત્રિભુવન ત્રિશુલી માધ્યમિક શાળામાં ગભરાટ ફેલાયો હતો. તે સમયે શાળામાં ૧,૬૪૩ વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. સવારે ૯:૧૫ વાગ્યે પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી અને માત્ર ૧૦ મિનિટ પછી, સવારે ૯:૨૫ વાગ્યે, નદીનો જાેરદાર પ્રવાહ અને મોટા મોજા આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. આચાર્યએ જણાવ્યું હતું કે બુધવારે સવારે શાળામાં વર્ગો સામાન્ય રીતે ચાલી રહ્યા હતા. અચાનક, સવારે ૯:૧૫ વાગ્યે, ત્રિશુલી નદીમાં જાેરદાર પૂરની જાણ થઈ. શાળા પ્રશાસને તાત્કાલિક વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવા કહ્યું. લગભગ ૧૦ મિનિટ પછી, સવારે ૯:૨૫ વાગ્યે, નદીના પાણીમાં ઉછાળો આવ્યો અને એક મોટી લહેર શાળાની આસપાસના વિસ્તારમાં પહોંચી હતી.
નેપાળના પહાડી વિસ્તારમાં બુધવારે અચાનક આવેલા પૂરને કારણે ભારે તબાહી જાેવા મળી છે. આ પૂરને ભોટેકોશી નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું જેનાથી આસપાસમાં આવેલા વિસ્તારો, રસ્તા, પુલ, મકાન અને પાવરપ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. ૧૪૨ જેટલા ભારતીયો પણ પૂરને કારણે લાપતા થયા છે.
અત્યાર સુધી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારની સંખ્યા વધી ગઈ છે. અત્યાર સુધી ૫૫ મૃતદેહો મળી આવ્યા છે. તો પૂરને કારણે લાપતા લોકોની સંખ્યા ૪૬૩ થઈ ગઈ છે, જેમાં ૧૪૨ ભારતીય નાગરિક સામેલ છે. આ સિવાય ૫૨ વિદેશી અને ૧૩ નેપાળી નાગરિકો લાપતા હોવાની જાણકારી સામે આવી છે. અચાનક આવેલા ભીષણ પૂરને કારણે ૧૩ જળવિદ્યુત પ્રોજેક્ટને અસર થઈ છે.
ઘણી પરિયોજનામાં ડેમ, પાવર પ્રોજેક્ટ્સ તથા રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે. બજાર અને સરહદી ક્ષેત્રોમાં ઉભેલા વાહનો પાણીમાં ભતાયા હતા. પૂરના ખતરાને જાેતા કાઠમાંડૂ ટ્રાફિક પોલીસે રસુવા, નુવાકોટ, ચિતવન તથા ધાદિંગ જનાર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. નદીના નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નેપાળની તિબેટ સાથે જાેડાયેલી સરહદ પર રસૂવામાં અચાનક આવેલા ભયાનક પુરને કારણે ભારે ખાનાખરાબી થઈ હોવાના સમાચાર છે. આ પૂરમાં કેટલાય ગામો તણાઈ ગયા. પૂરનું પાણી પોતાની સાથે વીજ પ્રોજેક્ટ્સ અને પુલોને પણ વહાવી ગયું. આ પૂર તિબેટથી નેપાળ તરફ વહેતી ભોટેકોશી નદીમાં આવ્યું. નેપાળના પ્રવાસન બોર્ડે ૧૪૨ ભારતીય સહિત ૨૯૧ વિદેશી નાગરિકોના પૂર બાદ ગુમ થયાની માહિતી આપી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ૯૩ નેપાળી નાગરિકો પણ ગુમ છે. રસૂવામાં ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હજુ પણ કેટલીય જગ્યાએ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ૫ જિલ્લાઓમાં પૂરથી ભયાનક તબાહી મચી છે. નેપાળ પ્રવાસન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ ઘટના બુધવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે અચાનક બની હતી. બોર્ડે જણાવ્યું છે કે બોર્ડ, ટુરિસ્ટ પોલીસ અને અન્ય લોકો સાથે મળીને લાપતા પ્રવાસીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૨૯૧ વિદેશી અને ૯૩ નેપાળી નાગરિકો અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયા હોવાનું કહેવાય છે. આ આંકડાઓની ટૂર એજન્સીઓ, ગાઈડો, સુરક્ષા અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અચાનક આવેલા પૂર બાદ સ્માર્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા ૫૯ ભારતીય પ્રવાસીઓ, કાઠમંડુ હોલિડે ટૂર એન્ડ ટ્રાવેલની સેવાઓ લેનારા એક ઓસ્ટ્રેલિયન અને નેધરલેન્ડના એક પ્રવાસી, લીફ હોલિડેની સેવાઓ લેનારા ૪૬ ભારતીય પ્રવાસીઓ, કૈલાશ જર્નીની સેવા લેનારા ૨૬ લોકો (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), ટ્રેકર્સ સોસાયટીની સેવા લેનારા ૭૭ પ્રવાસીઓ (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), રિચા ટુર્સ એન્ડ ટ્રાવેલની સેવા લેનારા આઠ લોકો (જેમની નાગરિકતાની પુષ્ટિ હજુ થઈ નથી.), ફિશટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની સેવાઓ લેનારા ત્રણ અમેરિકન અને ૧૭ મલેશિયાઈ પ્રવાસીઓ, હિમાલયન ગ્લેશિયરની સેવાઓ લેનારા ૩૭ અપ્રવાસી ભારતીયો ( અને અલ્પાઇન ઇકો ટ્રેકની સેવાઓ લેનારા યુકેના ૧૨ અને દક્ષિણ આફ્રિકાના ચાર પ્રવાસીઓ ગુમ છે.
રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની આંખો આંજી દેતી તેજ હેડલાઈટને કારણે થોડીક સેકન્ડો માટે રસ્તો સાવ અદૃશ્ય થઈ જતો હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ અંધાપો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. હવે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ ગંભીર સમસ્યાને નાથવા માટે વાહનોની હેડલાઈટ, હાઈ-બીમનો ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી સંબંધિત મોટર વ્હીકલ નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.નવા પ્રસ્તાવ અનુસાર વાહનોની હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાની વિચારણા ચાલી રહી છે.
જાે કોઈ વાહનચાલક શહેરી વિસ્તારમાં બિનજરૂરી રીતે હાઈ-બીમ લાઈટ ચાલુ કરશે, તો વાહનની અંદરથી જ તેને ચેતવણી આપતો ઓડિયો એલર્ટ સંભળાશે.હાઈવે પર ડ્રાઈવિંગમાં ખલેલ ન પહોંચે તે માટે ૬૦ વધુ ઝડપ હશે ત્યારે આ ઓડિયો એલર્ટ વાગશે નહીં.
નવા બનનારા દ્વિચક્રી વાહનોમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર લો-બીમ પર જ કામ કરે તેવો નિયમ લાગુ થઈ શકે છે.આજકાલ માર્કેટમાં આફ્ટર-માર્કેટ લગાવવામાં આવતી વધુ પડતી સફેદ અને વાદળી રંગની હેડલાઈટ્સથી આંખોને ભારે તકલીફ થાય છે.
Loading ...
