અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B વિઝા પર ૧ લાખ ડૉલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે. અમેરિકામાં H-1B વિઝાના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે H-1B વિઝા પર ૧,૦૦,૦૦૦ ડૉલરની ફી લગાવતા જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ સાથે જ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લેવાનો આરોપ છે. H-1B એ અમેરિકાનો એક એવો વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચડી કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે. ટ્રમ્પ પ્રશાસને ૨૦૨૫માં H-1B વિઝા માટે ૧,૦૦,૦૦૦ ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યાે હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે ૨૦૦૦થી ૫૦૦૦ ડૉલરની વચ્ચે રહેતી હતી, તેથી ૧ લાખ ડૉલરની આકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર ૨૦૨૬માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે. જાે કે, આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે અને અગાઉ અમેરિકાની એક અદાલતે તેને ગેરકાયદે ગણાવતા સરકારને ફી વસૂલવાથી રોકી હતી.
તિરુપતિ લાડુ પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીની ગુણવત્તાને લઈને પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. આ મામલે એજન્સી દ્વારા ગેરરીતિ અને મોટા પાયે સપ્લાયના આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવર્તન નિદેશાલય (ઈડ્ઢ)ના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને કથિત રીતે ભેળસેળયુક્ત ઘીની સપ્લાય કરવામાં આવી હતી. એજન્સીનો આરોપ છે કે અસલી દૂધની મલાઈમાંથી બનેલા ઘીના બદલે તેમાં રિફાઇન્ડ પામ ઓઇલ, પામ કર્નલ ઓઇલ અને પામોલિન જેવા વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિશ્રણને અસલી ઘી જેવો દેખાડવા માટે તેમાં એમજી-૯૦, મોનોગ્લિસરાઇડ્સ, માયવેસિટ સોફ્ટ ૪૦૦ અને એસિટિક એસિડ એસ્ટર જેવા વિવિધ રસાયણો (કેમિકલ્સ) પણ ભેળવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન કુલ આશરે ૨૩૦ કરોડ રૂપિયાની કથિત શંકાસ્પદ ઘીની સપ્લાય કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં સુકૃતિ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રોમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેમની કંપની દ્વારા આ સમયગાળામાં અંદાજે ૯૬ કરોડ રૂપિયાનું કથિત ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર નવા અને કડક પ્રતિબંધો લાદવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો યુએસ રાષ્ટ્રપતિને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ૧૦૦% સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપે છે. યુએસ રાષ્ટ્રપતિના આ પગલાથી રશિયાના બે સૌથી મોટા તેલ ખરીદદારો ભારત અને ચીન સીધા યુએસ નિશાના પર આવી શકે છે. આ કાયદો રાષ્ટ્રપતિ ટ્રમ્પને ૧૦૦% સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારત પર તાત્કાલિક ૧૦૦% ટેરિફ લાદવામાં આવ્યો છે. એકવાર કાયદો લાગુ થઈ ગયા પછી, ટ્રમ્પ પાસે કયા દેશો પર અને કયા દરે ટેરિફ લાદવો તે નક્કી કરવાની વ્યાપક સત્તા હશે. ભારત અને ચીન મહત્વપૂર્ણ છે કારણ કે બંને રશિયા પાસેથી મુખ્ય ઊર્જા ખરીદદારો છે.
આ કાયદો રશિયાના ઉર્જા ક્ષેત્ર, વરિષ્ઠ અધિકારીઓ, નાણાકીય સંસ્થાઓ અને પ્રતિબંધોથી બચવા માટે ઉપયોયુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો સંબંધિત નવા કાયદા, લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિગ રશિયા અને ઈરાન એક્ટ ૨૦૨૬ પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ H.R. 5334 પર હસ્તાક્ષર કરીને કાયદો બનાવ્યો હતો. આ કાયદો રશિયા પર પ્રતિબંધો, ટેરિફ અને અન્ય પ્રતિબંધોનો વિસ્તાર કરે છે.
ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળે છેતરપિંડીભર્યા અને અનિચ્છનીય વ્યાવસાયિક કૉલ્સને રોકવા માટે આજે નવા નિયમો લાગુ કર્યા છે. આ અંતર્ગત રોબોકૉલ્સ, ઑટોમેટેડ કૉલ્સ અને છૈં આધારિત સ્પામ ઓળખને નિયમનકારી દાયરામાં લાવવામાં આવ્યા છે. સ્પામરના ૫ અથવા તેનાથી વધુ નંબર ૧૦ દિવસમાં ઓળખાય છે, તો તેનું ટેલિકોમ કનેક્શન કાપી નખાશે. તેને ૧ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી શકાય છે. આ ઉપરાંત ઑટોમેટેડ કૉલ્સ પર પ્રતિ મિનિટ ૫ પૈસાનો ચાર્જ પણ લાગશે.
ટેલિકોમ કંપનીઓ હવે સ્પામ કૉલ્સ/મેસેજ મોકલનારા નંબરોની ઓળખ કરશે.૧૦ દિવસમાં એક જ વ્યક્તિ અથવા કંપનીના ૫ નંબર શંકાસ્પદ જણાય, તો તપાસ શરૂ થશે. તપાસ દરમિયાન રી-કેવાયસી થશે, આઉટગોઇંગ કૉલ્સ બંધ કરવામાં આવશે અને વારંવાર ભૂલ કરવા પર સિમ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. ઓટોમેટિક, રોબોકોલ્સ અને રેકોર્ડેડ અવાજવાળા કૉલ્સને હવે ટ્રાઈના કડક નિયમોના દાયરામાં લાવવામાં આવ્યા છે. આવા કૉલ્સ કરતી કંપનીઓએ અગાઉથી ટેલિકૉમ ઑપરેટરને જણાવવું પડશે કે તેઓ કયા નંબરનો ઉપયોગ કરશે. પૂર્વ જાણકારી આપ્યા વિના કરવામાં આવેલા કોઈપણ ઑટોમેટિક કૉલને સ્પામ માનીને બ્લૉક કરી દેવામાં આવશે. કંપનીઓએ નકલી અથવા જાણ કર્યા વિના કરવામાં આવેલા ઑટોમેટિક કૉલ્સ પર પ્રતિ મિનિટ ૫ પૈસાનો દંડ ચૂકવવો પડશે. ૧૪૦/૧૬૦ જેવા સત્તાવાર કમર્શિયલ નંબરો અથવા સરકાર દ્વારા માન્ય કૉલ્સને આ દંડમાંથી છૂટ મળશે. સ્પામ કૉલ્સ પર ઝડપી કાર્યવાહી માટે યુઝર્સની ફરિયાદોને છૈં સાથે જાેડવામાં આવી છે. અગાઉ કોઈ નંબર પર કાર્યવાહી કરવા માટે ૧૦ દિવસમાં ૫ ફરિયાદોની જરૂર પડતી હતી. હવે જાે છૈં કોઈ નંબરને શંકાસ્પદ ગણાવે, તો માત્ર ૩ ફરિયાદો મળતાં જ તેના પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે.
જાે તમે સ્પામ કૉલની ફરિયાદના નિવારણથી સંતુષ્ટ ન હો, તો ૧૫ દિવસની અંદર અપીલ કરી શકો છો. અપીલ કરવા માટેTRAI DND એપ, કંપનીના પોર્ટલ અથવા ૧૯૦૯ પર કૉલ/SMSની સુવિધા ઉપલબ્ધ રહેશે. જાે તમે કોઈ સર્વિસ અથવા સામાન માટે ઓનલાઈન પૂછપરછ કરી છે, તો કંપની માત્ર ૭ દિવસ સુધી જ તમારો સંપર્ક કરી શકશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સંસ્થાના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા બીજા વર્ષના એક વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે મોડીસાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, શુક્રવારે ચાલુ પરીક્ષા દરમિયાન આ વિદ્યાર્થી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. તેણે પરીક્ષાનું પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, વહીવટીતંત્ર દ્વારા તેની સામે કોઈ શિસ્તભંગની કે કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. સંબંધિત પ્રશિક્ષક અને વિભાગના વડાએ તેને બોલાવીને સમજાવટ કરી હતી, તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ત્યાંથી પરત ફર્યા બાદ વિદ્યાર્થી હોસ્ટેલ નંબર-૪માં આવેલા પોતાના રૂમમાં ગયો હતો. સાંજે ચાર વાગ્યા સુધીની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. તે પોતાના રૂમમાં મળત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મળતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પવઈ પોલીસે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના મુખ્ય મકાન પાસે એકઠા થયા
આ દુ:ખદ ઘટનાના સમાચાર વાયુવેગે કેમ્પસમાં ફેલાતા જ ૪૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના મુખ્ય મકાન પાસે એકઠા થઈ ગયા હતા અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રના વર્તન અને પરિસ્થિતિની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેIIT-B ના ડિરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે વિદ્યાર્થીઓ સાથે સીધી બેઠક યોજી હતી. આ બેઠક બાદ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને મુખ્ય ઇમારત સામે આવેલા કોન્વોકેશન હોલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીના અસમય અવસાન પરIIT બોમ્બેએ એક સત્તાવાર નિવેદનમાં ઊંડો શોક વ્યક્ત કર્યો
IIT બોમ્બેએ એક સત્તાવાર નિવેદનમાં આ વિદ્યાર્થીના અસમય અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેઓ આ દુ:ખદ ઘડીમાં મળતક વિદ્યાર્થીના પરિવારજનો, મિત્રો, સહપાઠીઓ અને ફેકલ્ટી સભ્યોને તમામ શકય તેટલી સહાય પૂરી પાડી રહ્યા છે. હાલ પોલીસ અને સંબંધિત સત્તાવાળાઓ આ આત્મહત્યા પાછળના ચોક્કસ સંજાેગો અને કારણોની સઘન તપાસ કરી રહ્યા છે.
Loading ...
