થાઈલેન્ડની રાજધાની બેંગકોક નજીક એક ૯મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના દાદા-દાદીની હત્યા કરી દીધી. ત્યારબાદ તે શાળાએ પહોંચ્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલામાં ૩ શિક્ષકો અને ૩ વિદ્યાર્થીઓ સહિત ૬ લોકોના મોત થયા, જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના નોંથાબુરી પ્રાંતની ડેબસિરિન નોંથાબુરી શાળાની છે. તપાસમાં જાણવા મળ્યું કે શાળાએ જતા પહેલા વિદ્યાર્થીએ પોતાના ઘરમાં દાદા-દાદીની હત્યા કરી હતી. બાદમાં બંનેના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા. પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલી ૯ એમએમ પિસ્તોલ વિદ્યાર્થીના દાદાની હતી, જેઓ વ્યવસાયે શિક્ષક હતા. હુમલા બાદ આરોપી વિદ્યાર્થી પણ ગંભીર રીતે ઘાયલ થયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીએ આ ઘટના શા માટે કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. થાઈલેન્ડના વડાપ્રધાને ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા ઘાયલોની સારવાર અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદ આપવાના નિર્દેશ આપ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જેવો ગોળીઓનો અવાજ આવ્યો, વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે ક્લાસરૂમમાં છુપાઈ ગયા. થોડીવાર પછી પોલીસે દરવાજાે ખખડાવીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. ઘટના પછી શાળામાં અફરાતફરી મચી ગઈ અને બહાર હાજર લોકો એકબીજાને સંભાળતા જાેવા મળ્યા.થાઈલેન્ડમાં શાળાઓ અને સાર્વજનિક સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ થાઈલેન્ડની એક પબ્લિક હાઈસ્કૂલમાં ૧૭ વર્ષના એક વિદ્યાર્થીએ પોલીસ પાસેથી બંદૂક ચોરીને ફાયરિંગ કર્યું હતું. તે બે કલાકના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. જ્યારે, ૨૦૨૩માં બેંગકોકના એક મોટા શોપિંગ મોલમાં ૧૪ વર્ષના છોકરા પર ફાયરિંગ કરવાનો આરોપ લાગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ૨૦૧૩ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ગોડમેન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જાેકે, કોર્ટે ગુજરાત હાઇકોર્ટને તેમની સજા સામે સાઇની પેન્ડિંગ અપીલનો ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરવા કહ્યું. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે કહ્યું, “અમે હાઇકોર્ટને વિનંતી કરીએ છીએ કે તેઓ ત્રણ મહિનાની અંદર અપીલનો નિકાલ કરવાનો પ્રયાસ કરે. અમે એ પણ સ્પષ્ટ કરીએ છીએ કે અરજદાર અને રાજ્ય સરકાર બંને આ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે.”નારાયણ સાંઈના વરિષ્ઠ વકીલ એન. હરિહરને કોર્ટને માહિતી આપી હતી કે વહેલી સુનાવણી માટે અરજી કરવા છતાં, તેમની અપીલ પર સુનાવણી હજુ શરૂ થઈ નથી. સુપ્રીમ કોર્ટે નારાયણ સાંઈને જાે તેમની અપીલનો ર્નિણય ત્રણ મહિનાની અંદર ન આવે તો ફરીથી સુપ્રીમ કોર્ટમાં જવાની સ્વતંત્રતા પણ આપી હતી. નારાયણ સાંઈની સજા સામેની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અગાઉ, ૪ મેના રોજ, હાઇકોર્ટે સજા સ્થગિત કરવા અને જામીન મેળવવાની તેમની અરજી ફગાવી દીધી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ ફરી એકવાર અમેરિકામાં જન્મેલા લોકોને નાગરિકતા મળવાના વ્યાપને સીમિત કરવાનો પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમણે ઇમિગ્રેશન સંબંધિત બે કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી એક અમેરિકામાં જન્મેલા એવા લોકોની સંખ્યાને સીમિત કરશે, જેઓ અહીં નાગરિકતા મેળવવાના હકદાર છે. ટ્રમ્પે જણાવ્યું કે બીજાે આદેશ ‘બર્થ ટુરિઝમ‘ પર લગામ લગાવવા માટે છે. આ અંતર્ગત એવા વિદેશી પ્રવાસીઓ પર વિઝા પ્રતિબંધો વધારવામાં આવશે, જેઓ અમેરિકામાં આવીને બાળકને જન્મ આપવા માંગે છે. આ પહેલાં બર્થરાઇટ સિટીઝનશિપને સીમિત કરવાના પ્રયાસને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો, પરંતુ હવે તેઓ ફરીથી આ માટે પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલા જૂનમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે બર્થરાઇટ સિટીઝનશિપને યથાવત રાખી હતી. કોર્ટે ટ્રમ્પના તે અગાઉના પ્રયાસોને ફગાવી દીધા હતા, જેમાં તેમણે એ ઘોષિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે અમેરિકામાં ગેરકાયદેસર-અસ્થાયી રૂપે રહેતા લોકોના બાળકો અમેરિકી નાગરિક નથી. કોર્ટે કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદેસર કે અસ્થાયી રૂપે હાજર લોકોના બાળકો આપમેળે અમેરિકી નાગરિકતા મેળવવાના હકદાર છે. કોર્ટે અગાઉના ર્નિણયનો હવાલો આપતાં કહ્યું કે વિદેશી માતા-પિતાથી અમેરિકામાં જન્મેલા બાળકો તેના હકદાર છે. સલાહકાર સ્ટીફન મિલરે કહ્યું કે આ એક્ઝિક્યુટિવ એક્શન ૧૪મા સુધારાના મૂળ હેતુ પર આધારિત છે.
પીએમ મોદીએ શુક્રવારે એનડીએ સાંસદો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે સંકેત આપ્યો હતો કે સરકાર પાસે સીમાંકન બિલ પસાર કરવા માટે પૂરતું સમર્થન છે. સૂત્રો અનુસાર, સીમાંકન બિલ અને મહિલા અનામત બિલ પસાર કરવા માટે આ મહિને એક ખાસ સત્ર બોલાવી શકાય છે. વડા પ્રધાને સંકેત આપ્યો હતો કે સીમાંકન બિલ માટે સરકાર પાસે પૂરતું સમર્થન છે અને ૩૬૬ સાંસદોની સંખ્યા એકત્રિત કરવામાં આવી છે. જાે આ શક્ય ન હોય તો, મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલો પર આગળ વધવા માટે એક ખાસ સત્ર બોલાવી શકાય છે. સૂત્રો સૂચવે છે કે સરકાર ૧૫ ઓગસ્ટ પછી સંસદનું ખાસ સત્ર બોલાવી શકે છે. સાંસદોને કહેવામાં આવ્યું કે સીમાંકન પ્રક્રિયામાં તેમના મતવિસ્તારના હિતોને ધ્યાનમાં લેવામાં આવશે. ડીએમકેએ એનડીએ ને ટેકો આપવા માટે ત્રણ શરતો પણ મૂકી હતી. બેઠકમાં સાંસદોને જનરલ-ઝેડ અને યુવાનો સાથે સક્રિય રીતે જાેડાયેલા રહેવા, તેમને સરકારની યોજનાઓ અને સિદ્ધિઓ વિશે માહિતી આપવા અને વાતચીત દ્વારા યુવાનોના રોષ અને સરકાર પ્રત્યે નકારાત્મકતા ઘટાડવાનો પ્રયાસ કરવા કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાને શિવસેના (શિંદે) સાંસદોને કહ્યું કે તમામ પક્ષના ર્નિણયો બંધારણના દાયરામાં લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં, તેમનું સભ્યપદ જાેખમમાં નથી. તેમણે કહ્યું કે વિકાસ કાર્ય અથવા કેન્દ્ર સરકાર સંબંધિત કોઈપણ મુદ્દાઓ અંગે સાંસદો સીધા વડા પ્રધાન કાર્યાલય અથવા વડા પ્રધાનનો સંપર્ક કરી શકે છે. શિવસેના (શિંદે જૂથ)ના સાત સાંસદો બેઠકમાં હાજર હતા. આ દરમિયાન, એનસીપી (અજીત પવાર)ના ૨૦ સાંસદો આ બેઠકમાં ભાગ લીધો હતો. ઉપેન્દ્ર કુશવાહા સહિત લગભગ ૪૫ સાંસદોએ નાસ્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
નીટ-યુજી ૨૦૨૬ પરીક્ષા પેપર લીક મામલે CBIની ચાર્જશીટે પરીક્ષા પ્રણાલીની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે પ્રશ્નપત્ર કોઈ પ્રિંટિંગ પ્રેસમાંથી લીક થયું નહોતું, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે કામ કરી રહેલા વિષય નિષ્ણાતોએ જ પોતાના અધિકૃત એક્સેસનો દુરુપયોગ કરીને પેપર બહાર પહોંચાડ્યું હતું. આ મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ ૧૦ ઓગસ્ટે સંજ્ઞાન લેશે.સીબીઆઈના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્રના ગોપનીય અનુવાદ, બેક-ટ્રાન્સલેશન અને પ્રુફરીડિંગની પ્રક્રિયા દરમિયાન વિષય નિષ્ણાતોએ પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બોટની-ઝૂલોજીના નિષ્ણાત મનીષા ગુરુનાથ મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રઈાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદારે પ્રશ્નપત્રની માહિતી બહાર પહોંચાડી હતી. આ ગંભીર બેદરકારીના કારણે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની પવિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. સીબીઆઈની તપાસ મુજબ, એપ્રિલ ૨૦૨૬ દરમિયાન પ્રઈાદ કુલકર્ણી અને મનીષા મંધારેએ પુણે સ્થિત પોતાના ઘરો પર ગુપ્ત સ્પેશિયલ રિવિઝન સેશન યોજ્યા હતા. આ સેશન્સમાં ઉમેદવારોને પ્રશ્નો, તેમના ચાર વિકલ્પો અને સાચા જવાબો મૌખિક રીતે જણાવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ આ તમામ બાબતો પોતાની નોટબુકમાં હાથથી નોંધી હતી, જેથી તેનો કોઈ પણ પ્રકારનો ડિજિટલ રેકોર્ડ ન બની શકે અને કૌભાંડ લાંબા સમય સુધી છુપાયેલું રહે.તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ફિઝિક્સ નિષ્ણાત મનીષા હવાલદારે પ્રશ્નો પુણે સ્થિત એપીએમએના ફિઝિક્સ લેક્ચરર તેજસ હર્ષદકુમાર શાહને જણાવ્યા હતા. ત્યારબાદ શાહે હસ્તલિખિત નોંધોની તસવીરો ખેંચીને લાતૂર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરને મોકલી આપી હતી. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો છે કે શાહે મનીષા હવાલદારના પતિના મોબાઈલ નંબર પર ઓનલાઈન નાણાકીય ટ્રાન્સફર પણ કર્યા હતા, જેના પુરાવા એજન્સીના હાથ લાગ્યા છે.
Loading ...
