ભારતીય મેન્સ હોકી ટીમે હ્લૈંૐ પ્રો લીગમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭-૧થી કારમી હાર આપી. શુક્રવારે રાત્રે લંડનમાં ભારતીય ટીમ એક સમયે ૦-૧થી પાછળ ચાલી રહી હતી. પછી તેણે સતત ૭ ગોલ કરીને માત્ર શાનદાર કમબેક જ ન કરી, પરંતુ પાકિસ્તાનને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધું.
ટીમ ઈન્ડિયા તરફથી સુખજીત સિંહ (૨૦મી મિનિટ), હરમનપ્રીત સિંહ (૨૬મી મિનિટ), હાર્દિક સિંહ (૩૪મી મિનિટ), જુગરાજ સિંહ, અભિષેક (૪૧મી મિનિટ), રાજકુમાર પાલ (૪૪મી મિનિટ) અને દિલપ્રીત સિંહ (૫૪મી મિનિટ)એ એક-એક ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અબુ મહમૂદ (૧૩મી મિનિટ)એ કર્યો. હવે ભારતીય ટીમ લંડન ચરણની તેની છેલ્લી મેચમાં રવિવારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે.
પાકિસ્તાને ૧૩મી મિનિટે અબુ મહમૂદના પેનલ્ટી કોર્નર પર કરેલા ગોલથી લીડ બનાવી. જાેકે, ભારતે ઝડપથી જવાબ આપ્યો. ૨૦મી મિનિટે સુખજીત સિંહે હરમનપ્રીત સિંહના પેનલ્ટી કોર્નર પર આવેલા બોલને ડિફ્લેક્ટ કરીને સ્કોર ૧-૧ કરી દીધો.હાફ ટાઈમ પહેલાં ભારતીય ટીમે પાકિસ્તાન પર ૨-૧ની લીડ મેળવી લીધી. મેચની ૨૬મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો અને ભારતીય ટીમને આગળ કરી દીધી.મેચના ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાનો દબદબો વધુ વધાર્યો. ૩૪મી મિનિટે મળેલા પેનલ્ટી સ્ટ્રોક પર હાર્દિક સિંહે ગોલ કર્યો. આના તરત પછી પાકિસ્તાનના પેનલ્ટી કોર્નર નિષ્ફળ જતાં થયેલા વળતા હુમલામાં જુગરાજ સિંહે ચોથો ગોલ કર્યો.
૪૧મી મિનિટે અભિષેકે શાનદાર રિવર્સ હિટથી ભારતની લીડ ૫-૧ કરી દીધી. ૪૪મી મિનિટે સતત મળેલા પેનલ્ટી કોર્નર બાદ રાજકુમાર પાલે રીબાઉન્ડ પર ગોલ કર્યો. ૫૪મી મિનિટે દિલપ્રીત સિંહે મનદીપ સિંહના પાસ પર ગોલ કરીને ભારતની ૭-૧થી જીત સુનિશ્ચિત કરી દીધી.
ટીમ ઈન્ડિયાએ શનિવારે અહીં ગ્રુપ સીના પોતાના ઓપનર મેચમાં કઝાકિસ્તાન સામે ૨-૦ (૫૫-૩૧, ૫૫-૨૧) થી શાનદાર જીત મેળવીને બેડમિન્ટન એશિયા જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.ચેમ્પિયનશિપ: ભારતે કઝાકિસ્તાન સામે જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું
ટીમ ઈન્ડિયાએ શનિવારે અહીં ગ્રુપ સીના પોતાના ઓપનર મેચમાં કઝાકિસ્તાન સામે ૨-૦ (૫૫-૩૧, ૫૫-૨૧) થી શાનદાર જીત મેળવીને બેડમિન્ટન એશિયા જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
ગ્રુપ વિજેતા નક્કી કરવા માટે ચાઇનીઝ તાઇપેઈ સામેની મહત્વપૂર્ણ મેચ સાથે, ભારતે ડબલ્સમાં પરિસ્થિતિ બદલી નાખી. ગર્લ્સ ડબલ્સની જાેડી દુર્ગા એશા કંદારાપુ અને કીર્તિ મંચલાએ એલિસા કુલેશોવા અને ડાયના નામેનોવા પર ૧૧-૫ થી વિજય મેળવીને ભારતને સારી શરૂઆત અપાવી.ત્યારબાદ પુનીત સુરેશ અને દીપ્તિ રાજ અદિતિને મુસ્તફા મલિકજાન અને કુલેશોવાએ હરાવ્યા. તેઓ ૧૧-૧૦થી જીતીને સ્કોર ૨૨-૧૫ કરવામાં સફળ રહ્યા. ત્યારબાદ ભારતીયોએ આગામી ત્રણ સેટમાં પ્રભુત્વ મેળવીને પહેલો સેટ જીતી લીધો.બીજાે સેટ પણ સરળ હતો કારણ કે કોઈપણ ખેલાડીએ કોઈપણ મેચમાં છથી વધુ પોઈન્ટ ગુમાવ્યા ન હતા.
ભારતમાં એક ગામ ‘શાંત ગામ‘ તરીકે ઓળખાય છે કારણ કે તેના ઘણા રહેવાસીઓ બોલી કે સાંભળી શકતા નથી. વૈજ્ઞાનિકો પણ હજુ સુધી આ પાછળનું સાચું કારણ નક્કી કરી શક્યા નથી.ભારતીય ગામડાઓ તેમની સુંદરતા, સંસ્કૃતિ અને સરળતા માટે વિશ્વભરમાં જાણીતા છે. કેટલીક જગ્યાએ લીલાછમ ખેતરો મનમોહક હોય છે, જ્યારે અન્ય જગ્યાએ, પર્વતોની વચ્ચે વસેલા નાના ગામડાઓ સ્વર્ગ જેવા લાગે છે. ગામડાની સવાર પક્ષીઓના અવાજથી ભરેલી હોય છે અને સાંજ ગ્રામજનો વચ્ચે હાસ્ય અને વાતચીતથી ભરેલી હોય છે. પરંતુ ભારતમાં એક ગામ એવું છે જ્યાં ન તો બાળકોનું હાસ્ય સંભળાય છે કે ન તો લોકોની સામાન્ય વાતચીત. આખા ગામમાં એક વિચિત્ર શાંતિ જ છવાયેલી હોય છે. આપણે જે ગામ વિશે વાત કરી રહ્યા છીએ તેને લોકો “શાંત ગામ“ તરીકે ઓળખે છે. પર્વતોની વચ્ચે વસેલું અનોખું ગામ - જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલું દડકાઈ ગામ પર્વતોની વચ્ચે વસેલું છે. આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આસપાસના ઊંચા પર્વતો, હરિયાળી અને ઠંડા પવનો આ ગામને અતિશય સુંદર બનાવે છે. આ ગામ પ્રખ્યાત ભદ્રવાહથી આશરે ૧૦૫ કિમી દૂર આવેલું છે, જેને મિની-કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આ સુંદરતા પાછળ એક સત્ય છુપાયેલું છે જેણે આ ગામને વિશ્વભરમાં એક અનોખી ઓળખ આપી છે. અહીં રહેતા ઘણા લોકો સાંભળી કે બોલી શકતા નથી અથવા તેમાં નબળા છે. આ સમસ્યા ખાસ કરીને ગામના બાળકોમાં વધારે જાેવા મળે છે. અહેવાલો અનુસાર, આ ગામમાં આશરે ૧૦૫ પરિવારો રહે છે. અહીંના અડધાથી વધુ લોકો જન્મજાત બહેરાશ કે મૂંગાપણુંથી પીડાય છે, એટલે કે તેઓ બોલી કે સાંભળી શકતા ન તેને ‘શાંત ગામ‘ કેમ કહેવામાં આવે છે? - આ ગામમાં લોકોની વાતચીત કરવાની રીત પણ બાકીની દુનિયા કરતા અલગ છે. અહીં ઘણા લોકો હાવભાવ દ્વારા વાતચીત કરે છે. ગામમાં તમને ભાગ્યે જ સામાન્ય વાતચીત અથવા બાળકોના અવાજાે સાંભળવા મળશે. આ જ કારણ છે કે લોકો તેને ‘શાંત ગામ‘ કહેવા લાગ્યા છે. ગામના વડીલોના મતે, અહીં મૂંગા અને બહેરા બાળકોના જન્મના કિસ્સા ઘણા વર્ષોથી બની રહ્યા છે. એવું કહેવાય છે કે આ સમસ્યાનો પહેલો કેસ ૧૯૦૧ માં નોંધાયો હતો. સમય જતાં આ સમસ્યામાં વધારો થયો છે.થી. વૈજ્ઞાનિકો શું માને છે? - નિષ્ણાતોના મતે, આ સમસ્યા પાછળ આનુવંશિક કારણો હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે એક જ સમુદાય અથવા નજીકના સંબંધોમાં લગ્ન વધવાને કારણે આ સમસ્યા પેઢી દર પેઢી પસાર થઈ છે. આ જ કારણ છે કે ગામના ઘણા પરિવારો હજુ પણ આ સ્થિતિ સાથે સંઘર્ષ કરે છે. જાેકે, કેટલાક ગ્રામજનો તેને અભિશાપ માને છે. ગામ સાથે જાેડાયેલી ઘણી વાર્તાઓ અને માન્યતાઓ છે જેમાં લોકો માને છે. આ સ્થિતિને કારણે, ગામવાસીઓને ઘણી સામાજિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. લોકો એવા પરિવારોમાં લગ્ન કરવામાં અચકાતા હોય છે જ્યાં સભ્યો બહેરા અને મૂંગા હોય. ગામના માતા-પિતા સતત તેમના બાળકો વિશે ચિંતિત રહે છે. આ સમસ્યાથી પરેશાન કેટલાક પરિવારો ગામ છોડીને અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે. આમ છતાં, ગામવાસીઓ શક્ય તેટલું સામાન્ય રીતે પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. હવે સેના મદદ કરી રહી છે - આ ગામની દુર્દશા જાેઈને, ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સે તેને દત્તક લીધું છે.
મહારાષ્ટ્રના થાણેમાં એક ઉભેલી કારમાં અચાનક એરબેગ ખુલવાથી ૨૫ વર્ષના યુવકનું મૃત્યુ થયું. યુવક કાર ડીલર હતો. તેનું નામ મોહિત સોની છે. તે ૧૫ વર્ષ જૂની કારની અંદર બેઠો હતો. ત્યારે અચાનક ગાડીની સેફ્ટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ. એરબેગ એટલી ઝડપથી ખુલી કે તેના જાેરદાર આંચકાથી યુવકને ગંભીર ઈજા થઈ અને મેડિકલ મદદ મળે તે પહેલાં જ વધુ બ્લિડીંગ થવાને કારણે તેનું મૃત્યુ થયું. યુવકને ક્યાં ઈજા થઈ તેની માહિતી હાલમાં આપવામાં આવી નથી. આ ઘટના બુધવારે થાણેના કાશીમીરા વિસ્તારમાં બની હતી. પોલીસે શનિવારે માહિતી આપી.
થાણે પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ભલે જૂની હતી, પરંતુ સરકારી રેકોર્ડ મુજબ તેની પાસે માન્ય ફિટનેસ સર્ટિફિકેટ હતું. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ માટે ઓટોમોબાઈલ નિષ્ણાતોની પણ સલાહ લઈ રહી છે.
એરબેગ ખુલવાની સ્પીડ ૨૦૦ થી ૩૦૦ કિમી/કલાકની વચ્ચે હોઈ શકે છે. આ કારણે જાેરદાર આંચકો લાગે છે. તેનાથી બચવા માટે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. સીટ બેલ્ટ ન લગાવવાની સ્થિતિમાં જાેરદાર આંચકો લાગવાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
૫ીએમ નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસીય પ્રવાસે સેશેલ્સ પહોંચ્યા. રાજધાની વિક્ટોરિયામાં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ નેશનલ બોટનિકલ ગાર્ડનમાં એલ્ડાબ્રા જાયન્ટ કાચબાઓને પાંદડા ખવડાવ્યા. મોદી ૨૯ જૂને સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ પણ હશે.
હિંદ મહાસાગરમાં આવેલા આ નાના ટાપુ દેશનો ભારત સાથેનો સંબંધ માત્ર વ્યૂહાત્મક જ નહીં, પરંતુ ૨૫૬ વર્ષ જૂનો પણ છે. વર્ષ ૧૭૭૦માં જ્યારે અહીં પ્રથમ કાયમી વસાહત સ્થાપવામાં આવી, ત્યારે ત્યાં પહોંચેલા ૨૭ લોકોમાં ૫ ભારતીયો પણ સામેલ હતા. બાદમાં બિહાર, તમિલનાડુ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીયો અહીં આવીને વસી ગયા.
આજે સેશેલ્સની લગભગ ૧.૨૦ લાખની વસ્તીમાં લગભગ દર આઠમો નાગરિક ભારતીય મૂળનો છે. દેશના રાષ્ટ્રપતિ વેવેલ રામકલાવનના પૂર્વજાે પણ બિહારના ગોપાલગંજ જિલ્લાના હતા. આવા સંજાેગોમાં મોદીનો આ પ્રવાસ બંને દેશોના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી મજબૂતી આપનારો માનવામાં આવી રહ્યો છે.પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ સૌપ્રથમ ૧૫૦૨માં સેશેલ્સની શોધ કરી હતી.
Loading ...
