હિમાચલ પ્રદેશમાં અટલ ટનલની બહાર ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના સીકરના રહેવાસી કૈલાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેને જાેઈને તમારા રૂંવાડા પણ ઉભા થઈ જશે.
પેપ્સિકોના પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ‘હૂવર ઇન્સ્ટિટ્યૂશન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારત-અમેરિકા સંબંધો, લીડરશીપ અને વર્ક કલ્ચર પર તીખા નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે, જાે તેઓ ભારતમાં રહ્યા હોત તો ક્યારેય પેપ્સિકોના CEO બની શક્યા ન હોત, કારણ કે અમેરિકાની મેરિટોક્રેટિક સિસ્ટમમાં જ સફળતા શક્ય બની. તેમણે ભારતને ‘અવ્યવસ્થિત’ અને ચીનને ‘વ્યવસ્થિત’ ગણાવી, લોકશાહીના કારણે ભારતના વિકાસને ધીમો ગણાવ્યો. તેમણે ભારત અને અમેરિકાને ‘નેચરલ પાર્ટનર’ પણ ગણાવ્યા.પેપ્સિકોના પૂર્વ ભારતીય મૂળના મહિલા CEO અને ચેરપર્સન ઈન્દ્રા નૂયી સોશિયલ મીડિયા પર અને બિઝનેસ જગતમાં ભારે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ ‘હૂવર ઇન્સ્ટિટ્યુશન’ને ઇન્ટરવ્યૂમાં તેમણે લીડરશીપ, ભારત-અમેરિકાના સંબંધો અને ભારતના વર્ક કલ્ચર વિશે અત્યંત આકરા નિવેદનો આપ્યા છે. ઈન્દ્રાએ ચીનના વખાણ કરતા ભારતની સામાજિક અને કોર્પોરેટ વ્યવસ્થા પર મોટા સવાલો ઉઠાવ્યા છે.ઈન્દ્રા નૂયીએ અમેરિકાની મેરિટોક્રેટિક સિસ્ટમની મન મૂકીને પ્રશંસા કરી છે. તેમણે દાવો કર્યો કે જાે તેઓ અમેરિકા ન આવ્યા હોત, તો ક્યારેય આ મુકામ પર પહોંચી શક્યા ન હોત.
તમિલનાડુના રાજકારણમાં રિઝોર્ટ પોલિટિક્સ અને હોર્સ-ટ્રેડિંગના આક્ષેપોએ ફરી એકવાર ભારે સનસનાટી મચાવી દીધી છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા જાેસેફ વિજયની પાર્ટી ‘તમિલનાડુ વેટ્રી કઝગમ’ TVK )ના ધારાસભ્ય એન. ઇલૈયારાજાએ એક સ્ફોટક ખુલાસો કરતા દાવો કર્યો છે કે, તેમને પક્ષપલટો કરીને સત્તાધારી DMK (દ્રવિડ મુન્નેત્ર કઝગમ)માં જાેડાવા માટે ૩૦થી ૩૫ કરોડની જંગી રોકડ રકમની ઓફર કરવામાં આવી હતી. આટલું જ નહીં, વચેટિયાઓએ એવો પણ દાવો કર્યો હતો કે વિજય સરકારને અસ્થિર કરવા માટે ટીવીકેના ૧૦ ધારાસભ્યો અને એક વર્તમાન મંત્રી ઓલરેડી પક્ષ બદલવા માટે રાજી થઈ ગયા છે, જેને પગલે દક્ષિણ ભારતના આ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ધારાસભ્ય ઇલૈયારાજાએ આ આખા કાવતરાનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, થિરુનાવુક્કારાસુ નામના એક વ્યક્તિએ રાજકીય સલાહકારના પ્રતિનિધિ તરીકે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે લાલચ આપતા કહ્યું હતું કે આ ભવિષ્ય બનાવવાની મોટી તક છે, પરંતુ જાે ઓફર ન સ્વીકારી તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી પણ આપી હતી. ધારાસભ્યે ઉમેર્યું કે, “હું મારા નેતા થલાપતિ વિજય અને જનતાના વિશ્વાસ સાથે ક્યારેય દગો કરી શકું નહીં.” આ મામલે એક્શનમાં આવેલી તમિલનાડુ પોલીસે થિરુનાવુક્કારાસુ, નરેશ અને થિયાગરાજન નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે એફઆઈઆરમાં ડીએમકેના પૂર્વ મંત્રી વી. સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ અશોક કુમારના નામ દાખલ કરતા આ વિવાદ હવે સંપૂર્ણપણે કાનૂની અને રાજકીય યુદ્ધમાં ફેરવાઈ ગયો છે.
ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચી હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને દેશોએ ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ (ડિફેન્સ), ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી દર્શાવી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની પીએમ સના તકાઈચીને પોતાની નાની બહેન તરીકે સંબોધિત કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી હવે એક નવા યુગમાં પ્રવેશી રહી છે.
દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ સના તકાઈચી વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , સપ્લાય ચેન, રોકાણ અને નવી ઉભરતી ટેકનોલોજી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં બંને દેશોના પ્રતિનિધિઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેના અનેક મહત્ત્વના મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (સ્ર્ઝ્ર) પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, વડાપ્રધાન તકાઈચી, મારી નાની બહેન, બંને દેશોના પ્રતિનિધિઓ અને મીડિયાના મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે તેમની આ પ્રથમ ભારત મુલાકાતથી મને અત્યંત આનંદ થયો છે. પીએમ મોદીએ ઉમેર્યું કે સના તકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને તેઓ એક દુરંદેશી નેતા છે.
આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારત અને જાપાન બંને દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ-આધારિત વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને જાપાન વચ્ચેનો આ સંબંધ માત્ર આર્થિક ભાગીદારી પૂરતો સીમિત નથી, પરંતુ તે પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો અને સમાન હિતોના મજબૂત પાયા પર ટકેલો છે. આગામી વર્ષોમાં આ મજબૂત ભાગીદારી બંને દેશોના વિકાસની સાથે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સમૃદ્ધિમાં ભાગ ભજવશે.
પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના ભયાનક વાદળો ઘેરાયા છે, જ્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ૪ જુલાઈથી શરૂ થઈને ૯ જુલાઈ સુધી તેહરાન, કોમ અને ઇરાક થઈને તેમના વતન મશહાદ સુધી ચાલનારી આ મહા-અંતિમયાત્રા દરમિયાન અમેરિકા અને ઈઝરાયલ મોટો સૈન્ય હુમલો કરી શકે છે તેવો ડર ઈરાનને સતાવી રહ્યો છે. આ આશંકા વચ્ચે ઈરાની સત્તાવાળાઓ અને લશ્કરી કમાન્ડરોએ કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રાખતા દુશ્મન દેશોને ખુલ્લી અને અત્યાર સુધીની સૌથી આક્રમક સૈન્ય ચેતવણી આપી દીધી છે કે જાે અંતિમ સંસ્કાર દરમિયાન સહેજ પણ હિલચાલ થઈ, તો ઈરાનનો વળતો પ્રહાર વિનાશક અને ન ભૂતો ન ભવિષ્યતિ જેવો હશે. ઈરાનની સૈન્ય શક્તિના કેન્દ્ર સમાન ‘ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ ના કમાન્ડર મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર એક સનસનીખેજ નિવેદન જારી કરતા જણાવ્યું છે કે શનિવારથી શરૂ થતાં રાષ્ટ્રીય શોકના આ સમયગાળા દરમિયાન ઈરાનના દુશ્મનોએ કોઈપણ પ્રકારની ગેરસમજમાં રહેવાની જરૂર નથી. તેમણે ગર્જના કરતા કહ્યું કે ઈરાની સેના અને રાષ્ટ્રના બહાદુર સપૂતો કોઈપણ ધમકી કે હવાઈ હુમલાનો જડબાતોડ અને પસ્તાવો કરવા મજબૂર કરી દે તેવો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
અંતિમસંસ્કારવિધિમાં પુત્ર મુજતબા સામેલ નહીં થાય
ઈરાનના પૂર્વ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેની સુરક્ષાના કારણોસર તેમના પિતાની અંતિમવિધિમાં સામેલ નહીં થાય. આ માહિતી ઈરાનના સુપ્રીમ લીડરના એક પ્રતિનિધિના હવાલાથી સામે આવી છે. સુરક્ષા એજન્સીઓને ઇઝરાયલી હુમલાનો ડર છે, તેથી તેમણે મુજતબાને અંતિમ સંસ્કાર સમારોહથી દૂર રહેવાની સલાહ આપી છે. આ અંગે હજુ સત્તાવાર માહિતી શેર કરી નથી.
Loading ...
