ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (ઝ્રઈ્છ) અમલમાં આવવાની સાથે જ ગ્રાઉન્ડ લેવલ પર તેની ઐતિહાસિક અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે.
આજે દેશના અલગ-અલગ રાજ્યો અને અગ્રણી ઔદ્યોગિક કેન્દ્રો પરથી પ્રથમ નિકાસ માલ (શિપમેન્ટ) ને ભારે ઉત્સાહ વચ્ચે યુકે તરફ રવાના કરાયો છે. આ કરાર ભારતીય ઉત્પાદનો માટે બ્રિટનમાં ૯૯ ટકા નિકાસ માટે શૂન્ય-ડ્યુટી બજાર ઍક્સેસ સુનિશ્ચિત કરે છે.વેપારની આ ઐતિહાસિક સફરની શરૂઆત કરતા બેંગલુરુમાં યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર ચંદ્રુ ઐયરે પ્રથમ કન્સાઇન્મેન્ટને લીલી ઝંડી બતાવી જણાવ્યું હતું કે આ પ્રેફરન્શિયલ ટેરિફ બંને દેશોના વેપારને અજાેડ વેગ આપશે. કોલકાતા એરપોર્ટના આંતરરાષ્ટ્રીય કાર્ગો સંકુલમાંથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તાપસ રોયની ઉપસ્થિતિમાં સોનાના દાગીના, સોપારી, ચા અને કોફી જેવી ચીજાેને રવાના કરાઇ હતી. દક્ષિણ અને ઉત્તર ભારતમાં પણ આ કરારને લઈને ઉત્સાહ જાેવા મળ્યો હતો. હૈદરાબાદમાં તેલંગાણાના ઉદ્યોગ સચિવ કૃષ્ણા આદિત્ય અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉદ્ઘાટન શિપમેન્ટને લીલી ઝંડી અપાઈ હતી, અમૃતસરના ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી એર ઇન્ડિયાની બર્મિંગહામ સીધી ફ્લાઇટ દ્વારા ગારમેન્ટ્સનો જથ્થો મોકલાયો હતો
હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનના દરિયાકાંઠા પાસે ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘાતક સૈન્ય હુમલામાં વધુ એક ભારતીય નાવિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાયપ્રસનો ધ્વજ ધરાવતા વ્યાપારી જહાજ ‘GFX Galaxy’ પર થયેલા આ હુમલામાં પુણેના મરીન એન્જિનિયર હેરંબ કરમરકરનું મોત નીપજ્યું છે. મૃત્યુના ગણતરીના સમય પહેલાં જ હેરંબે પોતાના પરિવારને વોટ્સએપ પર મેસેજ મોકલીને પોતે સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ગયા હોવાની માહિતી આપી હતી, જે તેમની અંતિમ વાતચીત સાબિત થઈ હતી. ભારતે નવી દિલ્હીમાં ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને સમન્સ પાઠવીને આકરો વિરોધ નોંધાવ્યો છે.મૂળ પુણેના વતની અને વ્યવસાયે મરીન એન્જિનિયર હેરંબ કરમરકરે હુમલાના થોડા સમય પહેલાં જ પોતાના પરિવારને મેસેજ મોકલ્યો હતો કે, તેમના જહાજે હોર્મુઝ જળમાર્ગને અત્યંત સુરક્ષિત રીતે પાર કરી લીધો છે. પરિવાર હજુ આ મેસેજ વાંચીને રાહતનો શ્વાસ લે, તે પહેલાં જ ઈરાની હુમલામાં હેરંબના મોતના સમાચાર મળ્યા હતા. હેરંબના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. હેરંબના સસરાએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેમના જમાઈના પાર્થિવ દેહને વહેલી તકે સન્માનપૂર્વક ભારત લાવવામાં આવે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મર્ચન્ટ જહાજ પર અનેક ભારતીય નાવિકો સવાર હતા.
નોઇડામાં બુધવારે બપોરે ૫ માળના મકાનમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં ૨ લોકોના મોત થયા, જ્યારે એક બાળક અને એક યુવતી ગંભીર રીતે દાઝી ગયા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટી ચાર્જ થઈ રહી હતી, આ દરમિયાન તેમાં ધડાકો થયો અને આગ લાગી ગઈ. જાેતજાેતામાં આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. બિલ્ડિંગમાં રહેતા લગભગ ૫૦ પરિવારોને બચાવવામાં આવી રહ્યા છે. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં દેખાઈ રહ્યું છે કે બે ઇમારતોની છત વચ્ચે સીડીઓ લગાવવામાં આવી છે. આના સહારે લોકો બીજી બિલ્ડિંગમાં જઈ રહ્યા છે. હાલમાં, પોલીસે બિલ્ડિંગ માલિકને કસ્ટડીમાં લીધો છે. આગ સેક્ટર-૬૬ના મમુરા વિસ્તારમાં લાગી છે. આ ભીડભાડવાળો વિસ્તાર છે. અહીં નોકરી કરતા લોકો પરિવાર સાથે રહે છે. બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટી ચાર્જિંગ દરમિયાન આગ લાગી. ઘણી ગાડીઓ બળીને રાખ થઈ ગઈ છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવા તેમજ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રાહત કામગીરી પર સતત નજર રાખવાના પણ નિર્દેશ આપ્યા છે.
વારસામાં મળેલી ખેતીની જમીનના વેચાણ અને કૌટુંબિક હક્કોને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૨૨ હેઠળ મળતો પ્રાથમિક ખરીદીનો અધિકાર માત્ર રહેણાંક મિલકતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે કૃષિ જમીન પર પણ સમાન રીતે લાગુ પડે છે. સર્વોચ્ચ અદાલતે ‘મહિન્દર વિરુદ્ધ પુરણ સિંહ’ કેસની સુનાવણી દરમિયાન આ મહત્વનો કાયદાકીય સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે. કેસની વિગતો મુજબ, પિતા અથવા પૂર્વજના અવસાન બાદ કૃષિ જમીન કાયદેસરના ક્લાસ-૧ (પ્રથમ શ્રેણીના) વારસદારોને વારસામાં મળી હતી. આ પૈકીના કેટલાક ભાઈ-બહેનોએ પોતાના હિસ્સાની જમીન પરિવારની બહારની કોઈ તૃતીય વ્યક્તિને વેચવાનો ર્નિણય કર્યો હતો. જેની સામે પરિવારના જ અન્ય વારસદારે કોર્ટમાં દાવો કર્યો હતો કે, કાયદા અનુસાર આ જમીન ખરીદવાનો પ્રથમ અધિકાર તેમનો છે. આ વિવાદ આખરે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. આ કેમની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જાે વારસામાં મળેલી મિલકત ખેતીની જમીન હોય, તો પણ તેના પર કલમ ૨૨ લાગુ પડે છે. કોઈ પણ પ્રથમ શ્રેણીના વારસદાર પોતાનો હિસ્સો બહારની વ્યક્તિને વેચે તે પહેલાં, તેણે પરિવારના અન્ય પ્રથમ શ્રેણીના વારસદારોને તે ખરીદવાની પ્રથમ તક આપવી જ પડશે. અદાલતે જણાવ્યું કે, જાે જમીનનું વેચાણ સત્તાવાર રીતે પૂર્ણ ન થયું હોય પરંતુ તે પહેલાં જ જાે અન્ય વારસદાર પોતાનો ખરીદીનો પ્રાથમિક અધિકાર દર્શાવી દે, તો તેનો દાવો કાયદેસર રીતે માન્ય ગણાશે. સામે પક્ષે એવી દલીલ કરાઈ હતી કે કૃષિ જમીન રાજ્યનો વિષય હોવાથી કેન્દ્રની સંસદ આ અંગે કલમ ૨૨ લાગુ કરી શકે નહીં. જાેકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવતા કહ્યું કે કલમ ૨૨ એ જમીન વહીવટ અંગે નહીં, પરંતુ વારસાઈનો વિષય છે, જે સંયુક્ત યાદીમાં આવે છે. તેથી સંસદ પાસે આ કાયદો બનાવવાની સંપૂર્ણ સત્તા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ‘પંજાબ પ્રી-એમ્પશન એક્ટ’ની કલમ ૧૫ લોહીના સંબંધોના આધારે વ્યાપક અધિકાર આપે છે, જ્યારે ‘હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ‘ની કલમ ૨૨ માત્ર પ્રથમ શ્રેણીના વારસદારો પૂરતો જ મર્યાદિત વિશેષ આધિકાર છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ દેશમાં ઇથેનોલ બ્લૅન્ડિંગ (પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ)ને લઈને ચાલી રહેલી તમામ અફવાઓ અને વિવાદો પર મોટો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓને નકારી કાઢતા ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પુત્રોના વ્યવસાયમાં ઇથેનોલનું ઉત્પાદન એ માત્ર એક ઘણો નાનો ભાગ છે અને તેને સરકારી નીતિઓ સાથે જાેડવી તદ્દન ખોટું છે. આ સાથે જ તેમણે વાહન ચાલકો માટે એક મહત્વની જાહેરાત પણ કરી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દેશના ગ્રાહકો માટે ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો રહેશે, પરંતુ આ સુવિધા સાથે એક મોટી શરત જાેડાયેલી છે. જાે કોઈ ગ્રાહક ઇથેનોલ વગરનું એટલે કે સંપૂર્ણ શુદ્ધ પેટ્રોલ ખરીદવા માંગે છે, તો તેણે બજાર ભાવ કરતા વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સસ્તું અને પર્યાવરણને અનુકૂળ હોવાથી સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ જેઓ આ મિશ્રણ નથી ઈચ્છતા તેમના માટે પ્રીમિયમ કિંમતે સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ કરાવાશે.
આ નીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત દર વર્ષે અબજાે રૂપિયાનું પેટ્રોલિયમ વિદેશથી મંગાવે છે. જાે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવે, તો તે દેશના ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત બને છે અને સાથે જ ગ્રાહકોને પણ સસ્તું ઇંધણ મળે છે. ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે સરકાર કોઈપણ ગ્રાહક પર બળજબરી કરી રહી નથી, પરંતુ પર્યાવરણીય ફાયદાઓ અને આર્થિક બચતને જાેતા ઇથેનોલ-બ્લેન્ડેડ ઇંધણ શ્રેષ્ઠ વિકલ્પ છે.
Loading ...
