છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. રેત ખનન વ્યવસાય સાથે જાેડાયેલા બે જૂથો વચ્ચે થયેલા વિવાદમાં ભાજપના નેતા ભરત સિંહ સહિત ૩ લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવીને મારી નાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૨ લોકોની હાલત ગંભીર છે. પોલીસે ૪ આરોપીની ધરપકડ કરી ી છે.
છત્તીસગઢ પોલીસ અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, કોરિયા જિલ્લાની સોનહત તહસીલના કટગોડી ગામમાં મંગળવારે રાત્રે ખનનના વ્યવસાયને લઈને થયેલા વિવાદમાં એક ગ્રુપે કથિત રીતે કેટલાક લોકો પર હુમલો કરી દીધો હતો, જેમાં ૩ લોકોના મોત થઈ ગયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક લોકો બે અલગ-અલગ વાહનો એક ટોયોટા ફોર્ચ્યુનર જીેંફ અને એક સ્કોડા સેડાનમાં સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે વિરોધી જૂથના લોકોએ કથિત રીતે તેમના પર હુમલો કરી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ ફોર્ચ્યુનરને એક ટીપર ટ્રકથી ઘણી વખત ટક્કર મારી હતી, જેના કારણે કાર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના દરવાજા જામ થઈ ગયા હતા. આના લીધે તેમાં સવાર લોકો બહાર નહોતા નીકળી શક્યા અને બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી.પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે, જે લોકો ગાડીની બારીઓ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમના પર પણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વાહનમાં સવાર લોકોમાંથી એક ભરત સિંહ (૬૦) જીવતા સળગી ગયા હતા, જ્યારે ફોર્ચ્યુનરમાં સવાર અન્ય બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોએ એક સ્કોડા કારને પણ નિશાન બનાવી હતી અને તેમાં સવાર બે લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલોને પહેલા બૈકુંઠપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારા ઈલાજ માટે અંબિકાપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જીઆરપી પોલીસ સ્ટેશનમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં તેમને ક્લીન ચિટ મળી ગઈ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ આશુતોષ બ્રહ્મચારીએ એફઆઈઆર નોંધાવી હતી, જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ટ્રેનમાં તેમના પર જીવલેણ હુમલો કરાવવામાં આવ્યો હતો. આશુતોષ બ્રહ્મચારી પર ૮ માર્ચે રીવા એક્સપ્રેસ ટ્રેનમાં કથિત હુમલો થયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગાઝિયાબાદથી પ્રયાગરાજ જતી વખતે રીવા એક્સપ્રેસ ટ્રેનમાં ૮ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૫:૦૦ વાગ્યે સિરાથુ સ્ટેશન પાસે હુમલો થયો હતો. એક અજ્ઞાત હુમલાખોરે ધારદાર હથિયાર વડે નાક કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીરાજ સરકારની અખબારી યાદી મુજબ, આશુતોષ બ્રહ્મચારીએ જે આરોપો લગાવ્યા હતા, તે તપાસમાં સંપૂર્ણપણે નકલી અને ખોટા સાબિત થયા છે, જેના આધારે શંકરાચાર્યને ક્લીન ચિટ આપી દેવામાં આવી છે.આ મામલે એસપી જીઆરપી પ્રયાગરાજ પ્રશાંત વર્માએ માહિતી હોવાનો ઈનકાર કર્યો છે.
સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે EPFપર ૮.૨૫% વ્યાજદરને મંજૂરી આપી દીધી છે. આ આદેશ બાદ ચાલુ મહિનામાં જ દેશના ૭ કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની પ્રબળ શક્યતા છે. EPFO દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને જ્યારે નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપે છે, ત્યાર બાદ જ તે ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે.
સૂત્રે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે EPFOની સર્વોચ્ચ ર્નિણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા ભલામણ કરાયેલા ૮.૨૫% વ્યાજદરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ અગાઉ, ૨ માર્ચ ૨૦૨૬ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી CBT બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વ્યાજદર ૮.૨૫% રાખવાનો ર્નિણય લેવાયો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખ્યો છે. ભારત સરકાર EPF ફંડ માટે ગેરન્ટર હોવાથી, CBT આ ર્નિણયને નાણાં મંત્રાલયની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે તમામ ટેકનિકલ અને નાણાકીય પાસાઓની તપાસ કર્યા બાદ આ પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. શ્રમ મંત્રાલયના નિર્દેશો અનુસાર, EPFO દ્વારા આ મહિનાના અંત સુધીમાં તમામ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં FY26 માટેનું વ્યાજ જમા કરી દેવામાં આવશે. વળી, EPFO દ્વારા વિકસાવવામાં આવેલી નવી આધુનિક સિસ્ટમના કારણે આ વખતે વ્યાજની રકમ સભ્યોના ખાતામાં કોઈ પણ વિલંબ વગર તરત જ ટ્રાન્સફર થઈ જશે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં,EPFO એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વ્યાજ દર ૮.૨૫ ટકા જાળવી રાખ્યો હતો. ૨૦૨૪ માં, EPFO એ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દરમાં થોડો વધારો કરીને ૮.૨૫ ટકા કર્યો હતો, જે ૨૦૨૨-૨૩ માં ૮.૧૫ ટકા હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે. ફ્રાન્સના એવિઆન-લે-બેન્સમાં જી-૭ સમિટ દરમિયાન, વડા પ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત-યુક્રેન સંબંધો અને પરસ્પર સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. બેઠક પછી, વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારત અને યુક્રેન વચ્ચે સંવાદ અને સહયોગમાં સતત વધારો થયો છે. પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને યુક્રેન વચ્ચે વધતો સહયોગ બંને દેશોના સંબંધોના ઘણા ક્ષેત્રોમાં દેખાય છે. તેમણે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે સહકારના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે ભારત અને યુક્રેન સંમત છે કે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો યુદ્ધ પહેલાના સ્તરે પુન:સ્થાપિત કરવા જાેઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને ટોચની પ્રાથમિકતા આપશે. ભારતે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત સંવાદ અને રાજદ્વારી દ્વારા લાવવાની સતત હિમાયત કરી છે. નવી દિલ્હી માને છે કે સંઘર્ષનો ઉકેલ ફક્ત વાતચીત દ્વારા જ શક્ય છે. દરમિયાન, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતને સકારાત્મક ગણાવી, કહ્યું કે ભારત અને યુક્રેન વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે બંને દેશો પહેલાથી જ અનેક સંયુક્ત પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે અને હવે તેમને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી છે.
ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી યુક્રેન સાથે પરસ્પર ફાયદાકારક સંબંધોને આગળ વધારવામાં રસ ધરાવે છે અને માને છે કે આ ભાગીદારી બંને દેશોના લોકોને વધુ મજબૂત બનાવી શકે છે. તેમણે સમજાવ્યું કે ઔદ્યોગિક ક્ષેત્ર સહિત ઘણા પ્રોજેક્ટ્સ છે જેને બંને દેશો સંયુક્ત રીતે આગળ વધારી શકે છે. બંને દેશોની ટીમો આ પ્રયાસના તમામ પાસાઓ પર વિગતવાર કામ કરશે. પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે છેલ્લી સીધી વાતચીત ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ થઈ હતી, જ્યારે યુક્રેનિયન રાષ્ટ્રપતિએ તેમને ફોન કર્યો હતો. ઝેલેન્સકી સાથેની વાતચીતના બે દિવસ પછી, પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મળ્યા. અગાઉ, જુલાઈ ૨૦૨૪ માં મોસ્કોની તેમની મુલાકાત દરમિયાન, મોદીએ પુતિનને કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષ યુદ્ધના મેદાનમાં ઉકેલી શકાતો નથી અને બોમ્બ અને ગોળીઓ વચ્ચે શાંતિ સ્થાપિત કરી શકાતી નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના પેલેસમાં આ સંબંધિત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર હતા. ટ્રમ્પ પછી ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને પણ ઈરાનથી ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કર્યા હતા. કરારની જાહેરાત ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે ૫:૩૦ વાગ્યે કરવામાં આવી હતી. તે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. આ કરાર હેઠળ ઈરાન અને લેબનોનમાં સૈન્ય કાર્યવાહી સમાપ્ત કરવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકાની નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવામાં આવશે. આ કરાર પર ૧૯ જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં જીનીવા નજીક લ્યુસર્ન શહેરમાં હસ્તાક્ષર થવાના હતા, પરંતુ નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક દિવસ વહેલા જ તેના પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા છે. સાઇન કરવામાં આવેલી એગ્રીમેન્ટની કોપી ઈરાન અને મધ્યસ્થતા કરાવી રહેલા દેશોને મોકલી દેવામાં આવી છે. આ પહેલા રવિવારે અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે એમઓયુ પર ઈલેક્ટ્રોનિક રીતે સાઇન કર્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એમઓયુ પર સાઇન થવાથી બંને દેશો વચ્ચે આશરે ચાર મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ ગયો છે. જાે કે, શુક્રવારે બંને દેશોના વાર્તા દફ્રોનું જિનીવામાં એકઠા થવાનો કાર્યક્રમ હજુ પણ નક્કી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકનો ઉદ્દેશ્ય કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, આ બેઠક વાસ્તવમાં થશે કે નહીં, તેના પર અંતિમ ર્નિણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.
કુવૈત-ઈરાન વચ્ચે પ્રથમ વાતચીત, હોર્મુઝ પર ચર્ચા
અબ્બાસ અરાઘચીએ કુવૈતના વિદેશ મંત્રી શેખ જર્રાહ જાબેર અલ-અહમદ અલ-સબા સાથે ફોન પર વાત કરી છે. યુદ્ધ શરૂ થયા પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત છે. કુવૈતના વિદેશ મંત્રાલય અનુસાર, વિદેશ મંત્રી શેખ જર્રાહ જાબેર અલ-અહમદ અલ-સબાહે આશા વ્યક્ત કરી કે આ કરાર ક્ષેત્રમાં સ્થિરતા વધારવામાં, હોર્મુઝમાં જહાજાેની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં અને બાકીના વિવાદોનો કાયમી ઉકેલ લાવવામાં મદદ કરશે. જ્યારે અરાઘચીએ કહ્યું કે ખાડી દેશો સાથે વાતચીત ચાલુ રહેવી જાેઈએ, જેથી પરસ્પર સહયોગ વધે અને બાકીના મતભેદો દૂર કરી શકાય. કુવૈત તે ખાડી દેશોમાં શામેલ છે, જેને એપ્રિલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા પછી ઈરાનના હુમલાઓનું નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઈરાન શરતો નહીં માને તો ફરી નાકાબંધી કરીશું અમેરિકાની ચીમકી
અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું છે કે જાે ઈરાન અમેરિકા સાથેના કરારની શરતોનું પાલન નહીં કરે, તો અમેરિકા લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે અને કડક નૌકાદળ નાકાબંધી ફરીથી લાદી શકે છે. નાટો દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠક બાદ હેગસેથે પત્રકારોને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જાે ઈરાન વાતચીત દરમિયાન પોતાના વચનો પૂરા નહીં કરે, તો અમે કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર રહીશું.
રાહતની શુભ શરૂઆત કરાર પછી ઑઈલના ભાવમાં ઘટાડો થયો
વિશ્વમાં ઓઈલની કિંમત નક્કી કરનાર બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડોલર પ્રતિ બેરલથી નીચે રહ્યું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ લગભગ ૨% ઘટીને ૭૮ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું. યુદ્ધ દરમિયાન તેની કિંમત ૧૧૪.૪૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. એટલે કે હવે તે તે સ્તરથી લગભગ ૩૫ ડોલર સસ્તું થઈ ગયું છે. અમેરિકાનું ઉ્ૈં ક્રૂડ ઓઇલ પણ ઘટીને લગભગ ૭૪ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે, જે ત્રણ મહિનાનું સૌથી નીચું સ્તર છે.
Loading ...
