રશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારે સાંજે એક રેસ્ટોરન્ટ નજીક થયેલા વિસ્ફોટમાં ૩ લોકોના મોત થયા છે, ૨૧ લોકો ઘાયલ થયા છે. મધ્ય મોસ્કોમાં એક ખાનગી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે આ વિસ્ફોટ થયો હતો.
ઘટના દરમિયાન ઘરેલું રીતે તૈયાર કરાયેલા બોમ્બ સાથે પહોંચેલી એક મહિલાનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું.દેશની નેશનલ એન્ટી-ટેરરિઝમ કમિટીએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલા કુદ્રિન્સ્કાયા સ્ક્વેર સ્થિત બાલ્ઝી રૉસી રેસ્ટોરન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જાેકે, સુરક્ષા ગાર્ડે તેને રોકી હતી. મહિલા પાસે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ હતું, જે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પહેલાં જ ફાટી ગયું. વિસ્ફોટમાં મહિલા, તેને રોકનાર સુરક્ષા ગાર્ડ અને એક ગ્રાહકના મોત થયા હતા.રશિયન અધિકારીઓએ મહિલાની ઓળખ જાહેર કરી નથી અને તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે પણ કોઈ માહિતી આપી નથી.
તેણે જાણબૂઝીને વિસ્ફોટ કર્યો હતો કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી. શરૂઆતમાં વિસ્ફોટનું કારણ ગેસ સિલિન્ડર ફાટવું હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં રશિયન એન્ટી-ટેરરિઝમ કમિટીએ સ્પષ્ટ કર્યું કે આIEDનો વિસ્ફોટ હતો. હુમલાનું નિશાન રેસ્ટોરન્ટની
બહારની ટેરેસ પર યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં હાજર મહેમાનો હતા.
દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક નાના વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. પાયલોટની સ્થિતિ હજુ સુધી જાણી શકાઈ નથી. આ અકસ્માત થોડા કલાકો પહેલા જ થયો હતો. વિમાન પ્રવાસીઓને પ્રખ્યાત નાઝકા લાઇન્સ તરફ લઈ જઈ રહ્યું હતું ત્યારે તે હવામાં જ ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરો પ્રવાસીઓ હતા. નાઝકા લાઇન્સ એ ઐતિહાસિક પુરાતત્વીય સ્થળોનો સમૂહ છે, જ્યાં જમીનમાં કોતરેલી અસંખ્ય મોટી આકૃતિઓ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં બે ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે. ક્રેશ થયેલ વિમાન આગના ગોળામાં ભડકી ગયું હતું, જેની જ્વાળાઓ દૂરથી દેખાઈ રહી હતી. આનાથી કટોકટી સેવાઓના બચાવ પ્રયાસોમાં અવરોધ ઉભો થયો હતો.રાજ્ય મીડિયાએ દેશના દક્ષિણ ભાગમાં અકસ્માતના સમાચાર પ્રસારિત કર્યા હતા. વિમાન પિસ્કોથી ઉડાન ભરી હતી. અકસ્માતના કારણ અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી ન હતી.
પીડિતોના પરિવારો આઘાતમાં છે. કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી. સરકારે શોક વ્યક્ત કર્યો છે અને તપાસનો આદેશ આપ્યો છે. પેરુમાં ૩૫ મિલિયનથી વધુ લોકોની વસ્તી છે. કેટલાક માને છે કે હવાઈ સેવાઓ સંપૂર્ણપણે સલામત નથી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ ઠાકરેએ એક બોલ્ડ દાવો કરીને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી વધારી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી વાર્ષિક રૂ.૧૮ કરોડની ચોરી થાય છે. એક કાર્યક્રમને સંબોધતા ઠાકરેએ કહ્યું કે આજકાલ મંદિરો પણ સુરક્ષિત નથી. ખરેખર, સ્દ્ગજી વિદ્યાર્થી એકમના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે અન્ય એક મોટો દાવો કરતા કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં ૧૪૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ છે. ઠાકરેએ ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દા પર ચોક્કસપણે બોલવું જાેઈએ.
રાજ ઠાકરેએ કહ્યું કે અયોધ્યા રામ મંદિરમાં ચોરીના મુદ્દે પીએમ મોદીએ નિવેદન આપવું જાેઈએ. તેમણે કહ્યું કે, નિરાશ થયેલા યુવાનો મંદિરો તરફ વળે છે, પરંતુ આ મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત રહ્યા નથી.તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને સિદ્ધિવિનાયક મંદિરના ૮ ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં આવેલા એક પત્રનો હવાલો આપતા કહ્યું કે, મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરનારા કેટલાક કર્મચારીઓને ટ્રસ્ટીઓની સતર્કતાના કારણે પકડી પાડવામાં આવ્યા છે.
ઇન્ડોનેશિયામાંં ૨૭૧ લોકોથી ભરેલી એક ફેરી બોટમાં સમુદ્રમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. જ્યારે ૪૧ લોકો હજુ પણ ગુમ છે. સર્ચ એન્ડ રેસ્ક્યુ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.
કેપ્ટને અહેવાલ આપ્યો હતો કે જ્યારે આ જહાજ પૂર્વ જાવાના ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબયાથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
એજન્સીના ડેટા મુજબ, ફેરીમાં કુલ ૨૭૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી રવિવાર બપોર સુધીમાં ૨૨૫ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. સુરાબયા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના વડા નાનાંગ સિગિટના જણાવ્યા અનુસાર, અનેક નજીકના જહાજાે બચાવ કામગીરીમાં જાેડાયા છે.
તેમણે જણાવ્યું હતું કે,B Hasnur 26 અને બ્રિટીશ મેન્ટર જહાજાે KMP Mutiara Sentosa 2 પરથી કૂદી પડેલા મુસાફરોને બચાવવામાં મદદ કરી રહ્યા છે. હાલમાં ચાર જહાજાે ફેરીની સાથે છે.
દિલ્હીમાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અને છાત્ર આંદોલન ખતમ કર્યા પછી અભિજીત દીપકે કાનૂની મુશ્કેલીમાં ફસાતા દેખાઈ રહ્યા છે. CJP ના લીગલ ડિફેન્સ ફંડ પર સવાલો ઊભા થયા છે. અભિજીત દીપકેના પિતા ભગવાનરાવ દીપકે પાસે એમને અમેરિકા મોકલવા માટે પૈસા ક્યાંથી આવ્યા, જ્યારે કે તેઓ એક નિવૃત્ત કર્મચારી છે? ગુજરાતના સુરત જિલ્લાના RTI એક્ટિવિસ્ટ અમિત તિવારીએ CJP ના લીગલ ડિફેન્સ ફંડ અને અભિજીત દીપકેના પિતાની આર્થિક સ્થિતિની તપાસની માંગ ચૂંટણી પંચ અને સેન્ટ્રલ ય્જી્ બોર્ડના અધિકારીઓ પાસે કરી છે.રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે CJP ને ૧ કરોડની કાનૂની સહાયતા આપવાની જાહેરાત કરી તો શું આ ફંડ પર એમણે ૧૮ ટકા GST ની ચૂકવણી કરી છે કે નહીં? એક પાર્ટીને આટલું ફંડ આપવામાં આવવાની તપાસ થવી જાેઈએ.
Loading ...
