મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષને બહુ મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નોંધાવવામાં આવેલા સત્તાવાર વાંધા બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજન નું નામાંકન પત્ર (ચૂંટણી ફોર્મ) રદ કરી દીધું છે. આ ઘટનાક્રમ બાદ હવે રાજ્યની ત્રણેય રાજ્યસભા બેઠકો પર ભાજપની દાવેદારી મજબૂત થઈ ગઈ છે, અને તેના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
મળતી માહિતી મુજબ, મીનાક્ષી નટરાજન દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપે તેમની સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, નટરાજને તેલંગાણામાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા એક ગુનાહિત કેસની માહિતી સોગંદનામામાં જાણી જાેઈને છુપાવી હતી. આ ઉપરાંત, સોગંદનામામાં તેમની મિલકતો અને બેંક બેલેન્સની વિગતો પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી નહોતી. ચૂંટણી નિયમો અનુસાર, દરેક ઉમેદવારે પોતાના ગુનાહિત કેસ, મિલકત, આવક અને લોનની તમામ વિગતો સંપૂર્ણ પારદર્શિતા સાથે જાહેર કરવી ફરજિયાત હોય છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા ૪૭ વર્ષથી અમલમાં રહેલા ‘લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, ૧૯૭૯‘ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે. આ સાથે જ ૯૭% મુસ્લિમ બહુમતી ધરાવતા આ દ્વીપસમૂહમાં હવે પરવાના (લાઇસન્સ) ધરાવતી દુકાનો અને આઉટલેટ્સ દ્વારા નિયંત્રિત પદ્ધતિથી દારૂના વેચાણને મંજૂરી મળશે. ૫ જૂનના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ નવો ર્નિણય લેવાયો છે.
જૂની સંપૂર્ણ દારૂબંધીના સ્થાને હવે ‘લક્ષદ્વીપ આબકારી નિયમન, ૨૦૨૬‘ લાગુ કરાયો છે. આ કાયદો દારૂના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન, વેચાણ અને વપરાશને નિયંત્રિત કરવા માટે એક કડક લાઇસન્સિંગ ફ્રેમવર્ક પૂરું પાડે છે. આ નિયમ હેઠળ સરકારી માલિકીની કોર્પોરેશનો અને એજન્સીઓ પણ આલ્કોહોલિક
પીણાના રિટેલ વેચાણ માટે લાઇસન્સ મેળવી શકશે.
જાે કે, અહીંની સ્થાનિક સામાજિક અને ધાર્મિક સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દારૂ પર એક્સાઇઝ ટેક્સ અત્યંત ઊંચો રાખ્યો છે. નવા કાયદા હેઠળ પણ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પાસે દારૂના વપરાશ પર નિયંત્રણ રાખવા, ખરીદીની મર્યાદા નક્કી કરવા અને જરૂર જણાયે લક્ષદ્વીપના કોઈપણ ભાગમાં ફરીથી સંપૂર્ણ દારૂબંધી લાદવાની સર્વોચ્ચ સત્તા સુરક્ષિત રાખવામાં આવી છે. આ ઉપરાંત, ૨૧ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને દારૂ વેચવા પર વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ, લક્ષદ્વીપની કુલ ૬૪,૪૭૩ વસ્તીમાંથી ૬૧,૧૨૦ નાગરિકો અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવે છે. અહીં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ ૯૭% છે, જે ભારતમાં સૌથી વધુ છે.
ઇસ્લામ ધર્મમાં દારૂના સેવન પર પ્રતિબંધ હોવાથી, સ્થાનિક ધાર્મિક-સાંસ્કૃતિક માન્યતાઓને માન આપીને ૧૯૭૯માં દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાત અને બિહારની જેમ લક્ષદ્વીપ પણ ‘ડ્રાય સ્ટેટ/ેં્’ હતું. આ પ્રતિબંધ પ્રવાસીઓ માટે ૧૦૦% નહોતો. સરકારી અધિકારીઓ અને વિદેશી પ્રવાસીઓ માટે કવરત્તી અને બાંગારામ ટાપુઓ પર આવેલા સરકારી રિસોર્ટ અને બારમાં મર્યાદિત માત્રામાં દારૂની છૂટ પહેલેથી જ હતી. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રવાસન સ્થળ બનાવવાનો છે. પ્રશાસનનું માનવું હતું કે કડક દારૂબંધીના કારણે લક્ષદ્વીપ માલદીવ્સ જેવા હરીફ દેશોની સરખામણીમાં પ્રવાસીઓને આકર્ષવામાં પાછળ રહી જતું હતું. માલદીવ્સ પણ મુસ્લિમ દેશ હોવા છતાં ત્યાંના પ્રવાસી રિસોર્ટ્સમાં વિદેશીઓ માટે દારૂ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
અમેરિકી રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ ((FY27) માટે ભારતના જીડીપી (ય્ડ્ઢઁ) વૃદ્ધિ દરનો અંદાજ ૬.૭% થી ઘટાડીને ૬.૪% કર્યો છે. ફિચનું કહેવું છે કે અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પડશે.
ફિચ રેટિંગ્સે તેના જૂન ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા તેલ સંકટની અસર વૈશ્વિક અને ભારતીય અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાશે. રેટિંગ એજન્સી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બીજા (સપ્ટેમ્બર) અને ત્રીજા (ડિસેમ્બર) ક્વાર્ટરમાં આર્થિક મંદી સૌથી વધુ જાેવા મળશે.
યુદ્ધના કારણે વધતી કિંમતો લોકોની વાસ્તવિક આવકને અસર કરી રહી છે. તેનાથી કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એટલે કે સામાન્ય ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થશે. જાેકે, દેશની અંદર કેપિટલ એક્સપેન્ડિચરમાં મજબૂતી જળવાઈ રહી છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ છેલ્લા ૧૪ અઠવાડિયાથી બંધ છે. ફિચે અનુમાન લગાવ્યું છે કે તે જુલાઈ પહેલા ખુલશે નહીં. આ જ તેલ સંકટના કારણે ફિચે વર્ષ ૨૦૨૬ માટે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમતનો અંદાજ ૭૦ ડોલર પ્રતિ બેરલથી વધારીને ઇં૮૭ પ્રતિ બેરલ કરી દીધો છે. તાજેતરના અઠવાડિયામાં જ ઇંધણની કિંમતો ૪-૫% સુધી વધી ચૂકી છે.
ફિચે જણાવ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં જીડીપી વૃદ્ધિ ઘટીને ૬.૪% રહેશે, જે અમારા માર્ચના અંદાજ કરતાં ૦.૩% ઓછી છે. જાેકે, ઘરેલું માગ જ આ વૃદ્ધિની મુખ્ય ચાલક બની રહેશે. આ સાથે, વાસ્તવિક રીતે ઓછી આયાત થવાને કારણે નેટ એક્સટર્નલ ડિમાન્ડનો વૃદ્ધિમાં સકારાત્મક યોગદાન રહેશે.
ભારતમાં હાલમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી ૩.૫% અને જથ્થાબંધ મોંઘવારી (WPI) એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૮.૩% રહી છે. જાેકે, રિટેલ મોંઘવારી હજુ બહુ વધી નથી, પરંતુ દબાણ સતત વધી રહ્યું છે.
ફિચનો અંદાજ છે કે બેઝ ઇફેક્ટ અને મોંઘી ઊર્જાને કારણે આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં મોંઘવારી દર વધીને ૫.૩% સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, દેશના કેટલાક ભાગોમાં ચાલી રહેલી હીટવેવ અને સરેરાશથી ઓછા ચોમાસાના અંદાજે પણ મોંઘવારીનું જાેખમ વધારી દીધું છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલી હિંસક સૈન્ય કાર્યવાહી અને દમનકારી નીતિઓ સામે હવે વૈશ્વિક સ્તરે વિરોધ શરૂ થઈ ગયો છે. બ્રિટનમાં રહેતા કાશ્મીરી સમુદાયના લોકો અને માનવાધિકાર કાર્યકરોએ લંડન સહિતના વિવિધ શહેરોમાં પાકિસ્તાનના રાજદ્વારી મિશનો બહાર એકત્રિત થઈને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સેંકડો પ્રદર્શનકારીઓએ પાક સરકાર અને આર્મી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનની સડકો પાકિસ્તાન વિરોધી નારાઓથી ગુંજી ઉઠી હતી. પ્રદર્શનકારીઓએ ‘પાકિસ્તાની આર્મી ગો બેક’, ‘હમ છીન કર લેંગે આઝાદી’, ‘યે જાે દહેશતગર્દી હૈ, ઇસકે પીછે વર્દી હૈ’ અને ‘તેરા બાપ ભી દેગા આઝાદી’ જેવા આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ર્ઁદ્ભમાં નિર્દોષ નાગરિકોની હત્યાઓ થઈ રહી છે, મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે અને લોકોનો અવાજ દબાવવા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. લંડન ઉપરાંત બ્રિટનના અન્ય અગ્રણી શહેરોમાં પણ પાકિસ્તાની દૂતાવાસોની બહાર આવા જ પ્રદર્શનો યોજાયા હતા. પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાય અને વૈશ્વિક સંસ્થાઓને પીઓકેની ગંભીર સ્થિતિ પર ધ્યાન આપવા અને માનવાધિકાર ઉલ્લંઘનની સ્વતંત્ર તપાસ કરાવવા અપીલ કરી છે. તાજેતરમાં જ પીઓકેમાં સક્રિય સંગઠન ‘જાેઇન્ટ અવામી એક્શન કમિટી’પર પ્રતિબંધ મુકાયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.
પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેમાં પાકિસ્તાની સેનાનો ક્રૂર ચહેરો ફરી એકવાર દુનિયાની સામે આવ્યો છે. પીઓકેમાં પોતાના હકો માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર પાકિસ્તાન સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હિંસક કાર્યવાહીમાં ૩૦થી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પીઓકેના સૌથી મોટા નાગરિક અધિકાર સંગઠન ‘જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમેટી‘ દ્વારા ૯ જૂનના રોજ એક ભવ્ય ‘લોન્ગ માર્ચ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે, આ આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાનની કઠપૂતળી સરકારે આ સંગઠનને જ ‘આતંકવાદી સંગઠન‘ જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા ઘણા મહિનાઓથી ‘જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમેટી‘ના નેતૃત્વમાં પીઓકેની જનતા પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી છે. આ આંદોલનનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા અહીંના સ્થાનિક લોકો સાથે કરવામાં આવતું ભેદભાવભર્યું વર્તન છે. પીઓકેના નાગરિકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર તેમના કુદરતી સંસાધનોનો આડેધડ ઉપયોગ કરીને અબજાે રૂપિયા કમાય છે, પરંતુ તેના બદલામાં સ્થાનિક લોકોને માત્ર આર્થિક તબાહી, મોંઘવારી અને ભેદભાવ જ મળે છે. અહીંના લોકોને દ્વિતીય શ્રેણીના નાગરિક ગણીને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. હાલમાં રાજીવકોટ શહેર આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. પ્રશાસન દ્વારા JAACના કાર્યકરો અને નેતાઓની ધરપકડ શરૂ કરાતા મામલો વધુ બિચક્યો હતો. આંદોલનકારીઓનો અવાજ દબાવવા માટે પાકિસ્તાન સરકારે ૫ જૂનની રાતથી જ સમગ્ર પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરી દીધી છે, જેથી લોકો એકબીજા સાથે સંપર્ક ન કરી શકે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીરને આ હિંસાનો અંદાજાે પહેલાથી જ હતો. આથી જ સરકારે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને પ્રવાસીઓને ૫ જૂનથી ૨૦ જૂન વચ્ચે પીઓકેનો પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી દીધી હતી.
Loading ...
