નવીદિલ્હી: IPL ૨૦૨૬ની તૈયારીઓ દરેક ટીમે શરૂ કરી દીધી છે. જેના ભાગરુપે ગુજરાત ટાઇટન્સ ની ટીમે સોમવારે આગામી સીઝન માટેની ટિકિટોના ડિજિટલ વેચાણના પ્રારંભની જાહેરાત કરી હતી. ગુજરાત ટાઇટન્સે હોમ મેચો માટે ટિકિટોની કિંમત ૧૦૦૦ થી ૨૫ હજાર સુધીની રાખવાની જાહેરાત કરી છે.આ સાથે ગુજરાત ટાઇટન્સે ફેન્સને ફરજીયાત ફિઝિકલ ટિકિટ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ આપવા એમ-ટિકિટની પહેલ શરૂ કરી છે. જેથી દર્શકોને મોબાઈલ પર ક્યુઆર કોડવાળી ટિકિટ ફોન પર મળશે અને પછી તેમણે ફિઝિકલ ટિકિટ રાખવાની જરૂર નહીં પડે. સામાન્ય સ્ટેન્ડ્સ માટે કિંમત ૧ થી ૩ હજારની (૧૦૦૦, ૧૫૦૦, ૧૮૦૦, ૩૦૦૦) રહેશે. જ્યારે મેચ-ડે પર પ્રિમિયમ અનુભવ માટે પ્રેસિડન્ટ ગેલેરીની ટિકિટ ૧૦ અને ૧૨ હજારમાં મળશે. જ્યારે પ્રિમિયમ સુઈટ્સ અને પ્રેસિડેન્શિયલ સુઈટ્સની ટિકિટો અનુક્રમે ૧૮,૦૦૦ અને ૨૫ હજારમાં મળશે.ગુજરાતની ટીમ પોતાની પ્રથમ હોમ મેચ ૪ એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે રમશે. પ્રથમ તબક્કાના મુકાબલામાં ગુજરાતની ટીમ ઘરની બહાર ૩ મેચ રમશે. જેમાં પંજાબ સામે (૩૧ માર્ચ), દિલ્હી સામે (૮ એપ્રિલ) અને લખનઉ સામે (૧૨ એપ્રિલ)ની મેચ સામેલ છે. ટીમના કર્નલ અરવિન્દર સિંહે કહ્યું કે,’અમે સતત ફેન-ફ્રેન્ડલી અનુભવ પર કામ કરી રહ્યા છીએ, જેથી એમ-ટિકિટને લોન્ચ કરવામાં આવી છે. જેથી દર્શકોનું ધ્યાન રમતને માણવા પર વધુ રહે.’
નવીદિલ્હી: પ્રીમિયર લીગે ચેલ્સી ફૂટબોલ ક્લબ પર નાણાકીય નિયમોના ઉલ્લંઘનના કેસમાં ૯૨ (૧૦ મિલિયન પાઉન્ડ) કરોડનો દંડ ફટકાર્યો છે.
ક્લબ પર એક વર્ષનો ટ્રાન્સફર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ તેને બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. આ કાર્યવાહી ૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન કરવામાં આવેલી ગુપ્ત ચૂકવણીઓને લઈને કરવામાં આવી છે. ક્લબે ઈડન હેઝાર્ડ, વિલિયન અને ડેવિડ લુઈઝ જેવા મોટા ખેલાડીઓને સાઈન કરવા માટે અનરજિસ્ટર્ડ એજન્ટોને કરોડો રૂપિયા આપ્યા હતા.
આ આખી ગડબડ તે સમયની છે જ્યારે ક્લબના માલિક રશિયન અબજાેપતિ રોમન અબ્રામોવિચ હતા. વર્ષ ૨૦૨૨માં જ્યારે ‘બ્લુકો’ ગ્રુપે ક્લબ ખરીદ્યું, ત્યારે તેમને એકાઉન્ટ્સની તપાસ દરમિયાન આ ગુપ્ત ચૂકવણીઓ વિશે જાણ થઈ. નવા મેનેજમેન્ટે પોતે આગળ વધીને પ્રીમિયર લીગને આ ઉલ્લંઘનોની જાણકારી આપી. તપાસમાં સામે આવ્યું કે ક્લબ સાથે સંકળાયેલા ત્રીજા પક્ષ દ્વારા ખેલાડીઓ, અનરજિસ્ટર્ડ એજન્ટો અને અન્ય લોકોને ગુપ્ત ચૂકવણીઓ કરવામાં આવી હતી. આ ચૂકવણીઓની જાણકારી તે સમયે ફૂટબોલ ઓથોરિટીને આપવામાં આવી ન હતી, જે નિયમો વિરુદ્ધ છે.
પ્રીમિયર લીગ અનુસાર, આ ચૂકવણીઓ ચેલ્સીના હિતમાં કરવામાં આવી હતી અને તેને ક્લબના ખર્ચ તરીકે દર્શાવવી જાેઈતી હતી. ક્લબે એ પણ સ્વીકાર્યું કે આ ચૂકવણીઓને છુપાવવી અને સાચી જાણકારી ન આપવી એ નિયમોનું ઉલ્લંઘન છે.
જાેકે, તપાસ પછી એ સ્પષ્ટ થયું કે જાે આ ચૂકવણીઓને યોગ્ય રીતે શામેલ કરવામાં આવી હોત, તો પણ ચેલ્સી નિયમોનું ઉલ્લંઘન ન કરત. જાે ક્લબે પોતે આની જાણકારી ન આપી હોત, તો તેમના પર વધુ કડક કાર્યવાહી થઈ શકતી હતી અને તેમના પોઈન્ટ્સ પણ કાપી શકાયા હોત.તપાસમાં સામે આવ્યું છે કે ક્લબે સાત અનરજિસ્ટર્ડ એજન્ટો અથવા તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને કુલ ૨૩ મિલિયન પાઉન્ડ (લગભગ ૨૫૦ કરોડ રૂપિયા) આપ્યા હતા. આ પૈસા ઈડન હેઝાર્ડ, રામિરેસ, ડેવિડ લુઈઝ, આન્દ્રે શુર્લે અને નેમાનજા મેટિક જેવા ખેલાડીઓને સાઈન કરવા માટે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેમ્યુઅલ ઈટો અને વિલિયનની ટ્રાન્સફર ફી તરીકે લગભગ ૨૧૦ કરોડ રૂપિયાની ચુકવણી પણ રેકોર્ડમાં દર્શાવવામાં આવી ન હતી.
માત્ર ખેલાડીઓના ટ્રાન્સફર જ નહીં, પરંતુ ક્લબના સ્ટાફને કરવામાં આવેલી ચુકવણીમાં પણ ગડબડ જાેવા મળી. ક્લબના તત્કાલીન ડાયરેક્ટર ઓફ ફૂટબોલ ફ્રેન્ક અર્નેસન, સ્કાઉટ પીટ ડી વિસર અને અન્ય એક સ્ટાફ મેમ્બરને લગભગ ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેને તેમનો પગાર માનવામાં આવ્યો હતો પરંતુ તેને સત્તાવાર રીતે રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો.
પટણા, બિહારના તમામ પાંચ એનડીએ ઉમેદવારો રાજ્યસભા ચૂંટણી જીતી ગયા છે. વિધાનસભા ચૂંટણીઓ પછી, મહાગઠબંધનને હવે રાજ્યસભા ચૂંટણીઓમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. બિહારમાંથી ખાલી પડેલી પાંચ રાજ્યસભા બેઠકો માટે, એનડીએએ બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઇટેડના વડા નીતિશ કુમાર અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી રામ નાથ ઠાકુર, રાષ્ટ્રીય લોક મોરચાના વડા ઉપેન્દ્ર કુશવાહા (બંને વર્તમાન રાજ્યસભા સભ્યો) અને ભાજપના શિવેશ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા. તે બધા જીત્યા છે. બિહારમાં પાંચ બેઠકો માટે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં, ૨૦૨ એનડીએ ધારાસભ્યોએ મતદાન કર્યું. માત્ર ૩૭ મહાગઠબંધન ધારાસભ્યોએ મતદાન કર્યું. મહાગઠબંધન વતી, કોંગ્રેસના ધારાસભ્ય મનોજ વિશ્વાસ, કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર કુશવાહા, કોંગ્રેસના ધારાસભ્ય મનોહર પ્રસાદ સિંહ અને રાજદ ધારાસભ્ય ફૈઝલ રહેમાને મતદાન કર્યું ન હતું. બિહારમાં કુલ ૨૪૩ વિધાનસભા બેઠકો છે. અહીં પાંચ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ હતી. બિહારમાં એનડીએ પાસે ૨૦૨ ધારાસભ્યો છે, જ્યારે મહાગઠબંધન પાસે ૩૫ ધારાસભ્યો છે. ખરી હરીફાઈ પાંચમી બેઠક માટે હતી બિહારમાં, રાજ્યસભાના ઉમેદવારને જીતવા માટે ૪૧ ધારાસભ્યોના મતોની જરૂર હતી. પરિણામે, એનડીએને ચાર બેઠકો જીતવા માટે ૧૬૪ ધારાસભ્યોની જરૂર હતી. એનડીએ પાસે ૩૮ ધારાસભ્યો હતા, અને પાંચમી બેઠક જીતવા માટે તેમને વધુ ત્રણ ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી, જે એનડીએએ સરળતાથી મેળવી લીધી. એઆઇએમઆઇએમ અને બસપાના સમર્થન છતાં, મહાગઠબંધન ૪૧ સભ્યોના આંકડા સુધી પહોંચી શક્યું નહીં.
નવી દિલ્હી, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે ખાડીના દેશોમાંથી એલપીજી લઈને આવી રહેલા ભારતીય જહાજ શિવાલિક મુન્દ્રા પોર્ટ પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફસાયેલું હતું. હવે આ જહાજ યુદ્ધથી પ્રભાવિત વિસ્તારમાંથી નીકળીને ભારત પહોંચ્યું છે. શિપિંગ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જહાજ વિશે જાણકારી આપી છે. વળી, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનથી ૫૫૦ નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે આ જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન એલપીજી ભરેલો છે. જે હવે સુરક્ષિત રીતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજમાંથી ૨૦ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ મુન્દ્રા પોર્ટ પર અનલોડ થશે, જ્યારે ૨૪ હજાર મેટ્રિક ટન સાથે શિવાલિક જહાજ મેંગ્લોર પોર્ટ પર અનલોડિંગ કરવા માટે આજે રાતે રવાના થશે. આઇઓસીએલ કંપનીના ગેસ બોટલિંગ પ્લાન્ટમાં મુન્દ્રાથી ટેન્કર અને પાઇપલાઇન મારફતે પહોંચશે. ગયા શનિવારે ભારતીય ધ્વજ ધરાવતાં બે એલપીજી જહાજાે શિવાલિક અને નંદા દેવી આશરે ૯૨,૭૧૨ મેટ્રીક ટન એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટને પાસ કરી ભારત તરફ રવાના થયાં હતા. શિંપિગ મંત્રાલયના જણાવ્યાં મુજબ, ફારસની ખાડીમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે હજુ ૨૨ ભારતીય જહાજાે હાજર છે, જેનાં પર ૬૧૧ નાવિકો સવાર છે. તમામ નાવિકો સુરક્ષિત છે અને પરિસ્થિતિ પર સરકારની સતત નજર છે. આજે મુંદ્રા પોર્ટ પર આવેલાં શિવાલિકમાં એલપીજીનો એટલો જથ્થો છે, જેમાંથી લાખો પરિવારનો ચુલો દિવસો સુધી પ્રગટતો રહે તેવી બાયધરી આપી શકાય છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અનેએલપીજી-સીએનજીનો પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં.
ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે જહાજાે સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા : જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજાે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવા માટે યુદ્ધ જહાજાે મોકલવાની અપીલ કરી છે. એક ઈન્ટરવ્યુમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. તેના પરિણામે શનિવારે ભારતીય ધ્વજ ધરાવતા બે ગેસ ટેન્કર પર્શિયન ગલ્ફમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી. આ કોઈ લેણ-દેણનો મામલો પણ નથી, ઈરાનને તેના બદલામાં કશું આપવામાં આવ્યું નથી. આ સફળતા બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને આભારી છે. દરેક જહાજની અવરજવર માટે અલગથી વાતચીત કરવામાં આવે છે. જયશંકરે જણાવ્યું કે, મારી ઈરાન સાથે સતત વાટાઘાટો ચાલી રહી છે. જાે તેનું કોઈ પરિણામ મળે છે, તો સ્વાભાવિક છે કે હું તેને આગળ પણ ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ. ભારતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એ જ છે કે અમે વાતચીત કરતા રહીએ અને તાલમેલ દ્વારા સમાધાન શોધીએ. જાે તેના કારણે અન્ય દેશો માટે પણ વાતચીતનો રસ્તો ખુલી જતો હોય, તો વિશ્વ માટે તે સવર્શ્રેષ્ઠ રહેશે.
વૈશ્વિક ઓઇલ ઈન્ડસ્ટ્રીની ટ્રમ્પને ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક ટેન્શન ચરમસીમાએ છે. દુનિયાભરમાં તેલ અને ગેસનું સંકટ સતત વધી રહ્યું છે અને હાલમાં આ સમસ્યાનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. અમેરિકાની દિગ્ગજ તેલ કંપનીઓના સીઆઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઊર્જા સંકટ વધુ વકરવાની અને ક્રૂડની કિંમતો આસમાને પહોંચવાની ચેતવણી આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એક્સન મોબિલ, શેવરોન અને કોનોકોફિલિપ્સ જેવી કંપનીઓના વડાઓએ વ્હાઈટ હાઉસમાં મહત્વની બેઠક કરી હતી. તેલ ઉદ્યોગના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, હોર્મુઝની સામુદ્રધુની એ તેલ-ગેસ સપ્લાય માટેનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ છે. જાે અહીં યુદ્ધને કારણે અવરોધ ઊભો થશે, તો ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભારે અસ્થિરતા આવશે. જાે સપ્લાય ઓછો થશે અને બજારમાં અટકળો તેજ થશે, તો ક્રૂડ ઓઈલની કિંમતો વર્તમાનના ઉચ્ચ સ્તરને પણ વટાવી જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો સતત વધી રહી છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ૧૦૫ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. ડબલ્યૂટીઓઇ ક્રૂડ ૧૦૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે. તેલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે જાે હોર્મુઝ માર્ગ ફરીથી સંપૂર્ણપણે સુરક્ષિત નહીં થાય, તો બજારને સ્થિર કરવું અશક્ય બની જશે.
યુદ્ધ જહાજાે મોકલવા ટ્રમ્પની હાકલનું સુરસુરિયું
હોર્મુઝની ખાડીને ‘ખુલ્લી તથા સલામત’ રાખવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા બ્રિટન સહિત અનેક દેશોને યુદ્ધ જહાજાે મોકલવા હાકલ કરી હતી. ઓઈલની કિંમતોમાં ભડકો વૈશ્વિક અર્થતંત્રને દઝાડી રહ્યો છે ત્યારે આ યુદ્ધમાં ઝુકાવવા મોટાભાગના દેશો આનાકાની કરી રહ્યા છે. યુએસ એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટના જણાવ્યા મુજબ, કેટલાક દેશો સાથે સંવાદ ચાલી રહ્યો છે અને ચીન હકારાત્મક ભાગીદાર બનશે તેવી અપેક્ષા હતી. જાે કે હજુ સુધી કોઈ દેશે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘાચીએ કહ્યું હતું કે, પોતાના જહાજાેને સેફ પેસેજ આપવા સંદર્ભે ઘણા દેશોએ ઈરાનનો સંપર્ક કર્યાે છે અને હવે સૈન્ય ઉચિત ર્નિણય લેશે. યુએસ-ઈરાન વચ્ચે પરોક્ષ વાતચીત ચાલી રહી હતી ત્યારે યુએસ-ઈઝરાયેલે ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ-યુએસ દ્વારા આયોજનબદ્ધ હુમલા શરૂ થયા હતા. બ્રિટનના એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે કહ્યું હતું કે, હોર્મુઝની ખાડી ફરી શરૂ કરવાનું જરરી છે અને આગામી પગલા અંગે મિત્ર રાષ્ટ્રો સાથે સંતલસો ચાલી રહી છે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની હાકલને ઠંડો પ્રતિસાદ આપતા કહ્યું હતું કે, ઝીણવટથી સ્થિતિની સમીક્ષા થઈ રહી છે અને તે સંદર્ભે યુએસ સાથે વાટાઘાટો થશે. ગુરુવારે જાપાનના વડાપ્રધાન સેને ટાકાઈચી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને મળવાના છે.
વોશિંગ્ટન, અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથેના યુદ્ધે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. યુદ્ધના ત્રીજા સપ્તાહમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મુખ્ય ઓઈલ એક્સપોર્ટ હબ ખાર્ગ આઇલેન્ડ પર વધુ હુમલા કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકન હુમલાઓએ આ ટાપુનો મોટો હિસ્સો પહેલેથી જ તબાહ કરી દીધો છે અને હજી વધુ હુમલા થઈ શકે છે.વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ ઊભું થયું છે અને તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “જે દેશો આ માર્ગે તેલ મેળવે છે, તેમણે તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી પડશે, અમેરિકા તેમને ઘણી મદદ કરી છે.” ટ્રમ્પે ચીન, ફ્રાંસ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને પોતાના યુદ્ધ જહાજાે આ વિસ્તારમાં તૈનાત કરવા વિનંતી કરી છે. હજી સુધી કોઈ દેશે આ અંગે સ્પષ્ટ સંમતિ આપી નથી.
Loading ...
