દિલ્હી હાઈકોર્ટે વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોની અરજી પર કોઈ વચગાળાની રાહત આપી નથી. કોર્ટે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની અરજીને ફગાવી દીધી છે.
જસ્ટિસ મિની પુષ્કર્ણાની કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાંગચુકના કથળતા આરોગ્યને જાેતા તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો સરકારનો ર્નિણય કોઈપણ રીતે મનસ્વી કે ગેરકાનૂની નથી.જ્યારે કોઈ સામાજિક કાર્યકર્તા જનહિતના મુદ્દે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરે છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની જવાબદારી કોની બને છે? શું સરકાર તેમની મરજી વિરુદ્ધ તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકે? આવા જ કેટલાક જટિલ કાનૂની અને નૈતિક સવાલો વચ્ચે, દિલ્હી હાઈકોર્ટે રવિવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક ડિસ્ચાર્જ આપવાનો ઇનકાર કરી દીધો છે.
કોર્ટે નોંધ્યું હતું કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર ડોક્ટરો સતત દેખરેખ રાખી રહ્યા છે. આ સ્થિતિમાં, તેમના શારીરિક સ્વાયત્તતાના અધિકારનું કોઈ ઉલ્લંઘન થયું નથી. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું, કે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, સરકારે વાંગચુકના સ્વાસ્થ્યને કારણે જ તેમને હોસ્પિટલમાં ખસેડવાનો ર્નિણય લીધો છે, તેથી આ કોર્ટ તેને કોઈ મનસ્વી પગલું માનતી નથી.
યુએસ ફાઇટર જેટ્સે ઈરાનના કેશ્મ ટાપુ પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે.ટાપુ પર બે વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા.
યુએસ સૈન્યએ વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિત ઈરાની બંદર શહેર સિરિકને પણ નિશાન બનાવ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડ એ સતત આઠમી રાત્રે લશ્કરી કાર્યવાહીની પુષ્ટિ કરી છે.૨૮ ફેબ્રુઆરીથી આ સંઘર્ષમાં ૧૬ યુએસ સૈનિકોના મોત થયા છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે લશ્કરી કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું છે કે સૈનિકોએ ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવા માટે અંતિમ બલિદાન આપ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેનીએ જણાવ્યું હતું કે આ હુમલાઓ ફરી એકવાર યુએસ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પ્રત્યે સંપૂર્ણ અવગણના દર્શાવે છે. ખામેનીએ તેમના પિતાની હત્યા પછી સત્તા સંભાળી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાની રાષ્ટ્ર અને પ્રતિકાર મોરચો અમેરિકાને એવો પાઠ શીખવશે જે તે ક્યારેય ભૂલી શકશે નહીં.
ઈરાનના ઍરબેઝ પર મિસાઈલ હુમલામાં બે અમેરિકી સૈનિકો માર્યા ગયા અને એક ગુમ
ઈરાને ગયા શનિવારે જાેર્ડન પર મોટો હુમલો કર્યો. બે અમેરિકી સૈનિકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. એક સૈનિક ગુમ થયો છે. આ હુમલો મુવફ્ફક સાલ્ટી એરબેઝ પર કરવામાં આવ્યો હતો. ઈરાને એરબેઝ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. એવું કહેવાય છે કે ઈરાની મિસાઈલે સૈનિકોના સૂવાના ક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું, જે બેઝનો સૌથી સંવેદનશીલ ભાગ માનવામાં આવે છે.
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંચ જિલ્લામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું છે. ૧૧ લોકોના મોત થયા છે.અનેક લોકો ઘાયલ થયા છે. મુશળધાર વરસાદને કારણે ઘણા ઘરો, રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું છે.
પ્રશાસન, સેના અને રાહત એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે લોકોને નદીઓ, નાળાઓ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. રાજૌરી અને પૂંચના નીચલા વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે. સેના, પોલીસ, એસડીઆરએએફ અને અન્ય એજન્સીઓની ટીમો રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે સ્થાનિક તંત્ર સાથે કામ કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો સુધી જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આનાથી અચાનક પૂર, ભૂસ્ખલન અને નદી અને નાળાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાનું જાેખમ રહેલું છે. આ આપત્તિએ ઘણા પરિવારોના જીવનને ગંભીર અસર કરી છે. ઘણા ઘરોને નુકસાન થયું છે, જ્યારે ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ કામચલાઉ રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
નાગાલેન્ડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં આઠ લોકોનાં મોત
નાગાલેન્ડના મોન જિલ્લામાં રવિવારે સવારે સતત મુશળધાર વરસાદ વચ્ચે થયેલા મોટા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ૧૦ થી ૧૫ ઘરો દટાઈ ગયા, જેમાં ૧૩ ઘરો સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. મુખ્યમંત્રી નેફિયુ રિયોએ ઊંડી સંવેદના વ્યક્ત કરી અને મૃતકોના પરિવારોને તાત્કાલિક સહાય અને અસરગ્રસ્ત પરિવારોને રાહત સહાયની જાહેરાત કરી. મોન ડેપ્યુટી કમિશનર વેનયેઈ કોન્યાકે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે, અને ચાર અન્ય કાટમાળ નીચે દટાયેલા છે. તેમણે કહ્યું, “સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો મોન ટાઉન અને તિઝિટ છે. સવારે ૧ વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો અને અમને સવારે ૬-૭ વાગ્યાની આસપાસ ભૂસ્ખલનના અહેવાલો મળ્યા હતા.” એનડીઆરએફ, પોલીસ, આસામ રાઇફલ્સ, એનડીઆરએફઅને સ્થાનિક લોકોની ટીમો શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. અત્યાર સુધીમાં, અમે કાટમાળમાંથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે, જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. બાર અન્ય ઘાયલ થયા છે. અનેક સ્થળોએ શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
રવિવારે સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાંથી વિપક્ષી પક્ષોએ “વોકઆઉટ” કર્યું, જેમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયાને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ પગલું ધોરણોની વિરુદ્ધ છે અને ટીએમસીના બળવાખોર સાંસદોના “કહેવાતા એનસીપીઆઈ”માં વિલિનીકરણને લોકસભા સ્પીકરે મંજૂરી આપી નથી.ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે વિપક્ષી પક્ષોએ સરકારના ર્નિણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સર્વપક્ષીય બેઠક શરૂ થયા પછી તરત જ વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કર્યું. “આજે, કોંગ્રેસ, સપા.ર્, ડીએમકે, જેએમએમ, આપ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, ડાબેરી પક્ષો, શિવસેના યુબીટી સહિત સમગ્ર વિપક્ષે વિરોધમાં સર્વપક્ષીય બેઠકમાંથી વોકઆઉટ કર્યું છે.
ટેબલ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવેલી યાદીમાં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની સંખ્યા ૨૮ સભ્યો દર્શાવવામાં આવી છે. આ કહેવાતા બળવાખોર ૨૦ સાંસદો, તેમના વિલીનીકરણને સ્પીકર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી,” મોઇત્રાએ જણાવ્યું. “૨૦ ગેરલાયકાત અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. ૯૧મા સુધારા પછી, અલગ જૂથ માટે કોઈ જગ્યા નથી.
કેન્દ્ર સરકાર સોમવારથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં પાંચ નવા બિલ રજૂ કરશે. આમાં આવકવેરા અને MSME સુધારાઓ, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા અને જન્મ અને મૃત્યુ નોંધણી કાયદામાં સુધારો કરવા સંબંધિત દરખાસ્તો શામેલ છે. સરકાર આવકવેરા (સુધારા) બિલ, ૨૦૨૬ અને સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ, ૨૦૨૬ રજૂ કરશે. આ બે બિલ અગાઉ જારી કરાયેલા વટહુકમોને બદલશે.
સરકાર જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, ૨૦૨૬, રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલ, ૨૦૨૬ રજૂ કરશે. આવકવેરા (સુધારા) બિલ, ૨૦૨૬, અગાઉ જારી કરાયેલા વટહુકમોને બદલવાનો હેતુ ધરાવે છે. તે ભારતના સાર્વભૌમ દેવા બજારને મજબૂત કરવા, વૈશ્વિક મૂડી રોકાણને આકર્ષવા અને વૈશ્વિક ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપો વચ્ચે પ્રવાહિતા વધારવા માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. ગયા મહિને, સરકારે પશ્ચિમ એશિયા કટોકટીને કારણે રૂપિયા પર વધતા દબાણને ઘટાડવા માટે વિદેશી મૂડી આકર્ષવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો. આ વટહુકમ હેઠળ, વિદેશી રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝ પર મેળવેલા વ્યાજ અને મૂડી લાભ પર આવકવેરામાં મુક્તિ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારો બિલ, ૨૦૨૬ માં ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા ૩૩ થી વધારીને ૩૭ કરવાનો પ્રસ્તાવ છે. આ બિલનો ઉદ્દેશ્ય પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલને સરળ બનાવવાનો છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલ, ૨૦૨૬ નો ઉદ્દેશ્ય સ્જીસ્ઈ ક્ષેત્રમાં વ્યવસાય કરવાની સરળતા અને ટ્રસ્ટ-આધારિત નિયમનકારી પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો, વિલંબિત ચુકવણીના મુદ્દાઓને ઉકેલવા માટેની પદ્ધતિને મજબૂત બનાવવાનો અને રાજ્યોને વધુ સત્તાઓ આપવાનો છે. જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, ૨૦૨૬, મૂળ ૧૯૬૯ કાયદા ની કલમ ૧૩(૩) માં સુધારો કરે છે જેથી જન્મ અને મૃત્યુની વિલંબિત નોંધણીને નિયંત્રિત કરતા નિયમોને વધુ કડક અને સુવ્યવસ્થિત બનાવી શકાય.
રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬, રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરતા અથવા રાષ્ટ્રીય સન્માનને નુકસાન પહોંચાડતા કૃત્યો સામે વધુ કડક કાર્યવાહીની જાેગવાઈ કરવા માટે ૧૯૭૧ કાયદામાં સુધારો કરવાનો હેતુ ધરાવે છે. સરકાર સંસદમાં પહેલાથી જ પેન્ડિંગ બે બિલો પર પણ ચર્ચા આગળ વધારશે: વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, ૨૦૨૬, જે ૨૫ માર્ચ, ૨૦૨૬ ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, અને વિકાસિત ભારત શિક્ષા પ્રતિષ્ઠા બિલ, ૨૦૨૫, જે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રજૂ કરાયું હતું, અને પછી ુ વિચારણા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલાયું હતું. સરકાર સંસદમાં ચર્ચા અને મતદાન માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે પૂરક અનુદાનની માંગ પણ રજૂ કરશે. ૧૩ ઓગસ્ટ સુધી ચાલનારા ચોમાસુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થવાની ધારણા છે. સત્રના પહેલા દિવસે, બંને ગૃહોમાં વિપક્ષી પક્ષોના નેતાઓ સંયુક્ત રણનીતિ ઘડવા માટે મળશે.
Loading ...
