સંસદમાં સીમાંકન અને ‘વન નેશન, વન ઈલેક્શન’ જેવા દૂરોગામી ફેરફારો લાગુ કરવા માટે સરકારને બંધારણીય સુધારાની જરૂર છે. એપ્રિલ ૨૦૨૬માં ૧૩૧મું બંધારણીય સુધારો બિલ લોકસભામાં પસાર ન થઈ શક્યા બાદ ભાજપના નેતૃત્વ હેઠળની દ્ગડ્ઢછ કોઈપણ ભોગે બે-તૃતીયાંશ બહુમતી મેળવવાની રણનીતિ પર કામ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સીમાંકન દ્વારા મોદી સરકારનો પ્લાન લોકસભાની બેઠકો ૫૪૩થી વધારીને ૮૫૦ કરવાનો છે. બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોની ઓછામાં ઓછી બે-તૃતીયાંશ બહુમતી અને ગૃહની કુલ સભ્ય સંખ્યાની પૂર્ણ બહુમતી હોવી અનિવાર્ય હોય છે. આ ગણતરી મુજબ ૫૪૩ બેઠકો ધરાવતી લોકસભામાં આ જાદુઈ આંકડો ૩૬૨નો છે. એપ્રિલ ૨૦૨૬માં સીમાંકન બિલની તરફેણમાં માત્ર ૨૯૮ વોટ જ પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, હાલમાં લોકસભામાં ૫૪૦ સાંસદો હાજર છે અને ત્રણ બેઠકો ખાલી છે. ભાજપની આગેવાની હેઠળની NDA હવે કોઈપણ ભોગે ગૃહમાં બે-તૃતીયાંશ એટલે કે ૩૬૦ સાંસદોનો આંકડો મેળવવા રણનીતિ ઘડી રહ્યું છે. ૨૪૫ બેઠકો ધરાવતા રાજ્યસભામાં બહુમતીનો આંકડો ૧૬૪નો છે. સરકાર જરૂરી આંકડા સુધી નહીં પહોંચે, ત્યાં સુધી સીમાંકન, મહિલા અનામતનો અમલ અને ચૂંટણી સુધારા જેવા સરકારના સૌથી મોટા એજન્ડા અધ્ધરતાલ જ રહેશે.
TMCના ‘સંકટમોચક’ વધુ બે સાંસદોની ભાજપ સાથે બંધબારણે બેઠક
હવેTMCના સંકટમોચક અને મમતાના ખાસ કહેવાતા નેતા જ બળવાખોર બની ગયા છે અને તેમણે ભાજપ નેતા સાથે મુલાકાત પણ કરી લીધી છે. ટીએમસીના બળવાખોર જૂથના નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉય અને મમતાના મહત્ત્વના નેતા સુદીપ બંદોપાધ્યાયે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા અને સીધા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ટીએમસીની વર્તમાન સ્થિતિ એવી છે કે, ૧૯ સાંસદોએ બળવો કરીને પોતે અસલી ટીએમસી હોવાનો દાવો કર્યો છે.
ઓમાન નજીક એક જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા જવાનો વિવાદ વધુ વકર્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી હતી અને ઈરાનની દરિયાઈ નાકાબંધી લાગુ કરવાનો પ્રયાસ કરી રહેલી યુએસ નેવી દ્વારા કોમર્શિયલ (વ્યાપારી) જહાજાે પર કરવામાં આવી રહેલા હુમલા સામે ભારતનો ભારે વિરોધ પ્રગટ કર્યો હતો.
દ્વિપક્ષીય મુલાકાત માટે ફિનલેન્ડ ગયેલા જયશંકરે માર્કો રુબિયોને એવા સમયે ફોન કર્યો હતો, જ્યારે તેના ગણતરીના કલાકો પહેલા જ ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાઓ અંગે ૪૮ કલાકથી ઓછા સમયમાં બીજી વખત અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને સમન્સ પાઠવી હાજર થવા જણાવ્યું હતું.
૩ ભારતીયોનો ભોગ તમે લીધો અને આરોપ અમારા પર?:ઈરાનનો જવાબ
હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જહાજાે પર હુમલો થવાની ઘટના અંગે યુએસ પ્રમુખ ટ્રમ્પે આપેલા નિવેદનથી ઈરાન ભડકી ગયું છે. ટ્રમ્પે જહાજાે પર હુમલા મામલે ઈરાનનો જવાબદાર ઠેરવ્યું હતું, ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેહરાને ઓમાનની ખાડીમાં એક ભારતીય જહાજ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાને ટ્રમ્પના આ આક્ષેપોને નકારી દીધા છે.
ઓમાનના દરિયામાં હુમલો થયો હતો; જીવતી મિસાઈલ સાથે ઑઈલ ટેન્કર ભારત પહોંચ્યું!
ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહથી કોચી આવેલા એક ઓઇલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે બહાર કાઢીને મોટો દરિયાઈ અકસ્માત ટાળી દીધો છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ૨૬ મેના રોજ ઓમાનના દરિયાકિનારે એમટી ઓલિમ્પિક ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. હુમલા બાદ મિસાઈલનું વોરહેડ ફાટ્યું નહીં, પરંતુ ટેન્કરના બહારના ભાગને ભેદીને ફ્યુઅલ ટેન્કમાં ફસાઈ ગયું. ટેન્કર અરબી સમુદ્રમાં ૨,૦૦૦ કિલોમીટરની મુસાફરી કરીને કોચી પહોંચ્યું. ત્યારબાદ ભારતીય નૌકાદળે હાઈ-રિસ્ક ઓપરેશન ચલાવીને મિસાઈલ વોરહેડને બહાર કાઢ્યું હતું.
અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાના ૭ કરોડ રૂપિયાની ચોરીના દાવાનો મામલો ગરમાતો જઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટે શનિવારે સીએમ યોગી પાસે ચોરીના દાવાની તપાસ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા કરાવવાની માગ કરી. તેના થોડા કલાકો પછી ૩ સભ્યોની SITબનાવી દીધી છે. તેમાં લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંત (IAS),, કિરણ એસ. (IPS,) અને નીલ રતન (વિશેષ સચિવ, નાણાં) નો સમાવેશ કરવામાં આવ્યો છે. SIT ૭ દિવસમાં પ્રારંભિક રિપોર્ટ અને ૧૫ દિવસમાં અંતિમ રિપોર્ટ આપશે. આ તરફ, મંદિરના કર્મચારી લવકુશ મિશ્રા (૨૭)ના ઘરેથી ૧૦ લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે રૂપિયા છાણમાં છુપાવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક પૈસા બોક્સમાં પણ રાખ્યા હતા. જાેકે, આ રૂપિયા કોના છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. લવકુશના પિતાએ પણ રૂપિયા મળ્યાની પુષ્ટિ કરી છે. સૂત્રો અનુસાર, લવકુશ મંદિરમાં ચઢાવાની રકમ ગણવાનું કામ કરતો હતો. લવકુશની નોકરી તેના સસરાએ લગાડી હતી. લવકુશનો સાળો અનુકલ્પ મિશ્રા પહેલાથી મંદિરમાં નોકરી કરી રહ્યો હતો. સૂત્રો અનુસાર, અનુકલ્પ અને લવકુશ બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે. લવકુશ અયોધ્યાના રુદૌલી વિસ્તારના મીનાપુર ઠાકુરન ફગૌલી ગામનો રહેવાસી છે. તેના પિતા બચ્ચુલાલે કહ્યું- મારો દીકરો ૪-૫ મહિનાથી રામ મંદિરમાં નોકરી કરતો હતો. આ દરમિયાન ત્યાં ચોરીની ઘટના બની. તપાસના સંબંધમાં કેટલાક લોકો અમારા ઘરે આવ્યા. આ દરમિયાન ૧૦ લાખ રૂપિયા મળી આવ્યા. હવે જે થવાનું હતું, તે થઈ ગયું. ફૈઝાબાદમાં બની રહેલા મકાનનો મારા દીકરા સાથે કોઈ સંબંધ નથી. મકાન બનાવવા માટે મેં ૧૦-૧૨ વીઘા ખેતર ગીરવે મૂક્યું છે. જ્યારે, ગ્રામજનોનું કહેવું છે કે ટીમમાં કુલ ૬ લોકો હતા. તેમાંથી ૨ પોલીસની વર્દીમાં હતા અને ૪ સાદા કપડાંમાં હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શનિવારે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલી કટોકટીનો અંત લાવવા માટે આગામી ૨૪ કલાકની અંદર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. વડાપ્રધાન શરીફની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવને હળવો કરવા માટે પડદા પાછળ ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી હોવાના સંકેતો મળી રહ્યા છે. બંને દેશો વચ્ચેના આ સંભવિત કરારને પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ, અમેરિકા અને ઈરાન બંને પક્ષોએ સંકેત આપ્યા હતા કે તેઓ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સુરક્ષા કટોકટી અને દરિયાઈ નાકાબંધીના વિવાદોનો અંત લાવવા માટે કોઈ મોટા કરાર પર પહોંચવાની ખૂબ જ નજીક છે.
આજે સમજૂતી નહીં થાય પાક.ને ઈરાનનો જવાબ
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર રવિવારે હસ્તાક્ષર નહીં થાય. તેમણે કહ્યું કે આ કરાર આગામી કેટલાક દિવસોમાં થઈ શકે છે, પરંતુ હજુ તેની તારીખ નક્કી નથી. બઘાઈના મતે, પાકિસ્તાનની મધ્યસ્થીથી તૈયાર થઈ રહેલા આ કરારનો હેતુ માત્ર યુદ્ધ સમાપ્ત કરવાનો છે. તેમાં હાલમાં પરમાણુ મુદ્દે કોઈ વાતચીત નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાનું વલણ વારંવાર બદલાતું રહ્યું છે, તેથી કરારને લઈને હજુ સાવચેતી રાખવાની જરૂર છે.
આ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી ૨૪ કલાકમાં શાંતિ કરાર થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આ પછી બંને દેશો આ કરાર પર ઓનલાઈન હસ્તાક્ષર કરશે અને આગામી સપ્તાહે ટેકનિકલ સ્તરની વાતચીત થશે.
આસામના જાેરહાટમાં આવેલા રૌરિયા એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાનું એક AN-32 પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક અકસ્માતમાં વાયુસેનાના પાંચ કર્મચારીઓ શહીદ થયા છે, જ્યારે સહ-પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં જીવિત બચી ગયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય વાયુસેનાએ આ અકસ્માત અંગે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘આસામના જાેરહાટમાં છદ્ગ-૩૨ વિમાન દુર્ઘટનામાં પોતાના પાંચ કર્મચારીઓને ગુમાવવાનું ઊંડું દુ:ખ છે. સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ભારતીય વાયુસેના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને દુ:ખની આ ઘડીમાં મજબૂતાઈથી તેમની સાથે ઊભી છે.’
ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર,AN-32 પરિવહન વિમાન અરૂણાચલ પ્રદેશથી જાેરહાટ પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન લેન્ડિંગ કરતી વખતે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટના એરબેઝ પરિસરની અંદર જ થઈ હતી, જેના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
વિમાન એરબેઝ પર ઉતરી રહ્યું હતું, ત્યારે જ તે ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતના કારણે એરફોર્સના વિમાનના બે ટુકડા થઈ ગયા હતા અને ત્યાંથી આગ તેમજ ધુમાડાના ગોટેગોટા ઉડતા જાેવા મળ્યા હતા. દુર્ઘટના બાદ એરબેઝની ઇમરજન્સી અને ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જાે કે બચાવ અભિયાન શરૂ થતાં જ સહ-પાયલોટને જીવતો બહાર કાઢી લેવાયો હતો, પરંતુ વિમાનમાં સવાર અન્ય પાંચ વાયુસેના કર્મચારીઓને બચાવી ન શકાયા. અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાના કારણોની ભાળ મેળવવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપી દીધા છે. રૌરિયા એરફોર્સ સ્ટેશન વાયુસેના માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. તે પૂર્વોત્તર વાયુસેનાના મુખ્ય મથકોમાં સામેલ છે અને આસામ સહિત સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રમાં સૈન્ય ઓપરેશન્સ તથા લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વર્ષ ૧૯૮૬ પછી ભારતમાં એએન-૩૨ વિમાનના ૨૨ અકસ્માતો થયાં
વર્ષ ૨૦૧૬થી લઈને ૨૦૨૬ સુધી એટલે કે છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતીય વાયુસેનાના AN-32 પરિવહન વિમાન સાથે જાેડાયેલા ત્રણ મુખ્ય અકસ્માતો ઘાતક હતા. જેમાંથી બે અકસ્માતો અત્યંત ઘાતક રહ્યા હતા, જ્યારે એકમાં તમામ કર્મચારીઓ સુરક્ષિત બચી ગયા હતા. ૨૨ જુલાઈ ૨૦૧૬ના રોજ છદ્ગ-૩૨ વિમાન ચેન્નઈથી પોર્ટ બ્લેયર જતી વખતે બંગાળની ખાડી પર ગુમ થઈ ગયું હતું. વિમાનમાં સવાર તમામ ૨૯ લોકોના મોત થયા હતા. તેનો કાટમાળ ૨૦૨૪માં સમુદ્રના ઊંડાણમાંથી મળ્યો હતો, પરંતુ અકસ્માતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું ન હતું. ત્યારબાદ ૩ જૂન ૨૦૧૯ના રોજ અન્ય એક AN-32 વિમાન આસામના જાેરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા જતી વખતે તાતો વિસ્તારની પહાડીઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે, ૭ માર્ચ ૨૦૨૫ના રોજ પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર AN-32 વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. વિમાન લેન્ડિંગ સમયે રનવે પરથી લપસીને ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા હતા અને કોઈનો જીવ ગયો ન હતો. આ ત્રણ અકસ્માતોમાં કુલ ૪૨ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦૨૫ની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Loading ...
