WMO અને NASAએ ચેતવણી આપી છે કે, વર્ષ ૨૦૨૬માં અલ-નીનો સક્રિય રહેશે. ભારતમાં ચોમાસું નબળું રહેવાની, જુલાઈ-ઓગસ્ટમાં ૫૦-૭૦% ઓછો વરસાદ પડવાની અને ભીષણ લૂ આવવાની આશંકા છે. જેથી જળ સંકટ ઘેરું બની શકે છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનએ ચેતવણી આપી છે કે, પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે, જે વર્ષના અંત સુધી યથાવત રહી શકે છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન ૮૦ ટકા અને નવે. સુધીમાં ૯૦ ટકાથી વધુ સંભાવના છે કે, અલ-નીનો સક્રિય રહેશે. આ કુદરતી આબોહવા પરિવર્તનની ઘટના ભારતના ચોમાસા, તાપમાન અને કૃષિ ક્ષેત્રને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ એ પહેલાથી જ ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની આગાહી કરી છે.અલ-નીનો આ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યું છે. આ વખતે જુલાઈ અને ઓગસ્ટમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ સામાન્ય કરતાં ૫૦ થી ૭૦ ટકા ઓછો થઈ શકે છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તાપમાન સરેરાશ કરતાં વધુ રહેવાની સંભાવના ૬૦-૭૦ ટકા છે. NASAની સેટેલાઇટ તસવીરોએ પણ પુષ્ટિ કરી છે કે, ટ્રોપિકલ પેસિફિકમાં ગરમ પાણી ફેલાઈ રહ્યું છે. ટ્રેડ વિન્ડ્સ નબળા પડવા અને સમુદ્રની સપાટી ઊંચી આવવાને કારણે અલ-નીનોની શરૂઆત દેખાઈ રહી છે. સતત ત્રણ વર્ષના લા-નીના બાદ હવે અલ-નીનો પરત ફરી રહ્યું છે, જે હવામાનને વધુ અનિશ્ચિત બનાવી રહ્યું છે.જૂન સુધીમાં દેશમાં પહેલાથી જ ૪૦-૪૬ ટકા વરસાદની અછત નોંધાઈ ચૂકી છે.
દેશમાં રેશન એટલે કે સસ્તું અનાજ લેવાની વ્યવસ્થાને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં જ સરકારે એક એવી સુવિધાનો અમલ શરૂ કર્યો છે, જેના દ્વારા હવે રેશન કાર્ડ ધારકોએ એક જ રેશન દુકાન પરથી અનાજ લેવાની જરૂર નથી. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનની દુકાન પરથી અલગ-અલગ અનાજ લઈ શકો છો, એટલે કે હવે તમે ક્યાંકથી ઘઉં તો ક્યાંકથી ચોખા લઈ શકશો.
આ ફેરફારની સૌથી ખાસ વાત એ છે કે હવે તમારે રેશન લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની, મશીનમાં અંગૂઠો ન લાગવાની કે દુકાનમાં અનાજ ઉપલબ્ધ ન હોવાને કારણે પૂરું રેશન ન મળવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. હવે જરૂરિયાત મુજબ, તમે કોઈ દુકાન પરથી ઘઉં અને કોઈ દુકાન પરથી ચોખા લઈ શકો છો. આ માહિતીની જાણકારી સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રાજ્ય મંત્રી બી. એલ. વર્માએ શેર કરી છે.કેન્દ્રીય સરકારે જણાવ્યું છે કે સરકાર ‘વન નેશન વન રેશન કાર્ડ‘ યોજના હેઠળ રેશન વિતરણને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. આ યોજના દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના રેશનનો અલગ-અલગ હિસ્સો પોતાની સુવિધા મુજબ અલગ-અલગ જગ્યાએથી લઈ શકે છે. દેશના કોઈપણ ભાગમાંથી તમે આ સુવિધા મેળવી શકો છો.
અયોધ્યા શ્રી રામમંદિરમાં દાન અને પ્રસાદની રકમમાં થયેલી કથિત ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જીૈં્ના રિપોર્ટ અનુસાર, વારાણસીની એક ખાનગી સુરક્ષા એજન્સીને જીમ્ૈં દ્વારા નોટોની ગણતરીનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. આ એજન્સીએ રામમંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોની ભલામણોના આધારે અયોધ્યાના જ સ્થાનિક યુવકોને નોકરી પર રાખ્યા હતા. જાેકે, અનુકુલ મિશ્રા નામના કર્મચારીએ પોતાના સાળા લવકુશ મિશ્રાને અહીં નોકરીએ રખાવ્યો હતો. નિયમ મુજબ તમામ કર્મચારીઓ માટે ખાસ યુનિફોર્મ નક્કી કરાયો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે કોઈ કર્મચારી યુનિફોર્મ પહેરતો નહોતો અને પોતાના જ કપડાં પહેરીને રૂમમાં બેસી નોટો ગણતા હતા. કર્મચારીઓના આગમન અને પ્રસ્થાન સમયે કોઈ પ્રકારનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવતું નહોતું. કોણ રૂમની અંદર શું લાવી રહ્યું છે અને બહાર શું લઈ જઈ રહ્યું છે તેની દેખરેખ રાખવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હતું.
સૌથી વધુ આઘાતજનક બાબત સીસીટીવી ફૂટેજના ઓડિટમાં સામે આવી છે. બેંક અને એજન્સીના કર્મચારીઓ એટલા બેફામ બન્યા હતા કે તેઓ દાનની રકમ ચોરવા માટે જાણીજાેઈને સીસીટીવી કેમેરાની બિલકુલ સામે આવીને ઊભા રહી જતા હતા, જેથી પાછળ થઈ રહેલી નોટોની ઉચાપત કેમેરામાં કેદ ન થાય. દાનપેટીઓ લાવવાથી લઈને બેંકમાં જમા કરાવવા સુધીની આખી ચેઇનમાં ગંભીર બેદરકારી મળી આવી છે. જીૈં્એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને પોતાનો પ્રારંભિક અહેવાલ રજૂ કરી દીધો છે, જેના આધારે
હવે વિગતવાર રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે.
ગરમીથી પરેશાન અને ચોમાસાના વરસાદની આતુરતાથી રાહ જાેઈ રહેલા મુંબઈગરાંને થોડી રાહત મળી છે. મુંબઈમાં સોમવારે દિવસની શરૂઆત વરસાદથી થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન મુંબઈમાં દર વર્ષે ભારે વરસાદ પડે છે. જાેકે, આ વખતે ચોમાસાની ગતિ સમગ્ર મહારાષ્ટ્રમાં ધીમી પડી ગઈ છે. હવે, પશ્ચિમી ઘાટમાં વાદળો રચાયા હોવાથી, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તીવ્ર બની છે, અને એવી અપેક્ષા છે કે આગામી એક-બે દિવસમાં, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના અન્ય ભાગો અને અન્ય રાજ્યોમાં આગળ વધવા માટે સંપૂર્ણપણે અનુકૂળ બનશે.મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થયું છે. સોમવાર સવારથી વરસાદ ચાલુ હોવાથી, ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો સામે આવ્યા છે. અંધેરી સબવે પાણીથી ભરાઈ ગયું છે, અને ઘણા રસ્તાઓ પણ પાણીથી ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગએ શહેરમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે શહેરના ઘણા વિસ્તારોમાં મોસમનો પહેલો સારો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે વાવાઝોડા અને વરસાદની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ચોમાસું દક્ષિણ કોંકણ પહોંચ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે સોલાપુર નજીક અટકી ગયું છે. ચોમાસું ફરી એકવાર મહારાષ્ટ્રમાં સક્રિય થયું છે, પરંતુ તેની ગતિ હજુ પણ ધીમી છે. મુંબઈમાં દર વર્ષે ભારે વરસાદ પડે છે, પરંતુ આ વખતે ચોમાસાએ હજુ સુધી વેગ પકડ્યો નથી.
હવામાન મુજબ, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે દિવસભર વરસાદ ચાલુ રહેશે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આજે મુંબઈ માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે હવામાન પ્રતિકૂળ હોઈ શકે છે, પરંતુ ખૂબ તીવ્ર નથી. હવામાન વિભાગ અનુસાર, મુંબઈ પર કેટલાક વાદળો છવાયેલા છે. જાેકે, મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં હજુ સુધી નોંધપાત્ર ચોમાસાનો વરસાદ થયો નથી. વરસાદી પ્રવૃત્તિ ફક્ત મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જ જાેવા મળી રહી છે.
લખનૌના અલીગંજના પૂર્ણિયા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને થોડીવારમાં જ આખી બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં 15લોકોના મોત થયાના અહેવાલ છે. શરૂઆતના અહેવાલોમાં કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે,ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શોપ હતી અને ઉપરના માળે ગેમિંગ ઝોન આવેલું છે.
આગ લાગ્યા બાદ ઉપરના માળે રહેલા લોકો ગભરાઈ ગયા હતા. લોકો બાથરૂમમાં ફસાયેલા હોવાના અહેવાલો હતા, પરંતુ બચાવ કામગીરી દરમિયાન તમામ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગનો કોલ મળતાં જ ફાયર અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોએ પણ બચાવ પ્રયાસોમાં મદદ કરી હતી. આગની તીવ્રતાને જાેતાં ઘણા લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માટે છત પરથી કૂદ્યા હતા, તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગ્નિશામકોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો. તેમણે વહીવટીતંત્રને સતર્ક રહેવા અને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ ઘટના અંગે પૂછપરછ કરી અને રાહત પ્રયાસોનું નિરીક્ષણ કર્યું હતું. પ્રારંભિક આશંકા વચ્ચે, ૪-૫ લોકો ફસાયેલા હોવાની શક્યતા હોવાના અહેવાલો હતા. ઘટના બાદ વિસ્તારમાં ફેલાયેલી અરાજકતા ઓછી થઈ હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી. ઘટના બાદ ચૌદ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જાેકે, બાળકો અને અન્ય લોકોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. અધિકારીઓનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા પછી અને તમામ ઘાયલોની સ્થિતિ સ્પષ્ટ થયા પછી જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. જાેકે, કેટલાક લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હોવાને કારણે, મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાતી નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની કડક નોંધ લઈને ડીજીપી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સ્થળની મુલાકાત લઈને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ડીએમ વિશાખ અને એડીસીપી નોર્થ ટ્વિંકલ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોની સીધી દેખરેખ રાખી હતી. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
જીવ બચાવવા લોકોએ છત પરથી છલાંગ લગાવી
આગ લાગતાં જ બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઇમારતમાંથી બહાર નીકળવા માટે લોકો છજ્જા અને અન્ય હિસ્સાઓનો સહારો લેતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી છલાંગ લગાવી દીધી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ડે.સીએમ બ્રજેશ પાઠક બોલતાં-બોલતાં રડી પડ્યા
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ભાવુક થઈ ગયા હતા અને રડતા-રડતા જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ ગંભીર અને દુ:ખદ છે. બિલ્ડિંગની અંદર હજી પણ ધુમાડો ભરેલો છે. ફાયર બ્રિગેડ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ એક-એક રૂમ અને સામાનની તપાસ કરી રહી છે. ભારે ધુમાડાના કારણે બાળકો બહાર નીકળી શક્યા ન હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બહાર નીકળવાનો રસ્તો ન મળતાં ટીમ દીવાલ તોડીને અંદર પહોંચી હતી. અનેક બાળકોને બહાર કાઢીને દ્ભય્સ્ેં ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોચિંગ સૅન્ટર નહીં પરંતુ ગેમિંગ ઝોન હતું
શરૂઆતની માહિતીમાં આ અકસ્માત કોચિંગ સેન્ટર અથવા લાઇબ્રેરીમાં થયો હોવાનું કહેવાતું હતું, પરંતુ બાદમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ઇમારતમાં આવું કંઈ નહોતું. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ આવેલી છે, જ્યારે ઉપરના માળે એક ગેમિંગ ઝોન કાર્યરત હતો. આ ગેમિંગ ઝોનમાં કર્મચારીઓ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.
સીએમ યોગી આદિત્યનાથે પીડિત પરિવારોની મુલાકાત લીધી લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી ભયાનક આગની દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૧૫ પર પહોંચી ગયો છે, ત્યારે અલીગઢનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક લખનૌ પરત ફરેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીધા કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોની તબિયતના સમાચાર પૂછવાની સાથે આ કમકમાટીભર્યા અગ્નિકાંડમાં પોતાના માસૂમ બાળકો અને સ્વજનો ગુમાવનારા તમામ શોકગ્રસ્ત પીડિત પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી અને સરકાર તરફથી તમામ શક્ય મદદ તેમજ કડક કાનૂની તપાસની ખાતરી આપી હતી.
વડાપ્રધાને દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને ૨-૨ લાખ અને ઘાયલોને ૫૦ હજારની સહાયની જાહેરાત
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, ‘ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ લાગવાની ઘટનામાં થયેલા મોતના સમાચારથી ખૂબ જ દુ:ખ થયું છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઘાયલ લોકો વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના. બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ શક્ય તમામ મદદ પહોંચાડી રહ્યા છે. રાહત ભંડોળમાંથી મૃતકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.’
તટસ્થ અને પ્રામાણિક તપાસ થવી જાેઈએ : અખિલેશ યાદવ
લખનઉના કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી ભયાનક આગની દુર્ઘટના પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગહન સંવેદના વ્યક્ત કરતાં આ ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવી છે. તેમણે સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ માગ કરી છે કે, દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક શ્રેષ્ઠ તબીબી સારવાર સુનિશ્ચિત કરવામાં આવે. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ આખી ઘટનાની તટસ્થ અને પ્રામાણિક તપાસ થવી જાેઈએ, જેથી સત્ય સામે આવી શકે.
Loading ...
