અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પોતાની ટૅરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટૅરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા.
કોર્ટના મતે ટ્રમ્પે ૧૯૭૭ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર્સ ઍક્ટનો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટૅરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજાેરીમાં જમા થયેલા ૧૬૬ બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જાેકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ ૧૫૦ દિવસ માટે ૧૦ ટકા ટેમ્પરરી ટૅરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ ૨૪ જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.હવે ટ્રમ્પ પ્રશાસન નવી કાયમી ટૅરિફ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ યુએસ ઈકોનોમીને વિદેશી સ્પર્ધાથી બચાવવાનો અને સરકારી આવક જાળવી રાખવાનો છે. આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બે મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જાે કોઈ દેશ ‘અયોગ્ય’ કે ‘ભેદભાવપૂર્ણ’ વેપાર નીતિ અપનાવશે, તો તેના પર ટ્રેડ ઍક્ટ-૧૯૭૪ના સેક્શન ૩૦૧ હેઠળ કાયમી ટૅરિફ લાદવામાં આવશે. આ નવી નીતિનો સીધો બોજ આયાતકારો પર પડશે, જે અંતે મોંઘવારી સ્વરૂપે સામાન્ય જનતાએ ભોગવવો પડી શકે છે.
હાલમાં અમેરિકા દ્વારા બે અત્યંત મહત્ત્વની તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તપાસ ૬૦ દેશોમાં થતી ‘જબરન મજૂરી’પર છે,
સ્કૂલોમાં વંચિત વર્ગાે માટે ૨૫ ટકા આરટીઇ ક્વોટાને ‘રાષ્ટ્રીય અભિયાન’ ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, સ્થાનિક ખાનગી સ્કૂલો વિલંબ વગર શિક્ષણ અધિકાર ધારા હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બંધારણીય અને કાનૂની રીતે બંધાયેલી છે. પ્રી-પ્રાઈમરી ક્લાસમાં એડમિશનને રાષ્ટ્રીય અભિયાન બનાવવા પર ભાર મૂકી સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, સરકાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને મોકલે તે પછી સ્કૂલો પાસે પ્રવેશ આપવા સિવાય બીજાે કોઇ વિકલ્પ હોતો નથી.ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, સરકારનું અનુદાન ન મેળવતી નજીકની સ્કૂલો આરટીઇ માળખા હેઠળ વિદ્યાર્થીઓને વિલંબ વગર પ્રવેશ આપવા બંધાયેલી છે. આવા પ્રવેશનો ઇનકાર બંધારણની કલમ ૨૧એ હેઠળના શિક્ષણના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.ચુકાદામાં જણાવાયુ હતું કે આરટીઇ ધારા, ૨૦૦૯ની કલમ ૧૨ હેઠળ સમાજના નબળા અને વંચિત વર્ગના બાળકોને ૨૫ ટકા સુધી પ્રવેશ આપવાની જાેગવાઈ સમાજના સામાજિક માળખાને બદલવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે.. કલમ ૨૧એ હેઠળના અધિકારની બંધારણીય ઘોષણા, ત્યારબાદ કાયદાની કલમ ૩ હેઠળ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટેના આદેશને તેને અસરકારક અમલથી સાકાર કરી શકાય છે.ન્યાયાધીશ નરસિંહાએ જણાવ્યું હતું કે આવા વિદ્યાર્થીઓના પ્રવેશની ખાતરી કરવી એ એક રાષ્ટ્રીય મિશન અને સ્થાનિક સત્તાવાળાઓની ફરજ છે.
કિંગ ચાર્લ્સ તૃતીયે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર હળવાશથી કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જાે બ્રિટિશ ન હોત, તો આજે અમેરિકન લોકો ફ્રેન્ચ બોલી રહ્યા હોત. ચાર્લ્સે કહ્યું-તમે તાજેતરમાં કહ્યું હતું કે જાે અમેરિકા ન હોત, તો યુરોપિયન દેશો જર્મન બોલી રહ્યા હોત. તો હું એ કહેવાની હિંમત કરું છું કે જાે અમે (બ્રિટિશ) ન હોત, તો તમે લોકો ફ્રેન્ચ બોલી રહ્યા હોત. લગભગ ૨૫૦ વર્ષ પહેલાં જ્યારે અમેરિકા આઝાદ નહોતું, ત્યારે બ્રિટન અને ફ્રાન્સ બંને ત્યાં પોતાની પકડ જમાવવા માંગતા હતા. બંને દેશો વચ્ચે આ વાતને લઈને લડાઈ થઈ કે ઉત્તર અમેરિકા પર કોનો કબજાે રહેશે. અંતે આ લડાઈમાં બ્રિટન જીતી ગયું. કિંગ ચાર્લ્સનો ઈશારો આ તરફ હતો. ટ્રમ્પ એ દાવોસ
સમિટમાં યુરોપિયન દેશો પર કટાક્ષ કર્યો હતો
આ પહેલા જાન્યુઆરીમાં દાવોસ સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ એ યુરોપિયન દેશો અને તેમના સહયોગને લઈને એક નિવેદન આપ્યું હતું.ટ્રમ્પ એ કહ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધમાં જાે અમેરિકાએ મોટી ભૂમિકા ન ભજવી હોત, તો આજે યુરોપનો નકશો અને ત્યાંની ભાષા બંને અલગ હોત. તેમના મતે, તે સમયે જર્મની અને જાપાન ખૂબ શક્તિશાળી હતા અને જાે તેમને રોકવામાં ન આવ્યા હોત, તો તેઓ ઘણા દેશો પર કબજાે કરી શક્યા હોત. આ જ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જાે અમેરિકા મદદ માટે ન આવ્યું હોત, તો આજે તમે લોકો જર્મન અને થોડું જાપાનીઝ બોલી રહ્યા હોત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા. તેમણે નક્કી કરેલા સમયપત્રક (શેડ્યૂલ) મુજબ ગર્ભગૃહમાં લગભગ ૩૦ મિનિટ સુધી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન પંચ પુરોહિતોએ તેમને પૂજા કરાવી હતી. ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથની પૂજા કરતાં પીએમ મોદીની શાનદાર તસવીરો પણ સામે આવી છે. પૂજા કર્યા બાદ જ્યારે પીએમ મોદી બહાર આવ્યા ત્યારે ભાજપ નેતાઓએ તેમને ત્રિશૂળ અને ડમરુ ભેટમાં આપ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ ત્રિશૂળ ઉપાડીને હવામાં લહેરાવ્યું હતું.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬નું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઔપચારિક પરિણામો પર છે, પરંતુ તે પહેલાં જ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓએ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. આ વખતે બંગાળમાં દીદીનો ખેલા ફ્લોપ જતો દેખાઈ રહ્યો છે અને મોદીનું કમળ જાેરદાર જીત સાથે ખીલતું જાેવા મળી રહ્યું છે. પ્રારંભિક એક્ઝિટ પોલના ટ્રેન્ડ બંગાળમાં સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહ્યા છે, જેમાં ભાજપ શાસક તૃણમૂલ કોંગ્રેસને કારમી હાર આપીને ૨૯૪ સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવતું દેખાઈ રહ્યું છે.
એક્ઝિટ પોલ એટલે શું: મતદાન મથકોની બહાર વ્યવસ્થિત ફિલ્ડ સર્વે દ્વારા કરવામાં આવે છે, જ્યાં પ્રશિક્ષિત ટીમો નક્કી કરેલા પ્રશ્નોની મદદથી લોકોના અભિપ્રાય એકત્ર કરે છે. સેમ્પલિંગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનો સમાવેશ થાય, જેથી દરેકનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે. એકત્રિત કરવામાં આવેલા ડેટાનું પછી વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી બેઠકોની સંખ્યા અને મતદાનના વલણોનો અંદાજ લગાવી શકાય. આ જ દરેક એજન્સીના અનુમાનનો આધાર બને છે.
એક્ઝિટ પોલ પરિણામ નથી: એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, અસલી પરિણામો નથી. ઘણીવાર આ અનુમાન સાચા પડે છે અને ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તેથી અંતિમ અને અસલી પરિણામો ૪ મેના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી એક શરૂઆતી ચિત્ર જરૂર આપે છે, પરંતુ અસલી ર્નિણય મતગણતરી પછી જ સામે આવે છે.
પશ્ચિમ બંગાળ : કુલ બેઠકો ૨૯૪, બહુમત માટે જરૂર ૧૪૮ બેઠક
પશ્ચિમ બંગાળ: અત્યાર સુધીના કુલ ૬ મુખ્ય એક્ઝિટ પોલમાંથી ૫ એજન્સીઓ (P-MARQ, Matrize, Chanakya, , પોલ ડાયરી અને પ્રજા પોલ) બંગાળમાં ભાજપની સરકાર બનવાના સંકેત આપી રહી છે. માત્રPeoples Pulse એકમાત્ર એવી એજન્સી છે જે TMC ની પ્રચંડ જીતનો દાવો કરી રહી છે.
૧.P-MARQ, ભાજપને બહુમત:P-MARQના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જણાય છે, જેમાં ભાજપને ૧૫૦થી ૧૭૫ બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ, સત્તારૂઢTMC+ ને ૧૧૮થી ૧૩૮ બેઠકો સાથે હારનો સામનો કરવો પડી શકે છે. આ સર્વેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોનું ખાતું પણ ખૂલતું દેખાતું નથી.
૨. Matrize,, ભાજપને બહુમત: Matrizeના સર્વે અનુસાર બંગાળમાં રસાકસીભર્યો જંગ જાેવા મળી રહ્યો છે, જેમાં ભાજપ ૧૪૬થી ૧૬૧ બેઠકો મેળવી બહુમતીના આંકડાને સ્પર્શી શકે છે.TMC+ને આ સર્વેમાં ૧૨૫થી ૧૪૦ બેઠકો મળવાની ધારણા છે, જે બહુમતીથી થોડી દૂર છે. આ એક્ઝિટ પોલમાં અન્યના ફાળે ૬થી ૧૦ બેઠકો જઈ શકે છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ શૂન્ય પર રહી શકે છે.
૩.Peoples Pulse,TMC એટલે કે મમતા બેનર્જીની સરકાર:Peoples Pulseનો એક્ઝિટ પોલ અન્ય કરતાં સાવ ઉલટું ચિત્ર રજૂ કરે છે, જેમાં મમતા બેનર્જીનીTMC ને ૧૭૮થી ૧૮૯ બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળતી દેખાય છે. આ સર્વેમાં ભાજપને મોટો ફટકો પડતાં તે ૯૫થી ૧૧૦ બેઠકો પર સમેટાઈ શકે છે. કોંગ્રેસને ૧-૩ બેઠકો અને ડાબેરીઓને ૦-૧ બેઠક મળવાની શક્યતા આ સર્વેમાં દર્શાવવામાં આવી છે.
૪. Chanakya Strategies, પરિવર્તનના સંકેતો: Chanakya Strategiesના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે, જેમાં ભાજપને ૧૫૦-૧૬૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે. સત્તારૂઢTMC+ આ સર્વે મુજબ ૧૩૦-૧૪૦ બેઠકો પર સમેટાઈ શકે છે, જે બહુમતીના આંકડા(૧૪૮)થી થોડી દૂર છે. અન્યના ફાળે ૬-૧૦ બેઠકો જવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓને એક પણ બેઠક મળતી જણાતી નથી.
૫. પોલ ડાયરી, ભાજપ મજબૂત સ્થિતિમાં પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ સર્વેમાં ભાજપને ૧૪૨ થી ૧૭૧ બેઠકો મળવાનું અનુમાન છે, બીજી તરફ, સત્તારૂઢTMC+ ને ૯૯ થી ૧૨૭ બેઠકો વચ્ચે મળી શકે છે.
૬. પ્રજા પોલ, ભાજપ આવે છે! : પ્રજા પોલનું અનુમાન ભાજપ માટે સૌથી વધુ ઉત્સાહજનક છે. આ સર્વે મુજબ રાજ્યમાં સત્તા પરિવર્તનની લહેર જાેવા મળી રહી છે, જેમાં ભાજપને ૧૭૮ થી ૨૦૦ બેઠકો મળવાની અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. તેનાથી વિપરીત,TMC+ માત્ર ૮૫ થી ૧૧૦ બેઠકો પર સમેટાઈ શકે છે.
તમિલનાડુમાં DMK આગળ,TVK પણ ચર્ચામાં
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે દસ મુખ્ય એક્ઝિટ પોલ જાહેર કરાયા છે. ૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ બેઠકોની જરૂર છે. ૧૦ સર્વેમાંથી છ સ્પષ્ટપણે શાસક ડીએમકે ગઠબંધન માટે શાનદાર વાપસી સૂચવે છે. પ્રજા પોલ (૧૪૮-૧૬૮ બેઠકો) અને ચાણક્ય સ્ટ્રેટેજી (૧૪૫-૧૬૦ બેઠકો) એ ડીએમકે માટે જંગી વિજયની આગાહી કરી છે. જેવીસીએ એનડીએને ૧૨૮-૧૪૭ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપી છે, જ્યારે VOe Vibe એ ડીએમકે ને ૧૧૪-૧૨૪ બેઠકો પણ આપી છે. સૌથી આશ્ચર્યજનક એક્સિસ માય ઇન્ડિયાના ડેટા છે, જેણે ટીવીકેને ૯૮થી ૧૨૦ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનવાની આગાહી કરી છે.
આસામમાં બધા ૧૧ સર્વે ભાજપની તોફાનની આગાહી, કોંગ્રેસનો સફાયો
૧૨૬ બેઠકોવાળી આસામ વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૬૪ બેઠકોની જરૂર છે. બધા ૧૧ મુખ્ય એક્ઝિટ પોલોએ સર્વસંમતિથી ભાજપ ગઠબંધન માટે પ્રચંડ વિજયની આગાહી કરી છે. કોઈપણ સર્વેમાં કોંગ્રેસ એટલી સ્પર્ધાત્મક નથી. બધી એજન્સીઓએ ભાજપને ૮૦ થી વધુ બેઠકો આપી છે.
કેરળમાં UDF જાેરદાર વાપસી કરશે
કેરળ વિધાનસભા ચૂંટણી માટેના આઠ મુખ્ય એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરાયાં છે. આઠમાંથી સાત એક્ઝિટ પોલમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા છે. એક્સિસ માય ઇન્ડિયાએ યુડીએફ માટે પ્રચંડ વિજયની આગાહી કરી છે, જેનાથી તેને ૭૮-૯૦ બેઠકો મળશે, જ્યારે શાસક ડાબેરી મોરચાના જાેડાણ, એલડીએફને ૪૯-૬૨ બેઠકો મળશે. યુડીએફ સરળતાથી બહુમતી પાર કરી રહ્યું છે અથવા તેની ખૂબ નજીક આવી રહ્યું છે.
પુડુચેરીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી
એનડીએ ગઠબંધને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પાંચ એક્ઝિટ પોલમાં ભાજપ બંગાળમાં આગળ છે, જ્યારે પુડુચેરીમાં પાંચેય મુખ્ય સર્વેમાં એનડીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું દર્શાવવામાં આવ્યું છે. પ્રજા પોલ અને કામાખ્યા એનાલિટિક્સના અંદાજ મુજબ, એનડીએ ૨૦ થી વધુ બેઠકો જીતી શકે છે. આ વલણો પરથી સ્પષ્ટ થાય છે કે પુડુચેરીના લોકોએ ફરી એકવાર એનડીએ ગઠબંધનને સત્તાની ચાવીઓ સોંપવાનો ર્નિણય લીધો છે.
Loading ...
