સ્પેનથાી યુકે જઈ રહેલી જેટ૨ એરલાઇન્સની ફ્લાઇટ ન્જી૧૨૬૬માં ૨૨૦ મુસાફરોના જીવ ત્યારે અધ્ધર થઈ ગયા, જ્યારે અધવચ્ચે આકાશમાં મુખ્ય પાયલોટની તબિયત અચાનક અત્યંત નાજુક થઈ ગઈ હતી.
૨૧ મે ૨૦૨૬ની રાત્રે ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ જ કેપ્ટનને ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હાર્ટ એટેક આવ્યો હતો. અચાનક વિમાનની ઊંચાઈ ઘટવા લાગી. કેબિન ક્રૂ ગભરાઈને રડતા રડતા લોબીમાં દોડવા લાગ્યો હતો. તેમણે મુસાફરોને પૂછ્યું કે, શું કોઈને મેડિકલ ટ્રેનિંગ મળેલી છે. આખું વાતાવરણ ભય અને ચીસાચીસથી ભરાઈ ગયું હતું. સદનસીબે કો-પાયલોટ અનુભવી હતો. તેણે તરત જ કંટ્રોલ સંભાળી લીધો અને ઇમરજન્સી લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વિમાનને પોર્ટુગલના પોર્ટો ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. સવારે લગભગ ૨.૧૧ વાગ્યે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું.મુસાફરો આ ઘટનાને યાદ કરીને આજે પણ ધ્રૂજી રહ્યા છે. એક મુસાફરે જણાવ્યું કે, અમે જાેયું કે સ્ટાફ રડી રહ્યો હતો અને દોડી રહ્યો હતો. અમને લાગ્યું કે કંઈક ખૂબ ગંભીર છે. જ્યારે પાયલોટને હાર્ટ એટેક આવ્યાનું જણાવાયું ત્યારે બધા ડરી ગયા. બીજા મુસાફરોએ જણાવ્યું કે, લેન્ડિંગ દરમિયાન પણ ઘણું ટેન્શન હતું, પરંતુ કો-પાયલોટે શાનદાર રીતે વિમાન નીચે ઉતાર્યું.
ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે જાેઈને સ્થાનિક લોકો ચોંકી ગયા હતા. સમગ્ર ઘટના શહેરના કિલાવાળી મસ્જિદ પાસે બની હતી. જ્યાં એક વેપારીની એક લાખ રૂપિયાથી ભરેલી બેગ એક રખડતું શ્વાન ઉપાડીને ફરાર થઈ ગયું હતું. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વેપારીએ બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. તે કોઈ જરૂરી કામ માટે બજારમાં આવ્યો અને આ દરમિયાન તે કિલ્લાવાળી મસ્જિદમાં નમાજ પઢવા માટે રોકાયો હતો. ઉતાવળમાં તે પોતાની બાઈક પર રાખેલી રૂપિયા ભરેલી કાળા રંગની બેગ છોડીને જ મસ્જિદ અંદર જતો રહ્યો હતો. બેગમાં રોકડ રકમ રાખેલી હતી. આ દરમિયાન ત્યાં અચાનક એક શ્વાન આવ્યું હતું. જણાવ્યાં અનુસાર શ્વાન કાળા રંગના બેગમાં ભોજન કે અન્ય ખાવાની વસ્તુ હોવાનું સમજીને બેગ પોતાના મોંમાં દબાવીને જતું રહ્યું હતું. જ્યારે વેપારી નમાજ પઢીને બહાર આવ્યો તો તેણે જાેયું કે, બાઇક પર રાખેલી બેગ ગાયબ છે. પહેલા તો તેણે આસપાસ ઘણી શોધખોળ કરી, પરંતુ કંઈ જાણવા મળ્યું નહીં.ગભરાયેલા વેપારીએ આસપાસના લોકોની પૂછપરછ કરી, પરંતુ બેગની કોઈ જાણકારી મળી નહીં.
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએસ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો છે. તો રુબિયોએ પણ અમેરિકન અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન હોવાનો સ્વીકાર કર્યો છે અને અમેરિકામાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા હોવાનું નિવેદન આપ્યા બાદ તેમણે કહ્યું છે કે, અમારું નિશાન ભારત નથી.
જયશંકરે ભારતના માન્ય પ્રવાસીઓને અમેરિકન વિઝા મળવામાં મુશ્કેલી આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના જવાબમાં રુબિયોએ કહ્યું કે, ‘સૌથી પહેલા હું અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોના યોગદાનને સ્વિકાર કરું છું. ભારતીય કંપનીઓએ અમેરિકન અર્થવ્યવસ્થામાં ૨૦ અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, આ રોકાણ વધતું જ રહે. અમારી નવી ઈમિગ્રેશન સિસ્ટમ માત્ર ભારતીયોને ટાર્ગેટ કરતી નથી, પરંતુ આ સિસ્ટમ આખા વિશ્વ માટે બનાવવામાં આવી છે. અમે તેને દુનિયામાં લાગુ કરી રહ્યા છીએ.’રુબિયોએ ભારતીયોના રિજેક્ટ થતાં વિઝા અને ગ્રીન કાર્ડ મળવામાં પડતી તકલીફો અંગે જણાવ્યું હતું કે, અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા છે. આ બતાવે છે કે અમારી ઈમિગ્રેશન સિસ્ટમમાં ખામી છે.
નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યાં સુધી મજબૂત વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહારો કર્યા, અને કહ્યું કે કોંગ્રેસ ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે.રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હૈદરાબાદના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પેપરલીકને લઈને નારેબાજી કરીને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર સામે પણ વિદ્યાર્થીઓ નારેબાજી કરતા જાેવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે, લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હોય, ૨૨ લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યુ હોય અને વડાપ્રધાન ચૂપ રહે, તો એ વાત સ્પષ્ટ છે કે સરકાર જવાબ આપવાના બદલે બચાવ કરવામાં લાગી છે. તેમણે કહ્યુ છે કે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે અને નીટ જેવા પેપરલીકને રોકવામાં ફુલપ્રુફ વ્યવસ્થા લાગૂ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ યથાવત રહેશે.
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી રહેલા અમદાવાદને દેશની રમતગમત રાજધાની બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં અન્ય સ્ટેડિયમ અને સંકુલનું બાંધકામ ૨૦૨૯ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સરદાર વલ્લભભાઈ એન્ક્લેવનું બાંધકામ ૨૦૨૯ ના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થશે. ટેનિસ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેનિસ શો કોર્ટ હશે. ગુજરાત પોલીસ એકેડેમીમાં એથ્લેટિક્સ સ્ટેડિયમની ક્ષમતા ૫૦,૦૦૦ હશે. શહેર ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનો દાવેદાર પણ છે. વિજયી ભારતીય ફાઉન્ડેશનની માલિકીના સંસ્કાર ધામમાં પણ કોમનવેલ્થ ગેમ્સના કેટલાક કાર્યક્રમોનું આયોજન થવાની ધારણા છે. ફાઉન્ડેશનના સીઓઓ આદિત્ય અવસ્થીના જણાવ્યા અનુસાર, ૨૦૨૮ સુધીમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન કરનાર સંકુલમાં એથ્લેટિક્સ, બોક્સિંગ અને કુસ્તી માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આઇઆઇટી ગાંધીનગરમાં હોકી માટે બે એસ્ટ્રોટર્ફ નાખવાની યોજના છે.
Loading ...
