ફોર્ચ્યુન ઇન્ડિયાએ બઈની ફોર સીઝન્સ હોટેલમાં તેનો મુખ્ય કાર્યક્રમ, મોસ્ટ પાવરફુલ વુમન” ૨૦૨૬ યોજ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતની અગ્રણી મહિલા નેતાઓને વ્યવસાય, નાણાં, ટેકનોલોજી, આરોગ્યસંભાળ, જાહેર નીતિ અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે એકત્ર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે “ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન ૨૦૨૬ યાદીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમના નેતૃત્વએ દેશના આર્થિક અને વ્યવસાયિક લેન્ડસ્કેપને આકાર આપ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણી આ વર્ષે ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન ૨૦૨૬ ની યાદીમાં ટોચ પર રહ્યા હતા. કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન, નીતા અંબાણીએ કહ્યું કે નેતૃત્વ ફક્ત સત્તા સુધી મર્યાદિત ન હોવું જાેઈએ, પરંતુ તેનું મૂળ કરુણા, સમાવેશીતા અને સમાન તકમાં હોવું જાેઈએ. તેમણે ભાર મૂક્યો કે દીકરીઓમાં રોકાણ અને સશક્તિકરણ એ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. કાર્યક્રમમાં વિવિધ સત્રોમાં, કોર્પોરેટ અને વ્યવસાયિક નેતાઓએ ખુલ્લેઆમ ભાવિ નેતૃત્વની ચર્ચા કરી. ઉદ્યોગપતિઓએ સ્વીકાર્યું કે કૃત્રિમ બુદ્ધિ અને વૈશ્વિક પરિવર્તનને કારણે ઉદ્યોગો ઝડપથી પરિવર્તન પામી રહ્યા છે.
કેરેબિયન ટાપુ સમૂહ દેશ બહામાસમાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. દેશ જ્યારે પોતાની આઝાદીની ઉજવણીમાં ડૂબેલો હતો, ત્યારે જ સર્જાયેલા એક પ્લેન ક્રેશમાં તેમાં સવાર તમામ ૧૦ લોકોના મોત નીપજ્યા હતા. આ મોટી દુર્ઘટના બાદ બહામાસ સરકારે ‘ફ્લેમિંગો એર’ ની તમામ ફ્લાઇટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માત શુક્રવારે બહામાસની રાજધાની નાસાઉના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર એન્ડ્રોસ નજીક સર્જાયો હતો. બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી ના જણાવ્યાનુસાર, સેસ્ના ૪૦૨ જે બહામાસમાં જ રજિસ્ટર્ડ હતું. આ વિમાને રાજધાની નાસાઉના ‘લિન્ડેન પિંડલિંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક’ પરથી ઉડાન ભરી હતી અને તે સાન એન્ડ્રોસ જઈ રહ્યું હતું. જ્યારે વિમાન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું.બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસે શરૂઆતમાં માહિતી આપી હતી કે અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. પરંતુ, ત્યારપછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પુષ્ટિ કરી હતી કે ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એ એકમાત્ર બચેલી વ્યક્તિએ પણ દમ તોડી દીધો છે.
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરી રહેલી જમ્મુ અને કાશ્મીર જાેઈન્ટ આવામી એક્શન કમિટીએ ૧૫ જુલાઈએ પાકિસ્તાની એસેમ્બલીથી સ્વતંત્રતાની ઘોષણા કરવાની હાકલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,પીઓકે ના લોકો ૧૫ જુલાઈએ પાકિસ્તાની એસેમ્બલીથી સ્વતંત્રતાની ઘોષણા કરશે.” સ્થાનિક નેતાઓએ પાકિસ્તાની સેનાને તાત્કાલિક શહેર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે અને ઐતિહાસિક રીતે શાંતિપૂર્ણ પ્રદેશને “આતંકવાદી ક્ષેત્ર” તરીકે લેબલ કરવાના પ્રયાસોને સખત રીતે નકારી કાઢ્યા છે.
પીઓકેમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે, હજારો લોકો ઈદગાહ મેદાન પર એકઠા થયા છે. વિરોધ નેતાઓએ વિદેશી મીડિયાને પાકિસ્તાની સેનાના અત્યાચારો જાેવા માટે આમંત્રણ આપ્યું છે. તાજેતરના પ્રદર્શન દરમિયાન, અસીમ મુનીરના આદેશ હેઠળ, પાકિસ્તાની સેનાએ નિ:શસ્ત્ર લોકો પર ગોળીબાર કર્યો, જેમાં ૩૦ લોકો સ્થળ પર જ માર્યા ગયા ત્યારે પરિસ્થિતિ ઝડપથી બગડી હતી.
હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધી રહેલા વ્યૂહનીતિ તણાવ અને વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય નૌસેનાની તાકાતમાં આજે એક ઐતિહાસિક વધારો થયો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમના નેવલ ડૉકયાર્ડ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં એડવાન્સ્ડ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ આઇએનએસ મહેન્દ્રગિરી ને ભારતીય નૌસેનામાં વિધિવત રીતે સામેલ કર્યું છે.
સંરક્ષણમંત્રીને ડૉકયાર્ડમાં ગાર્ડ ઑફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ યુદ્ધપોતનું કમિશનિંગ એવા સમયે થયું છે જ્યારે વૈશ્વિક સ્તરે દરિયાઈ સુરક્ષાની ચિંતાઓ વધી ગઈ છે. સમુદ્રના મોજાંને ચીરતા આ અત્યાધુનિક યુદ્ધપોત પર જ્યારે તિરંગો લહેરાવવામાં આવ્યો, ત્યારે તે માત્ર નૌસેનાની લડાયક ક્ષમતા જ નહીં, પરંતુ આર્ત્મનિભર ભારતની વધતી જતી શક્તિનું પણ પ્રતીક બન્યું છે. છેલ્લા એક વર્ષમાં નૌસેનામાં સામેલ થયેલા વોરશિપની સંખ્યા ૧૮ને પાર થઈ ગઈ છે, અને વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આટલા જ વધુ જહાજાેને બેડામાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ મહાશક્તિશાળી ફ્રિગેટનું નામ ઓડિશા અને આંધ્રપ્રદેશની સરહદ પર આવેલા પૂર્વીય ઘાટની મહેન્દ્રગિરી પર્વત શ્રૃંખલા પરથી રાખવામાં આવ્યું છે.
ચીનમાં ટાયફૂન ‘બાવી’ રવિવારે વેન્ઝોઉ શહેરમાં ત્રાટકવાની આશંકા છે. આ પહેલા ‘માયસેક’થી હેનાન પ્રાંતમાં ૯૦૦ ઝેરી સાપ છૂટ્યા હતા. તાઈવાન અને જાપાનમાં વિનાશ સર્જી, ચીન તરફ આગળ વધી રહેલા આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે. ચીનમાં ૮૮૭,૮૦૧ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
ટાયફૂન ‘બાવી’ રવિવારે ચીનના પૂર્વીય શહેર વેન્ઝોઉમાં લેન્ડફોલ કરે તેવી પ્રબળ આશંકા છે. આ પહેલા ચીન આ જ મહિનાની શરૂઆતમાં હેનાન પ્રાંતમાં ત્રાટકેલા વિનાશક ટાયફૂન ‘માયસેક’ની અસરોનો સામનો કરી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ચીનમાં અતિશય ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૯ લોકોના મોત થયા છે. ડઝનબંધ નદીઓ જાેખમી સપાટી વટાવી ચૂકી છે, અને એક જળાશયનો ડેમ તૂટી ગયો છે.
ચીનના હેનાન પ્રાંતમાં ૩ જુલાઈના રોજ ત્રાટકેલા ટાયફૂન માયસેકની અસર હજુ પણ જાેવા મળી રહી છે. દક્ષિણના શહેર હેંગઝોઉમાં પૂરના પાણી ભરાઈ જવાને કારણે, ૬ જુલાઈના રોજ એક બ્રીડિંગ સેન્ટરમાંથી અંદાજે ૯૦૦ જેટલા ઝેરી અને ખતરનાક સાપ ભાગી છૂટ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
Loading ...
