ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા જાેખમાય નહીં તે માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઊર્જા મંત્રી હરદીપ સિંહ પુરી પશ્ચિમ એશિયાના મહત્વના દેશોની મુલાકાતે રવાના થયા છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે મોરેશિયસના પોર્ટ લુઈસ પહોંચ્યા છે. તેઓ ત્યાં ૯મી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સમાં ભાગ લેશે. બે દિવસીય આ મુલાકાત દરમિયાન તેઓ હિંદ મહાસાગરના દેશો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તેલ અને ગેસના પુરવઠામાં કોઈ અવરોધ ન આવે તે માટે ભારત વ્યૂહાત્મક પગલાં ભરી રહ્યું છે. હરદીપ સિંહ પુરી તેલ ઉત્પાદક દેશો સાથે વાતચીત કરીને ભારત માટે ઊર્જા સ્થિરતા સુનિશ્ચિત કરશે.
જાેકે અત્યારે બે અઠવાડિયાનો યુદ્ધવિરામ છે, પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે. હોર્મુઝની સામુદ્રધુની દ્વારા વ્યાપારી જહાજાેની સુરક્ષિત અવરજવર એ ભારત માટે અત્યંત મહત્વની છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ માર્ગે આયાત કરે છે.
ભારત આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે સતત મુત્સદ્દીગીરી અને સંવાદની હિમાયત કરી રહ્યું છે. મોરેશિયસમાં યોજાનારી કોન્ફરન્સમાં પણ સમુદ્રી સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા મુખ્ય મુદ્દાઓ રહેશે દરમિયાનમાં સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ઊર્જા મંત્રી હરદીપ પુરી કતાર જવા રવાના થશે.
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન મંદિરોના રીતિ-રિવાજાેનો ઉલ્લેખ થયો હતો. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે મંદિરોમાં ફક્ત ખાસ સમુદાયની એન્ટ્રી અને બહારના લોકોની મનાઈથી સમાજ વહેંચાશે. આ હિંદુ ધર્મ માટે યોગ્ય નથી. તેમણે આગળ કહ્યું કે માની લો (સબરીમાલા કેસને બાદ કરતાં), જાે એમ કહેવામાં આવે કે ફક્ત ગૌડ સારસ્વત લોકો જ એક મંદિરમાં આવે અથવા કાંચી મઠના લોકો ફક્ત કાંચી જ જાય, બીજા મઠોમાં ન જાય તો તે યોગ્ય નહીં હોય. જેટલા વધુ લોકો અલગ-અલગ મંદિરો અને મઠોમાં જશે, તેટલો જ ધર્મ મજબૂત બનશે. બીજી તરફ કેન્દ્ર સરકાર વતી હાજર સિનિયર એડવોકેટ વૈદ્યનાથને કહ્યું કે, ઇતિહાસમાં આવા ઘણા ઉદાહરણો આપણી સામે છે, જ્યારે ધર્મ સાથે જાેડાયેલા વિવાદો સંવેદનશીલ હોય છે. ત્યાં અદાલતો હસ્તક્ષેપ કરતી નથી.
સુપ્રીમ કોર્ટની ૯ જજાેની બેન્ચે ગુરુવારે ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે ભેદભાવ સંબંધિત કેસોમાં ત્રીજા દિવસે સુનાવણી કરી હતી. તેમાં વિવિધ ધર્મોમાં પ્રચલિત ધાર્મિક સ્વતંત્રતાની સીમા અને દાયરા પર પણ વિચાર કરાઇ રહ્યો છે. શબરીમાલા કેસ સિવાય, જાે એમ કહેવામાં આવે કે ફક્ત ગૌડ સારસ્વત લોકો જ એક મંદિરમાં આવે અથવા કાંચી મઠના લોકો ફક્ત કાંચી જ જાય, બીજા મઠોમાં) ન જાય તો તે યોગ્ય નહીં હોય. જેટલા વધુ લોકો અલગ-અલગ મંદિરો અને મઠોમાં જશે, તેટલો જ ધર્મ મજબૂત બનશે.
એક દિવસ પહેલા અમેરિકા-ઈરાનનો શાંતિનો સંદેશ તે જ દિવસે સાંજ પડતા ઢીલો ઢબ પડી ગયો છે. લેબનોન પર ઈઝરાયલના ઘાતક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના થોડા જ કલાકોમાં તેને ફરી બંધ કરવાની જાહેરાત કરી દીધી. સાથે જ એ સ્પષ્ટ કરી દીધું કે અમેરિકાએ હવે એ નક્કી કરવું પડશે કે તેનેયુદ્ધવિરામ જાેઈએ છે કે ઈઝરાયલ દ્વારા યુદ્ધ. ઈઝરાયલની બાબતમાં ફસાયેલા અમેરિકામાં પણ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની ટીકાઓ જાેર પકડી રહી છે.અમેરિકન સેનેટરે ટ્રમ્પને રાષ્ટ્ર પ્રમુખ પદ માટે માનસિક રીતે અનફિટ ગણાવ્યા અને તેમને પદ પરથી હટાવવા માટે શક્ય તમામ પગલાં લેવાની અપીલ પણ કરી દીધી. ટ્રમ્પની ટીકાનું કેન્દ્ર ઈરાન દ્વારા મોકલવામાં આવેલ ૧૦ મુદ્દાનો પ્રસ્તાવ છે. ક્રિસ મર્ફીએ એક દિવસ પહેલા આને ટ્રમ્પનું સરેન્ડર ગણાવ્યું હતું. આ બાબતે હવે વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા સામે આવી છે.વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે દાવો કર્યાે છે કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને કચરાપેટીમાં ફેંકી દીધો છે.
લેબનોનમાં યુદ્ધવિરામ અંગે અમેરિકાએ હાથ ઊંચા કર્યા
અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન સાથે યુદ્ધવિરામ કરારમાં લેબેનોનનો સમાવેશ ન હતો. બીજી તરફ ઈઝરાયલે લેબેનોનમાં ભીષણ હુમલા કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યાે હતો કે યુદ્ધવિરામ સમજૂતીમાં લેબેનોન પણ સામેલ છે, જ્યારે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ તેનો સ્પષ્ટ ઈનકાર કર્યાે હતો. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પણ નકારી ચૂક્યા છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે લેબેનોનના યુદ્ધવિરામમાં સામેલ હોવાનો ઈનકાર કર્યાે છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે કોઈ ગેરસમજ થઈ છે. મને લાગે છે કે ઈરાનીઓ એવું માની રહ્યા હતા કે યુદ્ધવિરામમાં લેબેનોન પણ સામેલ છે, જ્યારે એવું નથી.
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં ઓઈલ જહાજાે પર દરેક બેરલ માટે ૧ ડોલરનો ટોલ ટેક્સ વસૂલવાનો પ્લાન છે. સૂત્રો અનુસાર, ઈરાન આ ચુકવણી ક્રિપ્ટોકરન્સીમાં ઇચ્છે છે. આગળ વધવાની મંજૂરી આપતા પહેલાં જહાજાેએ કાર્ગોની જાણ કરવી પડશે. ઈરાની અધિકારી હામિદ હોસેનીએ કહ્યું કે બે અઠવાડિયામાં શસ્ત્રો યુએસ લશ્કરી ઠેકાણા સુધી પહોંચતાં અટકાવવા આ કરવામાં આવી રહ્યું છે. જહાજાેને પસાર થવા દેવામાં આવશે, પરંતુ પ્રક્રિયામાં સમય લાગી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં ફક્ત એક ઓઈલ ટેન્કર અને પાંચ માલવાહક જહાજાે પસાર થયા છે. અગાઉ આ માર્ગે રોજ આશરે ૧૪૦ જહાજાે પસાર થતા હતા પરંતુ ફેબ્રુઆરીના અંતમાં સંઘર્ષ શરૂ થયા પછી આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
EUએ હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલનો વિરોધ કર્યો
યુરોપિયન યુનિયનએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે કોઈ ફી કે ટોલ ન હોવા જાેઈએ. આ માર્ગ સમગ્ર વિશ્વ માટે જરૂરી છે અને તમામ જહાજાેને કોઈપણ પ્રતિબંધ વિના તેમાંથી પસાર થવાની મંજૂરી આપવી જાેઈએ.
UAEની હોર્મુઝને બિનશરતી ખોલવા વિનંતી
અબુ ધાબીની ઓઈલ કંપનીના વડાએ ઈરાનને કોઈપણ શરત વિના હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માગ કરી છે. તેમણે કહ્યું કે આ માર્ગ કોઈ એક દેશનો નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે જરૂરી છે. તેનો ઉપયોગ દબાણ લાવવા માટે ન કરવો જાેઈએ.
યુદ્ધવિરામમાં પાકિસ્તાન અમેરિકાના ઈશારે કામ કરી રહ્યું હતું : ઈરાન
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકા વિશે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાન આ યુદ્ધવિરામમાં મધ્યસ્થી કે સંદેશવાહક નહોતું. પાકિસ્તાન યુદ્ધવિરામ માટે ફક્ત અમેરિકાના ઈશારે કામ કરી રહ્યું હતું. અમેરિકાના કહેવા પર, પાકિસ્તાને ઈરાનને એક પ્રસ્તાવ મોકલ્યો. વધુમાં, અમેરિકાના કારણે જ ઈસ્લામાબાદે ઈરાનને મનાવવા માટે ચીનનો સંપર્ક કર્યો. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂતે આ યુદ્ધવિરામમાં ચીનની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે.
લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં એક જ દિવસમાં ૨૫૪નાં મોત
ઇઝરાયલી સેનાએ લેબનોનમાં સેંકડો મિસાઇલો છોડ્યા, જેમાં ૨૫૪ લોકો માર્યા ગયા. લેબનોન સંરક્ષણ એજન્સી અનુસાર, હવાઈ હુમલામાં ૧,૧૬૫ લોકો ઘાયલ થયા. દેશમાં રાષ્ટ્રીય શોકની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ હુમલાઓમાં બેરૂત, બેકા ખીણ, માઉન્ટ લેબનોન, સિડોન અને દક્ષિણ લેબનોનના અનેક ગામોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓ તે જ દિવસે થયા હતા જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે ૨ માર્ચે નવી લશ્કરી કાર્યવાહી શરૂ થયા પછી આ હુમલો લેબનોન પરનો સૌથી મોટો હુમલો હતો. સૈન્ય અનુસાર ૧૦૦ થી વધુ હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટરો અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સાંજે ૫ વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ ૮૫.૪૬%, પુડુચેરીમાં ૮૯.૮૩% અને કેરળમાં ૭૮.૦૯% મતદાન નોંધાયું છે. કેરળની ૧૪૦, આસામની ૧૨૬ અને પુડુચેરીની ૩૦ બેઠકો પર જનતા ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થયું છે. આસામની ૧૨૬ બેઠકો પર ૭૨૨ ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે ૩૧,૯૪૦ મતદાન કેન્દ્રો પર ૧.૫ લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રો પર માઇક્રો-ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માગે છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે. કેરળની તમામ ૧૪૦ બેઠકો પર ૮૮૩ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં ૨.૭૧ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું ન્ડ્ઢહ્લ ત્રીજી વાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારે કોંગ્રેસ
નેતૃત્વ હેઠળનું ેંડ્ઢહ્લ પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહ્યું છે. પુડુચેરીમાં ૩૦ બેઠકો પર ૨૯૪ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જાેકે આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી.
ચૂંટણીની સાથે-સાથે
આસામ કોંગ્રેસે ઉદલગુડીના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાવી છે.
આસામના સોનિતપુરમાં મતદાન અધિકારી દેબેન (૪૫) મૃત હાલતમાં મળી આવ્યા.
આસામના એક મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો વાયરલ થતાં એફઆઇઆર દાખલ.
Loading ...
