આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાંથી એક અત્યન્ટ ચોંકાવનારો અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના ઓવરસાઇટ બોર્ડના એક તાજેતરના અભ્યાસમાં ખુલાસો થયો છે કે, વિશ્વના અગ્રણી છૈં મોડેલ્સ વાણી સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકનારી અને દમનકારી વલણ ધરાવતી સરકારોની રાજકીય ટીકા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. ઓપન એઆઈ અને એન્થ્રોપિક જેવી દિગ્ગજ લેબોરેટરીઝના ચેટબોટ્સ પર કડક સેન્સરશીપ કાયદા ધરાવતા દેશોનો પૂર્વગ્રહ હાવી થઈ રહ્યો હોવાની આશંકાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.
જ્યારે એઆઈ મોડેલ્સને ચીન અને સાઉદી અરેબિયા જેવા સક્રિય સરમુખત્યારશાહી કાયદાઓ ધરાવતા અધિકારક્ષેત્રો વિશે રાજકીય રીતે ટીકાત્મક સામગ્રી તૈયાર કરવા પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આવી ૩૪% વિનંતીઓ (પ્રોમ્પ્ટ્સ)નો ઇનકાર કરી દીધો હતો. તેની સરખામણીમાં, જ્યાં આવા કડક કાયદા નથી અથવા વાણી સ્વતંત્રતા છે, તેવા દેશો સામેની સમાન વિનંતીઓમાંથી માત્ર ૧૪% જ નકારવામાં આવી હતી.ઓવરસાઇટ બોર્ડે મેટા, ઓપનએઆઈ અને એન્થ્રોપિક સહિતની કંપનીઓના ૧૦ વ્યાપારી મોટા ભાષા મોડેલોનું મૂલ્યાંકન કરવા માટે ૭ ખાસ પ્રોમ્પ્ટ્સ તૈયાર કર્યા હતા. જેમાં મોડેલ્સને રાજકીય રીતે જટિલ પત્રિકાઓ, કવિતાઓ બનાવવા અને કોઈએ રાજકીય વિરોધ પ્રદર્શનમાં જાેડાડવું જાેઈએ કે નહીં તે સમજાવવા કહેવામાં આવ્યું હતું.તાલીમ ડેટામાંથી વારસામાં મળ્યો પૂર્વગ્રહાॅ સંશોધકોના મતે, આ એઆઈ મોડેલ્સ જે દેશોમાં સેન્સરશીપ લાગુ છે તેની સરહદોની બહાર પણ તે જ પ્રકારના પ્રતિબંધોને પ્રતિબિંબિત કરી રહ્યા છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિની સમીક્ષા કરવા માટે પાંચ મુખ્ય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં ભારતીય મૂળના ૩ નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ આશા શર્માને આ ટાસ્ક ફોર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
ફેડરલ રિઝર્વના નવા ચેરમેન કેવિન વાર્શે મોનેટરીપોલિસી બનાવવાના મહત્વપૂર્ણ ક્ષેત્રોની તપાસ માટે આ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં કોમ્યુનિકેશન, બેલેન્સ શીટ પોલિસી, ડેટા, પ્રોડક્ટિવિટી એન્ડ જાેબ્સ, તેમજ ઇન્ફ્લેશન ફ્રેમવર્ક જેવા વિષયો સામેલ છે.રઘુરામ રાજનને બેલેન્સ શીટ પોલિસી ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પેનલમાં હાર્વર્ડના અર્થશાસ્ત્રી કરેન ડાયનન અને ફેડરલ રિઝર્વના પૂર્વ ગવર્નર જેરેમી સ્ટીન પણ સામેલ છે. આ ટાસ્ક ફોર્સ ફેડરલ રિઝર્વની વર્તમાન બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, લાભ અને સંસ્થાકીય અસરોની તપાસ કરશે. ગ્લોબલ ઇકોનોમી અને મોનેટરી પોલિસીના ઊંડા જાણકાર હોવાથી, રાજનની કુશળતા આ પેનલમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ભારતમાં ઈ૨૦ ફ્યુઅલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક કેસમાં પહેલીવાર કોર્ટે આદેશ જાહેર કર્યો છે. છત્તીસગઢના રાયપુર જિલ્લામાં કન્ઝ્યુમર કોર્ટે ગાડીના માલિકની તરફેણમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કારના માલિકે આરોપ લગાવ્યો હતો કે ઈ૨૦ તેલના કારણે તેના વાહનને ઘણું નુકસાન પહોંચ્યું હતું અને વારંવાર રિપેર કરાવવા છતાં કોઈ રાહત ન મળી, માત્ર ખર્ચ જ વધ્યો. ગ્રાહકનો દાવો હતો કે ઈ૨૦ પેટ્રોલ ભરાવ્યા પછીથી તેની કારના એન્જિનમાં ગરબડ થવા લાગી હતી. એન્જિનનું પરફોર્મન્સ ખરાબ થઈ ગયું, મિસફાયરિંગ અને માઇલેજમાં પણ ઘટાડો જાેવા મળ્યો. વારંવાર સર્વિસ સેન્ટર પર લઈ જઈને કાર રિપેર કરાવવા છતાં આ સમસ્યાઓ યથાવત રહી, જેના કારણે ગ્રાહકનો ઘણો ખર્ચ થયો. કાર માલિકે આ કેસ જાણીતી કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ પર કર્યો હતો. કોર્ટે સુનાવણી બાદ કંપનીને નિર્દેશ આપ્યા છે કે ૪૫ દિવસની અંદર તે જ મોડેલની નવી કાર ફરિયાદીને આપવામાં આવે. આ ગાડી ઈ૨૦ ફ્યુઅલથી ચાલવા યોગ્ય હોવી જાેઈએ. જાે કંપની એવું નહીં કરે, તો વાહન માલિકને કારની પૂરી કિંમત પરત કરવી પડશે. આ રકમ ૨૦.૫૦ લાખ રૂપિયા હશે.
આટલું જ નહીં, કોર્ટે ફરિયાદીને થયેલી માનસિક સતામણી બદલ પણ ૧ લાખ રૂપિયાનું વળતર અને કેસના ખર્ચ પેટે ૧૦ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ ફરિયાદીએ એ બાબતના પુરાવા રજૂ કર્યા કે તેની ગાડીના એન્જિનમાં ઈ૨૦ ફ્યુઅલ જમા થયેલું જાેવા મળ્યું હતું. વર્કશોપમાં તેને રિપેર કરાવવામાં આવ્યું, પરંતુ તેના થોડા જ દિવસો પછી પેટ્રોલ ટેન્કમાં કોઈ સફેદ અને ચીકણું પ્રવાહી મળ્યું.
દેશની નામાંકિત મેડિકલ કોલેજાેમાં એડમિશન મેળવવા માટે લેવાયેલી NEET(UG) પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ દ્વારા એક ખાસ કોર્ટમાં કેટલાક અત્યંત ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા પુરાવાઓમાં સ્પષ્ટ કર્યું છે કે આ આખીયે સરકારી પરીક્ષાના કૌભાંડ પાછળ એનટીએની સરકારી પેનલના સભ્યો અને ખાનગી કોચિંગ સેન્ટરોના સંચાલકો વચ્ચે બહુ મોટી મિલીભગત અને સાંઠગાંઠ ચાલતી હતી. સીબીઆઈએ કોર્ટમાં આરોપી કોચિંગ સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાવકરની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે, તેણે કેમેસ્ટ્રી વિષયના પ્રશ્નો પરીક્ષા પહેલાં જ મેળવી લેવા માટે રૂ.૫ લાખની મોટી રકમ ચૂકવી હતી. આ પ્રશ્નો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના તે નિષ્ણાત પેનલ મેમ્બર પી.વી. કુલકર્ણી પાસેથી મેળવવામાં આવ્યા હતા, જે પોતે જ આ પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ હતા. આ કેસના મુખ્ય આરોપી મોટેગાવકરનો દીકરો કુલકર્ણીના જ કેમેસ્ટ્રી ટ્યુટોરિયલ ક્લાસીસમાં ભણતો હતો. આ ક્લાસ દરમિયાન જ પરીક્ષાના અત્યંત ગુપ્ત પ્રશ્નો લીક કરીને મોટેગાવકર સુધી પહોંચાડાયા હતા. આ પ્રશ્નો હાથમાં આવ્યા બાદ મોટેગાવકરે લખીને અલગથી નોટ્સ તૈયાર કરી હતી. આરોપી મોટેગાવકરના ફોનમાંથી મહત્ત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે. ફોનમાંથી કુલ ૩૬ ફોટો મળ્યાં છે, જેમાં હાથેથી લખેલા કેમેસ્ટ્રીના ૧૩૨ પ્રશ્નો હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આમાંથી ૧૧૧ પ્રશ્નો NEET (UG) માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્રશ્નપત્ર સેટ સાથે હૂબહૂ મેચ થતા હતા.
ઓડિશાના પુરીમાં જગપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લાખો ભક્તોની હાજરી વચ્ચે થયેલી દોડધામમાં ગૂંગળામણના કારણે એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોને જ્યારે ૧૨મી સદીના મુખ્ય મંદિરથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમને જાેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ અતિશય ભીડમાં શ્વાસ લેવાની તકલીફ થતાં એક શ્રદ્ધાળુ અચાનક બેહોશ થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટની ટીમોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરીને અસરગ્રસ્તોને ભીડમાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પુરીની મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ભીડ પર નિયંત્રણ મેળવવા માટે પ્રશાસન દ્વારા તાત્કાલિક વધારાની સુરક્ષા અને મેડિકલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
Loading ...
