નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના ૫૫માં સત્રમાં પાકિસ્તાને હંમેશાની જેમ કાશ્મીરનો રાગ આલાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતના ડિપ્લોમેટ અનુપમા સિંહે તેને એવો જડબાતોડ જવાબ આપ્યો કે દુનિયા જાેતી જ રહી ગઈ. તેમણે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે, પાકિસ્તાન લા-લા લેન્ડ એટલે કે કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે. અનુપમા સિંહે પાકિસ્તાનને અરીસો દેખાડીને તેની બોલતી બંધ કરી દીધી. તેમણે પાકિસ્તાનના પ્રોપગેન્ડાને તો ધ્વસ્ત કરી જ દીધો, પરંતુ આ સાથે-સાથે તેની આર્થિક પાયમાલી અને જમ્મુ-કાશ્મીરની ખુશહાલી વચ્ચેનું એ અંતર પણ દુનિયાને જણાવ્યું, જેનાથી ચોક્કસપણે પાકિસ્તાનને મરચા લાગશે. તેમણે કહ્યું કે, કાશ્મીરનું બજેટ તમને મળેલી આઇએમએફની ભીખ કરતાં પણ વધારે છે.
અનુપમા સિંહે પાકિસ્તાનના આર્થિક સંકટ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, કદાચ પાકિસ્તાનને એ બાબત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે કે, એકલા જમ્મુ-કાશ્મીરનું વિકાસ બજેટ તેના સમગ્ર બેલઆઉટ પેકેજથી બમણા કરતા પણ વધુ છે, જેના માટે પાકિસ્તાન આઇએમએફ યયયયયય સામે કટોરો લઈને ઊભુ છે. જાે પાકિસ્તાનને વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ ચિનાબ બ્રિજ નકલી લાગે છે, તો તે સ્પષ્ટ છે કે તે વાસ્તવિકતાથી ખૂબ દૂર, એક કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે. ભારતે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તેના સૂરમાં સૂર મિલાવનાર ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનને પણ આડે હાથ લીધું. અનુપમા સિંહે કહ્યું કે ઓઆઇસી સંપૂર્ણપણે એક દેશ (પાકિસ્તાન)ના પ્રોપગેન્ડાનો ગુલામ બની ચૂક્યું છે. આ સંગઠન હવે માત્ર પાકિસ્તાનની રાજકીય મજબૂરીઓનું પુનરાવર્તન કરનારું એક ઈકો ચેમ્બર બનીને રહી ગયું છે. પાકિસ્તાની પ્રોપગેન્ડાના તથ્યોને કચડતા ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કહી દીધુ છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. કોઈ પણ ખોટો પ્રચાર આ સત્યને બદલી શકશે નહીં. ૧૯૪૭ના ભારતીય સ્વતંત્રતા કાયદા હેઠળ કાશ્મીરનો ભારતમાં વિલય સંપૂર્ણપણે કાયદેસર અને અંતિમ છે.
જેરુસાલેમ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતનો બીજાે દિવસ હતો. ઇઝરાયલમાં પણ હવે ભારતની યુપીઆઈ ચુકવણી સિસ્ટમ ચાલશે. આ મુદ્દે નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સમજુતી થઈ હતી.
પીએમ નેતન્યાહૂ સાથે જાેઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારત ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે, ઇઝરાયલ આવવું મારા માટે ગર્વની વાત છે. ઇઝરાયલની નવી ટેકનોલોજી ભારતના ગામે ગામ પહોંચશે, જેનાથી લાખો ખેડૂતોની આવક અને ઉત્પાદનમાં વધારો થશે. સાથે મળીને, આપણે ભવિષ્ય માટે તૈયાર ખેતી માટે નવા ઉકેલો વિકસાવીશું. ભારતમાં ભારત-ઇઝરાયલ ઇનોવેશન સેન્ટર ફોર એગ્રીકલ્ચરની સ્થાપના આ સહયોગને વધુ મજબૂત બનાવશે.
તો બીજી તરફ નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, આજે, શિક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને એઆઇની મદદથી, દરેક વિપર્થી સુધી સરળતાથી પહોંચી શકાય છે અને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક આપી શકાય છે. પહેલા જે સમસ્યાઓ અને મર્યાદાઓ હતી તે હવે રહી નથી. ભવિષ્ય એવા દેશોનું છે જે નવું વિચારે છે અને નવું કામ કરે છે. ઇઝરાયલ અને ભારત બંને નવા વિચારો અને ટેકનોલોજી પર ભાર મૂકી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી પર ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ પહેલા પીએમ મોદીએ જેરુસલેમમાં હોલોકોસ્ટ મેમોરિયલ યાદ વાશેમ ખાતે માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ મોદીએ ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યાદ વાશેમ ખાતે એક વૃક્ષ વાવ્યું. મોદીએ ગેસ્ટ બુકમાં ભારતનો મેસેજ પણ લખ્યો.
ત્યારબાદ મોદી ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મળ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી જે દરમિયાન, આઇઝેકે મોદીનું સ્વાગત કરતા કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ પામી રહી છે, જેનાથી પુરી દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાઈ રહ્યું છે. પીએમ મોદીએ પણ કહ્યું હતું કે, ઇઝરાયલને ભારતીયો પ્રત્યે ગાઢ પ્રેમ છે.
પીએમએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીઓને યાદ કર્યા
વડાપ્રધાને ઈઝરાયેલની સંસદમાં સંબોધન કરતી વખતે ગુજરાતના જામ સાહેબ અને તેમણે શરણ આપેલા પોલિશ (પૉલેન્ડ) અને યહૂદી લોકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હોલોકોસ્ટ માનવતાના ઈતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંનું એક છે. તેમ છતાં, તે સંઘર્ષના વર્ષો દરમિયાન પણ, માનવતાના કેટલાક એવા કાર્યો સામે આવ્યા જે ખરેખર અનન્ય હતા. ગુજરાતના નવાનગરના મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં એવા યહૂદી બાળકો પણ સામેલ હતા જેમને આશરો આપનાર બીજું કોઈ નહોતું. હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી ત્યારે પોલેન્ડના સૈનિકોએ ૫૦૦ મહિલાઓ અને લગભગ ૨૦૦ બાળકોને જહાજમાં બેસાડી સમુદ્રમાં છોડી દીધા હતા. તેમજ જહાજના કપ્તાનને કહેવાયું હતું કે, તેઓને કોઈ પણ દેશમાં લઇ જાઓ કે જ્યાં તેમને આશ્રય મળી શકે અને અમે યુદ્ધમાં બચી જશું તો ફરી મળીશું. જહાજ ભટકતું ગુજરાતના જામનગર પહોંચ્યું. ત્યારે જામનગરના તત્કાલીન રાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ તેમને આશરો આપ્યો હતો. એટલું જ નહીં, નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી.
અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન : મોદી
લગભગ ૯ વર્ષ બાદ ઇઝરાયલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સંસદમાં હોવું મારા માટે સન્માનની વાત છે. મારો જન્મદિવસ એ જ દિવસે હોય છે, જે દિવસે ભારતે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી. ભારત પણ આતંકવાદનો શિકાર છે. મારી સંવેદનાઓ તે તમામ લોકોના પરિવાર સાથે છે, જેમણે હમાસના હુમલાઓમાં પોતાના જીવ ગુમાવ્યા. ભારત ઈઝરાયલની સાથે ઉભું છે અને આગળ પણ ઉભું રહેશે. નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજાેગોમાં સહન નહીં. શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પરંતુ ભારત શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં હંમેશા સાથે છે. યુએન સુરક્ષા પરિષદ દ્વારા સમર્થન પામેલ ગાઝા શાંતિ પહેલ આગળ વધવાનો માર્ગ પ્રદાન કરે છે. ભારતે આ પહેલ માટે પોતાનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો છે.
હિટલરના શાસનમાં માર્યા ગયેલા યહૂદીઓની યાદમાં ‘યદ વાશેમ’ સ્મારક બનેલું
યાદ વાશેમ હોલોકોસ્ટ દરમિયાન માર્યા ગયેલા લાખો યહૂદીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. સ્મારક ઇઝરાયલની રાજધાની યેરુશલમમાં આવેલું છે અને દર વર્ષે દુનિયાભરના લોકો અહીં આવીને ઇતિહાસને સમજે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરે લગભગ ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી હતી. આ નરસંહારને હોલોકોસ્ટ કહેવામાં આવે છે. ઇઝરાયલની સંસદ નેસેટે વર્ષ ૧૯૫૩માં ર્નિણય કર્યો કે હોલોકોસ્ટમાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક ખાસ સ્મારક બનાવવામાં આવે.
મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતા બન્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનાર વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ઇઝરાયેલી સંસદ (નેસેટ)માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નેસેટનું સર્વોચ્ચ સન્માન છે અને પીએમ મોદી આ પદક મેળવનારા પ્રથમ નેતા બન્યા છે. આ સન્માન ૨૦૧૮ પ્રાપ્ત પેલેસ્ટાઇનના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનની સાથે મળીને પીએમ મોદીની રાજદ્વારી સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે.
બંને દેશોએ કઈ કઈ સમજૂતીઓ કરી?
૧. સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જાે : બંને દેશોએ પોતાની ભાગીદારીને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે જાહેર કરવાની સમજૂતી કરી લીધી છે. વડાપ્રધાને આ સેન્ટરની સંખ્યા ૧૦૦ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે.
૨. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ : એઆઇ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાનો ર્નિણય લેવાયો છે.
૩. સેન્ટર અને વિલેજ ઓફ એક્સેલન્સ : ભારતમાં સેન્ટર ઓફ એક્સેલન્સની સંખ્યા વધારીને ૧૦૦ સુધી લઈ જવાનો અને વિલેજ ઓફ એક્સેલન્સ બનાવવાનો ર્નિણય લેવાયો.
૪. ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ : શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બંને દેશોના જાેડાણ માટે આ ફોરમની સ્થાપનાની જાહેરાત કરાઈ.
૫. વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર : રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરાયા છે.
૬. આતંકવાદ વિરુદ્ધ સહયોગ : આતંકવાદનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કામ કરવાની અને આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહકાર આપવાની સમજૂતી થઈ છે.
ભવિષ્યમાં કઈ કઈ સમજૂતીઓ કરાશે?
૧. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ : વડાપ્રધાન મોદીએ જણાવ્યું છેકે, ભારત અને ઇઝરાયેલ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે.
૨. કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર : કેર ગિવર્સ સેન્ટર અને ભારતીય કામદારોના જે સફળ સહયોગ છે, તેનો વ્યાપ હવે કોમર્સ (વાણિજ્ય) અને સર્વિસ (સેવા) જેવા નવા ક્ષેત્રોમાં પણ વધારશે.
૩. ફ્યુચર રેડી ફાર્મિંગ : આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યની જરૂરિયાતો મુજબની ખેતી પદ્ધતિઓ વિકસાવવાની દિશામાં આગળ વધશે.
૪. આઈમેક કોરિડોર અને આઈ૨યુ૨ પ્રોજેક્ટ્સ : આઈમેક (ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર) અને આઈ૨યુ૨ (ભારત, ઇઝરાયેલ, યુએઈ, યુએસ) જેવી મોટી વૈશ્વિક યોજનાઓ પર નવી ગતિથી કામ કરાશે.
૫. આર્થિક પ્રોજેક્ટ્સ : બંને દેશો વચ્ચેના લોકોના જાેડાણને પ્રાથમિકતા આપીને વિવિધ સામાજિક અને આર્થિક પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું આયોજન છે.
ભોપાલ,મધ્યપ્રદેશના શિહોર જિલ્લા એક વ્યક્તિએ ૧૦૯ વર્ષ પહેલાં તેના દાદા દ્વારા બ્રિટિશ સરકારને આપવામાં આવેલી લોન પરત મેળવવા માટે કાયદાકીય લડત શરૂ કરી છે. ભોપાલના ૬૩ વર્ષીય વિવેક રુથિયા નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે વર્ષ ૧૯૧૭માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેમના દાદા શેઠ જુમ્મા લાલ રુથિયાએ બ્રિટિશ સામ્રાજ્યને ૩૫,૦૦૦ રૂપિયાની લોન આપી હતી. તાજેતરમાં પોતાના પારિવારિક દસ્તાવેજાે તપાસતી વખતે વિવેકને આ ઐતિહાસિક લોનનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું, જેના આધારે તેઓ હવે વ્યાજ સહિત કરોડો રૂપિયાની રકમ પરત માંગવાની યોજના બનાવી રહ્યા છે. પરિવાર પાસે રહેલા જૂન ૧૯૧૭ના આ સર્ટિફિકેટ મુજબ, શેઠ જુમ્મા લાલે ‘ઇન્ડિયન વોર લોન’ હેઠળ આ રકમ જમા કરાવી હતી. આ દસ્તાવેજ પર તે સમયના ભોપાલના પોલિટિકલ એજન્ટ ડબલ્યુ. એસ. ડેવિસના હસ્તાક્ષર પણ છે. વિવેક રુથિયાનું કહેવું છે કે તેમના દાદાએ બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી દર્શાવવા અને યુદ્ધમાં સહાય કરવા માટે આ મોટી રકમ આપી હતી, પરંતુ આ લોન ક્યારેય પરત કરવામાં આવી નથી. તેમના પિતાએ આ બાબતે ક્યારેય કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ હવે જ્યારે આ દસ્તાવેજ સામે આવ્યો છે, ત્યારે તેઓ વર્તમાન યુકે સરકાર પાસેથી આ નાણાં વસૂલવા માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે.
જાે ૧૯૧૭ની ૩૫,૦૦૦ રૂપિયાની રકમની ગણતરી આજના મોંઘવારી દર અને ૫.૫ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ કરવામાં આવે, તો આ રકમ અનેક ગણી વધીને કરોડોમાં પહોંચી શકે છે. જાે સોનાના ભાવ સાથે તેને સરખાવવામાં આવે તો પણ આ કિંમત ૧૦ કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. જાેકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આટલા જૂના અને સંસ્થાનવાદી સમયના દાવાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારવા ખૂબ જ જટિલ છે. ૧૦૯ વર્ષ જૂનું સર્ટિફિકેટ રુથિયા પરિવાર માટે એક ઐતિહાસિક વારસો બની રહ્યું છે.
નવી દિલ્હી, અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન સરકારના કોમર્સ ડિપાર્ટમેન્ટે ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલર સેલ્સ અને પેનલ્સ પર અધધ ૧૨૫%થી વધુની કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદી દીધી છે.અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે પ્રાથમિક તપાસ બાદ આ મોટો ર્નિણય લીધો છે.
અમેરિકાની સરકારનું માનવું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસની સોલર કંપનીઓને તેમની સરકારો તરફથી મોટી સબસિડી મળી રહી છે. આ સબસિડીને કારણે આ કંપનીઓ અમેરિકામાં ખૂબ જ સસ્તા ભાવે સોલર પેનલ્સ વેચી રહી છે, જેનાથી અમેરિકાની સ્થાનિક કંપનીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ અયોગ્ય સ્પર્ધાને રોકવા માટે આ ભારે ટેક્સ લાદવામાં આવ્યો છે. આ આદેશમાં ભારત પર સૌથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ભારતમાંથી આવતા સોલર ઉત્પાદનો પર કુલ સબસિડી રેટ ૧૨૫.૮૭% નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતની મુંદ્રા સોલર પર ૧૨૫.૮૭% ડ્યુટી લાગશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા માટે આ દર ૧૦૪.૩૮% અને લાઓસ માટે ૮૦.૬૭% રાખવામાં આવ્યો છે. અમેરિકાની કંપનીઓ જેવી કે ફર્સ્ટ સોલર અને હનવા ક્યુસેલ્સે ફરિયાદ કરી હતી કે સસ્તી આયાતને કારણે તેમના અબજાે ડોલરનું રોકાણ અને નોકરીઓ જાેખમમાં છે.વર્ષ ૨૦૨૫માં ભારત સહિત આ ત્રણ દેશોમાંથી અમેરિકામાં આશરે ૪.૫ બિલિયન ડોલરનું સોલર ઇમ્પોર્ટ થયું હતું. અગાઉ જ્યારે અમેરિકાએ વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશો પર ડ્યુટી લગાવી હતી, ત્યારે ઘણી કંપનીઓ ભારત શિફ્ટ થઈ હતી. હવે ભારત પરના આ પ્રતિબંધોને કારણે ભારતીય સોલર એક્સપોર્ટર્સ માટે અમેરિકા જેવું મોટું માર્કેટ મોંઘું થઈ જશે. જાેકે, આ ર્નિણય હજુ પ્રાથમિક છે અને અંતિમ ફેંસલો માર્ચમાં લેવામાં આવશે.
મુંબઈ,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) મની લોન્ડરિંગ કેસમાં આજે ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ‘અબોડ’ નામના નિવાસ સ્થાનને જપ્ત કર્યું છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૭ માળના આ આલીશાન ઘરની કિંમત લગભગ ૩૭૧૬.૮૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. મની લોન્ડરિંગ કેસ હેઠળ અત્યાર સુધીમાં અનિલ અંબાણી અને તેમના ગ્રૂપની કંપનીઓની કુલ રૂ.૧૫,૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ કાર્યવાહી પહેલા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અનખડની બેંચે અનિલ અંબાણીને મોટો ઝટકો આપીને સિંગલ બેંચના એ આદેશને રદ કરી દીધો હતો, જેમાં અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના બેંક એકાઉન્ટોને ફ્રોડ જાહેર કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની ત્રણ બેંકો - ઇન્ડિયન ઓવરસીઝ બેંક, આઈડીબીઆઈ બેંક અને બેંક ઓફ બરોડા - તેમજ એકાઉન્ટિંગ કન્સલ્ટન્સી ફર્મ બીડીઓ ઇન્ડિયા એલએલપીએ સિંગલ બેંચના વચગાળાના આદેશને હાઈકોર્ટમાં પડકારી અપીલ દાખલ કરી હતી. સિંગલ બેંચે ડિસેમ્બર ૨૦૨૫માં ત્રણે બેંકો અને ફર્મ દ્વારા વર્તમાન અને ભવિષ્યમાં થનારી કાર્યવાહી પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ બેંચે કહ્યું હતું કે, કાયદાકીય રીતે ખામીયુક્ત ફોરેન્સિક ઓડિટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે ભારતીય રિઝર્વ બેંકના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે. ત્રણેય બેંકોએ અંબાણી અને તેમની કંપનીઓને વચગાળાની રાહત આપતા સિંગલ બેંચના તે આદેશને પડકાર્યો હતો, જેમાં બેંચે ઇમ્ૈંના નિયમોનું ઉલ્લંઘનને ટાંકીને કહ્યું હતું કે, બેંકો વર્ષો બાદ ઉંઘમાંથી જાગી છે. સિંગલ બેંચના આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકારતી અપીલમાં બેંકોએ કહ્યું કે, જે ફોરેન્સિક ઓડિટના આધાર પર ખાતાઓને ફ્રોડ જાહેર કરાયા, તે કાયદેસર રીતે માન્ય અને તેમાં નાણાંની હેરાફેરી તેમજ દુરુપયોગ થયો હોવાના ગંભીર પુરાવા સામે આવ્યા છે. બેંકોએ દલીલ કરી છે કે, અંબાણીએ સિંગલ બેંચ સમક્ષ ફોરેન્સિક ઓડિટને ટેકનિકલ આધારે પડકાર્યો હતો. ત્યારબાદ બેંકોએ હાઈકોર્ટને સિંગલ બેંચના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી. અનિલ અંબાણીએ ત્રણે બેંકોની તે કારણદર્શક નોટિસને પડકારી હતી, જેમાં તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના ખાતાઓને ફ્રોડ જાહેર કરવાનો પ્રસ્તાવ હતો. બોમ્બે હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સિંગલ બેંચના આદેશને ગેરકાયદે ગણાવ્યો હતો. દલીલ દરમિયાન અંબાણીના વકીલોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, આદેશ પર રોક લગાવવામાં આવે, જેથી કરીને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. પરંતુ કોર્ટે વકીલોની આ માગને નકારી દીધી છે.
Loading ...
