યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે ઈરાની મીડિયામાં તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાની સરકાર સંસદમાં ટ્રમ્પની હત્યા માટે ૫૦ મિલિયન યુરોનું ઇનામ આપવાની દરખાસ્ત રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ઈરાન વાયર અનુસાર, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ અઝીઝીએ ઇસ્લામિક રિપબ્લિકની લશ્કરી અને સુરક્ષા એજન્સીઓ દ્વારા “પ્રતિ-કાર્યવાહી” યોજનાનો મુસદ્દો તૈયાર કરવાની જાહેરાત કરી છે. આ મુસદ્દામાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે ૫૦ મિલિયન યુરોનું ઇનામ આપવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.
અઝીઝીએ કહ્યું કે ટ્રમ્પ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) ના કમાન્ડરને પ્રતિ-કાર્યવાહી માટે નિશાન બનાવવું જાેઈએ. અઝીઝીએ કહ્યું કે ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યામાં તેમની ભૂમિકાને કારણે તેમને નિશાન બનાવવા જાેઈએ. સરકારના સમર્થક અલી અકબર રૈફીપુરના મીડિયા આઉટલેટ, મસાફે અગાઉ દાવો કર્યો હતો કે “કિલ ટ્રમ્પ” નામના અભિયાન માટે ૫૦ મિલિયન નાણાકીય સંસાધનો સુરક્ષિત કરવામાં આવ્યા હતા. ઈરાન વાયરે અહેવાલ આપ્યો હતો કે હેકિંગ જૂથ “હંડાલા” એ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે જૂથ ટ્રમ્પ અને નેતન્યાહૂને ખતમ કરવા માટે ૫૦ મિલિયન પ્રદાન કરશે.
પશ્ચિમ એશિયામાં સતત તણાવની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોના-ચાંદી અંગે વધુ એક મોટો ર્નિણય લીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, સરકારે ચોક્કસ કેટેગરીના ચાંદીના બારની આયાતના નિયમો કડક કર્યા છે. હવે ૯૯.૯% શુદ્ધતા ધરાવતી ચાંદીને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવીને ‘રેસ્ટ્રિક્ટેડ’ (નિયંત્રિત) કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. આ સિવાય અન્ય સિલ્વર બારને પણ આ જ નિયંત્રિત શ્રેણીમાં ધકેલી દેવાયા છે, જેનો સીધો મતલબ એ છે કે હવે સરકારી પરમિટ વગર તેની આયાત કરી શકાશે નહીં.
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ હવે સોનાની આયાત પર મહત્તમ ૧૦૦ કિલોગ્રામની મર્યાદા લાદવામાં આવી છે. આ સ્કીમ હેઠળ જ્વેલરી નિકાસકારોને ઝીરો ડ્યુટી પર કાચો માલ આયાત કરવાની મંજૂરી મળતી હોય છે. અગાઉ આ સ્કીમ હેઠળ સોનું લાવવાની કોઈ સીમા નક્કી નહોતી, પરંતુ હવે સરકારે ગોલ્ડ આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન ઈશ્યુ કરવા અને તેના મોનિટરિંગના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા છે. હાલમાં જ સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો ઝીંકી દીધો છે. સોનું અને ચાંદી પર આયાત ડ્યુટી અગાઉ માત્ર ૬% હતી, જેને સીધી વધારીને હવે ૧૫% કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય કેબિનેટે મંગળવારે રૂા.૧૮,૧૦૦ કરોડના ખર્ચ સાથે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ૫.૦ ને મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આર્થિક તણાવનો સામનો કરી રહેલા MSME, એરલાઇન્સ અને અન્ય વ્યવસાયોને મદદ કરવાનો છે.
આ યોજના દ્વારા રૂા.૨.૫૫ લાખ કરોડ સુધીના વધારાના ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવાની અપેક્ષા છે, જેમાં એરલાઇન સેક્ટર માટે રૂા.૫,૦૦૦ કરોડ અનામત રાખવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજના કટોકટીથી પ્રભાવિત MSME અને એરલાઇન્સમાં લિક્વિડિટી (નાણાકીય તંગી)ની સમસ્યાને ઉકેલવા માટે તૈયાર કરવામાં આવી છે.
સરકાર નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા ધિરાણકર્તાઓને MSME માટે ૧૦૦% અને નોન-સ્જીસ્ઈ તેમજ એરલાઇન સેક્ટર માટે ૯૦% ક્રેડિટ ગેરંટી કવરેજ પૂરું પાડશે. આ યોજના એવા સ્જીસ્ઈ, વર્કિંગ કેપિટલ ધરાવતા નોન-સ્જીસ્ઈ અને શેડ્યૂલ પેસેન્જર એરલાઇન્સ માટે ઉપલબ્ધ રહેશે, જેમના ક્રેડિટ એકાઉન્ટ્સ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી સ્ટાન્ડર્ડ હતા. પાત્ર ઉધારકર્તાઓ નાણાકીય વર્ષ ૨૬ના ચોથા ક્વાર્ટરમાં ઉપયોગમાં લેવાયેલી પીક વર્કિંગ કેપિટલના ૨૦% સુધીની વધારાની લોન મેળવી શકે છે, જેની મહત્તમ મર્યાદા રૂા.૧૦૦ કરોડ રહેશે. એરલાઇન્સ માટે આ મર્યાદા પ્રતિ ઉધારકર્તા રૂા.૧,૫૦૦ કરોડ સુધીની છે. આ યોજના હેઠળની લોન પર કોઈ ગેરંટી ફી લેવામાં આવશે નહીં. MSME અને નોન-MSME માટે લોનની મુદત એક વર્ષના મોરેટોરિયમ સહિત પાંચ વર્ષની રહેશે. એરલાઇન્સ માટે આ મુદત બે વર્ષના મોરેટોરિયમ સાથે સાત વર્ષની રહેશે.
આ યોજના નોટિફિકેશન જાહેર થયાની તારીખથી લઈને ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધી મંજૂર કરાયેલી લોન પર લાગુ થશે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાનો ઉદ્દેશ્ય વૈશ્વિક વિક્ષેપ વચ્ચે વ્યવસાયોને તેમની કામગીરી ચાલુ રાખવા, નોકરીઓ બચાવવા અને સપ્લાય ચેઇનને જાળવી રાખવામાં મદદ કરવાનો છે.
પીએમ નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા તેમણે દુનિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે આજે માનવતા ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહી છે. પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટ સામે ઝઝુમી રહી છે. આ દાયકો વિશ્વ માટે આફતોનો દાયકો બની ગયો છે. જાે પરિસ્થિતિ બદલાશે નહીં તો અનેક દાયકાઓના કામ પર પાણી ફરી જશે. વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાઈ જશે.
હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ગયું છે અને હવે તેનું લક્ષ્ય વૈશ્વિક વિકાસ એન્જિન બનવાનું છે. તેમણે કહ્યું કે અહીંના લોકોનો પ્રેમ અને ઉત્સાહ જાેઈને મને એવું લાગ્યું કે જાણે હું કોઈ ભારતીય ઉત્સવમાં ભાગ લઈ રહ્યો છું. મોદીએ નેધરલેન્ડ્સમાં ભારતીયોને પૂછ્યું- શું ઝાલમૂરી અહીંયા પણ પહોંચી ગઈ?
વડાપ્રધાને કહ્યું કે, નેધરલેન્ડ્સ ભારતીય બિઝનેસ માટે યુરોપમાં ભારતની એન્ટ્રીનું ગેટવે બનશે. તેમણે ભારતીય સમુદાયનું વર્ણન બંને દેશો વચ્ચે એક વિશ્વસનીય સેતુ તરીકે કર્યું. તેઓએ ચેતવણીના સૂરે કહ્યું કે, જાે પરિસ્થિતિ બદલાશે નહીં, તો વિશ્વની વસ્તીનો મોટો ભાગ ગરીબીમાં ધકેલાઈ જશે. તેમણે કોરોના મહામારી, યુદ્ધ અને ઉર્જા સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી.
મોદીએ સંબોધનમાં કહ્યું, ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. દેશમાં ૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. ભારતમાં એક જ વર્ષમાં ૨૦ અબજથી વધુ ેંઁૈં ટ્રાન્જેક્શન થયા છે. વિશ્વના અડધા ડિજિટલ ટ્રાન્જેક્શન એકલા ભારતમાં થઈ રહ્યા છે. ભારત એઆઈ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં ૧૨ સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી ૨ પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થઈ ગયું છે.
આજની તારીખ ૧૬ મેના સંદર્ભમાં કહ્યું કે, આપણા દિવસે જ ૨૦૧૪ના રોજ દાયકાઓ પછી ભારતમાં પૂર્ણ બહુમતી સાથે સ્થિર સરકાર બની હતી. તેમણે કહ્યું કે લાખો ભારતીયોનો વિશ્વાસ તેમને અટકવા દેતો નથી કે થાકવા દેતો નથી. ભારતીયોએ નેધરલેન્ડ્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે ડચ નેતૃત્વ હંમેશા ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે.
ડચ કલાકારોએ ‘રાગ દુર્ગા’ ગાયું
નેધરલેન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ડચ કલાકારોએ ભારતીય શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું. કલાકારોએ રાગ દુર્ગા પર આધારિત “સાધો રામા અનુપમ બાની”ની પ્રસ્તુતિ આપી. સ્વાગત સમારોહ દરમિયાન ગાયન સાથે તંબુરો, વાંસળી, વાયોલિન અને તબલા જેવા વાદ્યો વગાડવામાં આવ્યા.
વેપાર-રોકાણ વધારવાની તૈયારી
ભારત અને નેધરલેન્ડ વચ્ચે વેપાર સતત વધી રહ્યો છે. નેધરલેન્ડ ભારતમાં રોકાણ કરનારા મોટા દેશોમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે આ મુલાકાતમાં નવી રોકાણ યોજનાઓ અને વ્યાપારી કરારો પર પણ વાતચીત થઈ શકે છે. ખાસ કરીને બંદર, લોજિસ્ટિક્સ, કૃષિ ટેકનોલોજી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તૈયારી છે.
નેધરલેન્ડ્સે ૧૧મી સદીની ઐતિહાસિક ચોલ યુગની તાંબાની પ્લેટો ભારતને પરત કરી
નેધરલેન્ડ્સે ૧૧મી સદીની ઐતિહાસિક “અનૈમંગલમ તાંબાની પ્લેટો” ભારતને પરત કરી છે. આ પ્લેટો નેધરલેન્ડ્સમાં “લીડેન પ્લેટો” તરીકે જાણીતી હતી. તે રાજા રાજા ચોલ ૈં ના શાસનકાળની, ઈસ. ૯૮૫ થી ૧૦૧૪ વચ્ચેની હોવાનું માનવામાં આવે છે. આમાં નાગપટ્ટિનમમાં “ચુડામણિ વિહાર” બૌદ્ધ મઠને આપવામાં આવેલી જમીન અને કર અનુદાનનો ઉલ્લેખ છે. ઇતિહાસકારોના મતે, આ તકતીઓ દક્ષિણ ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે દરિયાઈ વેપાર, સાંસ્કૃતિક સંબંધો અને ધાર્મિક સહઅસ્તિત્વની મહત્વપૂર્ણ માહિતી જણાવે છે. આ તાંબાના પ્લેટોમાં ૨૧ મોટી અને ૩ નાની પ્લેટોનો સમાવેશ થાય છે, જેનું કુલ વજન આશરે ૩૦ કિલોગ્રામ છે. તેને ચોલ શાહી મહોર ધરાવતી ગોળાકાર તાંબાની રિંગથી બાંધવામાં આવી હતી. અહેવાલો અનુસાર, રાજા રાજા ચોલ પહેલાએ મૂળ આદેશ જારી કર્યો હતો, જ્યારે તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ પહેલાએ તેને કાયમી રેકોર્ડ તરીકે તાંબા પર કોતર્યો હતો.
નેધરલેન્ડમાં ભારતીય સમૂદાયે ભારત માતા કી જયના નારા લગાવ્યા
નેધરલેન્ડના હેગ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય લોકોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીનું ભાષણ પૂરું થતાં જ ત્યાં હાજર ભાય સમુદાયના લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોમાં ઘણો ઉત્સાહ જાેવા મળ્યો હતો.
કેન્દ્ર સરકારે ૫ેટ્રોલની નિકાસ ૫ર પ્રતિ લિટર ૩ના દરે સ્૫ેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ ૫રના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર ૫ાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે ૧૬ મે ૨૦૨૬થી અમલમાં આવી ગયા છે.નવા સુધારા મુજબ, ડીઝલ ૫રની સ્૫ેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ૨૩ પ્રતિ લિટરથી ઘટાડીને ૧૬.૫ કરવામાં આવી છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ૫રની ડ્યુટી ૩૩થી ઘટાડીને ૧૬ પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. આ ઉ૫રાંત ૫ેટ્રોલ અને ડીઝલની નિકાસ ૫ર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય રાખવામાં આવ્યો છે.ભારતના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ ર્નિણયની સ્થાનિક બજાર ૫ર કોઈ નકારાત્મક અસર નહીં ૫ડે. દેશમાં સ્થાનિક વ૫રાશ માટે વેચાતા ૫ેટ્રોલ અને ડીઝલ ૫રની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેથી દેશની અંદર છૂટક કિંમતો વધશે નહીં અને સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ૫શ્ચિમ એશિયા સંકટના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે.
Loading ...
