ઓડિશાના પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીને પત્ર લખીને જગન્નાથ મંદિરની પ્રાચીન પરંપરાના રક્ષણની માગ કરી છે. ૮ જુલાઈએ લખેલા પત્રમાં ગજપતિએ દ્વારા અલગ સમયે રથયાત્રા અને સ્નાન યાત્રાનું આયોજન કરવાની ટીકા કરી.
ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબ શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષ પણ છે. તેમનું કહેવું છે કેથયાત્રાનું આયોજન એવી તારીખો પર કરી રહ્યું છે, જે શાસ્ત્રો અનુસાર નથી. આનાથી ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.
પુરીના વર્તમાન ગજપતિ મહારાજ છે, જેમને જગન્નાથ સંસ્કૃતિમાં ‘ઠાકુર રાજા’નો દરજ્જાે પ્રાપ્ત છે. પરંપરા અનુસાર, તેઓ ભગવાન જગન્નાથના મુખ્ય સેવક માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન રથો પર સોનાની સાવરણીથી સાફ કરવાની પવિત્ર સેવા તેમના દ્વારા સંપન્ન કરવામાં આવે છે.
૧૯૭૦માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે તેમનો રાજ્યાભિષેક થયો હતો. કાયદાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર મહારાજ દિવ્યસિંહ દેવ શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના કાયમી અધ્યક્ષ પણ છે.
૨૧ જૂને લંડન, ૧૪ જૂને ન્યૂયોર્ક સિટી અને ૫ જુલાઈએ સિડનીમાં રથયાત્રા કાઢી હતી.
નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો છે. સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એનહાંસમેન્ટ શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાંથી ૯૪,૦૦૦ જેટલી સરકારી શાળાઓ નામશેષ થઈ ગઈ છે. શિક્ષણ જગતમાં ચિંતાની લહેર જગાડતા આ આંકડા સ્પષ્ટ કરે છે કે, ગ્રામીણ ભારતમાં શાળાકીય શિક્ષણ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
દરરોજ સરેરાશ ૨૫ સરકારી શાળાઓ બંધ થઈ રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં દરરોજ સરેરાશ ૨૫ શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી મોટો હિસ્સો સરકારી શાળાઓનો છે.સરકારી શાળાઓમાં ઘટાડો: વર્ષ ૨૦૧૪-૧૫માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા ૧૧.૦૭ લાખ હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ૧૦.૧૩ લાખ થઈ ગઈ છે. આ જ ગાળામાં સરકારી સહાયતા મેળવતી શાળાઓની સંખ્યા પણ ૮૩,૦૦૦થી ઘટીને ૭૯,૦૦૦ થઈ ગઈ છે.
આનાથી તદ્દન વિપરીત, આ ૧૦ વર્ષના ગાળામાં ખાનગી શાળાઓની સંખ્યા ૨.૮૮ લાખથી વધીને ૩.૩૯ લાખ પર પહોંચી ગઈ છે. એડમિશનમાં મોટો ઘટાડો: શાળાઓ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓનો કુલ એડમિશન આંકડો ૨.૨૬ કરોડ જેટલો ઘટી ગયો છે. બાળકોની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણો નીતિ આયોગના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૪-૧૫માં દેશની શાળાઓમાં કુલ ૨૬.૯૫ કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ૨૪.૬૯ કરોડ થઈ ગયા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમતગમતના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી૨૦ ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગની આગામી ૨૦૨૬-૨૭ સીઝનની શરૂઆત ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બૅશ લીગ નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે.આ મેચ બિગ બૅશ લીગના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની બહાર રમાનારી સૌપ્રથમ મેચ હશે. ૧૨ ડિસેમ્બરે રમાનારા આ ઐતિહાસિક મુકાબલામાં મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સની ટીમો સામસામે ટકરાશે, જેમાં મેલબોર્ન રેનેગેડ્સને ‘હોમ ટીમ‘ (મેજબાન ટીમ) ગણવામાં આવશે. આ અવસરે બંને દેશોના વડાપ્રધાનોએ રમતગમતના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક વિશેષ ‘રોડમેપ’ પણ જાહેર કર્યાે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના રમત સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.
પીએમ મોદી ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.પીએમ મોદી પોતાની ૬ દિવસીય યાત્રાના અંતિમ ચરણમાં ન્યુઝીલેન્ડ પહોંચી ગયા છે. ૪૦ વર્ષ પછી કોઈ ભારતીય પીએમની આ ન્યુઝીલેન્ડ યાત્રા છે. આ પહેલા ૧૯૮૬માં દિવંગત રાજીવ ગાંધી ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયા હતા.
પ્રવાસની શરૂઆત ન્યુઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાતચીતથી થશે. આ દરમિયાન બંને દેશ કરારને ફાઈનલ કરશે. સાથે જ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને પછી એક સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે.
આ પછી પીએમ ઓકલેન્ડમાં ૪૦ હજાર ભારતીયોને પણ સંબોધન કરશે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયે ‘કિયા ઓરા મોદી’ કાર્યક્રમનું આયોજન કર્યું છે.પીએમ મોદી પોતાની ૬ દિવસીય યાત્રાના અંતિમ ચરણમાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા છે. મોદીએ કહ્યું-ઓસ્ટ્રેલિયન ટી-૨૦ લીગની ઓપનિંગ મેચ ભારતમાં રમાશે
મોદીએ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર રહ્યા હતા.
ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૨૬ની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું. આ પહેલા ટીમ ૨૦૧૮ અને ૨૦૨૨ની ફાઈનલમાં પહોંચી હતી.પ્રથમ હાફમાં પેનલ્ટી ચૂકી ગયેલા કેપ્ટન કિલિયન એમ્બાપ્પેએ બીજા હાફની ૬૦મી મિનિટે ગોલ કર્યો. તેના ૬ મિનિટ પછી ઉસ્માન ડેમ્બેલેએ બીજાે ગોલ કરીને ફ્રાન્સની જીત પાકી કરી દીધી. હવે સેમિફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાનારી બીજી ક્વાર્ટર ફાઈનલના વિજેતા સાથે થશે.આ ટુર્નામેન્ટમાં એમ્બાપ્પેના ૮ ગોલ થઈ ગયા છે. તેણે આજેર્ન્ટિનાના લિયોનેલ મેસ્સીની બરાબરી કરી લીધી છે. જાેકે, ૩ આસિસ્ટને કારણે એમ્બાપ્પે ગોલ્ડન બૂટની રેસમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે, જ્યારે મેસ્સીના નામે ૮ ગોલ અને ૧ આસિસ્ટ છે. તમામ વર્લ્ડ કપ મળીને એમ્બાપ્પે હવે ૨૦ ગોલ કરી ચૂક્યા છે. તેનાથી આગળ માત્ર મેસ્સી છે, જેના નામે ૨૧ ગોલ નોંધાયેલા છે. તે જ સમયે, મોરોક્કોની હાર સાથે ટુર્નામેન્ટમાંથી આફ્રિકાની છેલ્લી ટીમ પણ બહાર થઈ ગઈ.ફ્રાન્સે શરૂઆતથી જ મોરોક્કો પર દબાણ બનાવ્યું. પાંચમી મિનિટે એમ્બાપ્પેના શોટને ગોલકીપર યાસીન બૂનુએ શાનદાર રીતે બચાવ્યો. ત્યારબાદ દાયો ઉપામેકાનોનો હેડર પણ બૂનુએ રોકી દીધો. ઉસ્માન ડેમ્બેલે, દેજિરે ડુએ અને માઈકલ ઓલિસેએ પણ સતત શોટ માર્યા, પરંતુ મોરોક્કોના ડિફેન્ડર્સ અને ગોલકીપરે ફ્રાન્સને લીડ લેવા દીધી નહીં.૨૬મી મિનિટે નૌસૈર મજરાઉઈએ બોક્સની અંદર એમ્બાપ્પેને પાડી દીધો અને ફ્રાન્સને પેનલ્ટી મળી. એમ્બાપ્પેનો શોટ બૂનુએ સાચી દિશામાં ડાઈવ લગાવીને રોકી દીધો. આ જ કારણે પહેલા હાફ સુધી મુકાબલો ૦-૦થી બરાબરી પર રહ્યો.બ્રેક પછી ફ્રાન્સે આક્રમક રમત ચાલુ રાખી અને ૬૦મી મિનિટે એમ્બાપ્પેએ બોક્સની બહારથી શાનદાર કર્લિંગ શોટ મારીને ગોલ કર્યો. બૂનુ આ વખતે પૂરી કોશિશ કરવા છતાં બોલ સુધી પહોંચી શક્યો નહીં.તેના માત્ર છ મિનિટ પછી ફ્રાન્સે લીડ બમણી કરી દીધી. ડેમ્બેલેએ બોક્સની બહારથી સચોટ શોટ માર્યો. બૂનુએ હાથ લગાવ્યો, પરંતુ બોલને ગોલલાઇન પાર કરતા રોકી શક્યો નહીં.ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવીને સેમિફાઈનલમાં પોતાની સીટ પાક્કી કરી લીધી છે. આ જીત બાદ જ્યાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં શાંતિપૂર્ણ રીતે જશ્ન મનાવવામાં આવ્યો, ત્યાં લંડનમાં હિંસાની ઘટના સામે આવી. ફૂટબોલ ચાહકોની ભારે ભીડ રસ્તાઓ પર ઉતરી આવી, જેના પછી પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ. ભીડને નિયંત્રિત કરવા દરમિયાન મેટ્રોપોલિટન પોલીસનો એક અધિકારી ઘાયલ થયો. પરિસ્થિતિ સંભાળવા માટે પોલીસે કૂચ કરી અને વિસ્તારમાં ભારે સુરક્ષા દળ તહેનાત કરી દીધું હતું.
Loading ...
