ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ આફત લઈને આવ્યો છે. રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભયાનક ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને લીધે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ પરથી કાટમાળ હટાવવા માટે તંત્રની વિવિધ ટીમો સતત દોડધામ કરી રહી છે. આ ઉપરાંત, સતત વરસી રહેલા વરસાદને કારણે અલકનંદા સહિતની પ્રમુખ નદીઓ બે કાંઠે વહી રહી છે અને જળ સ્તરમાં ચિંતાજનક વધારો થયો છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં હાલમાં ૩૨ જેટલા મુખ્ય રસ્તાઓ ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે રસ્તાઓ પરથી પથ્થરો અને કાટમાળ હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ માર્ગોને વહેલી તકે સાફ કરવા માટે ઘટનાસ્થળે તહેનાત છે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને જલ્દી રાહત મળી શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિવસે યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ ૧૦૦૦ વર્ષ જૂના આ હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદભુત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે ભારત હવે આ મંદિરને નવજીવન આપવા જઈ રહ્યું છે અને બંને દેશો વચ્ચે મંદિરના પુનર્નિર્માણ તથા જીર્ણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે.
મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મંદિર પરિસર પહોંચ્યા હતા. તેમણે વિમાનમાંથી જ મંદિરના ભવ્ય પરિસરનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ પ્રમ્બાનન મંદિરની સંરક્ષણ અને પુન:સ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો. જેને ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગનો મહત્વપૂર્ણ પડાવ ગણવામાં આવી રહ્યો છે. આ પહેલા મંગળવારે બંને દેશોએ મંદિરના સંરક્ષણ અંગે એક લેટર ઓફ ઈન્ટેન્ટ પર પણ સહમતિ દર્શાવી હતી.
અલ્હાબાદ હાઇકોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો બધા ધર્મોને લાગુ પડે છે. કોર્ટે જણાવ્યું હતું કે શરિયા કાયદા હેઠળ મુસ્લિમ છોકરીઓ સાથે નાની ઉંમરે લગ્ન કરવા એ પોક્સો કાયદાનું ઉલ્લંઘન છે.કોર્ટે જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો સહિત કોઈપણ પર્સનલ કાયદો બાળ લગ્ન પર પ્રતિબંધ કાયદા હેઠળ બાળ લગ્ન પર પ્રતિબંધનું ઉલ્લંઘન કરી શકતો નથી અથવા પોક્સો કાયદાને અવગણી શકતો નથી.
બાળ લગ્ન પર પ્રતિબંધ કાયદો ૨૦૦૬ થી અમલમાં છે અને ૧૮ વર્ષની ઉંમર પહેલા બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકે છે. જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (પોક્સો) કાયદો બાળકોને જાતીય હિંસાથી રક્ષણ આપે છે. જસ્ટિસ જેજે મુનીર અને અચલ સચદેવની બેન્ચે જણાવ્યું હતું કે શરિયા કાયદો, જે તરુણાવસ્થાની ઉંમરને છોકરી માટે લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર માને છે, તે બાળ લગ્ન પર પ્રતિબંધ કાયદા અને પોક્સોની વિરુદ્ધ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેશના દરેક નાગરિક માટે લગ્નની ઉંમર સમાન છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય. આ આખો કેસ બાળ લગ્ન સાથે સંબંધિત હતો.
ભારતની સરેરાશ આવક ભલે હજુ પણ લોઅર-મિડલ ઇન્કમ કેટેગરીમાં હોય, પરંતુ દેશની અંદરની સ્થિતિ ઘણી અલગ છે. વર્લ્ડ બેન્ક દ્વારા ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ ‘કન્ટ્રી ઇન્કમ ક્લાસિફિકેશન’ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં લોકોની માથાદીઠ આવક ૨,૭૬૦ ડોલર છે, જે તેને હજુ પણ નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં રાખે છે. પરંતુ આ જ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ગુજરાત સહિત ભારતના ૫ રાજ્યો હવે ‘અપર-મિડલ ઇન્કમ લેવલ’ ને પાર કરી ચૂક્યા છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે ભારતની આર્થિક ગાથા હવે એકસરખી રહી નથી; કેટલાક રાજ્યો ઝડપથી આગળ વધ્યા છે, જ્યારે કેટલાક હજુ પણ ઘણા પાછળ છે. આ રિપોર્ટ પ્રમાણે, દિલ્હી સૌથી આગળ છે, જ્યાં લોકોની માથાદીઠ આવક ૬,૨૧૭ ડોલર સુધી પહોંચી ગઈ છે. ત્યારબાદ કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને ગુજરાતનો ક્રમ આવે છે.કેટલાક રાજ્યો ઉચ્ચ-મધ્યમ આવકની મર્યાદાની ખૂબ નજીક પહોંચી ગયા છે, પરંતુ હજુ થોડા પાછળ છે, જેમ કે મહારાષ્ટ્રમાં લોકોની માથાદીઠ આવક ૪,૬૨૮ ડોલર, હરિયાણામાં ૪,૬૨૭ ડોલર અને કેરળમાં લોકોની માથાદીઠ આવક ૪,૬૧૦ ડોલર છે.
શું તમે ક્યારેય એવી જગ્યાનું નામ સાંભળ્યું છે, જ્યાં સૂર્ય ઘણા દિવસો સુધી આથમતો જ થતો નથી? જી હા, નોર્વેમાં એક એવું શહેર છે, જ્યાં ઉનાળામાં લગભગ ૭૦ દિવસ સુધી સૂર્ય તેના હોરીઝોનની ઉપર આવતો જ નથી.
દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જે પોતાની અનોખી કુદરતી ઘટનાઓ માટે જાણીતી છે. જી હા, નોર્વેનું હેમરફેસ્ટ પણ એવી જ ખાસ જગ્યાઓમાંનું એક છે. આ શહેર આર્કટિક સર્કલની ઉત્તર બાજુ આવેલું છે અને દુનિયાના સૌથી ઉત્તર તરફ આવેલા શહેરોમાં ગણાય છે. અહીં દર વર્ષે ઉનાળામાં એવી ઘટના બને છે, જેને જાેઈને પહેલીવાર આવનારા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સમય દરમિયાન લગભગ ૭૦ દિવસ સુધી સૂર્ય અસ્ત જ થતો નથી અને મધરાતે પણ દિવસ જેવું અજવાળું રહે છે.
હેમરફેસ્ટમાં આ ઘટના પૃથ્વીના ૨૩.૫ ડિગ્રીના ઝુકાવ ને કારણે થાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, ત્યારે ઉનાળામાં ઉત્તર ધ્રુવ તરફનો ભાગ સતત સૂર્ય તરફ નમેલો રહે છે. તેના કારણે આર્કટિક સર્કલની ઉપર આવેલા વિસ્તારોમાં ઘણા દિવસો સુધી સૂર્ય ક્ષિતિજની નીચે નથી જતો. આ કુદરતી ઘટનાને મિડનાઇટ સન (સ્ૈઙ્ઘહૈખ્તરં જીેહ) કહેવામાં આવે છે.
ક્યાં સુધી જાેવા મળે છે મિડનાઇટ સન? - હેમરફેસ્ટમાં સામાન્ય રીતે ૧૬ મે થી ૨૭ જુલાઈ વચ્ચે લગભગ ૭૦ થી ૭૫ દિવસ સુધી સૂર્ય સતત દેખાય છે. આ સમય દરમિયાન રાત્રે ૧૨ વાગ્યે પણ આકાશમાં ઉજાસ રહે છે. લોકો ટોર્ચ વગર બહાર ફરી શકે છે અને મધરાતે પણ ટ્રેકિંગ, ફોટોગ્રાફી અથવા અન્ય પ્રવૃત્તિઓનો આનંદ માણે છે. તેની વિરુદ્ધ શિયાળામાં અહીં પોલર નાઈટ જાેવા મળે છે, જ્યારે ઘણા અઠવાડિયા સુધી સૂર્ય તેના હોરીઝોનની ઉપર આવતો જ નથી. આર્કટિક સર્કલની ઉપર આવેલા વિસ્તારોમાં ઘણા દિવસો સુધી સૂર્ય ક્ષિતિજની નીચે નથી જતો. આ કુદરતી ઘટનાને મિડનાઇટ સન કહેવામાં આવે છે.
ક્યાં સુધી જાેવા મળે છે મિડનાઇટ સન? - હેમરફેસ્ટમાં સામાન્ય રીતે ૧૬ મે થી ૨૭ જુલાઈ વચ્ચે લગભગ ૭૦ થી ૭૫ દિવસ સુધી સૂર્ય સતત દેખાય છે. આ સમય દરમિયાન રાત્રે ૧૨ વાગ્યે પણ આકાશમાં ઉજાસ રહે છે.
પ્રવાસીઓ માટે કેમ છે ખાસ? - મિડનાઇટ સન જાેવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી હજારો પ્રવાસીઓ હેમરફેસ્ટ આવે છે. અહીં લોકો મધરાતે સૂર્ય સાથે ફોટા પાડે છે, પહાડોમાં ટ્રેકિંગ કરે છે અને દરિયાકાંઠે ઉભા રહી આ અનોખા નજારાનો આનંદ માણે છે. આ અનુભવ દુનિયાની ગણતરીની કેટલીક જગ્યાઓ પર જ જાેવા મળે છે, તેથી આ સ્થળ ટ્રાવેલ લવર્સની બકેટ લિસ્ટમાં સામેલ રહે છે.
કુદરતનો અનોખો ચમત્કાર - હેમરફેસ્ટની આ ઘટના કોઈ ચમત્કાર નથી, પરંતુ પૃથ્વીની ગતિ અને તેના ઝુકાવનું પરિણામ છે. છતાં પહેલીવાર તેને જાેનારા લોકો માટે આ કોઈ જાદુથી ઓછું નથી. એટલા માટે નોર્વેનું આ નાનું શહેર દુનિયાભરમાં ‘મિડનાઇટ સન’ માટે પ્રખ્યાત છે અને દર વર્ષે લાખો લોકોને પોતાની તરફ આકર્ષે છે.
Loading ...
