દેશભરના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગંભીર ચેડાં કરનારા નીટ- યુજી, ૨૦૨૬ પેપર લીક કેસ બાદ આ પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કામગીરી અને ક્ષમતા અંગે દેશભરમાંથી સવાલો ઉઠી રહ્યાં છે. એનટીએની કામગીરી અને તેમાં વિવિધ સુધારાઓનો અમલ કરવા ઉપરાંત પેપર લીક કેસની સમીક્ષા માટે એનટીએના ચેરપર્સન પ્રદીપકુમાર જાેશી અને અન્ય અધિકારીઓને સંસદીય સમિતિએ ૨૧મી મેએ હાજર થવા આદેશ કર્યાે છે.શિક્ષણ, મહિલા, બાળ, યુવા તથા રમત અંગેની સંસદની સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં, એનટીએમાં સુધારા માટે કે. રાધાકૃષ્ણન કમિટીના અહેવાલનો અમલ કરવા ઉપરાંત પેપર લીક કેસની તપાસ સહિતના મુદ્દાઓ સામેલ છે.કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી આ સમિતિએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનિત જાેશી તથા એનટીએના ચેરપર્સન પ્રદીપકુમાર જાેશીને આ મામલે મંત્રણા કરવા બોલાવ્યાં છે. સંસદીય સમિતિ શિક્ષણ પર એઆઈની અસર તથા વિદ્યાર્થીઓની રોજગારલક્ષી ક્ષમતામાં વધારો કરવા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. સંસદની ગરિમાના કથિત હનન મામલે રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિશેષાધિકારક ભંગની નોટિસ આપી છે. નીટ-યુજી ૨૦૨૬ પેપર લીક કેસ મામલે કરેલાં એક નિવેદનને પગલે પ્રધાન વિરુદ્ધ આ નોટિસ અપાઈ છે.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે ૩૦ દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ ર્નિણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.
અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરાઇ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજાે પર લોડ થઈ ચૂક્યા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી અપાશે નહીં. અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે. આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજાેને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વિશ્વ પર પડી રહી છે ત્યારે એક નવી ચિંતા ઊભી થઈ છે-ઈન્ટરનેટ એક્સેસ.ઈરાનના લશ્કરી પ્રવક્તા ઈબ્રાહિમ ઝોલ્ફાઘરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહ્યું હતું કે, અમે ઈન્ટરનેટ કેબલ પર ફી લાદીશું, એટલે કે કંપનીઓને દરિયાઈ ઇન્ટરનેટ કેબલનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવી પડી શકે છે. આ કોઈ નાની વાત નથી, કારણ કે વિશ્વના ઇન્ટરનેટનો મોટો ભાગ આ કેબલ્સ દ્વારા સંચાલિત છે. જમીન ઉપર દેખાતું ઇન્ટરનેટ ખરેખર પાણીની અંદરના ફાઇબર કેબલ્સ દ્વારા ચાલે છે, જે એક દેશને બીજા દેશ સાથે જાેડે છે. આ સમગ્ર મુદ્દાને સમજવા માટે ડેટા વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં બહાર આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટની નીચે ઇન્ટરનેટ કેબલનું એક મોટું નેટવર્ક અસ્તિત્વમાં છે. આ વિસ્તાર ફક્ત તેલ માટે જ નહીં પરંતુ ઇન્ટરનેટ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિસ્તારમાંથી ઘણા મોટા કેબલ પસાર થાય છે, જે એશિયા, આફ્રિકા અને યુરોપને જાેડે છે. આનો અર્થ એ છે કે જાે અહીં કોઈ સમસ્યા હોય, તો તે એકસાથે ઘણા દેશોને અસર કરી શકે છે. ઇન્ડિયા ટુડેની ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટીમે આ બાબતની તપાસ કરી છે. ટેલિજીયોગ્રાફી નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના ડેટાના આધારે, એવું જાણવા મળ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટની નીચે ઇન્ટરનેટ કેબલનું એક વિશાળ નેટવર્ક અસ્તિત્વમાં છે. આ અહેવાલ મુજબ, આ વિસ્તારમાંથી ઘણા મોટા કેબલ પસાર થાય છે, જેમાં FALCON, GBICS, 2Africa અને SeaMeWe જેવા મુખ્ય કેબલનો સમાવેશ થાય છે. આ કેબલ એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચે ઇન્ટરનેટ ટ્રાફિકનું સંચાલન કરે છે. આનો અર્થ એ છે કે વિશ્વનો મોટો ભાગ આ માર્ગ દ્વારા જાેડાયેલ છે. ભારત માટે આ મુદ્દો વધુ મહત્વપૂર્ણ છે કારણ કે આમાંના ઘણા કેબલ સીધા ભારતમાં આવે છે અને મુંબઈ અને ચેન્નાઈમાં જાેડાય છે. આ કેબલ ભારતને ગલ્ફ દેશો, યુરોપ અને આફ્રિકા સાથે જાેડે છે.
એરટેલ-જિયો પર પણ અસર પડી શકે
ભારતની મુખ્ય ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જિયો પણ આ નેટવર્ક સાથે જાેડાયેલી છે. તેથી, આ નેટવર્કમાં કોઈપણ વિક્ષેપ ભારતને અસર કરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ‘બડા મંગલ’ના ખાસ પ્રસંગે તેમણે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી બજરંગબલીના દર્શન કર્યા હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અત્યારે મુખ્ય મુદ્દા પરથી ભટકવા નથી માંગતા અને આ સમયે દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જ સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે સીધા પીએમ મોદીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, આજે જ્યારે દેશ અને દુનિયા સામે આટલો મુશ્કેલ સમય આવી રહ્યો છે, ત્યારે આપણા પીએમ મોદી આખી દુનિયાના લોકોને કહી રહ્યા છે કે તમે બહાર ન જાઓ, પરંતુ તેઓ ક્યારેક વિમાન લઈને નોર્વે ચાલ્યા જાય છે, તો ક્યારેક જાપાન કે અન્ય કોઈ જગ્યાએ જતા રહે છે.’ રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘સરકારની ખોટી નીતિઓના કારણે આગામી દિવસોમાં દેશની સામે ઘણો કપરો સમય આવવાનો છે. સરકાર અને દેશના મોટા ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, દેશમાં જે આ મોટો આર્થિક આંચકો આવી રહ્યો છે, તેની અસર ઉપર બેઠેલા લોકો પર બિલકુલ નહીં થાય.
પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એ પણ તે અંગેના સત્તાવાર નવા નિયમો જાહેર કરી દીધા છે. એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર ૨૦ ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરાતું હતું, જાેકે હવે નવા નિયમ મુજબ, મિશ્રણ ૩૦ ટકા સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ છે.
કેન્દ્ર સરકારે અગાઉ ૧૫ મે-૨૦૨૬ના રોજ આ અંગેની મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી BISએ પેટ્રોલમાં ૨૦ ટકા ઈથોનોલ મિશ્રણથી આગળ વધીને હવે ૨૨, ૨૫, ૨૭ અને ૩૦ ટકા સુધી મિશ્રણ વધારવાના સત્તાવાર માપદંડો અને ગુણવત્તા ધોરણો નક્કી કરી દીધા છે.
આ નોટિફિકેશન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારત ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા પર ભાર આપી રહ્યું છે. આ નવા ર્નિણયથી મોટો ફાયદો એ છે કે, હવે અન્ય દેશો પર ક્રૂડ ઓઈલની ર્નિભરતા, આયાત અને પ્રદૂષણ ઘટી શકશે. આ ઉપરાંત સ્થાનિક ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થશે.
ઑલ ઈન્ડિયા ડિસ્ટલરી એસોસિએશન ને પણ આ ર્નિણયનું સ્વાગત કર્યું છે. AIDAએ આ ર્નિણયનું સ્વાગત કર્યું છે અને તેને ભારતના ઈથેનોલ પ્રોગ્રામ માટે સમયસર લેવાયેલો ર્નિણય ગણાવ્યો છે. AIDAના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહે કહ્યું કે, BIS દ્વારા ઈ૨૨થી ઈ૩૦ ફ્યૂલ્સ માટે જાહેર કરેલા માપદંડો માત્ર એક નોટિફિકેશન નથી, પરંતુ આ ર્નિણય આવનારા સમયમાં ભારતની ઉર્જા સુરક્ષા વધારશે.
Loading ...
