સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત આ ઘટનાની વિગત એવી છે કે ચીનમાં એક ૪૦ વર્ષના પુરુષનું હૃદય અચાનક બંધ થઈ ગયું હતું. ડૉક્ટરોએ તેને ફરીથી ધબકાવવા ઘણાં પ્રયત્નો કર્યા. ડિફિબ્રિલેશન એટલે કે ઇલેક્ટ્રિક આંચકા પણ આપવામાં આવ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. સામાન્ય રીતે હૃદય બંધ થયાના થોડીક મિનિટોમાં જ મગજને નુકસાન થવા લાગે છે, પરંતુ આ માણસના કેસમાં ડૉક્ટરોએ હાર ન માની. ડૉક્ટરોએ એક ખાસ મશીનનો ઉપયોગ કર્યો જેને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન કહેવાય છે. આ એક જીવન બચાવતું મશીન છે, જે શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કરે છે. જ્યારે દર્દીનું પોતાનું હૃદય કામ કરતું ન હતું, ત્યારે એક્મો તેના શરીરમાં ઓક્સિજનયુક્ત લોહી પમ્પ કરતું રહ્યું અને લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરતું રહ્યું. આ એક સફળ તબીબી પ્રક્રિયા હતી જેણે દર્દીને જીવતો રાખ્યો.દર્દીનું હૃદય લગભગ ૪૦ કલાક સુધી સ્વતંત્ર રીતે ધબક્યું નહીં. આ દરમિયાન એક્મો મશીન તેના જીવનનો આધાર બની રહ્યું. ૨૦ દિવસમાં તે એટલો સ્વસ્થ થઈ ગયો કે જાતે જ ચાલીને ઘરે ગયો.
૩૦ એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ૨.૦ હેઠળ ભારતના ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ નીતિ પાછળ ગુજરાતના વિસનગરના જાેષી પરિવારની આઠ વર્ષની મહેનત છે. પરિવારની બે દીકરીઓએ ડૉ. સ્મિતાબેન જાેષી તથા ડૉ. શુક્લાબેન રાવલે ગુજરાત જ નહીં, ભારતભરના ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિ:શુલ્ક ઇન્સ્યુલિન સહિતની સારવાર મળે તે માટેનું બીડું ઝડપ્યું હતું. એ વાત પણ ખાસ છે કે અમેરિકા પણ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યુલિન આપતું નથી, જ્યારે ભારતમાં હવે દરેક બાળકને આ સારવાર સરકારી હૉસ્પિટલમાં ફ્રીમાં મળશે.આ નીતિ હેઠળ હવે ભારતની તમામ સરકારી જિલ્લા હૉસ્પિટલમાં વિના મૂલ્યે ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલિન ઉપરાંત ફ્રી ગ્લુકોમીટર, ફ્રી સ્ટ્રીપ્સ, પ્સ, ફ્રી લેબોરેટરી ટેસ્ટ, ફ્રી મેડિકલ ચેકઅપ ફોર કોમ્પલીકેશન્સ જેવી સુવિધા મળશે. આ ઉપરાંત ભારતભરમાં આંગણવાડી તથા શાળાોમાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.
વીમા કંપનીઓ આરોગ્ય વીમા દાવા દાખલ કરવા કોઈ જાતની સમયમર્યાદા લાદી શકે નહિ, આવી સમયમર્યાદા બિલકૂલ ગેરકાયદેસર છે તેમ જણાવી બોમ્બે હાઈકોર્ટે યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપનીને એક વીમાધારક તથા તેની પત્નીના કુલ રૂ. ૧.૧૩ લાખના આરોગ્ય વીમા દાવાઓ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
હોસ્પિટલમાં દાખલ થયાની નિર્ધારિત ૯૦ દિવસની લિમિટ પૂૂર્ણ થયા પછી દાવો દાખલ કરાયો છે એમ જણાવી કંપનીએ ક્લેઈમ નકારી કાઢ્યો હતો. ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે ઠરાવ્યું હતું કે સમયગાળાની સમાપ્તિ પર વીમાધારકના અધિકારોને ખતમ કરતી પોલિસી મુદત ભારતીય કરાર અધિનિયમની કલમ ૨૮(બી)ની વિરુદ્ધ છે અને તેથી તે રદબાતલ છે.અરજદાર, સીપી રવિન્દ્રનાથ મેનને, તેમના એમ્પ્લોયર, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રુપ હેલ્થ વીમા કવચનો લાભ લીધો હતો. ૨૪ મે, ૨૦૨૨ ના રોજ, તેમણે બેંક દ્વારા પોતાના અને તેમની પત્ની માટે અલગ અલગ સમયગાળા માટે ચાર વીમા દાવા સબમિટ કર્યા હતા, જે કુલ રૂ. ૧.૧૩ લાખ હતા.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પછી, ભાજપે “મિશન પંજાબ” અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે દર મહિને પંજાબની મુલાકાત લેશે. તેઓ પંજાબમાં ડ્રગ્સ સામે ઝુંબેશ શરૂ કરશે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર સાથે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અન્ય ચાર રાજ્યો ભાજપ શાસિત છે, પરંતુ ભાજપ પંજાબમાં પોતાનો પગ મજબૂત કરવા માટે ઉત્સુક છે.
અહેવાલો અનુસાર, અમિત શાહનું પંજાબનું મિશન મે મહિનામાં શરૂ થશે. તેઓ મે મહિનામાં પંજાબનો પ્રવાસ કરશે. આ સમયગાળા દરમિયાન, ભાજપ સમગ્ર પંજાબમાં ડ્રગ વિરોધી પ્રવાસો પણ શરૂ કરશે. રાજ્ય અને કેન્દ્રના વરિષ્ઠ ભાજપના નેતાઓ પણ અલગ અલગ સમયે અને સ્થળોએ આ પ્રવાસોમાં જાેડાશે. ભાજપના નેતાઓ જનતાને એ પણ જણાવશે કે પંજાબ એક સરહદી રાજ્ય હોવાથી, ભાજપ સરકારની રચના ડબલ-એન્જિન સરકાર દ્વારા સરહદ પાર ડ્રગની હેરાફેરી અટકાવવામાં મદદ કરશે.
ખરેખર, ભાજપ ચૂંટણી પહેલા ડ્રગ્સને મુખ્ય મુદ્દો બનાવવા માંગે છે, તેથી તે તેની સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરશે.
પાકિસ્તાનના બહાવલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું છે. શરૂઆતના રિપોર્ટ મુજબ સલમાન અઝહરનું મોત અકસ્માતે થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાડી દીધો હતો. ટક્કર એટલી જાેરદાર હતી કે મૌલાના સલમાન અઝહરનું સ્થળ પર જ મોત થયું.
માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પછી પણ ‘ઓપરેશન ધુરંધર’ ચાલી રહ્યું છે અને આ તેનો જ ભાગ હોઈ શકે છે. જૈશના નવેસરથી ઊભા માળખાંને પણ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં ૨૭ એપ્રિલે ખૈબર પખ્તુનખ્વાહના જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યુસુફ આફરીદીને ગોળીઓ મારીને શરીર ચારણી કરી દેવામાં આવ્યું હતું. આ બંને ઘટના નવી નથી. પહેલગામ હુમલા પછી ૧૧ આતંકીઓ માર્યા ગયા છે અને તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાયા હચમચી ગયા છે. જાેકે પાકિસ્તાન સરકાર જૈશે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
મૌલાના સલમાન અઝહરને લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ-મોહમ્મદમાં ટોચનો કમાન્ડર હતો. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરનો જમણો હાથ હતો. તેમણે સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારત વિરોધી ભડકાઉ ભાષણો આપ્યા કરતો. મસૂદ અઝહરે બનાવેલા સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તૈયબા લાંબા સમયથી ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓ કરતું આવ્યું છે.
Loading ...
