ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા શરૂ કરીને અનેક મતદારોના નામ કાપી નાખ્યા હતા, જાેકે તેમ છતાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનાં મતદાનમાં ‘વોટિંગ ટકાવારી’ અને ‘કુલ મતદારોની સંખ્યા’માં વધારો થતાં જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ગુરુવારે ૧૬ જિલ્લામાં ૧૫૨ બેઠકો પર મતદાન યોજાયું હતું, ત્યારે આ જ બેઠકો પર ૨૦૨૧માં પણ મતદાન યોજાયું હતું. ૨૦૨૧ અને ૨૦૨૬ની આંકડાઓની તુલના કરતા આ વખતની ચૂંટણીમાં ૨૪ લાખ મતો વધી ગયા હોવાની વિગતો સામે આવી છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી-૨૦૨૬માં પ્રથમ તબક્કામાં ૩.૩૫ કરોડથી વધુ મતદારોએ, જ્યારે ૨૦૨૧માં ૩.૧ કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. SIR પ્રક્રિયા બાદ આ જ ૧૫૨ બેઠકો પર ૧૮ લાખ મતદારો ઘટી ગયા હતા. ૨૦૨૧માં આ બેઠકો પર ૩.૮ કરોડ મતદારો હતા. આ વખતે SIR બાદ મતદારોનો આંકડો ઘટીને ૩.૬ કરોડે પહોંચી ગયો હતો.
ચૂંટણી પંચના અપડેટેડ ડેટા મુજબ, ૧૬માંથી ૧૪ જિલ્લા (કાલિમ્પોંગ અને દાર્જિલિંગ સિવાય)માં ૯૦ ટકથી વધુ મતદાન થયું છે. સૌથી વધુ કૂચ બિહારમાં ૯૬ ટકા, દક્ષિણ દિનાજપુરમાં ૯૫.૪ ટકા, જલપાઈગુડીમાં ૯૪.૬ ટકા, વીરભૂમમાં ૯૪.૫ ટકા, માલદામાં ૯૪.૪ ટકા મતદાન થયું છે.
અમેરિકાની સંસદમાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો H-1B વિઝા પ્રોગ્રામ ૩ વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા સહિતના અનેક આકરા નિયમો સૂચવવામાં આવ્યા છે. આ પ્રસ્તાવની સૌથી મોટી અને સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે. એરિઝોનાના કોંગ્રેસમેન એલી ક્રેને અન્ય સાત રિપબ્લિકન નેતાઓના ટેકા સાથે “એન્ડ ધ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬” નામનું બિલ રજૂ કર્યું છે. આ બિલને ટેકો આપનારાઓમાં બ્રાયન બેબીન, બ્રાન્ડન ગિલ, વેસ્લી હન્ટ, કીથ સેલ્ફ, એન્ડી ઓગલ્સ, પોલ ગોસર અને ટોમ મેકક્લિન્ટોકનો સમાવેશ થાય છે. આ કાયદા નિર્માતાઓનો સીધો આરોપ છે કે અમેરિકન આઇટી કંપનીઓ સસ્તા વિદેશી કામદારો મેળવવા માટે H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરી રહી છે.
ગોલ્ડ કાર્ડ વિઝા ખરીદનારી અત્યાર સુધી માત્ર ૧ વ્યક્તિ!
અમેરિકામાં અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો બહુચર્ચિત ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા મેળવ્યો છે. ગોલ્ડ કાર્ડ વિઝામાં કોઈ વિદેશી ૧૦ લાખ ડોલર (લગભગ ૮.૩ કરોડ રૂપિયા) આપીને અમેરિકામાં રહેવા અને કામ કરવાનો અધિકાર મેળવી શકે છે.વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે સંસદીય સમિતિની સુનાવણીમાં આ માહિતી આપી હતી. જેતેમની અગાઉની ઘોષણા કરતાં ઘણો ઓછો છે, તેમણે કહ્યું હતું કે યોજના શરૂ થયાના થોડા જ દિવસોમાં ૧૦,૮૦૦ કરોડ રૂપિયાના ૧૩૦૦ અરજીઓ વેચાઈ ચૂકી છે.
દેશની હૉસ્પિટલોમાં આઇસીયુ એકમોની સ્થિતિ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઇસીયુ માટે નક્કી કરેલા લઘુતમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આઇસીયુ સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે. સુપ્રીમ કોર્ટે આ એક્શન પ્લાનમાં મુખ્ય પાંચ બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પૂરતી સંખ્યામાં તબીબી સ્ટાફની ઉપલબ્ધતા. માત્ર સ્ટાફ નહીં, પણ આઇસીયુ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ. સારવાર માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થા. દવાઓ અને અન્ય પાયાની સામગ્રીનો પુરવઠો. આઇસીયુ વોર્ડની યોગ્ય ડિઝાઈન અને સુવિધા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડૉક્ટરો તો માત્ર વિઝિટ પર આવે છે, નર્સિંગ સ્ટાફ ૨૪ કલાક દર્દીની સાથે હોય છે. તેથી તેમને આઇસીયુ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવી અનિવાર્ય છે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ (ઈઝ્રસ્ઉહ્લ)ના નવા ડેટા અનુસાર, મે મહિનાના અંત સુધી ચોમાસુંના દક્ષિણ ભારત પહોંચવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસું ભારતમાં સૌથી પહેલા કેરળમાં દસ્તક આપે છે, અને તેના બાદ અન્ય રાજ્યો તરફ આગળ વધે છે. સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુમાં આ ચોમાસું ૧૮ થી ૨૫ મેની વચ્ચે દસ્તક આપી શકે છે. કેરળમાં પણ ચોમાસુ ૨૫ મેની આસપાસ આવી જશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વખતે ચોમાસું વહેલું આવવાનું કારણ અલ નીનો છે. હકીકતમાં, અલ નીનોની સ્થિતિ બનવાની શક્યતા બહુ જ ઓછી થઈ ગઈ છે. પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાઈપોલથી વરસાદ જલ્દી થવાનો છે અને ચોમાસું વહેલા દસ્તક આપે તેવુ દેખાઈ રહ્યું છે. જાેકે, આ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કહ્યું હતું કે, આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જે ત્રણ વર્ષમાં પહેલીવાર આવું થશે. હવામાન વિભાગે કહ્યું હતું કે, ૨૦૨૬ માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના મોસમ (જુનથી સપ્ટેમ્બર) માં સમગ્ર દેશમાં વરસાદ સામાન્યથી ઓછા રહેવાની શક્યતા છે. (લાંબા સમયથી અંદાજે (ન્ઁછ) ના ૯૫-૯૦ ટકા). યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે ઈઝ્રસ્ઉહ્લ ના અનુસાર, ચોમાસાની શરૂઆત વહેલા થવાની શક્યતા છે. ગત વર્ષે ૨૦૨૫ માં પણ અનુમાન હતું કે, કેરળમાં ચોમાસું ૨૭ મેથી ૨૯ મે વચ્ચે પહોંચી જશે. પરંતું તે પહેલા જ ચોમાસાએ દસ્તક આપી હતી. આ રીતે આ વર્ષે પણ વહેલા ચોમાસાના સંકેત છે. હાલનું હવામાનનું મોડલ બતાવે છે કે, હિન્દ મહાસાગરથી આવતી ગરમ હવાઓ તેજ બની રહી છે. જે બંગાળની ખાડી અને અંદામાન સાગરના ઉપર બની રહી છે. આ હવાઓને કારણે એ સમયે એ વિસ્તારમાં સામાન્યથી ૩૦ થી ૬૦ મિલીમીટર વધુ વરસાદ થઈ શકે છે. આંદામાનના ઉત્તરમાં એક ટ્રોપિકલ
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ (ઈઝ્રસ્ઉહ્લ)ના નવા ડેટા અનુસાર, મે મહિનાના અંત સુધી ચોમાસુંના દક્ષિણ ભારત પહોંચવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસું ભારતમાં સૌથી પહેલા કેરળમાં દસ્તક આપે છે, અને તેના બાદ અન્ય રાજ્યો તરફ આગળ વધે છે. સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુમાં આ ચોમાસું ૧૮ થી ૨૫ મેની વચ્ચે દસ્તક આપી શકે છે. કેરળમાં પણ ચોમાસુ ૨૫ મેની આસપાસ આવી જશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વખતે ચોમાસું વહેલું આવવાનું કારણ અલ નીનો છે. હકીકતમાં, અલ નીનોની સ્થિતિ બનવાની શક્યતા બહુ જ ઓછી થઈ ગઈ છે. પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાઈપોલથી વરસાદ જલ્દી થવાનો છે અને ચોમાસું વહેલા દસ્તક આપે તેવુ દેખાઈ રહ્યું છે. જાેકે, આ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કહ્યું હતું કે, આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જે ત્રણ વર્ષમાં પહેલીવાર આવું થશે. હવામાન વિભાગે કહ્યું હતું કે, ૨૦૨૬ માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના મોસમ (જુનથી સપ્ટેમ્બર) માં સમગ્ર દેશમાં વરસાદ સામાન્યથી ઓછા રહેવાની શક્યતા છે. (લાંબા સમયથી અંદાજે (ન્ઁછ) ના ૯૫-૯૦ ટકા).
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે ઈઝ્રસ્ઉહ્લ ના અનુસાર, ચોમાસાની શરૂઆત વહેલા થવાની શક્યતા છે. ગત વર્ષે ૨૦૨૫ માં પણ અનુમાન હતું કે, કેરળમાં ચોમાસું ૨૭ મેથી ૨૯ મે વચ્ચે પહોંચી જશે. પરંતું તે પહેલા જ ચોમાસાએ દસ્તક આપી હતી. આ રીતે આ વર્ષે પણ વહેલા ચોમાસાના સંકેત છે. હાલનું હવામાનનું મોડલ બતાવે છે કે, હિન્દ મહાસાગરથી આવતી ગરમ હવાઓ તેજ બની રહી છે. જે બંગાળની ખાડી અને અંદામાન સાગરના ઉપર બની રહી છે. આ હવાઓને કારણે એ સમયે એ વિસ્તારમાં સામાન્યથી ૩૦ થી ૬૦ મિલીમીટર વધુ વરસાદ થઈ શકે છે. આંદામાનના ઉત્તરમાં એક ટ્રોપિકલ
સિસ્ટમ બનવાની ૨૦ થી ૪૦ ટકા સંભાવના વ્યક્ત કરાઈ છે. આવી સિસ્ટમ સામાન્ય રીતે ચોમાસાને આગળ વધારવામાં મદદ કરે છે. કારણ કે, તે વાતાવરણમાંથી વધુ ભેજ શોષી લે છે. તેના બાદ ૨૫ મેથી ૧ જુનની વચ્ચે ચોમાસાના આગળ વધવાના અણસાર છે. આ દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબ સાગરના ઉપર તેજ પશ્ચિમી હવાઓ વહી શકે છે. જે ભેજને સીધા ભારતના દક્ષિણ-પશ્ચિમી તટ તરફ લઈ જાય છે. તેનાથી કેરળ અને તમિલનાડુના દક્ષિણી વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષના શરૂઆતમાં પડેલી ભીષણ ગરમીની શરૂઆત ચોમાસા પર પડી શકે છે. વધુ ગરમીને કારણે સમુદ્ર પરથી આવનારી હવાઓ પહેલા સક્રિય બની જાય છે. જેનાથી ચોમાસું જલ્દી આવવાની સંભાવના વધી જાય છે.
ભારત ઈરાનના ચાબહાર પોર્ટમાં પોતાનો હિસ્સો ઈરાની કંપનીને સોંપી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ પગલું અસ્થાયી રૂપે ઉઠાવવામાં આવી શકે છે, જેથી અમેરિકાના પ્રતિબંધોમાંથી મળેલી છૂટ પૂરી થયા પછી પણ કામ ચાલુ રહી શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું આ પોર્ટમાં ૧૧૦૦ કરોડનું રોકાણ છે. ભારત સરકાર આ મુદ્દે અમેરિકા અને ઈરાન બંને સાથે અલગ-અલગ વાતચીત કરી રહી છે. રિપોર્ટ અનુસાર આ વાતચીત અત્યંત સંવેદનશીલ છે અને તેમાં સામેલ અધિકારીઓએ ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. ભારતને નવેમ્બર ૨૦૨૫માં છ મહિનાની છૂટ મળી હતી, જેના કારણે ચાબહાર પોર્ટ પર અવરોધ વિના કામ ચાલુ રહ્યું. આ છૂટ આ મહિને પૂરી થઈ રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત ચાબહાર પ્રોજેક્ટમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાની યોજના નથી બનાવી રહ્યું. ભવિષ્યમાં અહીં કનેક્ટિવિટી વધારવાની યોજના છે, જેમાં રેલ લિંક પણ સામેલ છે, જેનાથી અફઘાનિસ્તાન અને આગળ સુધી પહોંચ મજબૂત થશે. ભારત આ અસ્થાયી ટ્રાન્સફરને અમેરિકા અને ઈરાન વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ તરીકે જાેઈ રહ્યું છે. એક તરફ અમેરિકાના ઈરાન પર કડક પ્રતિબંધો છે, બીજી તરફ ચાબહાર પોર્ટ ભારતની રણનીતિનો મહત્વનો ભાગ છે.
અમેરિકી અધિકારીઓને મળ્યા વગર જ ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પરત જતા રહ્યા
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શનિવાર સાંજે ઈસ્લામાબાદથી અમેરિકી અધિકારીઓને મળ્યા વગર જ પરત ફર્યા છે. તેમણે પોતાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર શનિવારે ઈસ્લામાબાદ પહોંચવાના હતા, પરંતુ અરાઘચી તેમને મળ્યા વગર જ રવાના થઈ ગયા. અરાઘચીએ પાકિસ્તાનને ઈરાનની શરતો અને અમેરિકી માગણીઓ પરના વાંધાઓ પણ સોંપી દીધા છે. ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. અમેરિકાએ ઈરાન પોર્ટ જતું જહાજ પકડ્યું
અમેરિકાએ ઈરાન પોર્ટ જતું જહાજ પકડ્યું
ઈસ્લામાબાદમાં વાતચીતની સંભાવનાઓ વચ્ચે અમેરિકાએ ફરીથી ઈરાનનું જહાજ રોકીને તણાવ વધાર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જાણકારી આપી કે અમેરિકી નેવીના ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ેંજીજી રાફેલએ ૨૪ એપ્રિલના રોજ એક ઈરાની ઝંડાવાળા જહાજને ઈન્ટરસેપ્ટ કર્યું. આ જહાજ ઈરાનના એક પોર્ટ તરફ આગળ વધી રહ્યું હતું. અમેરિકાએ કાર્યવાહી કરીને અધવચ્ચે જ રોકી દીધું હતું.
Loading ...
