આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ બનાવતી અમેરિકન દિગ્ગજ કંપની એનવીડિયાએ ભારતમાં કામ કરતાં તેના કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં કંપનીના અંદાજે ૧૦,૦૦૦ કર્મચારીઓ છે. જેમાંથી મોટાભાગના લોકોને જેન્સન સ્પેશિયલ સ્ટોક ગ્રાન્ટ હેઠળ શેરના રૂપમાં મોટું બોનસ મળ્યું છે.
કર્મચારીઓને મળનારી આ બોનસની રકમ ૫ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ રૂપિયા સુધીની છે. આ રકમ આગામી ૪ વર્ષમાં ધીમે-ધીમે હપ્તાવાર કર્મચારીઓને મળશે. આ સ્પેશિયલ ગ્રાન્ટ અંતર્ગત કર્મચારીઓને તેમના શરૂઆતના રેસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સના વધારાના ૨૫ ટકા શેર મળ્યા છે.
આ રકમ ચાર વર્ષના ગાળામાં આપવામાં આવશે. તેની કિંમત ૮૯૮.૨ ડૉલરના સરેરાશ શેર ભાવ પર નક્કી કરવામાં આવી છે. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૬.૨૫ ટકાના પ્રથમ હપ્તા સાથે તેની શરૂઆત થઈ ચૂકી છે. હવે વર્ષ ૨૦૨૮ સુધી દર ત્રિમાસિક ગાળે તેના હપ્તા આપવામાં આવશે. એનવીડિયામાં કામ કરતાં એન્જિનિયરોની સેલરી અને પેકેજ હાલમાં આઇટી સેક્ટરમાં ચર્ચાનો વિષય છે. ટોપ એન્જિનિયર્સને સ્ટોક ઍવૉર્ડ્સ સાથે તેમનો વાર્ષિક પગાર ૨થી ૩ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરથી વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની વિદેશમાં નિકાસનો સિઝન શરૂ થયો છે, પરંતુ આ વર્ષે એર કાર્ગોના ભાડામાં બમણો વધારો થતાં કેસર કેરીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેના કારણે યુએસ અને યુકે જેવા દેશોમાં ભારતીય કેરી હવે ગ્રાહકો માટે વધુ મોંઘી બની રહી છે.
તાલાલા ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસ મારફતે કેસર કેરીની પ્રોસેસિંગ અને નિકાસ કરવામાં આવે છે. અહીં ખેડૂતો પાસેથી સીધી કેરી ખરીદીને તેને ધોઈ, ગ્રેડિંગ કરીને અને એકસરખા સાઇઝના ફળોને પસંદ કરીને આકર્ષક પેકિંગ કરવામાં આવે છે. ત્રણ કિલોગ્રામના બોક્સમાં ૧૨ નંગ કેરી પેક કરવામાં આવે છે. ત્યારબાદ આ બોક્સોને અમદાવાદના બાવળા ખાતે રેડિયેશન પ્રોસેસ માટે મોકલવામાં આવે છે, જ્યાં જરૂરી પ્રોસેસ પૂર્ણ થયા બાદ એર કાર્ગો દ્વારા વિદેશમાં નિકાસ થાય છે.આ સિઝનમાં ૨૦૦૦ બોક્સનો પહેલો જથ્થો અમેરિકાના વોશિંગ્ટન અને યુકે માટે રવાના કરવામાં આવ્યો છે. તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે, પેક હાઉસમાં તમામ પ્રોસેસિંગ સુવિધાઓ સાથે કેસર કેરીને આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in cbse.gov.in પર ચેક કરી શકે છે.
દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જે વિદ્યાર્થીઓએ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
રીઝલ્ટના મુખ્ય આંકડા :
કુલ ઉમેદવારો - ૨૬ લાખથી વધુ
કુલ પાસ ટકાવારી - અંદાજીત ૯૩.૬ ટકા
તાત્કાલીક રીઝલ્ટ ડાઉનલોડ કરવાની રીત :જાે વેબસાઈટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ ડિજિલોકર અને ઉમંગ એપ દ્વારા ડિજિટલ માર્કશીટ તાત્કાલીક ડાઉનલોડ કરી શકે છે. આવી રીતે ચેક કરો પરિણામ :સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in cbse.gov.in પર જાઓ.
હોમપેજ પર ‘Secondary School Examination (ઠClass X) ૨૦૨૬’ પર ક્લિક કરો.તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિશન કાર્ડ આઈટી દાખલ કરો.
સંસદમાં ગુરુવારથી શરૂ થનારી ત્રણ દિવસીય વિશેષ બેઠક માટે તૈયાર થઈ રહી છે, જેમાં મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આ ચર્ચાને ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત કરવાનો છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જાેવા મળે તે બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. જેમાં છેવાડાના કામદારોથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાણીતા જાહેર વ્યક્તિત્વો સુધી તમામને દિલ્હી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
તેલુગુ દેશમ પાર્ટી પોતાના મહિલા ધારાસભ્યો, કોર્પોરેશન અધ્યક્ષાઓ અને મહિલા મંત્રીઓને આ બિલ પરની ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર રાખવાની યોજના બનાવી રહી છે.
બીજી તરફ, શિવસેના વિવિધ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓને આમંત્રિત કરી રહી છે, જેમાં સફાઈ કામદારો, મજૂરો, સ્વસહાય જૂથોની સભ્યો અને લાડકી બહેન યોજનાના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ઘણી મહિલાઓ પ્રથમ વખત દિલ્હી જઈ રહી છે અને કેટલાક માટે તો આ પ્રથમ હવાઈ મુસાફરીનો અનુભવ હશે.આ સાથે, કેન્દ્ર સરકારે જાણીતા નાગરિકો, સેલિબ્રિટીઓ અને સશસ્ત્ર દળોની મહિલાઓને પણ આમંત્રણ પાઠવ્યા છે, જેથી આ સત્રને વ્યાપક અને સર્વસમાવેશક બનાવવામાં સફળતા હાંસલ કરી શકાય. આ વિશેષ બેઠક, જે ૨૦૨૩માં પસાર થયેલા “નારી શક્તિ વંદન અધિનિયમ”માં સુધારા અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે, તેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા આરક્ષણના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત થવાની શક્યતા છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે અને બિલ માટેનો રોડમૅપ રજૂ કરવાની અપેક્ષા છે. લોકસભામાં લગભગ ૧૮ કલાક અને રાજ્યસભામાં ૧૦ કલાક ચર્ચા થવાની શક્યતા છે, જ્યારે મતદાન શનિવારે યોજાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાનો જવાબ આપશે એવી અપેક્ષા છે. બિલ મુજબ, લોકસભામાં કુલ સભ્યોની મહત્તમ સંખ્યા ૮૫૦ સુધી રાખવાની જાેગવાઈ છે, જેમાંથી ૮૧૫ સુધી રાજ્યોથી અને ૩૫ સુધી કેન્દ્રશાસિત પ્રદેશોથી પ્રતિનિધિઓ હશે.
દુનિયાભરમાં મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગેસ અને તેલની સપ્લાય પર દેખાઈ રહી છે. ભારત તેની LPG ગેસની જરૂરિયાત માટે મોટાપાયે મિડિલ ઈસ્ટ પર ર્નિભર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજાેની અવરજવર ખોરવાતા અને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે એનર્જી સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અહેવાલો મુજબ, આ સપ્લાયને ફરીથી સામાન્ય થવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે.
અહેવાલો અનુસાર, સરકારી અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, ગ્લોબલ LPG સપ્લાય ચેઈન જે રીતે ખોરવાઈ છે, તેને સંપૂર્ણપણે પાટા પર આવતા ઓછામાં ઓછા ૩ થી ૪ વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે, ઉત્પાદન માત્ર કામચલાઉ ધોરણે અટક્યું છે કે કાયમી નુકસાન થયું છે, પરંતુ સપ્લાયર્સ તરફથી મળતી માહિતી ભારત માટે ચિંતાજનક છે. આ સ્થિતિને કારણે ભારત માટે આયાતનું જાેખમ અને ખર્ચ બંને વધી શકે છે. વિવિધ રિપોર્ટ્સ મુજબ, સપ્લાયનો રસ્તો બદલવા અને અન્ય દેશો પાસેથી ગેસ લેવાના પ્રયાસો છતાં LPG સામાન્ય સપ્લાયમાં ૪૦ થી ૫૦ ટકા જેટલી અછત રહેવાની શક્યતા છે. એટલે કે તમામ પ્રયાસો પછી પણ સપ્લાય પહેલા જેટલો સરળ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધ પહેલા ભારતનો ૯૦% ન્ઁય્ સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તે થતો હતો. જે હવે ઘટીને માત્ર ૫૫% રહ્યો છે. ભારત તેની કુલ વપરાશના ૬૦% LPG વિદેશોથી મંગાવે છે. દેશમાં દર વર્ષે અંદાજે ૩૩ મિલિયન ટનLPG માગ છે. ભારત પાસે માત્ર ૧૫ દિવસનો વપરાશ ચાલે તેટલો જ સ્ટોરેજ છે. ભારતનો ૯૨% સપ્લાયUAE, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે. જેમાંથી માત્ર UAEનો હિસ્સો જ ૪૧% છે.
સરકાર હાલમાં COVID સમય જેવી જ વ્યૂહરચના અપનાવી રહી છે, અન્ય દેશો પાસેથી આયાત વધારવા ઉપરાંત સપ્લાયના રૂટ બદલવા અને ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. માંગને નિયંત્રિત કરવાના ઉપાયો પણ અજમાવાઇ રહ્યા છે. મોંઘા LPGની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો (સ્જીસ્ઈ) પર પડશે. જાે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધશે તો સરકાર પર ઘરેલું સિલિન્ડર માટે સબસિડીનું ભારણ પણ વધી શકે છે. જાેકે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં એ જ છે કે સામાન્ય લોકોના ઘરો સુધી LPGપહોંચવામાં કોઈ મોટી સમસ્યા ન સર્જાય.
Loading ...
