અમેરિકા અને ઈરાન બંને એક બીજાના ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે એવી આશા હવે ઠગારી નીવડી રહી છે. અત્યંત મહત્વનો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ પાછી ભયાનક બની રહી છે. આ બધા વચ્ચે ઓમાનના કાંઠા પાસે વધુ એક ભારતીય જહાજ એમટી જલવીર પર હુમલો થયાના સમાચાર આવ્યા છે. આ જહાજ પર ૨૦થી વધુ નાવિકો સવાર હતા. અત્રે જણાવવાનું કે તે પહેલા એમટી સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો, જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી ૨૧ને બચાવી લેવાયા, પરંતુ ૩ લોકોના જીવ ગયા છે. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ જહાજના ફનલ અને એન્જિન રૂમમાં આગ લાગી છે. જેનાથી જહાજને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે.
આ પહેલાં ઓમાનના કાંઠા પાસે બુધવારે પણ એક કોમર્શિયલ જહાજ પર હમલાની વાત સામે આવી હતી. આ જહાજ પર કુલ ૨૮ લોકો સવાર હતા. જેમાંથી ૨૪ ભારતીયો હતા. દુખદ વાત એ છે કે આ હુમલામાં ૩ ભારતીય નાવિકો જે પહેલા ગૂમ હોવાનું કહેવાયું હતું ત્યારબાદ તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. ૨૧ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. આ ઘટના ૧૦ જૂનની છે. ભારતે આ હુમલાની આકરી ટીકા પણ કરી. જે જહાજ પર હુમલો થયો હતો તેનું નામ એમટી સેટેબેલો હતું. રોયટર્સે બ્રિટિશ મેરીટાઈમ સિક્યુરિટી ગ્રુપ એમ્બ્રેના હવાલે લખ્યું કે આ કદાચ ઈરાની બંદરોની ઘેરાબંધી કરવા માટે અમેરિકી ઓપરેશનનું પરિણામ હતું. રિપોર્ટ્સ મુજબ એમટી જલવીર પર થયેલા હુમલા પહેલા ઓમાનમાં જ સમુદ્રી તટો પર છેલ્લા બે દિવસથી હુમલા થઈ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રગતિશીલ અને ક્રાંતિકારી ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરની ચાર દીવાલો વચ્ચે દિવસ-રાત પરસેવો પાડતી ગૃહિણીઓનું યોગદાન કોઈ પણ નોકરીયાત પુરુષ કે સ્ત્રી કરતાં સહેજ પણ ઓછું નથી. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે મોટર અકસ્માત વળતરના એક કેસની સુનાવણી દરમિયાન ગૃહિણીઓને સીધા રાષ્ટ્રનિર્માતા તરીકે નવાજ્યા છે. અદાલતે સદીઓ જૂની માનસિકતા પર પ્રહાર કરતા કહ્યું કે, ગૃહિણીઓ દ્વારા અપાતી સેવાઓ માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ તેનું મોટું આર્થિક અને સામાજિક મૂલ્ય છે. જાે કોઈ માર્ગ અકસ્માતમાં ગૃહિણીનું મૃત્યુ થાય કે તેઓ કાયમી અપંગ બને, તો તેમના દ્વારા થતાં ઘરેલું સેવાઓના નુકસાન પેટે વળતરની ગણતરી કરવા માટે લઘુત્તમ ધોરણ દર મહિને રૂ.૩૦,૦૦૦ નક્કી કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીના તમામ માપદંડો કરતાં ઘણું વધારે છે.એક ગૃહિણીનું એના પરિવારમાં યોગદાન માત્ર પરિવાર પૂરતું જ સીમિત નથી. એ દેશના માનવ સંસાધન તથા રાષ્ટ્રનિર્માણમાં પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. આ માટે તેને હોમમેકર કહેવાના બદલે નેશન બિલ્ડર કહેવામાં આવે. જસ્ટિસ સંજય કરોલની અધ્યક્ષતાવાળી બેંચે એક મહત્ત્વનો ચૂકાદો આપતા દરેક પરિવારને લાગુ પડે એવી વાત કરી છે. સુપ્રીમ કોર્ટે એવી પણ ટીપ્પણી કરી કે, લગ્નનો અર્થ ઘરમાં નોકરાણી લાવવો એવો બિલકુલ નથી. ઘરના જેટલા પણ કામકાજ હોય છે એમાં પતિ અને પત્ની એમ બંનેની સંયુક્ત જવાબદારી હોય છે. જાે કોઈ પત્ની પોતાના કરિયરમાં આગળ વધવા માગે છે તો તે પોતાના સંતાન માટે એક સ્થિર માહોલ નક્કી કરે છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, પત્ની અને ગૃહિણીનું યોગદાન માત્ર ઘરના કામકાજ પૂરતું જ સીમિત નથી. બાળકોનું ભરણ-પોષણ, પરિવારનો વિકાસ, નવી પેઢીને તૈયાર કરવી અને સમાજના નિર્માણમાં એકસ્ત્રી નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. આ માટે એમના કામને આર્થિક અને સામાજિક એમ બંને દૃષ્ટિકોણથી યોગ્ય માન્યતા મળવી જ જાેઈએ. હાઉસવાઈફનું માર્ગ અકસ્માતમાં મોત અને ઈજા થવા પર સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જ્યારે કોઈ અકસ્મતાને કારણે કોઈ પરિવાર પોતાની ગૃહિણીને ગુમાવે છે, ઘરના કામકાજ તથા સ્વજનોની સારસંભાળથી વંચિત થઈ જાય છે તો આર્થિક વળતર નક્કી કરતી વખતે એના યોગદાનનું જરૂરી અને ઉચિત મુલ્યાંકન થવું અતિ જરૂરી છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાન પર હુમલાની ધમકી આપીને ઈરાન સાથેના તણાવમાં મોટો વધારો કર્યો છે અને ચેતવણી આપી છે કે યુએસ સૈન્ય દળો ઈરાનના ઓઇલ માર્કેટ પર વેનેઝુએલાની જેમ સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકન સૈન્ય દળો ટૂંક સમયમાં જ ઈરાનના મુખ્ય ઓઇલ હબ ‘ખાર્ગ આઇલેન્ડ’ પર કબજાે મેળવશે. આ સાથે જ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચતા તેમણે આજે રાત્રે તેહરાન પર ખૂબ જ જાેરદારહુમલો કરવાની આકરી ધમકી આપી છે. અમેરિકન પ્રમુખે ઉમેર્યું કે અમેરિકા હજી પણ ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે, પરંતુ તેમની પ્રાથમિકતા ઈરાનના આ મુખ્ય ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ પર કબજાે મેળવવાની રહેશે. પશ્ચિમી અધિકારીઓ અને ઈરાનના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે પ્રારંભિક શાંતિ સમજૂતી માટેની પરોક્ષ વાટાઘાટો તેજ થઈ હતી. જાેકે, રોઈટર્સના અહેવાલ મુજબ, આ પ્રદેશમાં નવેસરથી શરૂ થયેલા હુમલાઓએ છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ સંઘર્ષના ઝડપી અંતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું: યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે ઈરાન પર ખૂબ જ જાેરદાર પ્રહાર કરશે... (જેમની નેવી, એરફોર્સ, રડાર, એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને સંરક્ષણના અન્ય તમામ માધ્યમો તેમની મોટાભાગની આક્રમક ક્ષમતા સાથે ખતમ થઈ ચૂક્યા છે!) યુએસ પ્રમુખે ઈરાન માટેની તેમની યોજનાની સરખામણી વેનેઝુએલાના ઊર્જા ક્ષેત્ર પર અમેરિકન દળોએ મેળવેલા અંકુશ સાથે કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં કોઈ પણ સમયે, આપણે ખાર્ગ આઇલેન્ડ અને અન્ય ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઇન્ટ્સ હસ્તગત કરીશું અને તેમના ઓઇલ અને ગેસ માર્કેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લઈશું, જેવું આપણે વેનેઝુએલા સાથે કર્યું છે.
ઈરાન-અમેરિકા બંને પક્ષો વચ્ચે સતત ભારે ગોળીબાર અને હુમલા
ટ્રમ્પની આ પોસ્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે સતત બીજા દિવસે થયેલા ભારે ગોળીબાર બાદ આવી છે. યુએસ દળો દ્વારા શરૂ કરાયેલા આ હુમલા અગાઉના હુમલાઓ કરતાં વધુ તીવ્ર અને વ્યાપક હોવાનું કહેવાય છે. તેહરાને પણ આના જવાબમાં જાેર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર વળતા પ્રહારો કર્યા હતા. જાેકે, ઈરાને યુએસ હુમલાઓથી થયેલા નુકસાન અંગે બહુ ઓછી માહિતી જાહેર કરી છે.
ખાર્ગ આઇલેન્ડનું વ્યૂહાત્મક મહત્ત્વ શું છે, ટ્રમ્પ કેમ પાછળ પડ્યા છે?
કુવૈત અને સાઉદી અરેબિયામાં આવેલા યુએસ મથકોની સામે પર્સિયન ગલ્ફ (પર્શિયન અખાત) ની બીજી બાજુએ આવેલો ખાર્ગ આઇલેન્ડ ઈરાનના તેલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અને મોટું ઓઇલ ટર્મિનલ છે. આ ટાપુ પર અમેરિકન દળો દ્વારા અગાઉ ૧૩ માર્ચે પણ મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુએસ સૈન્યએ ત્યાંના તમામ લશ્કરી લક્ષ્યોને ‘સંપૂર્ણપણે નેસ્તનાબૂદ’ કરી દીધા હતા. અહેવાલ મુજબ, જાે અમેરિકા ખાર્ગ આઇલેન્ડ પર કબજાે કરી લે છે, તો તે ઈરાનની તેલ નિકાસને સંપૂર્ણપણે રોકી શકે છે અને યુએસ સૈન્યને ઈરાનની મુખ્ય ધરતી પર હુમલો કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ મળી જશે.
યુદ્ધવિરામનો કોઈ અર્થ નથી : તેહરાન
ફરી મિડલ ઇસ્ટમાં ભડકી ઊઠેલાં યુદ્ધ અને તણાવના માહોલ વચ્ચે ઈરાને હજી સુધી ટ્રમ્પની આ તાજી ધમકી પર સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રોઈટર્સના જણાવ્યા અનુસાર, દેશના વિદેશ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે ૮ એપ્રિલના રોજ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંમત થયેલો યુદ્ધવિરામ નવા યુએસ હુમલાઓને કારણે “અસરકારક રીતે અર્થહીન” બની ગયો છે.
ટીએમસી ના રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરાઇક અને કોયલ મલિકે ગુરુવારે રાજ્યસભાની સભ્યપદ પરથી રાજીનામું આપ્યું. છેલ્લા ચાર દિવસમાં ૧૩માંથી ચાર રાજ્યસભા સાંસદો મમતાને છોડીને જઈ ચૂક્યા છે.૧૦ જૂને સુષ્મિતા દેવે રાજીનામું આપ્યું હતું. ૮ જૂને સુખેન્દુ શેખરે રાજ્યસભા સભ્યપદ અને પાર્ટી છોડી હતી. આ પહેલા ના બળવાખોર સાંસદ કાકોલી ઘોષે દાવો કર્યો હતો કે ૨૦ લોકસભા સાંસદો અલગ જૂથ બનાવી ચૂક્યા છે.
જ્યારે, ૮૦માંથી ૫૮ ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે.આ દરમિયાન, મમતા બેનર્જીના સૌથી નજીકના સાંસદ કલ્યાણ બેનર્જીની પણ નારાજગી સામે આવી. કલ્યાણની નારાજગીનું કારણ ્નકલી સાઇન કેસ છે.
તેમણે કહ્યું કે મમતા દીદીએ નક્કી કરવું પડશે કે તેઓ મારી સાથે છે કે અભિષેક બેનર્જી સાથે. અભિષેકને વરિષ્ઠ નેતાઓનું સન્માન કરતા આવડતું નથી. તે ખૂબ જ અહંકારી છે. આ જ કારણથી પાર્ટી બરબાદ થઈ છે.
જાે મમતા દીદીને અભિષેક બેનર્જી પર જ ર્નિભર રહેવું હોય, તો તેમની સાથે રહે અને મને છોડી દે. જાે તેઓ તેમનાથી અલગ રસ્તો પસંદ કરે છે, તો હું મમતા દીદી સાથે છું.કલ્યાણની નારાજગીનું કારણ કલી સાઇન કેસ છે. તેમણે જણાવ્યું, ‘મને અડધી રાત્રે કહેવામાં આવ્યું કે આ કેસ સાથે સંકળાયેલા વકીલો બદલી દેવામાં આવ્યા છે. જેમાં હું પણ હતો. આ અપમાનજનક છે.’ અત્યાર સુધીમાં લોકસભામાં ૨૮માંથી ૨૦ અને રાજ્યસભામાં ૧૩ માંથી ૩ સાંસદો એટલે કે કુલ ૨૩ સાંસદો છોડીને જઈ ચૂક્યા છે. જ્યારે ૩ જૂને બંગાળના ૮૦માંથી ૫૮ રાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓએ અયોધ્યાના રામ મંદિરમાં આવેલી દાનની રકમમાં કથિત ગડબડ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે હવે ઉત્તર પ્રદેશના ગોંડાના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ સિંહનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે, જાે તેઓ આ મુદ્દે સાચું બોલશે, તો તેઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે. આમાં ઘણા મોટા-મોટા લોકો જાેડાયેલા છે. નોંધનીય છે કે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓએ અયોધ્યાના રામ મંદિરના દાનના કરોડો રૂપિયામાં કથિત ગોટાળાનો આરોપ લગાવ્યો છે. જાેકે, કેન્દ્ર સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
બ્રિજભૂષણ સિંહે કહ્યું કે, “હું બહુ નાનો માણસ છું. આ મુદ્દે હું સાચું બોલી દઈશ તો મોટી મુશ્કેલીમાં ફસાઈ જઈશ. એ લોકો બહુ મોટા છે... હાલ તો આ મુદ્દે સાચું બોલવાની હિંમત મારામાં નથી. પણ જ્યારે સમય આવશે, ત્યારે જરૂર બોલીશ.” આપને જણાવી દઈએ કે, બૃજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશના ગોંડાથી ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમનું આ નિવેદન ઘણું ચોંકાવનારું માનવામાં આવી રહ્યું છે.
અયોધ્યાના રામ મંદિરના દાનપાત્રમાં કથિત ગડબડ થઈ હોવાનો આરોપ લાગ્યા બાદ હવે કેટલાક ભાજપના નેતાઓ પણ તપાસની માંગ કરી રહ્યા છે. ભાજપના નેતા અને પાર્ટીના પ્રવક્તા ડૉ. રજનીશ સિંહે મંગળવારે રામ જન્મભૂમિ મંદિરને મળેલા દાનમાં થયેલી કથિત ગડબડની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની કેન્દ્રીય તપાસની માંગ કરી છે.
Loading ...
