દેશમાં નવા લેબર કોડના અમલીકરણ સાથે નોકરી કરતા લોકો માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે અથવા તેને છૂટો કરવામાં આવે, ત્યારે તેના બાકી નીકળતા પૈસા એટલે કે ‘ફૂલ એન્ડ ફાઇનલ’(સેટલમેન્ટ માટે ૪૫થી ૯૦ દિવસ સુધી રાહ જાેવી પડતી હતી. આ લાંબા વેઇટિંગ પિરિયડને કારણે કર્મચારીઓને ઘરનું ભાડું ભરવામાં કે માસિક ખર્ચ કાઢવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જાેકે, નવા નિયમો મુજબ હવે કંપનીઓએ કર્મચારીના રાજીનામા કે છટણીના માત્ર ૨ વર્કિંગ ડેઝ(કામકાજના બે દિવસ)માં જ તમામ બાકી રકમની ચુકવણી કરવી પડશે. Code on Wages, ૨૦૧૯ હેઠળ અમલમાં આવેલા આ નવા નિયમ મુજબ, જાે કોઈ કર્મચારી સ્વેચ્છાએ નોકરી છોડે, તેને કાઢી મૂકવામાં આવે અથવા કંપની જ બંધ થઈ જાય, તો તે તમામ કિસ્સામાં કંપનીએ બે દિવસમાં જ હિસાબ પૂરો કરવો પડશે. આ સેટલમેન્ટમાં માત્ર છેલ્લા મહિનાનો પગાર જ નહીં, પરંતુ બાકી રહેલી રજાઓના પૈસા(લીવ એનકેશમેન્ટ), પરફોર્મન્સ બોનસ, ઈન્સેન્ટિવ અને ઓફિસના અન્ય ખર્ચના રિઇમ્બર્સમેન્ટનો પણ સમાવેશ થાય છે. જાેકે, જાે કોઈ ટેક્સ કપાત, એડવાન્સ સેલરી કે કંપનીના સામાનની પરત સોંપણી બાકી હોય, તો કંપની તે મુજબ કપાત કરી શકે છે. આ સાથે જ ગ્રેચ્યુટીના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રેચ્યુટી મેળવવા માટે સતત ૫ વર્ષ સુધી નોકરી કરવી ફરજિયાત હતી.
જાે તમે અવારનવાર નેશનલ હાઈવે દ્વારા મુસાફરી કરતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. જે તમારે જાણવા ખુબ જરૂરી છે. સરકારે એક મોટો ર્નિણય લીધો છે જે મુજબ ૧૦મી એપ્રિલથી હવે દેશભરના હાઈવે અને એક્સપ્રેસન ટોલ પ્લાઝાઓ પરથી કેશ પેમેન્ટ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. ફક્ત ડિજિટલ માધ્યમથી ટોલની ચૂકવણી થઈ શકશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન બાદ આ ર્નિણય લેવાયો છે. અત્રે જણાવવાનું કે અગાઉ પણ સરકાર તરફથી કેશમાં અપાતા ટોલ પેમેન્ટને ધીરે ધીરે બંધ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો. હવે આ ફેરફાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. સરકારનો આ ર્નિણય પાછળનો હેતુ ટોલિંગ સિસ્ટમને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાનો છે. ટોલ સિસ્ટમ ડિજિટલ થવાથી ટોલ પ્લાઝાથી પસાર થવાનો સમય પણ ઘટશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( તરફથી સ્પષ્ટ કરાયું છે કે હવે ટોલ પેમેન્ટ માત્ર FASTag ખ્ત અને UPI જેવા ડિજિટલ માધ્યમથી જ કરી શકાશે. દેશભરમાં કુલ ૧૧૫૦થી વધુ ટોલ પ્લાઝા છે જે તમામ પર આ નિયમ લાગૂ કરાશે. જેમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે બંને સામેલ છે. દ્ગૐછૈંના જણાવ્યાં મુજબ ડિજિટલ પેમેન્ટથી ટ્રાફિક સારો થઈ શકશે. જેમાં મુસાફરી કરવામાં સમય ઓછો જશે અને મુસાફરોને સારો અનુભવ પણ થઈ શકશે. નિયમ બદલાયા બાદ ટોલ પ્લાઝા પરથી કેશ કાઉન્ટ હટી જશે.
નાસાના ચાર સભ્યોની ટીમ હાલમાં આર્ટિમેસ-૨ મિશન કરી રહી છે. ટીમે ૨ એપ્રિલે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ઓરિયન કેપ્સ્યુલમાં બેસીને ઉડાન ભરી હતી. આ મિશનમાં ચાંદની આસપાસ ૧૦ દિવસના પ્રવાસ માટે અંતરિક્ષયાત્રીઓ ૧૮૯ અનોખા ખાદ્ય પદાર્થો લઈને ગયા છે. એમાં ૫૮ ટોર્ટિલા, ૪૩ કપ કોફી અને પાંચ અલગ-અલગ હોટ સોસનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોટ સોસ કોઈ અજીબ પસંદગી નથી. આ માત્ર ચટાકેદાર ખાવાની ઇચ્છા માટે પણ નથી. આ એક બાયોલોજિકલ સમસ્યાનું તાત્કાલિક ઉપાય છે, જેને નાસા માનવ અવકાશયાત્રાના ૫૪ વર્ષમાં પણ સંપૂર્ણ રીતે ઉકેલી શક્યું નથી. આ સોસ મેનુમાં કેમ છે તે સમજવા માટે, આપણને માનવ શરીર અને માઇક્રોગ્રેવિટી તેના પર શું અસર કરે છે તે સમજવું પડશે.શરીરને કોઈ કહેતું નથી કે તે પૃથ્વી છોડીને ગયું છે. શરીરને એ ખબર નથી પડતી એ જ સૌથી મોટી સમસ્યા છે. ઝીરો ગ્રેવિટી શરૂ થયા પછીના પહેલા ૬ થી ૧૦ કલાકમાં શરીરના પ્રવાહી જેવા કે લોહી, લિમ્ફ અને કોષો વચ્ચે રહેલું પ્રવાહી ઉપર તરફ ખસવા લાગે છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ આ પ્રવાહીને નીચે રાખે છે, પરંતુ માઇક્રોગ્રેવિટીમાં આ ખેંચાણ ગાયબ થઈ જાય છે અને પ્રવાહી છાતી, ચહેરા અને માથા તરફ ખસે છે. નાક પહેલા અસરગ્રસ્ત થાય છે, પછી સ્વાદ ગાયબ થાય છે. આર્ટિમેસ-૨ના અવકાશયાત્રીઓ માટે આ જ સ્થિતિ દરેક ભોજન સમયે બને છે. ખોરાકની સુગંધ નાક સુધી પહોંચે છે, પણ નાક બંધ હોય છે. જીભ તો કામ કરતી રહે છે, પરંતુ ખોરાકમાં લગભગ કોઈ સ્વાદ લાગતો નથી. આર્ટિમેસ-૨ના મેન્યુમાં પાંચ હોટ સોસ જે છે એ સૌથી પ્રામાણિક પસંદગી છે. આ સોસ એ વસ્તુનો સ્વીકાર છે કે ભોજન ખાવામાં ભોજન જેવું નથી લાગતું, શરીર એને ખાવાનું બંધ કરી દે છે અને એ સમયે આ સોસ કામ આવે છે.
બાબા કેદારના ભક્તો માટે એક તરફ કપાટ ખુલવાની આતુરતા છે, તો બીજી તરફ કુદરત પોતાની અલગ જ રમત રમી રહી છે. હિમાલયના શિખરો પર હવામાન પલટાયું છે અને એપ્રિલ મહિનામાં પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાનો દોર જામ્યો છે. આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જાેતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આગામી ૨૨ એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે. જેના માટે વહીવટીતંત્ર અને બદ્રી-કેદાર મંદિર સમિતિ દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા હતા. જાેકે, છેલ્લા ૨૪ કલાકથી થઈ રહેલી હિમવર્ષાએ શ્રમજીવીની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
શુક્રવારે મોડી રાત્રે ઉત્તર અને પૂર્વ અફઘાનિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે. આ ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીર, હરિયાણા, દિલ્હી-એનસીઆર, હિમાચલ અને પંજાબમાં પણ અનુભવાયા હતા.
આ પ્રદેશ ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય છે, અને તાજેતરના વર્ષોમાં હજારો લોકોના મોત નોંધાયા છે. યુરો-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર અને યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, શુક્રવારના ભૂકંપનું કેન્દ્ર અફઘાન શહેર કુન્દુઝથી લગભગ ૧૫૦ કિલોમીટર (૯૦ માઇલ) પૂર્વમાં હિન્દુ કુશ પર્વતોમાં હતું. કાબુલના ગવર્નરના પ્રવક્તા હફિઝુલ્લાહ બશરતે જણાવ્યું હતું કે રાજધાનીની બહાર એક ઘર તૂટી પડતાં આઠ લોકો માર્યા ગયા હતા અને એક બાળક ઘાયલ થયું હતું. તેમણે કહ્યું કે બધા એક જ પરિવારના સભ્યો હતા. કાબુલ ભૂકંપના કેન્દ્રથી લગભગ ૨૯૦ કિલોમીટર (૧૮૦ માઇલ) દક્ષિણપશ્ચિમમાં છે. ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાંથી નુકસાન કે ઈજાના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. આ વિસ્તાર દૂરસ્થ છે, અને સ્થાનિક અધિકારીઓને કાબુલને માહિતી પહોંચાડવામાં ઘણી વાર ઘણા કલાકો લાગી શકે છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૮૦ કિલોમીટરથી વધુ ઊંડાણમાં હતું, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મોટા ભાગોને હચમચાવી નાખે છે. પાકિસ્તાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ પાકિસ્તાનના ઇસ્લામાબાદ, પેશાવર, ચિત્રાલ, સ્વાત અને શાંગલા શહેરો અને નગરોમાં અનુભવાયો હતો. પાકિસ્તાનમાં તાત્કાલિક કોઈ નુકસાન કે ઈજાના અહેવાલ નથી.
Loading ...
