તેલંગાણા,તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પાશા મેલારામ ઔદ્યોગિક વિસ્તારમાં સોમવારે સવારે એક ભયંકર અકસ્માત થયો. અહીં સ્થિત સીગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં જાેરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી. ફેક્ટરીના રિએક્ટરમાં વિસ્ફોટ થયો, અને થોડી જ વારમાં જ આગ આખી ફેક્ટરીને લપેટમાં લઈ ગઈ. આ અકસ્માતમાં ૧૨ કામદારોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ૩૪ કામદારો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો. કામદારો ભયથી અહીં-ત્યાં દોડવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટને કારણે ઘણા કામદારો ૧૦૦ મીટર દૂર પડી ગયા. આ અકસ્માત આજે સવારે ૯ વાગ્યાની આસપાસ થયો હતો.
ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ૧૦૮ એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ટોનચેરુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલોને હૈદરાબાદ રિફર કરવામાં આવ્યા છે.અકસ્માત બાદ ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ હતી. કાટમાળમાં કામદારો ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૫ કામદારો જીવતા બળી ગયા છે, જાેકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ફેક્ટરી અને આસપાસના વિસ્તારને ખાલી કરાવવાનું શરૂ કર્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ કંપની દવાઓના ઉત્પાદનમાં વપરાતો પાવડર તૈયાર કરે છે. વિવિધ રાજ્યોના ૧૦૦ થી વધુ કામદારો અહીં કામ કરે છે. અકસ્માતના સમાચાર મળતા જ કામદારોના સંબંધીઓ ફેક્ટરીની બહાર ભેગા થઈ ગયા હતા. વહીવટીતંત્રે લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની સલાહ આપી છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત, શહેરનાં મોટા વરાછામાં ચાલતાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન સટ્ટા બેટિંગનાં રૂા. ૯૪૮ કરોડનાં રેકેટનો પર્દાફાશ એસઓજી દ્વારા કરાયો છે. સનરાઇઝ ડેવલપરનાં માલિક ગેવરીયા બંધુઓ સ્ટોક એક્સચેન્જને બાયપાસ કરી કેસ્ટીલો-૯ તથા સ્ટોક ગ્રો વેબસાઇટ થકી ગેરકાયદે સ્ટોક ટ્રેડિંગ તથા બેટફેર.કોમ, નેકસોન એક્સચેન્જ.કોમ, પવનેક્સ, ઇગ્લીશ ૯૯૯ સોફ્ટવેરથી જુદી જુદી રમતો પર સટ્ટો રમાડતા હતાં.
સ્પેશિયલ ઓપરેશન ગૃપનાં ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીનાં આધારે મોટા વરાછામાં લજામણી ચોક પાસે આવેલા મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં સનરાઇઝ ડેવલપર નામની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી માલિક નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરીયા અને તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરીયાની અટકાયત કરાઇ હતી. તેઓ પાસેથી ૧૯ મોબાઇલ અને ૦૪ લેપટોપ કબજે લેવાયા હતાં. જેની તપાસમાં ગેવરીયા બંધુઓ સ્ટોક એક્સચેન્જને બાયપાસ કરી સેબીની પરવાનગી વિના કેસ્ટીલો-૯ તથા સ્ટોક ગ્રો વેબસાઇટ થકી ગેરકાયદે ટ્રેડિંગ કરાવતાં હતાં. ઉપરાંત બેટફેર, નેકસોન એક્સચેન્જ, પવનેક્સ, ઇગ્લીશ ૯૯૯ જેવા સોફ્ટવેરથી રમતો પર સટ્ટો રમાડતા હોવાનું બહાર આવ્યું હતું. ગેવરીયા બંધુઓએ વેબ સોફટરવેર થકી રૂા. ૯૪૩,૩૭,૩૫,૮૦૭ના તેમજ અલગ અલગ બેંક એકાઉન્ટો થકી રૂા. ૪,૬૨,૭૩,૩૯૮ના મળી કુલ ૯,૪૮,૦૦,૦૯,૨૦૬ના નાણાંકીય વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. એસઓજી દ્વારા ગેરવરીયા બંધુ તથા સોફ્ટવેર ડેવલપર, એકાઉન્ટ ઓપરેટર, ૬ ટેલીકોલર મળી કુલ આઠની ધરપકડ કરાઇ છે.
સેબી એક્ટ હેઠળ ગુનો નોંધી રીમાન્ડ માગવામાં એસઓજી ગોથું ખાઇ ગઇ
ગેવરીયા બંધુઓ દ્વારા ચલાવાતા ડબ્બા ટ્રેડિંગના રેકેટમાં એસઓજી દ્વારા ઉત્રાણ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા એકટ-૨૦૨૩ની કલમ. ૩૩૮, ૩૧૮(૪), ૩(૫), ૬૧(૨) મુજબ. તથા સિકયુરીટી કોન્ટ્રા કટ રેગ્યુનલેશન એકટ ૧૯૫૬ની કલમ ૨૩(૧)ઈ, હ્લ, ય્, ૐ, ૈં તથા ૨૩ છ, હ્લ તથા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા એકટ ૧૯૯૨ની કલમ ૧૫(એચ)એ મુજબ ગુનો નોંધાવાયો હતો. પોલીસે ઝડપાયેલા આઠેય જણાને સુરતના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. પોલીસે રીમાન્ડ માટે ઉત્સાહ ભેર ૧૫ એક મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. જાે કે, આરોપીઓ તરફે એડવોકેટ ઝફર બેલાવાલાએ એઓજીએ ખોટી રીતે ગુનો દાખલ કર્યાની દલીલ કરતાં મામલો ગરમાયો હતો. બેલાવાલાએ એવી રજૂઆત કરી હતી કે, પોલીસે સેબી એક્ટ અન્વયે ગુનો નોંધવો હોય તો પહેલા એ કેન્દ્રિય એજન્સીની પરવાનગી લેવાની રહે છે. ઉપરાંત સેબી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓને જ્યુડીશ્યલ કોર્ટ નહીં પરંતુ સેબીની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવાના રહે છે. આ દલીલને પગલે પોલીસ માથું ખંજવાળતી રહી તો કોર્ટ પણ વિમાસણમાં મૂકાઇ હતી. ત્યારબાદ કોર્ટે હકીકતથી માહિતગાર થઇ અને આરોપીઓને સેબી કોર્ટમાં રજુ કરવા સૂચન કર્યું હતું. જાે કે પોલીસે ધરપકડ કર્યાને ૨૪ કલાક થઇ ગયા હતા, વળી સેબીની સ્પેશિયલ કોર્ટ અમદાવાદના મિરઝાપુરમાં હોય આરોપીઓને તાત્કાલિક ત્યાં રજુ કરી શકાય એમ ન હોવાથી એસઓજીએ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે એક દિવસનો ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ આપતાં હવે એસઓજી આવતી કાલે આરોપીઓને અમદાવાદ લઇ જઇ સેબી કોર્ટમાં રજુ કરી તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવશે એવું જાણવા મળ્યું છે.
સોફ્ટવેર બનાવી મેઇન્ટેઇન કરનારાને માસિક ૮૦ હજાર પગાર અને કમિશન
ગેવરીયા બંધુઓ દ્વારા શેરસટ્ટાનું જે રેકેટ ચલાવાતું એ સોફ્ટવેર અને વેબસાઇટ આધારિત હતું. ભાવેશ કિહલા અને બકુલ મગન તરસરીયા એ આ સોફ્ટવેર અને વેબસાઇટ બનાવી હતી. એટલું જ નહીં તેઓ સમય અનુસાર તેમાં સુધારા વધારા તથા મેન્ટેનન્સનું કામ પણ જાેતા હતાં. આ માટે તેઓને મહિને ૮૦,૦૦૦ રૂપિયા જેટલો પગાર ઉપરાંત કમિશન પણ આપવામાં આવતું હતું. શેર સટ્ટાનો તમામ ડેટા ક્લાઉડ સ્ટોરેજમાં રાખવા તથા ગ્રાહકો અને નાણાંકીય વ્યવહારોનાં ડિજિટલ રેકર્ડ મેઇન્ટેનન્સનું કામ પણ આ બંને જણા કરતા હતાં. ગેવરીયા બંધુઓએ ઉભા કરેલા સામ્રાજ્યમાં આ બંને કી પર્સન હોવાથી તેમની તપાસ તેમના કેન્દ્રિત બની છે. તેઓ પાસેથી ઘણી માહિતી મળવાની શક્યતા પણ એસઓજીએ વ્યક્ત કરી છે.
વિદેશમાં વસતાં નોન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) દ્વારા ભારતમાં મોકલવામાં આવતું રેમિટન્સ (વિદેશથી મોકલાતા નાણાં) રેકોર્ડ સ્તરે વધ્યું છે. ગયા નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં કુલ **135.46 અબજ ડૉલર (અંદાજે ₹11.60 લાખ કરોડ)**નું રેમિટન્સ મોકલવામાં આવ્યું છે. આ NRI દ્વારા ભારતમાં મોકલવામાં આવેલા નાણાં પ્રવાહની અત્યાર સુધીની રેકોર્ડ ટોચ છે. છેલ્લા એક દાયકામાં વૈશ્વિક સ્તરે ભારતમાં રેમિટન્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
RBI દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા બેલેન્સ ઑફ પેમેન્ટ્સના આંકડાઓ અનુસાર, NRI દ્વારા મોકલવામાં આવતા રેમિટન્સનું પ્રમાણ ગતવર્ષે 14 ટકા વધ્યું છે. આ આંકડો એક દાયકા પહેલા 2016-17માં નોંધાયેલા 61 અબજ ડૉલરની તુલનાએ લગભગ બમણાથી પણ વધુ છે, જે ભારતીય ડાયસ્પોરાના દેશ પ્રત્યેના મજબૂત યોગદાનને દર્શાવે છે.
RBIના આંકડાઓ અનુસાર, 31 માર્ચના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં કુલ ચાલુ ખાતામાં રોકાણ પ્રવાહ કુલ 1 લાખ કરોડ ડૉલર નોંધાયો હતો. જેમાં રેમિટન્સનો હિસ્સો નોંધપાત્ર રીતે 10 ટકા રહ્યો હતો.
છેલ્લા પાંચ વર્ષના આંકડા (અબજ ડૉલરમાં)
વર્ષ રેમિટન્સ
2020-21 80.18
2021-22 89.13
2022-23 112.47
2023-24 118.71
2024-25 135.46
વેપાર ખાધ ઘટાડવામાં રેમિટન્સનું મહત્વ
RBIના સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં મળતું રેમિટન્સ સામાન્ય રીતે ભારતના FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) રોકાણ કરતાં પણ વધુ રહ્યું છે. રેમિટન્સ એ બાહ્ય ફંડિંગ રૂપે એક સ્થિર સ્રોત રહ્યું છે. આ રેમિટન્સ ભારતની વેપાર ખાધ ઘટાડવામાં અત્યંત મદદરૂપ બને છે. દેશની કુલ 287 અબજ ડૉલરની વેપાર ખાધનો 47 ટકા હિસ્સો રેમિટન્સમાંથી મળ્યો હતો, જે તેની આર્થિક અગત્યતા દર્શાવે છે.
રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અવ્વલ
વર્લ્ડ બેંકના આંકડાઓ અનુસાર, વૈશ્વિક સ્તરે 2024માં રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અગ્રણી રહ્યું છે. મેક્સિકો 68 અબજ ડૉલર સાથે બીજા ક્રમે અને ચીન 48 અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે, ભારતનો મોટાભાગનો કુશળ કામદાર વર્ગ અમેરિકા, યુકે, અને સિંગાપોર જેવા વિકસિત દેશોમાં સ્થાયી થઈ રહ્યો છે, જે ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.
આગામી છ મહિના સુધી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહેશે: રિપોર્ટ
ફુગાવાના આ સમયગાળામાં ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. HSBC ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર, આગામી મહિનાઓમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો નિયંત્રણમાં રહી શકે છે. અનુકૂળ હવામાન અને છેલ્લા ત્રણ વર્ષથી સારા અનાજ ઉત્પાદનને કારણે, આગામી છ મહિનામાં સરેરાશ ખાદ્ય ફુગાવો 2.5 ટકાની આસપાસ રહી શકે છે. આ પરિબળો લાંબા ગાળે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવને સ્થિર કરવામાં મદદ કરશે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતીય રૂપિયાની મજબૂતાઈ, વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવમાં ઘટાડો, ચીનથી આવતા ફુગાવા પર અસર અને ગયા વર્ષ કરતા થોડી ધીમી વૃદ્ધિ જેવા કારણોસર મુખ્ય ફુગાવો (Core Inflation) પણ નિયંત્રણમાં રહેવાની અપેક્ષા છે. આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા, એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ 2026 માં સરેરાશ ફુગાવાનો દર 3.2 ટકા હોઈ શકે છે, જે સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ ગણાશે.
અનાજ પુષ્કળ પ્રમાણમાં, સકારાત્મક ચોમાસુ અને વાવણી
• અનાજનો પૂરતો સ્ટોક: દેશના અનાજના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2025 સારું રહ્યું છે. આ સમય દરમિયાન અનાજનું ઉત્પાદન સારું રહ્યું હોવાથી પૂરતો સ્ટોક બનાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ સ્ટોક આગામી સમયમાં અનાજના ભાવને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
• ચોમાસાનું સકારાત્મક વલણ: હાલમાં ચોમાસાનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. અત્યાર સુધી વરસાદનું સ્તર સામાન્ય કરતા 9 ટકા વધુ છે, જે છેલ્લા ત્રણ વર્ષ કરતા ઘણું સારું છે. સૌથી વધુ વરસાદ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં પડ્યો છે. IMDનો એવો પણ અંદાજ છે કે આગામી દિવસોમાં દેશભરમાં સારો વરસાદ પડશે.
• જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો: રિપોર્ટમાં જણાવાયું છે કે સારો વરસાદ માત્ર ઉનાળાની વાવણી માટે જ નહીં, પરંતુ જળાશયો ભરવા માટે પણ જરૂરી છે. વરસાદ બંધ થવાના કિસ્સામાં જળાશયોમાં ભરેલું પાણી શિયાળાની વાવણીમાં સિંચાઈ માટે મદદરૂપ થાય છે. હાલમાં, દેશના જળાશયોનું પાણીનું સ્તર ગયા વર્ષ કરતાં સારું જ નથી, પરંતુ સામાન્ય સ્તરથી પણ ઉપર છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં જળાશયોની સ્થિતિ વધુ સારી છે.
• વાવણીમાં વૃદ્ધિ: રિપોર્ટ મુજબ, અત્યાર સુધી વાવણીની સ્થિતિ પણ સારી દેખાઈ રહી છે. 20 જૂન સુધી લગભગ 1.4 કરોડ હેક્ટર જમીન પર વાવણી થઈ છે, જે ગયા વર્ષ કરતાં 10 ટકા વધુ છે. ખાસ વાત એ છે કે ચોખા, કઠોળ અને અન્ય અનાજની વાવણીનો વ્યાપ વધ્યો છે. જોકે, તેલીબિયાંની વાવણી હજુ પણ થોડી નબળી છે.
કૃષિ મજૂરી અને ગ્રામીણ વપરાશને ટેકો
રિપોર્ટમાં જણાવાયું છે કે વાવણીની સારી ગતિની અસર ખેતમજૂરોની માંગ અને તેમની કમાણી પર પણ દેખાઈ રહી છે. એપ્રિલમાં, કૃષિ મજૂરીમાં નજીવી વૃદ્ધિ 8 ટકા હતી, જે પહેલા 6.5 ટકા હતી. આ સાથે, ફુગાવામાં ઘટાડો થવાને કારણે, વાસ્તવિક વેતન પણ વધી રહ્યું છે. આગામી મહિનાઓમાં ગ્રામીણ વપરાશને આનો લાભ મળી શકે છે, જે અર્થતંત્રને વધુ વેગ આપશે.
ઇઝરાયલની પ્રસિદ્ધ એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમની જેમ જ, હવે જર્મની પણ 'સાયબર ડોમ' બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જર્મન ગૃહ પ્રધાન એલેક્ઝાન્ડર ડોબ્રિન્ડ્ટે રવિવારે જાહેરાત કરી હતી કે જર્મની ઇઝરાયલ સાથે મળીને એક સાયબર સંશોધન કેન્દ્ર સ્થાપશે, જેનું નામ 'સાયબર ડોમ' રાખવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે સાયબર સંરક્ષણમાં સહયોગને વધુ મજબૂત કરવાનો છે.
'સાયબર ડોમ' એ ઇઝરાયલના આયર્ન ડોમ પર આધારિત એક વ્યૂહાત્મક સાયબર-સંરક્ષણ પહેલ છે, પરંતુ તે ડિજિટલ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જર્મનીના આ પ્રસ્તાવિત સાયબર ડોમનો હેતુ દેશના રાષ્ટ્રીય માળખાને વધતા ડિજિટલ જોખમો, ખાસ કરીને રાજ્ય-સમર્થિત સાયબર હુમલાખોરોથી બચાવવા માટે એક મજબૂત, બહુ-સ્તરીય સાયબર કવચ બનાવવાનો છે.
જર્મનીએ ઇઝરાયલ સાથે સાયબર સહયોગ વધારવાનો નિર્ણય તાજેતરના યુદ્ધ દરમિયાન ઇઝરાયલી સાયબર ક્ષમતાઓની અસરકારકતાને કારણે લીધો છે. તાજેતરના સંઘર્ષમાં, ઇઝરાયલે મોટા ઇરાની સાયબર હુમલાઓને નિષ્ફળ બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, જેણે જર્મનીને પ્રભાવિત કર્યું હતું.
જર્મન અખબાર 'બિલ્ડ' અનુસાર, ગૃહ પ્રધાન ડોબ્રિન્ડ્ટે જર્મનીની સાયબર સંરક્ષણ વ્યૂહરચનાને પ્રોત્સાહન આપવા માટે "સાયબર ડોમ" સ્થાપિત કરવા માટે પાંચ-મુદ્દાની યોજનાની રૂપરેખા આપી છે:
1. ગુપ્તચર સેવાઓ વચ્ચે સહયોગ મજબૂત બનાવવો: જર્મનીની ગુપ્તચર એજન્સી BND અને ઇઝરાયલની મોસાદ સહિત સુરક્ષા દળો વચ્ચે સહયોગ વધારવો.
2. સંયુક્ત સાયબર સુરક્ષા સંશોધન કેન્દ્ર: જર્મન-ઇઝરાયલી સાયબર સુરક્ષા સંશોધન માટે એક કેન્દ્ર બનાવવું.
3. સાયબર સંરક્ષણ સહયોગ: બંને દેશોએ સાયબર સંરક્ષણમાં સહયોગને વધુ મજબૂત બનાવવો.
4. ડ્રોન સંરક્ષણ ક્ષમતાઓ વધારવી: જર્મનીએ તેની ડ્રોન વિરોધી સંરક્ષણ ક્ષમતાઓનો વિસ્તાર કરવો.
5. નાગરિક સુરક્ષા અને ચેતવણી પ્રણાલી: ઇઝરાયલે ઇરાન સાથેના 12 દિવસના યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લીધેલા નાગરિક આશ્રય અને કટોકટી ચેતવણી પ્રણાલી વિકસાવવી.
આ યોજનાઓ દ્વારા, જર્મની તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવા અને ભવિષ્યના સાયબર હુમલાઓ સામે મજબૂત સંરક્ષણ પ્રણાલી વિકસાવવા માંગે છે.
Loading ...