નવી દિલ્હી,અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના સહાયક અને વિશ્વાસુ સર્જિયો ગોરને ભારતમાં અમેરિકન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તેમને દક્ષિણ અને મધ્ય એશિયાની અમેરિકન ખાસ રાજદૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. આ એ જ વ્યક્તિ છે જેમણે ટ્રમ્પ અને ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્ક વચ્ચે ઝઘડો કરાવ્યો હતો. એમના જ કારણે ટ્રમ્પ વહીવટીતંત્રથી મસ્કે રાજીનામું આપવું પડ્યું હતું.
જૂન ૨૦૨૫માં ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં સર્જિયો ગોરને ‘સાપ’ કહ્યા હતા. એક ન્યૂઝ અખબારના રિપોર્ટના જવાબમાં તેમણે આ હુમલો કર્યો હતો, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોરે પોતાની કાયમી સુરક્ષા મંજૂરી માટે જરૂરી લેખિત સુરક્ષા મંજૂરી નથી લીધી. તમને જણાવી દઈએ કે, તે સમયે ગોર વ્હાઈટ હાઉસના ‘પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસ‘ના ડિરેક્ટર તરીકે હજારો એક્ઝિક્યુટિવ બ્રાન્ચ કર્મચારીઓની તપાસનું નિરીક્ષણ કરતા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની ઉચ્ચ-સ્તરીય તપાસ જવાબદારીઓ હોવા છતાં વચગાળાની મંજૂરી હેઠળ કામ કરી રહ્યા હતા. જાે કે, વ્હાઈટ હાઉસે આ દાવાઓનું સખત ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે ગોરે તમામ જરૂરી પગલાં લીધા હતા અને તેમની મંજૂરી સક્રિય હતી.
કેબિનેટ બેઠકોમાં બંને વચ્ચે ઘર્ષણ જાેવા મળ્યુ હતું. એક અહેવાલ પ્રમાણે મસ્ક અને ગોર વચ્ચે કેબિનેટ બેઠકો સહિત અનેક વખત ઉગ્ર દલીલો થઈ હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મસ્કે સ્ટાફ નિમણૂકોને લઈને અસહમતિ પર ગોરને ઠપકો પણ આપ્યો હતો.
નવી દિલ્હી,અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ દેસાઈએ ઈસરો માટે ‘વિઝન ૨૦૪૭’નો રોડમેપ રજૂ કર્યો, જેમાં આગામી ૧૫ વર્ષમાં એટલે કે ૨૦૪૦ સુધીમાં દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે ૧૦૦થી વધુ ઉપગ્રહોના પ્રક્ષેપણની યોજના રજૂ કરી છે. આમાં મોટાભાગના ઉપગ્રહો પૃથ્વી અવલોકન માટે હશે, જે જમીન, મહાસાગર અને વાયુમંડળના પ્રયોગો માટે ઉપયોગમાં લેવાશે.
નીલેશ દેસાઈએ જણાવ્યું કે, આ લક્ષ્ય ભલે મોટો લાગે, પરંતુ તે દર વર્ષે ફક્ત ૭-૮ મિશન છે, જે ઈસરોના હાલના ચંદ્રયાન કે ગગનયાન જેવા મિશનો ઉપરાંત પણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. અત્યાર સુધી ઈસરો વાર્ષિક ૫-૬ મિશન કરતું આવ્યું છે, જેમાંથી ૨૦૧૬માં મહત્તમ ૯ મિશન કર્યા હતા.
ઈસરોના અધ્યક્ષ વી. નારાયણનએ કહ્યું કે, અંતરિક્ષ ક્ષેત્રમાં બદલાવ આવી રહ્યો છે અને દેશની જરૂરિયાતો મુજબ ઈસરોએ પોતાની ગતિ વધારવી પડશે. આ માટે ઈસરો ખાનગી અંતરિક્ષ કંપનીઓ પર ર્નિભર છે, જે હાલમાં ભારતમાં ૩૫૦થી વધુ છે અને નવીન પરિયોજનાઓ પર કામ કરી રહી છે. વી. નારાયણનએ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં ઝડપી સ્વદેશીકરણ પર પણ ભાર મૂક્યો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, નેવિગેશન સિસ્ટમ માટે વપરાતી એટોમિક ક્લોક જેવી મહત્ત્વની વસ્તુઓ હજુ પણ આયાત કરવી પડે છે, જેનું ઉત્પાદન ભારતમાં વધારવું પડશે.
રોડમેપમાં ભવિષ્યના મિશનોનો પણ સમાવેશ થાય છે. ચંદ્રયાન-૪ અને ૫ (૨૦૨૭-૨૮ સુધીમાં) નમૂના પાછા લાવવાના મિશન છે, જ્યારે ૨૦૪૦માં ચંદ્ર પર ક્રૂ મિશન પહેલાં ચંદ્રયાન-૬, ૭ અને ૮ પણ મોકલવામાં આવશે. આ ઉપરાંત, ભારતનું પ્રથમ મંગળ લેન્ડર મિશન પણ આ રોડમેપમાં સામેલ છે.
ઈસરો આગામી ૧૫ વર્ષમાં જે ૧૦૦ થી વધુ ઉપગ્રહોના પ્રક્ષેપણની યોજના બનાવી રહ્યું છે, તેમાંથી મોટાભાગના પૃથ્વી-અવલોકન ઉપગ્રહ હશે. તેમાંથી લગભગ ૮૦ ફક્ત જમીન-આધારિત પ્રયોગો માટે હશે, જ્યારે અન્ય મહાસાગર અને વાયુમંડળના પ્રયોગોને શક્ય બનાવશે. આ દરમિયાન, ઈસરો ૧૬ ટેકનોલોજી પ્રદર્શન મિશનોની પણ યોજના બનાવી રહ્યું છે, જે તેની નવી અને વધતી ક્ષમતાઓને દર્શાવશે.
નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદને કારણે ભારતે એક મોટો અને કડક ર્નિણય લીધો છે. ભારતીય ટપાલ વિભાગે ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫થી અમેરિકા માટેની મોટાભાગની ટપાલ સેવાઓ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. અમેરિકા દ્વારા ૮૦૦ ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટી માફી ખતમ કરવાના નવા ફરમાનના પગલે ભારતે આ પગલું ભરવાની ફરજ પડી છે.
ગયા મહિને, ૩૦ જુલાઈના રોજ, ટ્રમ્પ સરકારે એક મોટી જાહેરાત કરી હતી કે હવેથી ૮૦૦ ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટીમાં મળતી છૂટ ખતમ કરવામાં આવે છે. આ નિયમ ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫થી લાગુ થવાનો છે. આનો સીધો અર્થ એ છે કે હવે ભારતથી અમેરિકા જતાં કોઈપણ પાર્સલ પર કસ્ટમ ડ્યુટી લાગશે.
અમેરિકાના આ નવા નિયમોમાં કેટલીક અસ્પષ્ટતા પણ છે. નવા નિયમ મુજબ ટપાલ દ્વારા અમેરિકા આવતા પાર્સલ પર ડ્યુટી જમા કરાવવાની રહેશે, પરંતુ આ કલેક્શન સિસ્ટમ કેવી હશે તે અંગે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. આ અસમંજસને કારણે ભારતીય ટપાલ વિભાગે ૨૫ ઓગસ્ટથી અમેરિકા માટે પાર્સલ અને ટપાલ સ્વીકારવાનું બંધ કરી દીધું છે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતીય પોસ્ટ વિભાગે ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫થી અમેરિકા માટેની પોસ્ટલ સેવાઓ પર રોક લગાવી છે. જેમાં પાર્સલ સેવા મુખ્ય છે. જાેકે, ૧૦૦ ડોલર સુધીની ગિફ્ટ આઈટમ, લેટર અને ડોક્યુમેન્ટ મોકલી શકાશે. ઉલ્લેખનીય છેકે, ગત તા. ૩૦ જુલાઈના રોજ અમેરિકા દ્વારા ૮૦૦ ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટી માફી બંધ કરવાનું ફરમાન આપવામાં આવ્યું હતું. જે આગામી તા. ૨૯મી ઓગસ્ટથી લાગુ થનાર છે. જે પહેલા ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા સેવા બંધ કરવાની જાહેરાત કરાઈ છે. ભારતીય પોસ્ટ વિભાગે જણાવ્યું હતું કે, અમેરિકા જતાં એર કેરિયર્સે ૨૫ ઓગસ્ટથી ટપાલનો સામાન સ્વીકારવાની ના પાડી છે, જેના કારણે આ ર્નિણય લેવો પડ્યો છે.
આ ટેરિફ વિવાદની સાથે જ ભારત અને અમેરિકાના સંબંધોમાં એક તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ જાેવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં મધ્યસ્થી થવાનો અને સીઝફાયરનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત, રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી હતી.
ત્યારે સમગ્ર મામલે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે સંઘર્ષના મુદ્દે ભારતે ૧૯૭૦થી અત્યાર સુધી આશરે ૫૦ વર્ષમાં કોઈ પણ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર વખતે અમેરિકા જ નહીં, અન્ય દેશોએ પણ ફોન કર્યો હતો, આ કોઈ ગુપ્ત વાત નથી, પણ કોઈ મધ્યસ્થી થવાનો દાવો કરે તો તે ખોટું છે.
ખેડૂતો અને ઉત્પાદકો મામલે કોઈ બાંધછોડ નહીં
જયશંકરે કહ્યું હતું કે, અમે ક્યારેય આવા અમેરિકન પ્રમુખ નથી જાેયા જે વિદેશનીતિ સાર્વજનિક રૂપે સંચાલિત કરતાં હોય. આ બદલાવ માત્ર ભારત માટે જ નથી. ટ્રમ્પની દુનિયાના દેશો સાથે વ્યવહાર કરવાની પરંપરાગત રીત નથી. હું ઉદાહરણ સાથે સમજાવું તો ગેરવેપાર મુદ્દે ટેરિફ લગાવવા યોગ્ય નથી. ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વાટાઘાટો ચાલુ જ છે. પણ ભારતની કેટલીક રેડ લાઈન્સ છે. અમે ખેડૂતો અને નાના ઉત્પાદકોના મામલે કોઈ બાંધછોડ આપી શકીએ નહીં. રશિયાથી ઓઈલ ખરીદવા મામલે તેમણે કહ્યું કે, જાે તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નવા પ્રસ્તાવમાં ફર્નિચરની આયાત પર ટેરિફ (જકાત) લાદવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી ૫૦ દિવસમાં આ અંગેની તપાસ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ અન્ય દેશોમાંથી અમેરિકામાં આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી લાદવી તે નક્કી કરવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગને ફરીથી મજબૂત બનાવશે અને ઉત્પાદન દેશની અંદર પાછું લાવશે.
ટેરિફ લાદવા પાછળનું કારણ
ટ્રમ્પે આ પ્રસ્તાવ પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, અમેરિકાના ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના અને મિશિગન જેવા રાજ્યો એક સમયે ફર્નિચર ઉદ્યોગના મોટા કેન્દ્રો હતા. પરંતુ, વિદેશમાં સસ્તા મજૂર અને ઓછા ઉત્પાદન ખર્ચને કારણે મોટાભાગની કંપનીઓએ પોતાનું કામ વિદેશમાં ખસેડી દીધું. ટ્રમ્પના મતે, નવા ટેરિફ કંપનીઓને ફરીથી અમેરિકામાં ઉત્પાદન શરૂ કરવા માટે મજબૂર કરશે.
આ જાહેરાતની તાત્કાલિક અસર યુએસ શેરબજારમાં જોવા મળી. વિદેશથી ફર્નિચર આયાત કરતી વેફેર અને આરએચ જેવી કંપનીઓના શેર ઘટ્યા, જ્યારે અમેરિકામાં જ ઉત્પાદન કરતી લા-ઝેડ-બોય જેવી કંપનીઓના શેરમાં વધારો થયો.
ભારત પર શું અસર થશે?
ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતની અસર ભારત પર પણ થઈ શકે છે, કારણ કે ભારત મોટા પ્રમાણમાં ફર્નિચરની નિકાસ અમેરિકામાં કરે છે. જો આ ટેરિફ લાગુ થશે તો ભારતીય ફર્નિચર અમેરિકાના બજારમાં મોંઘું બનશે, જેના કારણે નિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
હાલમાં અમેરિકન વાણિજ્ય વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે, જે ટ્રેડ એક્સપાન્શન એક્ટ, ૧૯૬૨ની કલમ ૨૩૨ હેઠળ કરવામાં આવી રહી છે. આ કાયદો રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાતા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.
ટ્રમ્પની આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય માત્ર ફર્નિચર ઉદ્યોગ પૂરતો મર્યાદિત નથી. તેઓ કોપર, સેમિકન્ડક્ટર અને દવાઓ જેવા અન્ય ઉત્પાદનો પર પણ ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છે. આ બધા પગલાંનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વિદેશી નિર્ભરતા ઘટાડવા અને અમેરિકામાં રોજગાર પાછો લાવવાનો છે.
દેશના રાજકારણના ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા નેતાઓ વિશે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ચૂંટણી સુધારા સાથે સંકળાયેલી સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશના વર્તમાન ૩૦ મુખ્યમંત્રીઓમાંથી ૧૨ (૪૦%) મુખ્યમંત્રીઓએ તેમની સામે ફોજદારી કેસોની જાહેરાત કરી છે. આ રિપોર્ટ મુખ્યમંત્રીઓ દ્વારા છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામાના વિશ્લેષણ પર આધારિત છે.
ગંભીર ગુનાહિત કેસો અને ટોચના મુખ્યમંત્રીઓ
ADRના રિપોર્ટમાં વધુ એક ગંભીર ખુલાસો થયો છે કે, ૩૦માંથી ૧૦ (૩૩%) મુખ્યમંત્રીઓ પર હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ગુનાહિત ધમકી જેવા ગંભીર આરોપો પણ નોંધાયેલા છે. આ આંકડાઓ રાજકારણના શુદ્ધિકરણ માટે ચાલી રહેલા પ્રયાસો પર પ્રશ્ન ઊભા કરે છે.
સૌથી વધુ ગુનાહિત કેસો ધરાવતા મુખ્યમંત્રીઓમાં તેલંગાણાના રેવંત રેડ્ડી સામે સૌથી વધુ ૮૯ ફોજદારી કેસ નોંધાયેલા છે. જ્યારે તમિલનાડુના એમ.કે. સ્ટાલિન ૪૭ કેસ સાથે બીજા સ્થાને અને ૧૯ કેસ સાથે આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ ત્રીજા સ્થાને છે.
અન્ય મુખ્યમંત્રીઓ પરના કેસ
આ સિવાય અન્ય કેટલાક મુખ્યમંત્રીઓ પર પણ ફોજદારી કેસો નોંધાયેલા છે, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ૧૩ કેસ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર ૫ કેસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ૪ કેસ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ પર ૪ કેસ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર ૨ કેસ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર ૧ કેસ છે.
નવા બિલ અને લોકશાહીની ચિંતા
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે ૩ નવા બિલ રજૂ કર્યા છે, જેમાં એક જોગવાઈ એવી છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીને કોઈ ગંભીર ગુનાહિત કેસમાં ૩૦ દિવસ માટે ધરપકડ કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે. ADRનો આ રિપોર્ટ દર્શાવે છે કે દેશના ટોચના નેતૃત્વમાં પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની હાજરી છે, જે લોકશાહીની પારદર્શિતા અને શાસન વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
Loading ...