નવીદિલ્હી,ભૌતિકશાસ્ત્રમાં ૨૦૨૫નો નોબેલ પુરસ્કાર જાેન ક્લાર્ક, મિશેલ એચ ડેવોરેટ અને જ્હોન એમ માર્ટિનિસને આપવાની જાહેરાત કરાઈ છે. ઇલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જી ક્વોન્ટિસેશન શોધ બદલ તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.
રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે પુરસ્કારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વિજેતાઓએ સંખ્યાબંધ પ્રયોગો કરીને સાબિત કર્યું હતું કે ક્વોન્ટમ વર્લ્ડના વિચિત્ર ગુણધર્મો હાથમાં પકડી શકાય તેટલી મોટી સિસ્ટમમાં કોંક્રિટ બનાવી શકે છે. તેઓએ એ પણ દર્શાવ્યું કે ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા સિસ્ટમ ચોક્કસ કદના ડોઝમાં ઊર્જા શોષી લે છે અને ઉત્સર્જિત કરે છે.હોપફિલ્ડે એક એસોસિએટેડ મેમરીબનાવી હતી.જે ડેટામાં છબીઓ અને અન્ય પેટર્નને સંગ્રહિત અને રિસ્ટોર કરી શકે છે, જ્યારે હિન્ટને એક પદ્ધતિની શોધ કરી હતી જે ડેટામાં ગુણધર્મોને આપમેળે શોધી શકે છે, જેનાથી તે છબીઓમાં ચોક્કસ તત્વોને ઓળખવા સક્ષમ બને છે.
નવી દિલ્હી, સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) બી.આર. ગવઈ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. સીજેઆઈના નેતૃત્વવાળી બેન્ચ વકીલો દ્વારા મામલાનો ઉલ્લેખ કરવા પર સુનાવણી કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ વકીલ મંચ પાસે ગયો અને પોતાનું જૂતું કાઢીને જજ પર ફેંકવાની કોશિશ કરી હતી. જાે કે કોર્ટમાં હાજર સુરક્ષાકર્મીઓએ સમયસર હસ્તક્ષેપ કર્યો અને વકીલને પકડી લીધો હતો. બહાર જતી વખતે વકીલ એ કહેતો સંભળાયો હતો કે સનાતનનું અપમાન સહન નહીં કરીએ. જાેકે, સીજેઆઇએ કોર્ટમાં હાજર વકીલોને પોતાની દલીલો ચાલુ રાખવા જણાવ્યું અને કહ્યું કે આ બધી વાતોથી વિચલિત ન થાઓ. આપણે વિચલિત નથી. આ બધી વાતો મને પ્રભાવિત કરતી નથી. સીજેઆઇ ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ કરનારા આરોપીને અટકમાં લેવાયો છે. આરોપી પોતે એક વકીલ છે. આરોપીનું નામ રાકેશ કિશોર છે. જૂતું ફેંકવાની કોશિશ પહેલા વકીલે બૂમો પાડતા કહ્યું કે સનાતનનું અપમાન નહીં ચાલે. સુપ્રીમ કોર્ટમાં નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ માહલા સાથે સુપ્રીમ કોર્ટ સિક્યુરિટીના ડીસીપી પણ ઘટનાસ્થળે હાજર હતા.
આ ઘટના પાછળ ચર્ચા છે કે કદાચ ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી માથું કપાયેલી મૂર્તિની પુર્નસ્થાપના સંલગ્ન એક મામલામાં મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીની અસર હોય શકે છે. જેમાં સીજેઆઈએ તે મામલાને ફગાવતા કહ્યું હતું કે જાઓ અને ભગવાનને જ કઈ કરવા માટે કહો. તમે કહેતા હોવ કે તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત હોવ તો જાઓ અને હાલ પ્રાર્થના કરો. આ એક પુરાતત્વ સ્થળ છે અને એએસઆઈએ મંજૂરી વગેરે આપવું પડશે. ત્યારબાદ આ ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો હતો અને અનેક લોકોએ મુખ્ય ન્યાયાધીશ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવ્યો હતો.
જયપુર,જયપુરની સૌથી મોટી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. કુલ ૨૪ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ટ્રોમા સેન્ટર અને હોસ્પિટલના આઇસીયુનો સમાવેશ થાય છે. આગ લાગતાની સાથે જ દર્દીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. ૧૧ દર્દીઓની હાલત બગડી હતી અને તેમાંથી ૮ દર્દીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સૂત્રોના જણાવ્યાં મુજબ,મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ટ્રોમા સેન્ટરના બીજા માળે આવેલા ન્યૂરો આઇસીયુ વોર્ડના સ્ટોરમાં બની હતી. રાત્રે ૧૧:૨૦ વાગ્યે શોર્ટ સર્કિટના કારણે સ્ટોરમાં આગ લાગી હતી, જેના કારણે સ્ટોરમાં સંગ્રહિત કાગળો, આઇસીયુ પુરવઠો અને બ્લડ સેમ્પલર ટ્યુબ સળગી ગયા હતા. ત્યારબાદ ઝેરી ધુમાડાથી આઇસીયુ ભરાઈ ગયું હતું. ટ્રોમા સેન્ટર અને હોસ્પિટલના આઇસીયુમાં કુલ ૨૪ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બધાને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ દર્દીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. ૧૧ દર્દીઓની હાલત નોંધપાત્ર રીતે બગડી હતી, જેમાંથી ૮ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય ૩ની હાલત ગંભીર છે. આગ એટલી ગંભીર હતી કે આખો વોર્ડ રાખ થઈ ગયો હતો. અત્યાર સુધીમાં નોંધાયેલા ૮ મૃત્યુમાંથી ત્રણ ભરતપુરના, બે જયપુરના અને એક સિકરના છે. આ બધા દર્દીઓ આઇસીયુમાં દાખલ હતા. આઈસીયુમાં દાખલ દર્દીઓના પરિવારોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પીડિતોના પરિવારોનું કહેવું છે કે ધુમાડો ફેલાતાની સાથે જ વોર્ડ બોય અને અન્ય સ્ટાફ સભ્યો ગાયબ થઈ ગયા. લાંબા સમય સુધી દર્દીઓને બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પરિવારોએ પોતે જ દર્દીઓને બચાવ્યા, પરંતુ તેમાંથી ૮ લોકોનાં મોત થયા હતા.
નવી દિલ્હી, ભારતના ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો માટેની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ર્નિણય ભાજપ અને આરજેડી સહિત રાજ્યના મુખ્ય પક્ષો દ્વારા કરાયેલી માગણી બાદ લેવાયો છે. અગાઉ, ૨૦૨૦માં વિધાનસભા ચૂંટણી રાજ્યના અમુક હિસ્સાઓમાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ત્રણ તબક્કામાં યોજાઈ હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર,પ્રથમ તબક્કાનું મતદાન તા. ૬ નવેમ્બરના રોજ થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન તા. ૧૧ નવેમ્બરના રોજ થશે. તેમજ મત ગણતરી તા. ૧૪ નવેમ્બરના રોજ ગુરુવારે હાથ ધરાશે અને પરિણામો જાહેર થશે.
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેઝેટ નોટિફિકેશન ૧૦ ઓક્ટોબરના રોજ બહાર પડાશે. જેમાં ઉમેદવારો ૧૭ ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો નોંધાવી શકશે. ત્યારબાદ, ૨૨ ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્રોની સ્ક્રુટની થશે અને ૨૪ ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે હિંસા કે અવ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય તે માટે ૫૦૦થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરવાનો ર્નિણય લીધો છે. પંચે રાજ્યના તમામ જિલ્લાઓમાં સંવેદનશીલ અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ચૂંટણી પંચની માગણી અનુસાર ગૃહ મંત્રાલય દ્વારા અર્ધ લશ્કરી દળોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર બિહારમાં કુલ ૯૦,૭૧૨ મતદાન મથકો તૈયાર કરાયા છે, જેમાં પ્રતિ કેન્દ્ર સરેરાશ ૮૧૮ નોંધાયેલા મતદારો છે. આમાંથી ૭૬,૮૦૧ મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત છે, જ્યારે ૧૩,૯૧૧ શહેરી વિસ્તારોમાં સ્થિત છે.૧,૩૫૦ મોડેલ મતદાન મથકો સ્થાપિત કરાય છે. સાથે જ, પારદર્શિતા જાળવવા માટે ૧૦૦ ટકા વેબકાસ્ટિંગની સુવિધા પણ પૂરી પડાશે.
બિહારના મતદારોની સંખ્યા
૭.૪૩ કરોડ કુલ મતદાર
૩.૯૨ કરોડ પુરુષ મતદાર
૩.૫૦ કરોડ મહિલા મતદાર
૧૭૨૫ ટ્રાન્સજેન્ડર મતદાર
૭.૨ લાખ દિવ્યાંગ મતદાર
૪.૦૪ લાખ ૮૫ વર્ષથી વધુ વયના મતદાર
૧૪ હજાર ૧૦૦ કે તેથી વધુ વયના મતદાર
૧૪.૦૧ લાખ પ્રથમ વખતના યુવા મતદાર
૧.૬૩ કરોડ ૨૦-૨૯ વર્ષની વયના મતદાર
૧.૬૩ લાખ સેવા મતદાર
જરૂર પડે વધારે સુરક્ષા પૂરી પડાશે : ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છેકે, વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈ ગુનાહિત કે અસામાજિક તત્વો કોઈ વિક્ષેપ ન પહોંચાડે તે સુનિશ્ચિત કરાશે. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ કેન્દ્રીય દળોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. બિહાર સરકારને સ્થાનિક પરિવહન, લોજિસ્ટિક્સ, રહેઠાણ અને કેન્દ્રીય દળોની અન્ય જરૂરિયાતો અંગે તાત્કાલિક ર્નિણયો લેવા વિનંતી કરાઇ છે. સીએપીએફ કંપનીઓની તમામ ગતિવિધિઓની જાણ દરરોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કરશે.
વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક ફાળવણી અંગે ચર્ચા શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષના મહાગઠબંધ ઇન્ડિયાની બેઠકની ફાળવણી મુદ્દે આંતરિક વાતચીતનો દોર શરૂ થયો છે. ગઈકાલે તેજસ્વી યાદવના નિવાસસ્થાને ગઠબંધનની બેઠક આશરે પાંચ કલાક ચાલી હતી. બેઠક બાદ વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સહાનીએ દાવો કર્યો હતો કે, બેઠક ફાળવણીની વાતચીત લગભગ ફાઈનલ છે. આગામી બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી અપાશે.
ત્નશ્દ્ભની ૭૧ મળી કુલ ૫૦૦ ઝ્રઇઁહ્લ કંપની તહેનાત
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પૂરતી સંખ્યામાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો (સીઆરપીએફ) ની તૈનાતી કરાઈ છે. હાલમાં, વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની કુલ ૫૦૦ કંપનીઓ તૈનાત કરાઈ છે. મોટાભાગના દળો રવિવારે બિહાર પહોંચી ગયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં સીઆરપીએફની કુલ ૧૧૮ કંપનીઓ તૈનાત કરાઈ છે, જેમાંથી ૭૧ કંપનીઓ જમ્મુ અને કાશ્મીરથી બોલાવવામાં આવી છે. તે ઉપરાંત બીએસએફ અને સીઆઇએસએફ જેવી મહત્વપૂર્ણ સુરક્ષા એજન્સીઓના જવાનો પણ સામેલ છે.
સાત રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી
બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, ચૂંટણી પંચે સાત રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીઓની તારીખો પણ જાહેર કરી છે. જેમાં રાજસ્થાનમાં અંતા, જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, પંજાબમાં તરનતારન, ઝારખંડમાં ઘાટશિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે. જાેકે, ચૂંટણી પંચે જુદા જુદા રાજ્યો માટે સ્ક્રુટીની અને નામાંકન પાછા ખેંચવાની તારીખોમાં અલગ-અલગ જાેગવાઈઓ કરી છે. જે અનુસાર રાજસ્થાન માટે ચકાસણી ૨૩ ઓક્ટોબર અને નામ પાછા ખેંચવાની અંતિમ તારીખ ૨૭ ઓક્ટોબર રહેશે. જ્યારે મુખ્ય મતદાન અને પરિણામની તારીખો સમાન છે.
૩૦ સપ્ટેમ્બરે મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, કમિશન દ્વારા મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા ૨૪ જૂન, ૨૦૨૫થી શરૂ કરાઈ હતી. ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ યાદી અને ૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો વાંધાા માટે અપાયો હતો. જે બાદ ૩૦ સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરાઈ હતી. જાેકે, જાે કોઈ ભૂલો રહે તો, જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અપીલ દાખલ કરી શકાય છે.
નીતિશ કુમારની માગણી પંચે નકારી
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સમક્ષ બિહારની ચૂંટણી એક તબક્કામાં યોજવા રાજકીય પક્ષો દ્વારા રજૂઆત કરાઇ હતી. જેમાં ખાસ કરી મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી (જેડીયુ) દ્વારા માગણી કરાઇ હતી. જાેકે, જાહેરાત તેનાથી વિપરીત છે. જાેકે, ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના અમુક પક્ષોએ પણ બે તબક્કાની ચૂંટણીની હિમાયત કરી હતી.
૨૦૧૦માં ૬, ૨૦૧૫માં પાંચ તબક્કા હતા
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, ૨૦૨૦માં યોજાયેલી વિધાનસભાન ચૂંટણી સુરક્ષા કારણોસર ત્રણ તબક્કામાં યોજવામાં આવી હતી. જાેકે, આ વખતે તેવી કોઈ જરૂરિયાત ન હોવાથી ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. જ્યારે ૨૦૧૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી છ તબક્કામાં અને ૨૦૧૫માં પાંચ તબક્કામાં યોજાઈ હતી.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૧૦ મોટા ફેરફારો
૧. બૂથ લેવલ અધિકારીઓને તાલીમ : પ્રથમ વખત બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે ૯૦,૭૧૨ બૂથ લેવલ અધિકારીઓને વિશેષ તાલીમ અપાઈ છે. ઉપરાંત, ૨૪૩ ઇઆરઓ અને ૩૮ ડીઇઓ પણ હંમેશા હાજર રહેશે, જે ચૂંટણી સંચાલનને વધુ અસરકારક બનાવશે.
૨. પ્રતિ મતદાન મથક મતદારોની નિશ્ચિત સંખ્યા : સરળ મતદાન સુનિશ્ચિત કરવા અને ભીડ ટાળવા માટે, પ્રથમ વખત પ્રતિ મતદાન મથક મતદારોની સંખ્યા ૧,૨૦૦ નક્કી કરાઈ છે. જેની સામે ૮૦૦ જેટલા મતદારો પર મતદાન મથક ફળવાયા છે.
૩. મતદાન મથક પર મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી : મતદારોને મતદાન મથકો પર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી અપાઈ છે. મતદારો ફોન પોતાની સાથે લઈ જઈ શકશે અને જમા કરાવી શકશે. મતદાન કર્યા પછી, તેઓ તેમના ફોન પાછા લઈ શકશે.
૪. ઉમેદવારો માટે નજીકના બૂથ : પ્રથમ વખત, ઉમેદવારોને મતદાન મથકોથી ૧૦૦ મીટરની અંદર તેમના બૂથ બનાવવા મંજૂરી અપાઈ છે. અગાઉ બૂથ દૂર હોવાથી મતદારો અને એજન્ટોને થતી અસુવિધા આ ર્નિણયથી દૂર થશે.
૫. ઈવીએમમાં રંગીન ફોટોગ્રાફ્સ : મતદારોની ઓળખ સરળ અને અનુકૂળ બનાવવા માટે, ઈવીએમમાં ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ અને સીરીયલ નંબરો માટે મોટો ફોન્ટ શામેલ કરવાનો ર્નિણય લેવાયો છે.
૬. ડિજિટલ ઇન્ડેક્સ રિપોર્ટ : વિધાનસભા ચૂંટણીઓ માટે ડિજિટલ ઇન્ડેક્સ રિપોર્ટ તૈયાર કરાશે, જે થોડા દિવસોમાં ઉપલબ્ધ થશે. દરેક બૂથનું વેબકાસ્ટિંગ પણ કરાશે.
૭. રાજ્ય બહારના સામાન્ય નિરીક્ષકોની સમાન સંખ્યા : પ્રથમ વખત ૨૪૩ બેઠકો માટે સમાન સંખ્યામાં રાજ્યની બહારના સામાન્ય નિરીક્ષકો તૈનાત કરાશે.
૮. ઇન્ફોર્મેશન એપ્સ : મતદારો તેમની બૂથ-લેવલ ઓફિસર સાથે વાત કરવા અને ચિંતાઓ જણાવવા માટે ચૂંટણી પંચ નેટ એપ ડાઉનલોડ કરી શકે છે અથવા ૧૯૫૦ પર કૉલ કરી શકે છે. સમગ્ર ચૂંટણી મશીનરી ફક્ત એક કોલ દૂર છે.
૯. મત ગણતરીના નિયમોમાં ફેરફાર : ઈવીએમના છેલ્લા બે રાઉન્ડ પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ કરવી જરૂરી રહેશે. ત્યારબાદ વીવીપેટ ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી પછી તરત જ કરવામાં આવશે.
૧૦. ફોર્મ ૧૭સી અને વીવીપેટ મેળ ન ખાતા સંપૂર્ણ ગણતરી : મતદાર માહિતી સ્લિપમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જાે ફોર્મ ૧૭સી (ઈવીએમ પરના મત) અને વીવીપેટ વચ્ચે કોઈ મેળ ખાતો નથી, તો તે ઈવીએમ સાથે સંકળાયેલ વીવીપેટની સંપૂર્ણ ગણતરી કરાશે. જે પારદર્શિતા માટે મહત્વપૂર્ણ પગલું છે.
બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં 'સુપર બુલ રન' (Super Bull Run) નો દોર યથાવત રહેતા બંને કિંમતી ધાતુઓના ભાવે આજે ફરી એકવાર નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. નવા સપ્તાહના પ્રારંભે, સોમવાર, ૬ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, વૈશ્વિક બજારોમાં તેજી અને સેન્ટિમેન્ટને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં ₹૨,૪૦૦ અને સોનામાં ₹૧,૦૦૦ નો જંગી ઉછાળો નોંધાયો હતો.
આ ભાવવધારા બાદ ચાંદી ચોરસા (૧ કિલો) નો ભાવ શનિવારના ₹૧,૫૧,૦૦૦ થી વધીને આજે ₹૧,૫૩,૪૦૦ ની નવી ટોચે પહોંચ્યો છે. જ્યારે સોનું સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) નો ભાવ ₹૧,૨૨,૦૦૦ થી વધીને આજે ₹૧,૨૩,૦૦૦ થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવમાં પણ ₹૧૦,૦૦૦ નો ઉછાળો આવતા તે ₹૧૨,૩૦,૦૦૦ ની સપાટીએ પહોંચ્યા છે. જ્વેલરી અને બુલિયન એનાલિસ્ટ્સના મતે, આ તેજી માત્ર સ્થાનિક માંગને કારણે નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ઉભી થયેલી મોટી અનિશ્ચિતતાઓનું સીધું પરિણામ છે.
સોના-ચાંદીની કિંમતોમાં આ ઐતિહાસિક ઉછાળા પાછળ નીચેના વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. બુલિયન માર્કેટના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકામાં સરકારના સંભવિત શટડાઉન અંગેની ચિંતાઓ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધુ ઘટાડો થવાની અપેક્ષાએ રોકાણકારોને સેફ-હેવન ગણાતી આ કિંમતી ધાતુઓ તરફ વાળ્યા છે. વ્યાજ દરો ઘટવાની શક્યતાથી સોનું વધુ આકર્ષક બને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીમાં સતત વધારો થયો છે. ચીન અને ભારત સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા તેમના ભંડોળમાં સોનાનો હિસ્સો વધારવાને કારણે સોનાના ભાવને મજબૂત ટેકો મળ્યો છે.
યુક્રેન-રશિયા યુદ્ધ જેવા વૈશ્વિક સંઘર્ષો અને તણાવો હજી પણ ચાલુ છે, જેના કારણે ભૌગોલિક-રાજકીય જોખમો (Geopolitical Risks) ઊંચા સ્તરે છે. આ સંજોગોમાં રોકાણકારો જોખમ ઘટાડવા માટે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ચાંદી, જેને બેવડી ભૂમિકા (Dual Role) વાળી ધાતુ માનવામાં આવે છે, તે સેફ-હેવન હોવા ઉપરાંત ઔદ્યોગિક ઉપયોગમાં પણ મહત્વની છે. સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને ૫G ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં તેની માંગ વધી છે, જેના કારણે ચાંદીની સપ્લાય સામે માંગ વધી રહી છે. યુએસ ડોલરનું મૂલ્ય નબળું પડવાથી અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું અને ચાંદી સસ્તાં બને છે, જેનાથી વૈશ્વિક માંગમાં વધારો થાય છે.
ઝવેરીબજારના સૂત્રો અને વિશ્લેષકોએ સંકેત આપ્યો છે કે ફંડામેન્ટલ ડ્રાઇવર્સ મજબૂત હોવાથી આ તેજીનો દોર લાંબો ચાલી શકે છે અને આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવ સપાટી જોવા મળે તેવી શક્યતા છે, ખાસ કરીને ભારતમાં દિવાળીના તહેવારની નજીકમાં.
Loading ...