ભારતની તાંબાની આયાતમાં મોટા પાયે ઘટાડો થવાની અપેક્ષા
અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! આગામી કેટલાક અઠવાડિયાઓમાં કોપર સ્મેલ્ટરનું કામકાજ શરૂ થવાના એંધાણ છે. મુન્દ્રા સ્થિત કોપર સ્મેલ્ટર વિશ્વના એક જ સ્થાન પરના સૌથી મોટા સ્મેલ્ટરમાંનું એક હશે. કોપર વિસ્તરણ ખર્ચ આશરે ૭૦૦-૮૦૦ મિલિયન ડોલર થવાની ધારણા છે, જે યુનિટનો કુલ ખર્ચ આશરે ઇં૨ બિલિયન સુધી જશે.
કચ્છ કોપર હાલમાં લેટિન અમેરિકન દેશોમાંથી તેના કોપર કોન્સન્ટ્રેટનું સોર્સિંગ કરશે, પરંતુ કોન્સન્ટ્રેટ માટે વધારાના સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના સપ્લાયર્સ સાથે પણ ચર્ચા-વિચારણા જારી છે. નજીકના બે-ત્રણ ક્વાર્ટરમાં અપેક્ષિત ૫૦૦,૦૦૦ ટન યુનિટના સ્થિરીકરણ બાદ તેની ક્ષમતા વધારીને દસ લાખ ટન કરવામાં આવશે.
વિશ્લેષકોના મતે આગામી નાણાકીય વર્ષ દરમિયાન સંપૂર્ણ વૃદ્ધિની ધારણા રાખીને કોપર સ્મેલ્ટર કામગીરી સંપૂર્ણ વર્ષના ધોરણે ઇં૨૫૦-૩૦૦ મિલિયનની રેન્જમાં વ્યાજ, કર, ઘસારો અને એમોર્ટાઇઝેશન પહેલાં કમાણી કરી શકે છે. કચ્છ કોપર સંપૂર્ણપણે અદાણી ગ્રુપની ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસની માલિકીની છે. એકવાર તે શરૂ થયા બાદ ભારતની તાંબાની આયાતમાં મોટા પાયે ઘટાડો થવાની અપેક્ષા છે.
ઉત્પાદિત તાંબાના લગભગ ૪૦% ભાગનો ઉપયોગ અદાણી ગ્રુપના કેપ્ટિવ હેતુઓ માટે કરવામાં આવશે જેમાં નવીનીકરણીય ઉર્જા અને ટ્રાન્સમિશન વ્યવસાયોનો સમાવેશ થાય છે. તાંબાનો ઉપયોગ ગ્રુપના વાયર અને કેબલ વ્યવસાયમાં પણ થશે જેની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.
મુંબઇ,ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મંગળવારે એક મોટી જાહેરાત કરી, જ્યાં તેણે ૨૦૨૭ માં યોજાનાર વન ડે વર્લ્ડકપમાં રમવા અંગે એક મોટી અપડેટ આપી. તેણે એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડકપ જીતવાનું છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ ૧૫ સેકન્ડના વીડિયોમાં વિરાટે સ્પષ્ટપણે કહ્યું છે કે તે માત્ર ૨૦૨૭નો વર્લ્ડ કપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માંગે છે. ભારત ૨૦૨૩ માં વન ડે વર્લ્ડ કપ જીતવાની ખૂબ નજીક હતું, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીને ૧૧ મેચમાં ૯૫.૬૨ની સરેરાશથી ત્રણ સદી અને છ અર્ધશતક સાથે રેકોર્ડ ૭૬૫ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જાેકે, પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતવા છતાં, કોહલી ફાઇનલમાં ભારતની હારથી નિરાશ થયો હતો.મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન તેણે વાત પણ કરી ન હતી. ત્યારથી, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું રોહિત શર્મા અને કોહલીની સિનિયર જાેડી આગામી વર્લ્ડ કપ સુધી વન ડે રમવાનું ચાલુ રાખશે. તાજેતરમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતથી આ બંને ખેલાડીઓ માટે ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી પોતાની કારકિર્દી ચાલુ રાખવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી શાનદાર ફોર્મમાં હતો, જ્યાં તેણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે મેચ વિજેતા ઇનિંગ્સ રમી હતી. લીગ તબક્કામાં નિષ્ફળ રહ્યા બાદ, કેપ્ટન રોહિતે ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં ૭૬ રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી. તેમની ઇનિંગથી ભારતે ૪૯ ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને તેમનો ત્રીજાે ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.
મુંબઇ,ભારતીય બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમના એ+ ગ્રેડ કોન્ટ્રાક્ટ જાળવી રાખવા માટે તૈયાર છે, જે બીસીસીઆઇના વાર્ષિક ખેલાડીઓના કોન્ટ્રાક્ટમાં રૂ. ૭ કરોડના છે. “રોહિત અને કોહલી ટી૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ પ્રતિષ્ઠિત એ+ શ્રેણીમાં રહેશે,” સૂત્રોએ જણાવ્યું. તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર શ્રેયસ ઐયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં વાપસી કરવા માટે તૈયાર છે. “ગયા વર્ષે ઐયર સાથે બહાર કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને હજુ પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પાછા ફરવા માટે રાહ જાેવી પડશે,” તેમાં ઉમેર્યું હતું. ટી૨૦ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની અજેય દોડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પાસે પણ પ્રમોશન મેળવવાની સારી તક છે. છેલ્લા ૧૨ મહિનામાં ભારત માટે તમામ ફોર્મેટમાં ઉત્તમ પ્રદર્શન કરનારા વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી અને અભિષેક શર્મા પાસે પણ તેમનો પ્રથમ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવાની સારી તક છે. ગયા અઠવાડિયે, બીસીસીઆઈએ ૨૦૨૪/૨૫ ચક્ર માટે ભારતની સિનિયર મહિલા ટીમ માટે વાર્ષિક રિટેનરની જાહેરાત કરી હતી. સિનિયર પુરુષોની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને દેવજીત સૈકિયા વચ્ચેની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ સૈકિયાની બેઠક શનિવારે ગુવાહાટીમાં યોજાવાની હતી પરંતુ તેને મુલતવી રાખવામાં આવી હતી. આ બેઠક બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની હતી.
લખનઉ, વક્ફ બિલ પર દેશમાં રાજકીય નિવેદનબાજી ચાલુ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે દાવો કર્યો હતો કે, જાે ભાજપ વક્ફ બિલ લાવશે તો મોદી સરકાર પડી જશે. તેમણે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી બધાએ મળીને અલ્ટીમેટમ આપ્યું છે.લખનઉમાં પાર્ટીના કાર્યાલયમાં આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેમાં મોદી સરકારે કહ્યું કે અમારી પાસે ૯૯ ટકા મિલકતોના દસ્તાવેજાે છે. બધી મિલકતો માન્ય છે. બિલમાં એવું લખેલું છે કે જાે કોઈ વ્યક્તિ પાંચ વર્ષ સુધી મુસ્લિમ રહે છે, તો જ તે મસ્જિદ કે મદરેસામાં દાન કરી શકે છે. દુનિયાનો કોઈ એવો કાયદો જણાવો જેમાં દાન આપવા માટે ધાર્મિક રીતરિવાજાેનું પાલન કરવું જરૂરી હોય. નાસ્તિક પણ દાન કરી શકે છે. જે કોઈ પણ ધર્મમાં માનતો નથી. શું તમે આવો કોઈ કાયદો બનાવ્યો છે? ભાજપ પર આરોપ લગાવતા આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, તે જ પાર્ટી (ભાજપ) છે, જેણે રામ મંદિર માટે દાનમાં છેતરપિંડી કરી હતી અને પાંચ મિનિટમાં ૧૮.૫ કરોડ રૂપિયામાં ૨ કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી. જે લોકો ભગવાન શ્રી રામના નામે જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી શકે છે, જાે આજે વક્ફ બિલ પસાર થાય છે, તો કાલે મંદિરની જમીન પર કબજાે કરવાનું બિલ પસાર થશે. ત્યારબાદ ગુરુદ્વારા અને ચર્ચની જમીન પર કબજાે મેળવવા માટેનું બિલ પસાર કરવામાં આવશે.
બિલ વાંચો, પછી તર્ક આપો : વકફ બિલ મુદ્દે રિજિજુ વિપક્ષ પર ભડક્યા
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે, કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈપણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો, અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. રિજિજુએ વકફ બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, વકફ બિલ મુદ્દે કેટલાક પક્ષો અને સંગઠનો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ બિલ અંગે ખોટું ન બોલવું જાેઈએ. તેમણે પહેલા બિલ વાંચવું જાેઈએ અને પછી તર્ક આપવો જાેઈએ. તેઓ ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમણે કહ્યું કે, અમે બિલ લાવવાની તમામ તૈયારી કરી લીધી છે. અમે તે ક્યારે લાવશું, તે તમને જણાવી દઈશું. અમે બિલના નામે તણાવ ઉભો કરનારા સંગઠનોની ઓળખ કરી છે. ઈદ પર પટ્ટી બાંધીને નમાજ અદા કરવાનું કહેનારા સંગઠનો ખોટું કરી રહ્યા છે. મસ્જિક, કબ્રસ્તાન અથવા મુસ્લિમની જમીન છીનવી લેવાની વાત કહી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.રિજિજુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વકફ એક્ટને ગેરબંધારણીય કહેવું એ સૌથી મોટું જૂઠ છે
. સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા, બિલ જાેયા પછી જ ર્નિણય : જેડીયૂ વકફ બિલ પર ચાલી રહેલા નિવેદનબાજી વચ્ચે, જેડીયુએ કહ્યું છે કે તેણે આ બિલ અંગે સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. અમારા સૂચનોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. જાેકે, બિલ હજુ સુધી પ્રસારિત થયું નથી અને જેડીયુ બિલ જાેયા પછી જ ર્નિણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુએ સરકારને કહ્યું છે કે નવો કાયદો પાછલી અસરથી લાગુ ન કરવો જાેઈએ. તેનો અર્થ એ કે હાલની જૂની મસ્જિદ, દરગાહ કે અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળ સાથે કોઈ છેડછાડ થવી જાેઈએ નહીં. વકફ કાયદામાં આ માટે સ્પષ્ટ જાેગવાઈ હોવી જાેઈએ. જેડીયુએ એમ પણ કહ્યું હતું કે, જમીન રાજ્યનો વિષય છે. તેથી, વકફ જમીન અંગેના કોઈપણ ર્નિણયમાં રાજ્યોનો સ્પષ્ટ અભિપ્રાય પણ લેવો જાેઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેપીસી દ્વારા સૂચવવામાં આવેલા ૧૪ મહત્વપૂર્ણ સુધારાઓમાં આનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેપીસી દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓના આધારે, મંત્રીમંડળે સુધારેલા બિલને મંજૂરી આપી છે, જેમાં એક મહત્વપૂર્ણ સુધારો એ પણ છે કે તેનો અમલ પાછલી અસરથી કરવામાં આવશે નહીં.
Loading ...